ઇન્ડીયા Archives - Page 79 of 217 - CIA Live

February 16, 2021
indiavseng.jpg
1min435
Image result for india vs england

ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા.

ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.ભારતીય ટીમે ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ પર ઐતિહાસિક જીત મેળવી છે.

પહેલી ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાએ કમબેક કરતા ચેપોકમાં રમાયેલી બીજી મેંચમાં ઈંગ્લેન્ડને 317 રનના અંતરથી હરાવ્યું. રનની દ્રષ્ટિએ ઈંગ્લેન્ડ પર ભારતની આ સૌથી મોટી જીત છે. 482 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગ્સમાં માત્ર 164 રનોમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન માત્ર કેપ્ટન જો રૂટ અને મોઈન અલી જ ફાઈટ આપી શક્યા હતા. ભારત તરફથી બીજી ઈનિંગ્સમાં અક્ષર પટેલે પાંચ, રવિચંદ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. ભારતીય ટીમની જીતના હીરો રહેલા અશ્વિને મેચમાં 8 વિકેટ લીધી હતી અને બીજી ઈનિંગ્સમાં સદી પણ ફટકારી હતી.

આ પહેલા મેચના ચોથા દિવસની શરૂઆત ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડે 52 રને 3 વિકેટથી આગળ રમવાનું શરૂ કર્યું અને પહેલા સેશનમાં 63 રન થયા બાદ વિકેટ ગુમાવી દીધી. આ પહેલા જો રૂટ પણ લંચ પહેલા આઉટ થઈ જાત પરંતુ મોહમ્મદ સરાજે કુલદીપની ઓવરમાં સરળ કેચ છોડી દીધો. આ પહેલા અશ્વિને ડેનિયલ લોરેન્સને પવેલિયન મોકલ્યો. રિષભ પંતે તેને ચપળતાથી સ્ટમ્પ આઉટ કરી દીધો હતો. અશ્વિને ટેસ્ટમાં 10મી વખત બેન સ્ટોક્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય સ્પિનર્સો તરખાટ મચાવતા તમામ અંગ્રેજ બેટ્સમેનોને પેવેલિયનમાં પાછા મોકલ્યા હતા.

રવિચંદ્રન અશ્વિને મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા સદી ફટકારવા સાથે 8 વિકેટ પણ ઝડપી હતી. જેના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા ભારતની પહેલી ઈનિંગ્સમાં રોહિત શર્માએ પણ 161 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ રમી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ હવે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવા માટે આ બે માંથી એક ટેસ્ટ જીતવી જરૂરી છે, સાથે જ ઈંગ્લેન્ડ એક પણ ટેસ્ટ ન જીતે તે પણ ધ્યાનમાં રાખવું પડશે.

February 16, 2021
mp_sidhi.jpg
1min538

મધ્ય પ્રદેશના સિધી જિલ્લામાં મંગળવારે સવારે એક ગોઝારી દુર્ઘટનામાં પુલ પરથી બસ કેનાલમાં નીચે ખાબકતાં સંખ્યાબંધ મુસાફરો લાપતા થયા છે. મુસાફરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસ અને નજરે જોનારા લોકોના મતે મંગળવારે સવારે પુલ પરસથી બસ પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા તે પુલ પરથી નીચે કેનાલમાં ખાબકી હતી.

જિલ્લા પોલીસ વડા પકંજ કુમાવતના જણાવ્યા મુજબ બચાવ કામગીરી હાલ ચાલુ છે. સૂત્રોના મત બસમાં સવાર 50 મુસાફરો લાપતા છે. આ દુર્ઘટના સવારે 8.30 વાગ્યે બની હોવાનું માનવામાં આવે છે.

ઘટનાના સાક્ષીઓના મતે બસ કેનાલમાં સંપૂર્ણ ડૂબી ગઈ છે અને તેનો જરા પણ ભાગ પાણી ઉપર જોવા મળતો નથી. પાણીના પ્રવાહમાં બસ તણાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ સાત જેટલા મુસાફરો કેનાલના કિનારે તરીને પહોંચવામાં સફળ રહ્યા હતા જ્યારે બાકીના લોકો ગાયબ છે.

February 16, 2021
toolkit.jpg
1min473

કિસાન આંદોલન અંગે વિવાદાસ્પદ ટૂલકિટ મામલે બેંગ્લોરની જળવાયુ કાર્યકર્તા દિશા રવિની ધરપકડનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. એક તરફ સત્તાપક્ષ અને વિપક્ષ એકમેક સામે શાબ્દિક વાક્યુદ્ધમાં ઊતર્યાં છે ત્યારે દિલ્હી પોલીસે દિશાની ધરપકડને યોગ્ય ગણાવતાં આજે જણાવ્યું હતું કે’ આ ટૂલકિટ બેહદ સુનિયોજિત રીતે બનાવવામાં આવી હતી અને તેમાં કઈ રીતે કિસાન આંદોલનને સમર્થન આપવું તેની સંપૂર્ણ જાણકારી હતી. વૈશ્વિક પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા અનાયાસે ટ્વિટ કરાયેલી અને પછી ડિલિટ કરવામાં આવેલી આ ટૂલકિટ વકીલ અને કાર્યકર્તા નિકિતા જેકબ અને તેના સાથીઓ શાંતનુ તથા દિશા રવિ દ્વારા બનાવવામાં આવી હતી.

સોમવારે ટૂલકિટ મામલે તપાસ અંગે પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસે કહ્યું કે, ‘11મી જાન્યુઆરીની ઝૂમ બેઠકમાં નિકિતા, શાંતનુ અને દિશા રવિ સામેલ હતા, જેમાં 26 જાન્યુઆરી પહેલાં ટ્વિટર તોફાન સર્જવાનું નક્કી થયું. બેઠકમાં ‘િટ્વટર સ્ટોર્મ’ માટે ‘હેશટેગ’ નક્કી થયું અને યોજના બની.’ તારણ મુજબ કિસાન આંદોલન મુદ્દાને હથિયાર બનાવીને દેશને બદનામ કરવા માટે ટૂલકિટ બનાવાઇ હતી.

દરમ્યાન આ મામલે સરકાર અને વિપક્ષ સામસામે છે અને આરોપ-પ્રતિઆરોપ લગાવાઈ રહ્યા છે. વિપક્ષ વાણી સ્વાતંત્ર્યતા અને યુવા દિશાની ઉમરના મુદ્દે આક્રમક છે. વિપક્ષે 21 વર્ષીય દિશાની ધરપકડને ‘લોકતંત્ર પર હુમલો’ ગણાવી કહ્યું હતું કે ભારતના અવાજને દબાવી શકાય નહીં, તો ભાજપે પોલીસ કાર્યવાહીનો બચાવ કરતાં કહ્યું હતું કે અપરાધ તો અપરાધ છે અને તેને ઉમર સાથે કોઈ લેવાદેવા નથી.

બીજીબાજુ ભાજપના હરિયાણાના મંત્રી અનિલ વિજે ટ્વિટર પર એમ કહીને નવો મોરચો શરૂ કર્યો હતો કે દિશા રવિ હોય કે પછી અન્ય કોઈ, દેશવિરોધનું બીજ જેમના પણ મગજમાં હોય તેમનો નાશ કરવો જોઈએ.

કેન્દ્રીયમંત્રી અને ભાજપના નેતા ગજેન્દ્રાસિંહ શેખાવતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે જો ઉમર આધાર હોય તો પછી પરમવીર ચક્રથી નવાજાયેલા સેકન્ડ લેફ્ટિનન્ટ અરુણ ક્ષેત્રપાળ 21 વર્ષની ઉમરમાં શહીદ થયા હતા. હું તેમના પર ગર્વ કરું પરંતુ ટૂલકિટના રૂપમાં દુષ્પ્રચાર ફેલાવનારાઓ પર તો ગર્વ નહીં જ કરું.

દિશા રવિની મુક્તિની માંગમાં જોડાતાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ભાજપ શાસિત સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, બંદૂકો સાથે ફરતા લોકો એક નિ:શત્ર યુવતીથી ગભરાય છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે દેશ આ મુદ્દે ચૂપ રહેશે નહીં.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 21 વર્ષની દિશાની ધરપકડ લોકતંત્ર પરનો અણધાર્યો હુમલો છે. કિસાનોનું સમર્થન કરવું એ કોઈ અપરાધ નથી.

દરમ્યાન, સાયબર સેલના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રેમનાથે એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે ટૂલકિટના અનેક ક્રીનશોટ ઓપન પ્લેટફોર્મ પર મોજૂદ છે જેની તપાસ કરવામાં આવી”’ રહી છે.

તેમણે કહ્યું કે, આ ટૂલકિટનો સંબંધ ખાલિસ્તાની સંગઠનથી છે. આ ટૂલકિટને ચોથી ફેબ્રુઆરીએ બનાવવામાં આવી હતી.

February 15, 2021
sensex1.jpg
1min510

સોમવારે શેર બજાર Sensex, Nifty, Bank Nifty રેકોર્ડ ઊંચાઇ સાથે ખુલ્યો હતો. બજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સે પ્રથમ વખત ૫૨,૦૦૦ની સપાટી વટાવી દીધી હતી. જ્યારે નિફ્ટી પણ રેકોર્ડ સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.

Image result for sensex 52000

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ સોમવારે સવારે ૯.૩૬ કલાકે ૪૫૫.૩૮ પોઇન્ટના ઉછાળા સાથે ૫૧,૯૯૯.૬૮ પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે આ પહેલાં કારોબાર દરમિયાન તે ૫૨,૧૧૦.૭૪ સુધી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી પણ સોમવારે સવારે ૯.૩૬ કલાકે ૧૨૦.૧૫ પોઇન્ટની તેજી સાથે ૧૫,૨૮૩.૪૫ પર કારોબાર કરી રહ્યો હતો.

આજની શરૂઆતમાં કોરોબારમાં લગભગ ૧૦૮૬ શેર વધ્યા, ૩૭૬ શેર ગગડ્યાં અને ૭૫ શેરોમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે ઇન્ડસઇંડ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ફાઇનાન્સ, કોટક બેંક અને બજાજ ફિનસર્વ જેવા મુખ્ય બેંકિંગ શેરોમાં વધારો જોવા મળ્યો. સેન્સેક્સ પર સૌથી વધુ લાભ ઇન્ડસઇંડ બેંકના શેરને થયો, જે ૨.૫૮ ટકા સુધી ઉચકાયો હતો.

February 12, 2021
voting.jpg
1min567

ચૂંટણી પંચના ખર્ચના નિયમ પ્રમાણે જોઇએ તો ઉમેદવાર મતદાર દીઠ ફક્ત 4 રૂપિયા ખર્ચી શકે અને આખી પેનલ મતદાર દીઠ ફક્ત 16 રૂપિયા ખર્ચી શકે (પેટા)

આગામી તા.21મી ફેબ્રુઆરીએ યોજાઇ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારોને બાંધી આપેલી ખર્ચની મર્યાદા પ્રાથમિક દ્રષ્ટીએ જ સાવ અવાસ્તવિક જણાય આવે છે. સુરતની વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 વોર્ડની ચૂંટણીમાં સરેરાશ એક લાખ મતદારોની સરખામણીએ દરેક ઉમેદવારે રૂ.4 લાખ અને આખી પેનલે કુલ રૂ.24 લાખની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે. આ જોતા પ્રત્યેક એક લાખ મતદારે એક ઉમેદવાર વધુમાં વધુ રૂ.4 અને આખી પેનલ રૂ.16નો ખર્ચ કરી શકે. હવે હાલ જે રીતે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો દ્વારા જે પ્રકારનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે એ જોતા ચૂંટણી પંચની ખર્ચ મર્યાદાથી અનેક ગણા વધુ રૂપિયા ઉમેદવારો પહેલા જ દિવસના પ્રચારમાં ખર્ચી ચૂક્યા છે.

ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયો પર થતા ખર્ચા પર કોઇની નજર નથી (હેડિંગ)

હાલમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં દરેક વોર્ડમાં દરેક રાજકીય પાર્ટીઓએ મધ્યસ્થ કાર્યાલયો તેમજ પેટા કાર્યાલયો શરૂ કરી દીધા છે. ચૂંટણી પંચના નિયમાનુસાર જો એક દિવસ વોચ ગોઠવવામાં આવે તો ઉમેદવારો દ્વારા જે બેહિસાબ ખર્ચા કરવામાં આવે છે તેનો તાગ મેળવી શકાય પરંતુ, આવી કોઇ સિસ્ટમ નથી. ઉમેદવારોના ચૂંટણી એજન્ટો જે ખર્ચ દર્શાવે તેને માની લેવામાં આવે છે. બાકી મધ્યસ્થ કાર્યાલયો પર થઇ રહેલા ખર્ચા એટલા લખલૂંટ છે કે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા તેની સામે સાવ વામણી લાગે છે.

સ્ટાર પ્રચારકોની રેલી, સભા, રોડ શૉના ખર્ચા મોટા રાજકીય પક્ષો અલગથી કરતા હોય છે (હેડિંગ)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખર્ચની મર્યાદા ઉપરાંત ભાજપ કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો પોતાની રીતે અલગ ખર્ચા કરે છે. સ્ટાર પ્રચારકો દ્વારા કરવામાં આવેલી રેલીઓ, સભાઓ, રોડ શૉ વગેરેના ખર્ચાઓ રાજકીય પાર્ટીઓ પોતાનામાં ગણાવીને ઉમેદવારોને તોતિંગ ખર્ચામાંથી બચાવી લે છે. મોટા રાજકીય પક્ષોમાં ઉમેદવારો તેમજ પેનલના ખર્ચના હિસાબોનું રીતસર મેનેજમેન્ટ થાય છે અને ચાર્ટર્ડ અકાઉન્ટન્સ સુધીના લોકોની સેવા લઇને હિસાબો અપટુ ડેટ રાખવામાં આવે છે.

મતદારોની દ્રષ્ટીએ સૌથી મોટો વોર્ડ અમરોલી-મોટા વરાછા વોર્ડ નં.2 અને સૌથી નાનો વોર્ડ કરંજ-મગોબ

(હેડિંગ બોક્સ)

સુરતના વોર્ડ વાઇઝ મતદારોની વાત કરીએ તો સૌથી વધુ મતદારો સુરતના વોર્ડ નં. 2 અમરોલી, મોટા વરાછા, કઠોર વિસ્તારમાં નોંધાયા છે. આ વોર્ડમાં કુલ મતદારોની સંખ્યા 1,73,526ની છે જે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ પૈકી વસતિની દ્રષ્ટીએ સૌથી મોટો વોર્ડ ગણાય છે. આ વોર્ડની ચૂંટણી કરાવવાની જવાબદારી સુડા ભવન સ્થિત જીબી મુગલપુરાના શિરે છે. સુરતમાં વસતિની દ્રષ્ટીએ બીજા નંબરનો સૌથી મોટો વોર્ડ નં.3 વરાછા, સરથાણા, સીમાડા, લસકાણા છે. આ વોર્ડમાં કુલ વસતિ 1,60,868 છે. આ વોર્ડના રિટર્નિંગ ઓફિસર પણ સુડા ભવનના જીબી મુગલપુરા છે.

સુરતમાં મતદારોની સંખ્યાની દ્રષ્ટીએ સૌથી નાનો વોર્ડ કરંજ-મગોબ છે. આ વોર્ડમાં મતદારોની કુલ સંખ્યા 84,650 છે.

February 12, 2021
cbse.jpg
1min481

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેક્ધડરી એજ્યૂકેશન (સીબીએસઇ)એ પોતાના હેઠળની સ્કૂલોને આદેશ આપ્યો છે કે તમે ૯ અને ૧૧ વર્ગના વિદ્યાર્થીઓ વિશેનો લર્નિંગ ગૅપ (વિદ્યાર્થીઓ શું શીખ્યા અને તેમણે કેટલું શીખવું જોઈતું હતું) શોધી કાઢજો અને પછી એને લગતી સમસ્યાઓનું નિરાકરણ લાવ્યા બાદ જ કોવિડ-૧૯ને લગતા સલામતીના નિયમોના કડક પાલન સાથે આ બે વર્ગોની પરીક્ષા રાખજો. બોર્ડ દ્વારા માર્ગદર્શિકામાં એવી પણ ભલામણ કરાઈ છે કે નવું શૈક્ષણિક સત્ર પહેલી એપ્રિલે શરૂ થશે.

આ જાણકારી સીબીએસઇના ક્ધટ્રોલર ઑફ એક્ઝામિનેશન સંયમ ભારદ્વાજે સ્કૂલોના પ્રિન્સીપાલોને પત્રમાં આપી હતી. સ્કૂલોને નવું સત્ર વધુ સુવ્યવસ્થિત બનાવવાની સૂચના પણ અપાઈ છે. ગયા વર્ષે માર્ચમાં કોરોના વાઇરસનો ફેલાવો શરૂ થતાં સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી. લૉકડાઉન દરમિયાન વિદ્યાર્થીઓ ઑનલાઇન ક્લાસીસ તરફ વળ્યા હતા. જોકે, જૂન મહિનાથી નિયંત્રણો ધીમે-ધીમે દૂર થતાં અમુક રાજ્યોમાં સ્કૂલો આંશિક રીતે ફરી ખૂલવા લાગી હતી. સીબીએસઇએ આ મહિનાની શરૂઆતમાં ૧૦ તથા ૧૨મીના વર્ગો માટેની બોર્ડની પરીક્ષાનું સમયપત્રક જાહેર કર્યું હતું.

February 11, 2021
tea.jpg
1min1104

ચાના શોખીન લોકો માટે કડવા સમાચાર એ છે કે ભારતમાં ચા ના ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે ચાના છૂટક ભાવમાં 30 ટકા જેટલો જંગી વધારો થયો છે. આ વધારો તબક્કાવાર ટૂંકાગાળામાં થયો હોવાથી લોકોને ખ્યાલ નથી આવ્યો પરંતુ, હવે સામાન્ય લોકોમાં આ ભાવ વધારાનો કચવાટ અને ગણગણાટ શરૂ થઇ ગયો છે.

લોકડાઉન દરમિયાન, ચા ઉગાડતા રાજ્યોમાં પ્રવાસી મજૂરોની ગેરહાજરીનો અર્થ એ છે કે, પાંદડાને સમયસર ચૂંટવામાં આવ્યા નહોતા, જેથી ઉત્પાદનમાં પણ અવરોધ આવ્યો હતો. ઓલ-ઈન્ડિયા ટી ટ્રેડર્સ અસોસિએશનનો (FAITTA) અંદાજ દર્શાવે છે કે, ગયા વર્ષના એપ્રિલ મહિનાથી ચાનું ઉત્પાદન આશરે 1.4 લાખ ટન જેટલું ઘટ્યું છે. જેનો અર્થ છે ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો થયો છે.

‘2019માં ચાનું ઉત્પાદન 13.9 લાખ ટન ઉત્પાદન થયું હતું, જે ઘટીને 2020માં 12.5 લાખ ટન હતું. મહામારીના કારણે, સમયસર ન ચૂંટવાના કારણે ચાના પાન વધારે મોટા થઈ ગયા હતા. પરિણામે, ચાના કુલ ઉત્પાદનમાં ઘટાડો થઈને સ્ટોક આખો બરબાદ થઈ ગયો. જેના કારણે ચાના જથ્થાબંધ ભાવમાં 22 ટકાનો વધારો થયો છે, જે પ્રમાણે એક કિલોના ભાવ 300 રૂપિયા છે’, તેમ FAITTAના ચેરમેન વિરેન શાહે જણાવ્યું.

ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, 2019ની સરખામણીમાં 2020માં ચાની હરાજીના ભાવ 35 ટકા વધારે-આશરે 80 રૂપિયા પ્રતિ કિલો હતા. કારણ કે આ માગ અને પુરવઠા પર આધારિત વાજબી કિંમત શોધવાની પદ્ધતિનું પરિણામ હતું. આ વર્ષ દરમિયાન ચાના છૂટક ભાવમાં પ્રતિ કિલો આશરે 60થી 70 રૂપિયાનો વધારો થયો છે.

લોકડાઉન દરમિયાન ગુણવત્તાયુક્ત ચા મેળવવી તે એક પડકારજનક કામ હતું, તેમ અસર પર ટિપ્પણી કરતાં વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈએ કહ્યું. ‘જો કે, સર્વિસ હવે પ્રી-કોવિડ લેવલ પર પાછી આવી ગઈ છે. ચાના ભાવમાં વધારો થતાં વેપારીઓને ફટકો પડે છે, કારણ કે ઈંધણના વધતા-જતા ભાવ અને કન્ટેનરના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ ધંધા માટે પડકારજનક છે’. તેમ તેમણે કહ્યું.

ચાના ભાવમાં વધારો થયો હોવા છતાં, ચાનું વેચાણ ઓછું થયું નથી. ‘ભારતમાં ચા કલ્ચર ખૂબ મજબૂત છે. તેથી જ લોકો ભાવમાં થયેલો વધારો સ્વીકારી લે છે. ગુણવત્તા માટે વધેલી પસંદગી સાથે, બ્રાન્ડેડ ચા, નોન-બ્રાન્ડેડની સરખામણીમાં વધુ વધારો મેળવી રહી છે’.

February 11, 2021
vaccine.jpg
1min457

કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં ભારત દુનિયાના અનેક દેશોની વેક્સીનની મદદ પહોંચાડી રહ્યું છે. જે હેઠળ વિતેલા દિવસોમાં બાંગ્લાદેશ, નેપાળ સહિત દેશોમાં વેક્સીન ડોઝ મોકલવામાં આવ્યા હતા. હવે ભારતે ફેબ્રુઆરી મહિનામાં કોમર્શિયલ બેઝ પર વિશ્વના 25 દેશોને 2 કરોડ 40 લાખ કોરોના વેક્સીનના ડોઝ સપ્લાય કરવાનો નિર્ણય લીધો છે. માહિતી મુજબ જાન્યુઆરીમાં ભારત એક કરોડ પાંચ લાખ વેક્સીન ડોઝ અન્ય દેશોને પહોંચાડ્યા હતા, પરંતુ આ મહિને વેક્સીન સપ્લાયનું પ્રમાણ લગભગ ડબલ છે.

ગત મહિને કેન્દ્ર સરકારે આ મુદ્દે માહિતી આપી હતી કે વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય દેશો અને સંગઠનોને કોમર્શિયલ આધાર પર વેક્સીન એક્સપોર્ટ પર નજર રાખશે. અત્યાર સુધી ભારત 20 દેશોને સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદન કરાયેલી વેક્સીનના 1.60 કરોડ ડોઝ સપ્લાય કરી ચૂક્યુ છે. આ દેશોની યાદીમાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બહરીન, ઓમાન, બારબાડોસ, ડોમિનિકા જેવા દેશોને આશરે 60 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યું હતું. બ્રાઝીલ, મોરક્કો અને દક્ષિણ આફ્રિકા સહિત સાત દેશોમાં કોમર્શિયલ આધારે એક કરોડથી વધુ વેક્સીન ડોઝ સપ્લાય કરવામાં આવ્યા હતા. 

જ્યારે ફેબ્રુઆરીમાં સઉદી અરબ, બ્રાઝીલ, મોરક્કો, મ્યાનમાર, નેપાળ, નિકારાગુઆ, મોરેશિયસ, ફિલિપીન્સ, સર્બિયા, યૂએઇ અને કતર સહિત 25 દેશોને કોમર્શિયલ બેઝ પર 2 કરોડ 40 લાખ વેક્સીન ડોઝ સપ્લાય કરવાના છે. જોકે ભારત પાસેથી કોરોના વેક્સીન સપ્લાય મેળવવા માટે કેનેડાએ પણ રજૂઆત કરી હતી, પરંતુ હાલની યાદીમાં તેનું સામેલ કરાયુ નથી. 

February 11, 2021
priyanka-1.jpg
1min445

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ત્રણેય કૃષિ કાયદાને રદ કરી નાખશે.
બુધવારે સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે 19પપમાં જવાહરલાલ નેહરૂએ જમાખોરી વિરૂદ્ધ કાયદો ઘડયો હતો. પરંતુ આ કાયદાને ભાજપ સરકારે ખત્મ કર્યો છે. નવા કૃષિ કાયદા અબજપતિઓની મદદ કરશે. તેઓ ખેડૂતોની ઉપજનું મૂલ્ય નક્કી કરશે. કોંગ્રેસ આયોજિત કિસાન પંચાયતમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓ પર ખેડૂતોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યુ કે નવા ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા છે. કોંગ્રેસ સત્તામાં આવતા જ તેને રદ કરી નાખશે. જ્યાં સુધી તે ખત્મ નહીં થાય કોંગ્રેસની લડાઈ જારી રહેશે.

યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલી રેલી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કિસાન પંચાયતને સંબોધન સાથે મંદિરમાં પૂજા કરવા સાથે દરગાહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે યુપીના ર7 જિલ્લામાં જય જવાન, જય કિસાન અભિયાન છેડયુ છે. સહારનપુરમાં કિસાન મહાપંચાયતને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા હતા.

February 11, 2021
railroko.jpg
1min524

નવા ત્રણ કૃષિ કાયદાઓ સામેનો વિરોધ વધુ ઉગ્ર બનાવતા આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એમ ચાર કલાકના રાષ્ટ્રવ્યાપી ‘રેલરોકો’ આંદોલનની બુધવારે જાહેરાત કરી હતી. ૧૨ ફેબ્રુઆરીથી રાજસ્થાનમાં ટોલ વસૂલી થવા દેવામાં નહીં આવે એવી જાહેરાત આંદોલનની આગેવાની કરી રહેલા સમયુક્ત કિસાન મોરચાએ કરી હતી.

વર્ષ ૨૦૧૯ના પુલવામા ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ૧૪મીએ કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે તેવું કિસાન મોરચાએ કહ્યું હતું.

દરમિયાન, બીકેયુના નેતા રાકેશ ટિકૈતે બુધવારે ભારપૂર્વક કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આશય કેન્દ્રમાં સરકાર બદલવાનો નથી, પરંતુ સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. આંદોલનને વેગ આપવા અને વધુ વ્યાપક બનાવવા અમારા અનેક નેતાઓ દેશના વિવિધ ભાગમાં જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યાં સુધી અમારી વાત નહીં માને ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. અમે સત્તામાં પરિવર્તન નથી ઈચ્છતા.

સરકારે તેનું કામ કરવું જોઈએ. અમે માત્ર નવા ત્રણ કૃષિ કાયદા રદ કરવામાં આવે અને એમએસપી અંગે કાયદો લાવવામાં આવે એટલું જ ઈચ્છીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનો વચ્ચેની એકતા યથાવત હોવાનું જણાવી તેમણે સરકારને કોઈપણપ્રકારના ભ્રમમાં ન રહેવાની ચેતવણી આપી હતી.