CIA ALERT

ઇન્ડીયા Archives - Page 91 of 215 - CIA Live

October 15, 2020
nirbhayasuprem.png
1min4960

લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જે લોકોએ રૂ.2 કરોડ સુધીની લોન લીધી છે તેમનું વ્યાજનું વ્યાજ માફ કરવાની ઔપચારિકતાઓ ક્યારે પૂર્ણ કરાશે? સરકારે જવાબમાં જણાવ્યું કે, રાહત આપવાની મર્યાદા 15 નવેમ્બર છે. સરકાર એક મોટો બોજ વહન કરી રહી છે, પરંતુ અમે આ આંકડાનો ઉલ્લેખ નથી કરી શકતા. સરકાર દ્વારા જે રાહત આપવામાં આવશે તે લાગુ થઈ જશે.

સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા એક માસનો સમય માંગતા સુપ્રીમે પૂછ્યું કે શા માટે આટલો સમય જોઈએ છે. અમે સરકારની વાત સાથે સહમત નથી. જો કેન્દ્રે નિર્ણય લઈ લીધો છે તો પછી અમલ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. સરકાર તરફથી આ ઉચીત નથી.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિલંબ કરવો સામાન્ય વ્યક્તિના હિતમાં નથી. સામાન્ય વ્યક્તિની દુર્દશા પર નજર કરો. અમે ઓર્ડર પારિત નથી કરી રહ્યા. સામાન્ય લોકોની દુર્દશા પર વિચાર કરો. નાના લોકોને રાહત આપવી એક આવકાર્ય નિર્ણય છે. પરંતુ તેનો ઠોસ અમલ પણ જરૂરી છે.

આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ મહામારીથી સંબંધિત રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત માત્ર એ જ લોન રિસ્ટ્રકચર કરવામાં આવશે, જે 1 માર્ચે સ્ટાન્ડર્ડ હતી અને જેમાં કોઈ ડિફોલ્ટ થયું નહીં હોય. આ રિઝોલ્યુશન ફ્રેમવર્ક 6 ઓગસ્ટે બહાર પડાયું હતું. આ સિવાય આરબીઆઈએ ઘણી અન્ય પ્રકારની લોનના રિઝોલ્યુશનને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

આરબીઆઈએ કહ્યું હતું કે 1 માર્ચ 2020ના રોજ જે લોન એકાઉન્ટમાં 30 દિવસથી વધુ સમયથી પેમેન્ટ થયું નથી, એને પછીથી રેગ્યુલરાઇઝ કરવામાં આવે, તે કોવિડ-19 રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્યુશન યોગ્ય હશે નહિ, કારણ કે રિસ્ટ્રક્ચરિંગ ફ્રેમવર્ક માત્ર યોગ્ય બોરોઅરો પર જ લાગુ થશે, જે 1 માર્ચ 2020ના રોજ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં હતા. જોકે આવા અકાઉન્ટ 7 જૂન 2019ના રોજ પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્વ કરી શકાશે.

નિયમનકારના મતે અમલીકરણ હેઠળની પ્રોજેક્ટ લોનના પુર્નગઠનના મુદ્દે જે પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની તારીખ મુલતવી રખાઈ હોય તેમને રિઝોલ્યુશન માળખામાંથી બાકાત રાખવામાં આવે છે. આવા એકાઉન્ટ્સનું 7 ફેબ્રુઆરી 2020થી અને ધિરાણ સંસ્થાઓની ચોક્કસ શ્રેણી માટે લાગુ પુડતી અન્ય સુચનાઓ મુજબ નિયમન કરવામાં આવશે.    

October 14, 2020
iphone12.jpg
2min5750
iPhone 12 mini, iPhone 12, iPhone 12 Professional, iPhone 12 Professional  Max Launched: Value in India, Specs - NewsRaiser

વિશ્વપ્રસિદ્ધ એપલ કંપનીએ તા.13મી ઓક્ટોબર 2020ના રોજ iPhone 12 શ્રેણીના ચાર મોબાઇલ મોડેલ્સનું ઇ-લૉંચિંગ કર્યું હતું. જબરદસ્ત નવા ફિચર હોવાનો દાવો કરતા કંપનીએ કહ્યું કે આ ફોન વિશ્વનો સૌથી વધુ સ્માર્ટ ફોન બન્યો છે. વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

iPhone 12ના બેઝિક મોડેલ iPhone 12 મિનીની અમેરિકામાં બજાર કિંમત રૂ.58,000 છે, જ્યારે ભારતમાં આ જ મોડેલ માટે ગ્રાહકોએ રૂ.79,900 ચૂકવવા પડશે. એપલ કંપની ભારતમાં તેમના ડિવાઇશ બનાવતી નથી અને તેના તૈયાર પાર્ટસ, યુનિટ્સ ઇમ્પોર્ટ કરીને ભારતમાં એનું વેચાણ કરે છે. તેના કારણે ભારતની સિસ્ટમમાં ટેક્સ અને ઇમ્પોર્ટ ડ્યુટીનું ભારણ દરેક યુનિટ પર લાગૂ થાય છે. એ સિવાય પણ કેટલાક અન્ય ખર્ચાઓ, ચાર્જિસ લાગૂ થતા હોઇ, ભારતમાં એપલ કંપનીના ફોનની કિંમત અમેરિકાની કિંમત કરતા વધુ હોય છે.

અહીં એ પણ નોંધનીય છે કે તાજેતરમાં જ એપલ કંપનીએ ભારતમાં કેટલાક ડિવાઇસનું પ્રોડકશન શરૂ કર્યું છે. પરંતુ, આ ડિવાઇસની શ્રેણીમાં iPhone 12 આવતા નથી.

Know iPhone 12 Models & Prices in India

iPhone 12 Mini

सबसे छोटो 5G आईफोन के 64GB मॉडल की कीमत 69,900 रुपये और 128GB मॉडल की कीमत 74,900 रुपये रखी गई है। इसका 256GB मॉडल 84,900 रुपये में खरीदा जा सकेगा। डिवाइस वाइट, ब्लैक, ब्लू, ग्रीन और PRODUCT रेड कलर्स में उतारा गया है। वहीं, US में iPhone 12 Mini की शुरुआती कीमत 699 डॉलर (करीब 51,300 रुपये) रखी गई है।

iPhone 12

स्टैंडर्ड iPhone 12 के 64GB स्टोरेज मॉडल की कीमत 79,900 रुपये और 128GB मॉडल की कीमत 84,900 रुपये रखी गई है। इसका टॉप-ऑफ-द-लाइन 256GB मॉडल 94,900 रुपये का मिलेगा। iPhone 12 को ब्लैक, ब्लू, ग्रीन, वाइट और PRODUCT रेड कलर में उतारा गया है। बात US मार्केट की करें तो यहां iPhone 12 को 799 डॉलर (करीब 58,600 रुपये) की शुरुआती कीमत पर उतारा गया है।

iPhone 12 Pro

नए iPhone 12 Pro के 128GB मॉडल को भारत में 1,19,900 रुपये में और 256GB मॉडल को 1,29,900 रुपये में खरीदा जा सकेगा। iPhone 12 Pro का 512GB मॉडल 1,49,900 रुपये में खरीदा जा सकेगा। यह डिवाइस ग्रेफाइट, सिल्वर, गोल्ड और पैसिफिक ब्लू कलर्स में मिलेगा। यही डिवाइस US मार्केट में 999 डॉलर (करीब 73,300 रुपये) की शुरुआती कीमत पर मिलेगा।

iPhone 12 Pro Max

भारत में iPhone 12 Pro Max के 128GB मॉडल की कीमत 1,29,900 रुपये और 256GB मॉडल की कीमत 1,39,000 रुपये रखी गई है। वहीं, 512GB मॉडल को बायर्स 1,59,000 रुपये में खरीद पाएंगे। सबसे पावरफुल iPhone 12 Pro Max को US में कंपनी 1,099 डॉलर (करीब 80,600 रुपये) की शुरुआती कीमत पर लेकर आई है।

October 14, 2020
epfo_whatsapp14.jpg
23min7140

નિવૃત્તિ ફંડ માટેની સંસ્થા ઇપીએફઓએ પોતાના સબસ્ક્રાઇબર્સની ફરિયાદોના ઝડપી નિવારણ માટે વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા શરૂ કરી હોવાની જાહેરાત શ્રમ મંત્રાલયે મંગળવારે કરી હતી.

વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા ઇપીએફઓની ફરિયાદ નિવારણ માટેની અન્ય ઇપીએફઆઇજીએમસ પોર્ટલ, સીપીગ્રામ્સ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેશબુક અને ટ્વિટર) અને ૨૪ બાય ૭ કૉલ સેન્ટરની સેવા ઉપરાંતની આ સેવા છે.

મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે સભ્યોના અનુભવમાં સુધારો અને સરળતા લાવવા માટે ઇપીએફઓએ હવે વૉટ્સઍપ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે. કોવિડ-૧૯ના રોગચાળા દરમિયાન પોતાના સભ્યોને વણથોભી સેવા આપવાના ઉદ્દેશથી આ વધારાની સેવા શરૂ કરવામાં આવી છે.

એમણે વધુમાં જણાવ્યું હતું કે હવે જ્યારે વૉટ્સઍપ ભારતનું સંદેશ વ્યવહાર માટેનું મોટું પ્લેટફોર્મ બની રહ્યું છે ત્યારે દરેક સભ્ય સુધી વ્યક્તિગત રીતે સીધો સંપર્ક કરવા માટે ઇપીએફઓએ આ હેલ્પલાઇન સેવા શરૂ કરી છે.

ઇપીએફઓ વિશે કોઇપણ ફરિયાદ, સમસ્યાના સમાધાન અથવા કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે સભ્યએ ઇપીએફઓના જે સ્થાનિક કાર્યાલયમાં પીએફ ખાતું ચાલતું હોય એના વૉટ્સઍપ નંબર પર પોતાની ફરિયાદ અથવા વાત જણાવવાની રહેશે.

બધા જ ૧૩૮ રિજનલ કાર્યાલય માટે ખાસ વૉટ્સઍપ નંબર રાખવામાં આવ્યા છે અને એની માહિતી ઇપીએફઓની સત્તાવાર વૅબસાઇટ પરથી મેળવી શકાશે.

સભ્યોની સમસ્યાનું સમાધાન કરવા માટે દરેક રિજનલ કાર્યાલયમાં નિષ્ણાતોની ટીમ બનાવવામાં આવી છે અને તેઓ સભ્યને વ્યક્તિગત રીતે જવાબ આપશે.

Here are the dedicated WhatsApp Helpline numbers of all regional EPF offices:

Mumbai

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BandraBandra022-26470030
DadarBandra9321255315
Nariman pointBandra9518588021
PowaiBandra022-264 76044

Thane

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Kandivali (West)Thane7977298051
Kandivali (East)Thane9321482815/ 9321466977
Thane (North)Thane9321666951
Thane (South)Thane8928977985
VashiThane9969036136

Delhi and Jammu

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Delhi (Central)Delhi8178457507
Delhi (East)Delhi7818022890
Delhi (North)Delhi9315075221
Delhi (South)Delhi9717547174
Delhi (West)Delhi7428595582

Bengaluru

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
CentralBengaluru6364264449
MalleswaramBengaluru8022230188
Electronic CityBengaluru7204453662
KoramangalaBengaluru9449961465
K.R. Puram (Whitefield)Bengaluru080-2565 8006/ 080-2565 8005/ 080-2565 8001
PeenyaBengaluru8023571377
Rajarajeshwari NagarBengaluru8792028994
YelahankaBengaluru080-28460872/ 080-29720896

Chennai

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AmbatturChennai6380131921
Chennai (North)Chennai9345750916
Chennai (South)Chennai6380366729
TambaramChennai6380153667

Andaman and Nicobar Islands

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Port BlairKolkata9434269504

Andhra Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
GunturVijaywada0863-2344123
KadapaVijaywada9491138297
RajamundryVijaywada9494633563
VishakhapatnamVijaywada7382396602

Bihar

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BhagalpurPatna8987299190
JamshedpurPatna8986717019
MuzaffarpurPatna6204358536
PatnaPatna7004042219

Chattisgarh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
RaipurBhopal7712583890

Goa

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
GoaHubli (Karnataka)8830110399

Gujarat

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AhmedabadAhmedabad7383146934
BharuchAhmedabad02642-266702
NarodaAhmedabad9428694145
RajkotAhmedabad0281-2576399/ 0281-2576499
SuratAhmedabad9484530500
VadodaraAhmedabad2652606247
VapiAhmedabad9499703166
VatvaAhmedabad8733063428

Haryana

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
FaridabadFaridabad8278378542
Gurugram (East)Faridabad9717748636
Gurugram (West)Faridabad9311354824
KarnalFaridabad9996962805
RohtakFaridabad7082334526

Himachal Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
ShimlaChandigarh7807929882

Jharkhand

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
RanchiPatna8987790956

Karnataka (Other than Bengaluru)

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
ChikamagalurHubli948217742
GulbargaHubli8472273862
HubliHubli8762525754
MangaloreHubli9113938518
MysoreHubli8105645793
RaichurHubli9482390073
ShimogaHubli0818-2275103
TumkurHubli7204055256
UdupiHubli0820-2531172

Kerala & Lakshadweep

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
KannurThiruvananthapuram8590323150
KochiThiruvananthapuram0484-2566509
KollamThiruvananthapuram9497152553
KottayamThiruvananthapuram0481-2303206
KozhikodeThiruvananthapuram7012997744
ThiruvananthapuramThiruvananthapuram8075348085

Madhya Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BhopalBhopal6264800134
GwaliorBhopal9301903862
IndoreBhopal8305411688
JabalpurBhopal6267777416
SagarBhopal8989041007
UjjainBhopal9424441512

Maharashtra (Other than Mumbai and Thane)

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AkolaPune0724-2414050
AurangabadPune9405355287
KolhapurPune9309866697
NagpurPune9555313189
NasikPune0253-236097
Pune (Pune Cantt.)Pune8767108057
Pune (Akurdi)Pune8766467490
SolapurPune9404912406

North-Eastern Region

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AgartalaGuwahati9402180891
GuwahatiGuwahati8822142204
ShillongGuwahati6033243231
TinsukiaGuwahati9864860921

Odisha

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BerhampurBhubaneshwar8249068089
BhubaneshwarBhubaneshwar7656849976
KeonjharBhubaneshwar6370894727
RourkelaBhubaneshwar6372908815

Puducherry

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
PuducherryChennai6380023914

Punjab

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AmritsarChandigarh9530589771
BhatindaChandigarh6284364807
ChandigarhChandigarh9463733422
JalandharChandigarh6280718364
LudhianaChandigarh7719642517

Rajasthan

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
JaipurJaipur1412740742
JodhpurJaipur9414138664
KotaJaipur7442425392
UdaipurJaipur7878817107

Telangana

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
Hyderabad (Barkatpura)Hyderabad9100026170
Hyderabad (Madhapur)Hyderabad9100026146
KarimnagarHyderabad9492429685
KukatpallyHyderabad9392369549
NizamabadHyderabad8919090653
PatancheruHyderabad9494182174
SiddipetHyderabad9603262989
WarangalHyderabad8702447772

Tamil Nadu (Other than Chennai)

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
CoimbatoreCoimbatore9994255012
MaduraiCoimbatore9489938487
NagercoilCoimbatore6381122366
SalemCoimbatore9080433650
TirunelveliCoimbatore9489987157
TrichyCoimbatore6380109286
VelloreCoimbatore7397593330

Uttarakhand

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
DehradunDelhi8532889088
HaldwaniDelhi9411530300

Uttar Pradesh

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
AgraKanpur8279696190
AllahabadKanpur9336677186
BareillyKanpur0581-2510628
BellaryKanpur6363778135
GorakhpurKanpur9044977792
KanpurKanpur0512-2215644
LucknowKanpur9044856097
MeerutKanpur8923247687
NoidaKanpur8595668945
VaranasiKanpur0542-2585339

West Bengal & Sikkim

Name of Regional OfficeName of Zonal OfficeWhatsApp Helpline Number
BarrackporeKolkata033-25010481
DarjeelingKolkata8927703218
DurgapurKolkata9434085134
HowrahKolkata033-26768120
JalpaiguriKolkata9531641924
JangipurKolkata9434111646
KolkataKolkata033-29521852
Park StreetKolkata7439133837
SiliguriKolkata8001196411
October 14, 2020
nada.jpg
1min5180

યુએઇમાં રમાઇ રહેલ આઇપીએલમાં ભારત સહિત દુનિયાભરના દિગ્ગજ ક્રિકેટરો ભાગ લઇ રહ્યા છે. દુનિયાની સૌથી અમીર આ ટી-20 ક્રિકેટ લીગ પર નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ની ચાંપતી નજર છે. નાડા દ્રારા ગઇકાલથી આઇપીએલમાં રમી રહેલા ખેલાડીઓના નમૂના લેવાનું શરૂ થઇ ચૂક્યું છે. નાડાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

નાડાએ જણાવ્યું હતું કે યુએઇમાં રમાઇ રહેલ આઇપીએલમાં ભાગ લેનારા ખેલાડીઓના ડોપ ટેસ્ટ શરૂ કરાયા છે. આ માટે અમારા નિષ્ણાત કર્મચારીએ યુએઇમાં કાર્યરત છે. નાડાના મહાનિર્દેશક નવીન અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અને વિદેશના ખેલાડીઓના ડોપ ટેસ્ટ કરવામાં આવશે. નાડા અને બીસીસીઆઇ વચ્ચે ક્રિકેટરોના ડ્રોપ ટેસ્ટ કરવાનો લાંબા વિવાદ બાદ આ વર્ષના પ્રારંભે સમજૂતી કરાર થયો છે.

October 14, 2020
CM_vs_Gov.jpg
1min5110

મહારાષ્ટ્રમાં મંદિર ખોલવાને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ કાર્યકર્તાએ સિદ્ધિ વિનાયક મંદિર સામે પ્રદર્શન બાદ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ બંધ પડેલા ધર્મસ્થળોને ખોલવાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેના ઉપર ઉદ્ધવે જવાબ આપતા કહ્યું હતું કે, જે રીતે એકદમથી લોકડાઉન લાદવું યોગ્ય નહોતું તેમ પૂરી રીતે સમાપ્ત કરવું પણ ઠીક નથી. બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉતે પણ રાજ્યપાલ ઉપર નિશાન તાક્યું હતું. આ દરમિયાન એનસીપી પ્રમુખ શરદ પવારે પીએમ મોદીને પત્ર લખીને’ રાજ્યપાલની અસંયમિત ભાષા ઉપર સવાલ ઉઠાવ્યો હતો.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને રાજ્યમાં કોરોના વાયરસના કારણે બંધ પડેલા ધર્મસ્થળોને ફરીથી ખોલવા ઉપર વિચાર કરવા કહ્યું હતું. સાથે રાજ્યપાલે કટાક્ષ કરતા પૂછ્યું હતું કે, શું ઉદ્ધવને ઈશ્વર તરફથી ચેતવણી મળી છે કે ધર્મસ્થળોને બીજી વખત શરૂ કરવાનો નિર્ણય ટાળવામાં આવે કે પછી તેઓ સેક્યુલર થઈ ગયા છે ?
કોશ્યારીએ કહ્યું હતું કે, દુર્ભાગ્ય છે કે એલાનના ચાર મહિના બાદ પણ ફરી એક વખત પૂજા સ્થળો ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સરકારે એક તરફ બાર, રેસ્ટોરાં અને સમુદ્રી કિનારા ખોલી નાખ્યા છે તો બીજી તરફ દેવી દેવતા લોકડાઉનમાં રહેવા મજબુર છે.

રાજ્યપાલને જવાબ આપતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, પૂરી રીતે લોકડાઉન સમાપ્ત કરવું યોગ્ય નહી રહે. પોતાને સેક્યુલર કહેવા ઉપર પલટવાર કરતા ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ હિન્દૂત્વનું અનુસરણ કરે છે અને તેમના હિન્દુત્વને સત્યાપનની જરૂર નથી. આ મામલે સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર સંવિધાનમાં બતાવવામાં આવેલા ધર્મનિરપેક્ષતા શબ્દના વાસ્તવિક અર્થને ધ્યાનમાં લઈને ગંભીર છે. સરકાર’ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈને જ નિર્ણય કરે છે. તેવામાં રાજ્યપાલનો પત્ર સાબિત કરે છે કે તેઓ ભારતના સંવિધાનનું પાલન કરવા માટે તૈયાર નથી.

October 13, 2020
train-1.jpg
1min4950

તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા 1પમી ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી 200 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. દેશ અનલોક થવા સાથે જ રેલવેએ કેટલીક સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માંડી છે. જેમાં હવે તહેવારોમાં મુસાફરોનો ધસારો ધ્યાને લેતા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવવા માગે છે.

October 12, 2020
mumbai.jpeg
1min5140

મુંબઇમાં ઇલેક્ટ્રીસિટી સપ્લાયનો ઇજારો ધરાવતી કંપની, બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી

ગ્રીડ ફેલ થવાને કારણે મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર, તા.12મી ઓક્ટોબરે સવારથી જ ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થઈ ગયો છે. એરપોર્ટ પર ફ્લાઇટ શિડ્યુલ નોર્મલ છે પરંતુ, ટ્રેન વ્યવહારને ખાસ્સી અસર પહોંચી છે.

mumbai power cut no electricity across mumbai due to grid failure adani power latest news updates

સમગ્ર મુંબઈમાં પ્રત્યેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ જતા ભારે અફરાતફરી મચી ગઇ છે. મુંબઇ ઉપરાંત થાણેમાં પણ પાવર કટનો મેજર પ્રોબ્લેમ ઉપસ્થિત થયો છે. ક્યાં સુધીમાં વીજળી આવશે તેના વિશે હાલમાં કંઈ ચોક્કસ કહેવામાં નથી આવી રહ્યું. આ મામલે બેસ્ટ ઇલેક્ટ્રિસિટીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, ટાટા ઇનકમિંગની વીજળી સપ્લાઈ અવરોધાવાને કારણે વીજળી શહેરને નથી મળી રહી.

ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાને કારણે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઈ, નવી મુંબઈ અને થાણેમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ ચૂક્યું છે. કચેરીઓમાં કામકાજ થંભી ગયા છે.

અચાનક વીજળી જવાથી મુંબઈમાં અફરાતફરીની સ્થિતિ ઉભી થઈ છે. જાણકારી અનુસાર મુંબઈના ટ્રાફિક સિગ્નલ કામ નથી કરી રહ્યા. લોકલ રેલ્વે સેવાના તમામ સિગ્નલ પણ બંધ પડ્યા છે. જે ટ્રેન જ્યાં હતી ત્યાં જ ઉભી છે. પ્રવાસીઓને યોગ્ય જાણકારી ન મળવાને કારણે પરેશાન થઈ રહ્યા છે. પાવર બેકઅપ વગરની હોસ્પિટલમાં પણ સ્થિતિ ચિંતાજનક થઈ ગઈ છે.

ઠાણે નજીક કલવાથી પડધે સુધી પાવર સપ્લાઈમાં થયેલ મલ્ટિપલ ટ્રીપિંગને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રીઝનમાં વીજળી નથી. 380 મેગાવોટ પાવર અવરોધાઈ છે. વીજળી પૂરી રીતે આવતા હજુ બેથી અઢી કલાક સુધીનો સમય લાગી શકે છે.

October 12, 2020
beaches-1280x720.jpg
5min9250

Jayesh Brahmbhatt 98253 44944

ભારતના આઠ જુદા જુદા બીચીસ (દરિયા કિનારાઓ)ને આંતર રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ગણાતા બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યા છે. આ બીચ સહેલગાહ માટેના તમામ ધારાધોરણો તેમજ પર્યાવરણની દ્રષ્ટીએ શ્રેષ્ઠ પરિસ્થિતિ ધરાવી રહ્યા છે. ભારતના આ આઠ બીચને એટલા માટે ઇન્ટરનેશનલ સર્ટિફિકેશનથી નવાજવામાં આવ્યા છે કેમકે અહીં ક્લીન (સ્વચ્છતા), ગ્રીન (પર્યાવરણ) અને સેફ્ટી (સલામતિ)ના ધારાધોરણો અપટુ ડેટ છે.

વાંચો શું છે બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેશન

The ‘Blue Flag‘ is a certification that can be obtained by a beach, marina, or sustainable boating tourism operator, and serves as an eco-label.

The beaches that have been awarded the Blue Flag are

  • Shivrajpur (Gujarat),
  • Ghoghla (Diu),
  • Kasarkod and Padubidri (Karnataka),
  • Kappad (Kerala),
  • Rushikonda (Andhra Pradesh),
  • Golden (Odisha) and
  • Radhanagar (Andaman & Nicobar Islands)
  • Radhanagar (A&N Islands)

PM મોદી સાહેબે પણ કર્યું ટ્વીટ, 8 દરિયા કિનારાને બ્લ્યુ ફ્લેગ સર્ટિફિકેટ મળવું પ્રતિષ્ઠાસભર

India becomes the first country to be awarded coveted international #BlueFlag certification for 8 of its beaches in one attempt.

ગુજરાતના દ્વારકાનો શિવરાજપુર બીચ

Image

દિવનો ઘોઘલા બીચ

Ghoghla Beach, , India: View Images, Timing and Reviews | Tripoto

કર્ણાટકનો કસરકોડ બીચ

Sirsi Attractions: Kasarkod Beach

કપ્પડ બીચ, કેરેલા

Kappad Beach in Calicut- Photos and When to Go

રુષિકોંડા બીચ, આંધ્રપ્રદેશ

Rushikonda Beach Vizag (Location, Activities, Night Life, Images, Facts &  Things to do) - Vizag Tourism 2020

પદુબિદ્રી બીચ, કર્ણાટક

Padubidri beach bags Blue Flag certification | Deccan Herald

ગોલ્ડન બીચ, ઓરિસ્સા

Golden Beach of Odisha - Golden Beach of Odisha, Holidays to Odisha

રાધાનગર બીચ, આંદામાન નિકોબાર

Radhanagar Beach, (Havelock Island) | Things to Do, Hotels, Photos
October 12, 2020
gst.jpg
1min4850

જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં સતત ત્રીજી વખત જીએસટી વળતરનો મુદ્દો ચર્ચાશે.

ભાજપ શાસિત રાજ્યોએ તો કેન્દ્ર સરકારે આપેલી નાણાં ઉધાર લેવાના પર્યાયને સ્વીકારી લીધો છે, પણ કેટલાક બિનભાજપ શાસિત રાજ્યો આ મામલે સહમતિ સધાય એ માટે પ્રધાનોની પેનલ રચવાની માગણી કરી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનોવાળી કાઉન્સિલ સામાન અને સેવા કર (જીએસટી)માં લૉકડાઉનને લીધે આવેલા તોટાની ભરપાઇ વિશેના મુદ્દે સતત ત્રીજી વખત ચર્ચા કરશે.

જોકે, ભાજપશાસિત રાજ્યો ઉધાર નાણાં લેવાનો પર્યાય પોતે સ્વીકાર્યો હોવાથી તેઓ ઝડપથી નાણાં મેળવી શકે એ માટે મંજૂરી માગી રહ્યા છે.

કાઉન્સિલની ૪૩મી બેઠકમાં આગળ કઇ રીતે વધવું એ એક જ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

ગત સપ્તાહની બેઠક દરમિયાન કાઉન્સિલે કાર અને તમાકુ ઉત્પાદનો જેવા લક્ઝરી સામાનના કર પર સરચાર્જ જૂન ૨૦૨૨ બાદ વધારવાનો નિર્ણય લીધો હતો, પણ વળતરને મામલે સહમતિ સધાઇ શકી નહોતી.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વળતરનો અંદાજ રૂ. ૨.૩૫ લાખ કરોડનો આંકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ઑગસ્ટમાં રાજ્યોને બે પર્યાય આપ્યા હતા – એક રિઝર્વ બૅન્કની ખાસ બારી મારફત રૂ. ૯૭૦૦૦ કરોડ અથવા માર્કેટમાંથી રૂ. ૨.૩૫ લાખ કરોડ ઉધાર લેવા. આ સાથે કેન્દ્ર સરકારે લીધેલી રકમ પાછી આપી શકાય એ માટે લકઝરી, ડિમેરિટ અને અન્ય વસ્તુઓ પર વળતરની સેસ ૨૦૨૨ બાદ ચાલુ રાખવાનો પ્રસ્તાવ પણ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક રાજ્યોની માગ અનુસાર રકમ વધારીને રૂ. ૧.૧૦ લાખ કરોડ કરવામાં આવી હતી.

ભાજપ અને ભાજપને ટેકો આપતા ૨૧ રાજ્યએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે જીએસટીની ઘટ પૂરી કરવા માટે અત્યાર સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ છૂટા કર્યા છે.

October 12, 2020
trains.jpg
1min4940

રેલવેએ તેની સુપરફાસ્ટ ટ્રેનોને એપગ્રેડ કરતાં 130 કિમી પ્રતિ કલાક કે તેનાથી વધુ ઝડપે જતી ટ્રેનોમાં સ્લીપર કોચ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. આ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે માત્ર એસી કોચ લાગશે. આ કોચ ઇકોનોમિકલ અને વધારે અનુકૂળ કોચ હશે. 

રવિવારે આ અંગેની જાહેરાત કરતા રેલવે વિભાગે જણાવ્યુ કે આ નિર્ણય માત્ર સુપરફાસ્ટ ટ્રેનો માટે લેવામાં આવ્યો છે અને 110 કિમી પ્રતિ કલાકની ઝડપે જતી તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર કોચ રહેશે. 

રેલવેનું કહેવુ છે કે જ્યાં પણ ટ્રેનોની ઝડપ 130 કિમી પ્રતિ કલાકથી વધુ છે ત્યાં એસી કોચ ટેકનીક જરુરી નીવડે છે. રેલવે એના નેટવર્કને હાઇ સ્પીડમાં અપગ્રેડ કરવાના મોટા પ્રોજક્ટ પર કાર્યરત છે. સ્વર્ણિમ ચતુર્ભુજ એને કર્ણ રેખા પર ટ્રેકને 130 કિમીથી 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

વર્તમાન મેલ અને એક્સપ્રેસ ટ્રેનો જેવી કે શતાબ્દી, દુરંતો જેવી ટ્રેનો 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે, આ ટ્રેનોનો રૈક 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે. 

નવા કોચને કપૂરથલા સ્થિત રેલવે કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 72ની જગ્યાએ હવે 83 સીટો હશે.