ઇન્ડીયા Archives - Page 80 of 217 - CIA Live

February 10, 2021
bank-strike.jpg
1min444

13 માર્ચથી 16 માર્ચ, એમ ત્રણ દિવસ સુધી કોઈ બેકિંગ કામકાજ ખોરવાય જાય તેવી દહેશત સેવાય રહી છે. મહાગુજરાત બેંક એમ્પલોયી અસોસિએશનના જણાવ્યા પ્રમાણે, ગુજરાતભરની 18 હજાર શાખાઓના આશરે 55 હજાર જેટલા કર્મચારીઓ 15 અને 16 માર્ચે રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળમાં જોડાવાનું આયોજન કરી રહ્યા છે. બે દિવસની હડતાળ અગાઉ બે રજાઓ, 13મી માર્ચે બીજો શનિવારે અને 14મી માર્ચે રવિવારે હોવાથી, બેંકો વીકએન્ડમાં બંધ રહેશે તેવી શક્યતા છે.

ધ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયને (UFBU)બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. બેંકોનું સંગઠન જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણના વિરોધમાં છે.

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોયી અસોસિએશનના મહાસચિવ સી એચ. વેંકટચલમના જણાવ્યા પ્રમાણે, મંગળવારે હૈદરાબાદમાં UFBUની બેઠક યોજાઈ હતી. જેમાં બેંકોના ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, બેઠકમાં કેન્દ્ર સરકારના બજેટમાં સુધારાને લઈને કરવામાં આવેલી વિવિધ જાહેરાતો પણ ચર્ચા થઈ. તેમાં IDBI બેંક અને જાહેરક્ષેત્રની બે બેંકોનું ખાનગીકરણ, બેડ બેંકની સ્થાપના, એલઆઈસીમાં વિનિવેશ, એક સામાન્ય વીમા કંપનીનું ખાનગીકરણ, ઈન્શ્યોરન્સ સેક્ટરમાં 74 ટકા સુધીની એફડીઆઈની મંજૂરી અને જાહેરક્ષેત્રના ઉપક્રમોનું વેચાણનો સમાવેશ થાય છે.

February 10, 2021
nitish.jpg
1min463

બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ પુરું થયું છે. આ સાથે જ કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે અંગેની અટકળોનો અંત આવી ગયો છે. બિહાર વિધાનસભાની 2020માં યોજાયેલી ચૂંટણી બાદ નીતીશ કુમારની આગેવાનીમાં નવી સરકાર રચાયાના 85 દિવસ પછી પ્રથમ મંત્રીમંડળનું મંગળવારે વિસ્તરણ થયું છે. મંત્રીમંડળમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપના 9 ધારાસભ્યો તેમજ જેડીયુના 8 સભ્યોએ શપણ લીધા છે. નીતીશ સરકારમાં મુખ્યમંત્રીને બાદ કરતા 13 મંત્રીઓ છે જે પૈકી જેડીયુના ચાર અને ભાજપના સાત છે. જ્યારે વીઆઈપી કોટાના એક-એક મંત્રી છે. બપોરે 12.30 કલાકે રાજભવનના રાજેન્દ્ર મંડપમાં શપથવિધિ યોજાઈ હતી.

સૌપ્રથમ ભાજપના એમએલસી શાહનવાઝ હુસૈને થપણ ગ્રહણ કર્યા હતા. તેમણે ઉર્દૂમાં શપણ લીધા હતા. ત્યારબાદ ભાજપના નીતિન નવીન, સમ્રાટ ચૌધરી, સુભાષ સિંહ, આલોક રંજન, પ્રમોદ કુમાર, જનકરામ અને નારાયણ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા. આ ઉપરાંત જેડીયુમાંથી શ્રવણ કુમાર, મદન સૈની, લેસી સિંહ, મહેશ્વરી હજારી, સંજય કુમાર ઝા, જમા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ અને સુનીલ કુમારે શપથ ગ્રહણ કર્યા હતા.  

February 10, 2021
uttra.jpg
1min456

 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ચમોલી-ઉત્તરાખંડમાં હિમશિલા તૂટી પડવાથી અને એને કારણે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરથી ઉદ્ભવેલી સ્થિતિ અંગે આજે રાજ્યસભામાં વકતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની સાથે મળીને રાહત અને બચાવ કાર્ય કરી રહી છે અને જે પણ સહાયની જરૂર હશે એ ઉપલબ્ધ કરવામાં આવશે.

Image result for uttarakhand glacier

રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ સહિત જમ્મુ કાશ્મીરના ચાર નિવૃત્ત થનારા સંસદસભ્યોના ભાષણ બાદ ગૃહ પ્રધાને આજે સદનમાં વકતવ્ય આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઋષિગંગા નદીમાં અચાનક આવેલા પૂરને લીધે એક સુરંગમાં ફસાયેલા એનટીપીસીની નિર્માણાધીન પરિયોજનાના લગભગ પચીસથી 35 કર્મચારીઓને બહાર કાઢવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. અન્ય એક સુરંગમાં ફસાયેલા પંદર જણને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં અલકનંદાની એક સહાયક નદી ઋષિગંગાના ઉપરી વિસ્તારમાં હિમશિલા તૂટવાથી નદીનું જળસ્તર એકાએક વધી ગયું હતું. પૂરને કારણે 13.2 મેગાવૉટ ક્ષમતાની એક જળવિદ્યુત પરિયોજના સંપૂણપણે નષ્ટ થઈ ગઈ છે. ઉપરાંત તપોવનમાં 520 મેગાવૉટ ક્ષમતાની એનટીપીસીની નિર્માણાધીન જળવિદ્યુત પરિયોજનાને પણ મોટું નુકસાન થયું છે.

તેમણે જણાવ્યું હતું કે હવે નીચેના વિસ્તારોમાં પૂરનું કોઈ જોખમ નથી. જળસ્તર પણ ઘટી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યની તમામ એજન્સીઓ સ્થિતિ પર નજર રાખી રહી છે. સેટેલાઈટથી મળેલી માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે સમુદ્રથી લગભગ 5,600 મીટર ઊંચાઈએ હિમનદીના મુખ પાસેની હિમશિલા તૂટી પડી હતી. એ લગભગ 14 ચોરસ કિલોમીટર જેટલી મોટી હતી. એને કારણે ઋષિગંગાના નીચેના વિસ્તારોમાં અચાનક પૂરની સ્થિતિ ઉદ્ભવી હતી. ઉત્તરાખંડ સરકાર પાસેથી મળેલી માહિતીના આધારે તેમણે જણાવ્યું હતું કે સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીસ લોકો મૃત્યુ પામ્યા છે અને છ જણ ઈજાગ્રસ્ત થયા છે.

Image result for uttarakhand glacier



29 મૃતદેહ મળ્યા, 170 લોકો હજી પણ લાપતા
નવી દિલ્હી, તા.9: ઉત્તરાખંડનાં ગ્લેશિયર ફાટતા સર્જાયેલા જળપ્રલય પછી અત્યાર સુધીમાં બચાવ-રાહત કાર્યમાં 29 લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે. હજી પણ 170 જેટલા લોકો લાપત્તા છે. તપોવનની સુરંગમાં પણ હજી 3પ લોકો ફસાયેલા છે અને તેમને ઉગારવા માટે યુદ્ધનાં ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.

એનડીઆરએફ, સેના અને એસડીઆરએફનું સંયુક્ત બચાવ અભિયાન જારી છે. હવે અહીં વિશિષ્ટ મરીન કમાન્ડોની મદદ પણ લેવામાં આવી રહી છે. ઉત્તરાખંડનાં ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે સોમવારની રાત સુધીમાં 26 મૃતદેહો મળી આવેલા અને 171 લોકોનો હજી કોઈ પત્તો લાગ્યો નથી. કાંપ અને કાદવમાં દબાઈ ગયેલી ટનલમાં બચાવદળ વધુ આગળ પહોંચ્યું છે પણ હજી ટનલની સંપૂર્ણ ખોલી શકાઈ નથી. આખી રાત તપોવનની ટનલમાં બચાવ ટુકડીનાં જવાનોએ મહેનત કરી હતી અને કાટમાળ હટાવવાનાં પ્રયાસો જારી છે.’

February 9, 2021
deepsidhu.jpg
1min559

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલા તોફાનો અને લાલ કિલ્લા પર કેસરી ઝંડો ફરકાવવા અને ઉપદ્રવીઓને ભડકાવવા બદલ પંજાબી અભિનેતા દીપ સિધૂની દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમે મંગળવારે સવારે ધરપકડ કરી છે. દીપ દીધૂ 26 જાન્યુઆરીએ થયેલા તોફાન બાદ ફરાર હતો. દિલ્હીની ટ્રેક્ટર રેલી હિંસા બાદ ફરાર દીપને પકડવા માટે દિલ્હી પોલીસે રૂ. 1 લાખનું ઈનામ જાહેર કર્યું હતું.   

પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં તોફાનો થયા ત્યારે દીપ સીધૂ લાલ કિલ્લા ખાતે હાજર હતો અને ભડકાઉ ભાષણ આપી રહ્યો હતો. જો કે હિંસા ભડકતા જ તે ફરાર થઈ ગયો હતો. હિંસા પછી દીપ સિધૂ પોલીસની રડારમાં આવી ગયો હતો અને તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા.

દિલ્હીથી ભાગ્યા બાદ દીપ સિધૂનું લોકેશન હરિયાણા હતું અને ત્યારપછી તે પંજાબમાં હોવાનું જણાતું હતું. દીપ સિધૂએ થોડા દિવસો અગાઉ ફેસબુક લાઈવ કરીને ખેડૂત નેતાઓને ખુલ્લી ચેતવણી આપી હતી. દીપે ધમકી આપતા કહ્યું હતું કે જો કોઈએ મોઢું ખોલ્યું છે અને ખેડૂત આંદોલનની અંદરની વાત જાહેર કરી છે તો ખેડૂત નેતાઓએ ભોગવવું પડશે અને ભાગવાન રસ્તો પણ નહીં મળે.

દીપ સિધૂ પંજાબી ફિલ્મોનો એક્ટર છે અને સામાજિક કાર્યકર છે. દીપે પોતાની ફિલ્મ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મ રમતા જોગીથી કરી હતી, જેના પ્રોડ્યુસર ધર્મેન્દ્ર હોવાનું કહેવામાં આવે છે. દીપ સિધૂનો જન્મ 1984માં પંજાબના મુક્તસર જિલ્લામાં થયો છે. દીપે કાયદાનો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મોડેલ એવોર્ડ જીતી ચૂક્યો છે. 17 જાન્યુઆરીના સીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા કેસમાં એનઆઈએએ સિધૂની પૂછપરછ કરી હતી.  

February 6, 2021
chakkajamm.jpg
1min409
Image result for chakkajam

26 જાન્યુઆરીએ કિસાન ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે, ચક્કાજામની જાહેરાતને પગલે બપોરે 12થી 3 દરમિયાન સાવચેતીના ભાગરૂપે દિલ્હી મેટ્રોના ઘણા સ્ટેશનોના દરવાજા બંધ કરાવી દીધી હતી.

દિલ્હી મેટ્રો રેલ નિગમ (ડીએમઆરસી) પહેલાથી જ એલર્ટ પર હતું. શનિવારે દિલ્હી પોલીસને હાઈએલર્ટ પર રહેવાની સૂચના મળી હતી, પણ ખેડૂતોની સામે તેઓ લાચારી અનુભવતા જોવા મળ્યા હતા.

ઉત્તર ભારતના અનેક શહેરોમાં ખેડૂતોના ચક્કાજામના કાર્યક્રમોને પગલે સામાન્ય જનજીવન ખોરવાય ગયું હતું જોકે, 26મી જાન્યુઆરીની ઘટનાઓ બાદ બોધપાઠ લઇને ખેડૂત અને પોલીસ બન્નેએ સંયમપૂર્વક વર્તીને મોટી અવ્યવસ્થા સર્જવાથી બચ્યા હતા.

દિલ્હીની સુરક્ષામાં 50 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેમાં બોર્ડર સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં દિલ્હી પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ અને અર્ધ સૈનિક દળના જવાનો શામેલ છે. આઇટીબીપી, સીઆરપીએફ અને એઆઈએફને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં ખાસ સેલની SWAT ટીમ અને એનએસજીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે.

February 6, 2021
Bank-fraud.png
1min881

બૅન્કોએ ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધીમાં (વાર્ષિક ધોરણે) ટોચના ૧૦૦ ડિફોલ્ટરોની કુલ લગભગ ૬૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન માંડી વાળી હોવાનું જાણવા મળ્યું હતું. ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ માંડી વાળવામાં આવેલી ડિફોલ્ટરોની લોનનો આંકડો કુલ ૫૮,૩૭૫ કરોડ રૂપિયા હતો.આ તમામ વિલફુલ ડિફોલ્ટરો છે જેઓ જાણીબૂઝીને લોન ન ભરી શક્તા તેમની લોનની માંડવાળ કરવામાં આવી છે.

ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની યાદીમાં જતીન મહેતાની વિન્સમ ડાયમંડ્સ ઍન્ડ જ્વેલરીનું નામ મોખરે છે, આ કંપનીની ૩,૦૯૮ કરોડ રૂપિયાની લોનની માંડવાળ કરી નાખવામાં આવી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઇ) ધારા સાથે સંકળાયેલા બિશ્ર્વનાથ ગોસ્વામી નામના કાર્યકર સાથે શૅર કરેલા ડૅટામાં વિવિધ કંપનીઓની માહિતી મળી હતી જે એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થઈ છે.

મેહુલ ચોક્સીની માલિકીની કંપની ગીતાંજલી જેમ્સ ટોચની વિલફુલ ડિફોલ્ટર હતી અને એના ખાતે ૫,૦૭૧ કરોડ રૂપિયાની નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) છે. બૅન્કોએ એ કંપનીની ૬૨૨ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે.

બૅન્કોએ બાસમતી ચોખા બનાવતી કંપની આરઇઆઇ (રેઇ) એગ્રોની ૨,૭૮૯ કરોડ રૂપિયાની લોન, રસાયણો બનાવતી કંપની કુડોસ કેમીની ૧,૯૭૯ કરોડ રૂપિયાની લોન, ક્ધસ્ટ્રક્શન કંપની ઝૂમ ડેવલપર્સની ૧,૯૨૭ કરોડ રૂપિયાની તેમ જ શીપબિલ્ડિંગ કંપની એબીજી શિપયાર્ડની ૧,૮૭૫ કરોડ રૂપિયાની લોન ‘રાઇટ ઑફ’ કરી છે.

વિજય માલ્યાની કિંગફીશર ઍરલાઇન્સની માંડી વાળવામાં આવેલી લોનનો આંકડો ૧,૩૧૪ કરોડ રૂપિયા હોવાનું ડૅટામાં જણાવાયું હતું.

રિઝર્વ બૅન્કે ૨૦૧૫ની સાલના સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરીને લોન લેનારા વિદેશીઓ વિશેની માહિતી આપી ન હતી.

જોકે, જેમની પણ લોન માંડવાળ કરવામાં આવી છે (રાઇટ ઑફ કરાઈ છે) એવા લોકો અને કંપનીઓ હજી પણ એ લોન ભરપાઈ કરવાને જવાબદાર છે.

નવાઈની વાત એ છે કે રિઝર્વ બૅન્કે ગયા વર્ષે ઑગસ્ટમાં ગોસ્વામી દ્વારા નોંધાવવામાં આવેલી આરટીઆઇ પિટિશનના જવાબમાં ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની વિગતો પોતાની પાસે હોવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ગોસ્વામીએ આરબીઆઇની ઍપેલેટ ઑથોરિટી સમક્ષ આરબીઆઇની એ પ્રતિક્રિયાને પડકારી હતી.

આરબીઆઇએ સામાજિક-કાનૂની સંશોધક તરીકે જાણીતા આરટીઆઇ ઍક્ટિવિસ્ટ ગોસ્વામીને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે પ્રથમ ઍપેલેટ ઑથોરિટીના આદેશના સંદર્ભમાં અમારી આ પ્રતિક્રિયા છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ગોસ્વામીએ પ્રત્યાઘાતમાં એવું કહ્યું હતું કે આરટીઆઇને લગતા જવાબોમાં જે રીતે વિલંબ કરાય છે અને માહિતીને દબાવી દેવામાં આવે છે એના પરથી આવી બાબતોના સંચાલનમાં સંપૂર્ણતા (નીતિમત્તા) અને પારદર્શકતાનો અભાવ ફલિત થાય છે.

૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ આંકડા મુજબ ટોચના ૧૦૦ વિલફુલ ડિફોલ્ટરોની કુલ ૬૧,૯૪૯ કરોડ રૂપિયાની લોન બૅન્કોએ ‘રાઇટ ઑફ’ કરી નાખી હતી. અંગ્રેજી દૈનિકના અહેવાલ અનુસાર ટોચના આ ૧૦૦ ડિફોલ્ટરોની ભૂંસી નાખવામાં આવેલી લોનનું કુલ પ્રમાણ ૮૪,૦૦૦ કરોડ રૂપિયા છે.

ચાર વર્ષથી જૂના એનપીએ સામે પૂર્ણ જોગવાઈ કરવાની અને એ રીતે એ લોન ભૂંસી નાખવાની બૅન્કોને આરબીઆઇ તરફથી સૂચના અપાઈ છે. આનાથી બૅન્કોને બૅલેન્સ-શીટ્સને ક્લીન કરવામાં મદદ મળે છે તથા ટેક્સના લાભો પણ મેળવી શકાય છે.

૨૦૨૦ના નાણાકીય વર્ષમાં બૅન્કોએ કુલ ૨.૩૮ લાખ કરોડ રૂપિયાની લોન ‘રાઇટ ઑફ’ કરી હતી. એનાથી બૅન્કોની કુલ ગ્રોસ એનપીએ (આગલા વર્ષની તુલનામાં) ૯.૧ ટકાથી ઘટીને ૮.૨ ટકા રહી હતી. રિઝર્વ બૅન્કે છેલ્લામાં છેલ્લા ‘ટ્રેન્ડ ઍન્ડ પ્રોગ્રેસ ઑફ બૅન્કિંગ ઇન ઇન્ડિયા’માં જણાવ્યું છે કે વર્ષ દરમિયાન એનપીએમાંનો ઘટાડો મોટા ભાગે રાઇટ ઑફ્સને કારણે હતો.

જોકે, કેન્દ્ર સરકાર આવા ડિફોલ્ટરો પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ રાખતી હોય છે.

દરમિયાન, તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગીતાંજલી ગ્રુપ તથા એના પ્રમોટર અને જ્વેલર મેહુલ ચોક્સીની ૧૪ કરોડ રૂપિયાથી પણ વધુ મૂલ્યની ઍસેટ્સને ટાંચ મારી હતી. આ પ્રોપર્ટીમાં ગોરેગામના ઓટૂ ટાવરમાંના ૧,૪૬૦ સ્ક્વેર ફૂટના ફ્લૅટનો, ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરીનો, હીરાનો, કેટલાક નેકલેસનો તથા ઘડિયાળોનો અને મર્સિડીઝ બેન્ઝ કારનો સમાવેશ હતો.

February 5, 2021
bjp_logo.png
1min424

ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.

સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.

અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.

February 5, 2021
bull.jpg
1min513

તા.1લી ફેબ્રુઆરીએ રજૂ થયેલી બજેટ પછી સતત પાંચમા દિવસે, આજે તા.5મી ફેબ્રુઆરીને શુક્વારે ભારતીય શેર માર્કેટના સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી સમેતના ઇન્ડેસીસમાં તેજી જોવા રહેતા રોકાણકારો હવે મૂઝાય રહ્યા છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ શરૂઆતમાં જ 400 પોઈન્ટના ઉછાળા સાથે પહેલીવાર 51000ના સિમાચિન્હને પાર કરી ગયો હતો. નિફ્ટી પણ શરૂઆતના વલણમાં પહેલીવાર 15000ના સ્તને પાર કરી ગયો. એસબીઆઈના શેરે 10 ટકાના અપર સર્કિટ સુધી સ્પર્શ કર્યો. સેન્સેક્સના 30માંથી 25 શેર્સ તેજી સાથે ખુલ્યા હતા.

આ સાથે જ બીએસઈ માર્કેટ કેપ પહેલીવાર 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. બિઝનેસ દરમિયાન સેન્સેક્સે 49926.45નો ન્યૂનતમ અને 50614.29નો ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 17 શેર તેજી સાથે બંધ થયા હતા. આઈટીસીના શેરોમાં સૌથી વધારે 6.21 ટકાનો વધારો રહ્યો. આ ઉપરાંત એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સના શેર સૌથી વધારે ફાયદામાં રહ્યા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક અને એરટેલના શેર્સમાં ઘટાડો રહ્યો.

આ પહેલા સતત ચાર દિવસો શેર માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. બજેટ પહેલા જ શેર માર્કેટમાં સતત 6 દિવસ ઘટાડો આવ્યો હતો. પરંતુ બજેટ બાદ તેમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ગુરુવારે 358.4 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 50614 પોઈન્ટના નવા સ્તરે પહોંચી ગયું હતું. નિફ્ટી પણ 106 પોઈન્ટ એટલે કે 0.7 ટકાના ઉછાળા સાથે 14896ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

February 2, 2021
sensex_green.jpg
1min461

બજેટના બીજા દિવસે પણ 2300થી વધુની તેજી જોવા મળશે. આજે પણ શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં 1300 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી છે.

બજેટના દિવસે સેન્સેક્સ 48,600 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આજે બજેટના બીજા દિવસે પણ 593 પોઈન્ટની તેજી સાથે 49,193 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. જે બાદ સેન્સેક્સમાં સતત તેજી ચાલુ રહી હતી અને તેણે 50 હજારના સ્તરને પાર કરી લીધું હતું. એ જ પ્રમાણે બજેટના દિવસે નિફ્ટી પણ 14,281 પોઈન્ટના સ્તરે બંધ રહી હતી. આજે 200 પોઈન્ટની શાનદાર તેજી સાથે 14,481 પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો. અને હજુ પણ તેજી ચાલુ રહેતા આ લખાય છે ત્યાં સુધીમાં નિફ્ટીએ પણ 14,700ના સ્તરને સ્પર્શ્યો હતો.

February 2, 2021
bhavya.jpg
1min545

ભારતીય-અમેરિકન ભવ્યા લાલને સોમવારે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કાર્યકારી પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા નાસામાં ફેરફાર સંબંધી સમીક્ષા દળની સભ્ય પણ છે અને બાઈડેન તંત્રમાં એજન્સીમાં પરિવર્તન સંલગ્ન કામગીરી પર દેખરેખ રાખે છે.

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્યા પાસે એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો બહોળો અનુભવ છે. તે સ્પેસ ટેક્નોલોજી અને પોલીસી સોસાયટીની સક્રિય સભ્ય પણ છે. નાસાએ એક નિવેદનમાં કહ્યું કે, નાસાએ વરિષ્ઠ એજન્સી હોદ્દાઓ માટે નિમણૂક અંગે કેટલાક નામો આપ્યા છે. ભવ્યા લાલ એજન્સીમાં કાર્યકારી પ્રમુખ તરીકે જોડાયા છે. ફિલિપ થોમ્પસન વ્હાઈટ હાઉસના સંપર્ક તરીકે કામ કરશે. એલિસિયા બ્રાઉન વિધાનસભા તેમજ આંતર સરકારી મામલાઓના કાર્યાલયના સાહાયક સંચાલક તરીકે કામ કરશે અને માર્ક એટાઈકની એજન્સીના સંચાર કાર્યાલયના સહાયક સંચાલક તરીકેની જવાબદારી  રહેશે.

ભવ્યા લાલ પાસે 2005થી 2020 સુધી ઈન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ એનાલિસિસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટમાં સંશોધન સ્ટાફના સભ્ય તરીકે કામ કરવા ઉપરાંત એન્જીનિયરિંગ અને સ્પેસ ટેક્નોલોજીનો વ્યાપક અનુભવ ધરાવે છે.