CIA ALERT
17. May 2024

શિક્ષણ સર્વદા Archives - Page 4 of 48 - CIA Live

July 21, 2022
cia_edu-1280x925.jpg
1min306

Jayesh Brahmbhatt 98253 44944

ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી સી.એ.ના દ્વિતીય ચરણ, સી.એ. ઇન્ટરમિડીએટની પરીક્ષાનું પરીણામ આજે તા.21મી જુલાઇએ ઘોષિત કરવામાં આવ્યું હતું. ઓવરઓલ પરીણામની વાત કરીએ તો ઇન્ટરમિડીએટ સિસ્ટમ અમલમાં આવી ત્યાર પછીનું સૌથી નીચું પરીણામ આવ્યું છે.

સી.એ. ઇન્ટરમિડીએટમાં બન્ને ગ્રુપમાં પાસ થનારા ઉમેદવારોની ટકાવારી ફક્ત 5.46 ટકા જ છે. સમગ્ર દેશમાંથી સી.એ. ઇન્ટરમિડીએટની બન્ને ગ્રુપની પરીક્ષા કુલ 24,475 ઉમેદવારોએ આપી હતી. તેમાંથી ફક્ત 1337 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે.

સુરતની વાત કરીએ તો સુરતમાં મધ્યમવર્ગીય રાજસ્થાની પરિવારના પર્વ જૈન નામના વિદ્યાર્થીએ કુલ 800માંથી 615 માર્કસ મેળવીને સમગ્ર ભારતમાં 8મો ક્રમ અને સુરતમાં સર્વપ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યો છે.

રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટનો દેખાવ ઝળહળતો રહ્યો

સી.એ. કોચિંગ માટે દેશભરમાં ખ્યાતિપ્રાપ્ત સુરતના રવિ છાવછરીયા પાસે ઇન્ટરમિડીએટનું કોચિંગ લેનારા ત્રણ વિદ્યાર્થીઓએ આજે તા.21મી જુલાઇએ જાહેર થયેલા ઇન્ટરમિડીએટ પરીક્ષા મે-ના પરીણામમાં ઓલ ઇન્ડિયા ટોપ-50માં રેન્ક પ્રાપ્ત કર્યા હતા. Photo – www.cialive.in.

સમગ્ર દેશમાં સી.એ. કોચિંગ માટે જાણિતા સુરતના રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇ રહેલા ત્રણ ઉમેદવારોએ આજે સીએ ઇન્ટરમિડીએટમાં ઓલ ઇન્ડિયા ટોપ ફીફ્ટીમાં સ્થાન મેળવ્યા છે. રવિ છાવછરીયાના વિદ્યાર્થી ઋુષિકેશ દેસાઇ, (મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના)એ 800માંથી 574 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 25મો રેન્ક, મૂળ રાજસ્થાની પરિવારના શુભમ ચોપરાએ પણ 800માંથી 574 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 25મો રેન્ક તથા મૂળ સુરતી પરિવારના, ગુજરાતી માધ્યમમાંથી ધો.12 પાસ કરનાર મોહિત મેવાવાલાએ 800માંથી 573 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 26મો રેન્ક હાંસલ કર્યો છે.

July 16, 2022
nirf.jpg
2min338
NIRF Rankings 2022: IIT Madras ranked best educational institute, check  details

– કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એનઆઇઆરએફ રેન્કિંંગ જાહેર

– યુનિવર્સિટીની કેટેગરીમાં આઇઆઇએસસ- બેંગાલુરુ પ્રથમ, મેનેજમેન્ટ કેટેગરીમાં આઇઆઇએમ-અમદાવાદે મેદાન માર્યું

નવી દિલ્હી : કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા  જારી કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટીટયૂશનલ રેન્કીંગ ફ્રેમવર્ક (એનઆઇઆરએફ) રેન્કિંગ મુજબ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), મદ્રાસ સળંગ ચોથા વર્ષે દેશની શ્રેષ્ઠ સંસ્થા રહી છે. જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસસી), બેંગાલુરુ શ્રેષ્ઠ યુનિવર્સિટી અને રિસર્ચ ઇન્સ્ટીટયૂટ રહી છે. 

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેદ્ર પ્રધાન દ્વારા આજે  એનઆઇઆરએફ રેન્કીંગની સાતમી આવૃત્તિ જાહેર કરવામાં આવી હતી. ઓવરઓલ રેન્કિંગ હેઠળ ટોચની દસ ઇન્સ્ટીટયૂટમાં આઇઆઇટી-મદ્રાસ, આઇઆઇટી-બોમ્બે, આઇઆઇટી-કાનપુર, આઇઆઇટી-ખડગપુર, આઇઆઇટી-ખડગપુર, આઇઆઇટી-રૂરકી અને આઇઆઇટી-ગુવાહાટીનો સમાવેશ થાય છે.

ઓવરઓલ રેન્કિંગમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) નવમાં અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી દસમાં ક્રમે છે. 

યુનિવર્સિટી કેટેગરીમાં આઇઆઇએસસી-બેંગાલુરુ પ્રથમ ક્રમે ત્યારબાદ જવાહરલાલ નહેરૂ  યુનિવર્સિટી બીજા ક્રમે અને જામીયા મિલિયા ઇસ્લામિયા ત્રીજા ક્રમે છે.ગયા વર્ષે આ કેટેગરી બીએચયુ ત્રીજા ક્રમે હતી જે ચાલુ વર્ષે છઠ્ઠા ક્રમે રહી છે. 

ટોચની દસ યુનિવર્સિટીમાં આ સિવાય જાદવપુર યુનિવર્સિટી, અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, મનિપાલ એકેડમી ઓફ હાયર એજયુકેશન, કલકત્તા યુનિવર્સિટી, વેલ્લોર ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ હૈદરાબાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

કોલેજની કેટેગરીમાં મિરાંડા હાઉસ પ્રથમ ક્રમે, હિંદુ કોલેજ બીજા ક્રમે, પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ત્રીજા ક્રમે, લોયોલા કોલેજ, ચેન્નાઇ ચોથા ક્રમે, લેડી શ્રીરામ કોલેજ પાંચમાં ક્રમે રહી છે. 

મેનેજમેન્ટ કેટેગરીમાં આઇઆઇએમ-અમદાવાદ પ્રથમ ક્રમે, આઇઆઇએમ-બેંગલોર બીજા ક્રમે અને આઇઆઇએમ-કલકત્તા ત્રીજા ક્રમે છે.

ફાર્મસી કેટેગરીમાં દિલ્હીની જામિયા હમદર્દ પ્રથમ ક્રમે, નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ફાર્મા એજયુકેશન એન્ડ રિસર્ચ, હૈદરાબાદ અને ત્રીજા ક્રમે પંજાબ યુનિવર્સિટી ત્રીજા ક્રમે રહી છે.

મેડિકલ કોલેજ કેટેગરીમાં એઇમ્સ-દિલ્હી પ્રથમ ક્રમે, પીજીઆઇએમઇઆર-ચંડીગઢ બીજા ક્રમે અને ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર ત્રીજા ક્રમે છે. 

ડેન્ટલ કોલેજની કેટેગરીમાં સવિથા ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ એન્ડ ટેકનિકલ સાયન્સ-ચેન્નાઇ પ્રથમ ક્રમે, મનિપાલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ બીજા ક્રમે અને ડી વાય પાટીલ વિદ્યાપીઠ-પુણે ત્રીજા ક્રમે છે.

July 12, 2022
cia_edu-1280x925.jpg
1min486

દેશભરમાં આવેલી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને વેટરનરી સાયન્સની કોલેજોમાં પ્રવેશ માટે જરૂરી નીટ (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ એક્ઝામ ) યુજી-અન્ડર ગ્રેજ્યુએટ પરીક્ષાનું રજિસ્ટ્રેશન કરાવનાર વિદ્યાર્થીઓ માટે આજે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ એડમિટ કાર્ડ ઓનલાઇન ઉપલબ્ધ કરાવ્યા છે. વિદ્યાર્થીઓએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પરથી પોતાના એડમિટ કાર્ડ લઇને તેની દરેક ડિટેલ ચેક કરી લેવી હિતાવહ છે.

નીટ યુજી પરીક્ષા આગામી તા.17મી જુલાઇએ દેશભરમાં 497 શહેરોમાં પેન એન્ડ પેપર બેઝ (ઓફલાઇન) યોજાઇ રહી છે.

ગુજરાતમાંથી અંદાજે ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા ગુજરાત સહિતના તમામ બોર્ડના મળીને 70 હજાર જેટલા વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષા આપશે.

June 4, 2022
cia_edu-1280x925.jpg
4min990

ધો.12 કોમર્સનું 86.01% પરીણામ: ગુજરાતમાં પહેલી વખત બન્યું: 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ!!

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જૂને ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ 86.91 ટકા જેટલું ઉદાર આપ્યું છે. પરીણામને જોતા જ શિક્ષણશાસ્ત્રીઓએ એક સૂરમાં કહ્યું કે કોરોના સમયગાળામાં 11-12 કોમર્સ બે વર્ષના અભ્યાસ પૈકી દોઢ વર્ષ ઓનલાઇન અભ્યાસ કરીને 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ લાઇફમાં કંઇક બનવા માટે સ્પેશયલ કરવું પડશે.

આદિવાસી જિલ્લા ડાંગનું પરીણામ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ

ગુજરાતના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો કુલ 3.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગના સુબિરનું પરીણામ 100 ટકા આવ્યું છે. જે સમગ્ર રાજ્યના 488 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકપણ વિદ્યાર્થી એ-વન ગ્રેડમાં સ્થાન પામ્યો નથી પણ હકીકત એ પણ છે કે આ કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા સમગ્ર રાજ્યમાં 100 ટકા પરીણામ ધરાવતું કેન્દ્ર સુબિર બન્યું છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ ધરાવતો જિલ્લો પણ ડાંગ બન્યો છે. ડાંગનું પરીણામ 95.41 ટકા આવ્યું છે. સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરત શહેર જિલ્લાના છે. આ જિલ્લામાંથી 643 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સુરત પછી રાજકોટમાંથી 402 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણા મેળવ્યું છે.

છોકરાઓ કરતા છોકરીઓ વધુ પાસ થઇ

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2022માં ઇતિહાસ રચાયો છે. બોર્ડમાં પહેલી વખત એવું નોંધાયું છે કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા વધુ છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 1,42,904 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેની સામે 1,45,760 વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. સામાન્ય પ્રવાહના ત્રણેય વિભાગમાં ઓવરઓલ પરીણામ પર નજર કરીએ તો 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ છે.

સુરત શહેર જિલ્લાનું પરીણામ 87.52 ટકા

સુરત શહેર જિલ્લાનું ધો.12 કોમર્સનું પરીણામ 87.52 ટકા આવ્યું છે. સુરત શહેર જિલ્લામાંથી 38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 643 એ-વન ગ્રેડ, 4382 એ-ટુ ગ્રેડ, 7521 બી-વન ગ્રેડ, 8995 બી-ટુ ગ્રેડ, 8128 સી-વન ગ્રેડ, 3813 સી-ટુ ગ્રેડ અને 255 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા છે.

સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સે ઇતિહાસ રચ્યો, 209 A-1 Grade – CiA Live News Web…

ગુજરાતના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરતની આશાદીપ સ્કુલના પરીણામે ન ભૂતો ન ભવિષ્યતિ પરીણામ હાંસલ કર્યું છે. સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડની બોલબાલા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 205 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી લાવ્યા છે. આ પરીણામનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાતના કુલ 31 જિલ્લાઓમાં સુરત અને રાજકોટના બાદ કરતા બાકીના તમામ 31 જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધાના એ-વન ગ્રેડ કરતા સુરતની એક જ શાળા આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે તેમાંથી એકલા 10 ટકા જેટલો હિસ્સો આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓનો છે. www.cialive.in

સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડના લાવનાર વિદ્યાર્થીઓ કઇ શાળાના છે તેનું લિસ્ટ www.cialive.in

શાળાનું નામ- CiA Liveવિસ્તાર- CiA Liveએ-વન ગ્રેડ            CiA Live
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સવરાછા209
મૌની અંકુર સ્કુલએકે રોડ33
સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ18
એલપીડી હાઇસ્કુલપૂણા09
ભૂલકાભવનઅડાજણ08
ઉમરીગર સ્કુલઉમરા08
ભૂલકા વિહાર સ્કુલપાલ07
જીજી ઝડફીયા સ્કુલએ.કે. રોડ07
આઇ એન ટેકરાવાલાપાલનપુર પાટીયા06
પ્રેસિડેન્સી સ્કુલઅડાજણ06
એસ્પાયર સ્કુલમોટા વરાછા06
પ્રેરણા વિદ્યાલયપૂણાગામ05
નોબલ પબ્લિક સ્કુલપૂણા05
સ્વામીનારાયણ ગુરુકુળસિંગણપોર04
ઉત્તર ગુજરાત કેએસકેપીભટાર રોડ03
દિપદર્શન વિદ્યાસંકુલડીંડોલી03
વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ03
એચએમબી સરદાર સ્કુલપાલનપુર પાટીયા02
લિયો સ્કુલ ઓફ કોમર્સઉધના02
સદભાવના સ્કુલપૂણા02
જીવનભારતીનાનપુરા02
વિશ્વભારતી ગર્લ્સ સ્કુલકામરેજ02
લીલાબા કન્યાશાળાલાલદરવાજા01
સરસ્વતિ વિદ્યાલયઅડાજણ01
વિદ્યાનિકેતન હાઇસ્કુલઅમરોલી01
રિવરસાઇડ સ્કુલડિંડોલી01

જો આપની કોઇ સ્કુલના બાળકો ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં એ-વન ગ્રેડ લાવ્યા હોય તો તેની માર્કશીટ અમને 98253 44944 વ્હોટએપ પર મોકલી શકો જેથી અમે ઉપરોક્ત લિસ્ટને અપડેટ કરી શકીએ.

May 31, 2022
adm_guide-1280x874.jpg
1min3781

ગુજરાત સરકારની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા આજે ચાલુ વર્ષ માટેના ઇજનેરી કોર્સના પહેલા સેમેસ્ટરમાં પ્રવેશની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એક મહિના સુધી ચાલનારી ઇજનેરીની રજિસ્ટ્રેશન પ્રક્રિયાના નિયમમાં એક મહત્વનો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે મેરીટ તૈયાર કરવામાં ધો.12 ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સના કુલ પર્સન્ટાઇલના 50 ટકા અને ગુજકેટ પરીક્ષાના સ્કુલ પર્સન્ટાઇલ સ્કોરના 50 ટકા મળીને મેરીટ તૈયાર કરવામાં આવશે.

એડમિશન કમિટીએ કરેલી જાહેરાતમાં જણાવાયું છે કે એસીપીસી દ્વારા હાથ ધરાનારી પ્રવેશ પ્રક્રિયામાં મેરીટ કેલક્યુલેશનમાં ધો.12 અને ગુજકેટ બન્નેનું વેઇટેજ 50-50 ટકા રાખવામાં આવ્યુ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી માન્યતા હતી કે ગયા વર્ષે ગુજરાત બોર્ડ સહિત દેશના તમામ બોર્ડની 12ની ઓફલાઇન પરીક્ષા થઇ શકી ન હતી અને તેના કારણે ગુજરાત સરકારે ઇજનેરી, ફાર્મસીમાં મેરીટ પ્રિપેરેશનમાં ધો.12 થીયરી પર્સન્ટાઇલ અને ગુજકેટ પર્સન્ટાઇલનો 60-40નો રેશીયો બદલીને 50-50 કરી દીધો હતો.

આ વખતે એવી માન્યતા હતી કે ઓફલાઇન ટેસ્ટ યોજાઇ ગઇ છે એટલે સરકાર ફરીથી ધો.12 અને ગુજકેટનો રેશીયો 60-40 કરશે પરંતુ, એસીપીસીએ આજે એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે ઇજનેરી કોર્સમાં પ્રવેશ માટે ધો.12 અને ગુજકેટનું ભારણ 50-50 ટકા જ રહેશે.

સૂત્રો જણાવે છે કે ફાર્મસી અને એગ્રિકલ્ચરમાં ધો.12 અને ગુજકેટનું ભારણ 50-50 જ રહેશે પરંતુ, એસીપીસીએ હજુ સુધી સત્તાવાર રીતે આવી કોઇ જાહેરાત કરી નથી. હાલ ફક્ત ઇજનેરીમાં જ આ ભારણની જાહેરાત કરવામાં આવી છે.

Admission Announcement

May 12, 2022
cia_edu-1280x925.jpg
1min2988

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

જે વિદ્યાર્થીઓ ધો.11-12 સાયન્સના બે વર્ષના અભ્યાસમાં દોઢ વર્ષ સુધી કોરોનાના કારણે ઓનલાઇન જ ભણી શક્યા હતા તેવા વિદ્યાર્થીઓનું ધો.12 સાયન્સનું ગુજરાત બોર્ડનું પરીણામ આજે જાહેર થયું છે. બોર્ડના પરીણામ પર ઘેરી અસર વર્તાયેલ જોવા મળી રહી છે. પાછલા 7 વર્ષમાં આટલું કંગાળ બોર્ડનું પરીણામ આવ્યું નથી. કુલ 68681 વિદ્યાર્થીઓ પાસ અને 27034 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.

સુરત શહેર જિલ્લામાંથી કુલ 42 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ સાથે પાસ થયા છે. સમગ્ર રાજ્યમાં 196 એ-વન ગ્રેડ પૈકી સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતો જિલ્લો સુરત બન્યો છે. રાજકોટ દ્વિતિય ક્રમે 17 એ- વન ગ્રેડ તેમજ ત્રીજા ક્રમે નવસારી, મોરબી અને અમદાવાદ રૂરલ 15 એ-વન ગ્રેડ સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

May 4, 2022
ITI-Logo.png
1min555

વિદ્યાર્થીએ જુદી જુદી ITIમાં પ્રવેશ માટે નહી જવુ પડે : ૫૬૦થી વધુ સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સંસ્થાઓની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે ઓનલાઈન જ ફાળવાશે

ધો.૧૦ પછીના આઈટીઆઈ અભ્યાસક્રમો ચલાવતી ગુજરાતની તમામ આઈટીઆઈ (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) માટે આ વર્ષથી હવે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીની જેમ કોમન ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.હાલ સરકારના રોજગાર અને તાલીમ વિભાગ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રવેશ પ્રક્રિયા શરૃ કરી દેવાઈ છે.આ વર્ષથી વિદ્યાર્થીએ હવે જુદી જુદી આઈટીઆઈમાં રૃબરૃ પ્રવેશ માટે જવુ નહી પડે.

ગુજરાત સરકારના રોજગાર અને તાલીમ વિભાગ હેઠળ આવેલી રાજ્યની ઈન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઈન્સ્ટિયુટ (આઈટીઆઈ)માં  ધો.૧૦ પછીના રાષ્ટ્રીય કક્ષાના (એનસીવીટી) અને રાજ્ય કક્ષાના (જીએસવીટી) ૧૪૦થી વધુ વિવિધ રોજગારલક્ષી કોર્સીસ ચલાવવામા આવે છે.ગત વર્ષે આઈટીઆઈમાં પ્રવેશ માટે માત્ર ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામા આવી હતી.એટલે કે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યા બાદ જે આઈટીઆઈમાં પ્રવેશ લેવો હોય ત્યાં રૃબરૃ જવુ પડતુ અને દરેક સંસ્થા માટે અલગ અલગ ૫૦-૫૦ રૃપિયાના ફોર્મ ભરવા પડતા હતા.પરંતુ આ વર્ષે હવે રાજ્ય સરકારના રોજગાર તાલીમ વિભાગ દ્વારા સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન અને સેન્ટ્રલાઈઝડ કરવાનો નિર્ણય લેવાયો છે.વિભાગ દ્વારા હાલ ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે એડમિશન પોર્ટલ શરૃ કરીને રજિસ્ટ્રેશન પણ શરૃ કરી દેવાયુ છે અને પ્રવેશ માહિતી પુસ્તિકા પણ જાહેર કરી દેવાઈ છે.આ અંગે રોજગાર અને તાલીમ વિભાગના અગ્રસચિવ અંજુ શર્માએ જણાવ્યુ કે ઓનલાઈન કોમન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયાથી વિદ્યાર્થીને હવે જુદી જુદી આઈટીઆઈમાં ધક્કા ખાવા નહી પડે.એક જ ઓનલાઈન પ્રવેશ ફોર્મથી તમામ આઈટીઆઈમાં પ્રવેશ માટેની તક મળશે.હાલ રાજ્યમાં સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની ૫૮૫ જેટલી આઈટીઆઈ આવેલી છે.જેની ૧.૫૭ લાખ જેટલી બેઠકો હવે કોમન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયાથી ભરાશે.

અત્યાર સુધી આઈટીઆઈની માંડ એક લાખ જેટલી બેઠકો ભરાતી હતી પરંતુ હવે આ કોમન ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી બેઠકો વધુ ભરાશે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતા રહેશે. રજિસ્ટ્રેશન બાદ વિદ્યાર્થીનો ધો.૧૦ના પરિણામના ડેટા પણ ઓનલાઈન જ ઓટોમેટિક સબમીટ થઈ જશે. આઈટીઆઈ અને કોર્સની પસંદગી માટે મોક રાઉન્ડ પણ કરાશે.ત્યારબાદ વિવિધ ઓનલાઈન એડમિશન રાઉન્ડ થશે.જેમાં વિદ્યાર્થીની પસંદગી અને મેરિટ મુજબ ઓનલાઈન બેઠક ફાળવાશે.

May 3, 2022
cia_edu-1280x925.jpg
1min435

કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને 28 એપ્રિલ 2022 એ પ્રકાશિત થયેલ પ્રતિષ્ઠિત ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ 2022માં ‘અમસાનતાઓને ઓછી કરવાના’ સતત વિકાસ લક્ષ્ય (SDG)માં દુનિયાના વિશ્વવિદ્યાલયમાં 8મુ સ્થ।ન આપવામાં આવ્યુ છે.

વર્લ્ડ યુનિવર્સિટી રેંકિંગ સિવાય, ટાઇમ્સ હાયર એજ્યુકેશન દર વર્ષે વિવિધ માપદંડો પર સંસ્થાનો માટે કેટલાય અન્ય રેંકિંગ પ્રકાશિત કરે છે. તે પૈકીનું એક સૌથી મહત્વપૂર્ણ પ્રભાવિત શ્રેણીમાં રાખવાનું છે, જેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સતત વિકાસ લક્ષ્યો (એસડીજી)માં તેમના યોગદાન પર દુનિયાભરના હજારો વિશ્વવિદ્યાલયોનું મૂલ્યાંકન કરે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેંકિંગ ચાર વ્યાપક ક્ષેત્રો રિસર્ચ, મેનેજમેન્ટ, આઉટરીચ અને શિક્ષણમાં સ્થિરતા માટે તેમની પ્રતિબદ્ધતાનું આકલન કરે છે.

આ વર્ષના રેંકિંગમાં, કેઆઇઆઇટીને એસડીજીના જ એક મહત્વપૂર્ણ પેરામિટર – ‘અસમાનતાઓને ઓછી કરવા’માં તેના પ્રભાવ માટે દુનિયાભરમાં 8મુ સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યુ છે. અન્ય એસડીજીમાં 101-200ના પ્રભાવશાળી રેંક સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, શાંતિ, ન્યાય અને પ્રબળ સંસ્થાન તેમજ લક્ષ્યો માટે સહભાગિતામાં કેઆઇઆઇટીએ રેંકિંગમાં કુલ 201-300નું સ્થાન હાંસલ કર્યુ છે. જેમાં 106 દેશના 1500થી વધુ વિશ્વવિદ્યાલય લીસ્ટેડ(સૂચિબદ્ધ) છે. યાદીમાં માત્ર કેટલાક જ ભારતીય સંસ્થાન સામેલ છે. અને KIIT ભારતના ટોચના આઠ વિશ્વવિદ્યાલયમાંનું એક છે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રિસર્ચની સાથે, કેઆઇઆઇટી તેની સ્થાપના બાદથી જ સામાજિક વિકાસના કાર્યોમાં વ્યાપક શ્રેણીમાં સક્રિય રીતે સામેલ રહ્યુ છે. કેઆઇઆઇટી ડીમ્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક સમૂદાયનું માનવુ છે કે, ‘“કેઆઇઆઈટીએ અસમાનતાઓ ઓછી કરવાના ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યુ છે.
પરિણામે, એસડીજીના આ પેરામિટરમાં તેને દુનિયાભરમાં 8મુ સ્થાન મળ્યુ છે.”

પોતાની ખુશી વ્યક્ત કરતા KIIT Universityના સંસ્થાપક ડૉ. અચ્યુતા સામંતે કહ્યુ કે, ‘અસમાનતાઓને ઓછી કરવા’ના પેરામિટરમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી વિશ્વવિદ્યાલયોમાં કેઆઇઆઇટીની સ્થિતિ કેટલાય વર્ષોથી આ ક્ષેત્રમાં કરાયેલી મહત્વપૂર્ણ કામને ઉજાગર કરે છે.
તેમણે કુલાધિપતિ, કુલપતિ પ્રો. સસ્મિતા સામંત, કેઆઇઆઇટીના ફેકલ્ટી કર્મચારી સભ્યો અને વિદ્યાર્થીઓને આ ઉપલબ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા.

કેઆઇઆઇટી,ને પોતાના સમુદાય આધારિત વિશ્વવિદ્યાલય હોવા પર ગર્વ છે. સ્થાપના બાદથી જ તે શિક્ષણ, મહિલા સશક્તિકર, ગ્રામિણ વિકાસ, આદિવાસી ઉત્થાન, કલા સંસ્કૃતિ અને સાહિત્ય વગેરેના માધ્યમથી ગરીબી ઓછી કરવા જેવી સામાજિક પ્રાથમિકતાઓમાં બહોળા પ્રમાણમાં યોગદાન આપી રહ્યું છે. હકીકતમાં કેઆઇઆઇટી બધા 17 એસડીજી માટે પ્રતિબદ્ધ છે અને તેના શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમ સીધા વધુમાં વધુ લક્ષ્યો સુધી પહોંચે છે. ટાઇમ્સ હાયર એજ્યુકેશન ઇમ્પેક્ટ રેેંકિંગમાં કેઆઇઆઇટીની ઉચ્ચ રેંકિંગ તેની ઉચ્ચ સામાજિક જવાબદારી અને સતત વિકાસની દિશામાં પ્રભાવશાળી યોગદાનને દર્શાવે છે.

May 3, 2022
Promotion.jpg
1min458

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ સોમવારે Dt.2/5/22, તેમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરકારે 21 સપ્ટેમ્બર 2019ના રોજના ઠરાવને અમલમાં નહીં મૂકવાનો નિર્ણય લીધો છે જે શાળાઓને ધોરણ 5 અને ધોરણ 8 ના વિદ્યાર્થીઓને નાપાસ કરવાની મંજૂરી આપે છે. જે અનુસાર 2022-23 શૈક્ષણિક વર્ષ માટે લેવામાં આવેલી પરીક્ષાઓ રોગચાળાની પરિસ્થિતિને કારણે ધોરણ 1થી ધોરણ 8 સુધીના કોઈપણ વિદ્યાર્થીઓને નાપાસ કરશે નહીં.

– વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના 21 સપ્ટેમ્બર 2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.
– આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.
– પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતિય (વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગુ કરવાની રહેશે નહીં.

April 27, 2022
cia_edu-1280x925.jpg
1min1303

Jayesh Brahmbhatt 98253 44944

હાલમાં ધો.12 સાયન્સ બાયોલોજી ગ્રુપની પરીક્ષા આપી ચૂકેલા ઘણાં વિદ્યાર્થીઓ મેડીકલ-પેરામેડીકલની એન્ટ્રન્સ એક્ઝામ, નીટ-2022ના ફોર્મ ભરી શક્તા નથી. અનેક વિદ્યાર્થીઓ અને તેમના પેરેન્ટસના ટેલિફોનિક ફોન શિક્ષણ સર્વદાને મળ્યા, તેમના ફોર્મ કેમ નથી ભરી શકાતા તેનું કારણ તેમને જાણવા મળ્યું નહીં. આથી તેમને સ્પષ્ટીકરણ મેળવી આપ્યું કે જે વિદ્યાર્થીઓની ઉંમર 31-12-2022 સુધીમાં 17 વર્ષ કે તેથી ઉપર હશે તેમને જ આ વર્ષે નીટ પરીક્ષામાં બેસવા દેવાશે અને તેમને જ મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ આપવામાં આવશે.

ટૂંકમાં કહીએ તો જે વિદ્યાર્થીઓની જન્મ તારીખ 31-12-2005 કે એ પહેલાની છે તેઓ જ નીટ કે મેડીકલમાં પ્રવેશ માટે લાયકાત પાત્ર છે. જેમની જન્મતારીખ 31-12-2005 પછીની છે તેઓ નીટના ફોર્મ જ ભરી શકશે નહીં, એટલે સ્વાભાવિક છે કે તેમને મેડીકલ ડેન્ટલમાં પ્રવેશ મળી શકશે નહીં. આવા વિદ્યાર્થીઓ એક વર્ષ પછી પ્રવેશપાત્ર બની શકશે.

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લઘુત્તમ વય 17 વર્ષની ઉંમર હોવી જરૂરી, ઉપલી વય મર્યાદા હટાવી લેવામાં આવી છે, હવે 17 વર્ષની વય ધરાવતા હોય અને નીટ ક્લીયર કરી હોય તેવા કોઇપણ વયના વ્યક્તિઓ નીટ આપી શકે છે અને મેડીકલમાં અભ્યાસ કરી શકે છે

For One to one career counseling