રિટાયર્ડ બાસ્કેટબોલ સ્ટાર કોબી બ્રાયંટ(41)નું રવિવારે હેલિકોપ્ટર ક્રેશમાં મોત નિપજ્યું હતું.
કેલિફોર્નિયાના કેલાબેસસમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં કોબી સહિત 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના એટલી ગમખ્વાર હતી કે હેલિકોપ્ટરમાં
બેઠેલું કોઈ બચી શક્યું નહીં. કોબી પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ
એસોસિએશન (NBA)માં 20 વર્ષ સુધી રમ્યો હતો અને 5 ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. તેના
મોતથી ખેલાડીના ફેન્સમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.
લોસ એન્જલસથી લગભગ 65 કિમી દૂર હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ કોબીનું પ્રાઈવેટ
હેલિકોપ્ટર હતું. કહેવાય છે કે હેલિકોપ્ટર હવામાં હતું ત્યારે જ આગ લાગી ગઈ હતી
અને પછી તે ચક્કર ખાતા નીચે પડી ગયું હતું. ક્રેશના કારણે નીચે જંગલી વિસ્તારમાં
પણ આગ લાગી ગઈ હતી જેથી દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર સુધી પહોંચવામાં બચાવ દળને પણ
ખૂબ જ મુશ્કેલી પડી હતી.
અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને
ક્રેશ થયેલા હેલિકોપ્ટરની ઓળખ સિકોરસ્કાઈ એસ-76 કરી છે. બ્રાયન કોબી લોસ એન્જલસ લેકર્સના
સ્ટાર પ્લેયર હતા તે સમયે પણ પોતે ગમે ત્યાં જાય હેલિકોપ્ટર મારફત જ જતા હતા.
પોતાની 20 વર્ષની કરિયરમાં બ્રાયન કોબી 18 વાર NBA ઓલસ્ટાર રહ્યા. કોબીની પાછળ હવે તેમની
પત્ની અને ચાર દીકરીઓ પરિવારમાં છે.
ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કૉરોના વાઈરસને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહેલા ચીને શનિવાર તા.25મી જાન્યુઆરી 202ના રોજ કહ્યું હતું કે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 41 વ્યક્તિનો ભોગ લેનારાં આ જીવલેણ વાઈરસનો ભોગ બનેલા દરદીઓ માટે શરૂ કરવામાં આવેલી ૧૦૦૦ પલંગ ધરાવતી હૉસ્પિટલમાં 1500 કરતા પણ વધુ દરદી ભરતી થયા હોવાનાં અહેવાલને સમર્થન આપ્યું હતું. દરદીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારના રોજ જાહેર કર્યું હતું કે, વાયરસની લપેટમાં આવેલા 1287 મામલાઓમાંથી 237 લોકોની સ્થિતિ ગંભીર છે. ન્યૂમોનિયા જેવા આ વાયરસના કારણે અત્યારસુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચીનના મધ્ય હુબેઈમાંથી 39 મોત નિપજ્યા છે જ્યારે એક મોત ઉત્તરપૂર્વીય હીલોંગજિયાંગમાં થયું છે. આયોગે જણાવ્યુ કે કુલ 1965 સંદિગ્ધ મામલાઓ નોંધાયા હોવાનો અહેવાલ છે. વુહાન અને હુબેઈમાં તમામ સાર્વજનિક અવરજવર સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે.
બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ ચીને જીવલેણ વાઈરસનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરની આસપાસના વધુ ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદતા કુલ ૧૩ શહેરના ૪.૧ કરોડ લોકો પર તેની અસર થઈ છે.
વાઈરસ સૌપ્રથમ જ્યાં જોવા મળ્યો હતો તે સેન્ટ્રલ હુબેઈ પ્રાન્તમાં આવેલા ઝિયાનિંગ, ઝિયાગાન, ઍન્શી અને ઝિજિયાન્ગ શહેરના અધિકારીઓએ કહ્યું હતું કે આ શહેરોમાં બસ અને રેલવે સહિતની તમામ પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે.
૮૦૦ કરતા પણ વધુ લોકોને ચેપ લગાડનાર નવા કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો તેમાં ઉપરોક્ત શહેરોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
હુબઈ પ્રાન્તની રાજધાની ગણાતા વૂહાન શહેરમાં સૌપ્રથમ આ વાઈરસ દેખાયો હતો.
આ શહેરની સીફૂડ અને ઍનિમલ માર્કેટ આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું.
સાડાપાંચ લાખની વસતિ ધરાવતા ઝિજિયાન્ગમાં ફાર્માને બાદ કરતા તમામ બિઝનેસ તો આઠ લાખની વસતિ ધરાવતા ઍન્શીમાં મનોરંજનનાં તમામ સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.
કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ
જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.
આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.
ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.
વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.
આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.
દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.
ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ
ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.
ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.
આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.
2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.
સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.
Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.
What is this virus?
It’s a new type of coronavirus that scientists have not seen before.
The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.
Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.
Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.
China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.
Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.
Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.
“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”
ઈન્ટરપોલ દ્વારા દુષ્કર્મ, યૌન ઉત્પીડનના આરોપી સ્વયંભૂ બાબા નિત્યાનંદની તલાશ માટે બ્લ્યૂકોર્નર નોટિસ જારી કરાઈ છે. બાબાને શોધવામાં મદદ માટે આ નોટિસ જારી કરાઈ હોવાના સમાચારને ગુજરાત પોલીસે બુધવારે સમર્થન આપ્યું હતું.
ગત ડિસેમ્બરમાં ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, સ્વયંભૂ બાબા નિત્યાનંદ દેશ છોડીને ફરાર થઈ ગયો છે. તેની તલાશ માટે વિદેશ મંત્રાલય પણ મદદ કરી રહ્યું છે. ગુજરાતમાં બાળકોનું અપહરણ કરી, અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવીને અનુયાયીઓ પાસેથી ફાળો એકઠો કરવાના કામે લગાડી દેવાનો બાબા પર આરોપ છે.
કર્ણાટકમાં પણ બની બેઠેલા બાબા નિત્યાનંદ વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મના કેસ થયેલા છે. પોલીસે બાબાની બે મહિલા શિષ્યા સાધ્વી પ્રાણ પ્રિયાનંદ અને પ્રિયાતત્ત્વ રિદ્ધિકરણની ધરપકડ કરાઈ હતી.
ઈન્ટરપોલ એવા ફરાર અપરાધીની તલાશ માટે બ્લ્યૂકોર્નર નોટિસ જારી કરે છે જેની ઓળખ થઈ ચૂકી હોય અથવા ન થઈ હોય કે અપરાધી કાયદાનો ભંગ કરીને ફરાર થયો હોય. મોજશોખવાળી જીવનશૈલી માટે જાણીતા બની ગયેલા બાબા નિત્યાનંદે દક્ષિણ અને રિકાના એક દેશ ઈકવાડોરમાં એન ટાપુ ખરીદી તેને આઝાદ દેશ જાહેર કરી દીધો છે.
ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.
વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’
વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.
હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.
બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.
મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.
નાસાએ તૈયાર કરેલા નવા અગિયાર અવકાશયાત્રીઓમાં ભારતીય મૂળના રાજા જૉન વૃપુતુર ચારીનો સમાવેશ થાય છે અને તે નાસાના મહત્ત્વાકાંક્ષી ભાવિ મૂન-માર્શ અને આંતરરાષ્ટ્રીય અવકાશમથક મિશનનો હિસ્સો છે.
નાસાએ ભાવિ મિશનની જાહેરાત કર્યા બાદ વર્ષ ૨૦૧૭માં મળેલી ૧૮૦૦૦ અરજીમાંથી આ અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી હતી.
૪૧ વર્ષના ચારીની નાસાએ વર્ષ ૨૦૧૭માં અવકાશયાત્રીના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી.
ઑગસ્ટ ૨૦૧૭માં તેને અવકાશયાત્રી તરીકેની તાલીમ માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે તેની પ્રારંભિક તાલીમ પૂરી કરી હતી અને હવે તે મિશનનો હિસ્સો બનવાને પાત્ર બની ગયો છે.
શુક્રવારે યોજાયેલા એક સમારોહમાં નવા પસંદ કરાયેલા તમામ અવકાશયાત્રીઓને ચાંદીની પીન આપવામાં આવી હતી. હ્યુસ્ટનસ્થિત નાસાના જૉન્સન સ્પેસ સેન્ટર ખાતે એજન્સીના વહીવટકર્તા જિમ બ્રિન્ડેસ્ટાઈને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં અમેરિકા ભાવિ મૂન-માર્શ મિશન માટે નવા અવકાશયાત્રીઓને મોકલવાનું હોવાને કારણે અમેરિકા માટે પ્રગતિનું આ મહત્ત્વનું વર્ષ હશે. પસંદ કરાયેલા ૧૧ અવકાશયાત્રી અમેરિકાના શ્રેષ્ઠ લોકોમાંનાં એક છે અને અમારી અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાવું એ તેમના માટે માની ન શકાય તેવી વાત છે, એમ તેમણે કહ્યું હતું.
તેમની પ્રથમ અવકાશયાત્રા પૂરી કર્યા બાદ આ અવકાશયાત્રીઓને ગૉલ્ડ પીન આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
વિશ્ર્વની સંખ્યાબંધ વિમાની કંપનીઓએ બુધવારે ઈરાન-ઈરાકના આકાશમાંથી પસાર થતા રૂટનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ભારત, ફ્રાન્સ, અમેરિકા, રશિયા, હોલેન્ડ, જર્મની, પોલેન્ડ, ઑસ્ટ્રેલિયા, વિયેટનામ, જાપાન, હોંગકોંગ સહિતના દેશોએ ઈરાન-ઇરાકની ઍરસ્પેસ પરથી ઉડ્ડયન નહીં કરવાનું બુધવારે જાહેર કર્યું હતું. ઍરફ્રાન્સના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘હવાઈ હુમલાના સમાચાર પછી સાવચેતીના પગલાં તરીકે ઍરફ્રાન્સે ઈરાન, ઈરાક રૂટ પરથી જતી તમામ ફ્લાઈટસ રદ કરવાનો નિર્ણય
કર્યો છે. યુએસ ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને ઈરાક, ઈરાન, ગલ્ફ ક્ષેત્રની ઍરસ્પેસ પરથી અમેરિકાની વિમાની કંપનીઓની ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાની ફેડરલ ઍર ટ્રાન્સપોર્ટ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસની સલામતી સામેના જોખમને ધ્યાનમાં લઈ ઈરાન, ઈરાક, પર્શિયન ગલ્ફ, ઓમાન ગલ્ફની ઍરસ્પેસમાંથી ઉડ્ડયન નહીં કરવાની વિમાની કંપનીઓને ભલામણ કરવામાં આવે છે.
આ ક્ષેત્રની ઍરસ્પેસ યુરોપ અને એશિયા વચ્ચેની ફ્લાઈટસ માટે મહત્ત્વનું કોરિડોર છે. કેએલએમ, લુફથાન્સા, પોલેન્ડની એલઓટી ઍરલાઈને, ઑસ્ટ્રેલિયાની ક્વાન્ટસે, સિંગાપોર ઍરલાઈન્સ, મલયેશિયા ઍરલાઈન્સે, વિયેટનામ ઍરલાઈન્સે, જાપાનની એએનએ અને જેએએલ ઍરલાઈન્સે, હોંગકોંગની કેથેપ પેસિફિક ઍરલાઈન્સે પણ આવો જ નિર્ણય કર્યો હતો.
તા.7મીની મધરાતે ઇરાન દ્વારા ઇરાકમાં સ્થાપિત અમેરિકાના એરબેઝ પર મિસાઇલોથી હુમલા કર્યાના સમાચાર છે. આ એજ એરબેઝ છે જેની ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઇ ચૂક્યા છે. એક પછી એક ડઝન જેટલી મિસાઇલો અમેરીકન એરબેઝ પર દાગવામાં આવી હોવાના અહેવાલે અમેરીકાને પણ હચમચાવી મૂક્યું છે.
પેંટાગનના મતે તેમના એરબેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડાઇ છે. એરબેઝ પર અમેરિકાની સાથે ગઠબંધન સેનાઓ તૈનાત છે. આ હુમલામાં અમેરિકા અને ગઠબંધન સેનાઓને હજુ સુધી કોઇપણ નુકસાનના સમાચાર નથી. અમેરિકન રક્ષા અધિકારીના મતે લગભગ આજે બુધવાર ભારતીય સમય અનુસાર સવારે સાડા પાંચ વાગ્યે અમેરિકન અને ગઠબંધન સેનાના ઠેકાણા પર 1 ડઝન મિસાઇલોથી હુમલો કરાયો છે.
US મીડિયા સીએનએન ન્યૂઝે પણ એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી હુમલાની
પુષ્ટિ કરી જ્યાં અમેરિકન સેનાનો બેઝ કેમ્પ છે. આની પહેલાં પણ ઇરાને અમેરિકન
દૂતાવાસ પર હુમલો કર્યો હતો ત્યારબાદ બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં કાસિમ
સુલેમાનીને ઠાર મારવામાં આવ્યો હતો.
બુધવારે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કમાંડરે સરકારી મીડિયાને જણાવ્યું કે, ‘ઈરાકમાં આવેલ USના એરબેસ પર ઈરાની મિસાઈલ હુમલો તો ફક્ત એક પહેલું પગલું છે. તેહરાન અમેરિકન સૈન્યને નહીં છોડે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે પોતાની સેનાઓને પરત પાછી ખેંચવી જ પડશે અથવા તો અમારી પહોંચથી દૂર કરવી પડશે.
અમેરિકન સેના બેઝ પર બુધવારે વહેલી સવારે
મિસાઇલ હુમલા બાદ પેંટાગને નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ હુમલામાં થયેલા
નુકસાનની અંગે સર્વે કરી રહ્યા છે. કમાંડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન
ખૂબ જ ગુસ્સામાં છે અને તેણે આક્રમક પગલા ઉપાડશે તેવી સ્પષ્ટ વાત જાહેર કરી હતી.
સૌથી નાની વયે કોઇ દેશના વડાપ્રધાન
બનવાનું શ્રેય ધરાવતા ફિનલેન્ડના વડાંપ્રધાન સના મરીને એક નવો કાયદો રજૂ કર્યો છે.
આ કાયદા અનુસાર હવે લોકો સપ્તાહમાં ફક્ત ચાર દિવસ કામ કરશે અને આ ચાર દિવસ પણ
તેમને છ કલાક કામ કરવાનું રહેશે. સાથે જ લોકોને ત્રણ દિવસની રજા પણ મળશે. સૌથી
નાની ઉંમરના વડાંપ્રધાન સના મરીને કહ્યું છે કે આવું કરવાથી લોકો પોતાના પરિવાર
સાથે વધારેમાં વધારે સમય પસાર કરી શકશે.
ડેઈલી મેઈલના અહેવાલ પ્રમાણે સનાએ કહ્યું
છે કે મને લાગે છે કે લોકોને પોતાના પરિવાર, મિત્રો અને પોતાના શોખ કે જીવનના
લક્ષ્યાંક જેમ કે સાંસ્કૃતિક કાર્યો માટે વધારે સમય મળવો જોઈએ. આ આપણા કામકાજના
જીવન કરતા અલગ પગલું હોઈ શકે છે.
વડાપ્રધાન સના મરી દ્વારા રજૂ કરવામાં
આવેલા આ પ્રસ્તાવનો હેતું કર્મચારીઓની ઉત્પાદકતામાં સુધારો કરવાનો છે. સનાએ જ્યારે
આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે ડાબેરી ગઠબંધનના નેતા અને શિક્ષા મંત્રી લી એન્ડરસને
તેમના પગલાંની પ્રશંસા કરી હતી. સનાએ કહ્યું છે કે આ જરૂરી છે કે ફિનલેન્ડના
લોકોને ઓછું કામ કરવાની મંજૂરી આપવામાં આવે. તેનાથી લોકોને મદદ મળશે અને અમે
મતદાતાઓને આપવામાં આવેલા વચનોને પૂરા કરી શકીશું.
સામાન્ય રીતે ફિનલેન્ડમાં લોકો સપ્તાહના
પાંચ દિવસ, આઠ કલાક કામ કરે છે. જ્યારે તેના પાડોશી દેશ સ્વીડનમાં 2015મા છ કલાક કામ કરવાની પોલીસી બનાવવામાં આવી હતી. તેના કારણે
ત્યાંના કર્મચારીઓમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યો હતો. થોડા સમય અગાઉ
માઈક્રોસોફ્ટે જાપાન અને યુકેની એક કંપની પોર્ટકુલિસ લીગલે પણ સપ્તાહમાં ત્રણ
દિવસની રજાની પોલીસી બનાવી હતી. ત્યારબાદ ત્યાંના કર્મચારીઓમાં પણ હકારાત્કમ
પરિવર્તન જોવા મળ્યું હતું અને કામની ગુણવત્તામાં પણ વૃદ્ધિ થઈ હતી.
અમેરિકાએ ગુરુવારે મોડી રાત્રે ઈકારની
રાજધાની બગદાદમાં હવાઈ હુમલો કરીને ઈરાનના અત્યંત પ્રશિક્ષિત કદ્સ ફોર્સના પ્રમુખ
મેજર જનરલ કાસિમ સુલેમાનીને મોતને ઘાટ ઉતારી દીધો. કહેવાઈ રહ્યું છે કે સુલેમાનીનો
કાફલો બગદાદ અરપોર્ટ તરફ વધી રહ્યો હતો, આ દરમિયાન અમેરિકાએ રોકેટ મારો કરી દીધો.
આ હુમલામાં લોકપ્રિય મોબલાઈઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસના
પણ માર્યા જવાની ખબર છે.
ઈરાનની સરકારી ટીવીએ સુલેમાનીના માર્યા
જવાની પુષ્ટી કરી છે. જણાવી દઈએ કે સુલેમાની પશ્ચિમ એશિયામાં ઈરાની ગતિવિધિઓ
ચલાવવા માટે પ્રમુખ રણનીતિકાર મનાતો હતો. સુલેમાની પર સીરિયામાં પોતાની પકડ મજબૂત
કરવા અને ઈઝરાયલમાં રોકેટ એટેક કરવાનો આરોપ હતો. અમેરિકા લાંબા સમયથી સુલેમાનીને
શોધી રહી હતી.
આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે
સુલેમાનીના માર્યા ગયા બાદ અમેરિકાનો ધ્વજ ટ્વીટ કર્યો છે. સમજાઈ રહ્યું છે કે
ટ્રમ્પે આ દ્વારા સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. પાછલા વર્ષે અમેરિકા અને ઈરાન
વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા હતા. અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધો લગાવી રાખ્યા
છે.
અમેરિકાના આ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં
તણાવ વધવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. અમેરિકાએ આ હુમલો તેવા સમયે કર્યો છે
જ્યારે ઈરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન દૂતાવાસ પર હુમલો કર્યો હતો.
પાછલા દિવસોમાં અમેરિકાના નાણાં મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે વિદેશી અભિયાનો
માટે જવાબદાર ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સની એક ટીમે ‘કદ્સ ફોર્સ’ના ક્રૂડ ઓઈલના માધ્યમથી અસદ અને તેના લેબનોનના સહયોગી
હિજબુલ્લાનું સમર્થન કર્યું હતું.
સુલેમાની ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી
સેનાની એક શક્તિશાળી વિંગ ‘કદ્સ ફોર્સ’નો પ્રમુખ હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અલ મુહાંદિસ એક
કાફલા સાથે સુલેમાનીને રિસીવ કરવા પહોંચ્યો હતો. સુલેમાનીનું વિમાન સીરિયા અથવા
લેબેનોનથી અહીં પહોંચ્યું હતું. જેવો સુલેમાની વિમાનથી નીચે ઉતર્યો અને મુહાનદિસને
મળવા જઈ રહ્યો હતો અમેરિકાએ રોકેર હુમલો કરી દીધો અને આ બધા માર્યા ગયા. એક વરિષ્ઠ
અધિકારીએ જણાવ્યું કે સુલેમાના શબની ઓળખ તેની અંગુઠીથી થઈ.
સુલેમાની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પનો વિરોધ મનાતો હતો. તેણે ઘણીવાર અમેરિકાને વોર્નિંગ આપી હતી. બગદાદમાં
અમેરિકન દૂતાવાસ પર હુમલા બાદ ટ્રમ્પે ઈરાનને ચેતવ્યું હતું. નવા વર્ષના પહેલા
દિવસે ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું હતું કે હવે ઈરાનને નુકસાન ઉઠાવવું પડશે.
ટ્રમ્પની આ ધમકી બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.