CIA ALERT

ઇન્ડીયા Archives - Page 66 of 215 - CIA Live

April 20, 2021
virus.jpg
1min390
காற்றுவழிப் பரவுகிறதா கரோனா வைரஸ்? | Is the corona virus spread through the  air? - hindutamil.in

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

Coronavirus: WHO rethinking how Covid-19 spreads in air - BBC News

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.

થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.

April 18, 2021
vinesh.jpg
1min499

ઓલિમ્પિક ટિકિટ મેળવી ચૂકેલી વિનેશ ફોગાટ અને અંશુ મલિકે દમદાર પ્રદર્શન સાથે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાના મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઘણા મોટા ખેલાડીઓ વિના આયોજિત આ પ્રતિયોગિતામાં વિનેશે દબદબો કાયમ રાખ્યો હતો અને 53 કિલો વર્ગમાં અંક ગુમાવ્યા વિના એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત પ્રતિયોગિતામાં કાંસ્ય પદક જીતનારી વિનેશે ફાઇનલમાં તાઈપેની મેંગ હસિહ સામે 6-0થી બઢત મેળવી હતી. આ પ્રતિયોગિતામાં તાઇપેની મેગ સામે વિનેશની બીજી જીત છે જ્યારે અંશુએ ફાઇનલમાં બત્સેત્સેગ અલ્ટાંસેટસેગને 3-0થી પછાડીને સીનિયર વર્ગમાં વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં મંગોલિયન ખેલાડી પાસે અંશુના આક્રમણનો કોઈ જવાબ નહોતો. વિનેશે શરૂઆતી ચરણમાં મંગોલિયાની ખેલાડી અને તાઈપેની ખેલાડી સામે ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી હતી જ્યારે સેમીફાઈનલમાં પ્રતિદ્વંદ્વી હુનયોન્ગ ઓહ ઈજાના કારણે રિંગમાં ઉતરી શકી નહોતી.

April 18, 2021
corona_india.jpg
1min372

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૦૯,૬૪૩ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૮૬.૬૨ ટકા થઇ હતી.

દેશમાં રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨,૬૧,૫૦૦ નવા દરદી નોંધાયા હતા અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૪૭,૮૮,૧૦૯ થઇ હોવાની અને સક્રિય કેસની સંખ્યા ૧૮ લાખથી વધી હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

ગત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા ૧૮ લાખથી વધીને ૧૮,૦૧,૩૧૬ની સપાટીએ પહોંચી હતી, જે કુલ કેસના ૧૨.૧૮ ટકા થાય છે.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૧૫૦૧ દરદીનાં મોત થયાં હતાં અને મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૭૭,૧૫૦ થઇ હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. કોરોનાને લીધે મરનાર કુલ દરદીની ટકાવારી ઘટીને ૧.૨૦ ટકા પર પહોંચી હતી. ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા ૭ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૨૦ લાખથી વધી હતી, ૨૩ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૩૦ લાખથી વધી હતી, પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૪૦ લાખથી વધી હતી, ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૫૦ લાખથી વધી હતી, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૬૦ લાખથી વધી હતી, ૧૧ ઑક્ટોબર ૨૦૨૦ના દિવસે ૭૦ લાખથી વધી હતી, ૨૯મી ઑક્ટોબરના દિવસે ૮૦ લાખથી વધી હતી અને ૨૦મી નવેમ્બર ૨૦૨૦માં ૯૦ લાખથી વધી હતી અને ૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે એક કરોડનો આંક પાર થયો હતો.

આઇએમસીઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૬,૬૫,૩૮,૪૧૬ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા અને એમાંથી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૫,૬૬,૩૯૪ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા.

દેશમાં કોરોનાને કારણે રવિવારે મરનાર કુલ ૧૫૦૧ દરદીમાંથી સૌથી વધુ ૪૧૯ દરદી મહારાષ્ટ્રનાં, ત્યાર બાદ છત્તીસગઢનાં ૧૫૮ દરદીનાં, ઉત્તર પ્રદેશનાં ૧૨૦ દરદીનાં, પંજાબના ૬૨ દરદીનાં, કર્ણાટકનાં ૮૦ દરદીનાં અને ગુજરાતનાં ૯૭ દરદીનાં મોત થયાં હતાં.

18/4/21 : India Corona Upates : 2.60 લાખ નવા કેસ

શનિવારે ભારતમાં કોરોનાના વધુ 2,60,810 નવા કેસ નોંધાયા છે, આ પહેલાના દિવસે નોંધાયેલા 2.34 લાખ કેસ કરતા 11.5%નો ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે. આટલો મોટો ઉછાળો દેશમાં પહેલીવાર નોંધાયો છે.

રોજ નોંધાતા મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યોછે. 2 ઓક્ટોબરના રોજ મૃત્યુઆંક 1000ને પાર કર્યા હતા, હવે તે આંકડો વધુ 1,493ના મોત સાથે 1500ની નજીક પહોંચ્યો છે. શુક્રવારે પહેલીવાર મૃત્યુઆંક 1300ને પાર ગયો હતો.

જોકે રાહતની વાત એ છે કે પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક નોંધાતા હતા તેના કરતા આ વખતે કુલ કેસની સામે મૃત્યુની ટકાવારી નીચી છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક વધી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં આ ટકાવારીમાં ઉછાળો નોંધાશે તેવી આશંકા છે.

19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં એક દિવસના સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર 67,123 કેસ સાથે ટોપ પર છે, આ પછી દિલ્હીમાં શુક્રવારે 19,486 કેસ બાદ શનિવારે 24,375 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો તેમાં કર્ણાટકા (17,489), છત્તીસગઢ (16,083), કેરળ (13,835), મધ્યપ્રદેશ (11,269), ગુજરાત (9,541), તામિલનાડુ (9,344), રાજસ્થાન (9,046), બિહાર (7,870), હરિયાણા (7,717), પશ્ચિમ બંગાળ (7,713), પંજાબ (4,498), તેલંગાણા (4,446), ઉત્તરાખંડ (2,757), હિમાચલપ્રદેશ (1,392), પોંડિચેરી (715), લદ્દાખ (245) અને દાદરા અને નગર હવેલી અને દીવ-દમણ (158)નો સમાવેશ થાય છે.

ભારતમાં જે રીતે કોરોનાના કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે તેની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. એમ્બ્યુલન્સ માટે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે, સ્મશાન માટે વગેરે લાઈનો હવે લોકોને હચમચાવી રહી છે.

મહારાષ્ટ્રમાં 2 ઓક્ટોબર (424) પછી 24 કલાકમાં કોરોનાના કારણે 419 લોકોનો જીવ ગયો છે. દિલ્હીમાં 167 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે છત્તીસગઢમાં 158 અને ઉત્તરપ્રદેશમાં 120ના કોરોનાના કારણે એક જ દિવસમાં મોત થયા છે.

April 17, 2021
weather-forecast.jpg
1min451

દેશમાં વધતા કરોના કહેરથી પ્રભાવિત અર્થ વ્યવસ્થા અને તમામ અન્ય સેક્ટર માટે દિલ્હીથી એક સારા સમચારા આવ્યા છે. શુક્રવારે હવામાન વિભાગે વર્ષ 2021 માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ 103 ટકા જેટલો સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

આઇએમડીએ આ વર્ષે તેની આગાહીને વધુ સચોટ બનાવવા માટે ખૂબ જ અદ્યતન અને વ્યાપક પ્રણાલી અપનાવી છે, જેમાં વિવિધ વપરાશકર્તાઓ અને સરકારી ઓથોરિટી દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી ગતિવિધિઓની યોજનાને ધ્યાને રાખી કરવામાં આવતી માંગને આધારે સિઝનલ વરસાદના ક્ષેત્રીય વરસાદ પૂર્વાનુમાન સાથે વરસાદના સ્થાનિક વિતરણના પૂર્વાનુમાનને પણ દર્શાવવામાં આવ્યું છે.

આ અંગે વાત કરતા હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ એમ. મોહપાત્રાએ કહ્યું કે, ‘મલ્ટિ-મોડેલ એન્સેમ્બલ (એમએમઇ)’ એ સાર્વત્રિક રૂપે સ્વીકૃત ટેક્નોલોજી છે, જેનો ઉપયોગ એક જ મોડેલ આધારિત અભિગમની તુલનામાં આગાહીની કુશળતા સુધારવા અને આગાહીની ભૂલોને ઘટાડવા માટે થાય છે. પ્રભાવ સુધારણા સંપૂર્ણપણે એમએમઇ આગાહી સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતા તમામ મોડેલોની સામૂહિક માહિતીને આભારી છે. પ્રથમ તબક્કાની આગાહી માટે, હાલની આંકડાકીય આગાહી સિસ્ટમ અને નવી એમએમઈ આધારિત આગાહી સિસ્ટમનો ઉપયોગ કરીને આગાહી કરવામાં આવે છે.’

‘સામાન્ય’ વરસાદની આગાહી એ ભારતના કૃષિ ક્ષેત્ર માટે સારા સમાચાર છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર અને એકંદર માંગમાં વધારો થતા સમગ્ર દેશના અર્થતંત્રને ગતી આપે છે. ‘સામાન્ય’ વરસાદનો અર્થ એ છે કે ખરીફ પાક (ડાંગર, કઠોળ, તેલીબિયાં અને બરછટ અનાજ) ની સારી વાવણી અને આગામી પાકની સીઝન માટે દેશભરના મુખ્ય જળસંગ્રહોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ. સારા પાણીનો સંગ્રહ રવી પાક (શિયાળુ વાવેતર) પાકને પણ મદદ કરે છે, જે ખેતી માટે આખા વર્ષને બમ્પર આઉટપુટમાં ફેરવે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ મુજબ વરસાદના લોંગ પીરિયડ એવરેજ (LPA) લગભગ 98 ટકા રહી શકે છે. આ જાણકારી મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Sciences)ના સચિવ એમ. રાજીવને આપી. હવામાન વિભાગ મુજબ, સારો વરસાદ આપણા એગ્રીકલ્ચર પ્રોડક્શનને વધારવામાં મદદ કરશે.

હવામાન વિભાગ (IMD) તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા (Odisha), બિહાર (Bihar), ઝારખંડ (Jharkhand), છત્તીસગઢ (Chhattisgarh), પૂર્વ ઉત્તર પ્રદેશ (Eastern Uttar Pradesh) અને આસામ (Assam)માં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

બીજી તરફ, Skymet તરફથી જાહેર કરવામાં આવેલા ચોમાસા 2021ના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના હિસ્સામાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટમાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.

April 17, 2021
MI-vs-SRH.jpg
1min568

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ શનિવારે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની મજબુત ટીમ સામે રમશે. આ મેચમાં યોગ્ય ટીમ સાથે ઉતરવાનો પ્રયાસ કરશે. જેથી બે હાર બાદ જીતથી ખાતુ ખોલી શકાય. ડેવિડ વોર્નરની આગેવાનીની સનરાઈઝર્સની ટીમને ચૈન્નઈની પીચ જામી રહી નથી અને ટીમ 150ના લક્ષ્યાંકને પાર પાડવામાં પણ નાકામ રહી છે. પહેલા બે મેચમાં ટીમને લક્ષ્યનો પીછો કરવામાં પરેશાનીનો સામનો કરવો પડયો છે. તેવામાં ટીમની કમીઓ દુર કરીને ફરીથી મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કેપ્ટન વોર્નરની અંતિમ ઈલેવનની પસંદગી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. જોની બેયરસ્ટો અને ઋદ્ધિમાન સહાના રૂપમાં બે વિકેટકીપરને અંતિમ ઈલેવનમાં જગ્યા આપવાનો કોઈ હેતુ પુરો થઈ રહ્યો નથી. સહા ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં લયમાં જોવા મળી રહ્યો હતો. સહા પહેલી ટૂર્નામેન્ટથી હિસ્સો છે પણ તેનો રેકોર્ડ જોવામાં આવે તો નિરંતર રન બનાવવામાં નાકામ રહ્યો છે.

ડગ આઉટમાં કેદાર જાધવ જેવા અનુભવી ખેલાડી અને પ્રિયમ ગર્ગ જઅને અભિષેક શર્માના રૂપમાં બે પ્રતિભાવાન ખેલાડીઓની હાજરીથી સહાને આ પ્રદર્શન સાથે ટીમમાં વધુ તક મળવાની શક્યતા ઓછી છે. કેદાર અને અભિષેક સાથે જો ટીમ ઉતરશે તો સ્પીન બોલિંગનો પણ વિકલ્પ મળી રહેશે. વિદેશી ખેલાડીઓમાં માત્ર વોર્નર અને રાશિદ ખાનની જ પસંદગી નક્કી છે. તેવામાં સનરાઈઝર્સને પુરી રીતે ફીટ કેન વિલિયમમ્સનની જરૂર છે. કારણ કે તે સ્પીન આક્રમણ સામે સારી બેટિંગ કરી શકે છે.

મનીષ પાંડે અને અબ્દુલ સમદે આરસીબીનીના સ્પિનર શાહબાઝ અહમદ સામે જે બેટિંગ બતાવી તેનાથી વોર્નર નિરાશ હશે. પાંડેને પણ બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો છે. બીજી તરફ મુંબઈની ટીમ કોઈપણ ફેરફાર કરે તેવી શક્યતા નથી. ખાસ કરીને કોલકાતા સામે જીત મળ્યા બાદ આ શક્યતા ખુબ ઘટી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને જો કે પોતાના બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે કારણ કે હજી સુધી આશા પ્રમાણેનું પ્રદર્શન જોવા મળ્યું નથી.

April 16, 2021
vaccine-1.jpg
1min387

ચાર દિવસના ટીકા ઉત્સવ દરમિયાન ત્રણ રાજ્ય -મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશે એક કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી. કોરોનાની રસી માટે ૧૧થી ૧૪મી એપ્રિલ સુધી યોજાયેલા રસીકરણના કાર્યક્રમ દરમિયાન ૧૧મી એપ્રિલે કુલ ૨૯,૩૩, ૪૧૮ ડોઝ, ૧૨મી એપ્રિલે ૪૦,૦૪,૫૨૧ ડોઝ, ૧૩મી એપ્રિલે ૨૬,૪૬,૫૨૮ ડોઝ અને ૧૪મી એપ્રિલે ૩૩,૧૩,૮૪૮ ડોઝ આપવામાં આવ્યા હતા. ટીકા ઉત્સવ દરમિયાન દેશભરમાં રસી માટે લાયક વ્યક્તિઓને કુલ ૧,૨૮,૯૮,૩૧૪ ડોઝ આપવામાં આવ્યા હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. ત્રણ રાજ્ય- મહારાષ્ટ્ર (૧,૧૧,૧૯,૦૧૮), રાજસ્થાન (૧,૦૨,૧૫,૪૭૧) અને ઉત્તર પ્રદેશ (૧,૦૦,૧૭,૬૫૦)એ એક કરોડથી વધુ ડોઝ આપ્યા હતા. લોકોને કોરોનાની રસી આપવાને મામલે ભારત નવા વિક્રમ સ્થાપી રહ્યું છે. ટીકા ઉત્સવના પહેલા દિવસે રાતે આઠ વાગ્યા સુધી રસીકરણનું કામ ચાલ્યું હતું અને દિવસભરમાં ૨૭ લાખથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

April 14, 2021
remdesivir.jpg
1min579

ઍન્ટિ વાઇરલ ડ્રગ્સ રેમડેસિવિરનો ડૉક્ટરોએ એનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ, હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે છે અને ઘરેલું દવા ન હોવાની વાત કેન્દ્ર સરકારે મંગળવારે કહી હતી.

નીતી આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય ડૉ. વી. કે. પોલે સાપ્તાહિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જે દરદીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હોય અને ઑક્સિજન સપોર્ટ પર હોય એમને માટે જ આ દવાનો ઉપયોગ કરવો જોઇએ. એ પૂર્વશરત છે. ઘરે અથવા માઇલ્ડ કેસ માટે એના ઉપયોગ ન થવો જોઇએ તથા કૅમિસ્ટ પાસેથી એ ખરીદવી ન જોઇએ. કોવિડ-૧૯ માટેના ક્લિનિકલ મૅનેજમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કોવિડ-૧૯ના ગંભીર દરદી માટે રેમડેસિવિરનો ઉપયોગ પ્રયોગાત્મક ઉપાય તરીકે કરવાનો હોય છે. કેટલાક વિસ્તારોમાં અછત જણાતા, રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂકાયો છે અને એ પર્યાપ્ત પ્રમાણમાં દેશમાં ઉપલબ્ધ છે. કૅમિસ્ટની દુકાન બહાર રેમડેસિવિર મેળવવા લાઇન લગાવવાની વાત અસંગત છે. અમે બધા જ ડૉક્ટરોને આનો ઉપયોગ યોગ્ય રીતે અને હૉસ્પિટલમાં દાખલ કરાયેલા ગંભીર દરદી માટે કરવાની અપીલ કરીએ છીએ.

April 14, 2021
maharashtra_lockdown.jpg
1min421
સવારે ૭થી રાતે ૮ વાગ્યા સુધી ફક્ત જીવનાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને બહાર નીકળવાની પરવાનગી લોકલ ટ્રેન ચાલુ રહેશે, પરંતુ સામાન્ય નાગરિકને પ્રવેશ બંધ પાલિકાના નાળાં સફાઈના કર્મચારીઓ તેમ જ મેટ્રોની સેવાના મજૂરોને પણ પરવાનગી

 સરકાર આપે એવી આવશ્યકતા છે, જેથી અસરગ્રસ્ત વર્ગોને રાહત આપી શકાય, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

શું બંધ?

ખાનગી કચેરીઓ, ફ્ેરિયા, નોન-એસેન્શિયલ સામાનની દુકાનો, આવશ્યકતા વગર બહાર જવાની પરવાનગી નહીં, જીવનાવશ્યક સેવા માટે કામ કરનારા લોકોને બાદ કરતાં અન્ય લોકોને પરવાનગી નહીં, રિક્ષા-ટેક્સી અને બેસ્ટની બસમાં નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે.

શું ચાલુ રહેશે

અત્યંત આવશ્યક સેવા સાથે સંકળાયેલા હૉસ્પિટલ, મેડિકલની દુકાનો, વીમા, ટેલિકોમ, આરબીઆઈ સહિત બધી બૅંકો, સેબીની માન્યતાપ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થા ચાલુ રહેશે. આ બધી સંસ્થાઓના કર્મચારીઓને અવજવર કરવા માટે મુક્તિ આપી હતી. ઉપરાંત, અત્યારની ઈમર્જન્સી પરિસ્થિતિ હોવાથી જાહેર પરિવહન ક્ષેત્રને ચાલુ રાખવામાં આવે છે. અલબત્ત, મુંબઈમાં લોકલ ટ્રેન ચાલુ રહેશે. રાજ્યમાં (લોકલ ટ્રેન), બેસ્ટની બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ, ઓટોરિક્ષા, ટેક્સીની સુવિધા ચાલુ રાખવામાં આવશે. પત્રકારોને અવરજવર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. અન્ય સરકારી સંસ્થા પૈકી વિદેશી દૂતાવાસ, ચોમાસા સંબંધિત કામકાજ કરનારા કર્મચારીઓ તથા ઈ-કોમર્સ ચાલુ રહેશે. રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ચાલુ રહેશે. હોટેલ-રેસ્ટોરાં બંધ રાખવામાં આવશે, જ્યારે પાર્સલની સુવિધા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, એવું સરકારના પરિપત્રમાં જણાવ્યું હતું.

મફતમાં અનાજ – શિવભોજન થાળી

ગરીબોનું જીવન મુશ્કેલ બનશે એવી સંભાવનાને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે ગરીબોને એક મહિના માટે ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફતમાં આપવામાં આવશે. આવી જ રીતે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી શિવભોજન થાળી એક મહિના માટે મફતમાં આપવામાં આવશે.

નાના-મધ્યમ વેપારીને બાબાજી કા ઠુલ્લુ

ઉદ્ધવ ઠાકરેએ વેપારીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અત્યારે આ પરિસ્થિતિમાં વેપારીઓને ત્રણ મહિનાના જીએસટીમાં રાહત આપવામાં આવે એવો અનુરોધ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે. વેપારીઓને રાજ્ય સરકાર તરફથી કોઈ સીધી રાહત આપવાની વાત ઉદ્ધવ ઠાકરેએ કરી નહોતી.

ઓક્સિજન માટે એરફોર્સની મદદ માગી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ઓક્સિજનના સિલિન્ડરની પ્રવર્તી રહેલી અછતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આખા દેશમાં ઓક્સિજનના સિલિન્ડર જ્યાંથી ઉપલબ્ધ થાય છે તેની યાદી સરકાર પાસે છે. રાજ્યને રોજ ૧૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડે છે અને આગામી દિવસોમાં કદાચ આમાં વધારો થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લેતાં વડા પ્રધાનને એવી વિનંતી કરવામાં આવશે કે ભારતીય હવાઈદળના વિમાનોનો ઉપયોગ ઓક્સિજનના સિલિન્ડરોના પરિવહન કરવા માટે તાકીદની સ્થિતિમાં પરવાનગી આપવી જેથી રાજ્યમાં તેની અછત ન સર્જાય.

૫,૪૦૦ કરોડનું રાહત પેકેજ

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં ૧૫ દિવસ માટે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ગરીબો અને અન્યોને કોઈ ભારે નુકસાન ન થાય એ માટે ૫,૪૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજમાં ૩૫ લાખ ગરીબોને રૂ. ૧૦૦૦ આપવામાં આવશે. ૧૨ લાખ બાંધકામ મજૂરોને રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. પાંચ લાખ અધિકૃત ફ્ેરિયાને રૂ. ૧,૫૦૦ સ્વનિધિ ખાતામાં આપવામાં આવશે. રાજ્યના ૧૨ લાખ પરમિટ હોલ્ડર રિક્ષાચાલકોને રૂ. ૧,૫૦૦ની રોકડ આર્થિક સહાય કરવામાં આવશે.

April 13, 2021
mi_vs_kkr.jpg
1min491

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં તેના પ્રારંભિક મુકાબલામાં હાર સહન કર્યાં બાદ હવે 13/4/21 મંગળવારે તેના બીજા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે વર્તમાન વિજેતા ટીમનું લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. મુંબઇને પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આખરી દડે હાર મળી હતી. જયારે કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હાર આપીને વિજયી પ્રારંભ કર્યોં છે.

આઇપીએલના રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સનું પલડું હંમેશા કોલકતા નાઇટ રાઇડર્સ પર ભારે રહ્યંy છે.પાછલી પાંચ સિઝનમાં રમાયેલા 11 મુકાબલામાં મુંબઇએ 10માં જીત મેળવી છે. જયારે કેકેઆરને ફકત એક જીત જ નસીબ થઇ છે. ઓવરઓલ રેકોર્ડ જોઇએ તો બન્ને ટીમ વચ્ચે 27 મેચમાં ટકકર થઇ છે. જેમાં મુંબઇએ 21માં જીત મેળવી છે. બીજી તરફ કોકલતાને ફકત 6 મેચમાં વિજય હાથ લાગ્યો છે.

પાછલી બે સિઝનની વાત કરીએ તો કોલકતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ વખતે પ્રારંભિક મેચમાં નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કર્યું છે. જો કે પહેલા મેચમાં તેના મીડિલ ઓર્ડરમાં જોર જોવા મળ્યું ન હતું. બિગ હિટર રસેલ, કેપ્ટન મોર્ગન નિષ્ફળ રહ્યા હતા. અંતમાં અનુભવી દિનેશ કાર્તિકે 9 દડામાં 22 રન કરીને ટીમને 187 રને પહોંચાડી હતી. બોલિંગમાં કમિન્સ, રસેલ, શકીબ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ સારો દેખાવ કરીને હૈદરાબાદને 177 રને અટકાવી દીધું હતું.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પહેલા મેચમાં આરસીબીના મીડીયમ પેસર હર્ષલ પટેલ અને આફ્રિકી સ્ટાર એબી ડિ’વિલિયર્સના શાનદાર દેખાવને લીધે આખરી દડે હાર સહન કરવી પડી હતી. ડિ’કોકની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલ ક્રિસ લિને સર્વાધિક 49 રન કર્યાં હતા. જો કે તેની ભુલને લીધે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. આવતીકાલના મેચમાં ડિ’કોક વાપસી કરશે. આથી મુંબઇને કોઇ એક વિદેશી ખેલાડીને પડતો મુકવો પડશે. શાનદાર દેખાવ છતાં કદાચ લિનને બહાર બેસવાનો વારો આવી શકે છે. મુંબઇ પાસે ઇશન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કાયરન પોલાર્ડ અને કુણાલ પંડયાના રૂપમાં મજબૂત મધ્યક્રમ છે. જે કેકેઆરની બોલિંગ લાઇનઅપ પર ભારે પડી શકે છે. બોલિંગમાં મુંબઇનો દારોમદાર ફરી એકવાર જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ પર હશે. હાર્દિક હજુ બોલિંગમાં ઉપલબ્ધ નથી. આથી મુંબઇને છઠ્ઠા બોલરની ખોટ પડી રહી છે.

April 13, 2021
infosys.png
1min447
Infosys share buyback: Infosys board to consider share buyback proposal on  April 14 - The Economic Times

આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસે રવિવારે જણાવ્યું કે, તેના ડાયરેક્ટર બોર્ડ ૧૪ એપ્રિલે સેર બાયબેક પ્રપોઝલ પર વિચાર કરશે. ઈન્ફોસિસે શેર માર્કેટને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, ભારતીય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) નિયમન, ૨૦૧૮ પ્રમાણે કંપનીના ડાયરેક્ટર બોર્ડની ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ યોજાનારી બેઠકમાં પૂર્ણપણે ચૂકતા શેર મૂડીના બાયબેક માટે પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવશે. બેંગાલુરૂની આ કંપનીના ડાયરેક્ટર બોર્ડની બેઠક ૧૩-૧૪ એપ્રિલ ૨૦૨૧એ યોજાવાની છે. આમાં ૩૧ માર્ચ ૨૦૨૧એ પૂરા થતા ક્વાર્ટર અને નાણાકીય વર્ષમાં કંપની અને તેના સબસીડિયરી યુનિટના ફાઈનાન્શિયલ રિઝલ્ટને મંજૂરી અને તેના રેકોર્ડમાં લાવવામાં આવશે. આ અગાઉ, ઈન્ફોસિસે ઓગસ્ટ ૨૦૧૯માં ૮,૨૬૦ કરોડ રૂપિયાની વેલ્યૂએશનના ૧૧.૦૫ કરોડ શેરની પુન: ખરીદી કરી હતી. કંપનીએ આ પહેલા શેર બાયબેક ડિસેમ્બર ૨૦૧૭માં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય હતું. આમાં કંપનીએ ૧,૧૫૦ રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે ૧૧.૩ કરોડ શેરની પુન:ખરીદી કરી હતી.