Jayesh Brahmbhatt 98253 44944
ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલી સી.એ.ના દ્વિતીય ચરણ, સી.એ. ઇન્ટરમિડીએટની પરીક્ષાનું પરીણામ આજે તા.21મી જુલાઇએ ઘોષિત કરવામાં આવ્યું હતું. ઓવરઓલ પરીણામની વાત કરીએ તો ઇન્ટરમિડીએટ સિસ્ટમ અમલમાં આવી ત્યાર પછીનું સૌથી નીચું પરીણામ આવ્યું છે.
સી.એ. ઇન્ટરમિડીએટમાં બન્ને ગ્રુપમાં પાસ થનારા ઉમેદવારોની ટકાવારી ફક્ત 5.46 ટકા જ છે. સમગ્ર દેશમાંથી સી.એ. ઇન્ટરમિડીએટની બન્ને ગ્રુપની પરીક્ષા કુલ 24,475 ઉમેદવારોએ આપી હતી. તેમાંથી ફક્ત 1337 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થયા છે.
સુરતની વાત કરીએ તો સુરતમાં મધ્યમવર્ગીય રાજસ્થાની પરિવારના પર્વ જૈન નામના વિદ્યાર્થીએ કુલ 800માંથી 615 માર્કસ મેળવીને સમગ્ર ભારતમાં 8મો ક્રમ અને સુરતમાં સર્વપ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યો છે.
રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટનો દેખાવ ઝળહળતો રહ્યો
સમગ્ર દેશમાં સી.એ. કોચિંગ માટે જાણિતા સુરતના રવિ છાવછરીયા પાસે કોચિંગ લઇ રહેલા ત્રણ ઉમેદવારોએ આજે સીએ ઇન્ટરમિડીએટમાં ઓલ ઇન્ડિયા ટોપ ફીફ્ટીમાં સ્થાન મેળવ્યા છે. રવિ છાવછરીયાના વિદ્યાર્થી ઋુષિકેશ દેસાઇ, (મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના)એ 800માંથી 574 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 25મો રેન્ક, મૂળ રાજસ્થાની પરિવારના શુભમ ચોપરાએ પણ 800માંથી 574 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 25મો રેન્ક તથા મૂળ સુરતી પરિવારના, ગુજરાતી માધ્યમમાંથી ધો.12 પાસ કરનાર મોહિત મેવાવાલાએ 800માંથી 573 માર્કસ મેળવીને ઓલ ઇન્ડિયા 26મો રેન્ક હાંસલ કર્યો છે.