ઇન્ડીયા Archives - Page 215 of 216 - CIA Live

May 25, 2018
adanai.jpg
1min12670

ગૌતમ અદાણીને સૌથી વધુ નુકસાન: સંપત્તિ $3.63 અબજ ઘટીને $6.75 અબજ થઈ

ભારતના ટોચના ૨૦ અબજપતિની નેટવર્થમાં ચાલુ વર્ષે (૨૦૧૮માં) ૧૭.૮૫ અબજ ડોલરનું ધોવાણ થયું છે. જેમાં ટોચના પાંચ અબજપતિ ઉદ્યોગપતિએ ૧૫ અબજ ડોલર ગુમાવ્યા છે. બ્લૂમબર્ગ બિલયનેર ઇન્ડેક્સના ડેટા પ્રમાણે ગૌતમ અદાણીની સંપત્તિમાં સૌથી વધુ ૩.૬૩ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે અને તે ઘટીને ૬.૭૫ અબજ ડોલર થઈ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં મોદી સરકાર બની ત્યારે તેનો સૌથી વધુ લાભ અદાણીને થવાનું ચર્ચાતું હતું.
અદાણી જૂથની ચાર કંપનીના શેરમાં ૨૦૧૮માં ૭ ટકાથી ૪૫ ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૧૭-‘૧૮માં આ ચાર કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ સેઝનો કુલ ચોખ્ખો નફો ૧૩.૭૬ ટકા વધીને રૂ. ૩,૫૪૬ કરોડ થયો છે. સમાન ગાળામાં તેમનું કુલ વેચાણ ૩.૮૫ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૭૩,૨૬૦ કરોડ રહ્યું છે.

બ્લૂમબર્ગ ઇન્ડેક્સ મુજબ ધનકુબેરોની યાદીમાં અદાણી ૨૪૨મા ક્રમે છે. અદાણી પછી વિપ્રોના અઝિમ પ્રેમજીની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે વિપ્રોનો શેર ૧૬ ટકા ઘટ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટોચની ચાર IT કંપનીમાં વિપ્રો કામગીરીની બાબતમાં તળિયે છે

એક સમયે ધનાઢ્યોની યાદીમાં નંબર-૧ થયેલા દિલીપ સંઘવીની નેટવર્થ પણ ૨૦૧૮માં ૩.૪૮ અબજ ઘટીને ૯.૩૪ અબજ ડોલર થઈ છે. અમેરિકન બજારમાં સ્પર્ધા અને USFDAના અંકુશને કારણે સન ફાર્માનો શેર ચાલુ વર્ષે ૨૧ ટકા ઘટ્યો છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર ૨૦૧૯-‘૨૦ના અંદાજિત EPSના આધારે ૧૮ના P/E રેશિયો પર શેરે હાલોલ પ્લાન્ટની સંપૂર્ણ રિકવરી અને સ્પેશિયાલ્ટી પ્રોડક્ટ્સનું ૨૦ કરોડ ડોલરનું વેચાણ ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બ્રોકરેજના મતે તીવ્ર સ્પર્ધાના કારણે કંપનીને સ્પેશિયાલ્ટી બિઝનેસમાં અવરોધો નડશે તેવી શક્યતા છે.

 

નેટવર્થના ધોવાણની યાદીમાં કુમાર મંગલમ બિરલા પાંચમા ક્રમે છે. બિરલા જૂથની આઠ લિસ્ટેડ કંપનીનું બજાર મૂલ્ય ૧૯.૭૨ ટકા ઘટીને રૂ. ૨,૧૯,૯૦૪ કરોડ થયું છે. હિંદાલ્કો, આઇડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આદિત્ય બિરલા જેવી કંપનીના શેર ચાલુ કેલેન્ડર વર્ષમાં ૭ ટકાથી ૫૦ ટકા સુધી ઘટ્યા છે. બિરલાની નેટવર્થ ૨.૨૪ અબજ ડોલર ઘટીને ૬.૮૩ અબજ ડોલરે પહોંચી છે. અન્ય બિઝનેસ મહારથી અને DLFના પ્રમોટર કે પી સિંઘની સંપત્તિ ચાલુ વર્ષે ૧.૬૫ અબજ ડોલર ઘટીને ૪.૭૯ અબજ ડોલર થઈ છે.

 

 

May 24, 2018
PRICE-PETROL.jpg
1min12630

પેટ્રોલ-ડીઝલના ભાવ દસ દિવસથી સતત વધી રહ્યા છે. રોજ નવી ઊંચી સપાટી દર્શાવી રહ્યા છે. બળતણના ભાવને અંકુશમાં રાખવા સાર્વત્રિક માગ થઈ છે. ઑઈલ કંપનીએ બળતણ પરની એક્સાઈઝ ડ્યૂટી વિશે સમીક્ષા કરવા સૂચન કર્યું હતું.

બળતણના ભાવ વિશે લાંબા ગાળાના ઉકેલની દિશામાં સરકાર કામ કરી રહી છે, એમ આઈટી અને કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તેમણે નિવેદન કર્યું હતું. બળતણના ભાવ દર પખવાડિયે જાહેર થતા હતા. આ પદ્ધતિમાં ફેરફાર કરીને ગયા જૂનથી દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર થાય છે.

દસ દિવસમાં પેટ્રોલ લિટરે રૂ. ૨.૫૪ તથા ડીઝલ રૂ. ૨.૪૧ મોંઘું થયું છે. બળતણના ભાવમાં વારંવાર વધારો એ ચિંતાનો વિષય છે. સાથોસાથ ચર્ચા પણ માગી લે છે. સરકારે આ દિશામાં બેઠક હાથ ધરી છે.

ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવ ઊંચા જતા અત્રે અસર થઈ છે તે માટે તાત્કાલિક ચર્ચા હાથ ધરાઈ છે. એડ-હોક પગલાં લેવાને બદલે લાંબાગાળાના ઉકેલની દિશામાં પગલાં માટે સરકાર ઉત્સુક છે, એમ તેમણે કહ્યું હતું અને એ દિશામાં પ્રક્રિયા ચાલુ છે. પ્રધાને વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો.

એક્સાઈઝ ડ્યૂટીના પ્રશ્ર્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, આવા ટૅક્સનો ઉપયોગ શિક્ષણ, હૉસ્પિટલ, ગામડાંમાં વીજળી, હાઈવે બાંધકામ સહિતના વિકાસના કામમાં વપરાય છે. બળતણ પર ટૅક્સ એ વિકાસના પ્રશ્ર્નો સાથે સંલગ્ન છે. હવે લાંબાગાળાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.

ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે અગાઉ જણાવ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન ઑઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટાડાતરફી હતા ત્યારે સરકારને લિટરે રૂ. ૧૫ની બચત થઈ હતી, પરંતુ સરકારે બળતણ પર વધારાનો રૂ. ૧૦નો બોજો નાખી દીધો હતો. જોકે, આ વિશે પ્રસાદે કોમેન્ટ કરવા ઈન્કાર કર્યો હતો.

May 24, 2018
millionares.jpg
1min13230

ભારતમાં અત્યારે વિશ્ર્વના ત્રીજા ક્રમાંકે મોટી સંખ્યામાં અબજોપતિ છે અને હવે પછીના એક દાયકામાં આ ક્લબમાં ૨૩૮ જેટલા વધારે અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા અબજોપતિનો વધારો થશે, તેવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આફ્રએશિયા બૅન્ક ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યૂના જણાવ્યા મુજબ ભારતમાં અત્યારે ૧૧૯ જેટલી અબજોપતિ વ્યક્તિઓ છે, જે ૨૦૨૭ સુધીમાં વધીને ૩૫૭ પર પહોંચવાની આશા છે.

આગામી દસ વર્ષમાં ભારતમાં ૨૩૮ અબજોપતિનો ઉમેરો થશે જ્યારે ચીનમાં ૪૪૮નો ઉમેરો થશે. ૨૦૨૭ સુધીમાં અમેરિકામાં એ આંકડો ૮૮૪નો થઈ જશે, ત્યાર પછી ચીનમાં ૬૯૭ અને ભારતમાં એ આંક કુલ ૩૫૭ પર પહોંચશે.

એક અબજ યુએસ ડૉલર કે તેથી વધારેની અસક્યામતો ધરાવનારાઓનો સમાવેશ આ ધનાઢય વ્યક્તિઓમાં કરવામાં આવે છે. આગામી દસ વર્ષમાં જે દેશોમાં અબજોપતિ માલેતુજારોનો વધારો થશે તેમાં રશિયન ફેડરેશનમાં ૧૪૨, યુનાઈટેડ કિંગ્ડમમાં ૧૧૩, જર્મનીમાં ૯૦ અને હોંગકોંગમાં ૭૮ની આશા રખાય છે.

વિશ્ર્વભરમાં હાલમાં ૨,૨૫૨ અબજોપતિ છે અને ૨૦૨૭ સુધીમાં એ સંખ્યા ૩,૪૪૪ પર પહોંચશે. કુલ અસક્યામતોને સંબંધ છે ત્યાં સુધી ભારત વિશ્ર્વમાં છઠ્ઠા ક્રમનો દેશ છે, જ્યાં અબજોપતિઓ ૮,૨૩૦ અબજ યુએસ ડૉલરની કુલ મિલકતો ધરાવે છે.

અમેરિકામાં સૌથી વધારે અસક્યામતો ધરાવતા અબજોપતિ છે, ત્યાંના અબજોપતિ કુલ ૬૨,૫૮૪ અબજ યુએસ ડૉલરની મિલકતો ધરાવે છે. ત્યાર પછી ૨૪,૮૦૩ અબજ યુએસ ડૉલરની મિલકતો સાથે ચીનનો નંબર આવે છે અને ત્રીજા નંબર પર ૧૯,૫૨૨ અબજ યુએસ ડૉલરની અસક્યામતો સાથે જાપાન આવે છે.

ભારતમાં અસક્યામતો ઊભી કરવા માટે જે પરિબળો મદદરૂપ થશે તેમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, સારી શૈક્ષણિક પદ્ધતિ, આઈટી ક્ષેત્રે રોબસ્ટ આઉટલૂક, બિઝનેસ પ્રોસેસ આઉટ સોર્સિસિંગ રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને મીડિયા સેક્ટરની મદદથી દસ વર્ષમાં બસો ટકા પરિણામ મેળવી શકાશે તેવું અહેવાલ જણાવે છે.

દરમિયાન, આગામી દસ વર્ષમાં વિશ્ર્વસ્તરે ૫૦ ટકા અસક્યામતોમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે, જે ૨૦૨૭ સુધીમાં ૩૨૧ ટ્રિલ્યન યુએસ ડૉલરની થશે. ઝડપથી વિકસતી વેલ્થ માર્કેટ્સમાં શ્રીલંકા, ભારત, વિયેતનામ, ચીન અને મોરેશિયસને ગણી શકાય તેવું અહેવાલમાં જણાવાયું છે. (પીટીઆઈ)

May 24, 2018
army_major_gogoi.jpg
1min12340

શ્રીનગરની એક હોટેલમાંથી મળેલા આર્મી મેજર ગોગોઈ અને મહિલાની પૂછપરછ

જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે શ્રીનગરની એક હોટેલમાંથી સેનાના એક અધિકારીની એક મહિલા સાથે ઝડપાયા બાદ પૂછપરછ કરી હતી. બંનેને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને સેનાના અધિકારીને સોંપી દેવાયા હતા.

પોલીસના પ્રમાણે, ‘એક પોલીસ ટુકડીને આ કેસ સોંપવામાં આવ્યો હતો અને ત્યારે જાણવા મળ્યું હતું કે એક મહિલા અને બડગામના રહેવાસી સમીર અહમદ નામની એક વ્યક્તિ હોટેલમાં કોઈને મળવા માગે છે પણ હોટેલના સ્ટાફે એ લોકોને મળવા દેવાનો ઈનકાર કર્યો હતો. સમીર સાથે એક યુવતી પણ હતી. જો કે હોટેલ સ્ટાફે તેમની ઓળખના પુરાવા માગ્યા ત્યારે વિવાદ થયો હતો. હોટેલ સ્ટાફે ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.  પોલીસ હોટેલ પહોંચી અને ત્રણેયને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

પોલીસે કહ્યું હતું, ‘સમીર નામના શખ્સ સાથે આવેલી યુવતી સેનાના અધિકારીને મળવા ગઈ હતી. પોલીસે બંનેના નિવેદનો લીધા છે.’

ઉલ્લેખનીય છે કે હોટેલના રેકોર્ડ પ્રમાણે, હોટેલનો એક રૂમ લીતુલ ગોગોઈના નામે એક રાત અને બે મહેમાનો માટે બૂક કરવામાં આવ્યો હતો. હોટેલ માલિકે કહ્યું હતું કે હોટેલનો રૂમ બૂકિંગ.કોમ વેબસાઈટ પરથી ઓનલાઈન બૂક કરવામાં આ‌વ્યો હતો. પરંતુ અમે આર્મી અધિકારી ગોગોઈને તેમની સાથે સ્થાનિક યુવતી હોવાથી રૂમ આપવાનો ઈનકાર કરી દીધો હતો. હોટેલમાં સ્થાનિક યુવતીને લઈને જવાની મનાઈ છે.

આ આર્મી મેજરની ઓળખ ૨૦૧૭માં પથ્થરમારાની ઘટના દરમિયાન બડગામ જિલ્લામાં એક સ્થાનિક યુવક ફારૂક અહમદ દારને પોતાની જીપના બોનેટ પર બાંધનારા મેજર લીતુલ ગોગોઈ તરીકે થઈ છે. તેમણે દારને જીપના બોનેટ સાથે બાંધી દઈને ફેરવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે સવારે ૧૧ વાગ્યે હોટેલ ગ્રાન્ડ મમતામાંથી કોઈ વિવાદ અંગે અમને ફોન કરવામાં આવ્યો હતો.

 

May 24, 2018
fraud.jpg
1min13770

નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીની જમાતના બીજા ઘણા લોકો છે

nirav1

પોલીસને હંફાવનારા ફ્રૉડસ્ટર્સની યાદી ફક્ત નીરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદી પૂરતી મર્યાદિત નથી.

CBI અત્યારે આ ત્રણને શોધી રહી છે, પરંતુ મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)ના અધિકારીઓએ ૨૦૧૫થી ૨૦૧૭ સુધીમાં ૧૯,૬૭૧ કરોડ રૂપિયાની છેતરપિંડીના ૨૮૩ કેસ નોંધ્યા છે. જોકે આટલી રકમમાંથી ઇન્વેસ્ટર્સના ફક્ત ૨.૫૦ કરોડ જ રૂપિયા વસૂલ કરી શક્યા છે.

એ તમામ કેસોમાં ફરાર ગુનેગારો અને આરોપીઓને સજા ફરમાવવાના સાવ ઓછા પ્રમાણથી EOW પરેશાન છે. ૨૦૧૫થી ૨૦૧૮ની ૯ ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં ફાઇલ કરવામાં આવેલા ૮૦ કેસમાંથી ફક્ત ૨૦ કેસમાં આરોપીઓને સજાના આદેશો આપવામાં આવ્યા છે. ૬૦ કેસમાં આરોપીઓને દોષમુક્ત જાહેર કરીને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત EOWમાં જરૂરિયાતના પ્રમાણમાં કર્મચારીઓની તંગીને લીધે કામગીરી વધારે મુશ્કેલ બને છે.

nirav2

ઍક્ટિવિસ્ટ જિતેન્દ્ર ઘાડગેએ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં મહત્વની માહિતી પ્રાપ્ત થઈ હતી. જિતેન્દ્ર ઘાડગેએ જણાવ્યું હતું કે ‘આવા ગુનેગારોને ડામવામાં કાયદો સફળ થયો નથી. હવે તો લોકોના પૈસા લઈને નાસી જવાનો અને પછી રફુચક્કર થઈ જવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આર્થીક ગુના રોકવા માટે વધારે સખત કાયદાની જરૂર છે.’

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યુરોની વિગતો પ્રમાણે છેલ્લા એક દાયકામાં દેશમાં આર્થીક અપરાધોમાં ૮૦ ટકા વધારો થયો છે. ૨૦૦૬માં આર્થીક અપરાધોનો દર ૧,૦૦,૦૦૦ લોકોમાં ૬.૬નો હતો એ ૨૦૧૫માં ૧૧.૯ પર પહોંચ્યો હતો.

nirav

૫૦ લાખ રૂપિયા કરતાં વધારે રકમના મોટા આર્થીક ગુનાના કેસ મુંબઈ પોલીસ EOWને સોંપે છે. જોકે તાજેતરનાં વર્ષોમાં EOW સામે કેસોનો ખડકલો થતો જાય છે અને બીજી બાજુ સ્ટાફની તંગી છે. એ કેસોના મોટા ભાગના અપરાધીઓ ફરાર થઈ ગયા છે. જે પકડાય છે તેમને સજાનું પ્રમાણ સાવ ઓછું છે. છેતરપિંડીમાં લોકોએ ગુમાવેલી રકમમાંથી રિકવરીનું પ્રમાણ પણ નહીંવત છે.

May 23, 2018
taj_monkey.jpg
1min14980

યુપીના આગરા સ્થિત દુનિયાની અજાયબીઓ પૈકીની એક એવા તાજ મહેલમાં વાંદરાઓના જૂથે આતંક ફેલાવતા પર્યટકો ડઘાઈ ગયા છે. જોકે તાજ મહેલ ખાતે આવતા પ્રવાસીઓ પર વાંદરાનો આતંકની આ વાત નવી નથી. મંગળવારે સવારે તાજ મહેલ ખાતે એક ફ્રેન્ચ મૂળના પ્રવાસી તેમજ અન્ય એક વ્યક્તિને વાંદરાએ પગના ભાગે ઈજા પહોંચાડી હતી. બન્ને વિદેશી નાગરિકોના પગે ઉઝરડા પડી ગયા હોવાનું તસવીરોમાં જોવા મળે છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંદરાએ આ પૈકી એક પ્રવાસીને પગે બચકું પણ ભરી લીધું હતું. બન્ને પ્રવાસીઓને તાત્કાલિક મેડિકલ સારવાર પુરી પાડવામાં આવી હતી.

તાજ મહેલની અંદર પરિસરમાં વાંદરાઓના આતંકને પગલે પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ તાજ મહેલમાં વાંદરાઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે. આગરામાં વાંદરાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજ મહેલ પરિસરમાં હવે વાંદરાઓની અવર જવર સત્તાધીશો માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે.

May 22, 2018
dollor.jpg
1min15100

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો ચાલુ રહ્યો છે. ભારતીય ચલણ ડોલર સામે ઇન્ટ્રા-ડે ₹68.13ની 16 મહિનાની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જોકે, નીચા મથાળે RBIની દરમિયાનગિરીથી રૂપિયો 0.46 ટકાની વૃદ્ધિ સાથે બંધ રહ્યો હતો.

ડીલર્સના જણાવ્યા અનુસાર એશિયાનાં ઊભરતાં બજારોમાં સૌથી વધુ ઘટેલો રૂપિયો RBI વતી કેટલીક PSU બેન્કો દ્વારા ડોલરની ખરીદીને કારણે સુધર્યો હતો. અગાઉ દિવસ દરમિયાન ઊભરતાં બજારોના ચલણમાં વેચવાલીને પગલે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો ત્યારે ઇન્ડોનેશિયાથી માંડી તુર્કીના મધ્યસ્થ બેન્કોએ કરન્સીને સ્થિર કરવા દરમિયાનગીરી કરી હતી. RBIએ પણ અન્ય PSU બેન્કોની મદદથી નીચા મથાળે સ્થાનિક ચલણને ટેકો આપ્યો હતો.

ડીબીએસ બેન્ક ઇન્ડિયાના આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં સટોડિયાનું સેન્ટિમેન્ટ તોડવું જરૂરી છે. RBIએ નાણાકીય સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

છેલ્લા કેટલાક દિવસમાં RBIની ગેરહાજરીને પગલે અનહેજ્ડ આયાતકારો અને વિદેશી રોકાણકારોને એક્સ્પોઝર સુલટાવવાની ફરજ પડી હતી. તેના લીધે સ્થાનિક અને વિદેશી બજારોમાં ડોલરની માંગ વધી હતી. રૂપિયાની વેચવાલી કદાચ પૂરી થવાની તૈયારીમાં છે. હાલના તબક્કે ચલણના મૂલ્યમાં તમામ નકારાત્મક પરિબળો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના વ્યાજદરમાં વૃદ્ધિને કારણે વૈશ્વિક રોકાણકારોએ અન્ય બજારોમાંથી રોકાણ ખેંચવાની નીતિ અપનાવી છે. ખાસ કરીને 75 ટકા ક્રૂડની જરૂરિયાત માટે વિદેશી બજાર પર આધાર રાખતા ભારત જેવાં બજારોમાંથી વિદેશી રોકાણ ખેંચાવાનું શરૂ થયું છે. ભારતનું ફોરેક્સ રિઝર્વ સર્વોચ્ચ સ્તરથી 7 અબજ ડોલર ઘટ્યું છે.

તાજેતરના સરવે મુજબ રૂપિયો ડોલર સામે ₹68ની નીચી સપાટીએ પહોંચવાની આગાહી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બર 2016ના રોજ રૂપિયો ₹68.86ની રેકોર્ડ નીચી સપાટીને સ્પર્શ્યો હતો. ઓગસ્ટ 2013માં રૂપિયાએ ₹68.825નું તળિયું બનાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ઇન્ડોનેશિયન રૂપિયાહ અને ટર્કીશ લિરાના મૂલ્યમાં પણ સતત ઘટાડો નોંધાયો છે. તેને લીધે આ દેશોની મધ્યસ્થ બેન્કોને ફોરેક્સ માર્કેટમાં દરમિયાનગીરીની ફરજ પડી હતી.

અમેરિકન ડોલરમાં વૈશ્વિક તેજી ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો ભારતીય અર્થતંત્ર માટે નેગેટિવ પરિબળ છે. એક મોટી વિદેશી બેન્કના અંદાજ પ્રમાણે ક્રૂડના ભાવમાં એક ડોલરની વૃદ્ધિથી દેશના આયાત બિલમાં ૭૦-૯૦ કરોડ ડોલરનો વધારો થાય છે.

May 22, 2018
modi-meets-muslims-2.jpg
1min15660
દેશમાં પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાને સોશિયલ મીડિયા ટ્વિટર પર ઉર્દૂમાં ટ્વિટ કરીને લોકોને રમઝાનની શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથેના વીડિયોમાં પીએમ મોદી રમઝાનના મહત્ત્વને સમજાવતા પણ સાંભળી શકાય છે. જો કે, પીએમ મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું હતું. અનેક લોકોએ પીએમ મોદીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યુ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કટ્ટરવાદ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીને ટ્રોલ કરતા કેટલાકે લખ્યું હતું કે મુસ્લિમ મતો ભૂલી જાઓ, હિન્દુ મતો પણ તમને મળવાના નથી.
આ ઉપરાંત અન્ય મધુર નામની વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું હતું, ‘ઓ સેક્યુલર મોદીજી થોડા કંટ્રોલ કરો. નોટા ભી હરા સકતા હૈ આપકો, મુસ્લિમ વોટ દેગા નહીં, હિન્દુ સે મિલેગા નહીં, તો ક્યા કરોગે?’ આ ઉપરાંત અભિષેક હિન્દુ દ્વારા કરાયેલા ટ્વિટમાં લખાયું હતું, હું ભાજપનો કર્મઠ કાર્યકર્તા હોવાના નાતે આપને નિવેદન કરૂં છું કે મુસ્લિમો પર વધુ ધ્યાન ન આપો. એ ક્યારેય ભાજપના થશે નહીં, તેના કારણે ક્યાંક એવું ન બને કે હિન્દુ વોટર સરકી જાય ભાજપ પાસેથી, જયશ્રી રામ, નમો નમો. જ્યારે મનજીત રાજપૂત અયોધ્યાના ટ્વિટમાં લખ્યું હતું, જી આપ કંઈ પણ કરી લો આ મુલ્લા ભાજપને ક્યારે વોટ નહીં આપે, તમે કંઈપણ કરો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
એમ પણ લખાયું કે વડાપ્રધાન કોઈપણ ભાષામાં ટ્વિટ કરી શકે છે અને તેઓ કોઈપણ સમુદાયના લોકોને શુભેચ્છાઓ પાઠવી શકે છે. ઊર્દૂ ભારતની ૨૨ અધિકૃત ભાષાઓમાંની એક છે ત્યારે અહીં ઉર્દૂને માત્ર મુસ્લિમોની ભાષા ગણવી એ અયોગ્ય છે. અન્ય ટ્રોલ એટેકમાં મોદીના ટ્વિટ અંગે લખાયું હતું કે શા માટે મોદીએ સંસ્કૃતમાં ટ્વિટ ન કર્યું, શા માટે મુસ્લિમો ‘જય શ્રી રામ’ કહેતા નથી. મનીન્દર સિંહ ચીમાના એક ટ્વિટમાં લખાયું હતું કે મોદીજી આપ રમઝાન પર ઉર્દૂમાં તો લખી રહ્યા છો પણ આજ સુધી કોઈ મુસ્લિમે જય શ્રી રામ પણ કહ્યું નથી. શું આ જ ભાઈચારો છે દેશનો. પીએમ મોદીના ટ્વિટને ટ્રોલ કરનારા લોકોમાં મોદી તરફી અને મોદી વિરોધી બંને લોકો હતા જેઓ આમને સામને ટ્રોલ એટેક પર ઉતરી ગયા હતા. એક સમયે એકબીજા સામે અપશબ્દોનો પણ ઉપયોગ થવા લાગ્યો હતો.
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
મોદીના આ ટ્વિટ પછી તેમનું આ ટ્વિટ ટ્રોલ થવા લાગ્યું
May 22, 2018
tirupati-1280x720.jpg
1min13470

જો અગમ શાસ્ત્ર પરવાનગી આપે તો જેની સુરક્ષાની શંકા સેવાઈ રહી છે તેવા તમામ સુવર્ણ અલંકારો જાહેર પ્રદર્શનમાં મૂકવા મંદિરની સંચાલક સંસ્થા તૈયાર હોવાની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના ઍક્ઝિક્યુટિવ ઑફિસર અનિલકુમાર સિંઘલે કરેલી જાહેરાતને પગલે હાલ ટીટીડી અને ભૂતપૂર્વ મુખ્ય ધર્માધિકારી એવી રામન્ના દીક્ષિતુલુ વચ્ચે ચાલી રહેલા વિવાદે નવો વળાંક લીધો છે.

છેલ્ લાં બાવીસ વર્ષ દરમિયાન મૂલ્યવાન રત્નો અને હીરા-મોતી માણેક સહિત અલંકારો અને દાગીનાઓ

ગુમ થયા હોવાને મામલે દીક્ષિતુલુએ સીબીઆઈ તપાસ યોજવાની માગણી કરી હોવા છતાં ઍક્ઝિક્યુટિવ ઑફિસર (ઈઓ)એ ઉપરોક્ત નિવેદન કર્યું હતું.

પ્રસારમાધ્યમને અઆપેલી મુલાકાતમાં સિંઘલે કહ્યું હતું કે જો અગમ શાસ્ત્ર મંદિરના અલંકારોનું જાહેર પ્રદશ૪ન કરવાની પરવાનગી ન આપતું હોય તો ટીટીડીએ થ્રીડી ફૉર્મેટમાં તેનું ડિજીટલાઈઝેશન કરી તેની તસવીરો જાહેર જનતા માયે મ્યુઝિયમમાં મૂકવી જોઈએ.

આ મારો અંગત અભિપ્રાય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આ અંગે વિચારણા કરવી જોઈએ.

ટીટીડીના અલંકારોના રજિસ્ટરમાં જેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તે ગુમ થયેલું મૂલ્યવાન રત્ન જીનિવામાં યોજવામાં આવેલા લિલામમાં જોવા મળ્યું હોવાના થોેડો દિવસ અગાઉ દીક્ષિતુલુ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા સિંઘલે કહ્યું હતું કે ટીટીડીના કર્મચારીઓ દરેક વસ્તુની સુરક્ષા માટે સખત તકેદારી રાખે છે અને આ પ્રકારના આક્ષેપો ખરેખર દુ:ખદ અને આઘાતજનક છે.

May 22, 2018
bramos.jpeg
1min14390

ભારતે સોમવારે તા.21મી મે ના રોજ ઓડિશા સમુદ્રકાંઠેથી ભારત-રશિયાના સંયુક્ત સાહસ સમાન બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)ના અધિકારીઓએ કહ્યું હતું કે ઓડિશાથી નિકટના ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોન્ચ પેડ ક્રમાંક-૩ ઉપર સ્થિત એક મોબાઈલ લોન્ચર પાસેથી આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.

આ અંગે આઈટીઆરના એક અધિકારીએ કહ્યું હતું કે ભારતમાં ડીઆરડીઓ તથા ટીમ બ્રાહ્મોસ દ્વારા વિકસાવવામાં આવેલી ટેક્નલોજીની આવરદા વિસ્તરણને કાયદેસર કરવા માટે આમ કરાયું હતું, એમ આઈટીઆરના એક અધિકારીએ જણાવ્યું હતું.

બ્રાહ્મોસ મિસાઈલના નવી ટેક્નોલોજી સાથે સોમવારે સફળ પરીક્ષણ બાદ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ડીઆરડીઓના વૈજ્ઞાનિકો, સંશોધકો તેમ જ ટીમ બ્રાહ્મોસને વધામણાં આપ્યા હતા.

૨૧મી મેએ આઈટીઆરથી ૧૦-૪૦ વાગ્યે પાર પડેલા પરીક્ષણને લીધે ભારતીય હવાઈ દળ (આઈએએફ)ને મિસાઈલની જગ્યાએ અનેક સગવડ મૂકવાના અધધધ ખર્ચા બચી જશે, એમ તેમણે ઉમેર્યું હતું.

આ મિસાઈલના બે તબક્કા છે: ૧) ઘન તથા ૨) પ્રવાહી. ભારતીય સૈન્ય તથા નૌકાદળમાં તેને આવરી લેવામાં આવ્યું છે પણ હવાઈ દળની આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું છે, એમ ડીઆરડીઓના સંશોધકોએ ઉમેર્યું હતું. (પીટીઆઇ)