Helpline numbers for Indians in New Zealand needing assistance: 021803899 or 021850033
તા.15મી માર્ચ 2019ની સાંજ ન્યુઝીલેન્ડ માટે સૌથી કારમી સાંજ નિવડી છે. ન્યુઝીલેન્ડ દેશ પર થયેલા સૌથી પહેલા આતંકી હુમલામાં 40થી વધુ લોકોના મોત તો નિપજ્યા છે, પરંતુ, આ નાનકડા દેશમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનાએ લાખો લોકોને હચમચાવી મૂક્યા છે. ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં વણઓળખાયેલા હુમલાખોરે અંધાધૂંધ ફાયરીંગ કરીને જે વ્યક્તિ દેખાઇ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. અંધાધૂંધ ફાયરિંગના આ આતંકી હુમલામાં 50થી વધુ લોકોના મોત થવાની અને 30 જેટલા લોકોના ઘાયલ થયા હોવાના મિડીયા રિપોર્ટસ ન્યુઝીલેન્ડથી મળી રહ્યા છે.

પહેલો હુમલો અલ નૂર મસ્જિદમાં થયો. રિપોર્ટ્સ મુજબ હુમલાવરને પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. હુમલાને પ્રત્યક્ષ જોનારા લોકોના કહેવા મુજબ હુમલાખોરે કાળા કપડાં પહેર્યા હતા અને તે માથા પર હેલ્મેટ પહેરીને આવ્યો હતો. તેની પાસે રહેલા સ્વચાલિત હથિયાર વડે તે ફાયરિંગ કરી રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.

ન્યૂઝીલેન્ડ પોલીસે એક નિવેદન દ્વારા જાણકારી આપી છે કે,‘ક્રાઈસ્ટચર્ચની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં શૂટર્સ ઘુસી આવ્યા છે જે હજી પણ સક્રિય છે. પોલીસ તેને ઠાર કરવાના શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહી છે પરંતુ હજી પણ પરિસ્થિતિ પોલીસના હાથની બહાર છે
ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિન્ડા ઓર્ડર્ને તેને દેશનો સૌથી કાળો દિવસ જણાવતા કહ્યું કે, મસ્જિદમાં ઘણી જગ્યાઓથી ફાયરિંગ થઈ રહ્યું છે. તેમણે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવાનો આગ્રહ કરતા કહ્યું કે હુમલાવર હજુ સક્રિય છે અને તે લોકોને નુકસાન પહોંચાડી શકે છે. તેમણે કહ્યું, ન્યૂઝીલેન્ડમાં હિંસાની કોઈ જગ્યા નથી.

મસ્જિદમાં થયેલા હુમલા બાદ બંને ટીમોએ શનિવારે ક્રાઈસ્ટચર્ચમાં રમાનારી ટેસ્ટ મેચને રદ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પોતાના ઔપચારિક ટ્વીટર હેન્ડલ દ્વારા આ વાતની જાણકારી આપી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટમાં આ હુમલામાં પ્રભાવિત થયેલા લોકોના પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

ન્યૂઝીલૅન્ડમાં ક્રાઇસ્ટચર્ચ સ્થિત મસ્જિદ પાસે ગોળીબાર થયો છે, જેમાં 40 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું તથા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાનું વડા પ્રધાને જણાવ્યું છે.

બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડના પ્રવાસે હતી અને તેઓ મસ્જિદમાં પ્રવેશે એ પહેલાં જ હુમલો થયો હતો. આ પ્રવાસ રદ કર્યો હોવાનું ખેલાડીઓએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું. પોલીસ કમિશનર માઇક બુશે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હુમલાની ઘટના બાદ ત્રણ પુરુષો અને એક મહિલાની અટકાયત કરાઈ છે.
ન્યુઝીલેન્ડના ઇતિહાસમાં બ્લેક ડે
ન્યૂઝીલૅન્ડના વડા પ્રધાન જૅસિંડા અર્ડર્ને મૃતકોની પુષ્ટિ કરતાં શુક્રવારને પોતાના દેશ માટે ‘કાળો દિવસ’ ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ મામલે એક મહિલા સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વડા પ્રધાને કહ્યું કે, “ક્રાઇસ્ટ ચર્ચ આ પીડિતોનું ઘર હતું. આમાંથી ઘણી લોકોનો જન્મ અહીં જ થયો હતો, ઘણા લોકો માટે ન્યૂઝીલૅન્ડ તેમનો મનપસંદ દેશ હતો.” દેશના પ્રથમ વડા પ્રધાને દેશના નામે આપેલાં સંદેશમાં કહ્યું હતું, “હું તમને કહી શકું છું કે ન્યૂઝીલૅન્ડ માટે આ કાળા દિવસોમાંનો એક છે.”

ન્યૂઝીલૅન્ડના પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે આ મામલામાં ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં ત્રેણ પુરુષો અને એક મહિલાઓ છે. હજી એવું ન કહી શકાય કે ખતરો ટળી ગયો છે. સ્થાનિક તંત્રે તમામ મસ્જિદો આગામી જાહેરાત ન કરાય ત્યાં સુધી બંધ રાખવાની સૂચના આપી છે. પોલીસ કમિશનર માઇક બુશે કહ્યું કે ક્રાઇસ્ટચર્ચની શાળાઓ બંધ રાખવામાં આવી છે. મસ્જિદમાં હુમલો થયો છે તેની બાજુની અન્ય મસ્જિદ ખાલી કરાવી હોવાના અહેવાલ છે. મીડિયાના અહેવાલો મુજબ પોલીસ આસપાસની ઇમારતોને ખાલી કરાવી રહી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કૅથેડ્રલ સ્ક્વેર પણ ખાલી કરાવાયું છે, જ્યાં ક્લાઇમેટ ચૅન્જ માટેની એક રેલી માટે હજારો બાળકો એકઠાં થયાં હતાં. પોલીસ કમિશનર માઇક બુશે જણાવ્યું, “ક્રાઇસ્ટચર્ચમાં એક શૂટરના કારણે ગંભીર ઘટના બની છે, જેની હજુ વધુ માહિતી આવી રહી છે. ” “આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ પૂરતા પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજુ પણ જોખમ રહેલું છે. “પોલીસે કહ્યું છે કે ક્રાઇસ્ટચર્ચની આસપાસ રહેતા લોકોએ આગામી આદેશ સુધી ઘરમાં જ રહેવું, બહાર રસ્તા પર ન આવવું.” “પોલીસે સ્થાનિકોને તેમના ઑપરેશનમાં સહકાર આપવા બદલ આભાર માન્યો છે, અને નાગરિકોને વધુ માહિતી આપતા રહેવાની વાત કરી છે.”
ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે શનિવારથી શરૂ થતી ટેસ્ટ મેચ રદ
તાજેતરમાં જ ક્રિકેટ મૅચ માટે બાંગ્લાદેશની ટીમ ન્યૂઝીલૅન્ડ પહોંચી છે. ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના એક રિપોર્ટરે ટ્વીટ કર્યું છે, “હૅગલે પાર્ક પાસેની મસ્જિદમાં ભાગદોડ, ત્યાં હુમલાખોરો હતા.”. જાણકારી મુજબ ગોળીબાર સમયે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં ઉપસ્થિત હતી, પરંતુ તે સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહી. સ્થાનિક મીડિયાના આધારે કૅંટબરી ડિસ્ટ્રિક્ટ હૅલ્થ બોર્ડે પોતાની ઇમર્જન્સી સેવાઓ શરૂ કરી દીધી છે.
