સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં સોમવારે (પહેલી સપ્ટેમ્બર) નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આદેશ આપ્યો કે, જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે, તેમણે TET પાસ કરવી ફરજીયાત છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, નવા શિક્ષકો માટે TET પાસ કરવી ફરજિયાત છે, આ ઉપરાંત પહેલાથી નોકરી કરી રહેલા શિક્ષકો જો બઢતી મેળવવા ઈચ્છે તો તેમના માટે પણ TET પાસ કરવી ફરજિયાત રહેશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ શિક્ષક નવી નોકરી અથવા બઢતી મેળવવા ઈચ્છે તો TET પાસ કર્યા વગર તેમનો કોઈપણ દાવો માન્ય ગણાશે નહીં. જોકે, બેન્ચે પાંચ વર્ષથી ઓછો સમય બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. આવા શિક્ષકોને TET પાસ કરવાની જરૂરિયાત રહેશે નહીં અને તેઓ તેમની નિવૃત્તિ સુધી નોકરી પર રહી શકશે. પરંતુ જો આવા શિક્ષકો બઢતી મેળવવા ઈચ્છે તો તેમને TET પાસ કરવી ફરજિયાત રહેશે.
કોર્ટે એમ પણ કહ્યું છે કે, જે શિક્ષકો શિક્ષણનો અધિકાર કાયદો (RTE-2009) લાગુ થતાં પહેલાં નિમણૂક થયા છે અને જેમની પાંચ વર્ષથી વધુ સેવા બાકી છે, તેમણે બે વર્ષની અંદર TET પાસ કરવી જ પડશે. જો તેઓ આ ગાળામાં TET પાસ ન કરે તો તેમને નોકરી ગુમાવવી પડશે અને તેમને માત્ર ટર્મિનલ બેનિફિટ્સ જ મળશે.
સુપ્રીમ કોર્ટે લઘુમતી દરજ્જો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓને હાલ પૂરતી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે, આ આદેશ હમણાં તે સંસ્થાઓ પર લાગુ પડશે નહીં. RTE કાયદો આ શાળાઓને લાગુ થાય છે કે નહીં, તે કાયદાકીય સવાલ હાલ સુપ્રીમ કોર્ટની મોટી બેન્ચ સમક્ષ પેન્ડિંગ છે. જ્યાં સુધી આ અંગે અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી લઘુમતી સંસ્થાઓના શિક્ષકો માટે TET પાસ કરવી ફરયિજાત નહીં રહે.
ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) એક રાષ્ટ્રીય સ્તરની પાત્રતા પરીક્ષા છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વર્ગો ધોરણ-1થી ધોરણ-8માં શિક્ષક બનવા માંગનાર ઉમેદવારની યોગ્યતા નક્કી થાય છે. આ પરીક્ષા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન (NCTE) દ્વારા 2010માં ફરજિયાત કરાઈ હતી. NCTEએ શિક્ષકોને TET પાસ કરવા માટે પાંચ વર્ષનો સમય આપ્યો હતો, જેને પાછળથી ચાર વર્ષ સુધી લંબાવાયો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં TET ફરજિયાત પાસ કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી હાથ ધર્યા બાદ આ નિર્ણય લીધો છે, હવે દેશભરના શિક્ષકો પર અસર કરી છે.
12 PCMમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરવા જેવા સમાચાર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT બોમ્બે) JEE એડવાન્સ્ડ ટોપર્સ માટે સૌથી પહેલા નંબરની અને સૌથી વધુ પસંદગીની સંસ્થા રહી છે, જ્યારે જેઇઇ એડવાન્સ્ડ ટોપર્સને આકર્ષવામાં બીજા નંબરે રહેલી IIT દિલ્હી આ વર્ષે ટોચના 100 રેન્કર્સનો નોંધપાત્ર હિસ્સો આકર્ષવામાં બીજા ક્રમે છે. જોકે, NIRF મુજબ દેશની ટોચની ક્રમાંકિત એન્જિનિયરિંગ સંસ્થા IIT-મદ્રાસમાં ટોચના 100 ઉમેદવારો પૈકી ફક્ત ફક્ત છ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે.
અન્ય IITs જેમણે જેઇઇ એડવાન્સ્ડ ટોપર્સમાં ખાસું એટ્રેક્શન ઉભું કર્યું છે તેમાં IIT ખડગપુર (ટોચના 5000 JEE એડવાન્સ્ડ 2025 રેન્ક ધારકોમાં 517 વિદ્યાર્થીઓ), IIT કાનપુર (448), IIT રૂરકી (429) અને IIT હૈદરાબાદ (222)નો સમાવેશ થાય છે. નવી IITsમાં, IIT BHU વારાણસીએ 258 ટોચના 5000 રેન્કર્સ, IIT ગુવાહાટી 305 અને IIT ઇન્દોરે 109 ને આકર્ષ્યા છે.
જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) દ્વારા જાહેર કરાયેલા કાઉન્સેલિંગ ડેટા અનુસાર, JEE એડવાન્સ્ડ 2025 ના ટોચના 100 રેન્કર્સમાંથી 73 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેને પસંદ કરી છે, 2023 માં આ આંકડો 67 અને 2024 માં 72 હતો તેનાથી સતત અપટ્રેન્ડ દર્શાવે છે.
IIT દિલ્હી, જેણે બીજા નંબરે સતત પોતાનું આકર્ષણ જાળવી રાખ્યું છે, તેણે 2025 માં ટોચના 100 માંથી 19 વિદ્યાર્થીઓને સુરક્ષિત કર્યા. 2024 માં સંસ્થા પસંદ કરનારા 23 અને 2023 માં 22 કરતા ઓછા હોવા છતાં, IIT દિલ્હી છેલ્લા પાંચ વર્ષોમાં ટોચના રેન્કર્સ માટે સ્પષ્ટ બીજી પસંદગી રહી છે, જે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 19 થી 32 ઉમેદવારોને આકર્ષે છે.
IIT મદ્રાસ પર પસંદગીનો કળશ ઢોળવામાં જેઇઇ એડવાન્સ્ડ 2025ના ટોચના 100 ઉમેદવારોની સંખ્યામાં વધઘટ નોંધાઇ રહી છે. આ વર્ષે,100 ટોપર્સમાંથી માત્ર 6 રેન્કર્સે ચેન્નાઈ સ્થિત આઇઆઇટી મદ્રાસ માટે પસંદગી કરી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે – જે 2024 માં ફક્ત બે હતી.
ડેટા દર્શાવે છે કે IIT બોમ્બેનું વર્ચસ્વ 2020 થી મજબૂત બન્યું છે, જ્યારે ટોચના 100 રેન્કર્સમાંથી 58 દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. તેનો હિસ્સો દર વર્ષે સતત વધતો ગયો છે, 2024 અને 2025 બંનેમાં 70 નો આંકડો વટાવી ગયો છે.
આ દરમિયાન, IIT દિલ્હીએ સતત બીજા ક્રમની સૌથી વધુ પસંદગીની સંસ્થા તરીકે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે, છેલ્લા છ વર્ષમાં સંખ્યા 19 થી 32 ની વચ્ચે રહી છે.
IIT મદ્રાસ એક દૂરની ત્રીજી પસંદગી રહી છે, જે દર વર્ષે ટોચના 100 માં બે થી આઠ વિદ્યાર્થીઓને આકર્ષે છે.
ડેટા IIT બોમ્બે અને IIT દિલ્હી માટે ટોપર્સમાં સ્પષ્ટ પસંદગી દર્શાવે છે, જ્યારે IIT મદ્રાસ જેવા અન્ય IIT સતત વધારો કરી રહ્યા છે.
ટોચના 5000 JEE એડવાન્સ્ડ રેન્કર્સના વ્યાપક પૂલમાં, IIT બોમ્બેનું વર્ચસ્વ ચાલુ રહે છે, 755 વિદ્યાર્થીઓએ સંસ્થા પસંદ કરી છે. IIT દિલ્હી 577 વિદ્યાર્થીઓ સાથે બીજા ક્રમે છે, જ્યારે IIT મદ્રાસે 478 વિદ્યાર્થીઓ મેળવ્યા છે, જે ત્રીજા ક્રમે સૌથી વધુ પસંદગીની પસંદગી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે.
અન્ય IITs જેમણે જેઇઇ એડવાન્સ્ડના પ્રથમ 5000 ટોપર્સમાં નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું છે તેમાં IIT ખડગપુર (517 વિદ્યાર્થીઓ), IIT કાનપુર (448), IIT રૂરકી (429) અને IIT હૈદરાબાદ (222)નો સમાવેશ થાય છે. નવી IITsમાં, IIT BHU વારાણસીએ 258 ટોચના 5000 રેન્કર્સ, IIT ગુવાહાટી 305 અને IIT ઇન્દોરે 109 વિદ્યાર્થીઓને આકર્ષ્યા છે.
કેટલીક સંસ્થાઓએ ટોચના રેન્કર્સનું મર્યાદિત પ્રતિનિધિત્વ મળ્યું છે તેમાં IIT ભુવનેશ્વરે 43, IIT જોધપુર 63 અને IIT રોપર 120 વિદ્યાર્થીઓ મેળવ્યા. IIT જમ્મુ (4), IIT ભીલ્લાઈ (2), IIT ગોવા (3), IIT પલક્કડ (1) અને IIT ધારવાડ (1) જેવી કેટલીક સંસ્થાઓએ ફક્ત એક-અંકનું પ્રતિનિધિત્વ જોયું.
૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલા IIT કાનપુરના અહેવાલ મુજબ, JEE એડવાન્સ્ડ ૨૦૨૫ માટે તમામ સાત ઝોનમાંથી ૧,૮૭,૧૧૩ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી – હૈદરાબાદ ઝોનમાંથી ૪૫,૬૨૨ વિદ્યાર્થીઓ; બોમ્બે ઝોનમાંથી ૩૭,૦૦૨ વિદ્યાર્થીઓ; અને દિલ્હી ઝોનમાંથી ૩૪,૦૬૯ વિદ્યાર્થીઓ. IIT-કાનપુરે આ વર્ષે JEE એડવાન્સ્ડનું આયોજન કર્યું હતું.
નોંધણી કરાવનારાઓમાં, હૈદરાબાદ ઝોનમાંથી ૧૨,૯૪૬ (૨૮.૩૭ ટકા) વિદ્યાર્થીઓ; બોમ્બે ઝોનમાંથી ૧૧,૨૨૬ (૩૦.૩૩ ટકા) અને દિલ્હી ઝોનમાંથી ૧૧,૩૭૦ (૩૩.૩૭ ટકા) વિદ્યાર્થીઓએ JEE-એડવાન્સ્ડ પરીક્ષા પાસ કરી હતી.
દિલ્હી ઝોનમાંથી કુલ ૪,૧૮૨ વિદ્યાર્થીઓ અથવા JEE-એડવાન્સ્ડ પાસ કરનારા ૩૬.૭૮ ટકા વિદ્યાર્થીઓને IIT માં પ્રવેશ મળ્યો, જે કોઈપણ ઝોન માટે શ્રેષ્ઠ રૂપાંતર દર છે.
હૈદરાબાદ ઝોનમાં ૪,૩૬૩ (૩૩.૭ ટકા) સાથે પ્રવેશની સૌથી વધુ સંખ્યા હતી. બોમ્બે ઝોનમાંથી કુલ ૩,૮૨૫ વિદ્યાર્થીઓ, રૂરકી ઝોનમાંથી ૧,૭૨૯, કાનપુર ઝોનમાંથી ૧,૬૨૨, ખડગપુર ઝોનમાંથી ૧,૬૫૫ અને ગુવાહાટી ઝોનમાંથી ૮૧૨ વિદ્યાર્થીઓ IIT માટે પસંદ થયા છે.
NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે.
એનસીઈઆરટી એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ સાથે આ ઓપરેશન પોતાના જીવ ગુમાવનારા લોકોના સન્માનને પરત કરવાનો પ્રયાસ પણ હતો. ઓપરેશન સિંદૂરના લગભગ ત્રણ મહિના પછી તેને અભ્યાસક્રમમાં પૂરક સામગ્રી તરીકે સમાવવામાં આવ્યું છે.
ભારતીય સેનાની કાર્યવાહીની વિગતો
આ મોડ્યુલમાં જણાવાયું છે કે આમ તો પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. આ મોડ્યુલમાં જણાવાયું છે કે પાકિસ્તાન પહેલગામ હુમલામાં સીધી સંડોવણીનો ઇનકાર કરે છે. પરંતુ તે પાકિસ્તાની લશ્કરી અને રાજકીય નેતૃત્વના સીધા આદેશ પર કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરની વિગતો પણ એક મોડ્યુલમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાન અને PoK માં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે મિસાઇલો ચલાવી હતી. આ ઉપરાંત હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા હતા.
આતંકવાદી ઠેકાણાઓનો નાશ
આગળ લખેલું છે કે ભારતીય સેના દ્વારા આ નવ આતંકવાદી ઠેકાણાઓમાંથી સાતનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુરમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ બધા લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. NCERT ના અભ્યાસક્રમમાં ભારત સરકારનું વલણ મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન કોઈ પણ નાગરિકને નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે દરેક લક્ષ્યને બે વાર તપાસવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન ફક્ત આતંકવાદીઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનથી દર્શાવવામાં આવ્યું છે કે ભારત કોઈપણ કિંમતે આતંકવાદીઓના માસ્ટરને છોડશે નહીં.
વિદ્યાર્થીઓને સેનાની તાકાત વિશે જણાવવામાં આવશે
NCERT ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ પહેલું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ સાગા ઓફ વેલર’ ધોરણ ત્રણ થી આઠમાં શીખવવામાં આવશે. બીજું મોડ્યુલ, ‘ઓપરેશન સિંદૂર – એ મિશન ઓફ ઓનર એન્ડ બ્રેવરી’ ધોરણ 9 થી 12માં શીખવવામાં આવશે. શાળાના અભ્યાસક્રમમાં આ મોડ્યુલનો સમાવેશ કરવાનો હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સેનાની તાકાતથી વાકેફ કરવાનો છે.
ગુજરાતમાંથી છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 2315 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી છે. સૌથી વઘુ એજ્યુકેશન લોન લીધી હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 11,426 કરોડ સાથે મોખરે છે.
એજ્યુકેશન લોનનો ઉપયોગ મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે કરતા હોય છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના અહેવાલ પ્રમાણે 2020-21માં રૂપિયા 214 કરોડ, 2021-22માં રૂપિયા 314 કરોડ, 2022-23માં રૂપિયા 383 કરોડની એજ્યુકેશન લોન ગુજરાતમાંથી લેવામાં આવી હતી.
ગુજરાતમાં એજ્યુકેશન લોન એકાઉન્ટ 2020-21માં 6992 હતા અને તે 2024-25માં વધીને 8397 થઇ ગયા છે. નિષ્ણાતોના મતે એજ્યુકેશન લોન માટે જે અરજી આવે છે તેમાંથી 95 ટકા વિદેશમાં અભ્યાસ માટેની હોય છે.
છેલ્લા 4 વર્ષોમાં ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં જેની સૌથી વધુ ડિમાંડ હોય છે એવા મેડીકલ અભ્યાસક્રમ MBBSની બેઠકોમાં 39 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, મેડીકલની એક એક સીટ માટે અત્યંત તીવ્ર સ્પર્ધા થતી હોય છે આમ છતાં સમગ્ર ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ એમબીબીએસની બેઠકોની નોંધપાત્ર સંખ્યામાં ખાલી રહી જાય છે, એમ નેશનલ મેડિકલ કમિશન (NMC) ના આંકડા દર્શાવે છે.
મેડીકલ એડમિશન સિસ્ટમ પર સવાલ ઉભા કરે તેવી માહિતી મુજબ 2024માં સમગ્ર ભારતમાં એમબીબીએસની કુલ 2849 સીટ પર એડમિશન જ ન ફાળવી શકાયા. 2023માં 2959 સીટો ખાલી પડી રહી. 2022માં 4146 સીટો ખાલી રહી અને 2021માં 2012 સીટો સાવ ખાલી પડી રહી. સુરત સમેત ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓની એવી સ્થિતિ બને છે કે જો એમબીબીએસમાં એડમિશન ન મળે તો ક્યાં તો ડ્રોપ લઇ લે છે અથવા તો અભ્યાસમાંથી જ તેમનો રસ ઉડી જાય છે.
આટલી મોટી સંખ્યામાં એમબીબીએસની સીટો ખાલી પડી રહેતી હોય તો કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એડમિશન કમિટી અને એડમિશન કમિટીની પ્રવેશ વ્યવસ્થામાં તળિયા ઝાટક ફેરફારો કરવા જોઇએ. એમબીબીએસના અભ્યાસ માટે હજારો વિદ્યાર્થીઓ વિદેશોમાં લાખો રૂપિયા ખર્ચીને પહોંચી જાય છે, જો ભારતમાં જ ખાલી પડેલી અઢીથી ત્રણ હજાર સીટો પર પ્રવેશ ફાળવવામાં આવે તો ભારતના વિદ્યાર્થીઓએ વિદેશ જવું ન પડે અને કમસે કમ રૂ.300 કરોડથી વધુની રકમ વિદેશમાં ઘસડાય જતી બચાવી શકાય છે.
Academic year
Vacant UG seats (Excluding AIIMS & JIPMER)
2021-22
2012
2022-23
4146
2023-24
2959
2024-25
2849
આ માહિતી 1 ઓગસ્ટ 2025 ના રોજ લોકસભામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ અતારાંકિત પ્રશ્ન તેલુગુ દેશમ પાર્ટીના સભ્ય પુટ્ટા મહેશ કુમાર દ્વારા પૂછવામાં આવ્યો હતો.
MBBS બેઠકોની સંખ્યા 2020-21 ભારતમાં 83,275 થી વધીને 2024-25 સુધીમાં 1,15,900 થઈ ગઈ છે; જોકે, ખાલી બેઠકોની સંખ્યા (AIIMS અને JIPMER સિવાય) 2022-23માં 4,146 પર પહોંચી ગઈ હતી, જે 2024-25 માં ધીમે ધીમે ઘટીને 2,849 થઈ ગઈ છે, પરંતુ એવી કેવી વ્યવસ્થા કે 2849 જેટલી એમબીબીએસની સીટો ખાલી પડી રહે અને વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહે. ગુજરાતની કુલ સીટોની સંખ્યાની સરખામણીમાં 40 ટકા સીટો તો દેશભરમાં ખાલી પડી રહે છે, આ વ્યવસ્થા બદલાવી જોઇએ.
દેશમાં હાલમાં કેટલી એમબીબીએસની સીટો
The government data also showed the number of medical seats in India across the country in 2020-21 and 2024-25. UP, Tamil Nadu, Karnataka, Maharashtra and Gujarat top the list.
તાજેતરમાં આ કમિટીની વેબસાઇટ પર મેડીકલ અને ડેન્ટલ કોર્સમાં 2025માં પ્રવેશ માટેના મિનિમમ એલેજિબિલીટી ક્રાઇટેરીયા જાહેર કરવામાં આવ્યા છે. જે જાણીને આશ્ચર્ય થાય છે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય જાહેર કરાયો છે.
મેડીકલ એડમિશન માટે આ વર્ષે ધો.12 બોર્ડની પરીક્ષામાં ફક્ત પાસ થવું જ જરૂરી છે. જે પણ વિદ્યાર્થી પાસ થશે, પછી ભલે એ એકાદ બે વિષયમાં નાપાસ થયા બાદ પૂરક પરીક્ષા આપીને પાસ થશે એ પણ મેડીકલના પહેલા વર્ષમાં પ્રવેશપાત્ર ગણાશે. અત્યાર સુધી ઓપન મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 50 ટકા અને અનામત કેટેગરીમાં 45 ટકા ફરજિયાત હતા.
નવાઇ પમાડે એવી વાત એ પણ છે કે ડેન્ટલમાં એડમિશન માટે બોર્ડમાં 50 ટકા ઓપન કેટેગરી માટે અને 45 ટકા રિઝર્વ કેટેગરી માટે ફરજિયાત રાખવામાં આવ્યા છે. મેડીકલ અને ડેન્ટલમાં એલિજિબિલીટી ક્રાઇટેરીયામાં આ પ્રકારનો ભેદ શા કારણથી રાખવામાં આવ્યો છે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ડમી કોચિંગ ક્લાસીસોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય
ગુજરાતમાં મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં હવે માત્ર પાસ થવું જ જરૂરી છે, અત્યાર સુધી ઓપન કેટેગરી માટે ધો.12માં 50 ટકા જ્યારે રિઝર્વ કેટેગરી માટે ધો.12માં 45 ટકા માર્કસ લાવવા ફરજિયાત હતા. આ નિયમને કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા, સિલેબસ, પાઠ્ય પુસ્તક વગેરે પર ધ્યાન આપતા હતા અને તેને નજરઅંદાજ કરતા ન હતા. પણ હવે 2025થી તો એવું થવાનો ભય છે કે વિદ્યાર્થીઓ હવે ધો.11-12ના પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પર ધ્યાન જ નહીં આપે અને સીધા જ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ જોઇન્ટ કરી લેશે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો આ નિર્ણય છે.
Admission Committee for Professional Undergraduate & Postgraduate Medical Educational Courses (ACPUGMEC & ACPPGMEC) દ્વારા ટૂંક સમયમાં ગુજરાતમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પૂર્વે એડમિશન કમિટીએ મેડીકલ અને ડેન્ટલ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઇશે તેની વિગતો જાહેર કરી છે, જેની માહિતી નીચે મુજબની પીડીએફમાં છે. આ સત્તાવાર માહિતી છે.
વધુમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે ગેરસમજ પ્રવર્તે છે. ગુજરાતમાં જન્મ થયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટની કોઇ જરુરીયાત નથી.
જેમને જન્મ ગુજરાત બહાર થયો હોય તેવા પ્રવેશાર્થીઓ માટે જ ડોમિસાઇલ સર્ટિફેક્ટ ફરજિયાત છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે. એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.
આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.
ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજે 9મી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26ની શરુ થયું છે. જ્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને જૂન 2025થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC) આપતી વખતે હવેથી અટક પાછળ લખવા અંગે ગુજરાત શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે.
શિક્ષણ વિભાગે પરિપત્ર મુજબ, રાજ્યમાં શાળા બદલતી વખતે વિદ્યાર્થીઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) આપવામાં આવે છે. LCમાં વિદ્યાર્થીના નામ, પિતા, માતાનું નામ, અટક, જન્મ તારીખ સહિતની મહત્ત્વની માહિતી નોંધવામાં આવે છે. જ્યારે હાલ APAAR ID અને તેના અંતર્ગત આધારકાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે જૂન 2025થી LCમાં વિદ્યાર્થીઓનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવાને લઈને શિક્ષણ વિભાગે સૂચન કર્યું છે.
હાલમાં LCમાં વિદ્યાર્થીના નામ લખવાની પદ્ધતિમાં વિસંગતતા જોવા મળે છે, જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક પ્રક્રિયામાં મુશ્કેલી થાય છે. અપાર આઇ ડીની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે LCમાં નામની ચોકસાઈ જરૂરી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે આગામી શૈક્ષણિક સત્રથી LCમાં નામ લખવાની પદ્ધતિમાં સુધારો કરવાની સૂચના આપી છે. LCમાં સંપૂર્ણ નામ, પિતા-માતાનું નામ અને અટક સ્પષ્ટ લખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે અને આમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ-1972ને ટાંકીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે LCમાં નામ લખવાની નિયમિતતા જાળવવા માટે સૂચના આપવામાં આવી છે.
NMC એ મેડિકલ કોલેજ કૌભાંડો અંગે ચેતવણી આપી, વિદેશી MBBS માર્ગદર્શિકા સ્પષ્ટ કરી
વિદેશમાં MBBS કરવા માંગતા વિદ્યાર્થીઓએ કઇ બાબતોની ચોક્સાઇપૂર્વક ચકાસણી કરવી જોઇએ તે અંગેની કોઇ માહિતી કોઇપણ સંસ્થા દ્વારા કે એજન્ટો દ્વારા આપવામાં આવતી નથી. શિક્ષણ સર્વદા, સુરત દ્વારા જ આવી બાબતોની જાણકારી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં પ્રકાશિત કરવામાં આવે છે.
નીટ યુજી 2025 પરીક્ષાનું પરીણામ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વિદેશમાં એમબીબીએસ કરવા માટે પણ જુદા જુદા એજન્ટો સાથે વાટાઘાટો કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓએ ખાસ કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેની જાણકારી અત્રે આપવામાં આવી છે.
NMC ના ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિયેટ (FMGL) રેગ્યુલેશન્સ, 2021 સ્પષ્ટપણે ભારતમાં દવાની પ્રેક્ટિસ કરવા માટે લાયક બનવા માટે વિદેશી તબીબી શિક્ષણ માટેના ધોરણોને વ્યાખ્યાયિત કરે છે.
વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ (FMG) ને કાયમી નોંધણી આપવામાં આવશે નહીં સિવાય કે તેઓ ઓછામાં ઓછા 12 મહિના માટે ભારતમાં દેખરેખ હેઠળ ઇન્ટર્નશિપમાંથી પસાર થાય. જો FMG પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમને ભારતમાં તબીબીની પ્રેક્ટિસ કરવા માટે નોંધણીમાંથી ગેરલાયક ઠેરવી શકાય છે.
ફોરેન મેડીકલ ગ્રેજ્યુએશન FMG માટે મુખ્ય આવશ્યકતાઓ:
a. એક જ સંસ્થામાં ઓછામાં ઓછા 54 મહિનાનું શિક્ષણ. (શિક્ષણ સર્વદા 98253 44944)
b. એક જ વિદેશી યુનિવર્સિટીમાં 12 મહિનાની ઇન્ટર્નશિપ પૂર્ણ કરવી પડશે. (શિક્ષણ સર્વદા 98253 44944)
c. ક્લિનિકલ તાલીમ ભાગોમાં અથવા વિવિધ દેશોમાં ન કરવી જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)
d. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હોવું જોઈએ. (શિક્ષણ સર્વદા 98253 44944)
e. અનુસૂચિ I માં ઉલ્લેખિત ફરજિયાત વિષયોનો અભ્યાસ કર્યો છે. (શિક્ષણ સર્વદા 98253 44944)
The National Medical Commission (NMC) specifies mandatory subjects for the MBBS curriculum in Schedule I, which includes a broad range of subjects spanning the pre-clinical, para-clinical, and clinical phases of the course. These subjects are categorized into foundational, basic science, and clinical disciplines, ensuring a comprehensive medical education.
Foundational Subjects (First Year):
Anatomy: Structure and organization of the human body.
Physiology: Functioning of the human body’s systems.
Biochemistry: Chemical processes within the body.
Basic Science Subjects (Second Year):
Pathology: Study of diseases and their causes.
Microbiology: Study of microorganisms.
Pharmacology: Study of drugs and their effects.
Forensic Medicine: Study of legal aspects of medicine.
Community Medicine: Study of public health and health promotion.
Clinical Subjects (Third Year):
Medicine and Allied Subjects: Includes General Medicine, Psychiatry, Dermatology, and Respiratory Medicine.
Surgery and Allied Subjects: Includes General Surgery, Otorhinolaryngology (ENT), Ophthalmology, Orthopaedics, and Anesthesiology.
Obstetrics and Gynecology: Care during pregnancy and childbirth.
Pediatrics: Care of children.
Additional Subjects (Throughout the Course):
Forensic Medicine and Toxicology: Study of poisoning and related legal issues.
Community Medicine: Study of public health and health promotion.
Professional Development (AETCOM module): Emphasizes ethics, communication, and professional skills.
હવે સમજીએ ભારતમાં મેડીકલ એડમિશન લેતા પહેલા શેની કાળજી રાખવી.
NMC નેશનલ મેડીકલ કમિશને એક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રવેશ પ્રક્રિયાઓમાં નેશનલ મેડીકલ કમિશન માન્ય કોલેજોમાં જ પ્રવેશ ફાળવવામાં આવે છે પણ જ્યારે વિદ્યાર્થીઓ બીજા રાજ્યોની સ્વતંત્ર મેડીકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા કે એનઆરઆઇ ક્વોટામાં પ્રવેશ લેવાના હોય ત્યારે જ નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.
દેશમાં મેડિકલ શિક્ષણ માટે નિયમનકારી સત્તામંડળ, નેશનલ મેડિકલ કમિશન (NMC), એ MBBS ઉમેદવારો અને તેમના માતાપિતાને ચેતવણી આપી છે કે તેઓ મેડિકલ કોલેજો અને ઓફશોર મેડિકલ કોર્ષમાં સરળ પ્રવેશનું વચન આપતી નકલી ઓફરોમાં ન ફસાય કે જે કોલેજો કાયદેસર રીતે મંજૂરીપાત્ર નથી.
NMC એ એક એડવાઇઝરી જારી કરી છે, જેમાં ભારતમાં મેડિકલ કોર્ષમાં પ્રવેશ લેતી વખતે ધ્યાનમાં રાખવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિદેશમાં મેડિકલ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ દ્વારા અનુસરવાના નિયમોની યાદી આપવામાં આવી છે.
NMC એ જણાવ્યું છે કે તેને દેશમાં જરૂરી મંજૂરીઓ વિના કાર્યરત અનધિકૃત મેડિકલ કોલેજોના કિસ્સાઓ મળ્યા છે. આ સંસ્થાઓ માન્યતાનો દાવો કરીને અને કાયદેસર રીતે મંજૂર ન હોય તેવા મેડિકલ કોર્ષમાં પ્રવેશ આપીને વિદ્યાર્થીઓ અને માતાપિતાને ગેરમાર્ગે દોરી રહી છે, એમ તેણે જણાવ્યું હતું.
“NMC ની મંજૂરી ફરજિયાત છે અને NMC ની સત્તાવાર વેબસાઇટ (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) પર સૂચિબદ્ધ મેડિકલ કોલેજો જ ભારતમાં MBBS અને અન્ય મેડિકલ ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરવાની કાયદેસર રીતે પરવાનગી આપે છે. વેબસાઇટ પર સૂચિબદ્ધ ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે,” NMC એ જણાવ્યું.
અયોગ્યતાનું જોખમ:
તબીબી સંસ્થાની કાયદેસરતા કેવી રીતે ચકાસવી
· મેડિકલ કોલેજ ચલાવવા માટે NMC ની મંજૂરી ફરજિયાત છે
· કાયદેસર રીતે માન્ય મેડિકલ કોલેજો તપાસવા માટે, (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) ની મુલાકાત લો
· સત્તાવાર યાદીમાં ન હોય તેવી સંસ્થાઓ અનધિકૃત છે અને NMC નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે.
· ચકાસણી માટે સીધા NMC નો સંપર્ક કરો, ખાસ કરીને જો તમને માન્યતા પત્રો અથવા સીધા પ્રવેશ ઓફરો રજૂ કરવામાં આવે.
· ફક્ત કોલેજની વેબસાઇટ્સ કે જાહેરાતો પર આધાર રાખશો નહીં.
· નકલી ઓફરોમાં ફસાશો નહીં, કારણ કે કોઈ પણ કોલેજ NEET સિવાય પ્રવેશની ગેરંટી આપી શકતી નથી.
· કોઈપણ ચુકવણી કરતા પહેલા અથવા MBBS પ્રોગ્રામમાં પ્રવેશ મેળવતા પહેલા મંજૂરીઓ ચકાસો.
· શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ NMC ને ફોન પર કરો: 91-11-25367033 વેબસાઇટ: www.nmc.org.in
NMC warns of medical college scams, clarifies foreign MBBS guidelines
The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries
The National Medical Commission (NMC), the regulatory authority for medical education in the country, has warned MBBS aspirants and their parents not to fall for fake offers that promise easy admissions in medical colleges and offshore medical courses that are not legally sanctioned.
The NMC has issued an advisory, listing out important points that need to be kept in mind while taking admission in a medical course in India and the rules to be followed by the students who intend to pursue medical education in foreign countries.
In the advisory, the NMC said that it has come across instances of unauthorised medical colleges operating in the country, without requisite approvals. These institutions are misleading students and parents by claiming recognition and offering admissions in medical courses that are not legally sanctioned, it said.
“NMC approval is mandatory and only the medical colleges listed on the official website of NMC (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/) are legally permitted to offer MBBS and other medical degree programs in India. Institutions that are not listed on the website are unauthorised and are violating NMC regulations,” NMC said.
What should students intending to pursue MBBS in foreign countries do?
The Foreign Medical Graduate Licentiate (FMGL) Regulations, 2021 of NMC clearly define standards for foreign medical education to become eligible to practice medicine in India.
Foreign Medical Graduates (FMG) will not be granted permanent registration unless they undergo a supervised internship in India for a minimum term of 12 months. In case FMGs fail to comply, then they could be disqualified from registration to practice medicine in India.
Key Requirements for FMGs:
a. Minimum 54 months of education in a single institution.
b. 12-month internship to be completed at the same foreign university.
c. Clinical training must not be done in parts or across different countries.
d. Medium of instruction must be English.
e. Studied the mandatory subjects specified in Schedule I.
Risk of disqualification:
· Students graduating from non-compliant medical institutions will be ineligible for licensing exams, i.e., FMGE in India.
· The onus of this disqualification lies solely with the student, as per the regulations of the Commission.
How to verify legitimacy of medical institution
· NMC approval to run a medical college is mandatory
· To check legally permitted medical colleges, visit (https://www.nmc.org.in/information-desk/college-and-course-search/)
· Institutions not in the official list are unauthorised and are violating NMC regulations.
· Contact NMC directly for verification, especially if you’re presented with recognition letters or direct admission offers.
· Do not rely on college websites or advertisements alone.
· Do not fall for fake offers, as no college can guarantee admission outside of NEET
· Verify approvals before making any payments or committing to MBBS program
· Report suspicious activity to NMC at Phone: 91-11-25367033 Website: www.nmc.org.in
શિક્ષણ સર્વદા કરીયર કાઉન્સેલિંગ દ્વારા પણ વિદેશમાં ખાસ કરીને જ્યોર્જિયામાં એમબીબીએસ એડમિશનની કામગીરી કરી આપવામાં આવે છે
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.