CIA ALERT
05. May 2024
January 23, 20201min2740

Related Articles



નિત્યાનંદ સામે ઈન્ટરપોલની નોટિસ

Share On :
Print Friendly, PDF & Email

ઈન્ટરપોલ દ્વારા દુષ્કર્મ, યૌન ઉત્પીડનના આરોપી સ્વયંભૂ બાબા નિત્યાનંદની તલાશ માટે બ્લ્યૂકોર્નર નોટિસ જારી કરાઈ છે. બાબાને શોધવામાં મદદ માટે આ નોટિસ જારી કરાઈ હોવાના સમાચારને ગુજરાત પોલીસે બુધવારે સમર્થન આપ્યું હતું.

ગત ડિસેમ્બરમાં ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, સ્વયંભૂ બાબા નિત્યાનંદ દેશ છોડીને ફરાર થઈ ગયો છે. તેની તલાશ માટે વિદેશ મંત્રાલય પણ મદદ કરી રહ્યું છે. ગુજરાતમાં બાળકોનું અપહરણ કરી, અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવીને અનુયાયીઓ પાસેથી ફાળો એકઠો કરવાના કામે લગાડી દેવાનો બાબા પર આરોપ છે.

કર્ણાટકમાં પણ બની બેઠેલા બાબા નિત્યાનંદ વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મના કેસ થયેલા છે. પોલીસે બાબાની બે મહિલા શિષ્યા સાધ્વી પ્રાણ પ્રિયાનંદ અને પ્રિયાતત્ત્વ રિદ્ધિકરણની ધરપકડ કરાઈ હતી.

ઈન્ટરપોલ એવા ફરાર અપરાધીની તલાશ માટે બ્લ્યૂકોર્નર નોટિસ જારી કરે છે જેની ઓળખ થઈ ચૂકી હોય અથવા ન થઈ હોય કે અપરાધી કાયદાનો ભંગ કરીને ફરાર થયો હોય.
મોજશોખવાળી જીવનશૈલી માટે જાણીતા બની ગયેલા બાબા નિત્યાનંદે દક્ષિણ અને રિકાના એક દેશ ઈકવાડોરમાં એન ટાપુ ખરીદી તેને આઝાદ દેશ જાહેર કરી દીધો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :