ઇન્ડીયા Archives - Page 95 of 217 - CIA Live

September 30, 2020
jagganthpuri.jpg
1min5380

શ્રી જગન્નાથ મંદિરના ઓછામાં ઓછા ૩૫૧ પૂજારી અને ૫૩ કર્મચારીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મંદિરમાં કાર્ય કરતા કુલ ૪૦૪ જણનો કોવિડ-૧૯નો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું, એમ શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (એસજેટીએ)ના સભ્ય અજય જેનાએ જણાવ્યું હતું.

મંદિરના મોટાભાગના કર્મચારીઓની ગેરહાજરી હોવા છતાં ભગવાન જગન્નાથની પારંપારિક રીતે સેવા કરવાનું ચાલુ જ છે. કોરોના મહામારી શરૂ થયા બાદ માર્ચ મહિનાથી જગન્નાથ મંદિર બંધ છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે અને હાલમાં જગન્નાથ ભગવાનની વિધિ-પૂજા કરવાનું જ્ઞાન હોય એવી વ્યક્તિઓનો અભાવ છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

ભગવાન જગન્નાથ, દેવી સુભદ્ધા અને ભગવાન બાળભદ્રાની પાંરપારિક પૂજા કરવા માટે ઓછામાં ઓછા ૧૩ પૂજારીના ગ્રુપની જરૂર હોય છે. તેથી રોજના ૩૯ પૂજારીની પૂજા કરવા માટે જરૂર પડતી હોય છે.

ભગવાન જગન્નાથના નામે ઓળખાતા વિષ્ણુ મંદિરમાં વહેલી સવારથી મોડી રાત સુધી પૂજા-આરતી થતી હોય છે. જો કોઇ એક પૂજા ના થાય તો ત્યાર પછીની પૂજા પણ ન કરવાની મંદિરની પરંપરા છે, એમ જગન્નાથ પરંપરાના સંશોધક ભાસ્કર મિશ્રાએ જણાવ્યું હતું.

September 30, 2020
babri.jpg
1min5820

બાબરી ધ્વંસ્ત કેસ ચુકાદો આપતા આજે તા.30મી સપ્ટેમ્બર 2020ના રોજ લખનૌ સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી સહિતના તમામ આરોપીઓને મુક્ત કરતા જણાવ્યું છે કે આ ઘટના અગાઉથી આયોજીત નહોતી.

બાબરી ધ્વંસ કેસના 26 આરોપીઓ કોર્ટમાં હાજર થઈ ગયા હતા. જજ પણ કોર્ટરુમમાં આવી ગયા હતા, અને 26 વર્ષ જૂના આ કેસનો ફેસલો સંભળાવ્યો હતો. આરોપીઓમાં ભાજપના પીઢ નેતાઓ એલકે અડવાણી, મુરલીમનોહર જોષી તેમજ ઉમા ભારતીના નામ પણ સામેલ હતા. કોર્ટ બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. વાહનોની અવરજવર રોકી દેવાઈ હતી, અને નેતાઓના સમર્થકોને પણ અટકાવાઈ રહ્યા હતા.

લખનૌ સ્થિત CBIની સ્પેશિયલ કોર્ટમાં 6 ડિસેમ્બર 1992માં તોડી પડાયેલા વિવિદિત ભાગને લઈને આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી જેવા મોટા નેતા આરોપી હતા. એવામાં હાઈ પ્રોફાઈલ મામલાને ધ્યાનમાં રાખીને અયોધ્યા અને લખનૌમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. CBI કોર્ટે આદેશ જારી કર્યા છે કે તમામ આરોપીઓએ ચુકાદાના દિવસે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય આરોપીઓને નોટિસ મોકલવામાં આવી હતી.

30/9 : આજે બાબરી ધ્વંશ કેસનો ચુકાદો

અયોધ્યામાં બાબરી મસ્જિદનો ધ્વંશ કરાયાને 28 વર્ષ બાદ હવે આજે 30/9/20 લખનઉમાં સીબીઆઈની વિશેષ અદાલત ચુકાદો આપવાની છે. આ સંવેદનશીલ મામલે ચુકાદા પૂર્વે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને સાંપ્રદાયિક રૂપે સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલર્ટ કરી દીધા છે.

બાબરી વિધ્વંસ પછી દેશમાં ફાટી નીકળેલા ભયંકર કોમી રમખાણોમાં આશરે 2 હજાર લોકોનાં મૃત્યુ થયા હતાં. બાબરી કેસમાં સીબીઆઈ દ્વારા કુલ 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતાં અને તેમાંથી 17 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. જેથી અદાલત આવતીકાલે બાકીનાં 32 આરોપીનો ચુકાદો આજે આપશે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપનાં વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા અને ઉમા ભારતી સહિતનાં દિગ્ગજો મુખ્ય આરોપીમાં સામેલ છે. જો કે આજે ચુકાદા વખતે વિશેષ અદાલતમાં કેટલા આરોપીઓ હાજરી આપશે તે બાબતે હજી અનેક સંશય છે.’ આવતીકાલે ન્યાયધિશ એસ.કે.યાદવ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવનાર છે. તેમણે 16મીએ તમામ આરોપીઓને 30મી સપ્ટેમ્બરે ચુકાદા વખતે હાજર રહેવાનો નિર્દેશ આપેલો. આ કેસની આખરી દલીલો 11 સપ્ટેમ્બરનાં પૂર્ણ થઈ હતી અને સીબીઆઈએ આ કેસમાં કુલ 3પ1 સાક્ષીઓ અને 600 જેટલા દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં પેશ કર્યા હતાં.

આજે ચુકાદા પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ચુકાદાની કાયદો અને વ્યવસ્થા ઉપર અસર થઈ શકે છે અને બન્ને પક્ષનાં અસામાજિક તત્વો આનું કોમવાદીકરણ કરીને શાંતિ ડહોળી શકે છે.

એલર્ટ અનુસાર રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાથી અનેક મુસ્લિમ સંગઠનો નાખુશ છે અને તેમને આશા છે કે, બાબરી તોડી પાડવાનાં કેસમાં આરોપીઓ દોષિત પુરવાર થાય ત્યારે પણ ન્યાય મળી શકે છે. જો કે ચુકાદો તેમની ધારણા મુજબનો ન આવે તો આ લોકો વિરોધમાં ઉતરી શકે છે.

આ ઉપરાંત એલર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, અમુક ચરમપંથી જૂથો ચુકાદાને સીએએ, એનઆરસી અને એનપીઆર વિરોધી જુવાળને ફરીથી પેટાવવાની તક તરીકે પણ જોઈ રહ્યા છે. બીજીબાજુ હિન્દુ સમૂહોને આરોપીઓની દોષમુક્તિની આશા છે. આ સંજોગોમાં અમુક રાજ્યોમાં કોમી તનાવની આશંકા છે અને રાજ્યોને આવા વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત કરવાં માટે કહેવામાં આવ્યું છે.

September 29, 2020
aiims.jpeg
1min12310

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની ટીમે AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ફોરેન્સિક એક્સપર્ટની એક ટીમ બનાવી હતી. આ ફોરેન્સિક ટીમ સુશાંતના વિસરા અને ઓટોપ્સીની તપાસનના આધાર પર પોતાના રિપોર્ટમાં તે જણાવશે કે, સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી. હવે, આ ફોરેન્સિક ટીમની તપાસ સાથે જોડાયેલી કેટલીક માહિતી સામે આવી રહી છે. જે બાદ માનવામાં આવી રહ્યું છે કે, CBIની ટીમ આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અપાઇ હોવાના દ્રષ્ટીકોણ સાથે તપાસ આગળ વધારે તેવી શક્યતા છે.

ફોરેન્સિક ટીમને પોતાની તપાસમાં સુશાંતના શરીરમાંથી કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો નથી. સાથે જ તેનું ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું છે. જો કે, કહેવામાં આવી રહ્યું છે કે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટમાં હજુ પણ તપાસ થવાની બાકી છે. AIIMSની ફોરેન્સિક ટીમે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી રિપોર્ટ પર કેટલાક સવાલ ઉઠાવ્યા છે. ટીમનું માનવું છે કે, જ્યાં સુશાંતની બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યાં એટલી લાઈટ નહોતી જેટલી હોવી જોઈએ.

AIIMSના ફોરેન્સિક મેડિકલ બોર્ડના ચેરમેન ડો. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એઈમ્સ અને સીબીઆઈ એગ્રીમેન્ટમાં છે પરંતુ વધારે ચર્ચા-વિચારણા કરવાની જરૂર છે. સમયની સાથે તાર્કિક કાયદાકીય નિષ્કર્ષ માટે કેટલાક કાયદાકીય પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે. તે સંપૂર્ણ રીતે નિર્ણાયક રહેશે’.

September 29, 2020
kisan.jpg
1min5600

નવા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ: તાજેતરમાં સરકાર દ્વારા નવા જ અમલમાં મુકાયેલા કૃષિ કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરસ્થિત દેવીદાસ પૂરા ગામ ખાતે ખેડૂતોએ રેલરોકો આંદોલન કર્યું હતું. દિલ્હીના ઈન્ડિયા-ગેટ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્રેકટર સળગાવ્યું હતું.

નવા પસાર કરાયેલા કૃષિ કાયદા સામે દેશના અનેક રાજ્યમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને સામે પક્ષે કેન્દ્રમાં સત્તાધારી ભાજપ વિપક્ષ પર ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો આરોપ કરી રહી છે.

વિરોધ પક્ષના કૉંગ્રેસ સહિત અનેક પક્ષો કૃષિના નવા કાયદા રદ કરવાની માગણી સાથે દેશનાં વિવિધ રાજ્યોમાં આંદોલન કરી રહ્યા છે. પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે જણાવ્યું હતું કે આ કાયદો રદ કરાવવા માટે પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરશે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં આવેલા ઇન્ડિયા ગેટ સામે ટ્રેક્ટર બાળવાના મુદ્દે ભાજપે કૉંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ શરમજનક કૃત્ય પબ્લિસિટિ મેળવવા કર્યું હોવાનું અને ખેડૂતોને તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે.

આ મામલે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ કૃત્ય કરીને દેશ માટે નીચાજોણું કર્યું છે. ટ્રકમાં ટ્રેક્ટર લાવીને ઇન્ડિયા ગેટ સામે બાળવાની ઘટનાનું નાટકીય રૂપાંતર કરીને કૉંગ્રેસ પ્રસિદ્ધિ મેળવવા માગે છે. તેઓ ખેડૂતોના નામે રાજનીતિ રમી રહ્યા છે અને અમે એમના કૃત્યને વખોડીએ છીએ. આજે એમની પોલ ખૂલી ગઇ છે.

અંદાજે ૧૫-૨૦ જણે ઇન્ડિયા ગેટ પાસે સોમવારે સવારે એક ટ્રેક્ટરને આગ ચાંપી હતી. એમાંથી પાંચ વ્યક્તિએ પોતે પંજાબ યુથ કૉંગ્રેસની હોવાની વાત કબૂલી હતી.

ભાજપના મહામંત્રી ભૂપેન્દર યાદવે કૉંગ્રેસને ખેડૂત વિરોધી ગણાવી હતી.

સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આ મામલો આગળ વધારીશું. રાષ્ટ્રપતિએ ખરડા પર સહી કરી દીધી છે અને માટે હવે અમે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીશું. અમારી સરકાર ખેડૂતોના હિતનું રક્ષણ કરવા જરૂરી બધાં જ પગલાં લેશે.

પોતાની વાત ખરી હોવા વિશે એમણે વધુમાં જણાવ્યું હતું કે અમને વિરોધ કરવાનો હક છે. તમે એમની આજીવિકા છિનવી રહ્યા છો.

ગેઝેટ નોટિફિકેશન પ્રમાણે કૃષિ લક્ષી ત્રણ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી છે.

તેલંગણામાં કૉંગ્રેસે કૃષિ ખરડાના વિરોધમાં આંદોલન કર્યું હતું અને રાષ્ટ્રપતિને ઠરાવ રદ કરવાની વિનંતી કરી હતી. કૉંગ્રેસના નેતા મનિકમ ટાગોર રાજ્યપાલ તમિલસાઇ સૌંમદરરાજનને રાજભવનમાં આવેદન આપવા માગતા હતા, પણ રાજ્યપાલ સાથે એમણે મુલાકાત માટે સમય ન મેળવ્યો હોવાને કારણે એમની અટક કરીને ગોશામહાલ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જોકે, ત્યાર બાદ એમને છોડી દેવામાં આવ્યા હતા.

અટક અગાઉ કૉંગ્રેસના કાર્યકર્તાએ રાજયની ટીઆરએસ સરકાર અને કેન્દ્રની એનડીએ સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

September 29, 2020
coronaindia-1-1280x1044.jpg
1min4750

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 33074393 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 997713 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 22925150 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 9151530 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 28, 2020
balikavadhu_director.jpg
1min8190

એક સમયે ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં વસેલા ભારતીયોમાં સુપરહિટ નિવડેલી અને ખાસ્સી ચર્ચાસ્પદ બનેલી ટીવી સિરીયલ બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી જાણીતી ટીવી સિરિયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું જતન કરવા માટે શાકભાજી વેચીને પેટીયું રળી રહ્યા છે. સમય અને કિસ્મત એ સૌથી અકળ છે, ક્યારે શું બને છે જીવનમાં એ ક્યારેય પામી શકાતું નથી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલા બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થવાને કારણે આર્થિક પરિસ્થિતિ કથળી ગઇ હતી. તેમણે ફિલ્મ પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારોબાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.

વાત રામવૃક્ષ ગૌડની કરી રહ્યા છે. તેઓ હાલ આઝમગઢ જિલ્લાના નાઝામાબાદ વિસ્તારના ફરિહાબાદના રહેવાસી છે. રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં ખુદને સ્થાપિત કરવા માટે ઘણી મેહનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યાર બાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું અને ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરેક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો હતો.

પહેલા અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું બાદમાં એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યાર બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

September 28, 2020
corona_india.jpg
1min4490

દેશમાં કોરોના મામલે લાંબા સમય બાદ સારા અહેવાલ સામે આવ્યા છે. જો કે કોરોનાનું જોખમ હજી પણ યથાવત છે. રાહતની વાત એ છે કે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ સંક્રમણના 88600 નવા મામલા સામે આવ્યા છે. દેશમાં સંક્રમણના કુલ મામલા હવે 60 લાખને પાર થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 49 લાખથી વધારે લોકો સંક્રમણથી મુક્ત બની ચુક્યા છે અને આ હિસાબે સંક્રમણથી મુક્ત થવાનો દર 82.46 ટકા થયો છે. ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગષ્ટના રોજ 20 લાખને પાર, 23 ઓગષ્ટના રોજ 30 લાખને પાર, પાંચ સપ્ટેમ્બરે 40 લાખ પાર અને 16મી સપ્ટેમ્બરના રોજ 50 લાખને પાર પહોંચી હતી. જો કે હવે દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે.

 કેન્દ્રીય પોલીસ દળના 36 હજાર જવાનોને અત્યાર સુધીમાં કોરોના ચેપ લાગ્યો છે. જેમાં કુલ મળીને 128 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોસ ઍ(સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ), ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી), સશસ્ત્ર બોર્ડર ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સનાં જવાનોનો સમાવેશ થાય છે.
‘સુરક્ષા દળોના 36,000 હજારથી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. તેમાંથી 6,646 સક્રિય કેસ છે અને બાકીના સાજા થઈ ગયા છે. દેશની સૌથી મોટી સરહદ રક્ષક દળ બીએસએફમાં લગભગ 2.5 લાખ જવાનો છે, જેમાં સૌથી વધુ 10,636 કેસ નોંધાયા છે. મોટી અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં 10,602 અને સીઆઈએસએફમાં 6,466 કેસ છે. આ સીવાય આઇટીબીપીમાં 3,845, એસએસબીમાં 3,684, એનડીઆરએફમાં 514 અને એનએસજીમાં 250 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. આઇટીબીપી 3,488 કિલોમીટરના ભારત-ચાઇના એલએસીનું રક્ષણ કરે છે.

September 27, 2020
akalidal.jpeg
1min5000

કૃષિ બિલના મુદ્દે શિરોમણી અકાલી દળ તરફથી સતત કેન્દ્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહે શનિવાર તા.27મી સપ્ટેમ્બર 2020ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં તે વાત સ્પષ્ટ કરી કે હવે તેમની પાર્ટી રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનનો ભાગ નથી. સુખબીર સિંહ બાદલે કહ્યું કે આ નિર્ણય પાર્ટીના ઘણાં સભ્યો તરફથી લેવામાં આવ્યો છે. પંજાબના અમૃતસરમાં ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ તરફથી રેલ રોકો અભિયાન ચાલુ છે. કૃષિ બિલ વિરુદ્ધ આ પ્રદર્શન ચાલી રહ્યું છે.

તા.26મી સપ્ટેમ્બરે મોડી સાંજે અકાલી દળની કોર કમિટીએ NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જ્યારથી નવા કૃષિ બિલની વાત શરૂ થઈ છે ત્યારથી પંજાબ અને હરિયાણામાં ખેડૂતોનો ભારે વિરોધ ચાલી રહ્યો હતો. જો કે આ બિલ સંસદમાં પાસ થયા બાદ અકાલી દળના સાંસદ અને મંત્રી હરસિમરત કૌરે મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હું આવી સરકારનો ભાગ હોઈ શકું નહીં.

આ નિર્ણય પહેલા સુખબીરસિંહ બાદલે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતું. સુખબીરસિંહ બાદલે કહ્યું હતું કે, ‘બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનને અણુ બોમ્બથી હલાવી દીધું હતું. અકાલી દળના એક બોમ્બે (હરસિમરત કૌર બાદલનું રાજીનામું) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હચમચાવી દીધા છે. બે મહિનાથી કોઈપણ ખેડૂતો પર એક પણ શબ્દ બોલતું નહોતું, પરંતુ હવે 5-5 મંત્રી તેના પર બોલી રહ્યા છે.

September 25, 2020
bihar.jpg
2min5870

કેન્દ્રીય ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની 243 બેઠકો પર ત્રણ તબક્કામાં ચૂંટણીની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીના જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે તમામ તકેદારી સાથે આ ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. બિહારમાં 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે તેમજ 3 અ 7 નવેમ્બરના બીજા તેમજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે અને 10 નવેમ્બરના વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.   

મતદાનનો સમય એક કલાક લંબાવ્યો

મુખ્ય ચૂંટણી કમિશ્નર અરોરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ચૂંટણી યોજવાનો પડકાર છે અને બિહાર વિધાનસભા ચૂંટણી સૌથી મોટો પડકાર છે. આ વખતે ચૂંટણીમાં મતદાનનો સમય એક કલાક લંબાવવામાં આવશે. સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. કોવિડ 19 દર્દીઓ અંતિમ એક કલાકમાં મતદાન કરી શકશે. કોરોનાના દર્દીઓ માટે વિશેષ પ્રોટોકોલનો અમલ પણ કરવામાં આવશે તેમ સીઈસીએ જણાવ્યું હતું.

ચૂંટઈ પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બિહાર વિધાનસભા ચૂંટણી માટે સાત લાખ હેન્ડ સેનિટાઈઝર્, 46 લાખ માસ્ક, 6 લાખ પીપીઈ કિટ્સ, 6.7 લાખ માસ્ક શિલ્ડ સહિત 23 લાખ હેન્ડ ગ્લવ્ઝનો ઉપયોગ કરવામાં આવશે. જ્યાં જરૂર જણાશે ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા પણ પુરી પાડવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે.

સોશ્યલ મીડિયા પર પંચની ચાંપતી નજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં સોશ્યલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે જેને પગલે કોઈ પક્ષ દ્વારા ઉશ્કેરણીજનક અથવા સમુદાયને ટાર્ગેટ કરીને કોઈ ટિપ્પણી કરશે તો પંચ આકરા પગલાં લઈ શકે છે. આ ઉપરાંત ભડકાઉ ભાષણો ઉપર પણ ચૂંટણી પંચની નજર રહેશે.

બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. 28 ઓક્ટોબરના 71 વિધાનસભા બેઠકો માટે તેમજ 3 નવેમ્બરના 94 વિધાનસભા બેઠકો અને 7 નવેમ્બરના 79 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. 10 નવેમ્બરના મતોની ગણતરી થશે તેમજ પરિણામ જાહેર કરાશે. આમ દશેરાથી દિવાળી સુધીમાં બિહારમાં આગામી કોની સરકાર રચાશે તે સ્પષ્ટ થઈ જશે.

બિહાર ચૂંટણી કાર્યક્રમ

28 ઓક્ટોબરના પ્રથમ તબક્કામાં 71 બેઠકો પર ચૂંટણી

1 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

8 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

9 ઓક્ટોબર- સ્ક્રુટિની

12 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

28 ઓક્ટોબર- મતદાન (71 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

3 નવેમ્બરના બીજા તબક્કામાં 94 બેઠકો પર ચૂંટણી

9 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

16 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

17 ઓક્ટોબર- સ્ક્રુટિની

19 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

3 નવેમ્બર – મતદાન (94 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

7 નવેમ્બરના ત્રીજા તબક્કામાં 78 બેઠકો પર ચૂંટણી

13 ઓક્ટોબર- જાહેરનામું બહાર પડશે

20 ઓક્ટોબર- ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ

21 ઓક્ટોબર- સ્ક્રુટિની

23 ઓક્ટોબર- ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ

7 નવેમ્બર- મતદાન (78 બેઠકો પર)

10 નવેમ્બર- મતગણતરી

September 25, 2020
saudi.png
1min4640

ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાએ વંદે ભારત મિશન હેઠળ ભારત માટેની ફ્લાઇટને મંજૂરી આપી છે. દેશમાં કોરોના વાઇરસના કેસમાં થઇ રહેલા ઉછાળા વચ્ચે મંગળવારે સાઉદી અરેબિયાએ ભારત જતી એન આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Saudi Arabia may lift ban on women travelling without man's permission |  India.com

બુધવારે રાતે એક ટ્વીટમાં ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે સ્પષ્ટ કર્યું હતું કે તે ભારતથી પ્રવાસીઓને સાઉદી અરેબિયા નહીં લઇ જાય. ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસ વંદે ભારત મિશનની સાઉદી અરેબિયાથી ભારતની ફ્લાઇટ ચાલુ રાખશે.

મંગળવારે જારી કરેલા એક આવેદનમાં સાઉદી અરેબિયાની જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશને જણાવ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને ધ્યાનમા ંલઇને ભારત, બ્રાઝિલ અને આર્જેન્ટિનાની હવાઇ યાત્રા સ્થગિત કરવામાં આવે છે. જોકે, તેમાં એવા મુસાફરોને બાકાત રાખવામાં આવ્યા હતા જેમની પાસે સરકારી આમંત્રણો છે. સાઉદી અરેબિયા એન સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં નોંધપાત્ર ભારતીયોની વસતી છે. દુબઇ યુએઇનું સૌથી વધુ વસતી ધરાવતું શહેર છે. યુએઇ સરકારના નિયમાનુસાર ભારતથી મુસાફરી કરતા દરેક લોકોએ મુસાફરીના ૯૬ કલાકની અંદર કોવિડ-૧૯નું નકારાત્મક પ્રમાણપત્ર લાવવું જરૂરી છે.