CIA ALERT

ઇન્ડીયા Archives - Page 58 of 215 - CIA Live

June 5, 2021
vaccine-1.jpg
1min440

ઑલ ઈન્ડિયા ઈનસ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)એ તાજેતરમાં કરેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના એપ્રિલ-મે મહિનામાં વૅક્સિન લીધા બાદ કોરોના સંક્રમિત થયેલા વ્યક્તિઓનું મૃત્યુ નથી થયું. એટલે કે, વૅક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેવા વ્યક્તિઓ કોરોના સંક્રમિત થાય છે પણ મૃત્યુ નથી પામતા.

આ અભ્યાસ અનુસાર, દિલ્હીના કોરોના સંક્રમિત દર્દીઓમાં જીનોમ સિક્વન્સીંગ, ઓવરલેપિંગ અને મિરરિંગ પદ્ધતિની મદદથી વેક્સિનના બ્રેકથ્રૂ ઈન્ફેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાં B.1.617.2, B.1.1.7 વેરિયન્ટ મોટાભાગના કેસમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રસીના બન્ને ડોઝ લીધા પછી જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તેને બ્રેક થ્રૂ ઈન્ફેક્શન કહેવામાં આવે છે.

બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના ઘણાં કેસ નોંધાયા હતા, પરંતુ આ દર્દીઓના લક્ષણો સાધારણ હતા. બીમારીની સારવાર દરમિયાન પણ દર્દીની સ્થિતિ ખરાબ નથી થતી અને પાછલા તારણોની સરખામણી વર્તમાન અભ્યાસ સાથે કરવામાં આવે તો રસી લીધેલા કોરોના સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર પણ શૂન્ય જોવા મળ્યો હતો. એઈમ્સ દ્વારા કુલ 63 બ્રેકથ્રૂ ઈન્ફેક્શનના કેસનો જીનો સિક્વન્સિંગની મદદથી અભ્યાસ કરવામાં આવ્યો. તેમાંથી 36 દર્દીઓ રસીનો ડોઝ લઈ ચુક્યા હતા જ્યારે 27થી ઓછા દર્દીઓએ એક જ ડોઝ લીધો હતો. 10 દર્દીઓએ કોવી-શીલ્ડ લીધી હતી જ્યારે 53 દર્દીઓએ કોવેક્સિન લીધી હતી. આમાંથી એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું.

AIIMSએ કરેલ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિને રસી લીધા બાદ કોરોનાનું સંક્રમણ થાય તો તેને સફળ સંક્રમણ માનવામાં આવે છે. ઈન્ડિયા ટૂડેના સમાચાર પ્રમાણે, AIIMSના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, અધિક સંક્રમણના ફેલાવા છતાં વૅક્સિન લેનાર વ્યક્તિમાંથી કોઈપણનું બીમારીથી મૃત્યુ થયું નથી. ૬૩ ટકા સફળ સંક્રમણમમાંથી ૩૬ દર્દીઓને બંન્ને ડૉઝ આપવામાં આવ્યા છે. જ્યારે ૨૭ લોકોને વૅક્સિનનો એક ડોઝ આપવામાં આવ્યો હતો. ૧૦ દર્દીઓને કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો જ્યારે ૫૩ લોકોને કોવૅક્સિન આપવામાં આવી હતી.

June 5, 2021
petrol-diesel-1.jpg
1min659

દેશના 13પ જિલ્લામાં પેટ્રોલનો ભાવ લિટરના રૂ.100ને કૂદાવી ગયો છે. ડીઝલના ભાવ પણ સદી નોંધાવવાની મક્કમ ગતિએ આગળ વધી રહ્યા છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ઇંધણના ભાવોમાં 42 વખત વધારો થયો અને 4 વખત ઘટાડો થયો

સાભાર બિઝનેસ ટુડે

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નાગરિકોને દઝાડી રહ્યા છે. પ રાજ્યની ચૂંટણી વખતે ડામ દેવાનું મોકૂફ રખાયું હતું અને હવે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો દૌર શરૂ થયો છે. વધુ એક વધારા સાથે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે.’

બે દિવસના વિરામ બાદ 4 જૂને પેટ્રોલમાં લિટરે ર6-ર7 પૈસા અને ડિઝલમાં ર6 થી 30 પૈસાનો વધારો કરાયો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ રૂ.94.76 પ્રતિ લિટર, મુંબઈમાં 100.98, કોલકત્તામાં 94.76, ચેન્નાઈમાં 96.ર3ના ભાવે વેંચાયું હતું. કોલકત્તામાં ડિઝલનો ભાવ રૂ.88.પ1 અને ચેન્નાઈમાં રૂ.90.38ને આંબી ગયો હતો.

કટકે કટકે અપાઈ રહેલો ભાવ વધારાનો ડામ અસહ્ય બની ગયો છે. વર્ષ ર0ર1માં અત્યાર સુધીમાં પેટ્રોલમાં લિટરે રૂ.11.0પ વધી ચૂકયા છે. 1 જાન્યુઆરીએ પેટ્રોલનો ભાવ 83.71 હતો જે આજે 94.76 થયો છે. તે જ રીતે ચાલુ વર્ષ ડિઝલ લિટરે રૂ.11.79 મોંઘુ થઈ ચૂકયુ છે. 1 જાન્યુઆરીએ દિલ્હીમાં ડિઝલનો ભાવ 73.87 હતો જે આજે 8પ.66 છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી મોંઘુ રૂ.10પ.80 ના ભાવે પેટ્રોલ વેંચાઈ રહ્યું છે. જે રીતે ભાવ વધી રહ્યા છે તે જોતા ડિઝલ પણ ટૂંક સમયમાં 100ની સપાટીએ પહોંચી જાય તેવી સંભાવના છે. મુંબઈમાં પેટ્રોલ 101 ની નજીક અને ડિઝલ 93ની નજીકના ભાવે વેંચાઈ રહ્યું છે.’

June 5, 2021
bankholiday.jpg
1min464

RBIની ઘોષણા : નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ રોજ ચાલુ રહેશે

બેન્ક હોલિડે હોય અને હપ્તો ભરવામાં મોડું થતાં લેટ ફી ભરવી પડે તો કેવી પીડા થાય… ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) લોકોની આવી પરેશાની દૂર કરવા જઈ રહી છે. હવે તમારે પગાર માટે શનિવાર-રવિવાર અથવા વિકેન્ડ રજા પસાર થવાની રાહ જોવી નહીં પડે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (એનએસીએચ)ના નિયમોમાં બદલાવ કર્યો છે.

એનએસીએચની સુવિધા 1 ઓગષ્ટ, ર0ર1 થી સાતેય દિવસ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે બેંકો ખુલ્લી હોય છે. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર વચ્ચે આ સુવિધા મળતી હોય છે પરંતુ જ્યારે મહિનાની પહેલી તારીખ શનિવાર-રવિવારના સંજોગોમાં પગારદાર વર્ગે પગાર ખાતામાં જમા થાય તે માટે વિકેન્ડ પસાર થવાની રાહ જોવી પડતી હોય છે. બેંક હોલી ડે હોય ત્યારે પગાર મોડો થવાની ચિંતા નહીં રહે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે શુક્રવારે ક્રેડિટ પોલીસીના રિવ્યૂ દરમિયાન એલાન કર્યું કે ગ્રાહકોની સુવિધા વધારવા તથા ર4ડ્ઢ7 ઉપલબ્ધ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે એનએસીએચ જે હાલ બેંકોના કાર્યરત દિવસોમાં ઉપલબ્ધ છે તેને સપ્તાહના તમામ દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે જે 1 ઓગષ્ટ, ર0ર1થી લાગૂ થશે. આ સુવિધાથી સેલેરી, પેન્શન, ઈએમઆઈ કે અન્ય પેમેન્ટ, ક્રેડિટ ટ્રાન્સફર વિકેન્ડમાં પણ થઈ શકશે.

June 4, 2021
juhi.jpg
1min480

બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટેમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જોકે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શુક્રવારે તા.4 જુન 2021ના રોજ કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે.

જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે કહ્યું છે કે અરજી કાયદાકિય સલાહ પર આધારિત હતી જેમાં કોઈ તથ્ય નથી. અરજીકર્તાને પોતાને ખબર ન હતી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી હતી.

June 3, 2021
rain_forecast.png
1min585

કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થવાના સંયોગો સર્જાયા હોવાની આગાહી હવામાન વિભાગે બુધવારે કરી હતી.

એમણે વધુમાં જણાવ્યું હતું કે ઉપગ્રહે મોકલાવેલી તસવીરો પ્રમાણે કેરળ પર વરસાદના વાદળો વધ્યા છે અને અરબી સમુદ્ર પર પશ્ર્ચિમી હવાનું દબાણ વધ્યુ છે. ગુરુવારે કેરળમાં વરસાદની ઋતુ શરૂ થવા માટે જોઇતા હવામાનમાં સુધારો થશે. આ કારણસર કેરળમાં ગુરુવારથી ચોમાસુ શરૂ થશે.કેરળમાં સામાન્ય રીતે ૧લી જૂનથી ચોમાસુ શરૂ થતું હોય છે. અગાઉ હવામાન વિભાગે ૩૧મી મેના દિવસે કેરળમાં ચોમાસાની શરૂઆતની આગાહી કરી હતી. જોકે, એમાં ચાર દિવસ આગળપાછળ થવાની શક્યતા હોય છે, પણ ૩૦મી મેના દિવસે એમણે ફરી આગાહી કરી હતી કે હજુ સમય નથી આવ્યો અને એકાદ દિવસ પછી મોસમની શરૂઆત થશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનો અંદાજ જાહેર કરાયો છે.

June 2, 2021
next-step-copy-1280x851.jpg
1min1026

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતમાં સેન્ટ્રલ બોર્ડ અને સીઆઇએસસીઇ બોર્ડની ધો.12ની તમામ પરીક્ષાઓ રદ કરી આજરોજ તા.2 જુને કહેવાય છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની વાટે ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેશે.

પરીક્ષાઓ રદ કર્યા પછી શું તેની કોઇ ચર્ચા ક્યાંયે થઇ રહી નથી. એટલે www.cialive.in અને શિક્ષણ સર્વદા (વિદ્યાર્થીઓનું અખબાર) અહીં આપના ગાઇડન્સ માટે આ અહેવાલ રજૂ કરી રહ્યા છીએ.

મોટા ભાગના એવા લોકો ખુશ થયા છે કે જેમને ધો.12ના અભ્યાસ સાથે કોઇ લેવાદેવા નથી. શાળાના આચાર્યો, શિક્ષકો અને તેજસ્વી વિદ્યાર્થીઓ પર શું વિતી રહ્યું હશે તેની કોઇને કલ્પના નથી. પરંતુ, કોવિડ-19માં બહુમતિ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાયો છે. એટલે તેને શિરોમાન્ય રાખવો પડે.

હવે શું ?

  • ધો.12નું પરીણામ આંતરિક મૂલ્યાંકનના આધારે તૈયાર થશે એટલે કે ધો.12નું પરીણામ શું આપવું તેનો બધો દારોમદાર સ્કુલો પર, સ્કુલના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પ્રભાવ ધો.12ના પરીણામ પર પડી શકે એમાં બે મત નથી. (www.cialive.in)
  • ધો.12ના પરીણામ પર ધો.11 અને ધો.10ના પરીણામનો પણ પ્રભાવ હશે.
  • ધો.12નું પરીણામ 99 ટકા જેટલું આવી શકે. કેમકે ધો.11માં બહુ ઓછા વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોય છે. (www.cialive.in)
  • કોલેજોમાં દરેક કોર્સમાં બેઠકો વધારવી પડે તેવી સ્થિતિ સર્જાશે. સોલિડ કોર્સ કન્ટેન્ટ ધરાવતા કોર્સની ડીમાંડ વધશે. કોલેજોમાં એડમિશન્સ માટે ભારે ધસારો થશે
  • કોલેજ એડમિશન્સ હવે મોટા ભાગે એન્ટ્રન્સ ટેસ્ટ (પ્રવેશ પરીક્ષાઓ) પર આધારિત હશે. પ્રવેશ પરીક્ષાઓ મોટા ભાગે (www.cialive.in) મેડીકલ, પેરામેડિકલ કોર્સ અને પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં યોજાય છે, એટલે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધસારો જોવા મળશે. (cialive.in)
  • ગુજરાતમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ જેમાં ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર, ડિપ્લોમા ઇજનેરી વગેરેની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 50 ટકા મેનેજમેન્ટ ક્વોટા આપવામાં આવ્યો છે, આ કોલેજોમાં ક્યાં તો પ્રવેશના નિયમો બદલાશે અગર તો સંચાલકોને બખ્ખાં થઇ જશે. (www.cialive.in)

એન્ટ્રસ્ટ ટેસ્ટથી પ્રવેશ લેનારાઓની સંખ્યા વધશે

જુદી જુદી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તેમજ એન્જિનિયરિંગ અને મેડીકલ-પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટે હાલ પ્રવેશ પરીક્ષાઓ લેવાય છે. અહીં ધો.12ના માર્કસ ફક્ત લાયકાત (એલિજિબિલીટી) તરીકે જ ગણવામાં આવે છે. મેરીટ માટે પ્રવેશ પરીક્ષાનો સ્કોર ગણતરીમાં લેવામાં આવે છે. આવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધશે.

તેજસ્વી અને સમજદાર વિદ્યાર્થીઓ કોરોનાકાળ હળવો થયા પછી પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવશે

જે વિદ્યાર્થીઓ તેજસ્વી છે અને જેમણે વિદેશ અભ્યાસ માટે જવું છે તેવા વિદ્યાર્થીઓ આંતરિક મૂલ્યાંકનના આધારે ભલે કોલેજમાં પ્રવેશ મેળવી લેશે, પરંતુ, આવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ કોરોનાકાળ હળવો થયા પછી લેવાનારી વૈકલ્પિક પરીક્ષા આપવાનો વિકલ્પ અપનાવીને પોતાની મહેનતના આધારે માર્કશીટ મેળવવાનો પ્રયત્ન કરશે. (www.cialive.in)

June 1, 2021
gst.jpg
1min429

મે મહિના માટેના જીએસટીના માસિક સૅલ્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પંદર દિવસ લંબાવીને ૨૬ જૂન ૨૦૨૧ સુધી કરી હોવાની જાહેરાત સરકારે સોમવારે કરી હતી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ૨૮મી મેના દિવસે યોજાયેલી બેઠકમાં કોવિડ-૧૯ને ધ્યાનમાં લઇને અમુક સવલતો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટૅક્ષિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી સવલતો વિશે ટ્વિટર પર માહિતી આપી હતી.

મે ૨૦૨૧ માટે જીએસટીઆર-૧ ફોર્મ રજૂ કરવાની તારીખ પંદર દિવસ માટે લંબાવવામાં આવી છે. હવે એ ભરવાની અંતિમ તારીખ ૨૬મી જૂન ૨૦૨૧ છે.

કોમ્પોઝીશન ડિલર્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટેના વાર્ષિક રિટર્ન (જીએસટીઆર-૪) ભરવાની તારીખ કાઉન્સિલે ત્રણ મહિના માટે લંબાવી છે અને હવે એ ૩૧મી જુલાઇ ૨૦૨૧ સુધી ભરી શકાશે.

કંપનીઝ ઍક્ટ હેઠળ નોંધાયેલા કરદાતાઓને જીએસટી રિટર્ન ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટને બદલે ઇવીસી દ્વારા ૩૧મી ઑગસ્ટ ૨૦૨૧ સુધી ભરવાની સવલત આપવામાં આવી છે. 

June 1, 2021
gdp.jpg
1min539

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતીય અર્થતંત્રનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી) માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં અર્થતંત્રનો વિકાસ ૧.૬ ટકા થયો હતો. એક વર્ષ અગાઉ ૨૦૨૦ના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૩ ટકા જીડીપી વિકાસદર નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯-૨૦માં ચાર ટકા વિકાસ થયો હતો જેની સરખામણીમાં વર્ષ ૨૦૨૦-૨૧માં વિકાસ દર ઘટીને માઇનસ ૭.૩ ટકા નોંધાયો હતો. કોવિડ મહામારીને પગલે લૉકડાઉન સહિતના નિયંત્રણો લાદવામાં આવતા વિકાસ દર સંકોચાયો હતો.

દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ ગ્રોસ ડોમોસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી)ના ૯.૩ ટકા (૧૮,૨૧,૪૨૬ કરોડ રૂપિયા) થઇ છે. કંટ્રોલર જનરલ ઑફ અકાઉન્ટ્સ (સીજીએ)એ વર્ષ ૨૦૨૦-૨૧ માટેની કેન્દ્ર સરકારના મહેસૂલ ખર્ચની વિગતો જાહેર કરી હતી. વર્ષ ૨૦૨૦-૨૧માં રાજકોષીય ખાધ જીડીપીના ૭.૪૨ ટકા જેટલી નોંધાઇ છે.

વર્ષ ૨૦૧૯-૨૦માં મહેસૂલી આવકમાં ઘટાડો થવાને પગલે નાણાકીય ખાધ જીડીપીના ૪.૬ ટકા જેટલી થઇ હતી. વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપીના ૩.૫ ટકા (રૂપિયા ૭.૯૬ લાખ કરોડ)નો અંદાજ સરકારે બજેટમાં રજૂ કર્યો હતો.

May 31, 2021
breaking_CIA-1280x831.jpg
1min802

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ICMAI ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાની જૂન 2021માં નિર્ધારિત કરાયેલી ફાઉન્ડેશન, ઇન્ટરમિડીએટ અને ફાઇનલ્સની પરીક્ષાઓને મુલતવી રાખી દેવાનું નોટીફિકેશન આજરોજ તા.31મી મે 2021ના રોજ બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓનું નવું સમયપત્રક સમયસર વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે.

કોવીડ-19 પેન્ડેમિકને કારણે દેશના અનેક રાજ્યોમાં હજુ લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી હોઇ, અનેક જિલ્લાઓમાં પરીક્ષા લઇ શકાય તેવી સ્થિતિ નથી. આથી જૂન 2021ની ICMAIના ત્રણેય સ્તર ફાઉન્ડેશ, ઇન્ટરમિડિએટ અને ફાઇનલ્સની પરીક્ષાઓ મૌકુફ રાખી દેવામાં આવી છે.

May 30, 2021
FDI.jpg
1min472

દેશમાં વિદેશી રોકાણ મુદ્દે સિંગાપોરે સતત ત્રીજા નાણાકીય વર્ષમાં ૧૭.૪૧ અબજ ડોલર રોકાણ સાથે ટોચનુ સ્થાન જાળવી રાખ્યુ છે. જ્યારે બીજા ક્રમે મોરિશિય્સનુ સ્થાન અમેરિકાએ લીધુ છે. ૨૦૨૦-૨૧ દરમિયાન અમેરિકાએ ૧૩.૮૨ અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે.

Foreign Direct Investment | Types of FDI | Advantages and Disadvantages

ડીપીઆઈઆઈટી દ્રારા જારી આંકડાઓ અનુસાર, ગત નાણાકીય વર્ષમાં મોરિશિય્સે ભારતમાં ૫.૬૪ અબજ ડોલરનુ રોકાણ કર્યુ હતું. જ્યારે યુઈએ દ્રારા ૪.૨ અબજ ડોલર, સાયમન આઈલેન્ડમાંથી ૨.૭૯ અબજ ડોલર, નેધરલેન્ડમાંથી ૨.૭૮ અબજ ડોલર, યુકેમાંથી ૨.૦૪ અબજ ડોલર, જાપાનમાંથી ૧.૯૫ અબજ ડોલર, જર્મનીમાંથી ૬૬૭ મિલિયન ડોલર અને સાયપ્રસમાંથી ૩૮૬ મિલિયન ડોલરનુ રોકાણ નોંધાયુ છે.

આ સાથે ૨૦૨૦-૨૧માં એકંદરે કુલ વિદેશી સીધુ રોકાણ ૧૯ ટકા વધી ૫૯.૬૪ અબજ ડોલર થયુ છે. વિદેશી રોકાણમાં વૃદ્ધિ પાછળ સરકારની સુધારાત્મક નીતિઓ જબાવદાર છે. ૨૦૨૦માં કોવિડ મહામારી બાદ સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે નીતિઓમાં પ્રોત્સાહક સુધારા કર્યા હતા. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના નિયમોમાં પણ રાહતો આપી હતી. જેના પગલે વિદેશી રોકાણ સતત વધી રહ્યુ છે. ઈક્વિટી, રિ-ઈન્વેસ્ટેડ આવકો અને મૂડી સહિત કુલ એફડીઆઈ ૨૦૧૯-૨૦માં ૭૪.૩૯ અબજ ડોલર સામે વધી ૨૦૨૦-૨૧માં ૮૧.૭૨ અબજ ડોલર નોંધાયુ છે.

૨૦૨૦-૨૧માં કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં સૌથી વધુ ૨૬.૧૪ અબજ ડોલરનુ વિદેશી રોકાણ જોવા મળ્યુ છે. જ્યારે કંસ્ટ્રક્શન-ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટમાં ૭.૮૭ અબજ ડોલર, સર્વિસ સેક્ટરમાં ૫ાંચ અબજ ડોલરનુ રોકાણ નોંધાયુ છે.