ઇન્ડીયા Archives - Page 90 of 217 - CIA Live

November 2, 2020
marriage.jpg
1min4830

ગુજરાતમાં જેમ જેમ કોરોનાના કેસો ઓછા થઇ રહ્યા છે તેમ તેમ સરકારે અનલોકની પ્રક્રિયાને વધુ મુક્ત બનાવવાનું શરૂ કર્યું છે. હવે ગુજરાતમાં મેરેજ સમારંભોમાં 200 મહેમાનોને આમંત્રિત કરવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં 200 લોકોને ભેગા થવાની છૂટ આપી છે.

સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે 200 લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.

સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે. ગઈકાલે રાજ્યમાં 900થી ઓછા નવા કેસો નોંધાયા હતા. નવા કેસોમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થયો છે, અને મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાયો છે.

કોરોનાને કારણે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા માટે છૂટ પણ નહોતી અપાઈ. હવે દિવાળીના તહેવાર પણ નજીક આવી રહ્યા છે, ત્યારે પણ લોકોને બને ત્યાં સુધી ઘરે રહીને જ ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે.

કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે તહેવારોમાં લોકો ઘરોની બહાર વધુ નીકળશે અને તેનાથી કોરોનાના કેસ વધી શકે છે. તેમણે તહેવારોના સમયમાં સાચવી લઈને અત્યારસુધીની કોરોનાની લડત પર પાણી ન ફરી જાય તે સુનિશ્ચિત કરવા પણ લોકોને અપીલ કરી હતી.

અત્યારસુધી લગ્નપ્રસંગમાં 100 લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.

November 2, 2020
vaccine.jpg
1min5510

બીજેપીએ બિહાર વિધાનસભાની ચૂંટણીના ઘોષણાપત્રમાં મફત કોરોના વૅક્સિનનું આપેલું વચન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં હોવાનું ચૂંટણી પંચે ગઈ કાલે જણાવ્યું હતું. આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) ઍક્ટિવિસ્ટ સાકેત ગોખલેની ફરિયાદના અનુસંધાનમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને કોરોનાની રસી વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું વચન આપવાથી આચારસંહિતાની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. સાકેત ગોખલેએ સરકારે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો દાવો તેમની ફરિયાદમાં કર્યો હતો. 

November 1, 2020
vaishno-devi.jpg
1min6170

માતા વૈષ્ણોદેવી મંદિરે પહેલી નવેમ્બરથી પ્રતિદિને ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે, એમ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે શુક્રવારે કહ્યું હતું. કોરોના મહામારીને કારણે અગાઉ એક દિવસના ફક્ત ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવી હતી.

નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (એસઓપી)માં વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી આદેશ આપે છે કે માર્ગદર્શિકા અને નિર્દેશનો ૩૦-૧૧-૨૦૨૦ સુધી કાયમ રહેશે, ફક્ત માતા વૈષ્ણોદેવી મંદિર, કતરામાં અગાઉની પ્રતિદિન ૭૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટમાં ફેરફાર કરતા હવે ૧૫,૦૦૦ શ્રદ્ધાળુને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે.

કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અંદાજે પાંચ મહિના પછી ત્રિકુટા ટેકરી પર આવેલું માતા વૈષ્ણાદેવીનું મંદિર ૧૬મી ઓગસ્ટથી ફરી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકાયું હતું. પ્રારંભિક તબક્કે ફક્ત દિવસના ૨૦૦૦ લોકોને દર્શન કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી જેમાં ૧૦૦ જમ્મુ-કાશ્મીરની બહારના લોકોનો સમાવેશ કરાયો હતો.

યાત્રા રજિસ્ટ્રેશન કાઉન્ટર્સ ખાતે લોકો મોટી સંખ્યામાં ભેગા ન થાય તે માટે યાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભવન, અધકુવારી, કતરા અને જમ્મુમાં યાત્રાળુઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ એસઓપીનું પાલન કરવું ફરજિયાત છે.

શ્રાઇન બોર્ડની અન્ય સુવિધાઓ જેવી કે, બેટરી દ્વારા ચાલતા વાહનો, રોપવે અને હેલિકોપ્ટર સેવા વગેરે પણ નિયમોનું પાલન કરીને ચાલુ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

October 31, 2020
SOU.png
1min9410

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ દેશભરમાં અનેક વિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ભારતનો સૌથી મોટો કાર્યક્રમ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ તા.31મી ઓક્ટોબરને શનિવારે સવારે ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 145ની જન્મજયંતી નિમિત્તે કેવડિયા ખાતે આવેલી સરદાર પટેલની 182 મીટર ઊંચી વિરાટ પ્રતીમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલની જન્મજયંતીની 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

October 31, 2020
randeep-guleria-1200.jpg
1min5150

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યા ફરી વધતાં એક તરફ કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થયાની ચર્ચા છે તો બીજીતરફ એઈમ્સના નિર્દેશક ડો. ગુલેરિયા આ બાબતનો સતત ઈન્કાર કરી રહ્યા છે. એક ખાનગી સમાચાર ચેનલ સાથે વાત કરતાં ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરથી ફરી ઈન્કાર કરતાં કહ્યું કે હાલમાં બીજી લહેર જ છે જે ફરીથી તેજ બની ગઈ છે. આવું થવા પાછળનું કારણ તેમણે લોકો દ્વારા સાવધાની વર્તવામાં ઢીલાશને લેખાવતાં કહ્યું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળ્યા નહીં અને માસ્ક લગાવવામાં પણ ઢીલાશ વર્તી.

ડો. ગુલેરિયાએ કેસ વધવા પાછળ ઋતુ અને પ્રદૂષણને પણ જવાબદાર લેખાવતાં કહ્યું કે પ્રદૂષણને કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાયરસ બંને ફેફસાંને પ્રભાવિત કરે છે.

તેમણે કહ્યું હતું કે કોરોનાવાયરસ હજુ સમાપ્ત થયો નથી. યુરોપ અને અન્ય દેશનું ઉદાહરણ આપતાં ડો. ગુલેરિયાએ કહ્યું કે માસ્ક જરૂર પહેરવું જોઈએ અને જરૂરી ન હોય તો બહાર જવાનું ટાળવું જોઈએ. જો આપણે સાવધાની નહીં રાખીએ તો હજુ પણ વધુ મામલા સામે આવી શકે છે.
તેમણે એમ પણ કહ્યું કે યુવાઓ ખાસ કરીને વધુ બેદરકાર છે. તેમને એવું લાગે છે કે હળવું સંક્રમણ લાગશે અને કાંઈ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આવી ધારણા ખોટી છે. યુવાઓ વાયરસ ઘરે લઈ જાય છે અને બુજુર્ગ તેના શિકાર બની રહ્યા છે.’ તેમણે કોરોનાની રસી આવવા અંગેની આશા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું કે બની શકે એવી દવાઓ પણ આવે જે આ વાયરસ પર સારી રીતે કાબૂ મેળવી શકે.

October 30, 2020
neetresults-1280x1168.jpg
2min12560

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નીટ-2020નું પરીણામ ગઇ તા.16મી ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયા બાદ 15 ટકા ઓલઇન્ડિયા ક્વોટા માટે પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ છે. ગુજરાતમાં પ્રવેશ કાર્યવાહી તા.2 નવેમ્બરથી શરૂ થશે.

સી.આઇ.એ. લાઇવ સાથે શિક્ષણ સર્વદાએ અહીં નીટ-2020ના પરીણામનું એવું એનાલિસીસ રજૂ કર્યું છે કે જેને યોગ્ય રીતે એસેસ કરવામાં આવે તો ઉમેદવાર ખુદ જાણી શકશે કે આ વખતે તેમને મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ મળશે કે નહીં.

નીટ-2020માં 500 પ્લસ માર્કસ લાવનારાઓનો રાફડો ફાટ્યો

નીટ-2020માં વ્યક્તિગત ટોપ સ્કોર ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અધધ એટલે કે જંગી પ્રમાણમાં વધી છે. નીટ 2020માં કુલ 97,093 વિદ્યાર્થીઓએ 500 પ્લસ સ્કોર હાંસલ કર્યો છે. 2019 નીટમાં 500 પ્લસ સ્કોર કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 49,581 હતી. આમ ગયા વર્ષ 2019માં નીટમાં 500 પ્લસ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કરતા આ વખતે 2020માં 37,512 વધુ વિદ્યાર્થીઓ 500 પ્લસ સ્કોર ધરાવે છે. આ જ સૂચવે છે કે નીટ-2020માં મેડીકલ કોલેજોના કટઓફ અકલ્પ્ય રીતે ઉંચા જશે.

ગત વર્ષ 2019 કરતા આ વખતે 400 પ્લસ સ્કોરર વધ્યા

નીટ 2020માં 400 પ્લસ સ્કોર કરનારાઓની સંખ્યા 56,857 જેટલી વધી છે.

બીજા રાજ્યોના ટોપ સ્કોરર ફેક્ટર પર નજર કરો

  • કેરળમાં 2019માં નીટમાં 650 કે તેથી વધુ માર્કસ મેળવનારાઓની સંખ્યા 115 હતી જે 2020માં વધીને 643 થઇ છે.
  • રાજસ્થાનમાં 2019માં નીટમાં 500 કે તેથી વધુ માર્કસ લાવનારાઓની સંખ્યા 7,659 હતી જે 2020માં વધીને 11,698 પર પહોંચી ગઇ છે.
  • તમિળનાડુમાં નીટમાં 600 પ્લસ સ્કોર ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 2019માં ફક્ત 146 હતી જે 2020માં વધીને 1,029 જેટલી થઇ ગઇ છે.
  • મહારાષ્ટ્રમાં 600 પ્લસ સ્કોર ધરાવતા 2019ના વિદ્યાર્થીઓની સંખ્યામાં 2020માં 220 ટકા જેટલો જંગી વધારો થયો છે.
October 30, 2020
pm_modi.jpg
1min4470

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે તા.30મી ઓક્ટોબર 2020ના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેઓ બે દિવસ માટે ગુજરાતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને ભાવાંજલિ અર્પણ કરવાના છે.

આજે બપોર બાદ વડાપ્રધાન મોદી કેવડીયા પહોચશે અને 17 જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા 4 પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિવિધ કાર્યક્રમો દરમિયાન ઉપસ્થિત રહેશે.

કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે

વડાપ્રધાનશ્રીએ કેવડિયામાં અલગ-અલગ થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી. જેના આજે તેઓ લોકાર્પણ કરશે. જેમાં જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનનો સમાવેશ થાય છે.

આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની 40 મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય 9 પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન 4 નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ 5 ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની 400 મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરવાના છે.

October 28, 2020
voting.jpg
1min7350
Bihar Vidhan Sabha Chunav 2020 Live Updates Ist phase of Voting

ગત માર્ચ 2020માં કોરોના લૉકડાઉન બાદ ભારતમાં સૌથી પહેલી વખત ડાયરેક્ટ વોટિંગ યોજાઇ રહ્યું છે. બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે તા.28મી ઓક્ટોબરે સવારે 7ના ટકોરે બિહારની કુલ 71 વિધાનસભા બેઠકો પર શાંતિપૂર્ણ રીતે વોટિંગ શરૂ થયું હોવાના અહેવાલો મળ્યા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં મંદ ગતિએ ઠીકઠીક મતદાન નોંધાયું હતું.

પ્રથમ તબક્કાના મતદાનમાં 1066 ઉમેદવારોનું ભાવિ બે કરોડ કરતાં વધુ મતદારો પૈકી સાંજે 6 વાગ્યા સુધીમાં જેટલા મતદારો મતદાન કરશે એ ઇવીએમમાં સીલ થઇ જશે.

Bihar Assembly Election 2020 Voting Live Updates: Bihar Vidhan Sabha  Election/Chunav, Voting Percentage, Exit Poll Results, Latest News

આજે કુલ 54 બેઠકો પર એનડીએ અને મહાગઠબંધનના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જ્યારે બાકીની 17 બેઠક પર ત્રિકોણીય મુકાબલો યોજાઇ રહ્યો છે.

આજે પહેલા તબક્કાના મતદાન બાદ બીજા બે તબક્કા સાથે બિહાર વિધાનસભા ચૂંટણી ૩ તબક્કામાં પૂર્ણ થશે.

પ્રથમ તબક્કાની બેઠકોમાં તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરફથી RJD 42, કોંગ્રેસ 21 અને સીપીઆઇ માલેના 8 ઉમેદવાર મેદાનમાં છે જ્યારે નીતીશકુમારની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન તરફથી JDUના 35, ભાજપના 29, હિંદુસ્તાન અવામ મોરચાના 6 અને વીઆઇપીના એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.

October 27, 2020
ipl2020.jpg
1min5120

આઇ.પી.એલ. માં જાણો ચોથી ટીમ કઇ હશે

મુંબઇ ઇન્ડીયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ ત્રણ ટીમ ટોપ થ્રી ટીમ બને એવી શક્યતા 95 ટકા છે.

આ ત્રણ ટીમો જ આઇ.પી.એલ. 2020માં મેક્સિમમ 20 પોઇન્ટ સુધી પહોંચી શકે તેવી સ્થિતિમાં છે. આ ત્રણ પૈકી જો કોઇ એક ટીમ મેક્સિમમ 20 પોઇન્ટ સુધી પહોંચશે તો બાકીની બન્ને ટીમ 20 પોઇન્ટ સુધી પહોંચી શકશે નહીં.

આ ત્રણ સિવાય કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ચોથા પ્લેસ માટે કોમ્પિટીશન જોવા મળે તેવા સંજોગો છે.

આઇ.પી.એલ.માં હવે 10 મેચ બાકી છે અને આ 10 મેચના પરીણામો કુલ 1024 રીતે આઇ.પી.એલ.ને પ્લેઓફમાં સ્પર્શી શકે તેમ છે.

હાલના તબક્કે 8 પૈકી ચેન્નઇ સુપર કિંગ્સ એવી ટીમ છે જેના પ્લેઓફ રાઉન્ડમાં જવાના કોઇ જ ચાન્સિસ નથી.

રાજસ્થાનની શક્યતાઓ

રાજસ્થાન રોયલ્સની હવે 2 મેચ બાકી છે. આ બન્ને મેચો રાજસ્થાન રોયલ જીતે એ પછી પણ પ્લેઓફ માટે તેની શક્યતાઓ ફક્ત 3 ટકા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની શક્યતાઓ

સનરાઇઝર્સ હૈદરાબાદની હજુ 3 મેચ બાકી છે. આ ત્રણેય મેચો હૈદરાબાદ જીતે આમ છતાં પણ તેના પ્લેઓફમાં જવાના ચાન્સિસ જો અને તો પર રહેશે. ફક્ત 7 ટકા પોસિબ્લિટી છે કે હવે પછીની ત્રણેય મેચો જીત્યા પછી પણ હૈદરાબાદ આઇ.પી.એલ. પ્લે ઓફમાં ચોથી ટીમ બની શકે.

ઉપરોક્ત કારણો અને શક્યતાઓને જોતા કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બે ટીમો વચ્ચે ચોથા ક્રમના સેમિફાઇનલિસ્ટમાં સ્થાન પામવા ભારે રસાકસી જોવા મળે તેમ છે.

October 25, 2020
Dirty-Politics.jpg
1min5520

સમગ્ર વિશ્વમાં ભારતના રાજનીતિ કરનારાઓ ભારે બદનામ છે, કેમકે આવા રાજનીતિકોમાં ખેલદીલની ભાવના બિલકુલ જ નથી હોતી. જેનો તાદ્શ દાખલો હાલ ભારતની રાજનીતિમાં જોવા મળી રહ્યો છે. કોરોના સામે જીવન રક્ષક વેક્સિન હજુ તો બની નથી, તેનો સ્ટોક આવ્યો નથી અને એ પહેલા તેને મફતમાં આપવાની રાજનીતિ શરૂ થઇ છે. બિહારની ચૂંટણીનો મુદ્દો બનેલી વેક્સિન આવતા આવશે પણ રાજકીય નેતાઓ કોરોના વેક્સિનના નામે પોતાનો રોટલો શેકી લેવાની ફિરાકમાં છે.

કોરોના મહામારીથી બચવાનો એકમાત્ર વિકલ્પ કોરોના વેક્સીન ભારતમાં બને એ પહેલા જ ચૂંટણીનો મુદ્દો બની ગઇ છે. બીજેપી દ્વારા બિહારમાં સત્તામાં આવવા પર દરેક વ્યક્તિને ફ્રી કોરોના વેક્સીનની જાહેરાત બાદ બધા જ રાજકીય પક્ષોએ મુદ્દો ઉઠાવી લીધો છે. તેમના મત મુજબ દરેક રાજ્યને કેન્દ્ર તરફથી ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ. 

બિહારમાં ભાજપની ફ્રી વેક્સીનની જાહેરાત પછી મધ્ય પ્રદેશ અને તમિલનાડૂ જેવા રાજ્યોમાં પણ રાજકીય પક્ષો દ્વારા ફ્રી કોરોના વેક્સીનું એલાન કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ફ્રી કોરોના વેક્સીનનો મુદ્દો ઉઠાવી લીધો છે. તેમનુ કહેવુ છે કે સમગ્ર દેશમાં ફ્રી કોરોના વેક્સીન મળવી જોઇએ, કારણ કે તે દેશનો અધિકાર છે.