CIA ALERT

ઇન્ડીયા Archives - Page 99 of 215 - CIA Live

August 24, 2020
pmmodi_jately.jpg
1min5860

અરુણ જેટલીની પૂણ્યતિથીએ PMની ભાવુક પોસ્ટ

આજરોજ તા.21મી ઓગસ્ટ 2020એ સવારે વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટર પર પોતાના અંગત મિત્ર અને ભારતના ભૂતપૂર્વ નાણાં પ્રધાન શ્રી અરુણ જેટલી માટે લખ્યું હતું કે હું તેમને ઘણું મીસ કરી રહ્યો છું. સ્વ.અરુણ જેટલીની પહેલી પૂણ્યતિથીએ પીએમ મોદી ભાવુક બન્યા હતા. તેમણે એક વિડીયો શેર કરીને લાગણી વ્યક્ત કરી હતી કે સ્વ.અરુણ જેટલી સાથે તેમની મિત્રતા કેટલી ગાઢ હતી.

August 24, 2020
gandhiparivar.jpg
1min4300

કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસ કાર્ય સમિતિની સોમવારે યોજાનાર બેઠક પહેલા પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં પરિવર્તનની માંગ કરતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં 20થી વધારે પાર્ટી નેતાઓએ આંતરિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચાની માંગ ઉઠાવી હતી. બીજી તરફ માનવામાં આવી રહ્યુ છે કે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં વર્તમાન સ્થિતિ સામે સવાલ ઉઠાવતા સામૂહિક નેતૃત્વનો મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે કોંગ્રેસમાં નેતૃત્વના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ કાર્ય સમિતિની મહત્વની બેઠક યોજાવાની છે. જેમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહે તેવી સંભાવના છે. 

જોકે વિતેલા કેટલાક સમયથી કોંગ્રેસમાં કેટલાક વરિષ્ઠ નતાઓ હવે ખુલીને માંગ કરી રહ્યા છે કે પાર્ટીની કમાન રાહુલ ગાંધીને સોંપી દેવી જોઇએ. હાલમાં સુરજેવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસના દરેક કાર્યકર્તાની ભાવના છે કે રાહુલ ગાંધી પાર્ટી નેતૃત્વ સંભાળે. બીજી બાજુ રાહુલ અને પ્રિયંકા ગાંધી જાહેર કરી ચૂક્યા છે કે, હવે પછી પાર્ટી અધ્યક્ષનુ પદ ગાંધી પરિવારથી બહારનુ વ્યક્તિ સંભાળશે. 

August 23, 2020
cialive_delhi_to_london.jpg
8min10700

દિલ્હીથી લંડન બાય બસ – એવા સમાચારનું શીર્ષક પ્રવાસપ્રેમીને કઈ રીતે અને કયારે તે જાણવા બેશક પ્રેરે. તેનો જવાબ છે એ છે કે એડવેન્ચર ઓવરલેન્ડ નામની કંપનીએ 21ના વર્ષમાં આવી ટુરના આયોજનની જાહેરાત ઈન્સ્ટાગ્રામમાં કરી છે.

કંપનીએ બસ ટુ લંડન નામની પોસ્ટમાં મૂકેલી વિગત મુજબ નવી દિલ્હી, ભારતથી લંડન, યુકે વચ્ચે આવી સૌપ્રથમ હોપ-ઓન/હોપ-ઓફફ બસ સર્વિસ હાથ ધરાશે.’તેના પ્રવાસીઓ 70 દિવસમાં 20 હજાર કિમી આવરી લે તેવો 18 દિવસનો પ્રવાસ’ કરશે. જે 16 દેશોમાંથી આ બસ પસાર થશે તે આ મુજબ છે: મ્યાંમાર, થાઈલેન્ડ, લાઓસ, ચીન, કિર્ઘિસ્તાન, ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન, રશિયા, લેટવિયા, લિથુઆનિયા, પોલેન્ડ, ચેક રિપબ્લિક, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ અને ફ્રાન્સ.

આ ટ્રિપ જવા માટે 10 દેશોના વિઝાની જરૂર પડશે. આ તમામ પ્રોસેસ કંપની દ્વારા જ કરવામાં આવશે. અલગ-અલગ દેશોની યાત્રા કરવા માંગતા લોકો માટે આ ખુબ સારી તક છે. ટ્રિપ પર જનારા લોકોને રહેવા માટે 4 સ્ટાર અને 5 સ્ટાર હોટલમાં વ્યવસ્થા કરવામાં આવશે.

વર્ષ 2021માં દિલ્હીથી લંડન જનારી આ ટ્રિપમાં માત્ર 20 મુસાફરો જ બુકિંગ કરાવી શકશે. આ બસની તમામ સીટો બિઝનેસ ક્લાસની હશે. બસમાં 20 યાત્રીઓ ઉપરાંત એક ડ્રાઈવર અને એક સહાયક ડ્રાઈવર, ઓર્ગેનાઈઝર કંપનીનો એજન્ટ અને એક ગાઈડ હશે.

Travel From Delhi To London In A Bus In 2021

Adventures Overland has officially launched a dream bus titled Bus to London.  This covers the longest bus route in the world, spanning 18 countries in 2 continents,  in 70 days spanning a distance of 20,000km. This  Delhi to London, dream bus shall recreate history with utmost comfort and luxury.  From exploring the pagodas in Myanmar, hiking the Great Wall of China, visiting the historic city of Tashkent, touring European Frankfurt to finally soaking in the London vibes, this truly is the journey of a lifetime. So, adventure enthusiasts, you can tour 18 countries in 70 days in one luxurious bus journey of a lifetime. The 18 countries you can tour are- India, Myanmar, Thailand, Laos, China, Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia, Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, UK.

This Bus Journey Has 4 Legs Spanning 18 Countries In 2 Continents

This bus journey of a lifetime has 4 legs that span 18 countries in 2 continents. Upon reaching London the bus shall return back in the same route. This is a hop on hop off bus. So you don’t have to finish the entire journey from Delhi to London or vice-versa. You can opt for the leg-wise journeys instead. Fly to a destination of your choice then hop on the bus and finish the leg-wise journey. The price of these bus journeys is on request. Here are the 4 legs of this bus journey.

 Leg 1: India, Myanmar, Thailand ( 11 Nights & 12 Days)

This bus shall flag off in Delhi. From there it will embark on a tour around beautiful Indian cities like Lucknow, Muzaffarpur, Siliguri, Guwahati, Kohima and Imphal. It will then cross international borders to enter Myanmar where you can visit the beauty of the pagodas of Bagan.  The journey then continues as you find yourself crossing the border of Myanmar into Thailand. Enjoy the vibrancy of the Thai capital of Bangkok as you cross the Mekong River into Laos and finish the first leg of your journey as you enter China.

Leg 2: China ( 15 Nights, 16 Days)

The second leg of your mesmerising journey begins at Chengdu in China. Witness cute pandas at Chengdu, the historical relics of the great wall and the Mogao Caves in the cities of Jiayuguan and Dunhuang in Gansu Province. You can then explore the distinctive topography of Gobi Desert, snow-capped mountains and glaciers of China.  And finally, end the second leg of your journey by relishing the beauty of fascinating towns like Turpan and Kashgar amidst others.

Leg 3:  Kyrgyzstan, Uzbekistan, Kazakhstan, Russia ( 21 Nights & 22 Days)

The third leg of this epic journey begins with the Silk Orad era city of Bishkek in Kyrgyzstan. Stroll along lively bazaars, gorge on delicious samsas and breathe in the aromas of fresh spices. After which the bus takes you to the beautiful country of Uzbekistan. Explore the stunning city of Tashkent and historical wonders of Samarkand, Bukhara and Khiva. Post Uzbekistan, next pass through Kazakhstan and finally enter monumental Russia. Feast your eyes on the kaleidoscopic wonder of Moscow and let the World Heritage sites enthral you, as you finish the third leg of your journey.

Leg 4:  Latvia, Lithuania, Poland, Czech Republic, Germany, Netherlands, Belgium, France, United Kingdom( 15 Nights & 16 Days)

The final leg of your journey begins with the magnanimity of the Baltic countries of Latvia and Lithuania.  Let the serenity and elegance of the UNESCO certified Old Town charm you. Venture out to the largest city in Poland, the Czech capital of Prague to the German metropolis of Frankfurt. Gorge on delectable chocolates and exclusive brews of Brussels and finally step into London. Look back at your exhilarating journey with pride as you would have truly experienced something out of the ordinary.

Inclusions In This Trip

This trip includes the following facilities so you can have a comfortable and luxurious road trip from Delhi to London.

  • Hotel stays on a twin basis
  • Meal as per the leg-wise package
  • Special luxury bus transportation
  • Bus driver and helper
  • CPR certified experienced coordinator
  • Local English speaking guide in every country
  • Visas and standard tourist fee
  •  Border crossing assistance
  • Ministry approvals, customs, immigration clearance, inner line permits
  • Fuel, servicing, toll taxes and parking fees
  • Third-party insurance for the bus for every country
  • Route planning and research
  • Airport transfers in Imphal
  • Sightseeing and walking tours at various locations
  • Entrance fee at sightseeing points
  • Activities
  • Stock of  water snacks, chocolates and soft beverages throughout the journey
  • Adventures Overland merchandise for each passenger
  • Road book for each passenger

August 23, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4760

કોરોના મહામારીને લીધે લોકડાઉન કરાયેલા ભારતમાં અનલોકની સામાન્ય સ્થિતિ આવતા સમય લાગશે, પરંતુ આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યો સરકારોને આદેશ આપ્યા છે કે અનલોકની પ્રક્રિયા દરમિયાન કોઇપણ રાજ્યની અંદર અથવા આંતરરાજ્યોમાં વ્યક્તિઓ અને સામાનની અવર-જવર પર રોકટોક કરવી નહીં. 

કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યુ હતું કે, કેટલાક જીલ્લાઓ અને રાજ્યો દ્વારા સ્થાનિક અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, અનલોકના દિશા-નિર્દેશને ધ્યાનમાં રાખતા ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યુ કે, આવા પ્રતિબંધોથી માલસામાન અને સેવાઓમાં આંતરરાજ્યો અવર-જવરમાં સમસ્યાઓ પેદા થઇ રહી છે અને પૂરવઠા પર વિપરીત અસર પડી રહી છે. જેની સીધી અસર આર્થિક અને રોજગાર તંત્ર પર પણ જોવા મળી રહી છે. મુદ્દાઓને ધ્યાનમાં રાખતા તેમણે રાજ્યોને આ પ્રકારના પ્રતિબંધો ન મૂકવાના આદેશ આપ્યા હતા. અનલોક 3 ના નિયમો મુજબ આંતરરાજ્યોમાં વેપાર અને આવાગમન માટે કોઇપણ મંજૂરી કે ઇ પરમિટની જરુર હવે રહી નથી. 

કેન્દ્ર સરકારે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને તોડવા માટે 25 માર્ચે લોકડાઉન પ્રક્રિયા લાગૂ કરી હતી, જે પછી લંબાવીને 31મે સુધી કરવામાં આવી હતી. ત્યારબાદ એક જૂનથી દેશમાં અનલોક પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. 

August 22, 2020
real_cia-1-1280x1022.jpg
2min8650

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એન્જિનિયરિંગ અને મેડીકલ-ડેન્ટલની પ્રવેશ પરીક્ષા NEET/JEE ની તારીખો કોવિડ પેન્ડેમિકને કારણે બે વખત લંબાઇ ચૂકી છે પરંતુ, હવે સપ્ટેમ્બર 2020માં નિર્ધારિત તારીખોએ બન્ને પરીક્ષા લેવાશે જ એવી જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ કરી છે. હવે પરીક્ષાર્થીઓ કે વાલીઓ એવા ભ્રમમાં ન રહે કે આ પરીક્ષાઓ હજુ પાછી ઠેલાશે.

સુપ્રીમ કોર્ટે ચાલુ સપ્તાહના સોમવારે જ NEET/JEE મુલતવી રાખવા માટેની રીટ પીટીશનને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે ટકોર પણ કરી હતી કે એક વર્ષનો અભ્યાસ બગાડની આ દેશે ઘણી કિંમત ચૂકવવી પડે એમ છે. સુપ્રીમ કોર્ટની ટકોરને પગલે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે તબક્કાવાર શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક ગતિવિધિઓ શરૂ કરવાની દિશામાં પ્રયાસો શરૂ કરી દીધા છે.

NEET 13 સપ્ટેમ્બર 2020 / JEE 1-6 સપ્ટેમ્બર દરમિયાન લેવાશે

NEET/JEE અગાઉ ગુજરાતમાં તા.24મી ઓગસ્ટે ગુજકેટ યોજાઇ રહી છે. આમ ધો.12 સાયન્સમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ માટે હવે નિર્ણાયક સમય આવી ચૂક્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ટ્વીટ કરીને જાણકારી આપી

NTA on Friday 21st August 2020

The Centre on Friday, 21 Aug. said that the Joint Entrance Examination (Main) and National Eligibility cum Entrance Test (undergraduate) will be conducted on September 1-6 and September 13, 2020 respectively as scheduled.

Following the Supreme Court’s order on Monday, the National Testing Agency (NTA) released the admit cards for the JEE (main) and as on Friday, 6,49,223 aspirants have downloaded theirs.

The SC in its order said, “We find that there is absolutely no justification in the prayer made for postponement of the examination in question relating to NEET UG-2020 as well as JEE (main) April, 2020. In our opinion, though there is a pandemic situation, ultimately life has to go and the career of the students cannot be put on peril for long and a full academic year cannot be wasted.”

August 22, 2020
corona_india.jpg
1min4230

આજરોજ તા.22મી ઓગસ્ટ 2020ને શનિવારે ભારતમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 30 લાખને પાર કરી લેશે. વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં છેલ્લા 16 દિવસમાં 10 લાખ કેસ વધ્યા. આ રીતે ભારત અમેરિકા અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબરનો દેશ છે જ્યાં કૂદકે-ભૂસકે કેસ વધી રહ્યા છે.

અમેરિકા, બ્રાઝિલ અને ભારતની વાત કરીએ તો 10 લાખ કેસ સુધી પહોંચતા અમેરિકાને 98, બ્રાઝિલને 114 અને સૌથી વધુ 138 દિવસ ભારતને લાગ્યા હતા, પરંતુ, છેલ્લા મહિનામાં તો ભારતમાં સતત અને ઝડપી કેસ વધી રહ્યા છે.

20,000,00થી 30,000,00 કેસ પહોંચતા બ્રાઝિલને 23 દિવસ લાગ્યા જ્યારે અમેરિકાને 28 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતને આ આંકડો પાર કરવામાં સૌથી ઓછા (16) દિવસ લાગ્યા.

જોકે, ભારતમાં કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો ટોચ પર રહેલા બાકી બે દેશો કરતા ઘણો ઓછો છે. અમેરિકામાં કોરોનાના કારણે 1.3 લાખ અને બ્રાઝિલમાં 1 લાખ કરતા વધુ લોકોનો મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 55,858 દર્દીઓના મોત થયા છે. આ સાથે ભારતમાં એક્ટિવ કેસનો આંકડો શુક્રવારે પ્રમાણે 7 લાખ છે, જ્યારે 15 દિવસ પહેલા આ આંકડો 6 લાખ હતો. એક્ટિવ કેસ 5 લાખથી 6 લાખ થતા 9 દિવસ લાગ્યા હતા. ભારતમાં કેસ સતત વધી રહ્યા છે જેની સામે ઝડપથી દર્દીઓ સાજા પણ થઈ રહ્યા છે.

મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે 14,000 કરતા વધારે કેસ નોંધાયા છે- રાજ્યમાં 14,161 કેસ 24 કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 6.5 લાખને વટાવી ગયા છે. શુક્રવારે 4 રાજ્યોમાં નવા કેસનો રેકોર્ડ તૂટ્યો છે જે આ પ્રમાણે છે- પશ્ચિમ બંગાળ (3,245 નવા કેસ), ગુજરાત (1,294), હરિયાણા (1,203) અને મધ્યપ્રદેશ (1,147). મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ તેમના વધુ એક મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ છઠ્ઠા મંત્રી છે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


August 20, 2020
corona_india.jpg
1min12960

દેશમાં બુધવારે કોરોના વાયરસના નવા નોંધાયેલા કેસોએ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે, દેશમાં પહેલીવાર 70,000 કરતા વધારે કેસ એક જ દિવસમાં નોંધાયા છે. વધુ 70,101 કેસ સાથે કુલ કેસનો આંકડો 28 લાખને પાર કરીને 28,33015 થયો છે. આ સાથે 979 નવા કેસ નોંધાયા છે, જેની સાથે કુલ મૃત્યુઆંક 53,929 થયો છે.

દેશમાં તાજા કેસનો નવો રેકોર્ડ નોંધાયો છે ત્યારે સૌથી વધારે 13,000 કરતા વધુ 13,165 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સિવાય અન્ય 7 રાજ્યો છે જ્યાં નવા નોંધાયેલા કેસોએ રેકોર્ડ તોડ્યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં 8 ઓગસ્ટના રો 12,822 કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 6,88,162 થઈ ગઈ છે. જ્યારે કુલ 20,90,924 દર્દીઓ વાયરસને હરાવીને સાજા થઈ ગયા છે- આ સાથે રિકવરી રેટ 73.8% પર પહોંચ્યો છે.

ઓગસ્ટના પાછલા 19 દિવસમાં મહારાષ્ટ્રમાં 2.07 લાખ નવા કેસ ઉમેરાયા છે, જ્યારે જેમાંથી માત્ર 9.3% એટલે કે 19,331 કેસ મુંબઈમાં નોંધાયા છે. રાજ્યમાં પાછલા 30 દિવસથી 1.5 લાખ એક્ટિવ કેસ રહ્યા બાદ આંકડો 1.6 લાખ પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં વધુ 346 મૃત્યુઆંક નોંધાયા છે, આ સાથે કુલ મૃત્યુઆંક 21,000ને પાર કરીને 21,033 થયો છે. જ્યારે મુંબઈ 346માંથી 46 મૃત્યુઆંક બુધવારે નોંધાયો હતો.

મહારાષ્ટ્રા પછી કર્ણાટકમાં સૌથી વધારે 126 મૃત્યુ નોંધાયા, જ્યારે તામિલનાડુમાં 116 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્ર સિવાય અન્ય રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક દિવસમાં રેકોર્ડ કેસ નોંધાયા છે, જેમાં કેરળમાં 2333, યુપીમાં 5156, ઝારખંડમાં 1266, પંજાબમાં 1693, હરિયાણામાં 994, છત્તીસગઢમાં 759 અને જમ્મુ-કાશ્મીરમાં 708 કેસ નોંધાયા છે.

કેરળમાં પહેલીવાર નવા કેસનો આંકડો 2000ને પાર ગયો છે. આ સાથે કુલ કેસનોં આંકડો 50,000ને પાર કરીને 50,231 પર પહોંચી ગયો છે. તો આંધ્રપ્રદેશમાં નવા 9,742 કેસ નોંધાયા છે.

August 20, 2020
govt_jobs.jpg
1min6770

કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્ર સરકારમાં નોકરી માટે લેવાતી વિવિધ પરીક્ષાઓને એક છત્ર હેઠળ લાવવા માટે નેશનલ રીક્રૂટમેન્ટ એજન્સી (NRA)ના ગઠન માટે મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટના આ સીમાચિહ્ન નિર્ણયથી કેન્દ્ર સરકારમાં રોજગારી માટેની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પત્રાકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે આ ઐતિહાસિક નિર્ણય છે અને આનાથી નોકરી વાંછુઓને વિવિધ પરીક્ષા આપવામાંછી મુક્તિ મળશે તેમજ તેમનો ખર્ચ પણ ઘટશે.
યુવાઓ વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થાની માંગ કરી રહ્યા હતા અને તેને આખરે સ્વીકારવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કેબિનેટના આ નિર્ણયને દેશના ઈતિહાસમાં પરિવર્તનકારી તેમજ સીમાચિહ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારમાં વિવિધ નોકરીઓ માટે એક પરીક્ષા એજન્સીને પગલે પસંદગી, જોબ પ્લેસમેન્ટ અને ઈઝ ઓફ લિવિંગમાં સરળતા આવશે ખાસ કરીને સમાજના એવા વર્ગ માટે જે લાભોથી વંચિત રહે છે. 

નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી કોમન એલિજિબિલિટી ટેસ્ટ (CET) યોજી શકશે અને તેના દ્વારા ગ્રુપ બી તેમજ ગ્રુપ સી (બિન ટેક્નિકલ) પદો માટે ઉમેદવારોની પસંદગી કરી તેમને શોર્ટલિસ્ટ કરાશે. આ એજન્સીમાં રેલવે મંત્રાલય, નાણા મંત્રાલય/ નાણા સેવા વિભાગ, સ્ટાફ સીલેક્શન કમિશન, રેલવે રીક્રૂટમેન્ટ બોર્ડ અને ઈન્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સીલેક્શનના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. કેન્દ્ર સરકારે જણાવ્યા મુજબ એનઆરએ વિશેષજ્ઞોને સમાવતી સંસ્થા હશે જે અદ્યતન ટેક્નોલોજીની મદદથી કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રિયામાં શ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવામાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે કોમન ટેસ્ટના સ્કોર ત્રણ મુખ્ય રિક્રૂટમેન્ટ એજન્સીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે પરંતુ આગામી સમયમાં વધુ એજન્સીઓનો સમાવેશ કરાશે.  

આગામી સમયમાં સીઈટીનો સ્કોર કેન્દ્ર સરકાર, રાજ્ય તેમજ કેન્દ્રશાસિત સરકાર, જાહેર ક્ષેત્રના સાહસ અને ખાનગી ક્ષેત્ર સહિત અન્ય રિક્રૂટિંગ એજન્સીઓને પણ આપવામાં આવશે. આમ કરવાથી ખર્ચ અને સમય બન્ને બચી શકશે.

કેન્દ્ર સરકારે એનઆરએની રચના માટે 1,517.57 કરોડ મંજૂર કર્યા છે. એનઆરએનું વડુમથક દિલ્હીમાં સ્થપાશે. આ સંસ્થાના વડા તરીકે સિચવ કક્ષાના વ્યક્તિની ચેરમેન પદે નિમણૂક કરાશે. વર્તમાન સમયે ઉમેદવારો વિવિધ પદ માટે લાયકાત ધરાવતા હોવા છતા જુદી જુદી એજન્સી દ્વારા યોજાતી પરીક્ષામાં એકથી વધુ પરીક્ષા આપવી પડે છે તેમજ ફી પણ ભરવી પડે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્થળે પરીક્ષા આપવા જવું પડે છે જેમાં ઘણો સમય પણ લાગે છે.  એનઆરએ દ્વારા દેશમાં કોમન ટેસ્ટ માટે પ્રારંભિક ધોરણે 1,000 જેટલા પરીક્ષા કેન્દ્રો સ્થાપવાની યોજના છે. દરેક જિલ્લામાં એક કેન્દ્ર રહેશે જેથી કોઈ ઉમેદવારને જિલ્લા બહાર મુસાફરી ના કરવી પડે.

August 18, 2020
CIA_Live_Logo_New2.jpg
2min10170

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોલેજોના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા તેમજ ગ્રેજ્યુએટ પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે સૌથી મહત્વની તક ગણાતી સિવિલ સર્વિસીઝની 2021 કેલેન્ડર વર્ષ દરમિયાન લેવાનારી પરીક્ષાઓનું સમયપત્રક યુપીએસસી દ્વારા ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

યુપીએસસી દ્વારા ધો.12ના વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડેમી તેમજ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રીલિમ્સ સમેત અનેક પરીક્ષાઓ વર્ષ દરમિયાન યોજવામાં આવે છે.

2021ની સિવિલ સર્વિસીઝ પ્રિલીમ્સની પરીક્ષા તા.27 જુને, ફોર્મ 2 માર્ચ સુધી ભરી દેવા પડશે

Union Public Service Commission (UPSC) has released the schedule for the upcoming recruitment exams 2020-2021 on the official website of the Commission – upsc.gov.in. As per the UPSC Recruitment Tests Schedule 2020-21, the notification for the Combined Geo-Scientist (Preliminary) Examination 2021 will be released on October 07, 2020 and the exam will be held on February 21, 2021.

The UPSC aspirants should note that Civil Services (Main) Examination, 2020 will be conducted on 8, 9, 10, 16, 17 January, 2021. Indian Forest Service (Main) Examination, 2020 to commence on February 28, 2021, and will continue for 10 days till March 09, 2021. While the UPSC Civil Services Prelims 2021 will be held in June month next year and Mains 2021 will be conducted on September 2021.

The candidates who wish to appear for the UPSC Recruitment exams are advised to visit the official website of the Commission – upsc.gov.in – to check the complete schedule.

સિવિલ સર્વિસીઝ પ્રીપેરેશન કે અન્ય કોઇપણ માહિતી, કાઉન્સેલિંગ માટે મળો

August 18, 2020
income_tax-1280x853.jpg
1min5150

કરદાતાઓએ મોટી રકમની લેવડદેવડને પોતાના ઇન્કમ ટૅક્સ રિટર્ન્સમાં દર્શાવવી નહીં પડે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. વર્ષ દીઠ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હોટેલ-પેમેન્ટ, ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ વીમાના પ્રીમિયમના પેમેન્ટ, ૨૦,૦૦૦ રૂપિયાથી વધુ હેલ્થ ઇન્શ્યૉરન્સ પ્રીમિયમ તેમ જ એક લાખથી વધુ રકમના ડોનેશન્સ અને સ્કૂલ-કૉલેજ ફીના પેમેન્ટ સહિતના (રિપોર્ટેબલ) નાણાકીય સોદાના સૂચિત વિસ્તરણના અહેવાલ સંબંધમાં પ્રતિક્રિયા આપતી વખતે અધિકારીએ કહ્યું હતું કે ‘ઇન્કમ ટૅક્સ રિટર્ન્સના ફૉર્મમાં ફેરફાર કરવા વિશે કોઈ જ દરખાસ્ત નથી મળી.’ આવક-વેરા ધારા મુજબ માત્ર થર્ડ પાર્ટી જ મોટી રકમના સોદા વિશેની માહિતી આવકવેરા વિભાગને આપશે. આવી જાણકારી બાકીના વેરા ન ચૂકવતા લોકોને શોધી કાઢવા માટે જ વપરાશે અને એનો ઉપયોગ પ્રામાણિક કરદાતાઓની ચકાસણી કરવા નહીં થાય.