CIA ALERT

ઇન્ડીયા Archives - Page 59 of 215 - CIA Live

May 30, 2021
coronavictims.jpg
3min627

ભાજપના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર બીજી મુદતનું બીજું વરસ પૂરી કરી રહી હોવાની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર બાળકોના કલ્યાણ માટે અનેક પગલાંઓની જાહેરાત કરી હતી જેમાં તેમને શિક્ષણ આપવા સહિત તેઓ ૧૮ વર્ષના થાય ત્યારે તેમને રૂ. ૧૦ લાખનું કૉર્પસ આપવાનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે માતાપિતાને ગુમાવનાર બાળકોને મદદરૂપ થવા લેવામાં આવનારાં સંભવિત પંગલાંઓ અંગે ચર્ચા કરવા યોજાયેલી બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા મોદીએ કહ્યું હતું કે ‘પીએમ કેર્સ ફૉર ચિલ્ડ્રન’ યોજના અંતર્ગત આવા બાળકોને મદદ કરવામાં આવશે. પ્રાઈમ મિનિસ્ટર્સ ઑફિસ (પીએમઓ) દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આવા બાળકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ખોલવામાં આવશે.

વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી યોજના અંતર્ગત પીએમ કેર્સ ફંડ મારફતે યોગદાન આપી આવું પ્રત્યેક બાળક જ્યારે ૧૮ વર્ષનું થશે ત્યારે તેના માટે રૂ. ૧૦ લાખનું કૉર્પસ ઊભું કરવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આ કૉર્પસનો ઉપયોગ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસના સમયગાળા દરમિયાન તેની અંગત જરૂરિયાત પૂરી કરવા માટે પાંચ વર્ષ સુધી તેને માસિક આર્થિક સહાય કે સ્ટાયપન્ડ આપવા ઉપયોગમાં લેવામાં આવશે.

બાળક ૨૩ વર્ષનું થયા બાદ અંગત કે વ્યાવસાયિક ઉપયોગ માટે આ કૉર્પસની રકમ તેને આપવામાં આવશે.

આ જાહેરાત કરતી વખતે મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

સરકાર તેમની સુરક્ષા અને સહાય માટે બનતું બધું જ કરશે જેથી કરીને આ બાળકો દેશના સશક્ત નાગરિકો બને અને તેમનું ભવિષ્ય ઉજળું રહે, એમ તેમણે કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે કટોકટીના આવા સમયમાં એક સમાજ તરીકે બાળકોની કાળજી લઈ તેમનામાં ઉજળા ભવિષ્યની આશાનું નિરુપણ કરવું એ આપણી ફરજ છે.

તમામ બાળકો જેમણે કોરોનાને કારણે માતાપિતા કે તેમને દત્તક લેનાર પાલક માતાપિતા બંને ગુમાવ્યા હોય તેમને આ યોજના હેઠળ સહાય આપવામાં આવશે એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

આવા બાળકોના શિક્ષણ અંગે લેવામાં આવનારાં પગલાં પર ભાર મૂકતાં તેમણે કહ્યું હતું કે ૧૦ વર્ષથી નાના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય કે ખાનગી શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

૧૧થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોને સૈનિક સ્કૂલ, નવોદયા વિદ્યાલય જેવી કેન્દ્ર સરકારની કોઈપણ શાળામાં ઍડમિશન આપવામાં આવશે.

જો બાળકને ખાનગી સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો હશે તો રાઈટ ટૂ ઍજ્યૂકેશન ઍક્ટની જોગવાઈ મુજબ તેની ફી, સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો અને નૉટબુકનો ખર્ચ પીએમ કૅર ફંડમાંથી આપવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

હાલના નિયમાનુસાર ઉચ્ચ શિક્ષણ માટે આવા બાળકોને ભારતમાં પ્રોફેશનલ કૉર્સ કે ઉચ્ચ શિક્ષણ માટે ઍજ્યૂકેશન લૉન મેળવવામાં પણ મદદ કરવામાં આવશે અને તેનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ભરવામાં આવશે.

વિકલ્પરૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ વૉકેશનલ કૉર્સ કે અન્ડર ગ્રૅજ્યૂએટ કૉર્સની ટ્યૂશન ફીના પ્રમાણમાં સ્કૉલરશિપ આપવામાં આવશે.

આવા તમામ બાળકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના તેમ જ આયુષમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ પણ આપવામાં આવશે.

આ બાળકો ૧૮ વર્ષના થાય ત્યાં સુધી વીમાનું પ્રીમિયમ પીએમ કેર ફડમાંથી ભરવામાં આવશે.

કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં ૫૭૭ બાળક અનાથ થયા છે, એમ મહિલા અને બાળવિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું. (એજન્સી)

આશ્રિતોને પૅન્શન અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોવિડ-૧૯ને લીધે મરણ પામેલાના આશ્રિતોને પૅન્શન આપવા સહિત જે કુટુંબની કમાતી વ્યક્તિનું મરણ કોરોનાને કારણે થયું હોય એવા કુટુંબોને મદદરૂપ થાય એવા અનેક પગલાંની જાહેરાત શનિવારે કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફૅમિલી પૅન્શનની ઉપરાંત ઍમપ્લોયી ડિપોઝિટ-લિંક્ડ ઇન્સ્યુરન્સ (ઇડીએલઆઇ) યોજનાને વધુ ઉદાર અને વિસ્તારીત કરાઇ છે. આ પગલાં એવા કુટુંબોની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે. મોદીએ જણાવ્યું હતું કે મારી સરકાર આવા કુટુંબોની સહાયતા માટે એમની પડખે ઊભી છે. આવા કુટુંબો ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એ માટે ઇએસઆઇસી પૅન્શન યોજનાને કોવિડને કારણે મરણ પામેલી વ્યક્તિઓ માટે પણ વિસ્તારીત કરાઇ હોવાની વાત પીએમઓ કાર્યાલયે જણાવી હતી.

આવી વ્યક્તિના આશ્રિતો સરેરાશ મેળવતા દૈનિક વેતનના ૯૦ ટકા જેટલું પૅન્શન મેળવી શકશે. આ યોજનાનો લાભ ૨૪મી માર્ચ ૨૦૨૦થી ૨૪મી માર્ચ ૨૦૨૨ સુધીના આવા બધા જ કેસ માટે અમલમાં રહેશે.

ઇડીએલઆઇ વીમાના લાભ વધારવાનો લાભ કોરોનાને લીધે મરણ પામેલા કર્મચારીઓના કુટુંબીઓને મળશે. વીમાના મહત્તમ લાભની રકમ છ લાખ રૂપિયાથી વધારીને સાત લાખ રૂપિયા કરવામાં આવી છે અને ઓછામાં ઓછી રકમ અઢી લાખ રૂપિયા ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૦થી ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

પીએમઓ કાર્યાલયે વધુમાં જણાવ્યું હતું કે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ વિશેની વિસ્તૃત માહિતી જાહેર કરશે. (પીટીઆઇ)

ડેટા અપલોડ થશે

નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)એ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાની મહામારીમાં માતાપિતા બંને અથવા માતાપિતામાંથી એક જણ ગુમાવનાર બાળકોનો ડેટા એમના પોર્ટલ પર અપલોડ કરવા જણાવ્યું છે.

મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન સ્મૃતિ ઇરાનીએ મંગળવારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગત એક એપ્રિલથી પચીસ માર્ચ સુધીના રિપોર્ટના આધારે જણાવ્યું હતું કે દેશભરમાં ૫૭૭ બાળકો અનાથ થયા હતા. સુપ્રીમ કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લા

અધિકારીઓને બાળ સ્વરાજ પોર્ટલ પર કોવિડ કેર લિંક હેઠળ ૨૪ કલાકની અંદર અનાથ બાળકોનો ડેટા ભરવાનો આદેશ આપ્યાના એક દિવસ બાદ સર્વોચ્ચ બાળ અધિકાર સંસ્થા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

બાળ સ્વરાજ એ એનસીપીસીઆરનું ઓનલાઇન ટ્રેકીંગ પોર્ટલ છે જે સુરક્ષા અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો પર ધ્યાન આપે છે. (પીટીઆઇ)

તમિળનાડુ સરકાર

₹ પાંચ લાખ આપશે

ચેન્નઇ: તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનારા બાળકો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની શનિવારે જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર ગ્રેજ્યુએશન સુધી તેમના શિક્ષણ અને છાત્રાલયનો ખર્ચ ઉઠાવશે. માતા અને પિતામાંથી એક ગુમાવનારા બાળકોને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. એમ. કે. સ્ટાલિનની એઅધ્યક્ષતાવાળી બેઠકમાં

બાળકોના ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે તેમને આજીવિકા માટે મદદરૂપ થશે. બાળકો ૧૮ વર્ષના થાય ત્યાર પછી જમા કરેલી રકમ વ્યાજની રકમ સાથે બાળકને આપવામાં આવશે. સરકારી મકાનોમાં આ બાળકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

તમિળનાડુ સરકારે માતાપિતા ગુમાવનારા બાળકોની દેખરેખ માટે ટાસ્ક ફોર્સની રચના કરી છે.

આસામ સરકાર નાણાકીય સહાયતા કરશે: સીએમ

ગુવાહાટી: કોવિડ-૧૯ને લીધે અનાથ થયેલા દરેક બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચ માટે આસામ સરકાર એમનાં વાલીઓને દર મહિને બાળકદીઠ રૂ. ૩૫૦૦ની નાણાકીય સહાયતા કરશે.

આસામના મુખ્ય પ્રધાન હિમંતા સર્માએ આ જાહેરાત કરવા સાથે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે જે બાળકોનું કોઇ સગું નહીં હોય એમને આશ્રમશાળા

અથવા એવી સંસ્થામાં મોકલવામાં આવશે અને એમનો બધો ખર્ચ સરકાર ઉઠાવશે.

કોરોનાના રોગચાળાને લીધે જે બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા છે, એ બધા આગળ જઇને પગભર થઇ શકે એ માટે એમને કુશળતા કેળવી શકાય એવા તાલીમ આપવામાં આવશે.

આ માટે રવિવારે મુખ્ય પ્રધાનની શીશુ સેવા યોજના અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

May 29, 2021
iai.jpg
12min1619

Jayesh Brahmbhatt 98253 44944

કારકિર્દીઓમાં વિશ્વભરમાં જેને કરોડોની આવક રળી આપતા વ્યવસાયિક તરીકે ગણવામાં આવે છે એ એક્ચ્યુરીઝ સર્ટિફિકેશન અભ્યાસ માટે ભારતમાં ધો.12 પાસની મુદત ઘટાડીને ચાલુ વર્ષ 2021 માટે ધો.11 કરી દેવામાં આવી છે. એક્ચ્યુરીઝ અભ્યાસક્રમ સી.એ., સી.એસ. જેવા અભ્યાસક્રમો કરતા કઠીન માનવામાં આવે છે અને ધો.11 સાયન્સ, આર્ટસ, કોમર્સ કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ એક્ચ્યુરીઝની પ્રવેશ પરીક્ષા ACET (Acturial Common Entrance Test એસેટ 2021 આપીને તેનો અભ્યાસ ઘરે બેઠા કરી શકે છે. સી.એ., CA, સીએસ CS, સીએમએ CMA ની જેમ એક્ચ્યુરીઝ અભ્યાસમાં જોડાવા સાથે કોઇપણ વિદ્યાર્થી અન્ય રેગ્યુલર ડિગ્રીમાં અભ્યાસ કરી શકે છે.

કોરોના પેન્ડેમિકને કારણે ધો.12માં પરીક્ષાઓનું કોઇ ઠેકાણું ન હોઇ, એક્ચ્યુરીઝ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટે એસેટ પરીક્ષાની લાયકાત ધો.11 કરી દીધી છે.

અત્યંત કઠીન છે અને કદાચ 90 ટકા લોકોને આ કોર્સ કે તેની શક્તિ વિશે ખબર પણ નહીં હોય

એક્ચ્યુરીઝ અભ્યાસ એ વિશ્વભરમાં સૌથી વધુ આવક રળી આપતો કોર્સ નહીં પણ સ્કીલ કહી શકાય. રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સીયલ મેનેજમેન્ટ ટૂંકમાં એક્ચ્યુરીઝનું કામ analyzes the financial consequences of risk જોખમના નાણાકીય પરિણામોનું વિશ્લેષણ કરવાનું છે. એક્ચુયરીઝનો સ્ટાર્ટીંગ સેલેરી કહો કે મહેનતાણું વાર્ષિક રૂ.1 કરોડથી શરૂ થઇ શકે જો એ સંપૂર્ણ પણે સ્કીલ્ડ એક્ચ્યુરીઝ હોય. એક્ચ્યુરીઝ બનવું સહેલું નથી, કદાચ સી.એ., સીએસ કે સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી શકાય પરંતુ, એક્ચ્યુરીઝ બનવા માટે અત્યંત કઠોર પરિશ્રમ જરૂરી છે.

ACET (Acturial Common Entrance Test એસેટ 2021 મહત્વની તારીખો

ધો.11 કે તેને સમકક્ષ કોઇપણ પ્રવાહના વિદ્યાર્થીઓ ફક્ત આ વર્ષ પૂરતું ACET (Acturial Common Entrance Test એસેટ 2021 પરીક્ષા આપી શકશે

ACET (Acturial Common Entrance Test એસેટ 2021 વધુ વિગતો (ફી ફક્ત રૂ.3000)

Actuarial Common Entrance Test (ACET)

“Actuarial Common Entrance Test” is applicable to the candidates who plan to enroll as student member of the Institute of Actuaries of India and wish to take actuarial examinations.

Eligibility Criteria:

Any candidate studying for
• 10+2
• Finance, or any other stream, but you have love for Mathematics and skills in Numeracy.
• Mathematical Sciences: Maths, Statistics, Econometrics or any other.
• Engineering.
• Management.
• Chartered Accountant, Cost Accountant or a Company Secretary.

Note:
1. ACET Examination is conducted only in India
2. ACET result is valid for 3 years from the date of declaration of the exam result for taking student membership of IAI.

Structure of ACET Examination:

Institute of Actuaries of India had started conducting its Entrance Exam which is ACET from January 2012.

Institute has started conducting ACET examination in Home Based Online Format with effect from October 2020.

1. ACET is a 3 hour, 100 marks online exam which has 70 multiple choice questions with one correct answer for each question.

2. The distribution of questions will be:

a. 45 questions – 1 mark each
b. 20 questions – 2 marks each
c. 05 questions – 3 marks each

3. The Allocation of Marks will be as under:

a. Mathematics – 30 marks
b. Statistics – 30 marks
c. Data Interpretation – 15 marks
d. English – 15 marks
e. Logical Reasoning – 10 marks

4. ACET will be conducted in a single day with one slot.

5. There will not be any negative marking for incorrect answers.

Pass mark for ACET Examination is 50%.

બધાનું ગજુ નથી, આ સિલેબસ છે એસેટ પરીક્ષા માટે

Syllabus:

Syllabus for ACET Examination will include the following

1) Mathematics

a) Notation and standard functions
b) Numerical Methods
c) Algebra
d) Differentiation
e) Integration
f) Vectors
g) Matrices

2) Statistics

a) Permutations and combinations
b) Types of data
Statistical diagrams, bar chart, histogram, dot plot, stem-and-leaf, boxplot
c) Measures of location
mean, median, mode
d) Measures of spread
range, interquartile range, standard deviation, variance, Skewness
e) Probabilities
basic rules of probabilities
f) Advanced probabilities
tree diagrams, conditional probabilities
g) Discrete random variables
definitions, probabilities, mean, mode, median, standard deviation, variance, coefficient of skewness
h) Continuous random variables
definitions, probabilities, mean, mode, median, standard deviation, variance, coefficient of skewness
i) Discrete distributions
discrete uniform, Bernoulli, binomial, Poisson
j) Continuous distributions
continuous uniform, exponential, the normal distribution
k) Correlation
scatter plots, covariance, correlation coefficient
l) Regression

3) English

a) Vocabulary Based (Synonyms Antonyms)
b) English Usage or Grammar
c) Sentence Correction
d) Fill in the blanks
e) Cloze Passage
f) Analogies or Reverse Analogies
g) Jumbled Paragraph
h) Meaning-Usage Match
i) Summary Questions
j) Verbal Reasoning
k) Facts / Inferences / Judgements
l) Reading Comprehension

Vocabulary: Vocabulary questions test the candidate’s knowledge of the primary meanings of words, secondary shades of meaning, usage, idioms and phrases, antonyms, related words, etc.

Grammar: Grammar-based questions test the candidate’s ability to spot and correct grammatical errors. It should generally tests knowledge of high school level grammar and includes areas like subject-verb agreement, use of modifiers, parallel construction, redundancy, phrasal verbs, use of articles, prepositions, etc.

Verbal Reasoning: Verbal reasoning questions are designed to test the candidate’s ability to identify relationships or patterns within groups of words or sentences.

4) Data Interpretation

Data is given in form of tables, charts and graphs. In this section it is tested that how can you interpret the given data and answers the questions based on it.

a) Tables
b) Column Graphs
c) Bar Graphs
d) Line Charts
e) Pie Chart
f) Venn Diagrams
g) Caselets
Combination of two or more types linked to each other.

5) Logical Reasoning

a) Number and Letter Series
b) Calendars
c) Clocks
d) Cubes
e) Venn Diagrams
f) Binary Logic
g) Seating Arrangement
h) Logical Sequence
i) Logical Matching
j) Logical Connectives
k) Syllogism
l) Blood Relations

Reference Books for ACET Examination:

Note: The reference books are for guidance purpose and they may or may not cover the given ACET syllabus.

1. TOMATO (Test Of Mathematics at Ten plus Two level published by ISI)
2. How to Prepare for Verbal Ability and Reading Comprehension for CAT by Arun Sharma and Meenakshi Upadhyay, Mc Graw Hill
3. How to prepare for Quantitative Aptitude for the CAT Editor: Arun Sharma
4. Quantitative Aptitude for Competitive Examinations Editor: Abhijit Guha
5. The Pearson and Guide to Verbal Ability and Logical Reasoning for the CAT Editor: Nishit K. Sinha
6. Quantitative Aptitude for MBA Entrance Examinations Editor: R.S. Aggarwal
7. High School English Grammar and Composition- Wren and Martin
8. Word Power Made Easy Editor: Norman Lewis
9. Problem Solving Strategies Editor: Arthur Engel
10. Challenge and Thrill of Pre-College Mathematics by New Age International Publishers
11. Challenging Mathematical Problems with Elementary Solutions Editors: A.M. Yaglom and I.M. Yaglom
12. An Excursion in Mathematics Editors: M. R. Modak, S. A. Katre, V. V. Acharya, V. M. Sholapurkar
13. Problem Primer for the Olympiad Editors: C R Pranesachar, B J Venkatachala, C S Yogananda
14. Trishna’s Data Interpretation and Logical Reasoning for the CAT and other MBA Entrance Examinations
15. ACTED Study Material – FAC and STATS PACK

Note: Validity of ACET results is only for three years from the date of declaration of exam result for taking student membership of IAI.

આ છે માળખું એક્ચુયરીઝ સર્ટિફિકેશન કોર્સનું, પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી

May 29, 2021
WTC.jpg
1min395

આઇસીસીએ 28/5/2021 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પટન ખાતે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની મેચ કન્ડીશન જાહેર કરતા સ્પષ્ટ કર્યું છે કે મેચ ડ્રો કે ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને સંયુકત વિજેતા જાહેર કરાશે. 18થી 22 જૂન દરમિયાન રમાનાર આ ફાઇનલ મેચ માટે કોઇ કારણોસર સમય બગડવાની સ્થિતિમાં સુરક્ષિત દિવસની વ્યવસ્થા કરી છે. જે અનુસાર 23 જૂન સુરક્ષિત દિવસ ગણાશે. આઇસીસીએ એમ પણ કહ્યંy કે આ બન્ને ફેંસલા જૂન 2018માં ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કર્યાં પહેલા જ લેવામાં આવ્યા હતા. સુરક્ષિત દિવસનો ઉપયોગ કોઇ કારણોસર જો મેચ અટકી ગયો હોય તો તેની ભરપાઇ માટે કરવામાં આવશે. નિર્ધારિત પાંચમા દિવસે ડ્રોની સ્થિતિમાં વધારાનો ઉપયોગ થશે નહીં. એટલે કે ફાઇનલ મેચ ફાઇટ ટૂ ફિનિશ નથી. ડ્રો અને ટાઇના પરિણામ પણ આવી શકે છે અને આવી સ્થિતિમાં બન્ને ટીમ ટ્રોફીની હકદાર બનશે.

મેચ દરમિયાન આઇસીસી રેફરી મીડિયાને અને બન્ને ટીમને બતાવશે કે સુરક્ષિત દિવસનો ઉપયોગ કયારે અને કેવા સંજોગોમાં થશે. ભારતીય ટીમ તેના ઘરેલુ મેચો એસજી બોલથી અને ન્યુઝીલેન્ડની ટીમ કુકાબુરા બોલથી રમે છે, પણ ફાઇનલ મેચ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડમાં ડયૂક બોલનો જ ઉપયોગ થાય છે. ફાઇનલમાં શોર્ટ રન, ડીઆરએસના નવા નિયમ પણ લાગુ રહેશે.

May 28, 2021
Free-vaccinee-1280x720.jpg
1min375

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ કે. પૉલે માહિતી આપી હતી કે ભારત સરકાર વૅક્સિનનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરી રહી છે. વૅક્સિનના કુલ ઉત્પાદનના ૨૫ ટકા રાજ્યોને આપવામાં આવે છે. એટલું જ નહીં, ચાર નવી વૅક્સિન ભારતમાં આવી રહી છે. ડૉ. પોલે કહ્યું હતું કે રાજ્યો જાણે છે કે ભારતમાં કેટલી રસીનું ઉત્પાદન થાય છે. રસીના કુલ ઉત્પાદનના ૫૦ ટકા કેન્દ્ર લઈ લે છે જે રાજ્યોને ૪૫થી વધુ ઉંમરના લોકો માટે મફતમાં વૅક્સિન આપવા માટે આપે છે. બાકીના ૫૦ ટકા રાજ્યો અને પ્રાઇવેટ હૉસ્પિટલો ખરીદે છે.વૅક્સિનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે એ વાતને ખોટી ગણાવતાં ડૉ. પૉલે કહ્યું હતું કે ‘કઈ ઉંમરના લોકોને વૅક્સિન આપવી એ નક્કી કરવાનું કામ રાજ્યોને સોંપવામાં આવ્યું છે. સરકારે દરરોજ ૧ કરોડ લોકોને વૅક્સિન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે થોડા દિવસોમાં પૂરો પણ થશે. હાલમાં ૪૩ લાખ લોકોને દરરોજ વૅક્સિન આપીએ છીએ.

‘કેન્દ્ર સરકાર બાળકોના રસીકરણ માટે કોઈ પગલાં નથી લઈ રહી’ આવી વાતો પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ‘હાલમાં વિશ્વનો કોઈ પણ દેશ બાળકોને રસી આપી નથી રહ્યો તેમ જ ડબ્લ્યુએચઓએ પણ બાળકોને રસી આપવાની ભલામણ નથી કરી. જોકે અભ્યાસ પરથી જણાયું છે કે બાળકોને વૅક્સિન આપવા પર અભ્યાસ હાથ ધરાયો છે, જેના પરિણામ ખૂબ જ પ્રોત્સાહક રહ્યાં છે.’ ભારતમાં થોડા જ દિવસોમાં બાળકો પર પરીક્ષણ કરવામાં આવશે , પરંતુ બાળકોને રસી આપવાનો નિર્ણય વૉટ્સઍપ પર ફેલાવવામાં આવેલા ગભરાટને કારણે અને કેટલાક રાજકીય પક્ષો આ બાબત પર રાજકારણ કરવા માગતા હોવાથી ન લેવો જોઈએ.

May 27, 2021
toll_plaza.jpg
1min403

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ 26/5/21 બુધવારે જણાવ્યું હતું કે ટૉલપ્લાઝા ખાતે વાહનોએ પીક અવર્સદરમિયાન વાહન દીઠ ૧૦ સેક્ધડથી વધુ સમય રાહ ના જોવી પડે એ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

એનએચએઆઇએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને કારણે વાહનોનો પ્રવાહ સરળ અને સુલભ બનશે.

ફાસ્ટૅગ સિસ્ટમના સંપૂર્ણ અમલીકરણ બાદ દેશના ટૉલપ્લાઝા પર વાહનોની લાંબી લાઇન હવે ભૂતકાળનો વિષય બની ગઇ છે, એની નોંધ કરતા એનએચએઆઇએ જણાવ્યું હતું કે જો કોઇ પણ કારણસર ટૉલબુથથી ૧૦૦ મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન હોય તો જ્યાં સુધી લાઇન ૧૦૦ મીટરથી ઓછી ના થાય ત્યાં સુધી વાહનોને ટૉલ ભર્યા વિના જવા દેવામાં આવશે.

આ માટે ટૉલબુથ પર ૧૦૦ મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, જે જોઇને ટૉલપ્લાઝા ઑપરેટરોને તેમની જવાબદારીનું ભાન થશે.

May 27, 2021
whatsapp.jpg
1min404

વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.

વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.

અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.

વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.

સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.

દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.

May 27, 2021
yaas.jpg
2min402

૧૩૦-૧૪૫ની ઝડપે ફૂંકાતા પવન સાથે યાસ વાવાઝોડાએ બંગાળ, ઓડિશા સહિત પૂર્વભારતનાં કિનારાઓ પર બુધવારે ત્રાટક્યા બાદ વીસ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું અને બંને રાજ્યમાં મળીને ચાર જણે પોતાના જીવ ગુમાવ્યા હતા.

સવારે અંદાજે નવ વાગ્યે વાવાઝોડું ઓડિશાના ધામરા બંદર નજીક જમીન પર ત્રાટક્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં અનેક કાચા ઘરો પાણીના જોરદાર વહેણ સાથે તણાયા હતા.

ઓડિશામાં ૫.૮ લાખ અને પં. બંગાળમાં પંદર લાખ મળીને કુલ વીસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વાવાઝોડું પોતાની સાથે બંને રાજ્યોમાં ૧૩૦-૧૪૫ની ઝડપે સૂસવાટા મારતો પવન અને અતિભારે વરસાદ લાવ્યો હતો.

બંગાળની સરકારે વાવઝોડાને લીધે એક કરોડ લોકોને અસર થઇ હોવાનો દાવો કર્યો હતો.

બાલેશ્ર્વર જિલ્લાના બહાનાગા અને રેમુના બ્લૉક્સ તથા ભદ્રક જિલ્લાના ધામરા અને બાસુદેવપુરના અનેક ગામોમાં સમુદ્રના પાણી પ્રવેશ્યા હોવાની અને પ્રશાસન સ્થાનિકોની મદદથી સમુદ્રનું પાણી બહાર કાઢવાની મથામણ કરી રહ્યું હોવાની માહિતી ઓડિશાના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી.

આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), રાજ્યની પોલીસ તથા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. મયુરભંજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે બુધાબાલંગ નદીમાં પૂર આવવાનો ભય ઊભો થયો છે. બપોર સુધીમાં નદીમાં ૨૧ મીટર પાણી વહેતું હતું અને ખતરાની નિશાની ૨૭ મીટરની છે. પૂનમની ભરતી અને વાવાઝોડાને લીધે આવેલા અતિથી અતિ ભારે વરસાદને લીધે બંને રાજ્યની અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને એમાં પૂર આવવાની શક્યતા ઊભી થઇ છે.

કાંઠાના કેટલાક વિસ્તારોમાં નારિયેળના ઝાડ જેટલાં ઊંચા સમુદ્રના મોજાં આવતા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.

બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાડ પડવાથી ઓડિશામાં બે જણનું અને ઘર પડવાથી એક મહિલાનું મોત થયું હતું. એક વ્યક્તિનું બંગાળમાં અકસ્માતે મોત થયું હતું.

અનેક જિલ્લામાં વીજળીની લાઇનો શરૂ કરવા માટે ભગિરથ પ્રયત્ન ચાલી રહ્યા છે.

વાવાઝોડું બુધવારે મધ્યરાત્રી સુધીમાં ઝારખંડ પહોંચવાનો અંદાજ હવામાન ખાતાએ જાહેર કર્યો હતો. ઝારખંડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.

બંગાળની સરકારે રાજ્યમાં ત્રણ લાખ ઘરોને નુકસાન થયું હોવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની સાધનસામગ્રી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો.

આવતા ૨૪ કલાકમાં બંને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

બંગાળમાં યાસ વાવાઝોડાનો કેર: કિનારાના વિસ્તારો જળબંબાકાર

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાને કારણે કિનારાના અનેક વિસ્તારોમાં છાતીસમાણા પાણી ભરાયા હતા. પૂર્વ મિદનાપુરના દિઘા સહિતના અનેક વિસ્તારો અને દક્ષિણ ૨૪ પરગણામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વંટોળમાં સપડાયેલા લોકોને બચાવવા માટે રાજ્યના બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

કોવિડને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બજારો અને રસ્તાઓ ખાલી હોવાથી સ્થિતિ કાબૂમાં છે. અનેક ઠેકાણે ઝાડો ઉખડી ગયા છે અને લગભગ સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો પોતાના ઢોર સાથે સુરક્ષિત સ્થળે જવા માટે મથામણ કરી રહેલા દેખાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.

શંકરપુરમાં કિનારા નજીકની એક શાળા સમુદ્રના વિશાળ મોજાને કારણે તણાઇ ગઇ હોવાની વાત જાણવા મળી

હતી.

May 26, 2021
congress.jpg
1min437

કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટરને પત્ર લખી કેન્દ્ર સરકારના ૧૧ મંત્રીઓની ટ્વિટ્સને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવવા માંગ કરી છે. આ મંત્રીઓમાં ગિરિરાજ સિંહ, પીયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ, થાવરચંદ ગેહલોત, હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે.

કોંગ્રેસનું કહેવું છે કે, આ તમામ ટ્વિટર પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરીને બનાવટી ટૂલકીટ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. આ તમામના સંબંધિત ટ્વિટની લિંક પણ આ પત્ર સાથે જોડવામાં આવી છે. પત્રમાં ટ્વિટર સાથે આ બાબતે અગાઉ થયેલા પત્રવ્યવહારનો હવાલો અપતાં લખવામાં આવ્યું કે, ટ્વિટરે ટ્વિટ્સના જે યુઆરએલ માંગ્યા હતા, તે અપાઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હી અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાની ઓફિસ પર દરોડાં પાડ્યાં હતાં. આ અંગે માહિતી આપતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલની બે ટીમે દિલ્હીના લાડો સરાય અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાના કાર્યાલયો પર રેડ કરી હતી. 

નોંધનીય છે કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કથિડ કોવિડ-૧૯ ટૂલકિટના મામલે એક તપાસના સંદર્ભમાં ટ્વિટરને એક નોટિસ પણ મોકલી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ૧૮મી મેના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ કોંગ્રેસનો એક કથિત લેટરહેડ ટ્વિટ કર્યો હતો. જેમાં સરકારને ઘેરવા માટે સોશિયલ મીડિયા પર કેવા ટ્વિટ કરવા તેની માહિતી હતી. જેને પગલે ભાજપે કોંગ્રેસ પર વિશ્વમાં દેશની છબી ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો. 

બીજી બાજુ, કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને તદ્દન બનાવટી કહી ભાજપના નેતાઓ સામે પોલીસ કેસ પણ દાખલ કર્યો હતો. જ્યારે ટ્વિટરે સંબિત પાત્રા દ્વારા કરાયેલા ટ્વિટને મેનિપ્યુલેટેડ મીડિયા તરીકે વર્ગીકૃત કરતાં આ વિવાદ વધુ વકર્યો હતો. સરકારે ટ્વિટરના આ પગલા સામે રોષ વ્યક્ત કરી ટ્વિટરને મેનિપ્યુલેટેડ મીડિયાનું ટેગ દૂર કરવા જણાવ્યું હતું.

May 26, 2021
subodh-k-jaiswal.jpg
1min406

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના નવા વડા અંગે મંગળવારે મોડી રાત્રે નિર્ણય લેવાય છે. આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.

કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. અગાઉ ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ રાજેશ ચંદ્રા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી એસ કે કૌમુદીના નામની યાદી તૈયાર કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્ના પણ હાજર હતા. આ બેઠક વડાપ્રધાન નિવાસે યોજાઈ હતી.

May 25, 2021
jipmat-2021.jpg
3min2109

Jayesh Brahmbhatt 98253 44944

દેશમાં આવેલી પાંચ IIM ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ઇન્દોર, રાંચી, રોહતક, બૌધગયા અને જમ્મુ ખાતે ધો.12 (કોઇપણ પ્રવાહ પછી પ્રવેશપાત્ર) પછી પાંચ વર્ષના મેનેજમેન્ટ (ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ) ચાલી રહ્યા છે.

IIM પ્રવેશ માટે 2 જુદી જુદી પ્રવેશ પરીક્ષાઓનું રજિસ્ટ્રેશન તા.31 મે 2021 સુધી ચાલશે

  • 1. આઇઆઇએમ ઇન્દોરની આઇપીએમ એટી ટેસ્ટ (IIM ઇન્દોર, રાંચી અને નિરમા યુનિ. માટે) અહીં રજિસ્ટ્રેશન માટે આ લિંક ક્લીક કરો https://www.iimidr.ac.in/announcement/important-announcement-for-ipm-at-2021/
  • 2. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી JIPMAT ( IIM જમ્મુ અને બોધગયા માટે)

આ પૈકી બે IIM બૌધગયા (બિહાર) અને રાંચી (ઝારખંડ) ખાતે પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ પ્રવેશ પરીક્ષાનું નામ JIPMAT Joint Integrated Program in Management Admission Test છે. આ પ્રવેશ પરીક્ષામાં નોંધણી કરાવવાની અંતિમ તારીખ 31મી મે 2021 છે. આ પ્રવેશ પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઇન લેવામાં આવશે.

ધો.12 સાયન્સ, કોમર્સ કે આર્ટસ પૈકી કોઇપણ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર છે.

Candidate can apply for IIM Bodh Gaya and IIM Jammu Joint Integrated Programme in Management Admission Test (JIPMAT) 2021 through “Online” mode only. The Application Form in any other mode will not be accepted.

JIPMET Joint Integrated Program in Management Entrance Testની તારીખ 20 જુન 2021 છે

નીચેની વેબસાઇટ પ્રવેશ પરીક્ષાની સત્તાવાર વેબસાઇટ છે અહીં રજિસ્ટ્રેશન કરાવી શકો

jipmat.nta.ac.in

પરીક્ષા કેવી રીતે કયા વિષયની લેવાશે?