CIA ALERT

ઇન્ડીયા Archives - Page 95 of 215 - CIA Live

September 23, 2020
ESSENTIAL-COMMODITIES.jpg
1min5240

સંસદના ઇતિહાસમાં સૌથી વધુ ખરડા પસાર થયા હોય એવા દિવસોમાંના એક એવા મંગળવારે રાજ્યસભામાં સાડા ત્રણ કલાકમાં મુખ્ય સાત ખરડા મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં કડધાન્ય, કઠોળ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદબાકી કરતા ખરડાનો તથા કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા ખરડાનો સમાવેશ થાય છે. તેલ, કઠોળ, કાંદા અને બટાટાના સંગ્રહની મર્યાદા પણ હટાવાતા કાળાબજારિયાઓ અને સંગ્રહખોરોને લાભ થવાનો ભય વ્યક્ત કરાય છે.

આ સિવાય કોંગ્રેસ, ડાબેરી, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પક્ષ અને એનસીપી જેવા વિરોધ પક્ષોએ સસ્પેન્ડ કરાયેલા આઠ સાંસદોના વિરોધમાં ગૃહની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે સત્તાધારી ભાજપ અને તેના સાથી પક્ષ જનતા દળ-યુ અને અણ્ણાદ્રમુક, ભારતીય જનતા દળ (બીજેડી), વાયએસઆર-કોંગ્રેસ અને ટીડીપી જેવા પક્ષોએ વિવિધ મુદ્દે મોદી સરકારને સમર્થન આપ્યું હતું અને ખરડા માટેની ચર્ચામાં ભાગ લીધો હતો.

મોટા ભાગના ખરડામાં સભ્યોની સહભાગી બહુ ઓછી હતી અને પ્રધાનોના જવાબ પણ ટૂંકા હતા. પ્રથમ પાંચ નવી બનાવવામાં આવેલી સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (આઇઆઇઆઇટી)ને રાષ્ટ્રની મહત્ત્વની સંસ્થા તરીકે જાહેર કરાતા ખરડાને મંજૂર કરાયો હતો. ત્યાર બાદ કડધાન્ય, કઠોળ, તેલિબીયા, ખાદ્ય તેલ, કાંદા-બટાટાને જીવનાવશ્યક વસ્તુઓની યાદીમાંથી બાદ કરતા તથા તેમનો સંગ્રહ કરવાની મર્યાદાને દૂર કરતા મહત્ત્વના એસેન્શિયલ કોમોડિટિસ (અમેન્ડમેન્ટ) બિલ મંજૂર કરવામાં આવ્યું હતું. કૃષિ આવક વધારવા માટે સરકાર દ્વારા મંજૂર કરાયેલા કૃષિ સુધારા ખરડાનો આ એક ભાગ છે.

રવિવારે મંજૂર કરાયેલા ખરડામાં ખેડૂતોને તેમના ઉત્પાદનો દેશમાં ક્યાંય પણ વેચવાની તથા કંપનીઓ સાથે કોન્ટ્રેક્ટ કરવાની છૂટ આપવામાં આવી હતી.

આ સિવાય રાજ્યસભામાં આરબીઆઇના નિરીક્ષણ હેઠળ કાર્ય કરતી કો-ઓપરેટિવ બેંકોના બેંક રેગ્યુલેશન એક્ટમાં કરાયેલા સુધારાને પણ ડિપોઝિટરોના હિત માટે મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કંપનીઓ દ્વારા કરાતા અમુક અપરાધો માટેના દંડને દૂર કરતા કંપનીસ (અમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૦ને પણ મંજૂર કરવામાં આવ્યું હતું.

નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, ૨૦૨૦ને પણ ઝડપથી મંજૂર કરી દેવાયા હતા.

આ સિવાય જીએસટીની ચુકવણી અને ફાઇલિંગ તથા અન્ય વેરાની ચુકવણીઓ માટે કંપનીઓને આપવામાં આવેલી સમયમર્યાદામાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અમુક છૂટછાટ આપવા માટેના ટેક્સેશન એન્ડ અધર લોઝ (રિલેકશન એન્ડ અમેન્ડમેન્ટ ઓફ સર્ટન પ્રોવિઝન્સ) બિલ, ૨૦૨૦ને મંજૂર કરાયું હતું.

ખરડાઓ મંજૂર કરવા માટે રાજ્યસભાની કાર્યવાહી એક કલાક વધારવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી સવારે ૧૦.૨૯ કલાકે શરૂ થઇ હતી અને બપોરે ૨.૦૩ કલાકે પૂરી થઇ હતી એટલે કે ૨૧૪ મિનિટ સુધીમાં તમામ ખરડાને મંજૂરી આપવામાં આવી હતી.

September 22, 2020
deepika_padukone.jpg
1min6180

સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB) ડ્રગ્સ એન્ગલની તપાસ કરી રહી છે અને આ તપાસમાં બોલિવુડના ઘણા સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે. એનસીબી આ સપ્તાહે દીપિકા પાદુકોણેને પૂછપરછ માટે સમન મોકલે તેવી શક્યતા છે.

કરિશ્મા જયા સાહાની કંપનીની કર્મચારી છે. આ કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ચેટ્સ પર થયેલી વાતચીત સામે આવી છે. જયા સાહા સુશાંત સિહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર હતી, જેની આજે એનસીબીએ પૂછપરછ કરી છે. જયાની વોટ્સએપ ચેટમાં આ પહેલા શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવ્યું હતું, જે જયા પાસે સીબીડી ઓઈલ અંગે વાત કરી રહી હોવાનું ચેટમાં બહાર આવ્યું હતું.

ટાઈમ્સ નાઉને એનસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, ડ્રગ ચેટમાં D એટલે કે દીપિકા પાદુકોણ જે K સાથે ‘માલ’ એટલે ડ્રગ્સની માગ કરી રહી છે, તે K હકીકતમાં કરિશ્મા છે, જે ક્વોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. દીપિકાના સવાલ પર કરિશ્મા કહે છે કે, ‘મારી પાસે છે પરંતુ ઘરે છે. હું બાંદ્રામાં છું.’ તે પછી કરિશ્મા કહે છે કે, ‘જો કહો તો હું અમિતને પૂછી શકું છું.’ તેના પર દીપિકાનો જવાબ આવે છે, ‘હા પ્લીઝ.’ કરિશ્મા કહે છે, ‘અમિતની પાસે છે, તે તેને લઈ જઈ રહ્યો છે.’ તેના પર દીપિકા કહે છે, ‘Hash ને વીડ નહીં.’

આ પહેલા એનસીબીએ કન્ફર્મ કર્યું હતું કે, રિયા ચક્રવર્તીએ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંભાતાના નામ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં બોલિવુડના એ-લિસ્ટ સ્ટાર્સના નામ સામે આવ્યા બાદ અમદાવાદ, ભુવનેશ્વર અને ગુવાહાટીથી ત્રણ નવા ઓફિસર્સને આ કેસની તપાસ કરતી ટીમમાં સામેલ કર્યા છે. એજન્સીએ સોમવારે સુશાંતની મેનેજર શ્રુતિ મોદી અને જયા સાહાની પૂછપરછ કરી હતી અને મંગળવારે પણ તેમની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન જયા સાહે ફિલ્મ મેકર મધુ મંતેના વર્માનું નામ લીધું છે. એનસીબી બુધવારે મધુ મંતેના વર્માની પૂછપરછ કરશે. મધુએ ‘સુપર 30’, ‘ઉડતા પંજાબ’, ‘ક્વીન’, ‘મસાન’ જેવી હિટ ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે.

September 22, 2020
corona_india.jpg
3min4650

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 86961 કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 5487580 સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1130 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 87882 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 80.11 ટકા સુધી પહોંચ્યો છે. https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-7025085613496061&output=html&h=280&adk=1086755764&adf=583301947&w=690&fwrn=4&fwrnh=100&lmt=1600743437&num_ads=1&rafmt=1&armr=3&sem=mc&pwprc=2748499174&psa=1&guci=2.2.0.0.2.2.0.0&ad_type=text_image&format=690×280&url=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2Fin-the-last-24-hours-86961-new-cases-of-corona-were-reported-with-1130-deaths%2F186366.html&flash=0&fwr=0&pra=3&rh=173&rw=690&rpe=1&resp_fmts=3&wgl=1&fa=27&adsid=ChAI8J6h-wUQ36ncj72k4L5gEkwAzjD7zBFXp3Tx1R7ml1Dv1LQpeAIAvOAwy25n6ubw0afYlsDk3K7wl_92_6_Jc_IK0TXeswEca26l–9IpwRidalk49kVEXTEW8pk&dt=1600743437861&bpp=7&bdt=3909&idt=-M&shv=r20200915&cbv=r20190131&ptt=9&saldr=aa&abxe=1&cookie=ID%3D663ac7353e48fa24%3AT%3D1562133851%3AS%3DALNI_MZ3X1rNlQ3RVQXUkVBsKl6aTP5ZUw&prev_fmts=0x0&nras=2&correlator=2964390636989&frm=20&pv=1&ga_vid=923950125.1562133831&ga_sid=1600743434&ga_hid=949336953&ga_fc=0&iag=0&icsg=46047232&dssz=20&mdo=0&mso=0&u_tz=330&u_his=3&u_java=0&u_h=768&u_w=1366&u_ah=728&u_aw=1366&u_cd=24&u_nplug=3&u_nmime=4&adx=140&ady=1976&biw=1349&bih=657&scr_x=0&scr_y=0&eid=21067213%2C21067105%2C21067479&oid=3&pvsid=1360846202384628&pem=890&ref=https%3A%2F%2Fwww.navgujaratsamay.com%2F&rx=0&eae=0&fc=1408&brdim=0%2C0%2C0%2C0%2C1366%2C0%2C1366%2C728%2C1366%2C657&vis=1&rsz=%7C%7Cs%7C&abl=NS&fu=8320&bc=31&ifi=1&uci=a!1&btvi=1&fsb=1&xpc=REyl1rz8Uv&p=https%3A//www.navgujaratsamay.com&dtd=15

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 93356 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 4396399 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શનિવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 1003299 સુધી પહોંચ્યો છે. 

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 31016124 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 960658 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 21252813 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 8802653 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.

September 21, 2020
bhiwandi-building.jpg
1min5540
ભિવંડીમાં ધમાનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં સવારે ત્રણ માળનું મકાન ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. બચાવ કામગીરી ચાલુ છે.
8 killed in Bhiwandi building collapse

તા.21મીને સોમવારે સવારે મુંબઇ નજીક ભીવંડી ખાતે મકાન ધરાશાયી થવાની બનેલી ગંભીર હોનારતમાં 8 લોકોના મોત નિપજ્યાના સમાચારોએ ભારતમાં સપ્તાહની શરૂઆતમાં જ નેગેટીવ ન્યુઝ ફેલાવી દીધા હતા.

મુંબઇને અડીને આવેલા ભિવંડીમાં ધામનકર નાકા પાસે પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ 35થી 40 લોકો મકાનના કાટમાળમાં ફસાયા હતા. જોકે, અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

સ્થાનિક લોકોની મદદથી ઓછામાં ઓછા 20 લોકોને રેસ્ક્યુ કરાયા છે. પોલીસ અને NDRFની ટીમે કાટમાળ નીચે દટાયેલા 25 લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનામાં હજી સુધી 8 લોકોનાં મોત નીપજ્યાં છે. ઘાયલોમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. જોકે, ગંભીર અકસ્માતમાં હજી મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ તે અંગે હજી ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

September 21, 2020
Bank-fraud.png
1min5010

જાહેર ક્ષેત્રની બેન્કોમાં ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ. 19,964 કરોડની છેતરપિંડી થયાનું રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ એક અરજીના જવાબમાં જણાવ્યું હતું. આ ગાળામાં ફ્રોડના કુલ 2,867 કેસો નોંધાયા હતા.

દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં સૌથી વધુ ઠગાઈના બનાવો નોંધાયા હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ બેન્ક ઓફ ઈન્ડિયામાં છેતરાપિંડીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. આરબીઆઈએ આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને ફ્રોડ અંગેના સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો આપી હતી.

દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો પૈકી એસબીઆઈમાં 2,050 છેતરાપિંડીના કેસો નોંધાયા હતા અને એપ્રિલથી જૂન 2020માં રૂ. 2,325.88 કરોડની છેતરાપિંડી થઈ હતી. બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં રૂ. 5,124.87 કરોડના 47 ફ્રોડ કેસ નોંધાયા હતા. કેનેરા બેન્કમાં 33 કેસમાં રૂ. 3,885.26 કરોડનું ફ્રોડ થયું હતું. બેન્ક ઓફ બરોડામાં 60 કેસ દ્વારા રૂ. 2,842.94 કરોડની છેતરાપિંડીની ઘટના બની હતી. ઈન્ડિયા બેન્કમાં 45 કેસમાં રૂ. 1,469.79 કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં 37 કેસમાં રૂ. 1,207.65 કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 9 કેસમાં રૂ. 1,140.37 કરોડની છેતરાપિંડી થઈ હતી.’ પંજાબ નેશનલ બેન્ક જે બીજા ક્રમની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક છે તેમાં મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફ્રોડનું પ્રમાણ નીચું રહ્યું હતું.’ કુલ 240 કેસમાં રૂ. 270.65 કરોડની છેતરાપિંડી થઈ’ હોવાનું આરબીઆઈએ જવાબમાં જણાવ્યું હતું.

September 20, 2020
corona_india.jpg
1min5210

ભારતમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના રોગચાળાના મામલે હવે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાની બાબતમાં ભારતે અમેરિકાને પાછળ છોડી દીધું છે અને સૌથી વધારે સફળતા હાંસલ કરી છે. દેશના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શનિવારે કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા કોરોનાના નવા કેસથી વધી ગઇ હતી. શનિવારે કોરોનાથી ૯૫,૮૮૦ લોકો સાજા થયા હતા અને કોરોનાના ૯૩,૩૩૭ નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ કેસ ૫૩ લાખથી વધી ગયા છે.

અત્યાર સુધી દેશમાં ૪૦,૦૮,૪૩૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થઇ ગયા છે, જે દુનિયામાં સૌથી વધારે છે.

કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં ૮૫,૬૧૯ લોકોનાં મૃત્યુ થયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૨૪૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર ૭૯.૨૮ ટકા પર પહોંચી ગયો છે. અને મૃત્યુ દર ઘટીને ૧.૬૧ થઇ ગયો છે.

હાલમાં દેશમાં કોરોનાના કુલ ૧૦,૧૩,૯૬૪ સક્રિય કેસો છે, જે કુલ કેસોના ૧૯.૧૦ ટકા છે.

૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખને પાર થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખને પાર થઇ ગયો હતો અને ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો હતો.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૧,૨૪૭ મૃત્યુમાં ૪૪૦ મહારાષ્ટ્રમાં, ૧૭૯ કર્ણાટકમાં, ૯૮ ઉત્તર પ્રદેશમાં, ૬૭ આંધ્ર પ્રદેશમાં, ૫૯ પ. બંગાળમાં, ૬૭ તમિળનાડુમાં, ૬૨ પંજાબમાં અને ૩૦ દિલ્હીમાં નોંધાયા છે.

અત્યાર સુધીમાં કોરોનાથી નોંધાયેલ કુલ ૮૫,૬૧૯ મૃત્યુમાં ૩૧,૭૯૧ મૃત્યુ મહારાષ્ટ્રમાં, ૮,૬૮૫ તમિળનાડુમાં, ૭,૮૦૮ કર્ણાટકમાં, ૫,૨૪૪ આંધ્ર પ્રદેશમાં, ૪,૯૦૭ દિલ્હીમાં, ૪,૮૬૯ ઉત્તર પ્રદેશમાં અને ૪,૨૪૨ પ. બંગાળમાં નોંધાયા છે.

કોરોના વાઇરસને પછાડવામાં કેન્દ્રની મોદી સરકારની મહેનત રંગ લાવી છે અને ભારતનો રિકવરી રેટ દુનિયાભરમાં સૌથી વધુ થયો છે.

September 19, 2020
ipl2020.jpg
1min6430

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL આજે તા.19મી સપ્ટેમ્બર 2020થી શરૂ થઇ રહી છે. કોવીડ-19 પેન્ડેમિકની કપરી સ્થિતિને કારણે ભારતમાં આ ઇવેન્ટ શક્ય ન હોઇ, યુનાઇટેડ એમિરાતમાં રમાઇ રહેલી આ ટુર્નામેન્ટ ભલે ત્યાં રમાશે પણ સૌથી વધુ જોવાશે ભારતમાં. ટેલિવિઝન પર સતત 53 દિવસ સુધી આઇ.પી.એલ. છવાયેલી રહેશે અને એટલે જ નવી ફિલ્મોથી લઇને અનેક ઇવેન્ટ આ જ કારણે પોસ્ટપોન કરી દેવામાં આવી છે.

53 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 60 મેચ રમાશે. પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અબુધાબીમાં રમાશે. ત્યારે આ વખતે IPLમાં કોરોનાના કારણે કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નવા ફેરફારમાં ટીમને અનલિમિટેડ કોરોના સબસ્ટીટ્યુટ મળશે. ઉપરાંત IPLમાં પ્રથમ વખત બોલને ચમકાવવા માટે બોલર્સ લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ અન્ય પ્લેયર સબ્સ્ટીટ્યૂટ તરીકે સામેલ કરી શકાશે. આ વખતે ફ્રન્ટફુટનો બોલ ફિલ્ડને બદલે થર્ડ અમ્પાયર જોશે. ત્યારે લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટરો મેદાનમાં ઉતરી રહ્યા છે.

September 19, 2020
paytm.jpg
1min5820

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી પેટીએમ (Paytm) ગૂગલ પ્લે સ્ટોર પર તા.18મીએ રિમુવ કરી દેવામાં આવી હતી. પરંતુ, એ બેન ફક્ત ચાર કલાકનો જ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી એપ ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે. તા.18મી સપ્ટેમ્બરે સાંજે ફરીથી ગુગલ પ્લે સ્ટોર પર પેટીએમ ગોઠવાઇ ગઇ હતી.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે. કારણકે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે. કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.

પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો. One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

September 19, 2020
Parliament-8.jpg
1min5020

કૃક્ષિ ક્ષેત્ર સાથે સંબંધિત ત્રણ બિલ માટે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. ભારે વિરોધ પ્રદર્શન થવા છતા પણ કેન્દ્ર સરકાર પીછેહઠ કરવા માટે તૈયાર નથી. શુક્રવારના રોજ બિહારને કેટલીક યોજનાઓની ભેટ આપતા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ બિલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેટલાક પક્ષો ખેડૂતોને ભ્રમમાં નાખી રહ્યા છે. આ વટહુકમોથી ખેડૂતોને ઘણો બધો ફાયદો થશે.

વડાપ્રધાન નરેનદ્ર મોદીએ કહ્યું કે કાલે વિશ્વકર્મા જયંતિના દિવસે લોકસભામાં ઐતિહાસિક કૃષિ સુધાર બિલ પસાર કરવામાં આવ્યા છે. આ ખરડાઓએ આપણા અન્નદાતા ખેડૂતોને અનેક બંધનોમાંથી મુક્તિ અપાવી દીધી છે. આ સુધારાઓથી પોતાની ઉપજ વેચવા માટે ખેડૂતોને વધારે વિકલ્પો અને વધારે અવસર મળી રહેશે. હું દેશના ખેડૂતોને આ ખરડાઓ માટે શુભેચ્છા પાઠવું છું.

વિપક્ષની ઝાટકણી કાઢતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચોટિયાઓ હોય છે, કે જેઓ ખેડૂતોની કમાણીનો મોટા ભાગનો હિસ્સો પોતાની પાસે રાખી લેતા હોય છે તેમનાથી બચવા માટે આ આ ખરડા પસાર કરવા અત્યંત જરૂરી હતા. આ ખરડાઓ ખેડૂતો માટેનું રક્ષા કવચ બનીને આવ્યા છે. પરંતુ કેટલાક લોકો જે દશકાઓ સુધી સ્તાતમાં રહ્યા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમમાં નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું કે કેટલાક લોકો ખોટુ બોલી રહ્યા છે. ચૂંટણી સમયે ખેડૂતોને આકર્ષવા માટે મોટી-મોટી વાતો કરતા હતા, લેખિતમાં પણ આપતા હતા અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ખેડૂતો માટે કામ કરવાના દાવાઓ કરતા હતા પરંતુ ચૂંટણી બાદ બધું ભૂલી જતા હોય છે. આજે જ્યારે એ જ વસ્તુઓ ભાજપા-એનડીએ સરકાર કરી રહી છે તો વિપક્ષ જાત-જાતના ભ્રમ ફેલાવી રહી છે.

September 19, 2020
airindia-1.jpg
1min5020

એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુરથી દુબઈની ફ્લાઈટમાં એક પેસેન્જર જે 2 સપ્ટેમ્બરના કોવિડ 19 પોઝિટિવ હતો તેણે 4 સપ્ટેમ્બરના મુસાફરી કરી હતી. અગાઉ પણ એક સપ્તાહ અગાઉ આ પ્રકારનો એક બનાવ બન્યો હતો.

કોવિડ 19 પોઝિટિવ દર્દીને ફ્લાઈટમાં દુબઈ લાવવા બદલ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ એર ઈન્ડિયા એક્સપ્રેસની બેદરકારી બદલ પગલા લેતા તેમની ફ્લાઈટ સેવા 18 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એક અધિકારીએ જણાવ્યા મુજબ એક સપ્તાહના ટૂંકા ગાળામાં એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટમાં કોરોના પોઝિટિવ દર્દીને લાવવાની ઘટના બની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે તે એર ટ્રાવેલર્સની મુશ્કેલી ઘટાડવા પ્રયાસ કરી રહ્યું છે અને શુક્રવારે તે પોતાની ચાર શારજાહની ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

દુબઈ નાગરિક ઉડ્ડયન સત્તાધીશોએ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ સેવા 2જી ઓક્ટોબર સુધી રદ કરી દીધી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની જયપુર-દુબઈની ફ્લાઈટમાં 4 સપ્ટેમ્બરે એક કોરોના સંક્રમિત થયેલા મુસાફરે ટ્રાવેલ કરતા દુબઈએ કડક પગલું ભર્યું છે. નોંધનીય છે કે એક સપ્તાહમાં આ બીજો બનાવ છે જેમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં કોરોના દર્દીએ મુસાફરી કરી હોય.

યુએઈ સરકારના નિયમો મુજબ ભારતથી દુબઈ આવતા દરેક પેસેન્જરે કોવિડ 19 નેગેટિવનું સર્ટિફિકેટ સાથે લાવવાનું રહે છે. મુસાફરીના 96 કલાક પહેલા પેસેન્જરે પોતાનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી આ પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.