CIA ALERT
02. May 2024

શિક્ષણ સર્વદા Archives - Page 3 of 48 - CIA Live

September 15, 2022
mbbs.jpg
1min415

યુજી મેડિકલ અને પીજી મેડિકલ એમ બંને અભ્યાસક્રમોમાં હવે આ વર્ષથી ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ બોન્ડ નીતિ લાગુ પડશે. અન્ય રાજ્યોમાં ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ લેવામા આવતા હોઈ ગુજરાતમાં અત્યાર સુધી ઓલ ઈન્ડિયા ક્વોટામાં બોન્ડ નીતિ લાગુ ન હતી ત્યારે આ બાબતે સરકારને રજૂઆત કરવામા આવી હતી.જેના પગલે સરકારે આ વર્ષથી બંને ક્વોટામાં સમાનપણે બોન્ડ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીનને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ છે કે રાજ્યમાં સ્નાતક એટલે કે યુજી અને અનુસ્નાતક એટલેકે પીજી મેડિકલ કોર્સીસમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી પ્રવેશ મેળવનાર ઓલ ઈન્ડિયા ક્વોટાના વિદ્યાર્થીઓને પણ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની જેમ બોન્ડ નીતિ લાગુ પડશે. આમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી ઓલ ઈન્ડિયા ક્વોટામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ પણ નિયત સમયગાળાની સેવા માટે બોન્ડ આપવાનો રહેશે. આ મુજબની માહિતી મેડિકલ કાઉન્સેલિંગ કમિટીની વેબસાઈટ પર દરેક કોલેજો તાકીદે અપડેટ કરીને આપવાની રહેશે અને રાજ્ય સરકારને જાણ કરવાની રહેશે.

મહત્વનું છે કે નીટ પીજીની પ્રવેશ પરીક્ષા દ્વારા ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા બેઠકો પર મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દ્વારા મેરિટના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે ત્યારે દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લે છે. ગુજરાતમાં જ કોઈ પણ પ્રકારના બોન્ડની જોગવાઈ પીજી ઓલ ઈન્ડિયા ક્વોટા માટે કરવામા આવી નથી. જેથી ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ક્વોટમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કરીને સરકારી મેડિકલ કોલેજોમાં નહિવત ફીમાં ભણીને બોન્ડ ભર્યા વિના કે સરકારની હોસ્પિટલોમાં સેવા આપ્યા વિના વિદ્યાર્થીઓ પોતાના રાજ્યોમાં પરત જતા રહે છે.આ બાબતે કેન્દ્રિય આરોગ્યમંત્રીને રજૂઆત કરવામા આવી હતી અને ઓલ ઈન્ડિયા ક્વોટામાં ૫૦ ટકા સરકારી બેઠકોમા પ્રવેશ લેનાર  દરેક વિદ્યાર્થી માટે બોન્ડ નીતિ લાગુ કરવાની માંગ કરવામા આવી હતી.

September 8, 2022
cia_edu-1280x925.jpg
5min464

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ તા.7મી સપ્ટેમ્બરે રાત્રે બાર વાગ્યે નીટ અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનો સ્કોર જાહેર કર્યો હતો. નીટના પરીણામના પ્રથમદર્શી એનાલિસીસમાં એવું માલૂમ પડે છે કે 500 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષ કરતા દોઢથી બે હજાર સુધી વિદ્યાર્થી સંખ્યા વધી છે તેવી જ રીતે 350થી ઓછો સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ એ જ પ્રમાણે વધારો થયો છે. આ એનાલિસીસ પરથી એવું કહી શકાય કે સરકારી અને સેમી સરકારી કોલેજોમાં 2021ની તુલનામાં આ વર્ષે 2022માં કટઓફમાં 5થી 10 માર્ક પ્રવેશ ઉંચે અટકશે. જોકે, આ બાબત પ્રવેશ માટે કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશ કરાવે છે તેના પરથી નક્કી થશે.

નીટના ક્વોલિફાઇંગ માર્કમાં પણ ઘટાડો

CategoryQualifying criteriaMarks rangeNumber of candidates
UR/EWS50th Percentile715-117881402
OBC40th Percentile116-9374458
SC40th Percentile116-9326087
ST40th Percentile116-9310565
UR / EWS & PH45th Percentile116-105328
OBC & PH40th Percentile104-93160
SC & PH40th Percentile104-9356
ST & PH40th Percentile104-9313

છેલ્લા ચાર વર્ષના કટઓફની પેટર્ન

Category2022202120202019
Unreserved715-117720-138720-147701-134
Unreserved PWD116-105137-108146-129133-120
Reserved116-93137-122128-113133-107
Reserved PWD104-93121-108128-113133-107
SpecificsDetails
Exam NameNational Eligibility Cum Entrance Test (NEET)
Conducting BodyNational Testing Agency (NTA)
Exam LevelUndergraduate (UG) Exam at National Level
Exam FrequencyYearly
Total Registrations18,72,341
Exam ModeOffline or Paper Pencil Based Test (PBT)
Courses Offered Through NEET UGMBBS, BDS, BAMS, BVSC & AH
Exam FeesRs 1,600 (General)
Rs 1,500 (OBC)
Rs 900 (Reserved category candidates)
Rs 8,500 (Foreign nationals)
Exam Duration200 minutes
Number of Subjects and Total MarksPhysics (180 marks)
Chemistry (180 marks)
Biology (360 marks)
Total Marks – 720
Total Questions200 (180 to be attempted)
Marking Scheme+4 for each correct answer
-1 for each incorrect answer
Number of Exam Cities543 (India)
14 (Abroad)
Language/Medium of Paper13 Languages – English, Hindi, Bengali, Urdu, Assamese, Gujarati, Marathi, Odiya, Kannada, Tamil, Malayalam, Punjabi and Telugu
Accepting Colleges1,613 colleges
Total Number of SeatsMBBS – 92,627
BDS – 27,698
BAMS – 52,720
BVSc & AH – 630
NEET Official Website“www.neet.nta.nic.in”
September 7, 2022
cia_edu-1280x925.jpg
2min1816

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક અને નેશનલ લેવલની વેટરનરી કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે જેનો સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે એ નીટ યુજી NEET UG પરીક્ષાનું પરીણામ આજે તા.7મી સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. આજે બપોરે 12 કલાકે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નીટ યુજીની વેબસાઇટ https://neet.nta.nic.in/ પર પરીણામ જાહેર કરવામાં આવશે. એવી જાહેરાત કરાયા બાદ દર વખતની જેમ એન.ટી.એ. દ્વારા પરીણામ જાહેર કરવામાં વિલંબ કરવામાં આવતાં લાખો વિદ્યાર્થીો અને વાલીઓ મૂઝાયા છે.

જે રીતે આન્સર કી જાહેર કરવામાં દસથી બાર કલાકનો વિલંબ કરાયો હતો એવું જ નીટના રીઝલ્ટ જાહેર કરવામાં થઇ રહ્યું છે.

કુલ 18.79 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટ યુજી 2022ની પરીક્ષા ગઇ તા.17મી જુલાઇ 2022ના રોજ આપી હતી. એ પછી દોઢ મહિને નીટનું પરીણામ જાહેર થઇ રહ્યું છે. તેમાં પણ આ પ્રકારે વિલંભ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂઝવણ અનુભવી રહ્યા છે. ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ આ પરીણામની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.

આન્સર કી વખતે જ પરીણામ 7મી સપ્ટેમ્બરે જાહેર થશે તેવી ઘોષણા કરવામાં આવી હતી

ગુજરાતની મેડીકલ-પેરામેડીકલ કોર્સમાં ગયા વર્ષનું કટઓફ મેરીટ જોવા માટે નીચેની લિંક પર ક્લીક કરો

http://medadmgujarat.ncode.in/web/ug2021/Compiled_Closure_UG_2021-22.pdf

ગુજરાતમાં આટલી સીટો પર નીટથી પ્રવેશ મળશે

ગુજરાતમાં મેડીકલ-પેરામેડીકલ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા આ વેબસાઇટ પરથી હાથ ધરાશે

https://www.medadmgujarat.org/ug/home.aspx

September 2, 2022
supremecourt.jpg
1min275

ખાનગી સ્કૂલોના શિક્ષકો માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે ખાનગી સ્કૂલોમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯માં સુધારો કરવામાં આવેલ પેમેન્ટ ગ્રેજ્યુઈટી કાયદા હેઠળ ગ્રેજ્યુઈટીનો અધિકાર ધરાવે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે બધી જ ખાનગી સ્કૂલોને ૩જી એપ્રિલ ૧૯૯૭ની પાછલી અસરથી શિક્ષકોને છ સપ્તાહમાં વ્યાજ સાથે ગ્રેજ્યુઈટી ચૂકવવા આદેશ આપ્યો છે. સુપ્રીમે શિક્ષકોને ‘કર્મચારી’ની વ્યાખ્યામાં લાવવા સહિત સંસદ દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ, ૧૯૭૨માં કરેલા સુધારાની કાયદેસરતાને જાળવી રાખી છે અને ગ્રેજ્યુઈટી માટે હકદાર બધા જ શિક્ષકોને તેની ચૂકવણી કરવાનું ખાનગી સ્કૂલો માટે ફરજિયાત બનાવ્યું છે. ગ્રેજ્યુઈટી ન મળતા શિક્ષકો યોગ્ય ફોરમમાં અપીલ પણ કરી શકશે. 

  • ખાનગી સ્કૂલના શિક્ષકો માટે ખુશખબર : 1997ની પાછલી અસરથી ગ્રેજ્યુઈટી મળશે
  • છ સપ્તાહમાં શિક્ષકોને ગ્રેજ્યુઈટી ચૂકવવી પડશે, નાણાં ન મળતા શિક્ષકો યોગ્ય ફોરમમાં અપલી કરી શકશે : સંજીવ ખન્ના-બેલા ત્રિવેદીની બેન્ચનો નિર્ણય
  • કેન્દ્રે 1997માં ગ્રેજ્યુઈટી કાયદામાં શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કર્યો હતો  સુપ્રીમે 1997થી કાયદાના અમલ પર મૂકાયેલો સ્ટે પણ હટાવ્યો

ન્યાયાધીશો સંજીવ ખન્ના અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે ગ્રેજ્યુઈટી ચૂકવણી (સુધારા) કાયદા, ૨૦૦૯માં કલમ ૨(ઈ)માં સુધારો અને ૩ એપ્રિલ ૧૯૯૭થી પાછલી અસરથી પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી, ૧૯૭૨માં કલમ ૧૩-એના સમાવેશની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી-રીટ અરજીઓને ફગાવી દીધી હતી. બેન્ચે મંગળવારે આપેલા ચૂકાદામાં કહ્યું હતું કે પાછલી અસર સાથે સુધારો એક કાયદાકીય ભૂલના કારણે શિક્ષકો સાથે થયેલા અન્યા અને ભેદભાવને દૂર કરે છે. સુપ્રીમે એમ પણ કહ્યું કે, ગ્રેજ્યુઈટીની ચૂકવણી ખાનગી સ્કૂલો દ્વારા શિક્ષકોને અપાતું કોઈ ઈનામ નથી, તે તેમની સેવાઓની લઘુત્તમ શરતોમાંની એક છે.

સુપ્રીમ કોર્ટના આ ચૂકાદાની અસર સમગ્ર દેશમાં ખાનગી સ્કૂલોના શિક્ષકો પર થશે. શિક્ષકોને ગ્રેજ્યુઈટી કાયદાનો લાભ ૩જી એપ્રિલ, ૧૯૯૭થી મળશે. આ સમયમાં નોકરી છોડી ચૂકેલા અથવા નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોને પણ આ કાયદાનો લાભ મળશે. ઈન્ડિપેન્ડેન્ટ સ્કૂલ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને અનેક અન્ય ખાનગી સ્કૂલોએ અરજી કરી સંસદમાં પસાર થયેલા આ કાયદાને યોગ્ય ઠેરવતા દેશની વિવિધ હાઈકોર્ટોના ચૂકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, છત્તિસગઢ હાઈકોર્ટ અને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી, ૧૯૭૨માં સંસદ દ્વારા ૨૦૦૯માં કરાયેલા સુધારાને કાયદેસર ઠેરવ્યો હતો. 

ખાનગી સ્કૂલો તરફથી કપિલ સિબલ, રવિ પ્રકાશ ગુપ્તાની મુખ્ય દલીલ કાયદાને પાછલી અસરથી લાગુ કરવા અંગે હતી. સ્કૂલોની દલીલ હતી કે તેઓ પાછલી અસરથી લાગુ કાયદા મુજબ શિક્ષકોને ગ્રેજ્યુઈટી આપવા અસમર્થ છે. તેમનું કહેવું હતું કે, ગ્રેજ્યુઈટી ફંડમાં પ્રતિ વર્ષ ૧૫ દિવસની ગ્રેજ્યુઈટીના રૂપિયા જમા થાય છે, પરંતુ પાછલી અસરથી કાયદો લાગુ કરવા માટે તેમની પાસે ગ્રેજ્યુઈટી ફંડના રૂપિયા નથી. અચાનક આવેલા આર્થિક ભારની અસર છેવટે વિદ્યાર્થીઓ પર પડશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર કાયદાને પાછલી અસરથી લાગુ કરી શકે નહીં.

જોકે, કેન્દ્ર સરકારે કાયદામાં સુધારાને યોગ્ય ઠેરવતા કહ્યું કે ગ્રેજ્યુઈટી કાયદામાં શૈક્ષણિક સંસ્થાઓને ૩જી એપ્રિલ, ૧૯૯૭થી નોટિફાઈ કરાઈ હતી, તેથી સુધારો કાયદાના તે સમયથી જ લાગુ કરાયો છે અને કોઈ પણ કાયદાને પાછલી અસરથી લાગુ કરવાનો સરકારને અધિકાર છે. સુપ્રીમે ખાગની સ્કૂલોની દલીલોને ફગાવી દેતા કહ્યું કે, મોટાભાગના કેસોમાં કાયદા પર પ્રતિબંધનો આદેશ અપાયો નહોતો, પરંતુ કેટલીક બાબતોમાં ૩ એપ્રિલ, ૧૯૯૭થી કાયદો લાગુ કરવા પર સ્ટે મૂકાયો હતો. કોર્ટે આ કાયદાના અમલ પર મુકાયેલો સ્ટે પણ હટાવી દીધો હતો.

દેશમાં પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી એક્ટ ૧૬મી સપ્ટેમ્બર ૧૯૭૨થી લાગુ છે. આ કાયદા હેઠળ કોઈપણ સંસ્થામાં સેવા નિવૃત્તિ, રાજીનામું અથવા કોઈપણ કારણે સંસ્થા છોડતા પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સતત નોકરી કરનારી વ્યક્તિ ગ્રેજ્યુઈટીનો લાભ મેળવવા માટે હકદાર છે. જોકે, શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ૩જી એપ્રિલ ૧૯૯૭ના રોજ એક નોટિફિકેશન મારફત આ કાયદાને ૧૦ અથવા વધુ કર્મચારીઓવાળી શૈક્ષણિક સંસ્થાઓ પર પણ લાગુ કરાયો હતો, એવામાં આ કાયદો ખાનગી સ્કૂલો પર પણ લાગુ થાય છે.

August 21, 2022
medical.jpg
1min665

ધો.12 બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓ અને નીટ બેઝ સિવાયના કોર્સમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત સરકારની એડમિશન કમિટીએ ફિઝિયોથેરાપી, નર્સિંગ, ઓપ્ટોમેટ્રી જેવા નોન નીટ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરી છે. તા.25મી ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ તમામ પ્રક્રિયા ઓનલાઇન જ રહેશે.

વધુ માહિતી માટે નીચે મુજબની સરકારની જાહેરાત વાંચવી.

August 8, 2022
cia_edu-1280x925.jpg
4min397

Jayesh Brahmbhatt 98253 44944

આજથી જ JEE એડવાન્સ્ડનું રજિસ્ટ્રેશન શરૂ

નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ગઇ તા.24 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન લેવાયેલી જેઇઇ મેઇન્સ પેપર-1 ફેઝ-2 પરીક્ષાનું પરીણામ આજે રવિવાર, તા.8મી ઓગસ્ટે જાહેર કરી દીધું છે. જેઇઇ મેઇન્સ પરીક્ષામાં ટોચના 2.40 લાખ વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટે લાયકાત પાત્ર બન્યા છે. જોકે, જેઇઇ મેઇન્સની બન્ને ફેઝની પરીક્ષાનો સ્કોર ભલે જાહેર થઇ ગયો હોય પરંતુ, જે વિદ્યાર્થીઓએ નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મેળવવો છે તેમણે હજુ એક મહિનો તો પ્રતિક્ષા કરવી જ પડશે. તા.11મી સપ્ટેમ્બરે સંભવતઃ જેઇઇ એડવાન્સ્ડનું પરીણામ જાહેર થશે. એ પછી પાંચ દિવસ જોસા સંસ્થા દ્વારા પ્રવેશ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરાશે. એ પછી મેરીટ લિસ્ટ અને ત્યારબાદ પ્રવેશ ફાળવવામાં આવશે. એટલે હજુ એક મહિનાથી વધુ સમય નીકળી જશે.

જેઇઇ મેઇન્સની બન્ને ટ્રાયલના પરીણામની સાથે જ નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક પણ આપી દીધા છે. આ વખતના કટઓફની વાત કરીએ તો ઓપન કેટેગરીને બાદ કરતા બાકીની તમામ કેટેગરીમાં છેલ્લા 4 વર્ષના કટઓફ કરતા આ વખતના કટઓફ સાવ નીચે આવ્યા છે. જાણકારો કહે છે કે આ વખતના વિદ્યાર્થીઓ ધો.11-12માં કોરોના પેન્ડેમિકને કારણે પ્રત્યક્ષ શિક્ષણ અસરકારક રીતે લઇ શક્યા ન હતા, તેની સીધી અસર પરીણામ પર જોવા મળી છે.

JEE Mainsના સ્કોરથી નીચે દર્શાવેલી સંસ્થાઓમાં પ્રવેશ મળી શકે, આઇઆઇટી માટે જેઇઇ એડવાન્સ્ડનું મેરીટ જરૂરી

આગામી તા.28મી ઓગસ્ટે લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન પણ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે.

JEE (Advanced) 2022 Schedule

S. Num.ActivityDay, Date and Time (IST)
1JEE Main 2022 (Computer based test by NTA)Please refer to JEE (Main) 2022 website
2Results JEE Main 2022 from NTAPlease refer to JEE (Main) 2022 website
3Registration for JEE (Advanced) 2022Sunday, August 07, 2022 (10:00 IST) to
Thursday, August 11, 2022 (17:00 IST)
4Last date for fee payment of registered candidatesFriday, August 12, 2022 (17:00 IST)
5Admit Card available for downloadingTuesday, August 23, 2022 (10:00 IST) to
Sunday, August 28, 2022 (14:30 IST)
6Choosing of scribe by PwD candidatesSaturday, August 27, 2022
7JEE (Advanced) 2022Sunday, August 28, 2022
Paper 1: 09:00-12:00 IST
Paper 2: 14:30-17:30 IST
8Copy of candidate responses to be available on the JEE (Advanced) 2022 websiteThursday, September 01, 2022 (10:00 IST)
9Online display of provisional answer keysSaturday, September 03, 2022 (10:00 IST)
10Feedback and comments on provisional answer keys from the candidatesSaturday, September 03, 2022 (10:00 IST) to
Sunday, September 04, 2022 (17:00 IST)
11Online declaration of final answer keysSunday, September 11, 2022 (10:00 IST)
12Result of JEE (Advanced) 2022Sunday, September 11, 2022 (10:00 IST)
13Online registration for Architecture Aptitude Test (AAT) 2022Sunday, September 11, 2022 (10:00 IST) to
Monday, September 12, 2022 (17:00 IST)
14Tentative Start of Joint Seat Allocation (JoSAA) 2022 ProcessMonday, September 12, 2022
15Architecture Aptitude Test (AAT) 2022Wednesday, September 14, 2022 (09:00-12:00 IST)
16Declaration of results of AAT 2022Saturday, September 17, 2022 (17:00 IST)

કારકિર્દી માર્ગદર્શન માટે એપોઇન્ટન્ટ લઇને મળી શકાય

August 6, 2022
cia_edu-1280x925.jpg
1min860

યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ, આજે 7/8/22 ચકાસણી થશે

દાતાઓની પ્રતિષ્ઠાભરી બેઠક પર ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ બન્ને સામે કોઇએ ઉમેદવારીપત્ર ભર્યું નહીં

આગામી તા.14મી ઓગસ્ટે યોજાનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેનેટ અધિકારમંડળની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે શનિવારે સાંજે પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ નિવડ્યા છે. હવે આ ઉમેદવારોને સત્તાવારી રીતે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે. અધ્યાપકોના મતદાર વિભાગની કુલ 14 સેનેટ બેઠકો પૈકી 8 બેઠકો પર ઉમેદવારો સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. એવી જ રીતે પ્રતિષ્ઠાભરી બેઠક ગણાતી દાતાઓના મતદાર વિભાગની બે સેનેટ બેઠકો પર પણ ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલી નગરપાલિકાઓના વિસ્તારના પ્રમુખોની એક બેઠક પર બિલિમોરા નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ સામે પણ કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા સેનેટની કુલ 11 બેઠકો પર બાકી રહેલા ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે.

હવે આવતીકાલ રવિવારે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે મંગળવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.

યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રિપાંખીયા જંગનું ચિત્ર ઉપસ્યું છે. સુરતના રાજકીય તખ્તે સક્રીય ત્રણેય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ઉમેદવારોએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની જુદી જુદી ફેકલ્ટીના મતદાર વિભાગોમાંથી ઉમેદવારી પત્રો ભર્યા છે.

11 સેનેટ બેઠક પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાશે

  • મતદાર વિભાગ બિનહરીફ ઉમેદવાર
  1. કોમર્સ ફેકલ્ટી – મનોજ દેસાઇ, બારડોલી
  2. કમ્પ્યુટર ફેકલ્ટી – સ્નેહલ જોષી, વલસાડ
  3. શિક્ષણ ફેકલ્ટી – નિમેષ નિઝામા, ખોલવડ
  4. કાનૂન ફેકલ્ટી – વિમલ પંડ્યા, ભરૂચ
  5. મેનેજમેન્ટ ફેકલ્ટી – જયદીપ ચૌધરી (પૂર્વ રજિસ્ટ્રાર)
  6. રૂરલ સ્ટડીઝ – દિપક ભોયે (યુનિ. ડિપાર્ટમેન્ટ)
  7. મેડીસીન (1) – ડો. વિપુલ ચૌધરી (નવી સિવિલ)
  8. મેડીસીન (2) – ડો.વિલાસરાવ (સ્મીમેર)
  9. દાતા સીટ (1) – ડો.કશ્યપસિંહ ખરચીયા
  10. દાતા સીટ (2) – ડો.ભરત પટેલ
  11. ન.પા. પ્રમુખ વિભાગ – પ્રાણલાલ પટેલ, બિલિમોરા
    (નોંધ- ઉપરોક્ત 1થી 8 ક્રમના ઉમેદવારો અધ્યાપક મતદાર વિભાગના)
July 30, 2022
neet_ug.jpg
1min373

અનેક વિદ્યાર્થીઓનું નીટ પરીક્ષા ખરાબ ગઇ હોઇ, ડોક્ટર બનવાનું સપનું રોળાતું અટકાવવાના બહાને રી-નીટ કોચીંગ ક્લાસ જોઇન કરવા સ્કોલરશીપના લોભપ્રલોભનો આપવા માંડ્યા

RE-NEET આપનારા કેટલા ટકા વિદ્યાર્થીઓ બીજા વર્ષે નીટમાં સારો સ્કોર લાવીને મેડીકલમાં જઇ શકે છે તેવા સાચા આંકડા વાંચ્યા પછી જ રી-નીટનો નિર્ણય લેવો જોઇએ

સુરત શહેરમાં જેઇઇ અને નીટ એવી પરીક્ષાઓ છે કે જેમણે શિક્ષણ જગતમાં કેટલાક ધંધાદારીઓને પેંધા પાડી દીધા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની કમજોરીનો ફાયદો ઉઠાવતા આવા કેટલાક ધંધાદારી કોચીંગ ક્લાસીસોએ હજુ નીટ 2022નું પરીણામ જાહેર થયું નથી આમ છતાં રી-નીટ (2023)ના પાટીયા ઝૂલતા કરી દીધા છે. નીટ-2022નું પેપર જે વિદ્યાર્થીઓનું ખરાબ ગયું છે એવા વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાના સપના બતાવીને, રી-નીટમાં સ્કોલરશીપના નામે ફીમાં રાહતો આપીને ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ જાળ બિછાવી છે.

ગઇ તા.17મી જુલાઇના રોજ મેડીકલ અને ડેન્ટલની પ્રવેશ પરીક્ષા નીટ 2022 દેશભરમાંથી અંદાજે 16.50 લાખ વિદ્યાર્થીઓ અને સુરત શહેરમાંથી અંદાજે 8 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. નીટ પરીક્ષા પૂરી થયા બાદ અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમનું પેપર ખરાબ ગયું અને હવે તેમનું તબીબ બનવાનું સપનું રોળાય જશે તેવી લાગણી કોચિંગ ક્લાસીસો તથા શાળાના શિક્ષકો સમક્ષ વ્યક્ત કરી હતી.

અનેક વિદ્યાર્થીઓના તબીબ બનવાના સપનાને પૂરું કરવા માટે વધુ એક તક ઝડપી લો એવી ટેગ લાઇન સાથે કેટલાક ધંધાદારી કોચિંગ ક્લાસીસોએ વિદ્યાર્થીઓને રી-નીટ એટલે 2023ની નીટની પરીક્ષા માટે અત્યારથી જ કોચિંગ શરૂ કરી દેવા માટે ઓફરો આપવાનું શરૂ કરી દીધું છે.

કોચિંગ ક્લાસીસોના સંચાલકોની આ પ્રવૃતિથી અકળાયેલા જાગૃત વાલી નીતિનભાઇ પટેલે કહ્યું કે હજુ તો નીટનું પરીણામ સુદ્ધાં આવ્યું નથી. એ પહેલા રીનીટ માટે વિદ્યાર્થીઓનું કોચિંગ શરૂ કરાવી દેવાની ઓફરો આપતા ક્લાસીસોને રોકનાર કોઇ છે કે નહીં. તબીબ ન બની શકાય તે મેડીકલ, પેરામેડીકલમાં અન્ય અભ્યાસક્રમોમાં પણ સારી તક મળી શકે તેમ છે પરંતુ, વિદ્યાર્થીઓની લાગણીની આડમાં રીનીટ માટે પ્રોત્સાહિત કરનાર કોચિંગ ક્લાસીસો પર નિયંત્રણ લાગવું જોઇએ તેવી માગ તેમણે કરી છે. 

દર વર્ષે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ રી-નીટ (તેરમું વર્ષ) વિકલ્પ અપનાવે છે

મળતી માહિતી મુજબ તબીબ બનવા માટે ભારતમાં નીટ યુજી પરીક્ષામાં સારો સ્કોર જરૂરી છે. એના વગર મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી શકતો નથી. આથી ગુજરાતમાં દર વર્ષે અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓ રી-નીટ એટલે કે ધો.12 પછી બીજું એક વર્ષ (તેરમું વર્ષ) પણ નીટનો અભ્યાસ કરીને તેરમા વર્ષે રી-નીટ પરીક્ષા આપતા હોય છે. જાણકારો જણાવે છે કે રી-નીટ આપનારા પૈકી માંડ એક ટકા વિદ્યાર્થીઓ તેમના અગાઉના નીટના સ્કોર કરતા સારો સ્કોર લાવી શકે છે બાકીના વિદ્યાર્થીઓ જીવનનું એક મહામૂલું વર્ષ બગાડીને બીજા વર્ષે પણ મેડીકલ સિવાયના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવો પડે છે.

July 28, 2022
gseb.png
1min400

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિને ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવાયુ છે. જે મુજબ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા ૧૪મી માર્ચથી શરૃ થશે.જ્યારે ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષાઓ ૧૦ એપ્રિલથી શરૃ થશે.પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધીનું રહેશે અને ૧૦ નવે.થી બીજુ સત્ર શરૃ થશે. જ્યારે ૧લી મેથી ઉનાળુ વેકેશન શરૃ થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એકેડેમિક કેલેન્ડર મુજબ આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ નિયત સમય કરતા એક સપ્તાહ મોડી છે. ૧૪મી માર્ચથી બોર્ડ પરીક્ષાઓ શરૃ થશે. બોર્ડની સૂચના મુજબ ૨૦૨૨-૨૩ માટે ધો.૯થી૧૨ના અબ્યાસક્રમમાં કોઈ ઘટાડો નહીં થાય. ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા માટે જુનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે અને ધો.૧૦ તથા ૧૨ની પ્રિલીમ પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.ધો.૯ અને ૧૧ની દ્રિતિય પરીક્ષા માટે જુનથી જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં જુનથી સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાંથી ૩૦ ટકા અભ્યાસક્રમ અને ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના અભ્યાસક્રમમાંથી ૭૦ ટકા અભ્યાસક્રમ રહેશે.

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા તેમજ ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા માટે સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે.આ તમામ પરીક્ષાઓ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી અમલમાં આવેલ પરીક્ષા પદ્ધતિ જ યથાવત રહેશે. કોઈ ફેરફાર થઈ શકશે નહીં. બોર્ડના એકેડેમિક કેલેન્ડ મુજબ પ્રથમ સત્રમાં જુનના ૧૬ ,જુલાઈના ૨૬, ઓગસ્ટના ૨૧, સપ્ટે.ના ૨૬ , ઓક્ટો.ના ૧૫ દિવસ સહિત કુલ ૧૦૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે અને બીજા સત્રમાં નવે.માં ૧૮,ડિસે.માં ૨૭, જાન્યુ.આમાં ૨૪, ફેબુ્ર.માં ૨૩, માર્ચમાં ૨૩ અને એપ્રિલમાં ૨૧ દિવસ સહિત કુલ ૧૩૭ દિવસ શિક્ષણ કાર્યના રહેશે. બંને સત્રના મળી કુલ ૨૪૧ દિવસ શિક્ષણના રહેશે.૭ સ્થાનિક રજાઓ રહેશે. પ્રથમ સત્ર ૧૩ જુનથી ૧૯ ઓક્ટો સુધી અને દિવાળી વેકેશન ૨૦ ઓક્ટો.થી ૯ નવે. સુધીનું રહેશે. દ્રિતિય સત્ર ૧૦ નવે.થી ૩૦ એપ્રિલ સુધીનું રહેશે. ઉનાળુ વેકેશન ૧લી મેથી ૪ જુન સુધીનું રહેશે.

  • પરીક્ષાઓનું કેલેન્ડર
  • પરીક્ષા                 સમય
  • ૯થી૧૨ની પ્રથમ પરીક્ષા              ૧૦-૧૦થી ૧૮-૧૦
  • ૯થી૧૨ની દ્વિતિય પરીક્ષા             ૨૭-૧થી ૪-૨
  • ધો.૯ની પ્રખરતા કસોટી               ૭ ફેબુ્રઆરી
  • બોર્ડ વિષયની સ્કૂલ લેવલની
  • ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ               ૧૩-૨થી૧૫-૨
  • ધો.૧૨ સાયન્સ પ્રેક્ટિકલ પરીક્ષા      ૨૦-૨થી૨૮-૨
  • ધો.૧૦-૧૨ની મુખ્ય બોર્ડ પરીક્ષા      ૧૪-૩થી૩૧-૩
  • ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષાઓ         ૧૦-૪થી૨૧-૪
July 22, 2022
cia_edu-1280x925.jpg
2min343

સેન્ટ્રલ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના વિદ્યાર્થીઓનું પરીણામ ઘોષિત કરવામાં આવ્યું હતું. સુરતની 40થી વધુ સ્કુલોનું પરીણામ સરેરાશ 95 ટકાથી 100 ટકા વચ્ચે રહ્યું છે. ધો.12નું પરીણામ જાહેર થયું હોવા છતાં વિદ્યાર્થીઓમાં કોઇ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો, કેમકે ધો.12ના પરીણામથી ઇચ્છીત કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળવાનો નથી, સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓની નજર નીટ, જેઇઇ કે આઇપી મેટ જેવી પ્રવેશ પરીક્ષાઓના પરીણામ પર ટકી હોવાનું જાણવા મળ્યું હતું.

CBSE એ ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્ક આપ્યા, ઓવરઓલ 92.71% પરીણામ

ચાલુ વર્ષે ફેઝ-1 અને ફેઝ-2 એમ બે તબક્કામાં ધો.10 અને ધો.12 બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા લેનાર સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઇ)એ આજે ધો.12નું પરીણામ જાહેર કર્યું હતું. સમગ્ર દેશમાંથી કુલ 14 લાખ 35 હજાર 366 વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડમાંથી સાયન્સ, આર્ટસ, કોમર્સ પ્રવાહની પરીક્ષા આપી હતી, આજે જાહેર કરાયેલા પરીણામમાં કુલ 13 લાખ 30 હજાર 662 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરાયા છે. સમગ્ર દેશમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે સેન્ટ્રલ બોર્ડે ધો.12ના વિદ્યાર્થીઓને ખોબલે ખોબલે માર્કસ આપ્યા અને એટલે જ ધો.12નું ઓવરઓલ પરીણામ 92.71 ટકા જેટલું વિશાળ આવ્યું છે. સુરત-ગુજરાત જેમાં આવે છે એ સેન્ટ્રલ બોર્ડના અજમેર રિજિયનનું પરીણામ તો નેશનલ એવરેજ કરતા પણ વધુ 96 ટકા આવ્યું છે.

CBSE Results Overall