રવિવારે સમસ્ત આદિવાસી સમાજ સુરત દ્વારા પ્રથમ કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે
વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા શિક્ષણલક્ષી પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવશે.
સુરત,શુક્રવાર: આદિવાસી સમાજના ધો.-૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી સમસ્ત આદિવાસી સમાજ(ગુજરાત)ના સુરત એકમ દ્વારા સુરતમાં આગામી તા.૨૮મીના રોજ સવારે ૯-૦૦ થી ૧.૦૦ વાગ્યા સુધી નગર પ્રા.શાળા નંબર-૧, ઓલપાડી મહોલ્લો, ઈન્ડોર સ્ટેડીયમ પાસે, ઘોડદોડ રોડ ખાતે પ્રથમ કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે. જેમાં દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને મૂંઝવતા શિક્ષણલક્ષી પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા નિરાકરણ કરવામાં આવશે.
સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખશ્રી ડો.પ્રદિપભાઈ ગરાસિયા અને અધ્યક્ષશ્રી જી.આર.કોકણી ( નિવૃત્ત IRS) અધ્યક્ષસ્થાને આયોજિત શિબિરમાં તમામ સમાજ સંગઠન મંડળના સભ્યો, કારોબારી સભ્યો, તેમજ બેંક, LIC, પોલિસ, કૃષિ, મેડિકલ, મ્યુ.કોર્પોરેશન, ઓ.એન.જી.સી., જિલ્લા પંચાયત, મહેસુલ વિભાગ, બિઝનેસ, પ્રાઇવેટ સેક્ટરમાં કાર્યરત સમાંજબંધુઓ-પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા તેમજ કારકિર્દી માર્ગદર્શનની બુકો પણ વિનામૂલ્યે આપવામા આવશે. શિબિરમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે અંકિતભાઈ પટેલ (૯૯૯૮૮૭૫૩૨૮), મે્હૂલ પટેલ (૯૪૨૭૪૭૩૪૪૪), તેજસ પટેલ (૮૮૬૬૩૪૮૨૩૪)નો સંપર્ક કરવા સમસ્ત આદિવાસી સમાજ માર્ગદર્શન સમિતિની યાદીમાં જણાવાયું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now