ઇન્ડીયા Archives - Page 51 of 217 - CIA Live

November 1, 2021
indian-flag.png
1min467

 ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે OTPની જરુર

ગેસ સિલિન્ડર બુક કરવાની પદ્ધતિ પણ આવતા મહિને એટલે કે 1લી નવેમ્બરથી બદલાશે. નવા નિયમ અનુસાર ગેસ બુકિંગ માટે ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. ગેસ સિલિન્ડર ઘરે પહોંચાડનાર ડિલિવરી બોયને આ OTP જણાવવો પડશે. નવા સિલિન્ડરની ડિલિવરી પોલિસી હેઠળ ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબર આપનાર ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

BOB બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી 1લી નવેમ્બરથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો 3 વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે 40 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર 100 રૂપિયા આપવા પડશે.

ટ્રેનોના ટાઈમ ટેબલમાં થશે મોટો ફેરફાર

ભારતીય રેલ્વેએ 1લી નવેમ્બરથી દેશભરની ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ ફેરફાર કરવાનો નિર્ણય હકીકતમાં પહેલા જ કરી લેવામાં આવ્યો હતો. અગાઉ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 1 ઓક્ટોબરથી દેશભરની ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ બાદમાં તેને વધારીને 1 નવેમ્બર કરવામાં આવ્યો હતો. લગભગ 13 હજાર પેસેન્જર ટ્રેનો અને 7 હજાર ગુડ્સ ટ્રેનોના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં દેશની લગભગ 30 રાજધાની ટ્રેનોના સમયમાં પણ ફેરફાર થશે.

October 30, 2021
flight-1.jpg
1min412

શિડયુલ્ડ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફલાઈટ્સ પરનો પ્રતિબંધ ૩૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય ઓલકાર્ગો ઓપરેશન્સ અને ડીજીસીએ દ્વારા મંજૂર કરાયેલી ફલાઈટ્સ પર આ નિયંત્રણો ચાલુ નહીં રહેશે તેવું ડીજીસીએએ જાહેર કરેલી નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. ડીજીસીએની નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક પસંદ કરાયેલા રૂટ પર ઈન્ટરનેશનલ શિડ્યુલ્ડ ફલાઈટસને કેસ-ટૂ-કેસ આધારે સક્ષમ સત્તાવાળા દ્વારા પરવાનગી આપવામાં આવશે. કોરોના વાઈરસ મહામારીના પગલે ૨૩ માર્ચ ૨૦૨૦થી શિડ્યુલ્ડ ઈન્ટરનેશનલ પેસેન્જર ફલાઈટસ બંધ કરવામાં આવી હતી.   

October 29, 2021
crackers-ban.jpg
1min457

સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘તેઓ ફટાકડા પર પ્રતિબંધ મૂકીને કોઈ એક સમુદાયના વિરોધમાં નથી. મનોરંજનના નામ હેઠળ કોર્ટ નાગરિકોના અધિકારનું ઉલ્લંઘન ન કરવા દઈ શકે.’

Nagaland decides to ban firecracker - News Move

ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને એ. એસ. બોપ્પાની બેન્ચ દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે કોર્ટે આપેલા આદેશનો એ સંપૂર્ણ અમલ જોવા માગે છે. બેન્ચે એવું પણ કહ્યું હતું કે તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ નથી. પ્રકૃતિને અનુકૂળ તૈયાર કરવામાં આવેલા ફટાકડા (ગ્રીન ફાયરક્રેકર્સ)ને મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે કોઈ સમુદાય માટે ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ તમામ નાગરિકોના હિતમાં આ નિર્ણય લીધો છે. 

હજી પણ બજારોમાં જાહેરમાં ફટાકડાઓ મળી રહ્યા છે એ બાબતે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે આદેશનો અમલ કરાવનારી સંસ્થાઓની પણ મોટી જવાબદારી છે. બધા જાણે છે કે દિલ્હીના લોકો પ્રદૂષણને લીધે કેવા સંઘર્ષમાં જીવી રહ્યા છે. કોર્ટ લોકોના અધિકારોની રક્ષા કરવા માટે છે એવો સ્પષ્ટ સંદેશ આપવા માગીએ છીએ. 

October 29, 2021
rg_pk.jpg
1min424

ભાજપ જીતે કે હારે, એ આવનાર દાયકાઓ સુધી ભારતના રાજકારણના કેન્દ્રમાં રહેશે અને એ કયાંય નથી જવાનો તેવું ચૂંટણી માટેના વ્યૂહકાર પ્રશાંત કિશોરે ગુરુવારે કહ્યું હતું. ભાજપને ટૂંક સમયમાં જ લોકો ફેંકી દેશે, તેવું વિચારવા બદલ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને મદદ કરવા માટે ગોવા આવેલા કિશોરે મજાક ઉડાડતા જણાવ્યું હતું કે એકવાર તમે દેશભરમાં ૩૦ ટકાથી વધુ મત મેળવો એટલે તમે ટકી રહો. આ કારણસર, લોકો ગુસ્સે થયા છે અને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફેંકી દેશે, તેવું વિચારવું ન જોઇએ. 

કદાચ તેઓ મોદીને ફેંકી દે, પણ આવનાર દાયકાઓ સુધી તમારે ભાજપ સાથે લડવું પડશે. એ ક્યાંય નથી જવાનો. રાહુલ ગાંધી વિશે એમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની એ જ સમસ્યા છે, એ એમ માને છે કે લોકો ટૂંક સમયમાં મોદીને ફેંકી દેશે, પણ એવું થવાનું નથી. ગોવામાં એક ખાનગી બેઠક વખતે કિશોરે કહેલી આ વાતોનો વીડિયો વાઇરલ થયો છે. 

આ વીડિયોની પ્રતિક્રિયા આપતા ગોવા પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ ગિરીશ ચોદણકરે એવો આક્ષેપ કર્યો હતો કે ટીએમસી પર ગોવાની ચૂંટણીમાં ઝંપલાવીને બિનસાંપ્રદાયિક મતોની વહેંચણી કરીને આડકતરી રીતે ભાજપને મદદ કરી રહ્યો છે અને કિશોરનું નિવેદન મમતા બેનરજીના પક્ષનો ઍજેન્ડા જાહેર કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

October 21, 2021
upsc1.jpg
1min379

આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.

હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧

દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.

October 20, 2021
capt-amarinder-singh.jpg
1min385

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ચૂકેલા કેપ્ટન અમરિન્દર સિંહે તા.19-10-21ને મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવશે. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠકરાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડુતો સહિત પંજાબ અને તેમના લોકોના હિતોની સેવા માટે જલ્દી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવશે. કેપ્ટને ભાજપ સાથે સશર્ત ગઠબંધન કરવાની પણ વાત કરી છે. સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટને નવી પાર્ટી બનાવાના સંકેત આપ્યા હતા.

Amarinder Singh: The Captain's options - Nation News - Issue Date: Oct 18,  2021

અમરિન્દર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે રીતે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો, સાડા દસ વાગે મને કોંગ્રેસ હાઈકમાન કોલ કરે છે કે તમે રાજીનામુ આપી દો. મેં એક વાર પણ ન પૂછ્યું કે કેમ? મેં તરત જ રાજીનામુ લખીને ચાર વાગે રાજ્યપાલને સુપરત કર્યુ. જે નિરીક્ષકો આવ્યા હતા તેઓએ તમામને કોલ કર્યા, પરંતુ સીએમ હાઉસમાં કોઈને ખબર ન પડી. જો 50 વર્ષ બાદ મારી વિશ્વસનીયતા પર શંકા થઈ રહી છે તો પછી કંઈ બચ્યુ નથી.

પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, જો આગામી વર્ષની શરૂઆતમાં યોજનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડુતોના હિતમાં ત્રણેય કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનું સમાધાન કરી દેવામાં આવે તો તેઓ ભાજપ સાથે સીટો શેર કરવા પર વિચાર કરશે. તેઓએ કહ્યું કે, તેઓ સમાન વિચારધારા ધરાવતા દળો જેવા અલગ થયેલા અકાલી સમૂહો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા સમૂહની સાથે ગઠબંધનની સંભાવના પણ જોઈ રહ્યાં છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, જ્યાં સુધી હું અમારા લોકો અને અમારા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત નથી કરી લેતો, ત્યાં સુધી આરામથી બેસીસ નહીં. પંજાબને રાજકીય સ્થિરતા અને આંતરીક તથા બહારના ખતરાથી સુરક્ષાની જરૂર છે. હું આપણાં લોકોને વચન આપું છું કે, એની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ બધું જ કરીશ કે જે આજે દાવ પર લાગેલું છે.

October 18, 2021
e_shram.jpg
1min596

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 17, 2021
cia_edu-1280x925.jpg
1min761

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.

બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.

નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોલેજોનું વર્તમાન સ્ટેટસ

ગુજરાતની મેડીકલ કોલેજોનું 2020નું કટ ઓફ

October 17, 2021
ferti.jpg
1min449

ખરીફ પાકોને વરસાદથી પહોંચેલાં નુકસાનનું વળતર તો મળે ત્યારે પણ અત્યારે તો ખેડૂતો ઉપર ખાતરના ભાવવધારાનો બોજ લદાઈ ગયો છે. દેશની ટોચની ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં વધારો કરી દીધો છે. આ ખાતરનો ભાવ ગુણીએ રૂ. 265 સુધી વધારાતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. ચારેકોરથી વિરોધ વંટોળ ઉઠયો છે.

ઇફકોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું કે, ઇફકોએ એનપીકેનો ભાવ રૂ. 1700 કર્યો છે, કારણ કે ગયા વર્ષે સસ્તાંમાં વેંચીને સંસ્થાએ રૂ. 400 કરોડની ખોટ કરી હતી. જોકે હવે સંસ્થાએ આંતરરાષ્ટ્રીય બજારને પગલે રૂ. 1700 સુધીનો ભાવવધારો કરવો પડયો છે. છતાં સરકારે એનપીકેમાં રૂ. 1470થી વધારે ભાવ નહીં લેવા આદેશ કર્યો છે એટલે ઇફકો એનપીકે રૂ. 1450માં આપશે.

અગાઉ ઇફકો એનપીકે રૂ. 1185માં વેચતી હતી તેના રૂ. 1440 કરાયા છે જ્યારે એનપીકે 12-32-16માં રૂ. 1450 કરાયા છે. મહાધનનો ભાવ રૂ. 10-26-26માં રૂ.1295 હતો તે વધારીને રૂ. 1750 કરાયો છે. મહાધન 12-32-16નો ભાવ રૂ. 1300 હતો તે વધારીને રૂ. 1800 કરાયો છે. સલ્ફેટ રૂ. 656થી વધારીને રૂ. 775 કરાયો છે. પોટાશમાં રૂ. 975 વાળો ભાવ રૂ. 1040 કરાયો છે.

સંઘાણીના કહેવા પ્રમાણે સરકાર દ્વારા 1 લાખ કરોડની ખાતર સબસીડી આપવામાં આવતી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે એટલે ફરીથી ભાવવધારો કરવાની નોબત આવી છે. અલબત્ત, સરકારે વધુ રૂ. 25 હજાર કરોડની સબસિડી રકમ જાહેર કરી છે.

એનપીકેના ભાવ સરકારે નિયંત્રિત કરતા સરવાળે ખેડૂતોને રૂ. 1700 નહીં પણ એનપીકેના ભાવ ઓછાં ચૂકવવા પડશે. અલબત્ત, ભાવવધારો તો પાછલા બારણે આવી જ ગયો છે. આ મુદ્દે ખેડૂતોમાં રોષ પ્રગટયો છે. ખેડૂતો કહે છે, વરસાદથી નુકસાન ગયું છે. સરકારી સર્વે થયો નથી અને માલ બગડયો છે’ તેનું કોઈ વળતર નથી. મોંઘા બિયારણ અને મોંઘા ડીઝલ વચ્ચે હવે ખાતરના ભાવ પણ વધી જતા ખેડૂતો મુશ્કલીમાં મુકાયા છે. સરકારે સબસિડી આપીને વધેલા ભાવમાં રાહત આપવી જોઇએ તેવી માગણી ઉઠી છે.

October 6, 2021
aayushya.jpeg
1min557

સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૪૦૦ પ્રકારની સારવારના ભાવ વધાર્યા. આ સાથે બ્લેક ફંગસની સારવાર પણ ઉમેરવામાં આવી છે. સરકારના આ પગલાંથી યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે. 
સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારામાં આ યોજનાનો અમલ કરાવનાર નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ સારવારના ભાવમાં ૨૦ ટકાથી ૪૦૦ ટકા સુધીનો વધારો કર્યો છે. 

મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિઝર હેઠળ વૅન્ટિલેટર સાથે આઇસીયુના ભાવમાં ૧૦૦ ટકાનો અને વૅન્ટિલેટર વગરના આઇસીયુ માટે ૧૩૬ ટકાનો, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ) માટે ૨૨ ટકા અને રૂટિન વોર્ડ માટેના ભાવમાં ૧૭ ટકાનો વધારો કરાયો છે. 

કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારાથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો લાભકર્તાઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે.