CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 19 of 54 - CIA Live

March 18, 2021
Schoolsclosed4.jpg
1min565

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે ત્યારે સરકારે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલો 10/4/2021 સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ) 10 એપ્રિલ સુધી તમામ સ્કૂલો 19 માર્ચથી 10 એપ્રિલ સુધી બંધ રહેશે, અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવાશે. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે.

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ઓફલાઈન શિક્ષણ આ તમામ આઠ મહાનગરપાલિકાઓમાં બંધ રહેશે. રાજ્યમાં થોડા સમય પહેલા જ તબક્કાવાર સ્કૂલના ધોરણ 6થી 12ના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા, અને તે જ રીતે કોલેજો પણ શરુ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નહોતી અને ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શિક્ષણકાર્ય અંગે મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં કોલેજ અને યુનિ.માં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઈન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવે છે. રાજ્યની યુનિ.ઓ દ્વારા હવે નવેસરથી ટાઈમટેબલ જાહેર કરાશે. 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય ઓનલાઈન ચાલશે. યુનિ.ની હોસ્ટેલો ચાલુ રહેશે. પીજીના તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ યુનિ.ઓને લાગુ પડશે.

March 16, 2021
CIA_Live_Logo_New2.jpg
2min686

જયેશ બ્રહ્મભટ્ટ ૯૮૨૫૩ ૪૪૯૪૪

ભારતમાં યુનિવર્સિટીઓનું સંચાલન કરી રહેલી એપેક્ષ બોડી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશને અત્યાાર સુધી સર્ટિફિકેશન કોર્સ ગણાતા ચાર્ટર્ડ અકાઉન્ટન્સી, કંપની સેક્રેટરી, આઇ.સી.ડબલ્યુ.એ. જેવા અભ્યાસક્રમોને પોસ્ટ ગ્રેજ્યુએશન (માસ્ટર) ડિગ્રીને સમકક્ષ દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાણકારી આઇ.સી.એ.આઇ. દ્વારા ટ્વીટ કરીને જારી કરવામાં આવી છે.

CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા ઉમેદવારો હવેથી ભારત તેમજ આંતર રાષ્ટ્રીય સ્તરે જુદી જુદી યુનિવર્સિટીઓમાં ચાલતા પી.જી. અભ્યાસક્રમો કે તેનાથી ઉપર ડોક્ટરેટ અભ્યાસક્રમોમાં પ્રવેશ પામી શકશે.

આ સાથે જ CA/CS જેવા અભ્યાસક્રમો હવે વધુ પાવરફુલ બન્યા છે. અત્યાર સુધી જેનેે સર્ટિફિકેશન્સ માનવામાં આવતા હતા તે હવે ઘરે બેસીને ભણી શકાય તેવા સૌથી પાવરફુલ કોર્સ બન્યા છે જે નોકરી, વ્યવસાય કે બિઝનેસ એક્સપર્ટસ બનાવી શકે તેટલા સક્ષમ હોવા ઉપરાંત પી.એચડી. સુધીની ડિગ્રી માટેની લાયકાત મેળવી આપશે.

હાલમાં કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ નહીં બદલાય

CA/CS/ICWA અભ્યાસ કરતાા ઉમેદવારોમાં છેલ્લા ઘણા વર્ષોથી કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ જોવા મળે છે જેમકે બી.કોમ. વીથ સીએ, બીબીએ વીથ સીએ, બીબીએ વીથ સી.એસ., બી.કોમ.વીથ સી.એસ. વગેરે. વિદ્યાર્થીઓ બેકઅપ પ્લાનના ભાગરૂપે આ પ્રકારે સ્ટડી કરે છે. સી.એ. સી.એસ. જેવા કોર્સનું પરીણામ ખૂબ ઓછું આવતું હોય, અન્ડર ગ્રેજ્યુએટ ડિગ્રી સાથે કોમ્બિનેશનમાં CA/CS/ICWA જેવા સર્ટિફિકેશન્સ કરવાનો ટ્રેન્ડ હાલ તુરત નહીં બદલાય એમ નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

Dhiraj Khandelwal, CCM of ICAI tweeted “Based on representation made by ICAI, UGC approved CA/CS/ ICWA qualification equivalent to postgraduate degree. (PDG) . Wow.. it’s a great recognition to our profession.”

The University Grants Commission (UGC) has resolved that the Chartered Accountant (CA), Company Secretary (CS), or Cost and Works Accountant (ICWA) exams will be treated equivalent to a postgraduate degree.

The Institute of Chartered Accountants of India (ICAI) on Monday informed that the UGC has resolved that CA Qualification will be treated equivalent to PG Degree. Candidates who qualify the CA, CS, ICWA exams will now be equivalent to PG holders.

This will not only help CA’s for pursuing higher studies but will also facilitate the mobility of Indian CAs globally.” tweeted ICAI on Monday, 15 March 2021.

March 13, 2021
NEET-1.png
1min858

Jayesh Brahmbhatt 98253 44944

દેશભરમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટે જરૂરી નીટ ૨૦૨૧ પ્રવેશ પરીક્ષા આગામી તા.૧લી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ લેવાની જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે.

ગુજરાતમાં મેડીકલ, ડેન્ટલ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે પણ નીટનો સ્કોર જરૂરી છે.

એમ.બી.બી.એસ. અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની લઘુત્તમ લાયકાત ૫૦ પર્સન્ટાઇલ છે જ્યારે મેરીટની ગણતરીમાં સંપૂર્ણપણે નીટના માર્કસ (પર્સન્ટાઇલ સ્કોર) ધ્યાનમાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા હિન્દી, અંગ્રેજી સમેત કુલ ૧૧ પ્રાદેશિક ભાષામાં લેવામાં આવે છે.

નીટ પરીક્ષા ઓફલાઇન, પેન એન્ડ પેપર મોડથી રાષ્ટ્રવ્યાપી ધોરણે લેવામાં આવે છે.

March 3, 2021
jeemain.png
4min544

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી માર્ચ 2021માં લેવામાં આવનારી જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ઇજનેરી એન્ટ્રન્સ એકઝામ માટે ઓનલાઇન એપ્લિકેશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ધો.12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જો આ પરીક્ષા આપવા માગતા હોય તો તેમણે સત્વરે પોતાની એપ્લિકેશન સબમિટ કરી દેવી જોઇએ.

જેઇઇ મેઇન્સ 2021ના વર્ષથી વર્ષમાં 4 વખત લેવામાં આવશે. ફેબ્રુઆરી 2021ની પરીક્ષા પૂર્ણ થઇ ચૂકી છે. હવે માર્ચમાં તા.15, 16, 17 અને 18 માર્ચ 2021ના રોજ મેઇન્સ -2 લેવામાં આવશે. એ પછી એપ્રિલ અને મે એમ વધુ બે ચાન્સ વિદ્યાર્થીઓ પાસે બાકી રહેશે. વિદ્યાર્થીઓ ચારમાંથી ગમે તેટલી પરીક્ષા આપી શકશે અને જે બેસ્ટ સ્કોર હશે તેના આધારે વિદ્યાર્થીઓનું મેરીટ ગણવામાં આવશે.

The National Testing Agency (NTA) on Tuesday commenced the online application process for the JEE Main March session. The interested candidates can visit the official website of JEE Main — jeemain.nta.nic.in — to submit their application form.

JEE Main March 21 ઓનલાઇન એપ્લિકેશન માટે નીચેની લિંક ક્લીક કરો

https://testservices.nic.in/examsys21/root/home.aspx?enc=Ei4cajBkK1gZSfgr53ImFVj34FesvYg1WX45sPjGXBoodsCAPgItCPvwv6bGBGio

NTA will conduct the JEE Main 2021 second session on March 15, 16, 17, and 18. The exams will be held in two shifts — the first shift from 9.00 am to 12.00 pm and the second shift from 3.00 pm to 6.00 pm.

How to apply online for JEE Main 2021 March session

Candidates can follow the steps given below to apply online for JEE Main 2021 March session.

Step 1: Apply for online registration using your email ID and mobile number.
Step 2: Fill in the online application form and note down the system-generated application number.
Step 3: Upload scanned images of the following:

  • Recent photograph (file size 10Kb – 200Kb) should be either in colour or black & white with 80% face (without mask) visible including ears against white background
  • Candidate’s signature (file size: 4kb – 30kb)
  • Duly verified result awaited attestation form (file size: 50kb to 500kb)
  • Category certificate (SC/ST/OBC/EWS etc.) (file size: 50kb to 300KB)
  • PwD certificate (file size: 50kb to 300kb) in jpg/jpeg format.

Step 4: Pay the JEE main application fee using SBI/Canara Bank/HDFC Bank/ICICI Bank/Paytm Payment Gateway through Debit Card/Credit Card / Net Banking/UPI and keep proof of fee paid.

Candidates are advised to download, save and print a copy of the confirmation page of the application form (which would be downloadable only after successful remittance of fee) for future reference.

February 25, 2021
educationpolicyjpg.jpg
1min569

Gujarat Govt. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7થી 15 જૂન દરમિયાન લેવાની જાહેરાત કરી છે. જ્યારે ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા 19થી 27 માર્ચ દરમિયાન યોજાશે. બોર્ડે દરેક સ્કૂલોને પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્ર બોર્ડના પરિરૂપને ધ્યાનમાં રાખીને, સ્કૂલમાં ચાલેલા અભ્યાસક્રમને આધારે તૈયાર કરવા સૂચના આપી છે. જ્યારે વાર્ષિક પરીક્ષામાં 70 ટકા કોર્સને ધ્યાનમાં રાખી પ્રશ્નપત્ર તૈયાર કરવાનું રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા અને ધો-9 અને 11 ની વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ધોરણ9 થી 12 ની પ્રથમ પરીક્ષા તા. 19મી માર્ચથી 27મી માર્ચ, 2021 તેમજ ધોરણ9 અને 11ની વાર્ષિક પરીક્ષા તા. 7મી જૂનથી 15 જૂન, 2021 સુધીમાં લેવાશે.

સમગ્ર રાજ્યમાં કોરોના મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય થંભી ગયું હતું. હવે વેક્સિન આવી ગઇ છે ત્યારે ધીમે ધીમે શાળામાં પણ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કોવિડ-19ની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો-9થી ધો-12 ની શાળાકીય પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિરૂપ અને ગુણભાર મુજબ તૈયાર કરવા અંગેની કાર્યવાહી શાળા કક્ષાએ કરવા સૂચના આપવામાં આવી છે. જેમાં ધો-9 થી ધો-12 ની પ્રથમ પરીક્ષા માટે જે તે શાળામાં જેટલો અભ્યાસક્રમ ચાલ્યો હોય તે મુજબ બોર્ડ દ્વારા જાહેર કરેલ વાર્ષિક પરીક્ષાના પશ્નપત્રો પરિરૂપના આધારે તેમજ શાળા કક્ષાએ ચાલેલા તમામ પ્રકરણોને યોગ્ય ન્યાય મળે તે મુજબ પ્રકરણ દીઠ ગુણભાર નક્કી કરીને શાળા કક્ષાએ પ્રશ્નપત્રો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

February 24, 2021
jeemain.png
3min651
JEE Main 2021 Notification (Delayed) Exam Dates, Eligibility, Syllabus,

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.

The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.

The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.

The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.

This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.

Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.

According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.

Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.

February 12, 2021
cbse.jpg
1min476

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)એ પોતાના હેઠળની સ્કૂલોને આદેશ આપ્યો છે કે તમે ૯ અને ૧૧ વર્ગના વિદ્યાર્થીઓ વિશેનો લર્નિંગ ગૅપ (વિદ્યાર્થીઓ શું શીખ્યા અને તેમણે કેટલું શીખવું જોઈતું હતું) શોધી કાઢજો અને પછી એને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા બાદ જ કોવિડ-૧૯ને લગતા સલામતીના નિયમોના કડક પાલન સાથે આ બે વર્ગોની પરીક્ષા રાખજો. બોર્ડ દ્વારા માર્ગદર્શિકામાં એવી પણ ભલામણ કરાઈ છે કે નવું શૈક્ષણિક સત્ર પહેલી એપ્રિલે શરૂ થશે.

આ જાણકારી સીબીએસઇના ક્ધટ્રોલર ઑફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે સ્કૂલોના પ્રિન્સીપાલોને પત્રમાં આપી હતી. સ્કૂલોને નવું સત્ર વધુ સુવ્યવસ્થિત બનાવવાની સૂચના પણ અપાઈ છે. ગયા વર્ષે માર્ચમાં કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થતાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ ઑનલાઇન ક્લાસીસ તરફ વળ્યા હતા. જોકે, જૂન મહિનાથી નિયંત્રણો ધીમે-ધીમે દૂર થતાં અમુક રાજ્યોમાં સ્કૂલો આંશિક રીતે ફરી ખૂલવા લાગી હતી. સીબીએસઇએ આ મહિનાની શરૂઆતમાં ૧૦ તથા ૧૨મીના વર્ગો માટેની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું હતું.

January 27, 2021
backtoschool.png
1min570

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.

જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે

January 8, 2021
breaking_CIA-1280x831.jpg
4min876

Jayesh Brahmbhatt 98253 44944

કોરોનાને કારણે 2020ના વર્ષ માટેના IITsમાં પ્રવેશ માટેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફાર 2021ના વર્ષે પણ કન્ટીન્યુ કરવામાં આવ્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે IITsમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (ઓછામાં ઓછા માર્ક) ધો.12માં 75 ટકા હતી. આ નિયમને 2021ના વર્ષ માટે પણ હટાવી દેવામાં આવ્યો છે. કેન્દ્રના શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 2020 બાદ 2021ના વર્ષ માટે (ફક્ત આ વર્ષ પૂરતું) જ ધો.12માં ઓછામાં ઓછા 75 ટકા હોય તો જ IITsમાં પ્રવેશ મળી શકે તેવો નિયમ હટાવવામાં આવ્યો છે.

વધુમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ 4 વખત લેવાની જાહેરાત બાદ મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી છે કે IITsમાં પ્રવેશ માટે જેનું મેરીટ ગણવામાં આવે છે એ IITs એડવાન્સ્ડ પરીક્ષા તા.3 જુલાઇ 2021ના રોજ ઓનલાઇન લેવામાં આવશે. આ પરીક્ષા ઓફલાઇન લેવાની કોઇ જોગવાઇ નથઈ. IITs ખડગપુર દ્વારા લેવાનારી જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા ઇંગ્લિશ ઉપરાંત હિન્દીમાં પણ લેવાશે.

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur

The JEE Advanced 2021 will be conducted in computer-based test mode on July 3 by IIT-Kharagpur in English and Hindi languages, Union Education Minister Ramesh Pokhriyal Nishank said.

In the wake of the coronavirus epidemic, 75 per cent eligibility criterion for admissions to Indian Institutes of Technology (IITs) will be waived this year, he added.

The criteria for admissions to any programme in the IITs includes performance in Class XII or equivalent board examinations, with physics, chemistry, mathematics, one language and any other subject other than the above four.

The CBSE examinations for Class X and XII will be held from May 4 to June 10 and the results announced by July 15. The Joint Entrance Examination Advanced will be taken up thereafter.

The JEE Advanced 2022 will be conducted by IIT-Bombay and JEE Advanced 2023 by IIT- Guwahati.

“The special eligibility criterion for JEE 2021 is for those eligible candidates who registered for JEE Advanced 2020 but could not sit in the exams,” said Nishank.

These students will however have to register again for the 2021 exams and pay the required fees.

The students can use an app developed by the National Testing Agency to take mock tests for practice in the run-up to the JEE exams.

Earlier, the Minister had announced that JEE Mains would be held in February, March, April, and May every year. The JEE Main is slated to be held between February 23 and 26 this year.

January 6, 2021
bhupendrasinh-chudasama-1280x720.jpg
1min449

રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજો શરૂ કરવા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી શાળા અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેરાત કરી છે. 

આજે મળેલી કેબિનેટની બેઠકમાં શાળા અને કોલેજો શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોરણ 10 અને 12, પીજી, યુજીના છેલ્લા વર્ષનું શિક્ષણ કાર્ય શરૂ થશે.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટની બેઠક બાદ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગ 11 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. આગામી અન્ય ઘોરણોના ક્લાસ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે અને સરકાર દ્વારા તેની જાહેરાત કરવામાં આવશે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે. ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.