ઇન્ડીયા Archives - Page 67 of 217 - CIA Live

April 22, 2021
maharashtra.jpg
1min375

કોરોના સામેના જંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ઉપાય તરીકે જ લૉકડાઉન લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા બ્રેક ધ ચેઈન નિર્દેશ અનુસાર ગુરુવાર રાતના ૮ કલાકથી અમલમાં આવે તે રીતે કડક પ્રતિબંધો લાદયા છે.

કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ફક્ત ૧૫ ટકા હાજરી સાથે કામ કરી શકશે. કોવિડ-૧૯ મહામારી સામે ઈમર્જન્સી સેવાઓ પૂરી પાડનારી ઑફિસોને આ નિયમમાંથી મુક્તિ રહેશે. અગાઉના નિયમો પ્રમાણે જે સરકારી અને ખાનગી ઑફિસોને ચાલુ રાખી શકાશે, પણ તેમાં ૧૫ ટકા હાજરી અથવા પાંચ વ્યક્તિ જે પણ વધુ હોય તેટલી સંખ્યામાં કામ કરી શકાશે.

મેડિકલ ઈમર્જન્સી, જરૂરી સેવા, સ્મશાનક્રિયાઓ સિવાય અન્ય કારણથી પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવા નિયમો ગુરુવારે સાંજે ૮ વાગ્યાથી ૧લી મે સવારના ૭ વાગ્યા સુધી અમલમાં રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે આપેલા નિર્દેશો અનુસાર માત્ર અને માત્ર અતિ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા નાગરિકો રેલવેમાં પ્રવાસ કરી શકશે.

રાજ્ય સરકારે લગ્ન સમારંભો માટે પણ મહેમાનોની સંખ્યા ઘટાડી ૨૫ની જ પરવાનગી આપી છે અને ૨ કલાકની સમય મર્યાદા લાદવામાં આવી છે. જો મહેમાનોની સંખ્યા વધુ જણાશે તો આયોજકોને રૂ. ૫૦ હજાર સુધીનો દંડ કરવામાં આવશે.

ખાનગી બસમાં જનારાઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પછી તેમને ૧૪ દિવસ હોમ ક્વૉરન્ટાઈનમાં રહેવું પડશે. આ માટે બસ ઑપરેટરો પ્રવાસીઓના હાથ પર સિક્કો મારશે.

April 22, 2021
nashik.jpg
1min462

નાશિકની મહાપાલિકાની હૉસ્પિટલમાં સ્ટોરેજ પ્લાન્ટમાંથી થયેલા ઑક્સિજન ગળતરને કારણે ૨૪ દર્દીએ જીવ ગુમાવ્યા હતા. ટૅન્કરમાંથી હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ટૅન્કમાં ઑક્સિજન ભરતી વખતે થયેલા લીકેજને કારણે દર્દીઓને મળતા પ્રાણવાયુમાં અવરોધ ઊભો થતાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. મુંબઈના ભાંડુપ વિસ્તારમાં આવેલા ડ્રીમ્સ મૉલમાં લાગેલી આગને કારણે મૉલમાંની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના ૧૧ દર્દીએ જીવ ગુમાવ્યાની ઘટનાને હજુ મહિનો વીત્યો નથી ત્યાં નાશિકમાં બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો હતો. નાશિકના દ્વારકા વિસ્તારમાં આવેલી ડૉ. ઝાકીર હુસેન હૉસ્પિટલમાં બુધવારે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.

Oxygen tanker leakage, Oxygene tanker leakage in Nashik, Nashik hospital  oxygen tanker leakage | India News – India TV

કોવિડ-૧૯ના દર્દીઓ માટે સમર્પિત આ હૉસ્પિટલ પરિસરમાં તાજેતરમાં જ બે ઑક્સિજન ટૅન્ક ગોઠવવામાં આવી હતી, જેમાંથી એક ટૅન્કમાં ટૅન્કરમાંથી ઑક્સિજન ભરતી વખતે અચાનક લીકેજ થયું હતું. ગળતરને રોકવા માટે હૉસ્પિટલ દ્વારા પાલિકાના કમિશનર કૈલાસ જાધવનો ટેક્નિકલ મદદ માટે તાત્કાલિક સંપર્ક સાધવામાં આવ્યો હતો.

ઑક્સિજન સપ્લાયની ટૅન્કમાંથી ગળતર બાદ ઑક્સિજન પુરવઠો અવરોધાતાં ૨૪ દર્દીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં ૧૧ મહિલાનો સમાવેશ થાય છે. આ દર્દીઓ મોટા ભાગે વેન્ટિલેટર અને ઑક્સિજન સપ્લાય પર હતા, એમ જણાવી જિલ્લાધિકારી સૂરજ માંઢરેએ ઉમેર્યું હતું કે હૉસ્પિટલ પરિસરમાં ગોઠવવામાં આવેલી ઑક્સિજન ટૅન્ક્સની દેખરેખની જવાબદારી એક ખાનગી કંપનીની હતી.

નાશિક મહાનગરપાલિકાના કમિશનર કૈલાસ જાધવે જણાવ્યું હતું કે હાલમાં કોઈ દર્દી ગંભીર હાલતમાં નથી. ઘટના બની ત્યારે હૉસ્પિટલમાં દાખલ ૧૫૦ દર્દીમાંથી ૨૩ જણ વેન્ટિલેટર સપોર્ટ પર હતા, જ્યારે બાકીના ઑક્સિજન પર હતા. એ સિવાય સ્ટોરેજ ટૅન્કમાં ઑક્સિજન લેવલ અંદાજે ૨૫ ટકા જેટલું હતું.

પાલિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ ખરેખર તો બુધવારે સવારે ૧૦ વાગ્યે જ ઑક્સિજન સ્ટોરેજ ટૅન્કનું સોકેટ તૂટી ગયું હતું, જેને કારણે લીકેજ શરૂ થઈ ગયું હતું. આ બાબતની જાણ થતાં હૉસ્પિટલના સ્ટાફે દર્દીઓને જમ્બો સિલિન્ડરમાંથી ઑક્સિજનનો સપ્લાય આપવામાં આવ્યો હતો અને કેટલાક દર્દીઓને અન્યત્ર ખસેડવાનું શરૂ કર્યું હતું.

ગળતર રોકવામાં આવ્યા બાદ ટૅન્કનું સમારકામ કરી ઑક્સિજન સપ્લાય પૂર્વવત્ કરવામાં આવ્યો હતો, જેને કારણે સ્થિતિ સામાન્ય બની હતી.

દરમિયાન ઑક્સિજન લીકેજની વાત વાયુવેગે ફેલાતાં બચાવકાર્ય માટે સ્થાનિક લોકો હૉસ્પિટલમાં દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ત્યાં એકઠા થયેલા લોકોને દૂર ખસેડ્યા હતા. ઑક્સિજન લીકેજનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હૉસ્પિટલે પહોંચેલા દર્દીઓના પરિવારજનોએ આ દુર્ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી.

April 21, 2021
covaxin.jpg
1min544

ICMR Indina Council of Medical Research ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.૨૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ ટ્વીટ કરીને એવું જાહેર કર્યું છે કે ભારતમાંં ઉપલબ્ધ કોરોના રસી પૈકી કોવાક્સીન નામની રસી તમામ પ્રકારના કોરોના વાઇરસ અને તેના મલ્ટીપલ વેરીએન્ટસ અને મ્યુટન્ટ સ્ટ્રેઇન સામે રક્ષણ આપે છે.

What is ICMR?

The Indian Council of Medical Research, the apex body in India for the formulation, coordination and promotion of biomedical research, is one of the oldest and largest medical research bodies in the world.

भारतीय आयुर्विज्ञान अनुसंधान परिषद (आई.सी.एम.आर), नई दिल्ली, भारत में जैव-चिकित्सा अनुसंधान हेतु निर्माण, समन्वय और प्रोत्साहन के लिए शीर्ष संस्था है। यह विश्व के सबसे पुराने आयुर्विज्ञान संस्थानों में से एक हैं। इस परिषद को भारत सरकार के स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा वित्तीय सहायता प्राप्त होती है

ICMR Indina Council of Medical Research ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નીચે મુજબ ટ્વીટ કર્યું છે.

Image
April 21, 2021
banking.jpg
1min597

આજ 21/4/21 થી બેંકોમાં કામના કલાકોમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના નાણાં વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, ગ્રાહકોની સેવા માટેનો સમય સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

મહાગુજરાત બેંક એમ્લોયી અસોસિએશન (MGBEA) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવ્યાના એક દિવસ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો અમલ 30/4/21 સુધી ચાલુ રહેશે.

ગુજરાતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને જાહેર અને ખાનગી ક્ષેત્રની મોટી બેંકોના હેડ, અમદાવાદ RBIના રિજનલ ડિરેક્ટર અને ગુજરાત SLBCના કન્વીનરે આ અંગે બેઠક યોજી હતી અને બેંકિંગ પ્રવૃતિઓ અંગે ચર્ચા કરી હતી.

આ સમયગાળા દરમિયાન, બેંકની શાખાઓ અને તેની ઓફિસો ગ્રાહકોને માત્ર જરૂરી સેવાઓ આપશે, જેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોઅલ, RTGS, રિમિટન્સ અને ક્લીયરન્સનો સમાવેશ થાય છે. બેંકિંગ સેવાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે.

‘કોરોના વાયરસના ફેલાવાનો ઓછો કરવા માટે શાખાઓમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટાડવામાં આવશે, બાકીના કર્મચારીઓ ઘરેથી કામ કરશે’, તેમ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું.

વિભાગે બેંકોને ATMમાં પૂરતી રોકડની ખાતરી કરવા અને ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું પણ જણાવ્યું છે.

‘કેન્દ્ર, રાજજ્ય સરકાર અને અન્ય સ્થાનિક અધિકારીઓ દ્વારા લાગુ કરવામાં આવેલી કોવિડ-19ની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે’, તેમ પરિપત્રમાં વધુમાં લખ્યું હતું.

April 21, 2021
jharkhand-lockdown-again_21575293.jpg
1min433

કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં દેશનાં વધુ એક રાજ્ય દ્વારા આજે પૂર્ણ લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઝારખંડમાં વધી રહેલા કેસને ધ્યાને લેતા આજે મુખ્યમંત્રી હેમંત સોરેને એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિશે ફેંસલો કર્યો હતો. ઝારખંડમાં 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી એક સપ્તાનું લોકડાઉન રહેશે. આ દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ છૂટછાટ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને 22 એપ્રિલે સવારે 6 વાગ્યાથી 29 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધીનાં લોકડાઉનને સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ નામ આપ્યું છે.

મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 1 અઠવાડિયાની લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવી અત્યંત જરુરી છે. આ સાથે જ તેમણે રાજ્યની જનતાને નિયમોનું કડકાઈથી પાલન કરવાનો અનુરોધ પણ કર્યો હતો.ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી છે. જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે. કારણ વગર લોકો ઘરની બહાર નહીં જઈ શકે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના મહત્ત્વના કાર્યાલયોને બાદ કરતા બાકીના તમામ કાર્યાલયો બંધ રહેશે.’

April 20, 2021
oxygen_express.jpg
1min484

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના દરદીઓને આપવા ઑક્સિજનની કમી વરતાઈ રહી હોવાથી રેલવે દ્વારા વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટમાંથી લિક્વિડ ઑક્સિજન મહારાષ્ટ્રમાં લાવવા ખાસ ઑક્સિજન એક્સપ્રેસ દોડાવી દોડાવવામાં આવી છે.

ઑક્સિજન એક્સપ્રેસ

લિક્વિડ ઑક્સિજન ભરવાનાં ટૅન્કર ડાયરેક્ટ એ ટ્રેનમાં ચડાવી શકાય એ માટે કળંબોલી યાર્ડમાં માત્ર ચોવીસ જ કલાકમાં જ એના માટે ખાસ રૅમ્પ પણ તૈયાર કરી દેવાયો હતો. આ ટ્રેન ૭ ટૅન્કર સાથે વસઈ, જળગાવ, નાગપુર, રાયપુર જંક્શનથી વિશાખાપટ્ટનમના સ્ટીલ પ્લાન્ટ પહોચશે અને ત્યાંથી એ ટૅન્કરોમાં લિક્વિડ ઑક્સિજન ભરીને પાછી આવશે. ગઈ કાલે રાતે ૮.૦૫ વાગ્યે એ ટ્રેન ટૅન્કરો સાથે રવાના પણ કરી દેવાઈ હતી. 

April 20, 2021
mamtamodirahul.jpg
1min649
राहुल की रैलियां रद्द, ममता की हुईं कम...बीजेपी 'अपना बूथ कोरोना मुक्त' के  भरोसे - west bengal election rahul gandhi after mamata banerjee not poll  campaign in kolkata rising coronavirus bjp amit

કોરોનાની બીજી લહેરથી દેશમાં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. બંગાળમાં પાંચ તબક્કાની ચૂંટણી થઈ ચૂકી છે અને ત્રણ તબક્કાની ચૂંટણી બાકી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના પ્રચારમાં કાપ મૂક્યો છે. રાહુલ ગાંધી અને તે પછી મમતા બેનરજી બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભાઓ પણ ઘટાડવામાં આવી છે.

કોંગ્રેસના રાહુલ ગાંધીએ તેમની પશ્ચિમ બંગાળની તમામ જાહેરસભાઓ રદ કર્યા બાદ આજે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ પોતાની રેલીઓમાં કાપ મૂકયો હતો.

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાઓની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. 22 એપ્રિલે માલદા અને મુર્શિદાબાદ તથા 24 એપ્રિલના ભવાનીપુર અને બીરભૂમમાં યોજાનારી પીએમની રેલીઓ હવે 23 એપ્રિલે એક જ દિવસે યોજાશે. આ તમામ રેલીઓ એક જ દિવસે 23 એપ્રિલના યોજવામાં આવશે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે પીએમ મોદીની બંગાળમાં આ અંતિમ રેલીઓ હશે જેમાં અન્ય ચરણોમાં મતદાનવાળા સ્થળોને આવરી લેવામાં આવશે.
દરમ્યાન, ચૂંટણીપંચે પણ નવા દિશાનિર્દેશો જારી કર્યા હતા જે અનુસાર હવે મતદાનના 72 કલાક અગાઉ ચૂંટણીપ્રચાર પર રોક લાગી જશે એટલે કે 26 એપ્રિલે યોજનારા મતદાન માટે હવે ચૂંટણીપ્રચાર 23મીએ જ બંધ થઈ જશે. આ પહેલાં પંચે મતદાનના 24 કલાક પહેલાં પ્રચાર પર રોક લગાવી હતી.

મમતાએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને આદેશ આપ્યો છે કે કોઇપણ રેલી અડધા કલાકથી વધારે સમયની ના હોવા જોઇએ. હવે તેઓ માત્ર 26મી એપ્રિલના એક સભાને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે બંગાળમાં હજી 22, 26 અને 29 એપ્રિલના રોજ ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. છઠ્ઠા ચરણમાં 43, સાતમા ચરણમાં 36 અને આઠમા ચરણમાં 35 સીટો પર હજી મતદાન બાકી છે.
રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળની તમામ રેલીઓ રદ કરી હતી. આ સિવાય રાહુલ ગાંધીએ તમામ રાજકીય નેતાઓને સલાહ આપી હતી કે આવી સ્થિતિમાં મોટી જનસભાઓ કરવાના પરિણામનો વિચાર કરી લો.

April 20, 2021
virus.jpg
1min395
காற்றுவழிப் பரவுகிறதா கரோனா வைரஸ்? | Is the corona virus spread through the  air? - hindutamil.in

સમગ્ર દેશનું સ્વાસ્થ્ય તંત્ર અપૂરતું પૂરવાર થાય તેટલી હદે કોરોના વકરી ગયા બાદ આખરે હવે સરકારે પણ કબૂલી લીધું છે કે, કોરોનાનું નવું રૂપ હવા મારફત ખૂબ જ ઝડપથી ફેલાય છે.
નીતિ આયોગમાં સ્વાસ્થ્ય સદસ્ય ડૉ.વી.કે.પાલે આજે કહ્યું હતું કે, કોરોનાનાં બીજા મોજાંના કેટલાક નિષ્કર્ષ એવા છે કે, આ વખતે વેન્ટિલેટરની જરૂર વધુ પડી રહી નથી. મૃત્યુની સંખ્યા પણ કેસનાં પ્રમાણમાં ઘટી ગઈ છે. ઓક્સિજનની આવશ્યકતા વધી ગઈ છે. કોરોના વાયરસ હવે હવાનાં માધ્યમથી વધુ ગતિએ ફેલાય છે.

Coronavirus: WHO rethinking how Covid-19 spreads in air - BBC News

તેમણે આંકડાની વાત કરતાં કહ્યું હતું, કોરોનાની પહેલી લહેરમાં 30 વર્ષથી ઓછી ઉંમરના 31 ટકા જેટલા લોકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ આ આંકડો 32 ટકા જેટલો જ છે. 30થી 4પ વર્ષની વયના લોકોમાં પોઝિટિવિટીનો દર. ગત વર્ષની જેમ જ આ વખતે પણ 21 ટકા જ છે. આવી જ રીતે યુવાનોમાં પણ સંક્રમણમાં કોઈ મોટો ઉછાળ આવ્યો નથી.

થોડા દિવસ પહેલા પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેટના એક અહેવાલમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કોરોનાનો વધુ પડતો પ્રસાર હવાનાં માર્ગે થઈ રહ્યો છે. જેને પગલે આપણે સુરક્ષાનાં શિષ્ટાચારમાં તાત્કાલિક બદલાવ કરવાની જરૂર છે. આ રિપોર્ટને ઇંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના છ નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવેલું કે હવા દ્વારા સંક્રમણનાં સબૂત ખૂબ જ મજબૂત છે. તેની સામે મોટા ડ્રોપલેટથી સંક્રમણને પુષ્ટિ આપે તેવા પુરાવા નગણ્ય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આ પુરાવાઓને આધારે ફેંસલો કરીને માર્ગદર્શન આપવું જોઈએ.

April 18, 2021
vinesh.jpg
1min509

ઓલિમ્પિક ટિકિટ મેળવી ચૂકેલી વિનેશ ફોગાટ અને અંશુ મલિકે દમદાર પ્રદર્શન સાથે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાના મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઘણા મોટા ખેલાડીઓ વિના આયોજિત આ પ્રતિયોગિતામાં વિનેશે દબદબો કાયમ રાખ્યો હતો અને 53 કિલો વર્ગમાં અંક ગુમાવ્યા વિના એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત પ્રતિયોગિતામાં કાંસ્ય પદક જીતનારી વિનેશે ફાઇનલમાં તાઈપેની મેંગ હસિહ સામે 6-0થી બઢત મેળવી હતી. આ પ્રતિયોગિતામાં તાઇપેની મેગ સામે વિનેશની બીજી જીત છે જ્યારે અંશુએ ફાઇનલમાં બત્સેત્સેગ અલ્ટાંસેટસેગને 3-0થી પછાડીને સીનિયર વર્ગમાં વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં મંગોલિયન ખેલાડી પાસે અંશુના આક્રમણનો કોઈ જવાબ નહોતો. વિનેશે શરૂઆતી ચરણમાં મંગોલિયાની ખેલાડી અને તાઈપેની ખેલાડી સામે ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી હતી જ્યારે સેમીફાઈનલમાં પ્રતિદ્વંદ્વી હુનયોન્ગ ઓહ ઈજાના કારણે રિંગમાં ઉતરી શકી નહોતી.

April 18, 2021
corona_india.jpg
1min379

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૧,૨૮,૦૯,૬૪૩ દરદી સાજા થયા હતા અને સાજા થનાર દરદીની ટકાવારી ૮૬.૬૨ ટકા થઇ હતી.

દેશમાં રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ ૨,૬૧,૫૦૦ નવા દરદી નોંધાયા હતા અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૪૭,૮૮,૧૦૯ થઇ હોવાની અને સક્રિય કેસની સંખ્યા ૧૮ લાખથી વધી હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી.

ગત ૩૯ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા ૧૮ લાખથી વધીને ૧૮,૦૧,૩૧૬ની સપાટીએ પહોંચી હતી, જે કુલ કેસના ૧૨.૧૮ ટકા થાય છે.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૧૫૦૧ દરદીનાં મોત થયાં હતાં અને મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૭૭,૧૫૦ થઇ હોવાની ચિંતાજનક માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી. કોરોનાને લીધે મરનાર કુલ દરદીની ટકાવારી ઘટીને ૧.૨૦ ટકા પર પહોંચી હતી. ભારતમાં કોરોનાના દરદીની સંખ્યા ૭ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૨૦ લાખથી વધી હતી, ૨૩ ઑગસ્ટ ૨૦૨૦ના દિવસે ૩૦ લાખથી વધી હતી, પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૪૦ લાખથી વધી હતી, ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૫૦ લાખથી વધી હતી, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના દિવસે ૬૦ લાખથી વધી હતી, ૧૧ ઑક્ટોબર ૨૦૨૦ના દિવસે ૭૦ લાખથી વધી હતી, ૨૯મી ઑક્ટોબરના દિવસે ૮૦ લાખથી વધી હતી અને ૨૦મી નવેમ્બર ૨૦૨૦માં ૯૦ લાખથી વધી હતી અને ૧૯મી ડિસેમ્બર ૨૦૨૦ના દિવસે એક કરોડનો આંક પાર થયો હતો.

આઇએમસીઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૬,૬૫,૩૮,૪૧૬ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા અને એમાંથી ૧૭ એપ્રિલ સુધીમાં ૧૫,૬૬,૩૯૪ સેમ્પલ્સના ટૅસ્ટ કરાયા હતા.

દેશમાં કોરોનાને કારણે રવિવારે મરનાર કુલ ૧૫૦૧ દરદીમાંથી સૌથી વધુ ૪૧૯ દરદી મહારાષ્ટ્રનાં, ત્યાર બાદ છત્તીસગઢનાં ૧૫૮ દરદીનાં, ઉત્તર પ્રદેશનાં ૧૨૦ દરદીનાં, પંજાબના ૬૨ દરદીનાં, કર્ણાટકનાં ૮૦ દરદીનાં અને ગુજરાતનાં ૯૭ દરદીનાં મોત થયાં હતાં.

18/4/21 : India Corona Upates : 2.60 લાખ નવા કેસ

શનિવારે ભારતમાં કોરોનાના વધુ 2,60,810 નવા કેસ નોંધાયા છે, આ પહેલાના દિવસે નોંધાયેલા 2.34 લાખ કેસ કરતા 11.5%નો ઉછાળો એક જ દિવસમાં નોંધાયો છે. આટલો મોટો ઉછાળો દેશમાં પહેલીવાર નોંધાયો છે.

રોજ નોંધાતા મૃત્યુઆંકમાં પણ ઝડપથી વધારો નોંધાઈ રહ્યોછે. 2 ઓક્ટોબરના રોજ મૃત્યુઆંક 1000ને પાર કર્યા હતા, હવે તે આંકડો વધુ 1,493ના મોત સાથે 1500ની નજીક પહોંચ્યો છે. શુક્રવારે પહેલીવાર મૃત્યુઆંક 1300ને પાર ગયો હતો.

જોકે રાહતની વાત એ છે કે પહેલી લહેર દરમિયાન જે રીતે મૃત્યુઆંક નોંધાતા હતા તેના કરતા આ વખતે કુલ કેસની સામે મૃત્યુની ટકાવારી નીચી છે. જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક વધી રહ્યા છે જેના કારણે આગામી સમયમાં આ ટકાવારીમાં ઉછાળો નોંધાશે તેવી આશંકા છે.

19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે જ્યાં એક દિવસના સૌથી વધુ કેસ શનિવારે નોંધાયા છે. જેમાં મહારાષ્ટ્ર 67,123 કેસ સાથે ટોપ પર છે, આ પછી દિલ્હીમાં શુક્રવારે 19,486 કેસ બાદ શનિવારે 24,375 કેસ નોંધાયા છે.

આ સિવાયના રાજ્યોની વાત કરીએ તો તેમાં કર્ણાટકા (17,489), છત્તીસગઢ (16,083), કેરળ (13,835), મધ્યપ્રદેશ (11,269), ગુજરાત (9,541), તામિલનાડુ (9,344), રાજસ્થાન (9,046), બિહાર (7,870), હરિયાણા (7,717), પશ્ચિમ બંગાળ (7,713), પંજાબ (4,498), તેલંગાણા (4,446), ઉત્તરાખંડ (2,757), હિમાચલપ્રદેશ (1,392), પોંડિચેરી (715), લદ્દાખ (245) અને દાદરા અને નગર હવેલી અને દીવ-દમણ (158)નો સમાવેશ થાય છે.

ભારતમાં જે રીતે કોરોનાના કેસનો આંકડો ઊંચો જઈ રહ્યો છે તેની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે. એમ્બ્યુલન્સ માટે, રેમડેસિવિર ઈન્જેક્શન માટે, સ્મશાન માટે વગેરે લાઈનો હવે લોકોને હચમચાવી રહી છે.

મહારાષ્ટ્રમાં 2 ઓક્ટોબર (424) પછી 24 કલાકમાં કોરોનાના કારણે 419 લોકોનો જીવ ગયો છે. દિલ્હીમાં 167 લોકોએ જીવ ગુમાવ્યા છે,જ્યારે છત્તીસગઢમાં 158 અને ઉત્તરપ્રદેશમાં 120ના કોરોનાના કારણે એક જ દિવસમાં મોત થયા છે.