CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 39 of 51 - CIA Live

May 15, 2019
alaska-plane-crash-1634479.jpg
1min5390

અલાસ્કામાં ક્રૂઝ શિપના પ્રવાસીઓને સાઈટસીઈંગ માટે લઈને જઈ રહેલા બે ફ્લૉટપ્લેન આકાશમાં ટકરાયા બાદ પાંચ વ્યક્તિનાં મોત થયાં હોવા ઉપરાંત એક વ્યક્તિ ગુમ હોવાનું અધિકારીઓએ સોમવારે કહ્યું હતું.

14 પ્રવાસીઓને લઈને જઈ રહેલાં બે વિમાન જંગલોથી ઘેરાયેલા દક્ષિણ અલાસ્કાના ક્રૂઝ માર્ગ પર આવેલા લોકપ્રિય પ્રવાસન સ્થળ કૅટચિકન નજીક આકાશમાં ટકરાયા બાદ તાકીદે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

આ દુર્ઘટનામાં ચાર પ્રવાસી અને એક પાઈલટનું મોત નીપજ્યું હતું એમ રૉયલ પ્રિન્સેસ શિપ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

ઘટનાને પગલે હચમચી ગયેલી સ્થાનિક ઍરલાઈન્સે (જેનું એક વિમાન આ દુર્ઘટનાનો હિસ્સો હતું) તમામ ફ્લાઈટ રદ કરી દીધી હોવાનું સમાચાર ચેનલના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

સર્ચ અને બચાવ કામગીરી માટે હૅલિકૉપ્ટર અને બૉટની સેવા લેવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

May 14, 2019
saudi_fuji.jpg
1min5730
ઈરાનની ચીમકી બાદ અખાતમાં લશ્કરી હાજરી સુદૃઢ બનાવતું અમેરિકા
અખાતમાં પોતાના બે તેલ ટેન્કરોને ભાંગફોડિયા હુમલામાં નુકસાન થયાનું સાઉદી અરેબિયાએ આજે જણાવ્યુ હતું, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની મડાગાંઠથી આ પ્રદેશમાં ઓલરેડી પ્રવર્તી રહેલો તનાવ વધુ તીવ્ર બની રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ મોસ્કોની તેમની આયોજિત મુલાકાત પડતી મૂકી સુધારેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ઈરાન સહિતની ‘તાકીદની બાબતે’ ફ્રેન્ચ, બ્રિટીશ અને જર્મન અધિકારીઓ સાથે ચર્ચા કરવા બ્રસેલ્સ જવાનું ગોઠવ્યા બાદ આ થયું છે.
આ ભયસૂચક હુમલાની તપાસની તહેરાને હાકલ કરી છે અને દરિયાઈ સુરક્ષા રોળી નાખવા વિદેશી ખેલાડીઓ ‘દુ:સાહસ’ આચરતા હોવા ચેતવણી આપી હતી. ઈરાનની કથિત ચીમકીઓના પ્રતિસાદરૂપે કેટલાક વ્યૂહાત્મક બી-પ2 બોમ્બર્સ તૈનાત કરવા સાથે અમેરિકાએ આ પ્રદેશમાં તેની લશ્કરી હાજરી ઓલરેડી સુદૃઢ બનાવી લીધી છે.
સંયુકત આરબ અમીરાત (યુએઈ)એ રવિવારે જણાવ્યુ હતું કે ફુજૈરાહ અમીરાત સામે વિવિધ દેશોના 4 વ્યાપારિક જહાજોને ભાંગફોડિયા કૃત્યના નિશાન બનાવાયા હતા. બે સાઉદી ટેન્કર અરબી અખાત ઓળંગવાના રસ્તે હતા ત્યારે યુએઈના સુવાંગ આર્થિક ઝોનમાં વિધ્વંસક હુમલાના નિશાન બનાવાયા હતા એમ જણાવી સાઉદી ઉર્જા મંત્રી ખાલિદ અલ-ફલીહે ઉમેર્યુ હતું કે આ બે ટેન્કરોને નોંધનીય નુકસાન’ થયું હતુ, પરંતુ કોઈ ખુવારી થઈ ન હતી તેમ તેલજથ્થો સમુદ્રમાં ફેલાયો (ઓઈલસ્પિલ) થયો નથી. બે પૈકી એક ટેન્કરમાં, અમેરિકી ગ્રાહકો માટે સાઉદી ઓઈલ ટેન્કરમાંથી ભરેલું ખનિજ તેલ હતું.
ઈરાન અવારનવાર એવી ચીમકી આપતું આવ્યુ છે કે અમેરિકા સાથેની તેની લશ્કરી અથડામણના સંજોગોમાં તે સામુદ્રધુની બંધ કરી દેશે.
યુએઈએ હુમલા માટેની જવાબદારી બદલ કોઈ પર આક્ષેપ કર્યો નથી, પરંતુ એવી ચેતવણી આપી હતી કે વ્યાપારિક કે મુલ્કી જહાજો પરના ભાંગફોડના કૃત્ય આચરવા અને જહાજ પરના લોકોના સલામતી માટે ખતરો સર્જાય એ ગંભીર બાબત છે. સાઉદી અરેબિયા,’ ઈરાક, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાનની લગભગ તમામ તેલ નિકાસ-પ્રતિ દિન 1.પ કરોડ બેરલ-હોર્મઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું હોય છે.
આજે ઈરાની વિદેશ મંત્રી સાથે સુષ્મા સ્વરાજની બેઠક
આજે રાતે ભારત આવી જનારા ઈરાની વિદેશ મંત્રી જાવાદ ઝરીફ આવતી કાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. ઈરાનના ભારત સહિતના 8 તેલગ્રાહક દેશોને અમેરિકી પ્રતિબંધોમાંથી અપાયેલી મુકિતનો અંત આવ્યાની પશ્ચાદભૂમાં આ બેઠક યોજાઈ રહી છે. ભારત માટેની મુકિત તા. પહેલી મેએ પૂરી થવા સાથે ઈરાનમાંથી ભારતે તેલની આયાત કરવાનું નિષિદ્ધ બન્યું છે અન્યથા સરકારી કે ખાનગી માલિકીની કંપનીઓએ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવાનો રહેશે.
પુલવામામાંના હુમલા બાદ આતંકવાદ સામે લડવા બાબતે અમેરિકા ભારતની પડખે ઉભું રહ્યુ હોઈ ઈરાનના આતંકી નેટવર્કને રોળી નાખવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતામાં ભારત તરફથી ય પારસ્પરિકતાની અપેક્ષા રહે છે એમ વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવી દીધું છે.
May 3, 2019
bitcoin_1.jpg
1min9830

દુનિયામાં સૌથી મોંઘી ક્રિપ્ટો કરન્સી અને ભારતમાં સૌથી વિવાદાસ્પદ કરન્સી બનેલા બીટકોઇનના ભાવમાં છેલ્લા બે દિવસમાં 10 ટકાથી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો છે. લંડન એક્સચેન્જ ખાતે આજે શુક્રવાર તા.3 મે 2019ના રોજ એક જ દિવસમાં બીટકોઇનના દરમાં 6.27 ટકાનો ઉછાળો નોંધાતા બીટકોઇન હોલ્ડર્સ ફરીથી ગેલમાં આવી ગયા છે. શુક્રવારે બીટકોઇનનો ભાવ લંડન એક્સચેન્જ ખાતે 5,803.51 અમેરિકન ડોલર નોંધાયો છે. ભારતમાં બીટકોઇન પર પ્રતિબંધ મૂકાયા બાદ બીટકોઇનના ભાવ સતત ગગડી રહ્યા હતા. ઘણાં મહિનાઓ પછી બીટકોઇનમાં ઓચિંતી મુવમેન્ટ અને એ પણ અસાધારણ મુવમેન્ટ જોવા મળી છે.

છેલ્લા બે દિવસથી બીટકોઇનના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે છેલ્લા છ મહિનાના સૌથી ઉંચા સ્તરે બીટકોઇનના ભાવ આવી જવા પામ્યા છે. જાણકારો કહે છે કે બીટકોઇનના ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે અને જ્યાં બીટકોઇન માન્ય ચલણ છે ત્યાં તેની બોલબાલા વધી શકે તેમ છે.

લંડન એક્સચેન્જના સૂત્રો કહે છે કે બીટકોઇનમાં આવેલા તોતિંગ ઉછાળા પાછળ કેટલાક ટેકનિકલ કારણો રહેલા છે. એવા કોઇ સમાચારો નથી કે બીટકોઇનના ભાવને સકારાત્મક રીતે અસર કરે પરંતુ, ટેકનિકલ કારણોસર બીટકોઇનના ભાવ નવેમ્બર 2018 પછીની પહેલી વખત સર્વોચ્ચ સપાટી સર કરી છે. શુક્રવારે લંડન એક્સચેન્જ ખાતે બીટકોઇનનો ભાવ 5,802.51 અમેરિકન ડોલર જેટલો નોંધાયો છે. ગઇ તા.14મી નવેમ્બર 2018ના રોજ બીટકોઇનનો ભાવ 5700 યુએસ ડોલર હતો. જેમાં 108 ડોલર જેટલો જંગી ઉછાળો તાજેતરમાં નોંધાયો છે.

બીટકોઇનના વિશ્વની ભલે સૌથી મોટી વર્ચ્યુઅલ કરન્સી માનવામાં આવે છે પરંતુ, ભારતમાં બીટકોઇન પર હાલ પ્રતિબંધ મૂકી દેવાયો છે અને ભારતમાં તેના વ્યવહારોને ગેરબંધારણીય માનવામાં આવી રહ્યા છે.

News in English

Bitcoin jumped to a new six-month high on Friday in a move that traders said was the result of technical forces, with no immediate news catalysts sending the cryptocurrency higher.

Bitcoin climbed more than 6 per cent to briefly break $5,700, its highest since November 14. It was last at $5,680 on the Bitstamp exchange, taking gains this year for the original and biggest virtual currency to nearly 55 per cent.

Other major cryptocurrencies such as ethereum and Ripple’s XRP, their prices often seen as correlated to bitcoin, also moved higher.

April 28, 2019
srilanka.jpg
1min7740

અમેરિકાએ પોતાના નાગરિકોને શ્રીલંકાના પ્રવાસે જવા સામે ચેતવણી આપી હતી. શ્રીલંકામાં ઇસ્ટર રવિવારે થયેલા 8 ધડાકા અને હજી વધુ ત્રાસવાદી હુમલા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી અપાઇ હતી.

શ્રીલંકામાં ગયા રવિવારે 3 ચર્ચ, 3 પંચતારક હૉટેલ, એક પ્રાણીબાગ પાસે અને એક ઇમારતમાં થયેલા કુલ 8 ધડાકામાં ઓછામાં ઓછા 359 લોકો માર્યા ગયા હતા અને પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે શ્રીલંકાના પ્રવાસના જોખમનું સ્તર શુક્રવારે વધારીને ‘ત્રીજા સ્તર’નું કર્યું હતું. આ ઉપરાંત, શ્રીલંકામાં રહેતા જે અમેરિકાના સરકારી કર્મચારીઓના બાળકો શાળામાં જતાં હોય તેઓને સ્વદેશ જવાની સલાહ અપાઇ હતી.

અમેરિકાના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ત્રાસવાદી સંગઠનો શ્રીલંકામાં ફરી હુમલા કરે એવી શક્યતા છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાં પરિવહન કેન્દ્રો, બજારો, શૉપિંગ મોલ્સ, સરકારી કચેરીઓ, હૉટેલ્સ, ક્લબ્સ, રેસ્ટૉરાં, ધાર્મિક સ્થળો, બગીચા, મોટા સ્પૉટર્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ, વિમાનમથકો, હૉસ્પિટલો અને અન્ય જાહેર સ્થળે ત્રાસવાદી હુમલા થઇ શકે છે. તેણે જણાવ્યું હતું કે શ્રીલંકામાંની સલામતીને લગતી હાલની પરિસ્થિતિને કારણે અમેરિકી નાગરિકોને તાકીદની સેવા પૂરી પાડવાની અમેરિકી સરકારની ક્ષમતા મર્યાદિત છે.

April 22, 2019
lanka.jpg
1min11260
ત્રણ દેવળ, ત્રણ હોટલ, એક ઘર નિશાન : સાતની ધરપકડ; કર્ફયુ, 500 લોકો ઘાયલ
દુનિયાભરના દેશોની જેમ શ્રીલંકાના ત્રણ દેવળો તેમજ હોટલ પર નિશાન સાધતાં ઇસ્ટરના રવિવારની સવારથી છ કલાકમાં કરાયેલા આઠ શ્રેણી બદ્ધ બોમ્બ ધડાકામાં 207 લોકોના મોત થયાં હતાં, તો આ ટાપુ દેશને ધ્રૂજાવી નાખનાર ખતરનાક હુમલાઓમાં 500 જેટલા લોકોયે ઘાયલ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રી પાલા સિરીસેના સાથે ફોન પર વાત કરીને શોકની લાગણી સાથે તમામ સંભવ મદદની તત્પરતા બતાવી હતી. આ જીવલેણ હિંસાબાદ સાત સંદિગ્ધ હુમલાખોરોની ધરપકડ કરતાં કફર્યુની ઘોષણા સાથે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.
એલ.ટી.ટી.ઇ. સાથે નિર્મમ નાગરિક યુદ્ધના અંત પછી એક દાયકા સુધી સ્થપાયેલી શાંતિનો ભંગ કરતાં કરાયેલા આઠમાંથી કમસેકમ બે બોમ્બ હુમલામાં બે આત્મઘાતીઓ બોમ્બરની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતુ ં.
સિંહાલી પ્રશાસને અફવા, હિંસા અને અરાજકતાની વિકટ સ્થિતિઓ ટાળવાના હેતુ સાથે આજે સાંજે છ વાગ્યાથી આવતીકાલે સોમવારની સવારે છ વાગ્યા સુધી કફર્યુ લાદી દીધો હતો. સ્થિતિ નિયંત્રણમાં નહીં આવે તો કફર્યુનો ગાળો લંબાવી પણ શકાય છે.
આતંકવાદીઓએ સવારે પોણા નવ વાગ્યાના અરસામાં ઇસ્ટર પ્રાર્થના સભા દરમ્યાન રાજધાની કોલંબોમાં સેંટએથની ચર્ચ, પશ્ચિમી કાંઠાળ શહેર નેગેમબોનાં સેંટ સેબેસ્ટિયન ચર્ચ તેમજ બદ્ધિકલોવાનાં એક ચર્ચ પર નિશાન સાધતાં જીવલેણ ધડાકા કર્યા હતા. આ ધડાકાઓ બાદ ટાપુ રાષ્ટ્રમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.
પ્રશાસને બચાવ-રાહત અભિયાન છેડયું હતું. આતંકીઓએ શંગરીલા, ધ સિનામોન ગ્રાન્ડ અને ધ કિંગ્સબરી એમ ત્રણ લકઝરી હોટલોને નિશાન સાધતાં પણ ધડાકા કર્યા હતા. આ આઠ શ્રેણીબદ્ધ બોમ્બ હુમલામાં જીવ ખોનાર 207માં 35 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
કુલ્લ સાત ધડાકા કર્યાની થેડીવાર પછી આજે બપોરે લગભગ ત્રણ વાગ્યે એક રહેણાંક પરિસર પર નિશાન સાધતાં આઠમો ધડાકો કર્યો હતો. એક ઇમારતમાં તલાશ માટે પોલીસ કર્મી અંદર પ્રવેશ્યા ત્યારે આતંકવાદીઓએ જાતને બોમ્બથી ફૂંકી મારતાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ભારત, પાકિસ્તાન, અમેરિકા, મોરક્કો અને બાંગલાદેશમાંથી આવેલા પર્યટકો પણ આ શ્રેણીબદ્ધ ધડાકાઓમાં ઘાયલ થયા હતા.
શાંતિનો સંદેશ આપતાં દેવળોમાં અશાંતિ ફેલાવતાં આતંકવાદના અધમ કૃત્યથી લાશોના ડગલા નજરો નજર જોનારા સૌ કોઇની આંખોથી ચોધાર આંસુ સરી પડયાં હતાં. કરુણ દ્રશ્યો સર્જાતાં લોકો અવાક અને સ્તબ્ધ બની ગયા હતા.
દસ દી’ પહેલાં જ મળી’તી ગુપ્તચર બાતમી
આ ધડાકા વિશે શ્રીલંકા પોલીસની પાસે પહેલાંથી જ ‘ઇનપુટ’ હતું. આમ છતાં આ ધડાકાને રોકી શકાયા નહોતા.
જાણકારી મળી છે કે, 10 દિવસ પહેલાં એવી ગુપ્તચર માહિતી હતી કે, દેશના મુખ્ય ચર્ચોની સાથેસાથે ભારતીય રાજદ્વારી કચેરીઓ પણ કટ્ટરપંથીઓના નિશાને છે. મળતી જાણકારી મુજબ શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારીએ દસ દિવસ પહેલાં એલર્ટ આપ્યું હતું.
મોદી, કોવિંદે કરી ટીકા: ભારત શ્રીલંકાની સાથે છે
એક પછી એક લગાતાર સાત ધડાકાથી ધ્રૂજી ઉઠેલાં શ્રીલંકામાં રવિવારે 150થી વધુ લોકોના મોતના હિંસક કૃત્યની ભારત સહિત દુનિયાભરના દેશોએ આકરી ટીકા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ હુમલાઓની ટીકા કરું છું. આપણા ક્ષેત્રમાં આવી બર્બરતા માટે કોઇ જગ્યા નથી. આ મુશ્કેલ સમયમાં ભારત શ્રીલંકાની સાથે છે. મોદીએ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટર પરથી સંદેશમાં જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો પર બુદ્ધિહીન હિંસાની સભ્ય સમાજમાં કોઇ’ જગ્યા નથી. અમે શ્રીલંકાની સાથે છીએ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ મૃતકોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.
કોંગ્રેસ પક્ષે’ પણ નિવેદન જારી કરતાં આ દુ:ખના સમયમાંથી લોકો જલ્દી બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ દુ:ખની લાગણી સાથે કહ્યું હતું કે, મારી પીડિતો માટે પ્રાર્થના છે. બીજી તરફ પાકિસ્તાને પણ આ હુમલાઓની’ નિંદા કરી હતી. પાક વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહંમદ ફૈઝલે કહ્યું હતું કે, આતંકવાદ વિરુદ્ધ પાકિસ્તાન શ્રીલંકાની સાથે છે.
ત્રણ ભારતીયનાં પણ મૃત્યુ
શ્રીલંકામાં રવિવારે સવારે થયેલા શ્રેણીબદ્ધ આઠ બોમ્બ વિસ્ફોટમાં ત્રણ ભારતીય નાગરિકના પણ મૃત્યુ થયા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર મારફતે આ જાણકારી જારી કરી હતી. મૃતકોનાં નામ લોકાશિની, નારાયણ ચંદ્રશેખર અને રમેશ છે અને આ ત્રણેય મૃતકો અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.
April 21, 2019
Tokyo-2020-Olympics.png
1min467

રમતના આ મહાકુંભમાં ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ
ટોક્યોમાં યોજાશે ઓલમ્પિક 2020

જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે, તાજેતરમાં ઓલમ્પિક્સની મહત્વની તારીખો અને કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.

 

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇ 2020 થી શરૂ થશે અને અંતિમ મુકાબલો તા. 9 ઑગસ્ટ 2020ના રોજ રમાશે. ટોક્યો ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભિક દિવસ તા. 24 જુલાઇના રોજ રોવિંગ અને તીરંદાઝીની હરીફાઇ યોજાશે. 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.

ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે

8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.

April 20, 2019
amazon_logo.png
1min7200

ટોચની વૈશ્વિક ઇ-કોમર્સ કંપની Amazon.comને ચીનમાં પીછેહટ કરવી પડી છે. કંપનીએ જુલાઈમાં ચીન ખાતેનો માર્કેટપ્લેસ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં કંપની સ્થાનિક ગ્રાહકોને લોકલ વેન્ડર્સની પ્રોડક્ટ્સ વેચવાને બદલે વિદેશી પ્રોડક્ટ્સના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

એમેઝોન ચીનમાં અન્ય બિઝનેસ ચાલુ રાખશે. જેમાં એમેઝોન વેબ સર્વિસિસ, કિંડલ ઇ-બુક્સ અને ક્રોસ-બોર્ડર કામગીરીનો સમાવેશ થાય છે. ક્રોસ-બોર્ડર બિઝનેસ ચીનના વેપારીઓને વિદેશી ગ્રાહકોને માલ પહોંચાડવામાં મદદ કરે છે. 18 જુલાઈથી જે ગ્રાહકો એમેઝોનના ચાઇનીઝ વેબ પોર્ટલ Amazon.cn પર લોગ-ઈન કરશે તો એ થર્ડ-પાર્ટી સેલર્સને બદલે એમેઝોનના ગ્લોબલ સ્ટોરમાંથી જ ગૂડ્ઝ પસંદ કરી શકશે.

વિશ્વના સૌથી મોટા રિટેલ માર્કેટના ઇ-કોમર્સ બિઝનેસમાંથી એક્ઝિટ એમેઝોન અને CEO જેફ બેઝોસ માટે મોટો આંચકો કહી શકાય. બેઝોસ લાંબા ગાળાના લક્ષ્યાંક હાંસલ કરવા નુકસાન વેઠવા જાણીતા છે. જોકે, એક બાબત એ પણ સ્પષ્ટ થઈ છે કે અમેરિકન કંપની ચીનમાં લોકલ ઇ-ટેલર્સ અલીબાબા ગ્રૂપ અને JD.કોમ તેમજ ગ્રૂપ બાઇંગ એપ Pinduoduo ઇન્ક સાથે સ્પર્ધા કરી શકી નથી.

એમેઝોને ચીનના લોકલ બૂક સેલરને 7.5 કરોડ ડોલરમાં ખરીદી 2004માં ચીનમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી કંપનીએ વેરહાઉસિસ, ડેટા સેન્ટર્સ અને ચીનના સેલર્સને તાલીમ આપવામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કંપનીએ 2016માં ગ્રાહકોને આકર્ષવાના હેતુ સાથે ચીનમાં પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેમાં ઉચ્ચ ગુણવત્તાના વેસ્ટર્ન ગૂડ્ઝ અને ફ્રી ઇન્ટરનેશનલ ડિલિવરી જેવાં વચન અપાયાં હતાં. જોકે, એમેઝોન અન્ય દેશોમાં ગ્રાહકોને ખેંચવા પ્રાઇમ વિડિયો જેવાં આકર્ષણોનો ઉપયોગ કરે છે, જે ચીનમાં ઉપલબ્ધ નથી.

એમેઝોનની એન્ટ્રી પછી અલીબાબા, JD અને અન્ય ચાઇનીઝ પ્લેટફોર્મ્સે અમેરિકન ચેરીથી માંડી ઓસ્ટ્રેલિયન બેબી ફોર્મ્યુલા સુધીની તમામ પ્રોડક્ટ્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં વેચવાનું શરૂ કર્યું હતું. આઇરિસર્ચના જણાવ્યા અનુસાર ચીનમાં એમેઝોનનો હિસ્સો એક ટકાથી પણ ઓછો હતો. ચીનમાંથી એક્ઝિટ એ વાતનો સંકેત છે કે, એમેઝોન હવે ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં તેની પાસે ટોચની ઇ-કોમર્સ કંપની બનવાનો અવકાશ ઘણો સારો છે.

એમેઝોને 2013માં વેબસાઇટ શરૂ કર્યા પછી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને 50થી વધુ વેરહાઉસ બનાવ્યા છે. જોકે, ભારતમાં પણ એમેઝોને ચીનની કંપનીઓનો સામનો કરવો પડશે. કારણ કે અલીબાબા અને અન્ય કંપનીઓ ભારતમાં વિસ્તરણ માટે સક્રિય છે અથવા તેમણે Paytm અને બિગબાસ્કેટ જેવા લોકલ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની ચીન માટે મજબૂત કટિબદ્ધતા ધરાવે છે અને તે દેશમાં રોકાણ ચાલુ રાખશે. જોકે, કંપનીએ ઓનલાઇન રિટેલ બિઝનેસનું ફોકસ બદલી ક્રોસ-બોર્ડર સેલ્સ તરફ વાળ્યું છે.”

April 12, 2019
julian_assange.jpg
1min6240

લંડનસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીમાં સાત વર્ષ રહ્યા બાદ વીકીલિક્સના સહસ્થાપક જુલિયન અસાન્જેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હોવાનું સ્કૉટલૅન્ડ યાર્ડ પોલીસે કહ્યું હતું.  અસાન્જેની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલને સ્કોટલૅન્ડ યાર્ડે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે યુકેની જામીનની શરતોનો ભંગ કરવા બદલ જૂન 2012માં અમારા અધિકારીઓએ અસાન્જે વિરુદ્ધ વૉરંટ બહાર પાડ્યું હતું.

બળાત્કાર અને જાતીય હુમલાના આરોપસર સ્વીડનમાં તેમની ધરપકડ કરવામાં આવ્યા બાદથી લગભગ સાત વર્ષ સુધી 47 વર્ષના અસાન્જે સેન્ટ્રલ લંડનસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીની પાછળના ભાગમાં આવેલા આ ઓરડામાં રહ્યો હતો.

તેને અંતે અમેરિકાને સોંપી દેવામાં આવશે એવા ભયની ભૂમિકાને આધારે તેણે આશરો માગ્યો હતો. અમેરિકાની ગુપ્ત માહિતી જાહેર કરી દેવાના કથિત આરોપસર અસાન્જેને અમેરિકામાં મૃત્યુદંડની સજા થવાનો તેને ભય હતો. વૅસ્ટ મિનિસ્ટર્સ કૉટ્રમાં રજૂ કરતા અગાઉ અસાન્જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. અસાન્જેને સેન્ટ્રલ લંડન પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવવાનો છે.

ઍક્વાડૉરની સરકારે આશ્રય આપવાનું નકાર્યા બાદ અને રાજદૂત દ્વારા તેને એલચી કચેરીમાં બોલાવવામાં આવ્યાને પગલે મૅટ પોલીસ સર્વિસે વૅસ્ટમિનિસ્ટર કૉર્ટ વતી વૉરંટનો અમલ કર્યો હતો, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. બળાત્કાર અને જાતીય શોષણ અંગેની પ્રશ્ર્નોત્તરી માટે યુકેની સુપ્રીમ કૉર્ટ સુધી પહોંચેલા અસાન્જેએ જૂન 2012માં નાઈટ્સબ્રિજસ્થિત ઍક્વાડૉરની એલચી કચેરીમાં આશરો માગ્યો હતો.

જામીનની શરતોનો ભંગ કરવા બદલ અસાન્જે સ્કૉટલૅન્ડ યાર્ડના વૉન્ટેડ લિસ્ટમાં હતો અને રાજકીય રીતે સુરક્ષા પૂરા પાડતા વિસ્તારમાંથી બહાર પગ મૂકતાની સાથે જ તે ધરપકડનો સામનો કરી રહ્યો હતો, પરંતુ જેવું એ સુરક્ષા કવચ ખસેડી લેવામાં આવ્યું કે તરત જ તેની ધરપકડ કરવામાં આવી હતી. યુકેની સરકારે અસાન્જેની ધરપકડને એમ કહીને આવકારી હતી કે યુકે અને ઍક્વાડૉર વચ્ચેની સઘન વાટાઘાટનું આ પરિણામ હતું.

ઍક્વાડૉરના પ્રમુખ લૅનિન મૉરેનોએ કહ્યું હતું કે અસાન્જેએ આશ્રય આપવાની શરતોનો અવારનવાર ભંગ કર્યો હોવાને કારણે તેને આશ્રય આપવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

ક્વિટોએ રાજકીય આશ્રય પાછો ખેંચી લીધા બાદ ગુરુવારે લંડનમાં ધરપકડ કરાયેલા વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાન્જેને મૃત્યુદંડની સજા આપતા દેશને સોંપવામાં નહીં આવે, એમ ઍક્વાડૉરના પ્રમુખ લૅનિન મૉરેનોએ કહ્યું હતું.

અસાન્જેની હેરાનગતિ કરવામાં આવે કે તેને મૃત્યુદંડની સજા કરવામાં આવે એવા કોઈપણ દેશને તેની સોંપણી ન કરવાની ખાતરી આપવાનું બ્રિટનને જણાવ્યું હોવાનું લૅનિન મૉરેનોએ સોશિયલ મીડિયામાં પૉસ્ટ કરેલા વીડિયો સંદેશામાં કહ્યું હતું.

બ્રિટનની સરકારે લેખિતમાં આ અંગે બાંયધરી આપી છે, એમ તેમણે કહ્યું હતું.

અસાન્જેને રાજકીય આશરો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને હાલ બૅલ્જિયમમાં રહેતા મૉરેનોના પુરોગામી રાફૅલ કૉરેઆએ મૉરેનો પર ભ્રષ્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગુના અંગેની નીતિમાં ફેરફાર કરવાના તેમના નિર્ણયને એમ કહીને વખોડી કાઢ્યો હતો કે તેમણે જે કર્યું છે તેને માનવતા ક્યારેય માફ નહીં કરે.

April 11, 2019
therasa.jpg
1min8570

બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેએ બુધવારે કહ્યું કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ ઈન્ડિયન ઈતિહાસ પર ‘શરમજનક દાગ’ છે. જો કે તેમણે વિધિવત માફી માગી ન હતી. થેરેસા મેએ એક નિવેદનમાં કહ્યું કે ‘1919ની જલિયાંવાલા બાગ કરુણાંતિકા બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર શરમજનક દાગ છે. 1997માં જલિયાંવાલા બાગની મુલાકાત લેતા અગાઉ હર મેજેસ્ટી ધ ક્વિન (એલિઝાબેથ દ્વિતીય)એ કહ્યું હતું તે પ્રમાણે ભારત સાથેના આપણા ભૂતકાળના ઈતિહાસમાં કરુણ બનાવ છે.’ થેરેસા મેએ રાષ્ટ્રવતી ઔપચારિક માફી ન માગી હતી અને ફક્ત ‘ખેદ’ વ્યક્ત કર્યો હતો. સંસદમાં વિવિધ નેતાઓ દ્વારા વિધિવત માફીની માગ કરવામાં આવી હતી, પણ વડા પ્રધાન મેએ કહ્યું કે ‘જે થયું હતું અને જે યાતના સહન કરવી પડી હતી તેનો અમને ખૂબ જ ખેદ છે.’

મંગળવારે વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્વિને માગ કરી હતી કે ‘જે થયું હતું તેને માટે સંપૂર્ણ, સ્પષ્ટ માફી’ હોવી જોઈએ. 13મી એપ્રિલ 1919ના દિવસે જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો અને આગામી શનિવારે તે કરુણાંતિકાને સદી પૂરી થશે તે ધ્યાનમાં રાખી મંગળવારે બ્રિટિશ સાંસદોએ વિધિવત માફીના મુદ્દા પર વેસ્ટમિન્સ્ટર હોલમાં ચર્ચા કરી હતી.

ભારતીય મૂળના સાંસદ પ્રીતકૌર ગિલે કહ્યું હતું કે ‘હત્યાકાંડમાં બ્રિટનની ભૂમિકાનો યુકે સરકારે સ્વીકાર કરવો જોઈએ અને ઔપચારિક માફી માગવી જોઈએ.’

April 7, 2019
eupassport.png
1min15960

બ્રૅક્ઝિટમાં વિલંબ અને યુકે ક્યારે તેમાંથી બહાર નીકળશે એ અંગે પ્રવર્તી રહેલી અનિશ્ર્ચિતતા છતાં બ્રિટને કવર પરથી ‘યુરોપિયન યુનિયન’નું લખાણ હટાવી દઈ પાસપૉર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. વર્ષ 2017માં લેવામાં આવેલા નિર્ણયને પગલે મૂળમાં બ્રિટન વર્ષ 2019ની 29 માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું હતું તેના એક દિવસ બાદ એટલે કે 30 માર્ચે આપવામાં આવેલા અમુક પાસપૉર્ટમાં ‘યુરોપિયન યુનિયન’નો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, એમ આંતરિક બાબતોના ખાતાએ એક નિવેદનમાં કહ્યું હતું.

‘યુરોપિયન યુનિયન’ લખેલો કે એમ ન લખેલું હોય તેવા બંનેમાંથી કોઈપણ પાસપૉર્ટ વાપરવાથી બ્રિટિશ નાગરિકોને કોઈ ફરક નહીં પડે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે પ્રવાસ કરવા માટે આ બંને પાસપૉર્ટ માન્ય હશે. બ્રિટન 29 માર્ચે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જવાનું હતું, પરંતુ છૂટા પડવાના કરારની શરતોને પગલે બ્રિટન રાજકીય રીતે લકવાગ્રસ્ત થઈ જતાં યુરોપિયન યુુનિયનમાંથી ખસી જવામાં વિલંબ કરવાની તેને ફરજ પડી હતી.