ઇન્ટરનેશનલ Archives - Page 45 of 51 - CIA Live

September 25, 2018
Nobel-Prize-MGN.jpg
1min8140

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આયુષ્યમાન ભારત યોજના માટે નોબલ પીશ પારિતોષિક મળવું જોઇએ એવી માગણી સાથે નોબેલ એવોર્ડ એનાયત કરવારી સંસ્થા સમક્ષ દાવો રજૂ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરન્દ્ર મોદીનું  નામ નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યું છે. આ ભલામણ તામિલનાડુના પ્રદેશ અધ્યક્ષ ડૉ. તમિલીસાઈ સુંદરરાજને કરી છે નોમિનેશનમાં જણાવવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાનાં સ્વરૂપમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજનાની શરૂઆત કરી છે. આ માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ. આ નોમિનેશન સુંદરરાજનના પતિએ કર્યું છે. તેઓ એક ખાનગી યુનિવર્સિટીમાં નેફ્રોલોજી વિભાગના વડા છે.

અમીર સ્વીડિસ ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક આલ્ફ્રેડ નોબલે આ પુરસ્કારની સ્થાપના કરી હતી. આ પુરસ્કાર ચિકિત્સા, ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય તથા શાંતિ માટે આપવામાં આવે છે. સૌ પહેલા નોબલ 1901માં આલ્ફ્રેડના મોતના પાંચ વર્ષ બાદ અપાયો હતો. આલ્ફ્રેડ નોબેલની સ્મૃતિમાં ઇકોનોમિક એવોર્ડ બેન્ક ઓફ સ્વીડન તરફથી અપાય છે. જેની શરૂઆત 1968માં થઇ હતી.

નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેમાં એનાયત કરે છે જ્યારે અન્ય પુરસ્કાર સ્વીડનમાં અપાય છે. આનું કારણ છે કે, આલ્ફ્રેડ નોબલ આવું ઇચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે, 1905ના પહેલા સુધી તે સ્વીડન અને નોર્વ એક જ હતા, બાદમાં તે છૂટા પડ્યા હતા.  અત્યાર સુધી મધર ટેરેસા અને કૈલાશા સત્યાર્થીને શાંતિ પુરસ્કાર અપાયો છે. આ સિવાય સાહિત્યમાં ક્ષેત્રમાં રવિન્દ્ર નાથ ટાગોર, ભૌતિકના ક્ષેત્રમાં ડૉક્ટર સીવી રમન, અર્થશાસ્ત્રમાં અમર્ત્ય સેનને પણ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે.

September 24, 2018
maldiv_president.jpg
1min4770

saleh

માલદીવમાં માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ઉમેદવાર ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહે તા.23મી સપ્ટેમ્બર 2018ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. માલદીવમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ ભારત માટે સારા સંકેત આપી રહ્યાં છે કારણ કે ઇબ્રાહીમ ભારતની સાથે મજબૂત સંબંધોના હિમાયતી રહ્યાં છે.

બહુમતી મેળવનાર ભારત તરફી સોલિહને 58.3 ટકા મત મળ્યા છે. ચૂંટણી પર નજર રાખનાર સ્વતંત્ર એજન્સી ટ્રાન્સપરન્સી માલદીવ્સના મતે સોલિહે નિર્ણાયક અંતરથી જીત પ્રાપ્ત કરી લીધી છે. બીજીબાજુ જીત બાદ સોલિહે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું, આ ખુશી, ઉમ્મીદ, અને ઇતિહાસની પળ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે સત્તાની શાંતિપૂર્ણ હસ્તાંતરણની અપીલ કરી છે.

જીતની જાહેરાતની સાથે જ સોલિહની માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના પીળા ઝંડા લઇ વિપક્ષ સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા અને ખુશીનો એકરાર કર્યો. પરિણામ આવ્યા બાદ યામીનની તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી. સોલિહે કહ્યું કે હું યામીનને કહેવા માંગીશ કે તેઓ લોકોની ઇચ્છાનું સમ્માન કરે અને સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ કરે. તેની સાથે રાજકીય નેતાઓને જેલમાંથી છોડવાની પણ અપીલ કરી છે

ચૂંટણી પ્રક્રિયા પર ભારત અને ચીનની નજર હતી. આ બધાની વચ્ચે યુરોપિયન સંઘ અને અમેરિકાએ ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ નહીં હોવા પર પ્રતિબંધ મૂકવાની ધમકી આપી હતી. યામીને રાજધાની માલેમાં મતદાન કેન્દ્ર ખુલ્યાના થોડાંક સમય બાદ જ મતદાન કર્યું. મતદાન શરૂ થતા પહેલાં પોલીસે વિપક્ષ માલદિવિયન ડેમોક્રેટિક પાર્ટી (એમડીપી)ના પ્રચાર હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા અને ‘ગેરકાયદે ગતિવિધિ’ને રોકવાની કોશિષના નામ પર બિલ્ડિંગની કેટલાંય કલાકો સુધી તપાસ ચાલી. આ સિલસિલામાં કોઇની ધરપકડ કરાઇ નહીં.

September 22, 2018
rafale-fighter-1.jpg
1min10430

રાફેલ ડિલના મામલે ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ રિલાયન્સ અંગે કરેલા નિવેદનને પગલે ભારતની રાજનિતીમાં જ નહીં બલ્કે વિશ્વભરના રાજકીય તખ્તાઓ પર ભારે હલચલ મચી ગઇ છે. ઓલાંદેના નિવેદનને પગલે તાબડતોડ ફ્રાન્સ સરકારે નિવેદન આપીને ભારત સરકારના બચાવમાં ઉતરવું પડ્યું હતું. પ્રસ્તુત છે સમગ્ર વિવાદ પર પહેલેથી છેલ્લે સુધીનો ઘટનાક્રમ

ઓલાંદેએ શું કહ્યું હતું ?

એક રિપોર્ટ મુજબ ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદેએ રાફેલ ડીલ મામલે સ્ફોટક નિવેદન આપ્યું હતું. ઓલાંદેએ 58,000 કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં દાસૌ એવિયેશનને પાર્ટનર કંપની તરીકે રિલાયન્સ ડિફેન્સનું નામ ભારત સરકારે સૂચવ્યું હોવાનો દાવો કર્યો હતો. ઓલાંદે આ વાત ફ્રાંસની ન્યૂઝ વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી હતી.

ઓલાંદેનો દાવો છે કે ભારત સરકારે રિલાયન્સ ડિફેન્સનું નામ સૂચવ્યું. દાસૌએ અનિલ અંબાણીનો સંપર્ક કર્યો. અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. જો કે દાસૌએ આ મુદ્દે નિવેદન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે. દાસૌના કહેવા મુજબ ઓફસેટ પાર્ટનર તરીકે કંપનીએ જાતે જ રિલાયન્સની પસંદગી કરી હતી. એટલે કે આ મામલે ભારત સરકાર કોઈ રીતે જવાબદાર નથી. ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેના દાવાથી વિરુદ્ધ ફ્રાંસની સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાફેલ ડીલમાં ઈન્ડિયન કંપની પસંદ કરવામાં ભારતીય સરકારની કોઈ ભૂમિકા નથી

‘ડીલમાં ભારત સરકારની ભૂમિકા નહીં’

યુરોપ એન્ડ ફોરેન અફેર્સ મંત્રાલયના પ્રવક્તાએ ઓલાંદના દાવાને ફગાવતા નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવાયું છે કે રાફેલ ડીલમાં પાર્ટનર પસંદ કરવાનું કામ ભારત સરકારે નહીં પરંતુ ફ્રેંચ કંપની દાસૌએ કર્યું છે.

આરોપો પર ફ્રાસ સરકારનો જવાબ

– પાર્ટનર કંપની પસંદ કરવાનો અધિકાર

ફ્રાસની સરકારે સ્પષ્ટતા કરી છે કે ફ્રેંચ કંપની પાસે ઈન્ડિયન કંપનીને પાર્ટનર તરીકે પસંદ કરવાની પૂરતી આઝાદી છે.

FRANCE

રાફેલ ડીલ પર ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાંદેના નિવેદન પર ફ્રાંસ સરકારે સ્પષ્ટતા કરી છે. ઓલાંદેના દાવાથી ઉલટુ ફ્રાંસની સરકારે સ્પષ્ટતા કરી છે કે ઓદ્યોગિક પાર્ટનર પસંદ કરવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. ભાર મૂકીને કહેવાયું છે કે ફ્રેંચ કંપની દાસોને કોન્ટ્રાક્ટ માટે ઈન્ડિયન કંપની પસંદ કરવાની આઝાદી અપાઈ છે. રિલાયન્સ ડિફેન્ટને પાર્ટનર તરીકે પસંદ કરવાના દાવા પર ફ્રાંસ સરકારે કહ્યું કે દાસોએ સૌથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરી છે.

કેન્દ્ર પર વિપક્ષના પ્રહાર

જો કે ઓલાંદેના નિવેદન બાદ વિપક્ષ આ મામલે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. વિપક્ષ સતત રાફેલ ડીલમાં મોટા કૌભાંડનો આક્ષેપ કરી રહ્યો છે. ઓલાંદેના નિવેદન બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર નિશાન સાધ્યું.

September 20, 2018
nobel-prize.jpg
1min5510

જાતીય હુમલા કૌભાંડના કેન્દ્રમાં હોય એવી એક વ્યક્તિને લીધે સ્વિડિશ એકેડમીએ આ વર્ષનું સાહિત્ય માટેનું નોબલ ઈનામ પાછળ ઠેલ્યું છે. તા.19મી સપ્ટેમ્બર 2018ના રોજ તેના પર ખટલાની કાનૂની કાર્યવાહી આરંભી તે વેળાએ તેણે બે આક્ષેપ માટે નનૈયો ભણી દીધો હતો. સ્ટોકહોમના સાંસ્કૃતિક મંચ પર ફ્રાન્સના જીન ક્લાઉડે આરનોલ્ટનું નામ દાયકાઓથી વગદાર વ્યક્તિ તરીકે ખૂબ માનથી લેવામાં આવતું હતું. વર્ષ ૧૯૦૧માં સ્વિડિશ એકેડેમીની કેટરીના ફ્રોસ્ટેન્સન નામક સભ્ય સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા આરનોલ્ટ સ્ટોકહોમમાં ફોરમ ક્લબ ચલાવતો હતો. પ્રકાશકો અને લેખકો સાથે સંપર્ક સેતુ ઈચ્છતા નવા કલમજીવીઓ માટે ક્લબ મહત્ત્વનું મીટિંગ સ્થળ છે.

એક સ્વીડીશ દૈનિકમાં ૨૦૧૭ના નવેમ્બરમાં લગભગ ૧૮ મહિલાના નિવેદન આવ્યા તેમાં દાવો કરાયો કે આરનોલ્ટે અમારા પર બળાત્કાર ગુજાર્યો, જાતીય હુમલા કર્યા તેમ જ જાતીય હેરાનગતિ કરી છે. એક મહિલા પર બળાત્કાર ગુજારવાના બે આક્ષેપો સંદર્ભે તા.19મી સપ્ટેમ્બર 2018ના રોજ સ્ટોકહોમની જિલ્લા કોર્ટમાં હાજર થયો હતો.

બીજી અને ત્રીજી ડિસેમ્બરની રાત્રે મહિલા પર બળાત્કારના આક્ષેપ બદલ દોષી સાબિત થશે તો તેને છ વર્ષની જેલની સજા થઈ શકશે. લેખિકા એલાઈસ કાર્લસને કહ્યું કે ૨૦૦૮માં તેણે મારી પાછળ હાથ લગાડ્યો અને છેડતી કરી. મેં તેમને મને ન અડવાનું કહ્યું અને લાફો વીંઝી દીધો હતો. કાર્લસને કહ્યું કે બાદમાં આરનોલ્ટે મને કહ્યું કે હવે તને આ ક્ષેત્રમાં કદાપી કોઈ જ કામ નહીં મળે.

જોકે ઉક્ત જાતીય કૌભાંડ મામલે શું અને કેવી રીતે કામ કરવું તે અંગે એકેડેમીમાં મતમતાંતર પ્રવર્તી રહ્યા છે. આઠ જણે રાજીનામું આપ્યું છે અથવા રજા પર છે. હવે ૨૦૧૮ માટેના સાહિત્ય માટેનું નોબેલ ઈનામ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે એકેડમી પોતાનું પુન:નિર્માણ કરવાના પ્રયાસમાં મગ્ન છે. આગામી મહિનાઓમાં નવા સભ્યોની પસંદગી કરે એવી અપેક્ષા રાખવામાં આવી છે. તેઓ ડઝનબંધ લેખક-લેખિકાઓની કૃતિઓ વાંચીને ૨૦૧૮ માટે એક વ્યક્તિ અને ૨૦૧૯ માટે અન્ય એક વ્યક્તિ પર પસંદગીનો કળશ ઢોળશે.

September 19, 2018
china.png
1min6560

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત કરાતા 200 અબજ ડૉલરના મૂલ્યના માલ પર 10 ટકા આયાત જકાત લાદવાની મંગળવારે જાહેરાત કરી હતી અને આ ઇમ્પૉર્ટ ડ્યૂટી વર્ષાંતે વધારીને પચીસ ટકા કરાશે. આ ઉપરાંત, જો ચીન વળતાં પગલાં લેશે તો વધારાના 267 અબજ ડૉલરના માલ પર ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદવાની ચીમકી પણ અપાઇ હતી.

અમેરિકાની આ જાહેરાતને પગલે ચીને વળતાં પગલાં લેવાનો નિર્ણય લીધો હતો અને તેને લીધે વિશ્ર્વની બે અગ્રણી આર્થિક મહાસત્તાની વચ્ચે ‘વ્યાપાર-યુદ્ધ’ વધુ વકરવાની પૂરી શક્યતા છે. ડોનલ્ડ ટ્રમ્પે ચીનના માલસામાનની આયાત પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ચીન વ્યાપારને લગતી પોતાની અયોગ્ય નીતિ બદલવા નથી માગતું. અમે લાદેલા વધારાના ટૅરિફથી અમેરિકી કંપનીઓને લાભ થશે.

અગાઉ, અમેરિકાએ ચીનથી આયાત કરાતા પચાસ અબજ ડૉલરના માલસામાન પર આયાત જકાત લાદી હતી. અમેરિકાએ લાદેલી નવી દસ ટકા ઇમ્પૉર્ટ ડ્યૂટીનો અમલ 23મી સપ્ટેમ્બરથી થશે અને તે પહેલી જાન્યુઆરી સુધીમાં વધારીને પચીસ ટકા કરાશે. અમેરિકાએ ચીનના માલ પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદતા અમેરિકામાં આગામી રજાના દિવસોમાં ચીની માલ ખરીદવો મોંઘો બનશે.

ટ્રમ્પે ધમકી આપી હતી કે જો ચીન અમેરિકાના કૃષિ અને અન્ય ક્ષેત્રના ઉત્પાદનો પર વધારાની ઇમ્પૉર્ટ ડ્યૂટી લાદશે તો અમે ટૅરિફમાં તાત્કાલિક વધારો કરવાનો ત્રીજો તબક્કો હાથ ધરીશું અને વધુ 267 અબજ ડૉલરના મૂલ્યના માલસામાન પર આયાત જકાત લાદીશું.

September 14, 2018
0_Hurricane-Florence-main.jpg
1min10410

પૂર્વ અમેરિકાના કાંઠે બહુ જ શક્તિશાળી વાવાઝોડાના ભયને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ અંદાજે દસ લાખ લોકોને સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપી હતી.

વાવાઝોડામાં પવનની ઝડપ કલાક દીઠ 220 કિલોમીટર (140 માઇલ) રહેવાની શક્યતા છે અને તેને ચોથા વર્ગમાં મુકાયું છે. વાવાઝોડાના ભયથી નાસભાગ થઇ રહી છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર પણ સંબંધિત ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે પૂર્વ કાંઠાના વિસ્તારમાં બહુ જ શક્તિશાળી વાવાઝોડું ફૂંકાવાનું છે. સાઉથ કેરોલિનાના ગવર્નર હેન્રી મેકમાસ્ટરે ગુરુવારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં પૂર્વ કાંઠાના રહેવાસીઓને ઘરમાંથી નીકળીને સલામતસ્થળે જવાની સૂચના આપી હતી. તેમણે આ વિસ્તારના લોકોને જણાવ્યું હતું કે વાવાઝોડાનો સામનો કરવા તૈયાર રહો, સાવચેત રહો અને સલામતીનું ધ્યાન રાખો.

રાજ્યના 46 પરગણામાંના 26માંની શાળાઓ મંગળવારથી બંધ કરી દેવાઇ હતી. પાડોશી નૉર્થ કેરોલિનામાં પણ લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઇ છે. હાલ વર્જિનિયામાં કટોકટી જાહેર કરાઇ છે. ગવર્નર હેન્રી મેકમાસ્ટરે જણાવ્યું હતું કે જોખમી વિસ્તાર ખાલી કરવો મરજિયાત નહિ, પરંતુ ફરજિયાત છે. અમે નથી ઇચ્છતા કે સાઉથ કેરોલિયામાં વાવાઝોડાથી એક વ્યક્તિનો પણ જાન જોખમમાં આવે. બર્મુડા અને બહામાસની વચ્ચેથી મંગળવાર અને બુધવારે વાવાઝોડું પસાર થવાની આગાહી છે.

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને લોકો બેટરી, ફ્લૅશલાઇટ્સ અને જીવનાવશ્યક ચીજોની મોટા પાયે ખરીદી કરવા લાગ્યા હતા.

September 13, 2018
isro.jpg
1min15530

આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે

ROCKET

અંતરિક્ષમાં સતત પોતાની પહોંચ વધારી રહેલું ઈસરો ફરી એકવાર એક ઉંચી છલાંગ લગાવવા તૈયાર છે. આ ઈસરોની સંપૂર્ણ રીતે વ્યાવસાયિક ઉડાન હશે. આ લોન્ચમાં કોઈ પણ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો છે. 16 સપ્ટેમ્બર 2018ના રોજ શ્રી હરીકોટાના સતીષ ધવન અંતરિક્ષ કેનદ્ર પરથી બે બ્રિટિશ ઉપગ્રહ લોન્ચ કરાશે. આ સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ થશે જેમની પાસે વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરવાની ટેક્નોલોજી છે.

બ્રિટિશ ઉપગ્રહની ખાસિયત 

1. 16 સપ્ટેમ્બર, 2018ના દિવસે ઈસરો પોતાના યાન PSLV C-42 દ્વારા બે બ્રિટિશ ઉપગ્રહ નોવાસાર અને એસ 1-4ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે.

2. 450 કિલોગ્રામ વજનના આ ઉપગ્રહનું નિર્માણ બ્રિટિશ કંપની સર્રે સેટેલાઈટ ટેક્નોલોજી લિમિટેડ દ્વારા કરાયું છે.

3.  આ  ઉપગ્રહના મામલે ઈસરો સાથે કરાર કરવામાં આવ્યા છે.

4. નાવાસર ઉપગ્રહ એક ટેક્નિકલ પ્રદર્શન ઉપગ્રહ છે. જેમાં ઓછા ખર્ચે બનેલું એસ બેન્ડ સિન્થેટિક રડાર મોકલાઈ રહ્યું છે. જે ધરતીથી 580 કિલોમીટર ઉપર સૂર્યની સમકાલીન કક્ષામાં સ્થાપિત થશે.

5. ઉપગ્રહ એસન 1-4 એક ભૂ અવલોકન ઉપગ્રહ છે, જે એક મીટરથી નાની વસ્તુને પણ અંતરિક્ષમાંથી જોઈ શકે છે. આ ઉપગ્રહ SSTLની અંતરિક્ષમાંથી જમીન અવલોકનની ક્ષમતાને વધારશે.

6. આ ઈસરોની વ્યવાસાયિક ઉડાન છે. કારણ કે આમાં કોઈ ભારતીય ઉપગ્રહ નથી મોકલાઈ રહ્યો.

September 12, 2018
Florence-hurricane-2.jpg
1min5150

૧૦ લાખ લોકોને સલામત સ્થળે જવાની સૂચના : ૨૬ રાજ્યોમાં સ્કૂલોમાં રજા જાહેર : ભારે વરસાદની આગાહી

weather

અમેરિકાના ઈસ્ટ કોસ્ટમાં ગુરુવાર સુધીમાં વાવાઝોડું ફ્લોરેન્સ ત્રાટકશે એવી આગાહી અમેરિકન વેધશાળા દ્વારા કરવામાં આવી છે. આ વાવાઝોડાને પગલે ૨૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ થશે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન અને આસપાસના વિસ્તારોમાં આ વાવાઝોડાની સૌથી વધારે અસર થવાની ધારણા છે. આના કારણે ઈસ્ટ કોસ્ટમાં વૉશિંગ્ટન ઉપરાંત નૉર્થ અને સાઉથ કૅરોલિના, વર્જિનિયા અને મૅરિલૅન્ડ સ્ટેટમાં ઇમર્જન્સી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસરથી બચવા માટે આશરે ૧૦ લાખ લોકોને ઘર છોડીને જતા રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈસ્ટ કોસ્ટ પર ઘણાં વર્ષો બાદ આવું ભયાનક વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. ઈસ્ટ કોસ્ટમાં આવેલાં ૨૬ રાજ્યોમાં સ્કૂલોને ગઈ કાલથી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સૂચના મળે ત્યાં સુધી નહીં ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે.

September 9, 2018
fakenews.png
1min5540

ફેસબુક પર બ્રિટિશ પ્રવાસી પર કથિત રીતે થયેલા બળાત્કારની પોસ્ટ શૅર કરનાર 12 વ્યક્તિની થાઇલૅન્ડમાં ધરપકડ કરાયા બાદ એમને જામીન પર મુક્ત કરાયા હતા.

મંગળવારથી દેશભરમાંથી બાર વ્યક્તિની આ બાબતની પોસ્ટ શૅર કરવા બદલ ધરપકડ કરાઇ હતી.

કાહ તાઓ ટાપુ પર ફરવા આવેલી 19 વર્ષની યુકેની યુવતીએ બ્રિટન પાછા ફર્યા બાદ બ્રિટિશ મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો, ટાપુ પર કોઇએ ઘેનની દવા પીવડાવીને એના પર બળાત્કાર કર્યો હતો.

જોકે, કોહ તાઓ પોલીસે આ દાવાને નકારતા જણાવ્યું હતું કે આ મામલે બળાત્કારની કોઇ ફરિયાદ નોંધાવાઇ નથી. આ મામલે બાર વ્યક્તિ પર થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ સાથે મળીને ખોટી માહિતીનો પ્રચાર, પ્રસારણ અને અન્યોને મોકલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

એ બધાને ગુરુવારે 60,000 બાહટ (1830 ડૉલર)ના બોન્ડ પર જામીન પર છોડવામાં આવ્યા હતા.

કાયદા પ્રમાણે જો તેઓ દોષી ઠેરવાશે તો એમને પાંચ વર્ષ સુધીની કેદની સજા થવાની શક્યતા છે.

બે પબ્લિક ફેસબુક પેજના એડમિનિસ્ટ્રેટર સામે અરેસ્ટ વૉરન્ટ પણ બહાર પાડવામાં આવ્યા છે, પણ તેઓ બંને વિદેશના હોવાથી હજુ એમની ધરપકડ થઇ શકી નથી.

થાઇલૅન્ડના કમ્પ્યુટર ક્રાઇમ્સ એક્ટ હેઠળ ઑનલાઇન ખોટ્ટી માહિતી અપલોડ કરવા પર પ્રતિબંધ છે.

ટીકાકારોના જણાવ્યા અનુસાર કાયદાનો ઉપયોગ વિરોધ અને વાણી સ્વાતંત્ર્યને ડામવા માટે કરવામાં આવ્યો છે.

 

 

September 9, 2018
callcenter.jpg
1min8540
અમદાવાદના પાંચ કોલ સેન્ટર લાખો ડૉલરના કૌભાંડ સામેલ: 15 જણ પર દોષારોપણ: સેંકડો અમેરિકન સાથે છેતરપિંડી

અમેરિકાના 2,000 જેટલા નાગરિકની સાથે 55 લાખ ડૉલરથી વધુની છેતરપિંડી કરવા બદલ અમદાવાદના પાંચ કૉલ સૅન્ટર અને સાત સહ-આરોપી સહિત 15 જણ પર તહોમત મુકાયું છે.

ભારતના જે પાંચ કૉલ સૅન્ટર પર આરોપ મુકાયો છે તેમાં ઍક્સલન્ટ સૉલ્યુશન્સ બીપીઓ, એડીએન ઇન્ફૉટેક પ્રાઇવૅટ લિમિટૅડ, ઇન્ફૉએસ બીપીઓ સૉલ્યુશન્સ પ્રાઇવૅટ લિમિટૅડ, એડાઇન્ફૉસૉર્સ, આઇએનસી અને ઝુરિક બીપીઓ સર્વિસીસ પ્રાઇવૅટ લિમિટૅડનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જે 15 જણ પર દોષારોપણ કરાયું છે તેમાં નીરવ જનકભાઇ પંચાલ, પલકકુમાર પટેલ, શૈલેશકુમાર શર્મા, દિલીપકુમાર કોડવિની, રાધીશરાજ નટરાજન, શુભમ શર્મા, પરવેઝ મનસૂરી, મહંમદ સમીર મેમણ, રોડ્રિગ્સ લિયોન-કાસ્ટિલો, ડેવિન બ્રેડફૉર્ડ પોપ, નિકોલસ એલેક્ઝાન્ડર ડીન, ડ્રુ કેઇલ રિગીન્સ અને જેન્ટ્ઝ પેરિશ મિલરનો સમાવેશ થાય છે.

અમેરિકાના એટર્ની બિંગ જે. પાકે જણાવ્યું હતું કે આ આરોપી પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસના અધિકારી ગણાવતા હતા અથવા વ્યક્તિગત કરજ (પૅડૅ લૉન)ની ઑફર કરતા હતા. બાદમાં, તેઓ અમેરિકી નાગરિકોને ધરપકડ અને સજાની ધમકી આપીને સરકારને દંડની રકમ આપવા કહેતા હતા, પરંતુ તે રકમ પોતાના ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. ટ્રૅઝરી ઇન્સ્પેક્ટર જનરલ ફૉર ટૅક્સ ઍડમિનિસ્ટ્રૅશન જેય રસેલ જ્યોર્જે જણાવ્યું હતું કે હું આ કૌભાંડ પકડનારી મારી તપાસ ટુકડીને અભિનંદન આપું છું. અમદાવાદના કૉલ સૅન્ટરમાંથી અમેરિકા ખાતે ફૉન કરીને પોતાને ઇન્ટર્નલ રૅવૅન્યુ સર્વિસ અથવા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રૅશન સર્વિસીસના અધિકારી ગણાવતા હતા. અમુક વખત સામી વ્યક્તિને લૉનની ઑફર પણ કરાતી હતી અને બાદમાં ધરપકડ અને જેલની ધમકી આપીને કહેવાતા સરકારી કરવેરા પેટે મોટી રકમ વસૂલ કરવામાં આવતી હતી. આ રકમ પડાવવા પ્રીપૅડ ડૅબિટ કાર્ડ ખરીદવા કે મનીગ્રામ અને વેસ્ટર્ન યુનિયન સહિતના વિવિધ માધ્યમથી વાયર ટ્રાન્સફર કરવા સૂચના અપાતી હતી.

અમેરિકામાંથી આ કૌભાંડના સંબંધમાં સાત જણની ગુરુવારે ધરપકડ કરાઇ હતી.