CIA ALERT

ઇન્ડીયા Archives - Page 67 of 215 - CIA Live

April 12, 2021
stock-market-down.jpg
1min411

તા.૧૨ એપ્રિલ ૨૦૨૧ને ઉઘડતા સપ્તાહ, સોમવારની સવારે સવા નવ વાગ્યે જ્યારે ભારતીય શેરબજારોમાં કારોબાર શરૂ થયો ત્યારે પહેલી જ મિનિટે બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 634.67 પોઇન્ટ અને નિફ્ટી 190.2 પોઇન્ટ ઘટીને ખૂલતા સપ્તાહનો વર્તારો જોવા મળી ગયો છે. બપોરે બાર વાગ્યા બાદ સેન્સેક્સ અને નીફ્ટી બન્નેમાં તોતિંગ ઘટાડો નોંધાયો હતો. સાડા બાર વાગ્યાના અરસામાં સેન્સેક્સમાં ૧૭૦૦થી વધુ પોઇન્ટનું ગાબડું જોવાયું હતું. એવી જ રીતે નીફ્ટી ૫૦૦ જેટલા પોઇન્ટ ડાઉન ટ્રેડ કરતો જોવાયો હતો.

એ પૂર્વે આજે સપ્તાહના આરંભની સવારના પહેલા જ સેશનના ટ્રેડિંગની પહેલી જ મિનિટમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટ અને નિફ્ટી 350 પોઇન્ટથી વધુ નીચે ગયો હતો. બેંકીંગ અને ફાયનાન્સ શેરો જેવા કે RBL, IOB, પંજાબ સિંધ બેંકના શેરોમાં લગભગ 10% નો ઘટાડો છે.

વૈશ્વિક શેરબજારોમાં પણ નોંધાયો ઘટાડો

હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 373 પોઇન્ટ તૂટીને 28,305ની સપાટીએ બંધ રહ્યો છે.
– ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 24 પોઇન્ટ ઘટીને 3,425 પર બંધ રહ્યો છે.
– કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 1 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 3,130 પર બંધ થયો.
– ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 37 પોઇન્ટ ઘટીને 7,214 પર પહોંચી ગયો છે.
– જાપાનનો નિક્કેઇ ઈન્ડેક્સ 172 અંક નીચે 29,596 પર બંધ રહ્યો છે.

આજે તા.૧૨મી એપ્રિલ ૨૦૨૧ના રોજ શેરમાર્કેટમાં ઘટાડા પાછળ ટોચના નબળા શેર્સમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, બજાજ ઓટો, આઈસીઆસીઆઈ બેંક, કોટક બેંકના નેગેટીવ અહેવાલો જવાબદાર મનાય છે. ઇન્ફોસિસ એક માત્ર શેર એવો છે જે ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો હતો. તેની પાછળનું કારણ આઈટી મેજર રુ. 12000 કરોડના શેર બાયબેક કરવા અંગે વિચારી રહી હોવાના અહેવાલો આવ્યા છે.

April 12, 2021
bBSBD-BANK-ACCOUNT.jpg
4min448

સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સહિતની કેટલીક બૅંકો ઝીરો બેલેન્સ ખાતા અથવા મૂળભૂત બચત બૅંક ડિપોઝિટ (બીએસબીડીએ) ખાતા ધરાવતા ગરીબ વ્યક્તિઓને પૂરી પાડવામાં આવતી કેટલીક સેવાઓ પર વધારે ચાર્જ લાદી રહી છે, એમ આઇઆઇટી-બૉમ્બે દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં ખુલાસો કરવામાં આવ્યો હતો.

The study observed that the SBI’s decision to levy a charge of ₹17.70 for every debit transaction beyond four by the BSBDA account holders cannot be considered as ‘reasonable’

બીએસબીડી ખાતાધારકો દ્વારા ચાર કરતા વધારાના દરેક ડેબિટ ટ્રાન્ઝેક્શન માટે એસબીઆઇએ રૂ. ૧૭.૭૦નો ચાર્જ વસૂલ્યો છે જે યોગ્ય નથી. આ સર્વિસ ચાર્જ લાદવાને પરિણામે એસબીઆઇએ ૨૦૧૫થી ૨૦૨૦ દરમિયાન આશરે ૧૨ કરોડ બીએસબીડી ખાતાધારકો પાસેથી ૩૦૦ કરોડથી વધુ રૂપિયા વસૂલ્યા હતા.

એવી જ રીતે દેશની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅંક પંજાબ નેશનલ બૅંકે આ જ સમયગાળા દરમિયાન ૩.૯ કરોડ બીએસબીડી ખાતાધારકો પાસેથી ૯.૯ કરોડ રૂપિયા વસૂલ્યા હતા.

સપ્ટેમ્બર, ૨૦૧૩ની આરબીઆઇની માર્ગદર્શિકામાં બીએસબીડી ખાતાધારકો પાસેથી ચાર્જ વસૂલવા અંગે જણાવવામાં આવ્યું છે, જે મુજબ આ ખાતાધારકો બૅંકની મુનસફીના આધારે મહિનામાં ચારથી વધુ વખત ઉપાડની મંજૂરી છે અને બૅંક તેના માટે ચાર્જ કરી શકતી નથી. બીએસબીડીએની વિશેષતા નિર્ધારિત કરતી વખતે નિયંત્રણકારોએ સ્પષ્ટ કર્યું હતું કે જો બચત ખાતું બીએસબીડીએ હોય તો બૅંક મહિનાના ચાર ઉપાડ ઉપરાંત વધારાના ઉપાડ (વેલ્યુ એડેડ સેવા) પર કોઇ ચાર્જ લગાવી શકશે નહીં. (મહિનાના ચારથી વધારે વાર ઉપાડ કરવાની મંજૂરી આપવી એ વેલ્યુ એડેડ સેવા છે, એમ આરબીઆઇએ જણાવ્યું હતું).

In English

Several banks, including State Bank of India (SBI), have been imposing excessive charges on certain services provided to poor persons having zero-balance or Basic Savings Bank Deposit Accounts (BSBDA), a study by the IIT-Bombay has revealed.

The study observed that the SBI’s decision to levy a charge of ₹17.70 for every debit transaction beyond four by the BSBDA account holders cannot be considered as “reasonable.”

It highlighted that the imposition of service charges resulted in undue collections to the tune of over ₹300 crore from among nearly 12 crore Basic Savings Bank Deposit Account (BSBDA) holders of SBI during the period 2015-20.

India’s second-largest public sector lender Punjab National Bank, which has 3.9 crore BSBD accounts, collected ₹9.9 crore during the same period.

“There had been systematic breach in the RBI regulations on BSBDAs by few banks, most notably by the SBI that hosts the maximum number of BSBDAs, when it charged @ ₹17.70 for every debit transaction (even via digital means) beyond four a month.

“This imposition of service charges resulted in undue collections to the tune of over ₹300 crore from among nearly 12 crore BSBDA holders of SBI during the period 2015-20, of which the period 2018-19 alone saw a collection of ₹72 crore and the period 2019-20, ₹158 crore,” the study by IIT Bombay professor Ashish Das stated.

Levying of charges on BSBDA is guided by September 2013 RBI guidelines. As per the direction these accounts holders are ‘allowed more than four withdrawals’ in a month, at the bank’s discretion provided the bank does not charge for the same.

“While defining the features of a BSBDA, the regulatory requirements made it amply clear that in addition to mandatory free banking services (that included four withdrawals per month), as long as the savings deposit account is a BSBDA, banks cannot impose any charge even for value-added banking services that a bank may like to offer at their discretion,” the study said.

April 10, 2021
corona_india.jpg
1min450

વર્લ્ડોમીટર અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1.70 લાખ જેટલા નવા કેસ આવ્યા છે. જે અત્યાર સુધી એક દિવસમાં કોરોના કેસના સૌથી વધુ છે. તો આ દરમિયાન લગભગ 900 લોકોના મોત પણ થાય છે. સતત દિવસે દિવસે વધી રહેલા કોરોના કેસના કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી ગઈ છે. દેશમાં શનિવારે 10 લાખને પાર પહોંચેલા એક્ટિવ કેસ બે જ દિવસમાં વધીને સોમવાર સુધીમાં 12 લાખને પાર થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1 લાખ 70 હજાર લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં કહેર બનીને પોતાનો આતંક વરસાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જ્યાં દેશમાં કોરોનાના એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે ત્યાં બીજી તરફ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે. કોરોનાના 70 ટકા કરતા વધુ કેસ તો ફક્ત પાંચ જ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ સામેલ છે. આ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ કોરોના તીવ્ર ઝડપ પકડી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પ. બંગાળમાં પણ કોરોના વધવાનો શરું થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તે દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 63294 નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં આવેલા નવા કેસના આંકડામાં સૌથી વધુ છે. રાજ્યમાં મુંબઈ પછી પુણેમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. પુણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 12377 નવા કોરોના કેસ આવ્યા છે તો 87 લોકોના મોત થયા છે. રાજધાની મુંબઈમાં પણ 24 લાકમાં 9989 કેસ આવ્યા છે. જ્યારે 58 લોકોના મોત થયા છે. જોકે મહારાષ્ટ્ર માટે એક સારો સંકેત એ પણ છે કે 34 હજારથી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રમાં કોરોના રિકવરી રેટ વધીને 81.65 ટકા થઈ ગયો છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. દિલ્હીમાં શનિવારે એક દિવસમાં 10774 નવા કેસ સામે આવ્યા છે. તો 48 કોરોના દર્દીઓના મોત થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનું કહેવું છે કે 24 કલાકમાં કોરોના સંક્રમણના 10 હજાર કરતા વધુ કેસ આવવા સાથે શહેરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેમણે લોકોને ખૂબ જ જરુરી હોય તો જ ઘરની બહાર નીકળવા માટે સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસની ચોથી લહેર પાછલી લહેર કરતા વધુ ખતરનાક છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ છત્તસીગઢ, ઉત્તર પ્રદેશ, કેરળ, તામિલનાડુ, બિહાર, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ સિહના રાજ્યોમાં કોરોના કહેર વધી રહ્યો છે. આ રાજ્યોમાં દરરોજ વધુને વધુ કોરોના નવા કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે તેવા પ.બંગાળમાં પણ કોરોના કહેર વધી રહ્યો છે. તેમ છતા ત્યાં મોટી સંખ્યામાં રોડ શો અને રેલિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કોરોના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ તૈયારી કરી રહ્યું છે.

Reported on 10/4/21 : ભારતમાં કોરોના એક્ટીવ કેસ ૧૦ લાખથી વધી ગયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવાર તા.૧૦ એપ્રિલ ૨૦૨૧ના સવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,45,384 નવા કેસ નોંધાયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. પાછલા 28 દિવસમાં દેશમાં કોરોના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. ગતત 12 માર્ચે દેશમાં એક્ટિવ કેસ 2 લાખનો આંકડો પાર કર્યો હતો. જે બાદ આજે 9 એપ્રિલે એક્ટિવ કેસનો આંક 10 લાખને પાર થયો છે. એક્ટિવ કેસની ગણના પ્રતિ દિવસ નવા નોંધાયેલા કોરના કેસમાંથી તે દિવસે રિકવર થયેલા કુલ કેસને બાદ કરવામાં આવે છે. પછી જે આંકડો મળે છે તેને એક્ટિવ કેસ કહેવાય છે.

આ સમયગાળા દરમિયાન 77,567 લોકોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોનાને કારણે 24 કલાકમાં કુલ 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાથી મોતનો કુલ આંકડો 1,68,436 પર પહોંચ્યો છે.

દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 1,32,05,926 કેસ નોંધાયા છે. જેમાંથી 1,19,90,859 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કુલ 10,46,631 એક્ટિવ કેસ છે.

વેક્સીનેશન ૧૦ કરોડ સુધી પહોંચશે

કોરોના સામે લડવા માટે હાલ દેશમાં મોટાપાયે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારસુધી દેશમાં કુલ 9,80,75,160 લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. દેશમાં રિકવરી રેટ ઘટીને 90.8 ટકા થયો છે.

April 9, 2021
IPL_cia.jpg
1min384

દેશભરમાં જ્વાળામુખીની માફક ફાટી નીકળેલ કોરોનાની બીજી જીવલેણ લહેર વચ્ચે આજે તા.૯ એપ્રિલ ૨૦૨૧ને શુક્રવારથી દુનિયાની સૌથી ધનિક ટી-20 લીગ ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (આઇપીએલ)નો અનિશ્ચિતતા અને અજંપા વચ્ચે પ્રારંભ થશે. પહેલી મેચ મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ રોયલ ચેેલેન્જર્સ વચ્ચેે રમાશે

પાંચ ખિતાબ સાથે આઇપીએલ ઇતિહાસનો સૌથી સફળ કપ્તાન રોહિત શર્મા છઠ્ઠીવાર અને ખિતાબની હેટ્રિક રચવાના મકકમ નિર્ધાર સાથે તેની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે મેદાને પડશે. આ વખતે પણ રોહિતની ટીમ ખિતાબની પ્રબળ દાવેદાર છે.

મુંબઇની ટીમમાં રોહિત ઉપરાંત ડિ’કોક, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, પોલાર્ડ, પંડયાબ્રધર્સની મજબૂત બેટિંગ લાઇનઅપ છે. બોલિંગમાં તેની પાસે બુમરાહ, બોલ્ટ અને નાથન કુલ્ટર નાઇલ જેવા ખતરનાક ફાસ્ટ બોલર છે. સ્પિન વિભાગની જવાબદારી રાહુલ ચહર સંભાળશે. આ કડી મુંબઇની નબળી છે.

મુંબઇની સામે આરસીબી હશે. કોહલીની ટીમ પહેલીવાર આઇપીએલનું ટાઇટલ જીતવા માંગે છે.’ ટીમમાં મેકસવેલ અને કિવિ ઓલરાઉન્ડર કાઇલ જેમિસનને લેવામાં આવ્યા છે. કોહલી સાથે પડીક્કલ ઓપનિંગ કરશે. આ પછી સુપરસ્ટાર એબી ડિ’વિલિયર્સ હશે. યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ અને નવદિપ સૈની સારા ફોર્મમાં છે. જયારે સ્પિનર તરીકે યજુર્વેન્દ્ર ચહલ હશે.

April 8, 2021
modi_2nd_dose-1280x900.jpg
1min405

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની રસીનો બીજો ડોઝ આજે લીધો છે. ગઈ વખતની જેમ આજે પણ મોદી રસીનો ડોઝ લેવા માટે સવારે 6 વાગ્યે એમ્સ પહોંચ્યા હતા. આ પહેલા વડાપ્રધાને માર્ચ મહિનામાં કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. મોદીએ 38 દિવસ પછી રસીનો બીજો ડોઝ લીધો છે.

કોરોનાની રસીનો ડોઝ લઈને વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, “આજે એમ્સમાં કોવિડ-19 વેક્સીનનો મે બીજો ડોઝ લીધો છે. વેક્સીન આપણી આસપાસ વાયરસને હરાવવા માટેની કેટલીક રીતોમાંથી એક છે. જો તમે વેક્સીન માટે યોગ્ય છો, તો જલદી પોતાનો ડોઝ લઈ લો.” વડાપ્રધાન મોદીએ દેશના નાગરિકોને રસી લેવા માટે આગળ આવવાની સલાહ આપવાની સાથે એમ પણ જણાવ્યું કે, CoWin.gov.in પરથી રસી માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

અગાઉ વડાપ્રધાન મોદીએ 1 માર્ચના રોજ ત્રીજા તબક્કાની શરુઆતમાં જ રસી લીધી હતી. વડાપ્રધાન મોદીએ બાયોટેકના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવિડ વેક્સીન કોવેક્સનો જોઝ લીધો હતો. એ સમયે પણ વડાપ્રધાન મોદી એમ્સ સવારે પહોંચ્યા હતા અને તેમણે રસીનો પહેલો ડોઝ લીધો હતો.

નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિએ જે બ્રાન્ડની વેક્સીનનો ડોઝ અગાઉ લીધો હોય તે જ કંપનીનો બીજો ડોઝ લેવો જોઈએ. એવું ના બની શકે કે પહેલો ડોઝ અને બીજા ડોઝ વચ્ચે અંતર હોય. આજ કારણ છે કે વડાપ્રધાન મોદીએ પણ પહેલો અને બીજો ડોઝ દેશી કોરોના કોવેક્સનો જ લીધો છે.

April 8, 2021
corona_india.jpg
1min415

ભારતમાં કોરોના કાળ દરમિયાન નોંધાયેલા નવા કેસના તમામ રેકોર્ડ Dt 7/4/21 બુધવારે નોંધાયેલા કેસમાં તૂટી ગયા છે. દેશમાં પાછલા 24 કલાકમાં 1 લાખ 26 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 24 કલાકમાં 1,26,789 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,29,28,574 પર પહોંચી ગયો છે.

ભારતમાં કોરોનાના લીધે પાછલા 24 કલાકમાં વધુ 685 લોકોના મોત થઈ ગયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા 1,66,862 થઈ ગઈ છે. હાલ દેશમાં કોવિડ-19 એક્ટિવ કેસની સંખ્યા 9,10,319 પર પહોંચી ગઈ છે, પાછલા 24 કલાકમાં વધુ 59,258 લોકોને હોસ્પિટલમાંથી રજા મળી છે અથવા કોરોના મુક્ત થયા છે.

આ પહેલા દેશમાં સૌથી વધુ કોરોના કે 1,15,736 મંગળવારે નોંધાયા હતા. આ ત્રીજો દિવસ છે કે દેશમાં કોરોનાના નવા કેસ 1 લાખને પાર ગયા છે.

ICMR (Indian Council of Medical Research) મુજબ બુધવારે 12,37,781 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટ માટે લેવામાં આવેલા સેમ્પલની સંખ્યા 25,26,77,379 થાય છે.

દેશમાં 9,01,98,673 લોકોને કોરોના વાયરસ સામે લડવા માટે રસી આપવામાં આવી છે. જેમાં 2 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીએ કોરોનાની રસીનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ પછી બીજો તબક્કો 1 માર્ચના રોજ શરુ થયો હતો. આ તબક્કા દરમિયાન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી 59 વર્ષના કે જેઓ ગંભીર બીમારીથી પીડાય છે તેમને રસી આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.

April 7, 2021
vaccine-1.jpg
1min472

ભારતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડ-૧૯ની રસીના ૪૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ આપવામાં આવેલી રસી માટેનો નવો વિક્રમ બન્યો હતો.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચમી એપ્રિલે ૪૮,૦૯૫ સત્રમાં કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ આપવામાં આવ્યા હતા, એમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીએ પ્રથમ વખત ડોઝ લીધો હતો અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૨,૮૩,૮૧૬ સત્રમાં કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં ૮૧,૨૭,૨૪૮, ત્યાર બાદ ગુજરાતમાં ૭૬,૮૯,૫૦૭ ડોઝ, રાજસ્થાનમાં ૭૨,૯૯,૩૦૫ ડોઝ, ઉત્તર પ્રદેશમાં ૭૧,૯૮,૩૭૨ ડોઝ અને પશ્ર્ચિમ બંગાળમાં ૬૫,૪૧,૩૭૦ ડોઝ અપાયા હતા.

દરમિયાન ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના નેવું હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ગત ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપી હતી.

આ સાથે મંગળવારે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૨૬,૮૬,૦૪૯ થઇ હતી.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૪૪૬ દરદીનાં મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૬૫,૫૪૭ થઇ હતી.

ભારતમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા.

ગત ૨૭ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને ૭,૮૮,૨૨૩ની સપાટીએ પહોંચી હતી.

હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૬.૨૧ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૨.૪૮ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.

April 6, 2021
NV_ramana.jpg
1min525

વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે. તેમના અનુગામી તરીકે જસ્ટિસ શ્રી એનવી રમના દેશના નવા ચીફ જસ્ટિસ CJI એટલે કે મુખ્ય ન્યાયધીશ બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ નિમણૂકને મંજૂરી આપી છે.

વર્તમાન ચીફ જસ્ટિસ એસએ બોબડે 23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે. તેમણે જ કેન્દ્ર સરકારને જસ્ટિસ રમનાના નામની ભલામણ કરી હતી. ત્યારપછી કેન્દ્રએ રાષ્ટ્રપતિ સમક્ષ તેમનું નામ રજુ કર્યુ હતુ. જસ્ટિસ રમના ભારતના 48મા મુખ્ય ન્યાયધીશ હશે.

જસ્ટિસ રમના આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના પહેલા એવા જજ હશે જે CJI બનશે. જસ્ટિસ રમનાનો જન્મ 27 ઓગષ્ટ, 1957ના રોજ થયો હતો. સુપ્રીમ કોર્ટમાં તેઓ વર્તમાન સીજેઆઈ બોબડે પછી સૌથી સીનિયર છે. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં તેમનો ઉછેર થયો હતો. 10, ફેબ્રુઆરી 1983ના રોજ તેમણે એક વકીલ તરીકે પોતાના નામની નોંધણી કરાવી હતી અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.

27 જૂન, 2000ના રોજ આંધ્રપ્રદેશ હાઈ કોર્ટના તેઓ પરમનન્ટ જજ બન્યા હતા. 2 સપ્ટેમ્બર 2013ના રોજ તેમને દિલ્હી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા અને 17 ફેબ્રુઆરી 2014ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સીજેઆઈ બોબડેને જસ્ટિસ એનવી રમનાની ફરિયાદ કરી હતી. રેડ્ડીનું કહેવુ હતું કે, જસ્ટિસ રમના પૂર્વ સીએમ ચંદ્રબાબુ સાથે મળીને સરકાર રદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટે ઈનહાઉસ તપાસ કર્યા પછી ફરિયાદ રદ કરી હતી.

April 6, 2021
voting.jpg
1min505
Assembly elections in 5 states: Stage set for high-stakes battle before  2019 LS polls - The Economic Times

પાંચ રાજ્યોની ચાલતી વિધાનસભા ચૂંટણીમાં આજરોજ બુધવાર, તા.૬ એપ્રિલ ૨૦૨૧ સૌથી વ્યસ્ત દિવસ શરૂ થયો છે.

કેરળ, તામિળનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કાનું જ્યારે આ ત્રીજા અને અંતિમ તબક્કાનું તો બંગાળમાં 8 તબક્કાની ચૂંટણીમાં આ ત્રીજા ચરણનું મતદાન આજે સવારે ૭ના ટકોરે શરૂ થયું છે.

આસામમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસની સીધી ટક્કરનાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 16 દક્ષિણ 24 પરગણા, હાવડામાં 7 અને હૂગલીમાં 8 બેઠકો ઉપર મતદાન શરૂ થયું ત્યારથી જ તેજ જોવા મળી રહ્યું છે.

તામિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને વિપક્ષ દ્રમુકનાં આક્રમક પ્રચારનાં અંતે તમામ નજર હવે મતદારોએ પણ આજે સવારથી વોટીંગ માટે કતારો લગાડી દીધી છે. અહીં કુલ 234 બેઠકો માટે આજે ૬ એપ્રિલની વહેલી સવારે ૭ વાગ્યાથી જ આક્રમક મતદાન જોવા મળી રહ્યું છે.

કેરળમાં પણ તમામ 140 બેઠકો ઉપર શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચૂંટણીજંગનું ભાવિ આજે ૬ એપ્રિલના રોજ ઈવીએમમાં અંકિત થઇ રહ્યું છે.

આસામમાં ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કા માટે યોજાઇ રહેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી 40 મતવિસ્તારોનાં મતદાતાઓઁ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે.

April 6, 2021
pariksha-pe-charcha.jpg
1min664

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.