CIA ALERT

My World Archives - Page 25 of 32 - CIA Live

May 15, 2019
jain-religion.png
1min8870
સુરતમાં તા.30ના સવારે 7-30 કલાકે શ્રીમદ વિજય મુકિતપ્રભસુરિશ્વરજી મહારાજ તથા શ્રી શ્રેયાંસપ્રભસુરીજી મહારાજ આદીઠાણાની નિશ્રામાં રાજકોટની દીકરી મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહ સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ દીક્ષા મહોત્સવ કાર્યક્રમ સુરતમાં ફોનીકસ ટાવર રત્નજયોતિ સર્કલ વીઆઇપી રોડ વેસુ ખાતે યોજાશે. જેમાં ભાવિક મહેતા જતીન બીદ કાર્યક્રમનું સંચાલન કરશે. તા.28 થી 30 યોજાનારા દીક્ષા મહોત્સવમાં જૈન જૈનેતરો ઉમટી પડશે. અંકિતાકુમારીની સાથે સુરતના મુમુક્ષુરત્ના દેવીકુમારી પ્રફુલ્લભાઇ શાહ પણ દીક્ષા અંગીકાર કરશે.
મુમુક્ષુ કુ.અંકિતાકુમારીના દીક્ષા ગ્રહણ નિમિતે રાજકોટમાં રૈયા રોડ જૈન સંઘના આંગણે તા.23 થી 25 એમ ત્રિદિવસીય જીનેન્દ્રભકિત મહોત્સવનું આયોજન કરાયું છે.
તા.23 થી 25 સુધી યોજાનારા મહોત્સવમાં શ્રેયરૂકરી નિશ્રા શ્રીમદ વિજય હર્ષશીલ સુરિશ્વરજી મહારાજ આદિઠાણા તથા શ્રી સ્વયંપ્રભશ્રીજી મ.આદિઠાણા પ્રદાન કરશે.
તા.23ના સવારે નવ વાગ્યે રૈયા રોડ દેરાસરની સાલગિરિ નિમિતે સતરભેદી પૂજા તથા ધ્વજા રોહણ સાંજે 7 વાગ્યે શિતલનાથ જીન પ્રસાદમાં પરમાત્માને ભવ્ય અંગ રચના દીપ રોશની, પુષ્પ શણગાર સહિતની મહાપૂજા થશે.
તા.24ના સવારે આઠ વાગ્યે વરસીદાન યાત્રા બપોરે 3-30 થી 5-30 બહેનોની સાંજી, રાત્રે 8 કલાકે સંયમ સંવેદના તથા વિદાય સમારંભ યોજાશે. તા.25મીએ સવારે 8 કલાકે પરમાત્મા ભકિત સ્વરૂપ શ્રી દશવિધ પતિધર્મ પૂજા ભણાવાશે તેમ દીલીપભાઇ વસાએ જણાવ્યું છે.
દીક્ષા નિમિત્તે યોજાશે સેવાકિય કાર્યો
રાજકોટની દીકરી મુમુક્ષુ કુ.અંકિતાકુમારી તા.30ના સંયમનો શણગાર ધારણ કરી સંસારના તમામ સુખોનો ત્યાગ કરશે. ત્યારે રૈયા રોડ જૈન સંઘ દ્વારા રાજકોટમાં વિવિધ સંસ્થાઓમાં આશરો લેતા લોકોને નિ:શુલ્ક સાડી, ટ્રેકશુટ, લેડીઝ ડ્રેસનું વિતરણ કરાશે. સાથોસાથ ભોજન પણ કરાવાશે. આ માટે મુંબઇના દાતાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.
મુમુક્ષુનો પરિચય
મુમુક્ષુ અંકિતાબેન જયેશભાઇ શાહનો જન્મ મોટી પાનેલીમાં થયો છે. માતાનું નામ જયશ્રીબેન છે. તેઓએ માસ્ટર ઓફ એન્જીનીયરીંગ ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કોલ છે. જ્ઞાન સાધનામાં પંચ પ્રતિક્રમણ સુત્ર સાર્થ, પ્રકરણ ભાસ્યા કર્મ ગ્રંથ, સંસ્કૃત બેબુક, પ્રાકૃત, વૈરાગ્ય, શતક, ઇન્દ્રિય પરાજય શતક, તર્ક સંગ્રહ, વિસીરણ સ્તોત્ર વગેરેનો અભ્યાસ કર્યો છે. 3 વાર સમ્મેત શિખરજીની યાત્રા, સિધ્ધગિરીના 99 યાત્રા તથા જીરાવાલા આદિ અનેક પ્રાચીન તીર્થોની સ્પર્શના કરેલ છે.
May 9, 2019
gurukrupa_logo.jpg
1min8540

સમગ્ર રાજ્યમાં હિન્દી મિડીયમ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ હાંસલ કરી શક્યા જેમાંથી બે વિદ્યાર્થીઓ સુરતના ઉધના સ્થિત ગુરુકૃપા વિદ્યાસંકુલના હિન્દી મિડીયમમાં અભ્યાસ કર્યો છે

સુરતના ઉધના વિસ્તારમાં સૌથી વધુ લોકપ્રિય વિદ્યાસંકુલ, ગુરુકૃપા વિદ્યાસંકુલના ધો.12 સાયન્સ હિન્દી મિડીયમના વિદ્યાર્થીઓએ આજે ગુજરાત બોર્ડના પરીણામમાં મેદાન માર્યું છે.

ગુરુકૃપા વિદ્યાસંકુલનું ધો.12 સાયન્સ હિન્દી મિડીયમનું પરીણામ તો સુરત નહીં ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ છે જ પરંતુ, સમગ્ર રાજ્યમાં કુલ 4 વિદ્યાર્થીઓ હિન્દી મિડીયમમાં એ-વન ગ્રેડ હાંસલ કરી શક્યા છે. આ ચાર વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓ ગુુરુકૃપા હિન્દી મિડીયમના છે.

ગુરુકૃપા વિદ્યાસંકુલના સર્વેસર્વા શ્રી મુકેશભાઇ પટેલે એ જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ વિશ્વકર્મા અશ્વનિ ઉમાશંકર તેમજ મિશ્રા બિપિનકુમાર બિમલકુમારએ અનુક્રમે ગુજરાત બોર્ડમાં ધો.12 સાયન્સમાં 99.82 અને 99.66 માર્કસ મેળવીને એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં શાળાનું નામ રોશન કર્યું છે.

ઉધના વિસ્તારથી લઇને શહેરમાં હિન્દી મિડીયમમાં આમેય ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ક્વોલિટી એજ્યુકેશન આપતી શાળાઓની કમી વર્તાય રહી છે ત્યારે ગુરુકૃપા વિદ્યાસંકુલની હિન્દી મિડીયમ સ્કુલ સતત દર વર્ષે શ્રેષ્ઠ પરીણા આપી રહી છે.

સુરતમાં એ-વન ગ્રેડમાં કઇ સ્કુલના કેટલા વિદ્યાર્થીઓ

  • શાળાનું નામ                           એ-વન ગ્રેડની સંખ્યા
  • આશાદીપ સાયન્સ ભવન            31
  • પીપી સવાણી ગ્રુપ                       12
  • તપોવન વિદ્યાભવન                    05
  • આઇએન ટેકરાવાળા સ્કુલ          04
  • મૌની ઇન્ટરનેશનલ સ્કુલ             04
  • દિપદર્શન વિદ્યાસંકુલ                   04
  • સ્વામીનારાયણ ગુરુકુળ               03
  • સેંટ ઝેવિયર્સ સ્કુલ                        03
  • કૌશલ વિદ્યાભવન                        02
  • માધવબાગ વિદ્યાભવન                02
  • જીવનભારતી                               02
  • એલપી સવાણી સ્કુલ                   02
  • અક્ષરજ્યોત વિદ્યાલય                  02
  • ગુરુકૃપા વિદ્યાભવન (હિન્દી)       02
  • વશિષ્ઠ વિદ્યાલય                          02
  • વિદ્યામંગલ કામરેજ                      01
  • ડીઆર રાણા વિદ્યાસંકુલ             01
  • શારદા વિદ્યાભવન                       01
  • ગજેરા વિદ્યાભવન                        01
  • જયઅંબે વિદ્યાભવન                    05
  • જેબી ડાયમંડ સ્કુલ                      01
  • સીસી શાહ એક્સપેરિમેન્ટલ        01
May 2, 2019
congress.jpg
1min6240

અમારો પક્ષ સત્તા પર આવશે તો મહિલાઓને સંસદના બંને ગૃહ, રાજ્ય વિધાનસભા અને કેન્દ્ર સરકારની નોકરીઓમાં 33 ટકા આરક્ષણ આપશે એવું વચન કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે આપ્યું હતું.

ન્યૂનતમ આય યોજના ‘ન્યાય’ અંગે બોલતા તેમણે કહ્યું હતું કે આ માટેના રૂપિયા અનિલ, નિરવ, વિજય, મેહુલ અને નરેન્દ્ર જેવા લોકો પાસેથી આવશે.

મહારાષ્ટ્રમાં ભાજપના વડપણ હેઠળની સરકાર હોવા છતાં બુધવારે થયેલા નક્સલવાદી હુમલાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષાને મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

મધ્ય પ્રદેશની હોશંગાબાદ લોકસભા બેઠક માટે પિપારિયા ખાતે ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે ‘ન્યાય’ યોજના હેઠળ લોકોને લઘુત્તમ વેતન આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

April 26, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7830

વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા શિક્ષણલક્ષી પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવશે.

સુરત,શુક્રવાર: આદિવાસી સમાજના ધો.-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી સમસ્ત આદિવાસી સમાજ(ગુજરાત)ના સુરત એકમ દ્વારા સુરતમાં આગામી તા.૨૮મીના રોજ સવારે ‌૯-૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી નગર પ્રા.શાળા નંબર-૧, ઓલપાડી મહોલ્લો, ઈન્ડોર સ્ટેડીયમ પાસે, ઘોડદોડ રોડ ખાતે પ્રથમ કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે. જેમાં દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા શિક્ષણલક્ષી પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવશે.

સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદિપભાઈ ગરાસિયા અને અધ્યક્ષશ્રી જી.આર.કોકણી ( નિવૃત્ત IRS) અધ્યક્ષસ્થાને આયોજિત શિબિરમાં તમામ સમાજ સંગઠન મંડળના સભ્યો, કારોબારી સભ્યો, તેમજ બેંક, LIC, પોલિસ, કૃષિ, મેડિકલ, મ્યુ.કોર્પોરેશન, ઓ.એન.જી.સી., જિલ્લા પંચાયત, મહેસુલ વિભાગ, બિઝનેસ, પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત સમાંજબંધુઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા તેમજ કારકિર્દી માર્ગદર્શનની બુકો પણ વિનામૂલ્યે આપવામા આવશે. શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે અંકિતભાઈ પટેલ (૯૯૯૮૮૭૫૩૨૮), મે્હૂલ પટેલ (૯૪૨૭૪૭૩૪૪૪), તેજસ પટેલ (૮૮૬૬૩૪૮૨૩૪)નો સંપર્ક કરવા સમસ્ત આદિવાસી સમાજ માર્ગદર્શન સમિતિની યાદીમાં જણાવાયું છે.

April 11, 2019
travel.jpg
1min15690

રિંગરોડ પર સુંદરમ સ્પેશ ખાતે ટ્રાવેલ એન્ડ ટુરીઝમનો કોર્સ પણ શીખી શકાશે અને શહેરીજનોને પાસપોર્ટ, વીઝા, ટિકીટ બુકિંગ સમેતની તમામ ફેસેલિટીઝ કોર્પોરેટ સર્વિસ સ્વરૂપે ઉપલબ્ધ થશે

શહેરના ખટોદરા સબજેલ સામે રિંગ રોડ પર આવેલા સુંદરમ સ્પેશ બિલ્ડીંગ ખાતે આગામી તા.14મી એપ્રિલને રવિવારથી ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમી તેમજ તેની સાથે ઉચ્ચ દરજ્જાની સર્વિસ પૂરી પાડતા ફ્લાઇટ સેન્ટરનું લોકાર્પણ થઇ રહ્યું છે.

ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્રમાં શહેરમાં જાણીતું નામ શિરીષ પટેલ, સુનિલ ચપટવાલા અને બ્રિજેશ મોદી દ્વારા ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમીની શરૂઆત કરવામાં આવી છે. આ એકેેડેમી શહેરના યુવા ધનને ટ્રાવેલ ટુરિઝમનું શિક્ષણ તો આપશે જ સાથે સાથે શહેરીજનોને પાસપોર્ટ, વીઝા, એરટિકીટ બુકિંગ, ટુર પેકેજ, ટ્રાવેલિંગ આસિસ્ટન્સ વગેરેની સુવિધાઓ પણ આકર્ષક દરે પૂરી પાડશે. ખાસ બાબત એ છે કે ગ્રુપ ટ્રાવેલિંગ, ગ્રુપ ટૂર્સ, ગ્રુપ પેકેજિસના સૌથી સસ્તા દરો પણ ફ્લાઇટ સેન્ટર દ્વારા જ પૂરું પાડવામાં આવશે.

ઇન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમીમાં શું શીખવાશે

ઇન્ટરનેસનલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એકેડેમી હાલમાં શહેરના યુવાધનને બે કોર્સ ઓફર કરી રહી છે. જેમાં એક, છ મહિનાની અવધિ ધરાવતો ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ તથા દ્વિતીય કોર્સ છ મહિનાનો ટ્રાવેલ એજન્સી મેનેજમેન્ટ એજ્યુકેશન. આ બન્ને કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ઉમેદવારોને છ મહિનાની ઓન જોબ ટ્રેનિંગ એટલે કે પગાર સાથેની ટ્રેનિંગ પણ એકેડેમી પૂરી પાડશે. ટૂંકમાં કહીએ તો ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીમાં બિઝનેસ કરવા માટે સૌથી બેસ્ટ એજ્યુકેશન અહીં ઓફર કરવામાં આવશે.

 

April 8, 2019
ipl-2019-min-1024x585.jpg
1min12110

20 ઓવરમાં 150ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે મેચના 7 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી હતી. શ્રેયસ અય્યરે ફરી એકવાર કેપ્ટનશિપ ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા.

IPL 2019: બેંગ્લોરની સીઝનની સતત છઠ્ઠી હાર

હાર વિરાટ કોહલની ટીમનો પીછો છોડવાનો પીછો છોડવા માગતી નથી. દિલ્હી સામે ઘર આંગણે રમાયેલી મેચમાં બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો હતો. 20 ઓવરમાં 150ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે મેચના 7 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી હતી. શ્રેયસ અય્યરે ફરી એકવાર કેપ્ટનશિપ ઈનિંગ રમતા 67 રન બનાવ્યા હતા. જ્યારે રબાડાએ 4 વિકેટ ઝડપીને વિરાટ એન્ડ ટીમને સસ્તામાં આઉટ કર્યા હતા.

દિલ્હી કેપિટલ્સે ફરી એકવાર જીત પોતાના નામે કરી છે. શ્રેયસ અય્યરે 50 બોલમાં 67 રન બનાવ્યા હતા જેના કારણે ટીમ પર કોઈ પ્રેશર બન્યુ હતુ નહી અને જીત મેળવી હતી. બેગ્લોર તરફથી માત્ર નવીનદિપના નામે 2 વિકેટ રહી હતી આ સિવાય સાઉથી, સિરાજ, મોઈન અલી, પવન નેગીને 1-1 વિકેટ મળી હતી.

દિલ્હીએ બેંગ્લોરની ટીમને પહેલા બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. સતત વિકેટ પડવાના કારણે બેંગ્લોર મોટા ટાર્ગેટ સુધી પહોચી શકી હતી નહી. વિરાટ કોહલીએ 33 બોલમાં 41 રનની કેપ્ટનશિપ ઈનિંગ રમી હતી. આ સિવાય માત્ર મોઈન અલી સારુ પ્રદર્શન કરતા 18 બોલમાં 32 રન બનાવ્યા હતા જેના કારણે 149 રનના ટોટલે ટીમ પહોચી હતી જો કે દિલ્હી કેપિટલ્સે તેને આસાનીથી ચેઝ કર્યો હતો. આ બેંગ્લોરની સતત છઠ્ઠી હાર છે. ટુર્નામેન્ટમાં આગળની સફર ટીમ માટે ખુબ મુશ્કેલ રહેશે.

April 8, 2019
josef.jpg
1min13930

મુંબઇ ઇન્ડિયન્સના કેરેબિયન યુવા ઝડપી બોલર અલ્જારી જોસેફે હૈદરાબાદ સામે માત્ર 12 રનમાં 6 વિકેટ લઇને આઇપીએલનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. 137 રનના મામૂલી વિજય લક્ષ્યાંક સામે હૈદરબાદની ટીમ અલ્જારીની કાતિલ બોલિંગ સામે 96 રનમાં ડૂલ થઇ ગઇ હતી. આથી મુંબઇનો 40 રને સરળ વિજય નોંધાયો હતો.
અલ્જારી જોસેફે 3.4 ઓવરમાં 12 રન આપીને 6 વિકેટ લીધી હતી. આથી તે આઇપીએલના પદાપર્ણ મેચમાં શ્રેષ્ઠ દેખાવ કરનારો બોલર બની ગયો હતો. તેણે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. આ પહેલા આઇપીએલની પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સના પાકિસ્તાની બોલર સોહેલ તનવીરે તેના પહેલા મેચમાં 14 રનમાં 6 વિકેટ લીધી હતી. આ સૂચિમાં ત્રીજા સ્થાને આદમ જમ્પા છે. તેણે પદાર્પણ મેચમાં 2016માં રાજસ્થાન તરફથી રમતા હૈદરાબાદ સામે 19 રનમાં 6 વિકેટ લીધી હતી. 2009માં આરસીબીના અનિલ કુંબલેને તેના આઇપીએલ ડેબ્યૂ મેચમાં રાજસ્થાન સામે પ રનમા પ વિકેટ લીધી હતી. જ્યારે ઇશાંત શર્માએ 2011માં ડકકન ચાર્જર્સ તરફથી આઇપીએલનો ડેબ્યૂ મેચ રમીને 12 રનમાં પ વિકેટ લીધી હતી.
હૈદરાબાદ સામેની જીત બાદ અલ્જારી જોસેફે જણાવ્યું કે મારા માટે આ સપના સમાન શરૂઆત છે. આથી વધુ સારી શરૂઆતની આશા પણ કરી શકું નહીં.
April 4, 2019
Gujarat-University.jpg
1min12810

ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડૉ. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઇન્ટરનલ કમ્પેલન કમિટીએ બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરતાં આ રિપોર્ટના આધારે તેમની સામે એકશન લઈ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

એક વિદ્યાર્થિનીએ ડૉ. ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું આઈસીસીને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈનકાર કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઑફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડી.ની વિદ્યાર્થિની સાથે ડૉ. વશિષ્ઠ ભટ્ટે જાતિય સતામણી કરી હોવાની ફરીયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરી હતી. જાતીય સતામણીની ફરીયાદ બાદ ઇન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી તેનો રિપોર્ટ યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં બુધવારે રજૂ કરવામાં આવ્યો હતો જેને લઈને નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિધાર્રિત કરવામાં આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી.

March 22, 2019
gst.jpg
1min14270
  • નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક
  • અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી

નાણાકીય વર્ષ 2017-’18ની કોઈ ઈનપુટ ટેક્સ ક્રેડિટ બાકી હોય તો તે ક્લેમ કરવાની આ છેલ્લી તક છે. કરદાતાઓએ વર્ષ 2017-’18 અને 2018-’19ના તેમના જીએસટીઆર-2એ રિટર્ન ચેક કરવા જોઈએ અને જો તેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ જમા હોય અને અગાઉના કોઈ જીએસટીઆર-3બીમાં તે ક્રેડિટ ક્લેમ કરવામાં ના આવી હોય તો 31 માર્ચ સુધીમાં તે ક્લેમ કરવી જોઈએ. વર્ષ 2018-’19ની પેન્ડિંગ આઇટીસી સપ્ટેમ્બર 2019 સુધીમાં ક્લેમ કરી શકાય છે પરંતુ કરદાતાઓ માર્ચ 2019ના જીએસટીઆર-૩બીમાં જ તે ક્લેમ કરી લે તે સલાહભર્યું છે.

અગાઉ બિઝનેસે ઈનવોઇસ જનરેટ કર્યાં હોય, ટેક્સ ભર્યો હોય અને રિટર્ન ભર્યાં હોય તેના આધારે આઇટીસી ક્લેમ મંજૂર થતા હતા પરંતુ હવે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે (સીબીઆઇસી) એવો આદેશ કર્યો છે કે જીએસટીઆર-2 સાથે Input Tax Credit આઇટીસી ક્લેમ મેચ થવા જરૂરી છે.

સપ્લાયરોએ રિટર્ન ફાઇલ કર્યાં હોય તેના આધારે જીએસટીઆર-2 તૈયાર થાય છે, જે સિસ્ટમ જનરેટેડ છે. જીએસટી અમલીકરણના પ્રથમ નાણાકીય વર્ષ (જુલાઈ 2017થી માર્ચ 2018)ની બાકી આઇટીસી ક્લેમ કરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2018 હતી તે લંબાવીને 31 માર્ચ કરવામાં આવી છે.

જો અગાઉના કોઈ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં ભૂલ થઈ હોય અથવા ખોટી કે અધૂરી માહિતી અપાઈ હોય તો તે પણ માર્ચ મહિનાના જીએસટીઆર-3બી રિટર્નમાં સુધારી લેવી જરૂરી છે જેથી વાર્ષિક સમરી સાથે જીએસટીઆર-3બી મેચ થઈ શકે.

March 19, 2019
Event-cover.jpeg
1min19170

જો તમે રોજીંદા જીવનમાં કરિઅર-ઈન્કમ અંગે કઈક નવા મુકામ હાસલ કરવા માંગતા હોવ તે ઉપરાંત જો તમે ફ્રી ટાઈમનો ઈફેક્ટિવ ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તે સાથે જો એવું ઈચ્છતા હોવ કે તમે ટેકનોલોજી અથવા તો ડિજીટલ યુગ સાથે કદમ મેળવીને આગળ વધો તો આ જાણકારી તમારા માટે અનહદ અગત્ય તેમ જ ફાયદાકારક પણ છે.

આ જાણકારી છે, ફ્રી સેમીનાર અંગેની, જે સેમીનાર પાવર ઓફ  ડિજીટલ માર્કેટીંગના વિષય પર આયોજીત છે. આ સેમિનાર 24, 28, અને 31 માર્ચ એટલે કે 3 અલગ-અલગ દિવસો માટે આયોજીત છે, જેથી કરીને જો તમે કોઈ એક તારીખે આ સેમિનારની તક ચૂકી જાવ છો તો તમે બીજા સેમિનારમાં હાજરી આપીને આ તકનો લાભ મેળવી શકો છો.

આ દરેક સેમિનાર ફ્રી છે, પરંતુ રજીસટ્રેશન ફરજીયાત છે. આ સેમીનાર દરેક વ્યક્તિને ડિજીટલ ઈન્ડિયાના કોન્સેપ્ટ માં ડિજીટલ શબ્દની અગ્રમ્તા સમજાવવા માટે ઓયોજીત કરવામાં આવ્યો છે. અને આ ડિજીટલ શબ્દના અગત્ય ફાયદા અંગે જાણકારી આપવા માટે પણ છે. આ શબ્દ વડે દરેક વ્યક્તિને કેટલો ફાયદો થઈ શકે છે એ જણાવામાં આવશે.

આ સેમીનાર દરેક વ્યક્તિને આજના સમયમાં સશક્ત કરવા માટે રાખવામાં આવ્યો છે.  આ સેમીનારને ફ્રી રાખવા માટેનો ધ્યેય સામાજીક રીતે દરેક વ્યક્તિ આ સેમીનારનો લાભ લઈ શકે એ છે.  આ સેમીનારની વક્તા ફોરમ માર્ફતિયા પટેલ છે કે જેઓ ઓન્લાઈન યુગ નામની ડિજીટલ માર્કેટિંગ કંપનીના કો-ફાઉન્ડર છે, તેઓ સોશિયલ મીડિયા માર્કેટિંગમાં નિષ્ણાંત છે તે ઉપરાંત ઈન્ડિયન ટ્રેનર અશોશિયેન દ્રારા તેમને સર્ટિફાઈડ ટ્રેનરની પદવી પણ આપવામાં આવી છે. આ સેમીનાર વડે ફોરમ માર્ફતિયા પટેલ  નીચે મૂજબના મુદ્દા અંગે એકસ્પર્ટ ટોક-વાતો કરશે.

ડિજીટલ માર્કેટિંગ અવેરનેસ, ડિજીટલ માર્કેટિંગના અનહદ અગત્ય ફાયદા, ડિજીટલ માર્કેટિંગ વડે કોઈપણ વ્યક્તિ વ્યવસાયમાં વૃદ્ધિ મેળવી શકે છે.

ડિજીટલ માર્કેટિંગ માત્ર માર્કેટિંગનું સાધન જ નથી પણ એક બિઝનેસને બ્રેન્ડ બનાવવા માટે આવશ્કય છે. ડિજિટલ માર્કેટિંગ એક એવો બ્રહ્માસ્ત્ર છે જે આપણા બિઝનેસને અલગ ઉંચાઈઓ પર પહુંચાડે છે. આ સેમિનારમાં ડિજિટલ માર્કેટિંગ ટેક્નિક સાથે સાથે આપણા બ્રાન્ડની ઇમેજ લોકોમાં કેવી રીતે પ્રખ્યાત કરવી તેની ટિપ્સ આપવામાં આવશે.. શું તમે જાણો છો કે આપડે આખા દિવસ દરમિયાન અવરેજ 3 કલાક સોશ્યિલ મીડિયા માં અને 6 કલાક ડિજિટલ ગૅજેટ્સની સાથે આપડો સમય પસાર કરીએ છે. 2021 સુધી ભારતમાં 88 કરોડ થી વધુ મોબાઇલ યુઝર્સ થવાંના છે. હવે આપણે ખબર વાંચવા કે આમંત્રણ આપવા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટટર અને બીજી બધી એપ્લિકેશન નો ઉપયોગ કરીયે છે. ગૂગલની મદદથી હવે આપણે અજાણ્યા જગ્યા પર પણ સહેલાઈથી પહોંચી શકીયે છીએ. આપડા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ પણ ડિજિટલ ઇન્ડિયા ને ખુબ સપોર્ટ કર્યો છે. જો અગર આપણે આ લોકપ્રિય પ્લેટફોર્મ્સ વડે આપણા બીઝનેસની ડિજિટલ માર્કેટિંગ કરીયે તો આપણું બિઝનેસનો પણ ઘણો વિકાસ થઇ શકે છે.

ડિજિટલ માર્કેટિંગના ક્ષેત્રમાં SEO, SEM, EMAIL MARKETING, AFFILIATE MARKETING, BLOGGING, વગેરે ખુબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.આ ક્ષેત્રમાં ફક્ત ઉદ્યોગકર્તાઓ જ નહિ પરંતુ કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા ગૃહિણીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે તેમજ ડિજિટલ માર્કેટિંગ કરવા માટે તમને ઓફિસની જરૂર પડતી નથી. જરૂર પડે છે

ફક્ત સ્માર્ટ ફોન અથવા લેપટોપની. ડિજિટલ માર્કેટિંની એ ખાસિયત છે કે તમે ફક્ત એક ક્લિકથી લાખો લોકો સુધી પહોંચી શકો છો. આ ફિલ્ડમાં તમને ઉચ્ચ ડિગ્રીની કે મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી અને એમાં કોઈ ઉંમરની સીમા નથી. જરૂર પડે છે તો બસ સીખાવાની ધગસની.

આથી એ તમામ વ્યક્તિ જેઓ ડિજીક્ટ માર્કેટિંગ ક્ષેત્રે કઈ હાસલ કરવા માંગતા હોય તેમણે આ ટક જતી ન કરવી જોઈએ.

સેમિનારમાં સહભાગી થવા માટે સંપર્ક કરો 9574750077.