મુંબઈ-શિરડી એરલાઈન્સ ઍર ફ્લાઈટ શિરડીના રનવે પર લૅન્ડિંગ કરતી વખતે ૫૦ મીટર સુધી બહાર નીકળી ગઈ હતી. આ ફ્લાઈટમાં ૭૦ પ્રવાસીઓ હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નહોતી. સોમવારે સાંજે ૫.૨૯ કલાકે મુંબઈથી આવેલી એરલાઈન્સ ઈન્ડિયાની ફ્લાઈટ શિરડી રનવે પર લૅન્ડિંગ વખતે ઓવરશૂટ થઈને ૫૦ મીટર આગળ નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેેશન (ડીજીસીએ) આ અંગે અલગથી તપાસ કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. મે, ૨૦૧૦માં ઍર ઈન્ડિયા ઍક્સ્પ્રેસના પાઇલટે દુબઈથી આવેલી ફ્લાઈટને મેંગ્લોર ખાતે લૅન્ડ કરતી વખતે ઓવરશૂટ કરી હતી, જેમાં ૧૫૨ પ્રવાસીના મૃત્યુ થયા હતા.





