કેન્દ્રિય કેબિનેટ શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે જણાવ્યું છે કે CBSE બોર્ડની પરીક્ષા 4 મેથી શરુ થશે, જ્યારે પ્રેક્ટિલ માર્ચથી જ શરુ થઈ જશે. પરીક્ષાઓ 10મી જૂને સમાપ્ત થશે. 15 જુલાઈ સુધીમાં તેના પરિણામ જાહેર કરી દેવાશે.
ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષા પણ આ વખતે મે મહિનામાં જ યોજાય તેવી શક્યતા છે. સીબીએસઈની માફક ગુજરાત બોર્ડે પણ અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત ક્યારનીય કરી દીધી છે. રાજ્ય સરકાર પણ સ્પષ્ટ કરી ચૂકી છે કે, 2021માં યોજાનારી પરીક્ષાઓ લેવામાં આવશે જ, અને કોઈ ધોરણમાં માસ પ્રમોશન નહીં અપાય.
ગુજરાતમાં સ્ટેટ ક્વોટાની કુલ 4445 એમબીબીએસ સીટ પૈકી 1800 બેઠકોના પ્રવેશાર્થીઓ 2020 પૂર્વે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી ચૂક્યા છે
Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાતમાં તાજેતરમાં પૂર્ણ થયેલી MBBS મેડીકલના પહેલા વર્ષની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ફર્સ્ટ એમબીબીએસમાં પ્રવેશ પામનારા 4446 વિદ્યાર્થીઓ પૈકી 1800 પ્લસ (40 ટકા) પ્રવેશાર્થીઓએ 2020માં નહીં બલ્કે 2019 કે 2018માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે. આમ, આ વર્ષે મેડીકલમાં એડમિશન લેનારા 40 ટકા વિદ્યાર્થીઓ એવા છે જેમણે તેમના કરન્ટ વર્ષમાં નીટના પરફોર્મન્સથી નાખુશ થઇને ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટ રિપીટ કરીને સ્કોર હાંસલ કરીને પ્રવેશ મેળવ્યા છે.
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડીકલ એન્ડ પેરામેડિકલ કોર્સિસના સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં કુલ 5507 અંડર ગ્રેજ્યુએટ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. જેમાં સરકારી મેડીકલ કોલેજોની 15 ટકા સીટ્સ તેમજ પ્રાઇવેટ મેડીક કોલેજોનો મેનેજમેન્ટ ક્વોટા અને એન.આર.આઇ. ક્વોટાની બેઠકો કાઢી નાંખ્યા બાદ બાકી વધેલી કુલ 4446 સ્ટેટ ક્વોટાની બેઠકો પર કમિટી દ્વારા પ્રવેશ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાતની જુદી જુદી મેડીકલ કોલેજોમાં ચાલુ વર્ષે પ્રવેશ પામનારા કુલ 4446 પ્રવેશાર્થીઓ પૈકી 1800 પ્લસ પ્રવેશાર્થીઓ ડ્રોપ લઇને નીટ રિપીટ કરીને પોતાની પસંદગીની મેડીકલ કોલેજમાં પ્રવેશ હાંસલ કર્યો છે.
પોતાના કરન્ટ યરથી ડ્રોપ લઇને નીટ ક્રેક કરનારા 1800 પ્રવેશાર્થીઓ પૈકી સૌથી વધુ 1560 વિદ્યાર્થીઓએ 2019માં ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી હતી. 198 વિદ્યાર્થીઓએ 2018માં, 29 વિદ્યાર્થીઓએ 2017માં અને 13 વિદ્યાર્થીઓએ 2016માં પોતાનું 12મું ધોરણ પાસ કર્યું હતું, પરંતુ, એ સમયે તેમને મેડીકલમાં પસંદગીની કોલેજોમાં પ્રવેશ નહીં મળતા તેમણે ડ્રોપ લીધો હતો અને ફરીથી નીટની તૈયારી કરીને 2020માં નીટ પરીક્ષા આપી હતી.
સૌથી મહત્વની વાત એ છે કે 2020 પહેલા ધો.12 પાસ કરનારા અને 2020માં મેડીકલ પ્રવેશ પામનારા કુલ 1800 પ્રવેશાર્થીઓ પૈકી 300 વિદ્યાર્થીઓ નીટમાં એટલો જંગી સ્કોર ખેંચી લાવ્યા કે તેમના ગુજરાતની સૌથી ઓછી ફી ધરાવતી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશન મળ્યા છે. અને તેમાં પણ 27 વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ગુજરાતની સૌથી ટોપ મેડીકલ કોલેજ ગણાતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે.
એક તરફ ગુજરાતમાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે એ માટે વિજય રૂપાણી સરકારે વિદેશોમાં રોડ શૉ કર્યા, વિદેશી સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGUમાં અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્યાર્થીઓ માટે VNSGUના શાસકો દરવાજા બંધ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ હાલ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિદેશી વિદ્યાર્થીઓએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાં પ્રવેશ માટે અરજીઓ કરી છે. કોલેજોએ પ્રવેશ આપતા પહેલા યુનિવર્સિટીના શાસકો પાસે જે તે વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટસ રજૂ કરીને તેઓ પ્રવેશ પાત્ર છે કે કેમ એ વેરીફાઇ કરાવતા યુનિવર્સિટીએ એવી સંસ્થાઓના વિદેશી વિદ્યાર્થીઓ માટે નન્નો ભણી દીધો છે કે જે સંસ્થાઓને એસોસીએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ (એ.આઇ.યુ.) દ્વારા સર્ટિફાઇડ કરવામાં આવી છે.
એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીએ માન્ય કરેલા બોર્ડ-સંસ્થાઓ આખા દેશમાં માન્ય હોય, પણ વીર નર્મદ યુનિવર્સિટીના શાસકો માટ અમાન્ય
વીર નર્મદ યુનિવર્સિટી કઇ કઇ સંસ્થાઓને માન્ય ગણે છે તેની યાદી બનાવવામાં આવી છે. આ યાદી જોતા કોઇ સામાન્ય વ્યક્તિ પણ કહી શકે કે યુનિવર્સિટીના શાસકોનો અભિગમ કૂવામા રહેલા દેડકો જેવો છે. કેટલીક ભારતીય સંસ્થાઓના નામો સિવાય વિદેશના એક પણ બોર્ડનું નામ યાદીમાં સામેલ નથી. બસ આ કારણથી વીર નર્મદ યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કોલેજોના ના પાડી રહી છે.
વિદેશના કયા કયા બોર્ડ ગુજરાત બોર્ડને સમકક્ષ છે એની યાદી જ વીર નર્મદ યુનિવર્સિટી પાસે ઉપલબ્ધ નથી, એટલે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરી રહ્યા છે
વીર નર્મદ યુનિવર્સિટીના કારભારીઓ માન્ય બોર્ડ, સંસ્થાઓ અંગે પોતાની યાદી અપડેટ ન કરી શકે તો કંઇ નહીં પણ એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઇડ સંસ્થાઓમાં પ્રવેશ આપવાનું તો ઠરાવી શકે કે નહીં. એ પણ હકીકત છે કે ખુદ વીર નર્મદ યુનિવર્સિટી એ.આઇ.યુ.ની મેમ્બર છે. આમ છતાં એના વહીવટકર્તાઓને એઆઇયુની યાદીને અપનાવતા પેટમાં ચૂક આવી રહી છે.
ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. જેઇઇ મેઇન્સ 2021 ફર્સ્ટ ફેઝમાં જે ફેબ્રુઆરીમાં લેવામાં આવનાર છે, તેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજરોજ તા.15મી ડિસેમ્બર 2020થી જેઇઇ મેઇન્સ ફેબ્રુઆરી 2021ની પરીક્ષાના રજિસ્ટ્રેશન પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. તા.15મી જાન્યુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે. તા.22થી 25 ફેબ્રુઆરી દરમિયાન જેઇઇ મેઇન્સ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. ફેબ્રુઆર 2021ની પરીક્ષાનું સમયપત્રક નીચે મુજબ છે.
The National Testing Agency on Tuesday released the notification for the JEE Main 2021 on its official portal. The candidates who wish to apply for JEE Main 2021 can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to check and download the notification.
As per the schedule issued on the JEE Main’s website, the registration process for JEE Main 2021 will commence today i.e., December 15. The last date to apply for JEE main 2021 is January 15, 2021. Candidates can submit the application fee of JEE Main 2021 till January 16. Candidates can make the corrections in their particulars from January 18 to January 21.
ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ જેવા ભારતના રાષ્ટ્રીય સ્તરના બોર્ડ The Council for the Indian School Certificate Examination (CISCE) એ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરતા કહ્યું છે કે અમને તા.4 જાન્યુઆરી 2021થી ઓછામાં ઓછું ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ સ્કુલ શરૂ કરવા દો. માર્ચ 2021માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી, તેમના ભણતરને અતિશય ગંભીર નુકસાન પહોંચ્યું છે, બને તેટલું ઓછું નુકસાન થાય તે માટે જાન્યુઆરી 2021થી આપના રાજ્યોમાં The Council for the Indian School Certificate Examination (CISCE) એફિલિયેટેડ સ્કુલો શરૂ કરવા દો. તેમણે કહ્યું કે ધો.10 ધો.12ના વિદ્યાર્થીઓ સ્કુલે આવશે ત્યારે કોવીડ-19ની તમામ નીતિ નિયમો, જોગવાઇઓનું પાલન શાળાઓ કરશે તેની પૂરેપૂરી જવાબદારી લઇએ છીએ
CISCE asks CMs to allow reopening of schools for class 10 & 12 from January 4
The Council for the Indian School Certificate Examination (CISCE) બોર્ડના સેક્રેટરી ગેરી આર્થૂને કહ્યું કે જાન્યુઆરીથી અમને સ્કુલ શરૂ કરવાની મંજૂરી અપાશે તો અમે વિદ્યાર્થીઓને થોડી ઘણી પણ બોર્ડની પરીક્ષાની મહત્વની તૈયારીઓ કરાવી શકીશું.
“With the students physically attending school, the time will be utilised for practical work, project work and for doubt clearing lessons. This will be extremely beneficial to the students who will now get the time to interact directly with their teachers,” Gerry Arathoon, chief executive and secretary of CISCE said in a release.
ISCE બોર્ડની વાત સમજવા જેવી છે
ISCE બોર્ડના સેક્રેટરીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને કરેલી અપીલ પણ સમજવા જેવી વાત છે. કેમકે બોર્ડના વિદ્યાર્થીઓ આખું વર્ષ કશું ભણ્યા નથી. તેમણે જેઇઇ, નીટ જેવી પરીક્ષાઓ આપવાની છે. કોલેજમાં પ્રવેશ માટે પરફોર્મન્સ (માર્કસ) લાવવાના છે. ઘરે બેસીને આ પ્રમાણે તૈયારીઓ કરવી અશક્ય છે.
કોવિડ-19 પેન્ડેમિક પરિસ્થિતિમાં 2020માં જેઇઇ અને નીટ જેવી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષાઓનું શિડ્યુલ ખોરવાયું હતું, એ જ પ્રકારે હવે 2021માં પણ આ પરીક્ષાઓના ટાઇમટેબલની સાઇકલ ખોરવાઇ ગઇ છે, આમ છતાં હાલમાં ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એલાર્મિંગ પરિસ્થિતિ આવીને ઉભી છે. આગામી ટૂંક સમયમાં જેઇઇ 2021ના ફર્સ્ટ એટેમ્પ્ટનું સમયપત્રક જાહેર કરવામાં આવશે.
આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જેઇઇ મેઇન 2021 જાન્યુઆરીમાં લેવાની થતી હતી. પરંતુ, વર્તમાન સ્થિતિને પગલે એન.ટી.એ. અને કેન્દ્ર સરકારે આ પરીક્ષા ફેબ્રુઆરી 2021ના અંતમાં લેવા અંગે વિચારણા લગભગ પૂર્ણ કરી દીધી છે. ફેબ્રુઆરીના આખરી સપ્તાહમાં સંભવિત યોજાનારી જેઇઇ મેઇન્સ 2021 પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન આગામી ડિસેમ્બર 2020માં ઓનલાઇન શરૂ થશે. બીજી તરફ હજુ હાલમાં એન્જિનિયરિંગ ઇન્સ્ટીટ્યુટ્સમાં 2020ની પ્રવેશ કામગીરી ચાલી રહી છે, આવી સ્થિતિમાં જાન્યુઆરી 2021માં જેઇઇ મેઇન લઇ શકાય તેવી શક્યતાઓ નથી.
વધુમાં ગત ઓક્ટોબર 2020માં નિયત કરાયા મુજબ જેઇઇ મેઇન જે હાલમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી ભાષામાં લેવાઇ રહી છે એ વધુ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવશે. આ અંગે પણ અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.
The first cycle of the Joint Entrance Examination (JEE-Main) 2021 will be conducted in the last week of February instead of January. The application process however will commence from December 2020.
JEE-Main, which is the national level competitive test for admission to various undergraduate engineering and architecture courses, including the eligibility test for the JEE (Advanced) for admission to IITs is conducted twice a year – January and April.
હાલમાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ માટે મહત્વની માહિતી આપતું પુસ્તક
ગુજરાતની મેડીકલ અને ડેન્ટલ કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મોક રાઉન્ડનું રિઝલ્ટ બહાર પડ્યા પછી અનેક પ્રવેશાર્થી પરિવારોમાં ભારે હતાશા છવાઇ ગઇ છે કેમકે નીટ કટઓફ માર્કસ 2020માં ગત વર્ષ 2019 કરતા 40થી 63 માર્કસ ઉંચા ગયા છે. એનો મતલબ ગયા વર્ષ કરતા અત્યંત ઉંચા મેરીટ કટઓફને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત તો રહેશે પરંતુ, તેજસ્વી વિદ્યાર્થીઓએ પણ સરકારી મેડીકલ કોલેજમાં સસ્તામાં મેડીકલ ભણવાની તક ગુમાવવી પડશે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની મોંઘીદાટ ફીમાં અભ્યાસ કરવો પડશે.
નીચેના કોષ્ટક પરથી પરિસ્થિતિ પામી શકાશે કે ગુજરાતની સરકારી મેડીકલ કોલેજોમાં પ્રવેશ કેટલા ઉંચા ગયા છે. જેમકે અમદાવાદની બીજે મેડીકલ કોલેજ કે જે ગુજરાતની નંબર વન મેડીકલ કોલેજ ગણાય છે, જ્યાં પહેલું એડમિશન ક્લોઝ થાય છે એ બીજે મેડીકલ કોલેજમાં 2019માં ઓપન કેટેગરીનું કટઓફ 610 નીટ માર્કસ હતું જે આ વખતે 2020માં મોક રાઉન્ડમાં વધીને 650 થયું છે. એવી જ રીતે સુરત મેડીકલ કોલેજમાં 2019માં નીટ માર્કસનું કટઓફ 557 હતું જે વધીને 609 થયું છે.
ઉપરોક્ત ડેટા ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓના કટઓફ માર્કનો છે. આ જ પ્રકારે ઓપન ઇડબલ્યુએસ, એસ.સી., એસ.ટી., ઓબીસી વગેરે કેટેગરીમાં પણ નીટ માર્કસના કટઓફ 2019 કરતા ઉંચા ગયા છે પરીણામે ઓછા માર્કસ ધરાવતા વિદ્યાર્થીઓમાં હતાશાનું મોજુ ફરી વળ્યું છે.
2020માં ગુજરાતમાં મેડીકલ બેઠકોની સંખ્યા વધીને 5508 થઇ
કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો છે.
કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) વર્ગમાં વિજેતા જાહેર કરાયું. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર આ ભારતની એકમાત્ર સંસ્થા છે. પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પ્રારંભિક પ્રગતિ અથવા તો વિકાસ અને પોતાની ઉદારતાપૂર્ણ વચનબદ્ધતા માટે તેને ઓળખ મળી છે.
કે.આઈ.આઈ.ટી. પોતાના વિક્રેન્દ્રી શાસન માટે અલગ છાપ ધરાવે છે. જેમાં મુખ્ય કર્મચારીઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે અને તેઓ કાર્યો પૂર્ણ કરી શકે તે પ્રકારની શક્તિ આપવામાં આવે છે. આ એકમાત્ર સેલ્ફ ફાઈનાન્સ વિશ્વવિદ્યાલય છે જે પરિવારવાદથી પર છે. તમામ વરિષ્ઠ અધિકારી સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે.
કર્મચારી-અધિકારીઓની પસંદગી પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. કર્મચારીઓ અને ફેકલ્ટીના તમામ સભ્યોએ તેનો બધો જ શ્રેય પોતાના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતાને જ આપ્યો. ડૉ.સામંતાએ નાણાંકીય અને વહીવટી બંનેમાં સ્વતંત્રતા સાથે સંકોચ વિના કામ કરવાને પ્રણાલી પર બળ આપ્યું. તેમણે એક વાતાવરણ અને કાર્ય સુધારક પ્રણાલી બનાવી છે. જ્યાં ફેકલ્ટી અને કર્મચારી ઉન્મુક્ત મનથી પોતાની કામગીરી કરી શકે છે. પરિણામ સ્વરૂપ કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપનાના સમયથી જ વિદ્યાર્થી, માતા-પિતા, કર્મચારીઓ અને પર્યાવરણને અનુકૂળ પરિસર રહ્યો છે. આ નિર્ણાયક મંડળ અનેક અનુભવી વ્યક્તિઓને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે.
જેમણે દેશની સેંકડો સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થી, શિક્ષકો, શોધકર્તાઓ અને સ્થાનીય સમુદાય વચ્ચે ગહન સર્વેક્ષણ કરવા ઉપરાંત કે.આઈ.આઈ.ટી.ને વિજેતા જાહેર કરાઈ
ફાધર કાર્લોસ જી. વાલેસને સવાયા ગુજરાતી તરીકે સંબોધવા પડે. કેમકે તેઓ જન્મે અને નખશીખ સ્પેનિશ (સ્પેન દેશના) પણ કર્મે અસ્સલ ગુજરાતી, કેમકે ગુજરાતમાં રહ્યા, કર્મભૂમિ ગુજરાતી બનાવી, ગુજરાતી ભાષામાં 75 જેટલા પુસ્તકો લખ્યા અને ક્યારેય બેસ્ટ સેલરનો દાવો કર્યો નહીં આ છતાં આજેય એ પુસ્તકોની લોકપ્રિયતાનો ગ્રાફ ક્યારેય નીચે નથી જોવાયો, એવા સવાયા ગુજરાતી ફાધર વાલેસનું આજે તા.9મી નવેમ્બર 2020ના રોજ તેમના મૂળ વતન સ્પેન ખાતે નિધન થયાના સમાચારે ગુજરાતી સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
મૂળ સ્પેનના ફાધર કાર્લોસ જી. વાલેસે ગુજરાતીમાં 75 પુસ્તકો લખ્યા છે અને બેસ્ટ સેલરનો એકેય દાવો કર્યો ન હોવા છતાં આજેય એ પુસ્તકો લોકપ્રિય
ફાધર વાલેસે ગુજરાતમાં 1958થી અમદાવાદની સેંટ ઝેવિયર્સ સ્કુલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી એ પછી તેમણે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનેક પુસ્તકોનું પ્રદાન કર્યું.
ગુજરાતી સાહિત્યમાં ફાધર વાલેસે કરેલા પ્રદાન માટે તેમને કુમાર ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ નવાજવામાં આવ્યા હતા.
તેઓ નિવૃત્તિ બાદ વતન સ્પેન પરત ફર્યા હતા. કાર્લોસ જી વાલેસને ગુજરાતની પ્રજાએ પણ ભરપૂર પ્રેમ આપ્યો હતો. સ્પેનિશ હોવા છતાં તેઓ ગુજરાતી શીખ્યા હતા, અને સવાયા ગુજરાતી બની રહ્યા હતા.
નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.
સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.
નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.