ઇન્ડીયા Archives - Page 78 of 217 - CIA Live

February 26, 2021
social_media.jpg
2min622

સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.

કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.

સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.

ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.

કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.

સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.

પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.

ચાવીરૂપ મુદ્દાઓ:

૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.

૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.

૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.

૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.

તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધી ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવો પડશે.

૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.

૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.

February 25, 2021
corona_testing1.jpg
1min434

કોરોનાના કેસોમાં અચાનક ફરી વધારો થતાં કેટલાક રાજ્યોમાં બહારથી આવતા લોકો પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. હાલ કેટલાક રાજ્યના રાજ્યોએ બનાવેલા નિયમ અનુસાર, બહારના રાજ્યોમાંથી આવતા લોકોએ ફરજિયાતપણે કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવાનો રહેશે. છેલ્લા એક સપ્તાહમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબમાં જ દેશના 86 ટકા કેસ સામે આવ્યા છે.

દેશમાં હાલ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે તેમાંથી 75 ટકા તો માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં જ આવી રહ્યા છે. તેવામાં દિલ્હીએ મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, એમપી અને પંજાબથી આવતા લોકો માટે કોરોના નેગેટિવ રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે. 26 ફેબ્રુઆરીથી આ નિયમ લાગુ પડી જશે, અને 15 માર્ચ સુધી તેનો અમલ કરાશે. બસ, ટ્રેન કે ફ્લાઈટમાં આવતા લોકો પર આ નિયમ લાગુ કરાશે, જ્યારે કારમાં આવતા લોકોને તેમાંથી મુક્તિ અપાઈ છે

કર્ણાટકે પણ મહારાષ્ટ્ર અને કેરળમાંથી આવતા લોકો માટે કર્ણાટકમાં એન્ટ્રી લીધાના ઓછામાં ઓછા 72 કલાક પહેલા કરાવાયેલો RT-PCR રિપોર્ટ ફરજિયાત બનાવ્યો છે, અને આ રિપોર્ટ નેગેટિવ હશે તે લોકોને જ રાજ્યમાં એન્ટ્રી મળશે. કર્ણાટક જતી ફ્લાઈટમાં બેસનારા વ્યક્તિએ તે જ વખતે એરલાઈનના સ્ટાફને આ રિપોર્ટ બતાવવો પડશે. તેવી જ રીતે ટ્રેનમાં TTE અને બસમાં કંડક્ટરે આ રિપોર્ટ ચકાસવાનો રહેશે.

ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રએ ઘણા સમયથી ગુજરાત, કેરળ, ગોવા, દિલ્હી અને રાજસ્થાનથી આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ ટેસ્ટ મહારાષ્ટ્રના એન્ટ્રી કર્યાના ઓછામાં ઓછા 96 કલાક પહેલા કરાવેલો હોવો જોઈએ. આ સિવાય જે લોકોમાં પણ કોરોનાના લક્ષણ દેખાશે તેમનો ત્યાં જ એન્ટિજેન ટેસ્ટ કરાશે તેવું પણ મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે. જો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના આવશે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલાશે, જેનો ખર્ચો જે-તે વ્યક્તિએ ભોગવવાનો રહેશે.

ઉત્તરાખંડે પણ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, એમપી, છત્તીસગઢમાંથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. હરિદ્વારમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે, ત્યારે તેમાં ભાગ લેવા આવતા લોકોએ પણ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.

February 25, 2021
vaccine.jpg
1min407

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારા વચ્ચે કોરોના રસીકરણ અભિયાનના આગામી તબક્કાનો તા.1 માર્ચથી આરંભ થશે. દેશમાં 16 જાન્યુ.થી શરૂઆત બાદ છેલ્લી સ્થિતિએ 1.ર1 કરોડ લોકોનું રસીકરણ કરાઈ ચૂકયુ છે.

આગામી તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે જેમની ઉંમર 4પ વર્ષથી વધુ હોય અને કો-મૉર્બિડિટીઝ (ગંભીર બીમાર) હશે તેઓને આવરી લેવામાં આવશે. કોરોના રસીકરણ માટે કેન્દ્ર સરકાર હવે ખાનગી સેન્ટરો-હોસ્પિટલોને મંજૂરી આપવા જઈ રહી છે.’

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યંy કે 1 માર્ચથી 10 હજાર સરકારી અને ર0 હજાર ખાનગી સેન્ટરો પર કોરોના રસીકરણ થશે. આ તબક્કાના લાભાર્થીઓની સંખ્યા 10 કરોડથી વધુ છે. સરકારીમાં નિ:શુલ્ક અને ખાનગીમાં લોકોએ નાણાં ચૂકવવા પડશે. ખાનગી હોસ્પિટલો- કેન્દ્રોમાં રસીકરણ કરવા ઈચ્છતા લોકોએ કેટલા નાણાં ચૂકવવા પડશે તે અંગે ખાનગી હોસ્પિટલો અને મેન્યુફેકચરર્સ સાથે વાતચીત બાદ ટૂંક સમયમાં સ્વાસ્થ્ય મંત્રાલય નિર્ણય લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે તેમના મોટાભાગના સહયોગી (મંત્રી) પોતાના ટીકાનું ચૂકવણું કરશે. સરકારની યોજના આગામી 4 થી 6 સપ્તાહમાં રોજ પ લાખ લોકોનું રસીકરણ કરવાની છે. 8 રાજ્યોના 7પ ટકા સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિન અપાઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના રસીકરણની દેશમાં શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી હતી. દેશમાં વીતેલા દિવસોમાં કોરોનાના નવા મામલાઓમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ કારણસર રસીકરણની ગતિ પણ વધારવાની ચર્ચાઓ શરૂ થઈ છે. કેન્દ્ર સરકાર આગામી ચારથી છ સપ્તાહમાં રસીકરણની દર 5 લાખ પ્રતિદિવસ કરવાની યોજના બનાવી રહી છે. સરકાર દેશમાં 200 જગ્યા પર દરરોજ અપાઈ રહેલી રસીની સંખ્યાને બમણી કરવાની તૈયારી કરી રહી છે.

February 24, 2021
jeemain.png
3min669
JEE Main 2021 Notification (Delayed) Exam Dates, Eligibility, Syllabus,

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપ પછી IIT/NIT/IIIT માં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી પરીક્ષા જેઇઇ મેઇન્સ 1 આજરોજ તા.24મી ફેબ્રુઆરીથી શરૂ થઇ છે. આ પરીક્ષા 26મી ફેબ્રુઆરી સુધી દેશભરમાં ઓનલાઇન લેવામાં આવશે. આ વર્ષથી JEE Main પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે એમ ચાર વખત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકશે. જે પરીક્ષાને બેસ્ટ સ્કોર હશે તે ગણતરીમાં લેવામાં આવશે.

The JEE Main B.Tech examination for admission to engineering colleges has commenced from today.

The JEE Main February 2021 session started yesterday with B.Arch and B.Planning papers. Students who appeared for the JEE Main BArch paper on Tuesday said the exam was of moderate difficulty.

The National Testing Agency (NTA) will conduct the JEE Main exams in 13 Indian languages, including – Telugu, Tamil, Punjabi, Urdu, Odia, Marathi, Malayalam, Kannada, Bengali, Assamese and Gujarati languages, besides English and Hindi. For the first time, students have got an opportunity to appear for exams in 13 Indian languages. These examinations are being conducted only in computer-based test CBDT mode.

This year, NTA has set up 852 examination centres across the country to maintain social distancing in view of Covid-19 pandemic. During the examination held in September 2020, 660 examination centres had been set up. 6,61,761 lakh candidates are appearing for this coveted computer-based entrance exam.

Online examination for BE and B.Tech will be conducted in two shifts from February 24th to 26th.

According to the National Testing Agency, the examination centre is also being fully sanitised between the two shifts. In the examination centres, face masks and sanitiser have been provided for students. The body temperature of students will also be checked with thermal guns before going to the examination centre.

Students need to reach to the examination centres two hours before the exam. The distance between two computers and between students will be maintained during the examination.

February 24, 2021
QT-Motera.jpg
1min370

દુનિયાના સૌથી મોટા અને અદ્યતન ક્રિકેટ સંકુલ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ (મોટેરા) ખાતે 24/2/21 બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુલાબી દડાથી ડે-નાઇટ મુકાબલો શરૂ થશે. ત્યારે મોટેરાની નવી-નવેલી પિચ પર ત્રીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમને સંકટમાં મુકવા માટે ટીમ ઇન્ડિયાએ ગુલાબી દડાના પાછલા ભયાવહ દેખાવને ભૂલીને ઉચિત પ્રદર્શન કરવું પડશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પહેલા ડે-નાઇટ ટેસ્ટમાં ભારતનો 36 રનમાં ધબડકો સર્જાયો હતો. આ હાર કેપ્ટન કોહલી અને ટીમને કયાંક ને કયાંક ખટકી રહી હશે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે પણ આ મેચ બન્ને ટીમ માટે કરો યા મરો સમાન જેવો છે.

24/2/21 ભારતનો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા મોટરાના મેદાન પર તેનો 100મો ટેસ્ટ મેચ રમવા ઉતરશે અને કપિલ દેવ બાદ આ ઉપલબ્ધિ હાંસલ કરનારો બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. ઇશાંતની ઇલેવનમાં પંસદગી હાલ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે લોકલ બોય જસપ્રિત બુમરાહ હશે. જ્યારે ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાઝ વચ્ચે કિંગ-ક્રોસ જેવી સ્થિતિ છે.

સરદાર પટેલ સ્ટેડિયમનું નવિનીકરણ થયું છે. તે હવે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની ગયું છે. જો કે અહીં લાંબા સમય બાદ ટેસ્ટ મેચ રમાઇ રહ્યો છે. આથી ટીમ ઇન્ડિયા પર સાવધાની સાથે મેદાને પડશે. ભારતીય ટીમ ઇચ્છશે કે અહીંનો ટ્રેક સંપૂર્ણ ઝડપી બોલરોને મદદ આપે તેવો નહીં, પણ સ્પિનરોને પણ મદદ મળે તેવો હોય, જેથી શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવી શકે. પરંતુ મોટેરાની નવી પિચનો વ્યવહાર કેવો હશે તે સમય જ કહેશે. રોહિત શર્મા પિચને લઇને તેનો મત સ્પષ્ટ કરી ચૂકયો છે. તેણે કહ્યંy હતું કે અમે એવી પિચ ઇચ્છીએ છીએ કે જેમાંથી અશ્વિન અને અક્ષર જેવા બોલરોને મદદ મળે.’ ઠીક એવી રીતે જે રીતે ઇંગ્લીશ કપ્તાન જો રૂટ હેડિંગ્લે કે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઘાસવાળી પિચને પ્રાથમિકતા આપે છે.

જો કે કેટલાક એવા સવાલ છે જે બન્ને ટીમે શોધવા પડશે. ડે-નાઇટ ટેસ્ટ અને પિન્ક બોલને લીધે સંધ્યાટાણે બન્ને ટીમના બેટધરોની કસોટી થશે. ઇંગ્લેન્ડના અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનનું માનવું છે કે આ દરમિયાન પિન્ક બોલ વધુ સ્વિંગ થાય છે. મેચ બપોરે 2-30થી શરૂ થવાનો છે. આથી અંતિમ સત્રમાં ઝાકળની ભૂમિકા પણ મહત્વની બની રહેશે. એ સમયે સ્પિનરો માટે બોલ પર ગ્રીપ બનાવવી મુશ્કેલ બનશે. આ મુદા પર ઇશાંત શર્માએ સ્વીકાર્યું છે કે આ મેચ ડે-નાઇટમાં રમવાનો છે અને નવી પિચ હશે. એટલે અમે પણ જાણતા નથી કે કેમ પાર પાડશું. જો કે ઇંગ્લેન્ડની ટીમનું માનવું છે કે મોટારાની નવી પિચ પાછલા મેચમાં જેવી ચેપોકની પિચ હતી તેવી જ હશે.

ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય સુકાની વિરાટ કોહલી પર તમામની નજર રહેશે. તેણે ભારતમાં રમાયેલા ગુલાબી દડાના ટેસ્ટમાં સદી કરી હતી. તે પાછલા એક વર્ષથી સદી કરી શકયો નથી. આથી અમદાવાદમાં તેના બેટમાંથી સદીની મોટી ઇનિંગ નીકળે તેવું ચાહકો ઇચ્છી રહ્યા છે. ભારતની બેટિંગ લાઇનઅપ મજબૂત છે. જેમાં ફેરફારને અવકાશ નથી. ઇંગ્લેન્ડની ટીમમાં જોની બેયરસ્ટોને તક નિશ્ચિત માનવામાં આવે છે. આ ઉપરાંત ક્રાઉલીનો પણ સમાવેશ થઇ શકે છે. એન્ડરસન અને આર્ચર વાપસી કરશે.

ભારતીય ક્રિકેટની અનેક ઉપલબ્ધિઓનું અમદાવાદ સાક્ષી
અમદાવાદ ભારતીય ક્રિકેટની ઘણી ઉપલબ્ધિઓનું સાક્ષી રહી ચૂકયું છે. મહાન સુનિલ ગવાસ્કરે અહીં જ તેના 10000 ટેસ્ટ રન પૂરા કર્યાં હતા. કપિલ દેવે અહીં 83 રનમાં 9 વિકેટ લઇને તેનું સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યોં હતો. બાદમાં રિચર્ડ હેડલીનો સર્વાધિક વિકેટનો રેકોર્ડ પણ કપિલે અમદાવાદમાં જ તોડયો હતો. સચિન તેંડુલકરે તેની પહેલી બેવડી સદી અહીં જ ફટકારી હતી, તો રવિચંદ્રન અશ્વિન પાસે અહીં તેની 400 ટેસ્ટ વિકેટ પૂરી કરવાની તક છે. આ માટે તેને 6 વિકેટની જરૂર છે.

February 24, 2021
mamta_benerji.jpg
1min1254
CBI sleuths question TMC MP Abhishek Banerjee's wife in coal scam case |  Hindustan Times

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને હાલ ભારે હલચલ થઈ રહી છે. અભિષેકના દરવાજે સીબીઆઈના ટકોરા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ભત્રીજાને મળવા દોડી ગયા હતા.

કોલસા કૌભાંડમાં સીબીઆઈએ તપાસ માટે તાજેતરમાં સમન્સ પાઠવ્યા બાદ અભિષેકના પત્ની રૂજિરાની પૂછપરછ માટે સીબીઆઈ કોલકતા ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ પહેલા સીબીઆઈએ રૂજિરાની બહેન એટલે કે અભિષેકની સાળી મેનકા ગંભીરના ઘરે પહોંચી તેની 3 કલાક પૂછપરછ કરી હતી. રૂજિરાએ સીબીઆઈ નોટિસના જવાબમાં કહ્યંy હતું કે તે પૂછપરછ માટે હાજર થવા તૈયાર છે. એક પત્ર પાઠવી તેમણે સીબીઆઈને ર3 ફેબ્રુઆરીએ સવારે 11 થી બપોરે 3 સુધી પોતાના નિવાસ સ્થાને આવવા જાણ કરી હતી. જેથી મંગળવારે એક તરફ સીબીઆઈની ટીમ અભિષેકના ઘેર પહોંચી તો બીજી તરફ મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા.

February 22, 2021
mohandelkar.jpg
1min417
Image result for hotel sea green south marine drive mumbai mohan delkar

સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનેલા સેલવાસના સાંસદ શ્રી મોહનભાઇ ડેલકરના મૃત્યુના સમાચાર બાદ બહાર આવેલી માહિતી મુજબ દક્ષિણી મુંબઇના મરીન ડ્રાઇવ ખાતે આવેલી હોટેલ સી ગ્રીન એક રૂમમાંથી તા.22મી ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યાના અરસામાં મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમના મૃતદેહ પાસેથી ગુજરાતી ભાષામાં લખાયેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.

મોહન ડેલકર મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો છે, અને તેમણે કયા સંજોગોમાં આપઘાત કર્યો તે અંગે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી છે.

મોહન ડેલકરનો મૃતદેહ અંગે જાણ થતાં જ તેમના પરિવારજનો સેલવાસથી મુંબઇ જવા રવાના થઇ ચૂક્યા હતા. 58 વર્ષિય મોહન ડેલકર તેમની પાછળ તેમના પત્ની કલાબેન અને બે સંતાનો અભિનવ અને દિવિતાને વિલાપ કરતા છોડી ગયા છે. મોહન ડેલકર સેલવાસની લોકસભા બેઠક પરથી અપક્ષ સાંસદ તરીકે ચૂંટાયા છે. તેઓ 1989થી સેલવાસ બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

  • દક્ષિણી મુંબઈના મરિન ડ્રાઈવ પર આવેલી હોટેલ સી ગ્રીનમાંથી મળ્યો ડેલકરનો મૃતદેહ
  • અપક્ષ સાંસદ હતા ડેલકર, ભાજપ અને કોંગ્રેસ તરફથી પણ ચૂંટણી લડી ચૂક્યા છે
  • ડેલકરે ભારતીય નવશક્તિ પાર્ટીની પણ સ્થાપના કરી હતી

February 22, 2021
sensex_down.jpg
1min377

આજે સવારે માર્કેટ ખૂલ્યું ત્યારે પાછલી બંધ સપાટી કરતાં સાવ સામાન્ય વધારા સાથે સેન્સેક્સ ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, થોડા જ સમયમાં વેચવાલી નીકળતા તેમાં કડાકો બોલાયો હતો, માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સ 1145 પોઈન્ટ્સના ઘટાડા સાથે 49,744ની સપાટી પર બંધ થયો હતો.હજુ ગયા અઠવાડિયે જ 52,516નો ઓલટાઈમ હાઈ બનાવનારા સેન્સેક્સમાં માત્ર ચાર જ ટ્રેડિંગ ડે માં 2500 પોઈન્ટ્સનો જંગી ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા છે, અને મહારાષ્ટ્રના અમરાવતીમાં તો લોકડાઉન કરવાની ફરજ પડી છે ત્યારે કોરોનાનો બીજો રાઉન્ડ આવશે કે કેમ તે ભીતિએ શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. આજે માર્કેટ બંધ થયું ત્યારે સેન્સેક્સના 30 શેર્સમાં સૌથી વધુ ઘટાડો ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. આ શેર્સ અનુક્રમે 4.85 અને 4.28 ટકાના ઘટાડા સાથે 946 અને 838 રુપિયાના સ્તરે બંધ થયા હતા. જ્યારે ડૉ. રેડ્ડીમાં 4.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને આ શેર 4487 રુપિયાની સપાટી પર બંધ થયો હતો.

આ સિવાય બેંક શેર્સમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. જેમાં ઈન્ડસિન્ડ બેન્કમાં 3.95, એક્સિસમાં 3.54, એચડીએફસીમાં 2.94, એસબીઆઈમાં 2.79 ટકાના ઘટાડાનો સમાવેશ થાય છે. રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસમાં પણ અનુક્રમે 3.87 ટકા, 2.61 ટકા અને 3.75 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં બજેટ બાદ જોરદાર તેજી જોવા મળી રહી છે, અને ખાસ કરીને બેંકોના શેર્સ નવી જ ઉંચાઈ પર પહોંચ્યા છે. બજારનું હાલનું વેલ્યૂએશન ખૂબ જ ઉંચું હોવાનું જાણકારો અનેકવાર કહી ચૂક્યા છે, પરંતુ તેમાં કરેક્શન ક્યારે આવશે તે અંગે કોઈ કશુંય સ્પષ્ટ રીતે કહેવા માટે તૈયાર નથી. હાલ માર્કેટમાં ચંચળતા પણ ખૂબ જ જોવા મળી રહી હોવાથી નાના રોકાણકારોને કોઈ લોંગ પોઝિશન ના લેવા માટે પણ સલાહ આપવામાં આવી રહી છે.

February 22, 2021
vaccine.jpg
1min476

આરોગ્ય ક્ષેત્ર અને કોરોના યોદ્ધાઓ સહિત અગ્રણી કાર્યકરોનું હજુ સુધી મોટા પ્રમાણમાં રસીકરણ ન થઈ શક્યું હોવાની બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્રના આરોગ્ય ખાતાએ કોરોનાની રસીકરણની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવાનો આદેશ આપતો પત્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખ્યો છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવને લખેલા પત્રમાં કેન્દ્રના આરોગ્ય ખાતાના સચિવ રાજેશ ભૂષણે રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા અઠવાડિયામાં રસી આપવાના દિવસોની સંખ્યા વધારીને ઓછામાં ઓછા ચાર દિવસ કરવાનો તેમ જ પચાસથી વધુ વયના લોકોને વહેલામાં વહેલી તકે રસી આપી શકાય તે માટે રસીકરણની પ્રક્રિયાને વેગ આપવાનો આદેશ આપ્યો હતો.

હાલ, અમુક રાજ્યમાં અઠવાડિયામાં બે જ દિવસ રસી આપવામાં આવે છે તો અમુક રાજ્યમાં અઠવાડિયામાં ચાર કે તેથી વધુ દિવસ રસી આપવામાં આવી રહી છે. આ સેવાનો વ્યાપ વધારી શકાય તે માટે સિસ્ટમમાં પૂરતી જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

પહેલી માર્ચથી રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવા તમામ યંત્રણા સજ્જ રાખવાની પણ તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી.

૨૧ ફેબ્રુઆરી સુધીમાં ૨,૩૦,૮૮૮ સેશનમાં દેશભરમાં રસીના ૧,૧૦,૮૫,૧૭૩ ડોઝ આપી દેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

મહારાષ્ટ્ર અને કેરળ સહિત દેશના અમુક રાજ્યોમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં વધારો થયેલો જોવા મળી રહ્યો હોવા વચ્ચે કેન્દ્ર સરકારે તેમને કોરોનાના ટૅસ્ટની સંખ્યા વધારવાની સલાહ આપી છે.

ભારતમાં હાલ કોરોનાના કુલ ૧,૪૫,૬૩૪ સક્રિય કેસ છે જે કુલ કેસની સંખ્યાના ૧.૩૨ ટકા જેટલા છે.

દરમિયાન, કોરોનાની રસીનું ઉત્પાદન કરતી સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ના સીઈઓ આદાર પુનાવાલાએ રવિવારે અન્ય દેશોને એમ કહીને ધીરજ રાખવા જણાવ્યું હતું કે કંપનીને ભારતની જરૂરિયાતને પહોંચી વળવા પ્રાથમિકતા આપવામાં આવી છે.

કંપની ભારતની જરૂરિયાતને પૂરી કરવા ઉપરાંત અન્ય દેશોની જરૂરિયાતને પહોંચી વળાય તે માટેના પણ પ્રયાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

February 20, 2021
coronavirus.jpg
1min395

ભારતમાં વેક્સિનેશનના મહાઅભિયાન વચ્ચે કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. કોરોના એક જ દિવસમાં ત્રણ અઠવાડિયાની ટોચની સપાટીએ પહોંચ્યો છે. ભારતમાં શુક્રવારે ત્રણ અઠવાડિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયો હતો. એક જ દિવસમાં ૧૩,૧૯૩ કેસો મળી આવ્યા હતા. આમ શુક્રવારે દેશમાં કોરોનાના કેસો આશરે ૧.૧ કરોડની નજીક પહોંચી ગયા હતા. જે અમેરિકા બાદ બીજા ક્રમે છે. દેશમાં મોતનો આંકડો પણ ૧,૫૬,૦૦૦ થયો છે.

મહારાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ મહિનાની ટોચની સપાટી પહોંચી છે. જેને પગલે રાજ્યની સરકારે અનેક જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરી છે અને વર્ધામાં તો ૩૬ કલાકનો કરફ્યૂ પણ લાદી દીધો છે. મુંબઈમાં માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવા માટે માર્શલ્સ તૈનાત કરાયા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,193 નવા દર્દીઓ નોંધાયા છે, તો આ દરમિયાન 10,896 લોકો સ્વસ્થ થાય છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી 97 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં અચાનક કેસો વધી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જે છેલ્લાં ત્રણ મહિનામાં સૌથી વધુ છે.

શુક્રવારે રાજ્યમાં કોરોના ૬,૧૧૨ લોકો પોઝિટિવ જાહેર થયા હતા. આમ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને ૪૪,૭૬૫ થઇ છે. છેલ્લાં થોડાક દિવસોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વાયરસનો ફેલાવો અટકાવવા માટે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં લોકડાઉન જાહેર કરાયું છે. આ બીમારીથી ૨૪ કલાકમાં ૪૪ લોકો મોતને ભેટ્યા છે. મુંબઇમાં ૨૪ કલાકમાં કોરોનાના ૮૨૩ કેસો નોંધાયા છે. યવતમાલમાં સ્થિતિ વણસતા લોકડાઉનના આદેશ જારી કરાયો છે. અમરાવતીમાં શનિવારના રાત્રિ આઠથી સોમવારે સવારના સાત સુધી લોકડાઉન જાહેર કરાયું છે.