ઇન્ડીયા Archives - Page 94 of 217 - CIA Live

October 8, 2020
supreme.jpg
1min5800

દિલ્હી-એનસીઆરના લાખો લોકોની રોજબરોજની જિંદગી માટે લાંબો સમય સુધી પરેશાનીરૂપ બનેલા શાહીન બાગ ધરણા-પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ફેંસલો આપ્યો છે. શાહીન બાગના બનાવને ધ્યાને લઈ લોકશાહીમાં વિરોધના અધિકારની મર્યાદામાં માર્ગદર્શિકા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે જાહેર સ્થળોએ લાંબો સમય સુધી પ્રદર્શન યોજી ન શકાય. એક નિર્ધારિત સ્થળે જ ધરણાં યોજાવા જોઈએ. રાઇટ ટૂ પ્રોટેસ્ટની કેટલીક મર્યાદાઓ પણ છે જાહેર સ્થળો પર કબજો જમાવીને અન્ય વિશાળ જનસમુદાય માટે મુશ્કેલી સર્જી તેમના અધિકારોને કચડી નાંખવાની કાયદા હેઠળ છૂટ આપી ન શકાય.

રાષ્ટ્રીય નાગરીકતા રજિસ્ટર અને નાગરીકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં 1પ ડિસેમ્બરથી શરૂ થયેલા ધરણા-પ્રદર્શન 100 દિવસથી વધુ સમય ચાલ્યા હતા. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તા પર કબજો કરી લેતા અન્ય લોકોને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ, અનિરુદ્ધ બોઝ અને કિષ્ન મુરારીની ખંડપીઠે ચુકાદામાં કહ્યું છે કે વિરોધ વ્યક્ત કરવા માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ જાહેર સ્થળોને બંધ ન કરી શકે. કોર્ટના આવા આદેશથી નાગરીકો હવે એવું માની રહ્યા છે કે શાહીન બાગ જેવા ધરણા-પ્રદર્શનનું પુનરાવર્તન નહીં થાય.

શાહીન બાગ ધરણા પ્રદર્શન વખતે મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો જે નોએડા અને દિલ્હીને સાહિબાબાગથી જોડતો હતો. 1પ ડિસે.થી શરૂ થયેલા આ પ્રદર્શને લાખો લોકોની જિંદગી જાણે દોજખ બનાવી નાખી હતી. 3 મહિનાથી વધુ સમય સુધી શાહીન બાગ પ્રદર્શન ચાલ્યું હતું. જેથી શાળાએ જતાં બાળકોથી માંડી વેપારીઓ સહિત જાહેર જનતાને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જે લોકોને નોએડા અને ગાજિયાબાદથી દિલ્હી અથવા ફરીદાબાદ જવું હોય તેઓને માત્ર મેટ્રોમાં મુસાફરી કરવી પડતી હતી.

શાહીન બાગ ધરણા પ્રદર્શનને કારણે સ્થાનિક ધંધા ચોપટ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને શાળાએ જવા તથા પરત આવવા લાંબા ચક્કર લગાવવા પડતા હતા. સ્થળ આસપાસ આશરે 100 જેટલી દુકાનો, શો રૂમ બંધ થઈ ગયા હતા. જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું.’

October 8, 2020
H-1B-visa.jpg
1min5090

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે US H-1Bને લગતાં નવા નિયમો જાહેર કર્યાં છે અને આ નિયમ અનુસાર અમેરિકન કર્મચારીઓને રોજગારીના વધુ મોકા મળશે અને ઇમિગ્રેશન પર લગામ લગાડાશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે US H-1Bને લઇન નવી જાહેરાત કરી છે.

દર વર્ષે યુએસએ 85000 H-1B વિઝા આપે છે અને આ વિઝાની મદદથી વિદેશના સ્કિલ્ડ વર્કર્સ અમેરિકા કામ કરવા પહોંચી શકે છે. એક ધારણા અનુસાર નવા નિયમોને પગલે ભારતીય ટેક પ્રોફેશનલ્સને મુશ્કેલી પડશે અને તેમને સૌથી વધુ નુકસાન થશે. 5 લાખ અમેરિકન્સ આ રોગચાળા દરમિયાન H-1B નોન ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે બેરોજગાર થઇ ગયા છે.

અમેરિકન સરકારી ડેટા અનુસાર અમેરિકા દ્વારા જેટલા H-1B વિઝા જાહેર કરાય છે તેમાંથી 70 ટકા વિઝા ભારતીય પ્રોફેશનલ્સને જ અપાય છે અને નવા નિયમોના અમલીકરણ પછી આમાંથી એક તૃતિયાંશ ભારતીયો આ વિઝા મેળવવાની યાદીમાંથી છટણીનો ભોગ બનશે અને તેમને વિઝા નહીં મળે.

H-1B, આપણે જાણીએ છીએ તેમ વિશેષ કામ માટે અપાતો વિઝા છે અને તે ટુરિસ્ટ વિઝા નથી. અમેરિકી કંપનીઓ બીજા દેશનાં લોકોને તેમની આવડતને આધારે નિયુક્ત કરે છે અને ત્યારે તેમને આ વિઝા અપાય છે. દર વર્ષે અમેરિકાની આઇટી કંપનીઝમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીને આ વિઝા હેઠળ પોતાના દેશમાં કામ કરવા બોલાવે છે. જો કોઇ કંપની કર્મચારી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ અટકાવી દે તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે કર્મચારીએ 60 દિવસોમાં જ નવી કંપનીમાં નોકરી શોધવી પડે છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ અનુસાર H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળે છે.

October 5, 2020
chirag-ram_1601729505.jpg
1min4750

બિહારમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે ત્યારે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ રવિવારે જણાવ્યું હતું કે જેડી (યુ)ના પ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ વિધાનસભાની ચૂંટણી લડવાનું તેમને સ્વીકાર્ય નથી.

Bihar Assembly election 2020: With NDA or solo, LJP to decide today | India  News | Zee News

એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાનના નેતૃત્વમાં મળેલી પક્ષની સંસદીય સમિતિની બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન જાળવી રાખવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો

અને જણાવવામાં આવ્યું હતું કે તેમના બધા વિધાનસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કામ કરશે. એનડીએ બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડશે એવી ભાજપે અગાઉ જાહેરાત કરી હતી.

October 4, 2020
tet.jpg
1min13000

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશમાં શિક્ષક બનવા માટે ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET લેવાની પદ્ધતિ જ્યારથી લાગૂ કરવામાં આવી હતી ત્યારથી તેની સાથે એક જોગવાઇ એ પણ સામેલ કરવામાં આવી હતી કે એક વખત ટેસ્ટ આપનાર શિક્ષક માટે એ ટેસ્ટનો સ્કોર 7 વર્ષ માટે જ વેલિડ (માન્ય) ગણાશે. વેલિડીટી સમય પૂરો થઇ ગયા બાદ એ શિક્ષકનો ટેટનો સ્કોર માન્ય રહેશે નહીં અને એ શિક્ષકે 7 વર્ષ બાદ ફરીથી ટીચર્સ એલિજિબિલીટી ટેસ્ટ TET આપવાની રહે છે. પરંતુ, હવે આ જોગવાઇ રદ થવા જઇ રહી છે.

ગુડ ન્યુઝ

હવે પછી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કર્યા પછી ફરીવાર આ ટેસ્ટ આપવી નહીં પડે. એટલે કે કોઇ એક ઉમેદવારે આજીવન ફક્ત એક જ વખત ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET પાસ કરવાની રહેશે. આ પ્રકારનો નિર્ણય તાજેતરમાં જ નવી દિલ્હી ખાતે મળેલી નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન (એનસીટીઇ)ની તાજેતરમાં મળેલી સામાન્યસભાની બેઠકમાં એવો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગની જનરલ બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણયની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત સાથે અમલ શરૂ કરવામાં આવશે એવી વિગતો જાણવા મળી છે. 

નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ ટ્રેનિંગના આ નિર્ણયનો સીધો ફાયદો દેશના હજારો શિક્ષકોને મળશે.

એનસીટીઇ સંલગ્ન કોલેજમાં બી.એડ. પૂરું કર્યા બાદ ટીચર તરીકે નોકરી મેળવવા માટે ઉમેદવારોએ જે તે રાજ્યોમાં TET આપવી ફરજિયાત છે. બી.એડ. કર્યા પછી દરેક ઉમેદવારો આ ટેસ્ટ આપે અને તેમાં પાસ થાય પછી જ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. ટેટ પાસ કર્યા બાદ તેનો સ્કોર 7 વર્ષ સુધી જ વેલિડ રહેતો હતો. 7 વર્ષ સુધી જો કોઇને નોકરી ન મળે કે નોકરી ન સ્વીકારે અને એ પછી શિક્ષક તરીકે જોડાવું હોય તો પુનઃ ટેટ પરીક્ષા આપવાની રહેતી હોય છે. પરંતુ, હવે આ જોગવાઇ કાઢી નાંખવામાં આવી છે.

October 4, 2020
HOME-LOAN-HIKE.jpg
1min4650

કોરોના કાળમાં બેંકોની લોનના હપ્તા ભરવામાં મળેલી રાહતના મામલે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે જવાબ રજૂ કરતા જણાવ્યું છે કે છ મહિના સુધી રૂ.2 કરોડ સુધીની લોન લેનારને વ્યાજ પરનું વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. કેન્દ્રના આ નિર્ણયથી લોનધારકો તેમજ મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગોને લાભ થશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે તે ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજનું વ્યાજ) માફ કરવા સહમત છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે આ માટે તેઓ સંસદ પાસેથી યોગ્ય અધિકાર માટે માંગ કરશે. ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાથી સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોને રૂ. 3.7 લાખ કરોડની મદદ થશે તેમજ હોમ લોનધારકોને અંદાજે 70,000 કરોડની રાહત મળી રહેશે.

કેન્દ્રીય નાણા મંત્રાલયે ભારત સરકાર વતી દાખલ કરેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે, કોરોનાને પગલે મોરેટોરિયમ સમયગાળામાં ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી લોનધારકોને મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય મોરેટોરિયમ લીધું હોય અથવા ના લીધું હોય તેવા તમામ લોનધારકો માટે લાગુ પડશે. રૂ. 2 કરોડ સુધીની લોન લેનાર પાસેથી છ માસ સુધી વ્યાજનું વ્યાજ નહીં લેવામાં આવે.  

આ માટે આઠ શ્રેણીમાં લોનનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે જેમાં એમએસએમઈ, શૈક્ષણિક, હાઉસિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણી, ઓટો, પર્સનલ અને કન્ઝમ્પ્શન લોનનો સમાવેશ કરાયો છે.

જો કે બે કરોડથી વધુની લોન લેનારને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી નથી. વિપરિત પરિસ્થિતિમાં કાળજીપૂર્વકના અધ્યયન બાદ તમામ વિકલ્પોની વિચારણાના અંતે સરકારે નાના ઋણદાતાઓનો હાથ પકડવાની પ્રથાને જાળવી રાખી છે.

આરબીઆઈએ કોવિડ 19ની પ્રતિકૂળતાઓ વચ્ચે 27 માર્ચના એક પરિપત્ર જાહેર કરીને તમામ બેન્કોને ત્રણ મહિના સુધી લોન મોરેટોરિયમ ગાળો આપવા જણાવ્યું હતું. ત્યારબાદ મોરેટોરિયમનો ગાળો 31 ઓગસ્ટ સુધી લંબાવાયો હતો.

આરબીઆઈએ મોરેટોરિયમની વ્યાખ્યા સ્પષ્ટ કરી હતી જેમાં વ્યાજ ચૂકવણીને મુલતવી રાખવાનું કહ્યું હતું નહીં કે વ્યાજ માફી. જોકે લોનધારકો વ્યાજ માફી અને લોનના હપતાને મુલતવી રાખવાનો ભેદ સમજી શક્યા નહતા. મોટાભાગના ઋણદાતાઓએ મોરેટોરિયમ માટે અરજી કરી નહતી. કેન્દ્રે એફિડેવિટમાં વધુમાં જણાવ્યું હતું કે કેટલા લોકોએ મોરેટોરિયમ માટે અરજી નથી કરી તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે પરંતુ તે 50 ટકાથી વધુ હોવાની ધારણા છે.

કેન્દ્રે જણાવ્યું કે, તમામ લોન્સ પર છ માસ સુધી વ્યાજના વ્યાજને માફ કરવામાં આવશે તો બેન્કોને અંદાજે રૂ. 6 લાખ કરોડ જતા કરવા પડે તેમ છે. બેન્કો પર આ ભારણ વધવાથી તેમની નેટવર્થનું ધોવાણ થશે અને બેન્કોને ટકી રહેવા સામે ગંભીર સવાલ ઉપસ્થિત થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભુષણની વડપણ હેઠળની બેન્ચ આ કેસની વધુ સુનાવણી 5 ઓક્ટોબરના કરશે.

October 3, 2020
ataltunnel.jpg
1min7410

લદાખના રોહતાંગમાં બનાવવામાં આવેલી અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની વિશ્ર્વની સૌથી લાંબી ઑલ સીઝન હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’નું વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઉદ્ઘાટન કરીને જનતા માટે ખુલ્લી મૂકશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર ઉદ્ઘાટન બાદ વડા પ્રધાન લાહોલ સ્પિતિ અને સોલાંગ વેલી ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે. ચીન સાથે વકરેલો સીમાવિવાદ જો લાંબો ચાલે તો ઝડપથી સૈન્ય અને સરંજામ સરહદે લઇ જવામાં અને દેશની સીમાનું રક્ષણ કરવામાં આ ટનલ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવશે.

PM Modi To Inaugurate Atal Tunnel At Rohtang On 3 October; Here's  Everything To Know About World's Longest Highway Tunnel

ચીન સાથે લદાખની સરહદે ચાલી રહેલા સીમાવિવાદને ટાંકણે જ મનાલી અને લેહ વચ્ચેનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરતી વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ રોહતાંગ’ તૈયાર થઇ એ ભારત માટે ઘણી અગત્યની વાત છે.

આ ટનલ હિમાચલ પ્રદેશના મનાલીથી લદાખના લેહ સુધીનું અંતર ૪૬ કિ. મી. ઓછું કરવા સાથે પ્રવાસનો સમય ચારથી પાંચ કલાક ઓછો કરશે.

અત્યંત આધુનિક રીતે બનાવવામાં આવેલી આ ટનલ ૯.૦૨ કિ.મી. લાંબી છે અને એ લેહ-મનાલી હાઇવે પર આવેલા પૂર્વ પીર પાંજલ રેન્જમાં રોહતાંગ પાસની નીચેથી પસાર થાય છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યા અનુસાર વિશ્ર્વની સૌથી લાંબી હાઇવે ટનલ ‘અટલ ટનલ’ રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે અને રોહતાંગ ખાતે એની ઊંચાઇ ૩૦૦૦ મીટર (સમુદ્રની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચાઇએ) આવેલી છે.

આ ટનલ માટે રૂ. ૪૦૮૩ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું, પણ ટનલ એથી ઘણી ઓછી કિંમતે રૂ. ૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

અટલ ટનલનું દક્ષિણમુખ ૩,૦૬૦ મીટરની ઊંચાઇએ મનાલીથી ૨૫ કિ. મી. ના અંતરે આવેલું છે અને ઉત્તરમુખ લાહૌલ વેલીમાં સિસ્સુના તેલિંગ ગામની નજીક ૩.૦૭૧ મીટરની ઊંચાઇએ આવેલું છે.

ઘોડાની નાળના આકારની આ ટનલમાં સિંગલ ટયૂબ ડબલ લૅન છે અને એમાં ૮ મીટર પહોળા રસ્તા છે.

વધુમાં વધુ ૮૦ કિ. મી. ની સ્પીડે રોજ ૧૫૦૦ ટ્રક અને ૩૦૦૦ કાર જઇ શકે એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે.

વીસ વર્ષ અગાઉ ૩જી જૂન, ૨૦૦૦ના દિવસે અટલબિહાર વાજપેયી સરકારે આ ટનલે બાંધવાનો નિર્ણય લીધો હતો અને દક્ષિણમુખ માટેના શિલાન્યાસનો કાર્યક્રમ ૨૬મી મે ૨૦૦૨ના દિવસે યોજાયો હતો.

મોદી સરકારે ગત વર્ષે દિવંગત વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પરથી ડિસેમ્બર ૨૦૧૯માં રોહતાંગ ટનલનું નામ અટલ ટનલ રાખવાનો નિર્ણય લીધો હતો.

આ ટનલ તૈયાર કરવા માટે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (બીઆરઓ)ના જવાનોએ અથાગ પ્રયત્ન અને સતત કામ કરીને વિશ્ર્વની વિશિષ્ટ ટનલ બાંધવામાં મોટો ફાળો આપ્યો છે.

October 1, 2020
farmers.jpg
1min5130

કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા કૃષિ કાયદાના રાજ્યમાં અમલ માટે કાઢવામાં આવેલા અધ્યાદેશને આખરે રાજ્યસરકારે રદ કર્યો છે. બુધવારે સવારથી થયેલા નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ આખરે રાજ્ય સરકારે આ અધ્યાદેશને રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી હતી. કોંગ્રેસે કૃષિ કાયદાને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું અને રાજ્યસરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો પ્રધાનમંડળની બેઠકમાં ગેરહાજર રહેવાની ચીમકી આપી હતી.

રાજ્યના કૃષિ ખાતાના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર કૃષિ કાયદાના અમલ અંગેના અધ્યાદેશને રદ કરવાના વિરોધમાં હોવા છતાં મહારાષ્ટ્ર સરકારે તેમના વિરોધને કચડી નાખવા માટે તત્કાળ વિધાનસભ્યોની અપીલ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને તેના પર કાર્યવાહી કરીને અધ્યાદેશને રદ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. આ અધ્યાદેશ રદ થતાં હવે એપીએમસી માર્કેટને સંજીવની મળવાની આશા જાગી છે.

ખેડૂતોના હિત માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને નિયંત્રણ મુક્ત કરવાનો આદેશ ઓગસ્ટ મહિનામાં કાઢવામાં આવ્યો હતો. આ આદેશને પગલે એપીએમસી માર્કેટની બહાર પણ કૃષિ માલને વેચવાની પરવાનગી આપવામાં આવી હતી.

રાજ્યની મોટા ભાગની એપીએમસીમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસ-એનસીપી માટે આ અત્યંત મુશ્કેલ ઘડી હતી. આ સંદર્ભે કાયદો સંસદમાં ગયા અઠવાડિયે મંજૂર થયા બાદ આખા દેશમાં આ કાયદાઓનો વિરોધ થઈ રહ્યો છે અને અનેક રાજ્યોમાં ખુદ કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. જોકે આ કાયદા સંબંધી અધ્યાદેશ કેન્દ્ર સરકાર દ્વારા જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો અને ઓગસ્ટમાં મહારાષ્ટ્ર સરકારે તેના અમલનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો. આવી સ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસને માટે દુવિધાની સ્થિતિ નિર્માણ થઈ હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને બુધવારે રાજ્યના પ્રધાનમંડળની બેઠકના દિવસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ અધ્યાદેશને રદ ન કરવામાં આવે તો કેબિનેટની બેઠકનો બહિષ્કાર કરવાનું વલણ અપનાવ્યું હતું. એક રીતે આ રાજ્યની સરકારના પતનની સંભાવના નિર્માણ થઈ હતી.

રાજ્યના પ્રધાન બાળાસાહેબ પાટીલે બુધવારે જણાવ્યું હતું કે આ કાયદો કેન્દ્ર સરકારનો છે અને તેના પર કાનૂની સલાહ લેવામાં આવી હતી. અત્યારે પણ અમે સલાહ લઈ રહ્યા છીએ. રાજ્યના ખેડૂતોને રાહત મળી રહે તે હેતુથી અમે કૃષિ ઉત્પાદન માટે નવો કાયદો કરવાના છીએ. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યની ૩૦૫ એપીએમસી માર્કેટમાં ગુંચવાડો ઉભો થયો હતો. ખેડૂતો, વેપારી, દલાલ, માથાડી, કોન્ટ્રેક્ટ મજૂરો, કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ વગેરે પર વિપરિત પરિણામ થવાની સંભાવના નિર્માણ થઈ હતી. કેટલાક લોકો બેરોજગાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. વિધાનસભ્યોની દલીલો સાંભળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

October 1, 2020
gst.jpg
1min6630

સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટી રિટર્ન અને ઑડિટ રિપોર્ટની મુદત એક મહિનો લંબાવીને ૩૧ ઑક્ટોબર સુધીની કરવાની જાહેરાત કરી હોવાનું સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરેક્ટ ટૅક્સિસ-સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુું.

આચારસંહિતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ

પાસે જરૂરી ક્લિયરન્સ મેળવ્યા બાદ સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના જીએસટીઆર-૯ અને જીએસટીઆર ૯સીની મુદત ૩૦-૦૯-૨૦૨૦થી લંબાવીને ૩૧-૧૦-૨૦૨૦ કરી છે, એમ સીબીડીટીએ જણાવ્યું હતું.

મે મહિનામાં સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટેના વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦-૦૯-૨૦૨૦ સુધીની કરી હતી.

જીએસટી હેઠળ નોંધાયેલા કરદાતાઓએ જ જીએસટીઆર-૯ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાનું રહે છે.

October 1, 2020
hathrasdeathjpg.jpg
1min5680

ઉત્તર પ્રદેશના હાથરસમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૯ વર્ષની દલિત યુવતીનું દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે સવારે અવસાન થયું હતું. પીડિતા પર ૧૪મી સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. એના પર બળાત્કાર કરનાર ચારે ય નરાધમની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ચારે ય નરાધમો સામે હવે કાયદાની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

Hathras case: Victim's mother says why my daughter was cremated without our  permission? | हाथरस केस: पीड़िता की मां ने पुलिस पर उठाए सवाल, कहा- क्या  मेरी बेटी लावारिस थी जो... |

દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મંગળવારે સવારે તા.30મી સપ્ટેમ્બરે મરણ પામેલી હાથરસ સામૂહિક બળાત્કાર કેસની પીડિતાના પોલીસે બળજબરીથી રાતોરાત અંતિમસંસ્કાર કર્યા હોવાનો આક્ષેપ એના ભાઇએ કર્યો હતો, પણ પોલીસે આક્ષેપ નકારતા જણાવ્યું હતું કે કુટુંબની મરજી પ્રમાણે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

પીડિતાના ભાઇએ ફોન પર પીટીઆઇને જણાવ્યું હતું કે મૃતદેહ અને મારા પિતાને પોલીસ બળજબરીથી અંતિમક્રિયા માટે લઇ ગઇ હતી. જ્યારે મારા પિતા દિલ્હીથી હાથરસ પહોંચ્યા ત્યારે એમને તુરંત સ્મશાનમાં લઇ જવાયા હતા. જોકે, પીડિતાના એક સગાએ એવું નિવેદન આપ્યું હતું કે કુટુંબીઓ અને આસપાસની ૩૦થી ૪૦ વ્યક્તિ સાથે પીડિતાના પિતા અંતિમક્રિયા કરવા ગયા હતા. અંતિમક્રિયા ચાંદપા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બુલગઢી ગામના સ્મશાનમાં કરવામાં આવી હતી. હાથરસના એસપી વિક્રાંત વીરે જણાવ્યું હતું કે કુટુંબની મરજી પ્રમાણે બધી ક્રિયા કરવામાં આવી હતી. અંતિમક્રિયા વખતે વરિષ્ઠ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા ૧૪મી સપ્ટેમ્બરે પોતાની માતા સાથે ખેતરમાં ગઇ હતી અને ત્યાંથી ગુમ થઇ ગઇ હતી. ત્યાર બાદ એ ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં મળી આવી હતી. પીડિતાએ જ્યારે પ્રતિકાર કર્યો ત્યારે આરોપી નરાધમોએ એનું ગળું દાબીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને એ દરમિયાન એની જીભમાં ગંભીર ઘા પડયો હતો. શરૂઆતમાં એને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એની સ્થિતિમાં કોઇ સુધારો ન જણાતા સોમવારે એને દિલ્હીની હૉસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. અલીગઢની હૉસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પીડિતાના બંને પગ અને હાથ સંપૂર્ણ રીતે લકવાગ્રસ્ત બન્યા હતા.

પ્રાથમિક તપાસમાં એમને જાણવા મળ્યું હતું કે સંદિપ (૨૦)એ પીડિતાને અગાઉ જાનથી મારવાનો પ્રયત્ન કર્યો હતો અને માટે ફરિયાદ દાખલ કરાઇ એ દિવસે જ સંદિપની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે સંદિપ, રામુ, લવકુશ અને રવિએ એના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને જ્યારે એણે પ્રતિકાર કર્યો ત્યારે ચારે ય આરોપીએ એનું ગળું દાબીને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને એ વખતે એની જીભ કચરાઇ ગઇ હતી.

એના બીજા દિવસે પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં એને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.

આ મામલાને મુદ્દો બનાવીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળ્યા હોવાનો હોબાળો કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ મચાવ્યો હતો.

September 30, 2020
teicoplanin-1.jpg
1min9360

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તાજેતરમાં ભારતની વિશ્વસનીય રિસર્ચ સંસ્થા, ઈન્સ્ટિટ્યૂટના કુસુમા સ્કૂલ ઓફ બાયોલોજિકલ સોસાયટીના સંશોધકો દ્વારા કોરોના માટે હાલમાં વપરાતી ૨૩ દવાઓ પર એવો અભ્યાસ સરવે કરવામાં આવ્યો હતો કે 23 પૈકી કઇ દવા સૌથી વધુ અસરકારક છે. આ સંશોધન પ્રવૃતિ સાથે જોડાયેલા આઇ.આઇ.ટી. દિલ્હીના એક પ્રોફેસર અશોક પટેલે જણાવ્યું હતું કે ક્લિનિકલી મંજૂર દવા ‘ટીકોપ્લાનિન’ કોવિડ-૧૯ સામે સંભવનીય સૌથી વધુ ઉત્તમ વિકલ્પ છે અને હાલમાં આ વાઇરસના ઇલાજ માટે આપવામાં આવતી દવાઓ કરતા દસ ગણી વધુ અસરકારક છે.

, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી), દિલ્હીએ ના પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું કે અન્ય દવાઓની સરખામણીમાં ટીકોપ્લાનિનની અસર ચકાસવામાં આવતા સાર્સ-કોવ-૨ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય દવાઓના બદલે ટીકોપ્લોનિન દસથી વીસ ગણી વધુ અસરકારક હોવાનું સંશોધનમાં જણાયું છે.

કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતી 23 દવાઓના સંશોધન કાર્યનું નેતૃત્વ આઇ.આઇ.ટી. દિલ્હીના અધ્યાપક શ્રી અશોક પટેલે કર્યું હતું અને તેમને સહાય એઆઇઆઇએમના ડો. પ્રદીપ શાહે કરી હતી.

આ સંશોધનનો અહેવાલ ઇન્ટરનેશનલ જનરલ ઓફ બાયોલોજિકલ મેક્રોમોલિક્યુલ્સમાં પ્રસિદ્ધ થયો હતો.

ટીકોપ્લાનિન એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત દવા છે અને માનવોમાં લો ટોક્સિસિટી પ્રોફાઇલ સાથેના ગ્રામ-પોઝિટિવ બેક્ટેરિયા ઇન્ફેકશન માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

તાજેતરમાં રોમની સેપિન્ઝા યુનિવર્સિટીમાં ટીકોપ્લાનિન પર ક્લિનિકલ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમ છતાં હળવા, મધ્યમ અને વધુ બીમારી દર્દીઓ પર આ દવા કેવી રીતે અસર કરે છે એ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે, એમ પ્રોફેસર અશોક પટેલે વધુમાં જણાવ્યું હતું.