CIA ALERT

My World Archives - Page 24 of 32 - CIA Live

August 17, 2019
kp4-1280x868.jpg
1min7850
સર કે.પી. કોલેજ ઓફ કોમર્સના ઉપક્રમે યોજવામાં આવેલા અધ્યાપિકા શ્રીમતી સ્વાતિબેન મહેતા લિખિત વાર્તાઓની સાભિનય અભિવ્યક્તિ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો દ્રશ્યમાન છે.

સુરતની જાણીતી કે.પી.કોમર્સ કોલેજમાં કોલેજની સાંસ્કૃતિક સમિતિ અને સ્વર્ણિમ ગુજરાતની જ્ઞાનધારા હેઠળ વાર્તાઓની સાભિનય રજૂઆતના સંદર્ભમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. 

દિપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાયો

કોલેજના નિવૃત અધ્યાપક ડૉ. સ્વાતિબેન મહેતા લિખિત તેમજ અનુવાદિત વાર્તાને સુરતના જાણીતા કવિયત્રી,કલાકાર શ્રીમતી યામીનીબેન વ્યાસ અને જાણીતા દિગ્દર્શક,વક્તા શ્રી નરેશભાઈ કાપડીયાએ એકપાત્રિય અભિનય દ્વારા કુલ ત્રણ વાર્તાઓને મચ પર ખૂબ સરસ રીતે રજૂ કરવામાં આવી હતી.

જમણી બાજુએ જેમણે લખેલી વાર્તાઓની સાભિનય અભિવ્યક્તિનો કાર્યક્રમ યોજાયો હતો એ નિવૃત અધ્યાપિકા શ્રીમતી સ્વાતિબેન મહેતા અને તેમની સાથે કે.પી. કોલેજના આચાર્યા દ્રશ્યમાન છે.

ભજવવામાં આવેલી પ્રત્યેક વાર્તા વિશે લેખિકા સ્વાતિબેને વાર્તાની પૃષ્ઠભૂમિ વિશે શ્રોતાઓને રજૂઆત કરી હતી.

પોતાની વાર્તાઓની સાભિનય અભિવ્યક્તિ પ્રસંગે ઋુણ સ્વીકાર કરતા સ્વાતિબેન મહેતા

આચાર્યા ડૉ. માર્ટીનાબેન નરોન્હા એ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું . કોલજના સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ પ્રો.સ્મૃતિબેન દેસાઈએ મહેમાનોનો પરિચય આપ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર્ડા. બીનીતાબેન ઘીવાળાએ કર્યું હતું..પ્રસ્તુત કાર્યક્રમનું રેકોર્ડીંગ you tube પર પણ મુકવામાં આવ્યું છે..

August 15, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8540
બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાન એ સ્વતંત્રતા પર્વે અનેરું સાહસ ખેડીને સોનગઢથી બારડોલી સુધીના 73 રનિંગ કિલોમીટર લાંબા રૂટ પર નોનસ્ટોપ સ્કેટિંગ ચલાવીને વિક્રમ સર્જ્યો છે.

આજકાલ કેટલો ડિજિટલ જમાનો છે… છોકરાઓ રડે તો આપણે એમને ફોન આપી દઈએ છીએ, છોકરી કે છોકરો જમે નહીં તો ફોન આપી દઈએ છીએ, ઘણી વખત તો મમ્મી કે પપ્પા પોતે કામમાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકોને ફોન આપી પોતે સ્વતંત્ર થઈ જાય છે. ‘બહાર રમવા નથી જવાનું લે આ મોબાઈલ લે’ આવા શબ્દો નો પ્રયોગ આજકાલ વધી રહ્યો છે?

બારડોલીના સાગર ઠાકર તેમના પુત્રો રુદ્રાક્ષ અને રિધાનએ 14મી ઓગસ્ટ એ વ્યારાથી શરુ કર્યું હતું મિશન લોંગેસ્ટ સ્કેટિંગ

મોબાઇલથી થતી માઠી અસરથી આપણે સૌ પરિચિત છીએ, એના માટે કોઈ લાંબો લેખ લખવાની જરૂર નથી. બાળકોની કેળવણીમાં આજકાલ મોબાઈલ ખૂબ અગત્યનો બનતો જણાતો જાય છે? શું મોબાઈલ વગર બાળકોને કોઈ બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત ના રાખી શકાય? બાળકોને મોબાઈલથી દૂર રાખવાં માટે બાળકોને મનગમતી પ્રવૃત્તિ કરાવી શકાય. પિતા એક એવા વ્યક્તિ હોય છે જે પોતાના બાળકોને પોતાનાથી એક ડગલું આગળ જોવા ઇચ્છતા હોય છે, પિતાનું અનુકરણ બાળકો હંમેશા કરતા હોય છે તેથી જ પિતાની એક ફરજ છે કે બાળકોને કંઈક એવી પ્રવૃત્તિ તરફ વળાવવા કે તેઓમાં નાનપણથી જ સાહસ અને ધગશ બંને વધે. આ કોન્સેપ્ટ ને ધ્યાનમાં રાખી સરદાર નગરી બારડોલીનો એક સાહસિક યુવાન સાગર ઠાકર પોતાનાં બે નાના બાળકો રુદ્રાક્ષ_ઠાકર (ઉંમર ૯ વર્ષ) અને રિધાન_ઠાકર (ઉંમર ૬ વર્ષ) બંને ને સાથે લઈને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો જ્યારે ૭૩ મો સ્વાતંત્રતા દિન મનાવી રહ્યા હતા ત્યારે સાગર ઠાકર બંને બાળકો સાથે ૭૩ km નું અંતર સ્કેટિંગ દ્વારા કાપી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરવા કરવાનું સાહસ ખેડી રહ્યા હતા

બારડોલીના સાગર ઠાકર અને તેમના પુત્રો રૂદ્રાક્ષ અને રિધાનએ ગઇકાલ, બુધવાર, ૧૪મી ઓગષ્ટ ના દિવસે વ્યારા મુકામેથી શરૂ કરી સોનગઢ થઈ બારડોલી ખાતે નિર્વિધ્ને પરત ફર્યા હતા.

July 26, 2019
CIA_Live_Logo_New2.jpg
2min6410
શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો
શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો

આજે તા.26 જુલાઇ ભારતમાં કારગીલ વિજય દિન તરીકે ઉજવવામાં આવે છે. આજના આ પ્રસંગે શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી. સમગ્ર વરાછા રોડ પર આ રેલી પુષ્પાંજલિ કાર્યક્રમની સાથે જનજાગૃતિ અભિયાન સમાન બની હતી.

આજના રોટરેક્ટના આ પ્રોજેક્ટના ચેરમેન રો.સતીષ ભાઈ વઘાસીયા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો

કાર્યક્રમની સાથે જ હાલ ચોમાસાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કાર્યક્રમ પણ રોટરેક્ટ સુરત ઇસ્ટ પરિવારે શોર્ટ નોટિસમાં સફળ આયોજન કર્યું હતું. જેમાં રો.હિરેન અભંગી દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા.

શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો

રોટરેક્ટ સુરત ઇસ્ટના આ કાર્યક્રમમાં મેમ્બર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ ઉપરાંત વરાછઆ રોડની અનેક સંસ્થાઓ, જેવી કે રોટરી ક્લબ, ઇનરવ્હીલ ક્લબ ,આશાદીપ સ્કૂલ, સોશીયલ આર્મી વગેરેના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાની તસ્વીરો
શહેરના વરાછા રોડ પર જય જવાન નાગરિક સમિતિ પ્રેરિત રોટરેક્ટ સુરત ઈસ્ટ દ્વારા આયોજીત વીર શહિદો ને પુષ્પાંજલિ અંતર્ગત એક પ્રભાવક રેલી કાઢવામાં આવી હતી, એ વેળાએ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલના શ્રી મહેશભાઇ રામાણીએ મિડીયા મિત્રોને સંબોધન કર્યું હતું.
July 12, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5940

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા બુધવારે,તા. 10 જુલાઇ ર019ના રોજ સાંજે 4:00 કલાકે નાનપુરા સમૃદ્ધિ ખાતે ‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ. આ પુસ્‍તકમાં ચેમ્‍બર દ્વારા વર્ષ 1989થી આજદિન સુધી સુરત શહેરને એરપોર્ટ અપાવવા માટે કરેલા પ્રયાસોનો ચિતાર રજૂ કરવામાં આવ્‍યો છે. ચેમ્‍બરના પ્રમુખ તથા હોદ્દેદારો, ભુતપુર્વ પ્રમુખો અને ચેમ્‍બરની મેનેજિંગ કમિટીના સભ્‍યોના હસ્‍તે પ્રેસ એન્‍ડ મિડીયાની હાજરીમાં આ પુસ્‍તકનું વિમોચન કરવામાં આવ્‍યુ હતુ.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ આ પ્રસંગે સર્વેને આવકાર્યા હતા અને પ્રારંભિક ઉદ્‌બોધનમાં જણાવ્‍યુ હતુ કે, ચેમ્‍બર તથા અન્‍ય સંસ્‍થાઓના વર્ષોના ખૂબ અથાગ પ્રયાસો થકી જ નાની જગ્‍યામાંથી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ધમધમતું કરી શકયા છીએ.ચેમ્‍બર દ્વારા આ પ્રયાસને પુસ્‍તકમાં સમાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. ચેમ્‍બરના ભુતપુર્વ પ્રમુખશ્રી રજનિકાંત મારફતિયાએ શરૂઆતથી જ એરપોર્ટ માટેનું કામ કરી તેને સાકાર બનાવ્‍યુ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ભુતપુર્વ પ્રમુખશ્રી રજનિકાંત મારફતિયાએ જણાવ્‍યુ હતુ કે, આજથી 30 વર્ષ પહેલા ચેમ્‍બર દ્વારા સુરતને એરપોર્ટ અપાવવા માટેનો પ્રયાસ શરૂ કરવામાં આવ્‍યો હતો અને ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના સૂચનોને સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાએ સ્‍વીકાર્યા હતા.

સુરતમાં ઈન્‍ટરનેશનલ ટ્રાફિક થઇ શકે તે વાત ચેમ્‍બર દ્વારા એરલાઇન્‍સ અને ઓથોરિટીને સમજાવવામાં આવી હતી. અંતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશના પ્રયાસોથી આજે ઈન્‍ટરનેશનલ ફલાઇટ પણ સુરતથી શરૂ કરી શકયા છીએ.

ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી મનોજ સિંગાપુરીએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્‍બરના માનદ્‌ મંત્રી શ્રી ધીરેન થરનારીએ પુસ્‍તક માટે સહયોગી બનનાર શ્રી મહેશભાઇ અને શ્રી કિરીટભાઇ ગાંધી તેમજ પ્રેસ એન્‍ડ મિડીયા સહિત સર્વેનો આભાર માન્‍યો હતો અને ત્‍યારબાદ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકમાં આલેખવામાં આવેલી બાબતોના મુખ્‍ય મુદ્દાઓ નીચે મુજબ છે.

ગુજરાત સરકારે વર્ષ 1948માં સચિનના નવાબ થકી વારસામાં મળેલી સુરત એરપોર્ટ અંગેની જગ્‍યાનો કબજો લઇ એરપોર્ટ ચાલી શકે એ અંગે પોતાના પ્રયત્‍ન શરૂ કર્યા હતા અને એના ભાગરૂપે જાગૃત નાગરિકોની માંગણીને માન આપીને ગુજરાત ફલાઈંગ કલબની પ્રવૃત્તિ સુરત ખાતે શરૂ કરવા પ્રોત્‍સાહન આપી વર્ષ 1968માં જરૂરી જમીન ફાળવી રનવે બનાવી આપ્‍યો હતો. ફલાઈંગ કલબની પ્રવૃત્તિ વર્ષ 197રમાં બંધ થતા ગુજરાત સરકારે પોતે કાર્યવાહી હાથમાં લઇ વધુ જમીન સંપાદન કરી તથા રનવેને પણ વિસ્‍તારવાનું કામ ચાલુ કર્યુ હતુ.

નાણાંના ટાંચા સાધનોને કારણે એરપોર્ટ વિકસાવવું મુશ્‍કેલ હતુ છતાં પણ સરકારના પ્રયત્‍નથી સફારી એરવેઝની પ્રથમ સર્વિસિસ સુરત – ભાવનગર – અમદાવાદ વચ્‍ચે શરૂ કરવા સફળતા મળી હતી. આ પ્રવૃત્તિ ત્રણ વર્ષ બાદ બંધ થઇ ગઇ હતી. ઘણા વર્ષો સુધી એરપોર્ટના વિકાસ અંગે ખાસ કોઇ પ્રવૃત્તિ થઇ શકી ન હતી. આથી વર્ષ 1989થી ધી સધર્ન ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સે સુરત શહેરને એરપોર્ટ આપવાની પોતાની ફરજ સમજીને તે દિશામાં નકકર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વર્ષ 1989માં ચૂંટાયેલા સાંસદ શ્રી કાશીરામ રાણાનો પણ ઉત્‍સાહી સપોર્ટ મળ્‍યો હતો.

સુરત એરપોર્ટના સર્વાંગી વિકાસ વ્‍યવસ્‍થિત થાય એ માટે ગુજરાત સરકારે એક રિપોર્ટ રાઇટ્‍સ કંપની પાસે તૈયાર કરાવડાવ્‍યો હતો. જેમાં પ્રોજેકટ ફિઝીબીલિટી, ટ્રાફિકના આંકડાઓ તથા ર0 વર્ષના વિકાસની વાતો વિસ્‍તૃતપણે જણાવવામાં આવી હતી. આ રિપોર્ટથી ઈન્‍ટરેસ્‍ટેડ આંત્રપ્રિન્‍યોર સાથે વાતચીત કરવાનું સરળ થયુ અને કેટલાક એનજીઓ સાથે આના આધારે વાતચીત શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઇ નકકર પરીણામ આવ્‍યુ ન હતુ.

1999માં ગુજરાત સરકારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયા સાથે રહી સુરતની એરપોર્ટનું માળખું કેવી રીતે વિકસાવવું તે અંગે એક કમિટી બનાવવાનું સૂચન કર્યુ હતુ. જેથી રામલીંગમ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી અને ગુજરાત સરકારના નિષ્‍ણાતો હતા. આ કમિટી રિપોર્ટને આધારે સુરતના એરપોર્ટનો વિકાસ કાર્યક્રમ થયો છે.

અત્રે એ નોંધવું જરૂરી છે કે 1989થી 1999 સુધીના ગુજરાત સરકાર તથા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્‍ડીયાના તમામ કામોમાં ચેમ્‍બરને સાથે રાખવામાં આવી હતી અને તેના સૂચનો આમેજ કરવામાં આવ્‍યા હતા. 1989થી ર019 સુધીના 30 વર્ષ દરમિયાન ચેમ્‍બરના જુદા-જુદા પ્રમુખશ્રીઓએ કરેલી કામગીરી વિગતવાર આ પુસ્‍તકમાં આપેલી છે.

ચેમ્‍બર તથા ગુજરાત સરકારના સઘન પ્રયાસોથી સુરતને સફારી એરલાઇન્‍સ, વાયુદુત, ગુજરાત એરવેઝ, ડકકન એરવેઝ, એનઇપીસી વિગેરે એરલાઇનોની સવલતો મળી હતી. પરંતુ એ બધી જ નબળા ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને કારણે ટૂંકજીવીની નીવડી હતી. ગુજરાત સરકાર પાસે નાણાંની ખૂબ જ મર્યાદિત સગવડ હોવાથી ચેમ્‍બરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રાજકીય દબાણ ઉભો કરવાનો પ્રયત્‍ન કર્યો હતો. જેને કારણે જે તે સમયે ગુજરાત સરકારના માનનીય મુખ્‍યપ્રધાન શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદીએ સુરત એરપોર્ટની જમીન, બાંધકામ સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાને સુપરત કરવાનો એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેને કારણે સુરત એરપોર્ટનો વિકાસ ખૂબ જ શિસ્‍તબદ્ધ અને સમયબદ્ધ થઇ શકવાના સંજોગો ઉભા થયા હતા. એ અંગેના એમઓયુ થતા પ્રોપર્ટી હસ્‍તાંતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને એરપોર્ટના વિકાસની વિગતો ઝડપથી તૈયાર કરવામાં આવી હતી.

સરકાર બદલાતા શ્રી પ્રતાપસિંહ રૂડીની જગ્‍યાએ શ્રી પ્રફુલ પટેલ આવતા વિકાસનો દોર તેમના હાથમાં આવતા એમણે નવો પ્‍લાન તૈયાર કર્યો હતો. તેમાં ઘણો વિલંબ થયો હતો અને કામ શરૂ થયા બાદ પણ ઘણી રૂકાવટો બાદ ખૂબ પ્રેશરને વશ થઇ, કોન્‍ટ્રાકટરની ફેરબદલી કરીને આખરે રર10 મીટરનો રનવે તૈયાર કરાવી એર ઇન્‍ડીયાની દિલ્‍હી – સુરતની પ્રથમ ફલાઇટ તા. 7 મે ર007ના રોજ ચાલુ કરી હતી. આ અંગે સુરત ચેમ્‍બર ઓફ કોમર્સે કરેલા પ્રયત્‍ન અને સહાયને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાએ બિરદાવી હતી. જયારે એરપોર્ટ બિલ્‍ડીંગનું કામ વર્ષ ર009માં પૂર્ણ કરવામાં આવ્‍યુ હતુ અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી દિનશા પટેલના હસ્‍તે સુંદર સમારંભમાં શુભારંભ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારે પણ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રયત્‍નને સવિશેષ નવાજવામાં આવ્‍યા હતા.

આમ એરપોર્ટના વિકાસનો પહેલો તબકકો પુરો થયો હતો, જે પૂર્ણ કરવામાં ભુતપુર્વ મંત્રી અને સાંસદ શ્રી કાશીરામભાઇ રાણા, શ્રી જીવાભાઇ પટેલ, શ્રી પ્રમોદભાઇ ચૌધરી તથા શ્રીમતી સવિતાબેન શારદાનો સઘન ફાળો રહયો હતો.

હવે વધુ કનેકટીવિટી અંગેના પ્રયાસો શરૂ થયા હતા. ચેમ્‍બર તથા સાંસદ શ્રી સી. આર. પાટીલ અને શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ અન્‍ય સંસ્‍થાઓના પ્રયત્‍નથી સ્‍પાઇસ જેટની દૈનિક દિલ્‍હી-સુરત-મુંબઇની ફલાઇટની શરૂઆત થઇ. એરપોર્ટમાં બાંધકામની કેટલીક ખામી અને ભેંસના અકસ્‍માતથી નવી ફલાઇટો આવતી બંધ થઇ હતી. દરમિયાન વેન્‍ચુરા કનેકટે પોતાની ફલાઇટ શરૂ કરી એક મહત્‍વનું પગલું ભર્યુ હતુ.

એરપોર્ટના બાંધકામની ખામી સુધારવા અંગે ચેમ્‍બરે કરેલા સૂચનને સ્‍વીકારી એરપોર્ટ વિસ્‍તરણ અને રિપેરીંગનું કામ સાથે જ શરૂ કરાયુ જે પુર્ણ થતા પણ લગભગ ત્રણ વર્ષનો સમય થયો અને સ્‍પાઇસ જેટે પણ પોતે બંધ કરેલી ફલાઇટ ફરી શરૂ કરી અને એર ઇન્‍ડીયાએ પણ પોતાની દિલ્‍હી – સુરતની ફલાઇટમાં વધારો કર્યો હતો. આ અંગે એર ઇન્‍ડીયાની દિલ્‍હી – સુરત ફલાઇટ માટે મોટું પ્‍લેન મળે એ અંગે સાંસદ શ્રી સી.આર. પાટીલે ખૂબ જ હિંમતભર્યુ પગલું ભરી ગેરંટી આપીને પણ ફલાઇટ ચાલુ કરવાનું બીડુ ઝડપ્‍યુ હતુ અને આમ ટ્રાફિક અંગેની ગેરમાન્‍યતાનું ખંડન કર્યુ હતુ અને વધુ એર સર્વિસિસ શરૂ થવા માટે માર્ગ મોકળો કર્યો હતો.

વર્ષ ર01પથી શરૂ થયેલું રિપેર અને એ1ટેન્‍શનનું કામ વર્ષ ર018માં પુરુ થયુ. વધુમાં સુરત શહેરના ટ્રાફિકની ખાતરી થતા સ્‍પાઇસ જેટે ઘણા નવા શહેરો સાથે કનેકટીવિટી આપી. જયારે એર એશિયા અને ઈન્‍ડીગોએ પોતાની ફલાઇટની શરૂઆત કરી હતી. આમ ર018થી વિકાસ રોકેટની ગતિથી આગળ વઘ્‍યો અને આજે રોજની 30 ફલાઇટ અને 1 લાખ પ0 હજાર મુસાફરો સાથે સુરતને ભારતના પ0 એરપોર્ટની યાદીમાં 3પમો દરજજો મળે છે. વધુમાં ચેમ્‍બરના પ્રયાસોથી સુરતને કસ્‍ટમ નોટીફાઇડ એરપોર્ટ બનાવવાની તક સાંપડી હતી અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડીયાના વેસ્‍ટર્ન રિજનલ ડાયરેકટર શ્રીમતી હેમલથાજીના માર્ગદર્શન અને સહકારથી વર્ષ ર017થી શરૂ થયેલા પ્રયાસો ર019માં ફળીશ્રુત થયા. અત્રે નોંધવું જરૂરી છે કે સુરતને કસ્‍ટમ નોટીફાઇડ એરપોર્ટ તરીકે વિકસાવાનો નિર્ણય ચેમ્‍બર ઓફ કોમર્સમાં શ્રીમતી હેમલથાજીએ બોલાવેલી ખાસ મિટીંગમાં લેવામાં આવ્‍યો હતો. સુરતને ભારતના નવ નોટીફાઇડ કસ્‍ટમ એરપોર્ટમાં સ્‍થાન મળ્‍યું તથા સુરત – શારજાહની પહેલી ઈન્‍ટરનેશનલ ફલાઇટ તા. 16 ફેબ્રુઆરી ર019થી શરૂ થઇ અને જે હાલ પણ સારી ચાલી રહી છે.

અત્રે ખાસ નોંધવું જરૂરી છે કે મર્યાદિત ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને કારણે સુરતની ઇન્‍ટરનેશનલ ફલાઇટ માટે રાત્રે 1રઃ30 થી સવારે પ:00 વાગ્‍યા સુધીનો જ ટાઇમ સ્‍લોટ મળી શકે એમ હોવાથી એર ઈન્‍ડીયા એકસપ્રેસે પોતાની એનાઉન્‍સ કરેલી ફલાઇટ શરૂ કરવામાં વિલંબ કર્યો હતો, જે સાંસદ શ્રી સી.આર. પાટીલના અથાગ પ્રયત્‍નથી માનનીય મંત્રી શ્રી જયંત સિંહાએ સદર ફલાઇટ શરૂ કરવા એર ઇન્‍ડીયા એકસપ્રેસને જરૂરી દબાણ કરી સુરત – શારજાહ ફલાઇટ શરૂ કરવા જણાવ્‍યુ હતુ.

આ સાથે જ સુરતના વધુ વિકાસનો નકશો પણ તૈયાર થઇ ગયો છે અને 3પ0 કરોડના રોકાણ સાથે વર્તમાન એરપોર્ટથી ત્રણ ગણું મોટુ એરપોર્ટ વધુ એરોબ્રિજીસ, ટે1ાીવેજ અને પાર્કીંગવેજ સાથે વર્ષ ર0ર1માં સુરત એરપોર્ટ સંપૂર્ણ રીતે વિકસિત થશે. જેમાં સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય ફલાઇટો ર4 કલાક ચાલુ રહેશે તથા ર6થી 30 લાખ મુસાફરોની અવરજવર અને ર0 ઈન્‍ટરનેશનલ ફલાઈટ શરૂ થઇ શકશે એવો અંદાજ છે. સુરત એરપોર્ટના વિકાસ અંગે કામનું શુભ મુહુર્ત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍ફ્‍ભાઇ મોદીના હસ્‍તે તા. 30 જાન્‍યુઆરી ર019ના રોજ થયુ હતુ. જે પણ સાંસદ શ્રી સી.આર. પાટીલના પ્રયત્‍નને જ આભારી હતું.

ચેમ્‍બરને એ વાતનો સંતોષ અને ગર્વ છે કે આ 30 વર્ષની યાત્રામાં ચેમ્‍બરના દરેક પ્રમુખે તેમનો મહત્‍વનો ફાળો આપ્‍યો હતો. આમ 1989થી શરૂ કરેલું આ મીશન ર019ની શારજાહની ફલાઇટથી આંતરરાષ્‍ટ્રીય ઉડાન શરૂ થતા એક મહત્‍વનો તબકકો સાકાર કરવામાં સંપૂર્ણપણે સફળ રહયુ.

સુરત એરપોર્ટના 1989થી શરૂ થયેલી વિકાસની ગાથા જેમાં સુરતને સંપૂર્ણ ક1ાાનું એરપોર્ટ આપવાનું ચેમ્‍બર ઓફ કોમર્સનું સુરત શહેર પ્રત્‍યેનું ઉત્તરદાયિત્‍વ સમજી આદરેલા અને સફળપૂર્વક પૂર્ણ કરેલા અભિયાનનું સંપૂર્ણ આલેખન ‘ધી સુરત એરપોર્ટ ગાથા’ પુસ્‍તકમાં કરવામાં આવ્‍યુ છે.

વધુમાં આ પ્રસંગે તા. 13મી ફેબ્રુઆરી ર019ના રોજ ચેમ્‍બર ઓફ કોમર્સે યોજેલા એરપોર્ટ ફેલિસીટેશન પ્રોગ્રામમાં સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્‍ડીયાના દિલ્‍હી, મુંબઇ અને સુરતના અધિકારીઓ, વેન્‍ચુરા કનેકટ એરવેઝના પ્રમોટર્સ, એર ઇન્‍ડીયાને ગેરંટી આપનાર સચિન – પાંડેસરા તથા વિવિધ પ્રોસેસર્સ એસોસિએશનના હોેદારો તથા અન્‍ય વ્‍યકિત અને સંસ્‍થાઓએ કરેલા પ્રદાનની સવિશેષ નોંધ લઇ તેઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેની વિગતો તથા એર ઇન્‍ડીયા એકસપ્રેસની તા. 16મી ફેબ્રુઆરી ર019થી સુરત – શારજાહ વચ્‍ચે શરૂ થયેલી પ્રથમ ફલાઇટ વખતના એરપોર્ટ ખાતેના માહોલની અને સાંસદ શ્રી સી.આર. પાટીલ તથા શ્રીમતી દર્શનાબેન જરદોશે કરેલા ઉદ્‌ઘાટન વિધીની વિગતો પણ ‘ધી સુરત એરપોર્ટ સાગા’ પુસ્‍તકમાં આમેજ કરવામાં આવી છે.

 

July 7, 2019
rohit.jpg
1min11300

Image result for rohit sharma icc world cup 2019

ભારતે શનિવારે અહીં વર્લ્ડ કપમાં પોતાની અંતિમ લીગ મૅચમાં શ્રીલંકાને ૩૯ બૉલ બાકી રાખીને ૭ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. રોહિત શર્મા (૧૦૩ રન, ૯૪ બૉલ, બે સિક્સર, ૧૪ ફોર) અને કેએલ રાહુલ (૧૧૧ રન, ૧૧૮ બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની ઓપનિંગ જોડીએ ૧૮૯ રનની વિક્રમજનક ભાગીદારીથી ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. આ જીત સાથે ભારત પૉઇન્ટ્સ-ટેબલમાં ઑસ્ટ્રેલિયાને હટાવીને પ્રથમ નંબરે આવી ગયું હતું.

શ્રીલંકાએ ઍન્જેલો મૅથ્યૂઝના ઝમકદાર ૧૧૩ રનની મદદથી ૭ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે ત્રણ તેમ જ ટીમમાં આ વખતે પહેલી વાર લેવામાં આવેલા રવીન્દ્ર જાડેજાએ એક અને ભુવી, કુલદીપ તથા હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ લીધી હતી. જવાબમાં ભારતે ૪૩.૩ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૨૬૫ રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. વિરાટ કોહલી ૩૪ રને અને હાર્દિક પંડ્યા ૭ રને અણનમ રહ્યો હતો. રિષભ પંતે ૪ રનમાં વિકેટ ગુમાવી હતી.

વિરાટની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા અને રોહિતની પત્ની રિતિકાએ સ્ટૅન્ડમાં બેસીને શરૂઆતથી છેક સુધી મૅચ જોઈ હતી.

મૅન ઑફ ધ મૅચ રોહિત શર્મા માટે આ વિશ્ર્વ કપ યાદગાર બની ગયો છે. તેણે શનિવારે આ વર્લ્ડ કપમાં પાંચમી સદી ફટકારી હતી અને એક જ વિશ્ર્વ કપમાં પાંચ સેન્ચુરી ફટકારનારો તે વન-ડે જગતનો પહેલો ખેલાડી બન્યો હતો. તેણે કુમાર સંગકારાના ૨૦૧૫ વર્લ્ડ કપના ચાર સદીના વિક્રમને તોડી નાખ્યો હતો.

રોહિતે શનિવારે ૨૭મી વન-ડે સદી ફટકારી હતી.

સચિન તેન્ડુલકરે કુલ ૬ વર્લ્ડ કપમાં ૪૪ ઇનિંગ્સમાં ૬ સદી ફટકારી હતી, જ્યારે રોહિતનો આ બીજો જ વર્લ્ડ કપ છે અને તેણે બે વર્લ્ડ કપમાં કુલ ફક્ત ૧૬ ઇનિંગ્સમાં ૬ સેન્ચુરી ફટકારી છે જેમાંની પાંચ સદી આ વિશ્ર્વ કપમાં બની છે.

રોહિત હવે એક વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ૬૭૩ રન (૨૦૦૩ વિશ્ર્વ કપ) બનાવવાના સચિનના વિક્રમને પણ ઓળંગવાની તૈયારીમાં છે. રોહિતના વર્તમાન વિશ્ર્વ કપમાં ૬૪૭ રન થયા છે અને તે સચિનથી ૨૬ રન જ દૂર છે.

ભારત આ વિશ્ર્વ કપમાં એકમાત્ર ઇંગ્લૅન્ડ સામે હાર્યું છે અને બાકીની ૮માંથી ૭ મૅચમાં વિજય મેળવ્યો છે અને ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.

July 3, 2019
2018_5large_gujarat_map.jpg
1min6260

શિક્ષણના વિકાસ પાછળ ૩૦,૦૪૫ કરોડપાણી પુરવઠો પાછળ રૂ. ૪૩૦૦ કરોડ વપરાશે

ગુજરાત વિધાનસભા સત્રના પહેલા દિવસે નાણાં પ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકારનું ૨,૦૪,૮૧૫ કરોડનું ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યુ હતું. રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન, સિંચાઈથી લઈને ખેતર માટે નવા વીજ જોડાણને લઈ નવી જોગવાઈઓ કરી છે.

આ ઉપરાંત યુવાઓને રોજગારીની નવી તકો ઊભા કરવાની માટેની જોગવાઈ બજેટમાં રાખી છે. રાજ્યની માળખાકિય અને સુખાકારીની સગવડો વધે તે માટે પણ સરકારે પોતાના બજેટમાં નવી યોજનાઓનો સમાવેશ કર્યો છે. જોકે સમાધાન યોજના હેઠળ બાકી વેરા અને દંડમાં રાહત આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે જ્યારે નવા વર્ષથી હવે સોગંદનામા માટે ખેડૂતો અને લોકો દ્વારા કરવામાં આવતા નોટરાઇઝ સ્ટેમ્પ માટેની ડ્યુટીના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

રૂ. ૩૦થી રૂ. ૨૦૦ સુધીનો વધારો થશે. આમ સરકારે એકદંરે રૂ. ૨૮૭ કરોડ જેટલો સીધો જ કરવેરા વધારો લોકો ઉપર ઝીંક્યો છે. નાણાં પ્રધાને ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બેજટમાં બેઝિક જરૂરિયાતો માટે ૬૫ ટકા જેટલી ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, સિંચાઈ અને ગ્રામ વિકાસ માટે કુલ બજેટના ૨૦.૬૩ ટકા, જ્યારે પાણી, પુરવઠો, સ્વચ્છતા, આવાસન અને શહેરી વિકાસ માટે ૧૫.૭૬ ટકા તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૮.૪૩ ટકા તથા શિક્ષણ, રમત-ગમત, કલા અને સંસ્કૃતિ માટે ૨૦.૭૯ ટકા મળીને લગભગ ૬૫ ટકા જેટલી ફાળવણી કરી છે.

આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને ૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે ૪૫૦ કરોડની જોગવાઈ કરી છે.

June 28, 2019
gurukrupa_logo.jpg
1min7640

સુરત શહેરના શાળકીય શિક્ષણમાં ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી મિડીયમાં જેનું નામ અગ્રીમપંથે લેવાય છે એ ગુરુકૃપા વિદ્યાસંકુલ તેના 10 વર્ષના કાર્યકાળની પૂર્ણાહૂતિ પ્રસંગે દશાબ્દી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.

સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશભાઇ પટેલએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ગુરુકૃપા વિદ્યાસંકુલનો દશાબ્દી મહોત્સવ શહેરના ઇન્ડોર એ.સી. સ્ટેડીયમ ખાતે શનિવાર, તા.29મી જુનના રોજ યોજવામાં આવ્યો છે.

સંસ્થાએ જોતજોતામાં દસ વર્ષ તો પૂર્ણ કર્યા પરંતુ, તેની સાથે સુરત શહેરીજનોને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી મિડીયમની શ્રેષ્ઠ શિક્ષણ આપતી શાળા અર્પણ કરી, અનેક રેન્કર્સ, સ્કોલર્સ સ્ટુડન્ટની સાથે આજે એન્જિનિયર, ડોક્ટર, ટેક્નોલોજીસ્ટસ જેવા અનેક પ્રોફેશ્નલ્સ પણ ગુરુકૃપા વિદ્યાસંકુલમાંથી પાયાનું જ્ઞાન મેળવીને સુરત શહેરને મળ્યા છે.

ગુરુકૃપા વિદ્યાસંકુલએ અત્યાર સુધીની સફર દરમિયાન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તેમજ સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન સંલગ્ન શાળાઓ શહેરની સેવામાં સમર્પિત કરી છે.

શ્રી મુકેશ પટેલે જણાવ્યું કે દશાબ્દી વર્ષ પ્રસંગે તા.29મી જુનના રોજ શનિવારે શહેરના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે એવોર્ડ વિતરણ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં ગુરુકૃપા વિદ્યાસંકુલમાં અભ્યાસ કરીને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિના પંથે દોડી રહેલા શાળઆના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું જાહેર અભિવાદન કરવામાં આવશે.

ગુરુકૃપા વિદ્યાસંકુલના એવોર્ડ વિતરણ સમારોહમાં ગુજરાતી ફિલ્મના હિરો શ્રી મલ્હાર તેમજ બોલીવુડની જાણિતી અભિનેત્રી પ્રાચી દેસાઇ ખાસ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમ ફક્ત આમંત્રિતો માટે રાખવામાં આવ્યો છે. અવ્યવસ્થા ન સર્જાય એ માટે આપના ઇન્વિટેશન સાથે રાખીને ઇન્ડોર સ્ટેડીયમમાં શક્ય એટલા વહેલા જગ્યા મેળવી લેવા માટે સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

May 25, 2019
gurukrupa_logo.jpg
1min6070

સુરત આવીને વસેલા પરપ્રાંતીયો પરિવારોએ તેમના બાળકો માટે હિન્દી મિડીયમની શાળાની આવશ્યકતા હોય છે. છેલ્લા દાયકા ઉપરાંતથી સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ગુરુકૃપા વિદ્યાસંકુલ કે જેઓ ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોનું સંચાલન કરી રહ્યા છે, આ જ સંચાલક મંડળની હિન્દી મિડીયમની સ્કુલનું પરીણામ ઘણાં વર્ષોથી રાજ્યભરમાં અવ્વલ દરજ્જાનું આવી રહ્યું છે.

આજે ગુજરાત બોર્ડના ધો.12 કોમર્સના પરીણામમાં સુરતના ઉધના સ્થિત ગુરુકૃપા વિદ્યાસંકુલ ફરી ઝળકી ઉઠ્યું છે. ગુરુકૃપા વિદ્યાસંકુલની હિન્દી મિડીયમની સ્કુલનો વિદ્યાર્થી રાજપુરોહિત કૈલાશકુમાર બાગારામએ માર્ચ 2019માં લેવાયેલી ધો.12 કોમર્સની પરીક્ષામાં 99.88 પર્સન્ટાઇલ માર્કસ લાવીને સમગ્ર રાજ્યમાં હિન્દી મિડીયમમાં સૌથી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

અગાઉ ધો.12 સાયન્સ અને ધો.10માં પણ ગુરુકૃપા વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાત સ્તરે ટોપર્સ તરીકે ઉભરી આવ્યા છે.

ગુરુકૃપા વિદ્યાસંકુલના ટ્રસ્ટી શ્રી મુકેશભાઇ પટેલએ શાળાના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

May 22, 2019
nios1.jpg
1min25760

કોઇપણ સંજોગોવસાત્ ધો.10 કે ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પરીણામની નિષ્ફળતાને લઇને ખૂબ જ ડિસ્ટર્બ થતા હોય છે. હકીકતમાં ધો.10 અને ધો.12ના પરીણામો જીવનમાં ઝાઝો ફરક લાવી શક્તા નથી, હજુ સુધી બહોળો વર્ગ આ વાત સમજી શક્યો નથી અને આપણું શિક્ષણ ફક્ત પરીક્ષાલક્ષી બની ચૂક્યું છે.

દુનિયા માર્કથી નથી ચાલતી પરંતુ, આવડતથી ચાલે છે એવું અનેક વખત પુરવાર થઇ ચૂક્યું છે, માર્કની જરૂરીયાત છે એક વખત પ્રવેશ મેળવવા માટે, એ પછી માર્કથી નહીં પણ આવડતથી જ નોકરી, વ્યવસાય, ધંધામાં પ્રગતિ સાધી શકાય.

ખેર અહીં વાત કરવી છે ધો.10 કે ધો.12માં ફેઇલ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, માબાપએ બિલકુલ નાસીપાસ કે હતાશ થવાની જરૂર નથી. ઉધના વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે નક્કર કામગીરી કરી રહેલી સંસ્થા લિયો ગ્રુપના સંસ્થાપક શ્રી જયસુખભાઇ કથિરીયા હવે ગુજરાત બોર્ડ કે અન્ય કોઇપણ બોર્ડમાં ધો.10 કે ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એક સારી તક લઇને આવ્યા છે.

આ તકનું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિગ

શું છે N.I.O.S. ?

એન.આઇ.ઓ.એસ. એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગ. આ એક એવું રાષ્ટ્રવ્યાપી બોર્ડ છે જે ઘરે બેઠા, એક્સ સ્ટુડન્ટ તરીકે વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે. આ બોર્ડમાં જોડાનાર વિદ્યાર્થીઓએ રેગ્યુલર સ્કુલે જવાની જરૂર નથી. ઘરે બેઠા કે કોચિંગ ક્લાસમાં તૈયારી કરીને ધો.10 કે ધો.12ની એન.આઇ.ઓ.એસ. બોર્ડની પરીક્ષા આપી શકે છે.

N.I.O.S.  બોર્ડમાંથી પાસ થયા પછી શું ?

એન.આઇ.ઓ.એસ. બોર્ડમાંથી પાસ થયા પછી કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં અન્ય બોર્ડના પ્રવેશાર્થીઓની જેમ રેગ્યુલર સ્ટડીઝમાં જોડાઇ શકાય છે. કોલેજના પહેલા વર્ષમાં રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પ્રવેશ મેળવીને ફરીથી ઉચ્ચ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં ભળી શકાય છે.

સુરતમાં સનરેઝ સ્કુલ N.I.O.S. નું ઓથોરાઇઝ્ડ સેન્ટર

સુરતમાં બીઆરસી પાસે, ઉધના મેઇન રોડ પર આવેલી સનરેઝ સ્કુલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કુલિંગનું અધિકૃત સ્ટડી સેન્ટર તેમજ એકઝામ સેન્ટર શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ચાલુ વર્ષે ધો.10 કે ધો.12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ રૂબરૂ મુલાકાત લઇને વધુ વિગતો મેળવી, જાણી શકે છે.

સનરેઝ સ્કુલ એનઆઇઓએસ હેલ્પલાઇન નં.

76210 99911

76220 99911

May 16, 2019
sherpa_everest.jpeg
1min7750

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.

કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.

પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.

કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.

વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.