CIA ALERT

ઇન્ડીયા Archives - Page 209 of 216 - CIA Live

September 6, 2018
jandhan.jpg
1min5390

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)

નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.

મળતી માહિતી મુજબ  આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

August 31, 2018
TC.jpg
1min14240

ક્યારેક નકલી રેલવે-પોલીસ તો ક્યારેક નકલી TC બનીને જ્વેલરી પહેરેલા પ્રવાસીઓને અથવા તો ટિકિટ કન્ફર્મ કરવાના નામે રેલવે-પ્રવાસીઓને ઠગનારા બે આરોપીઓને બોરીવલી રેલવે-પોલીસે પકડી પાડ્યા છે. આ આરોપીઓ ગુજરાત-રાજસ્થાન આવતા-જતા પ્રવાસીઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા. એક મારવાડી રેલવે-પ્રવાસીની ફરિયાદને આધારે પોલીસ આ આરોપીઓ સુધી પહોંચી શકી હતી અને તેમને રંગેહાથ પકડી પાડ્યા હતા. આરોપીઓને પકડવામાં રેલવે-પોલીસને CCTV કૅમેરાની સારી મદદ મળી હતી.

TC

મળતી માહિતી મુજબ ૪૮ વર્ષના અમરજિત સિંહ અને ૩૫ વર્ષના રાજવીર શર્માને પોલીસે પકડ્યા છે. બોરીવલીથી રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર ભારત તરફ જવાવાળી ટ્રેનના રેલવે-પ્રવાસીઓને ક્યારેક નકલી TC બનીને તો ક્યારેક રેલવે-પોલીસ બનીને ઠગતા હતા.

પકડાયેલા આરોપીઓ વિવિધ ભાષાઓ પર સારો કમાન્ડ ધરાવે છે. ટ્રેનમાં અને પ્લૅટફૉર્મ પર નકલી TC બનીને વેઇટિંગ ટિકિટ કન્ફર્મ કરવાના નામે પૈસા લઈને ફરાર થઈ જતા હતા તો અમુક વખતે જ્વેલરી પહેરીને આવેલી મહિલા પ્રવાસીઓને ટાર્ગેટ બનાવવા રેલવે-પોલીસ બનીને જતા હતા. મહિલા પ્રવાસીને કહેતા કે ટ્રેનમાં જ્વેલરી પહેરીને યાત્રા ન કરવી જોઈએ એટલે એને ઉતારી લો એટલે મહિલાઓ જ્વેલરી ઉતારી લેતી હતી. ત્યાર બાદ એક કાગળ આપીને જ્વેલરી એમાં રાખવા કહેતા હતા. મહિલા જેવી આરોપી દ્વારા આપવામાં આવતા કાગળિયામાં જ્વેલરી રાખતી એમ ખૂબ ચતુરાઈથી તેઓ કાગળિયાને બદલી નાખતા અને રફુચક્કર થઈ જતા હતા એટલું જ નહીં, પકડાયેલા આરોપી રેલવેના મોટા અધિકારીઓનાં નામ લઈને નોકરી અપાવવાના ઝાંસામાં લોકોને ફસાવતા હતા.’

આરોપીઓને CCTV કૅમેરાની મદદથી પકડવામાં આવ્યા એમ જણાવતાં બોરીવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે કહ્યું હતું કે ‘આ વિશે ફરિયાદ મળ્યા બાદ પોલીસની ટીમે પ્લૅટફૉર્મના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કર્યાં હતાં. ત્યાર બાદ આરોપીઓને પ્રવાસીને ફસાવતા રંગેહાથ પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પર રેલવે-પોલીસની સાથે સિટી પોલીસમાં પણ અનેક કેસ દાખલ છે. તપાસ દરમ્યાન આરોપીઓએ એવું કહ્યું હતું કે તેમની સાથે પણ આવો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ તેમને એવું લાગ્યું કે પૈસા કમાવાનો આ એક આસાન તરીકો છે. આ લોકોએ છેલ્લા એકથી દોઢ મહિનામાં ત્રણ બનાવને અંજામ આપ્યો છે. એક પ્રવાસી પાસેથી આરોપીઓએ સાડાત્રણ લાખ રૂપિયાના દાગીના લૂંટ્યા હતા.’

August 28, 2018
hazareanna-1280x720.jpg
1min5540

અનેક રાજ્ય અને કેન્દ્ર સરકારોને પોતાના આંદોલનથી ધ્રુજાવી મૂકનાર અણ્ણા હજારે ફરીથી લાઇમલાઇટમાં આવ્યા છે. હવે તેમણે મોદી સરકાર સામે તા.2 ઓક્ટોબર 2018થી અહિંસક ચળવળ કરવાનું એલાન કર્યું છે અને તેમની યોજના મુજબ કોઇ એક સ્થળે નહીં પણ સમગ્ર દેશના ગામડાઓ અને શહેરોમાં આ ચળવળની અસર જોવા મળશે.

પ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી ગાંધી જયંતી તા.2 ઓક્ટોબર 2018થી આંદોલન શરૂ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાળેગણ સિદ્ધિથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માગતા હોય તેઓ રાળેગણ સિદ્ધિ ન આવે પરંતુ પોતાના ગામ, જિલ્લા, તહસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે.

અણ્ણાનું મોદી સરકાર વિરુદ્ધ આ આંદોલન સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા, ખેડૂતોને તેમના ઉત્પાદનથી દોઢ ગણા બજારભાવ આપવા, વરિષ્ઠ ખેડૂતોને પેન્શન આપવા અને કેન્દ્રમાં લોકપાલ પર અને રાજ્યમાં લોકાયુક્ત નિયુક્ત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવાની માગ સાથે શરૂ થવા જઇ રહ્યું છે. અણ્ણાએ કહ્યું હતું કે આ માગો અંગે તેઓ અનેક વખત વડા પ્રધાનને પત્ર લખી ચૂક્યા છે પણ તેમની માગોને લઇને મોદી સરકારનો રવૈયો સકારાત્મક નથી દેખાઇ રહ્યો, એટલે તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.

August 24, 2018
gurudas-kamat-mumbai-chembur-charai-.jpg
1min5670

ગઇ તા.23મી ઓગસ્ટ 2018ના દિવસે મુંબઇના ચેમ્બુરની સ્મશાનભૂમિમાં કૉન્ગ્રેસના સિનિયર લીડર ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર સમયે સ્મશાનભૂમિમાં લગાડવામાં આવેલી એક તકતીએ લોકોને જબરદસ્ત મોટો આંચકો આપ્યો હતો. આજથી 9 વર્ષ અગાઉ જે સ્મશાનભૂમિનું નૂતનીકરણ અને લોકાર્પણ જે દિવસે (તા.23મી ઓગસ્ટ 2009) ગુરુદાસ કામતના ફન્ડમાંથી અને તેમના હસ્તે કરવામાં આવ્યું હતું એ જ સ્મશાનભૂમિમાં નવ વર્ષ પછી એ જ (23મી ઓગસ્ટ 2018) તારીખે ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

હસુ અડવાણી ચરઈ હિન્દુ સ્મશાનભૂમિ BMC સંચાલિત છે. આ સ્મશાનભૂમિનું નૂતનીકરણ ૨૦૦૯ની સાલમાં સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન તરીકે ગુરુદાસ કામતના ફન્ડમાંથી જ કરવામાં આવ્યું હતું. એથી નૂતનીકરણ બાદ સ્મશાનભૂમિનું લોકાર્પણ પણ ગુરુદાસ કામતના હસ્તે ૨૦૦૯ની ૨૩ ઑગસ્ટે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ કરવામાં આવ્યું એ દિવસે ૨૩ ઑગસ્ટ હતી, આજે નવ વર્ષ પછી ૨૩ ઑગસ્ટના જ દિવસે એ જ સ્મશાનભૂમિમાં ગુરુદાસ કામતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

August 22, 2018
gst.jpg
1min4220

મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.

ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.

August 18, 2018
irda.jpg
7min321260
Jayesh Brahmbhatt   98253 44944
ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ મેડીક્લેમ પોલિસીની નીતિમાં એક ધરખમ અને આવશ્યક ફેરફાર એ કર્યો છે કે મેડિક્લેમનો લાભ લેવો હોય તો મેડીક્લેમ પોલિસી ધારકે એવી હોસ્પિટલમાં જ સારવાર લેવી પડે કે જે હોસ્પિટલ ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોય. ઇરડા એ તમામ પ્રકારની મેડિકલ પોલિસીમાંથી આ શરત કાઢી નાંખી છે. હવે મેડિક્લેમ પોલિસી ધારક ક્યાંય પણ કોઇપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં સારવાર લઇ શક્શે. ઇરડાના આ ફેરફારને કારણે ભારતના હજારો નાના તબીબો ઉપરાંત લાખો મેડિક્લેમ પોલિસી ધારકોને મોટો ફાયદો થશે.
અત્યાર સુધી એવું બનતું હતું કે ગ્રામીણ વિસ્તાર તેમજ એવા નાના નગરો કે જ્યાં 15 બેડથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલ, નર્સિંગ હોમ ન હોવાના કારણે મેડિક્લેમ ધરાવતા ગામવાસીઓએ મોટા શહેરોની મોટી હોસ્પિટલોમાં સારવાર કરવા માટે આવવું પડતું હતું. આવી સ્થિતિ ભારતના લાખો મેડિકલેમ ધારકોની થઇ રહી હતી. નાનું દવાખાનું, નાનું નર્સિંગ હોમ ધરાવતા ગ્રામિણ વિસ્તારના તબીબો, છેવાડાના વિસ્તારમાં સક્રિય હોય તેવા તબીબો કે જેમની પાસે 15 બેડથી ઓછા બેડ હોય તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેમની પાસે કોઇ મેડિક્લેમ ધારકો સારવાર માટે જતા ન હતા, આવા તબીબોને પણ ધંધો રોજગારથી વંચિત રહેવું પડતું હતું.
  • દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકો તેમજ હજારો નાના તબીબોને મોટો ફાયદો
  • ગામડાના નાના નર્સિંગ હોમમાં પણ હવે સારવાર લઇ શકાશે અને મેડિક્લેમ પાસ થશે
  • મેડિક્લેમ પાસ કરાવવા માટે ગરીબ મધ્યમવર્ગીય પોલિસી ધારકોએ મોટી હોસ્પિટલોના બિનજરૂરી ખર્ચાના ખાડામાં ઉતરવું પડતું હતું
આમ ભારતમાં લાખો મેડિક્લેમ ધારકો તેમજ હજારો તબીબોને પડતી આ કઠણાઇને ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)એ આખરે દૂર કરી દીધી છે. મેડિક્લેમ પોલિસીમાં રહેલી ઓછામાં ઓછા 15 બેડ ધરાવતી હોસ્પિટલમાં જ સારવાર લેવાની શરતને કાયમ માટે દૂર કરી દેવામાં આવી છે.
એકલા મુંબઇની જ વાત કરીએ તો 1200 નર્સિગ હોમ્સમાંથી 684 નર્સિંગ હોમ એવા છે કે જ્યાં 15 બેડની સુવિધા નથી તેનાથી ઓછી સંખ્યામાં બેડ ધરાવે છે. મુંબઇના 7500 તબીબોનું સભ્યપદ ધરાવતા ધ એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટસ નામના સંગઠન દ્વારા મુંબઇ હાઇકોર્ટ સમક્ષ એવી પિટીશન ફાઇલ કરવામાં આવી હતી જેમાં મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 પથારીવાળી હોસ્પિટલમાં સારવાર લેવાની શરતને કાઢી નાંખવા અંગેની દાદ માંગવામાં આવી હતી.
મુંબઇના તબીબ સંગઠનની પિટીશનની સુનવણી દરમિયાન ગઇ તા.5મી જુલાઇએ મુંબઇ હાઇકોર્ટમાં ઇરડા તરફથી એવું પ્રોસિડિંગ્સ રજૂ કરવામાં આવ્યું હતું કે ઇરડાએ મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ 15 બેડની હોસ્પિટલમાં સારવાર લેવા સંદર્ભની શરતને કાઢી નાંખી છે. ફક્ત એવા નર્સિંગ હોમમાં મેડિક્લેમ ધારકે સારવાર લેવી પડશે કે જેનું રજિસ્ટ્રેશન સ્થાનિક સત્તામંડળ (લોકલ ઓથોરિટી)માં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ 2010 અન્વયે થયેલું હોવું જોઇએ. અથવા તો શિડ્યુલ ઓફ સેક્શન 56 (1) અન્વયે કાર્યવાહી થયેલી હોવી જોઇએ.
15 બેડની હોસ્પિટલનો કાનૂન સામાન્ય ગરીબ-મધ્યમવર્ગીય પોલિસી ધારકો માટે અન્યાયી હતો કેમકે પોલિસી ધારકોએ ફરજિયાત મોટી હોસ્પિટલ્સમાં સારવાર લેવી પડતી અને તેના બિનજરૂરી ખર્ચાઓ તો સહન કરવા પડતા પરંતુ મોટા ભાગના કિસ્સામાં હેરેસમેન્ટ તેમજ બિનજરૂરી ખર્ચામાં પણ ઉતરવું પડતું હતું. હવે મેડિક્લેમ પોલિસીમાંથી મિનીમમ બેડની શરત દૂર થતાં દેશના લાખો મેડિક્લેમ પોલિસી ધારકોનો મોટો ફાયદો થયો છે.
ભારતમાં હોસ્પિટલમાં જુદી જુદી કેટેગરીથી દર્દીઓને આકર્ષવામાં આવે છે જેમાં પ્રાઇવેટ એસી રુમ, પ્રાઇવેટ નોનએસી રૂમ, ટ્વીન શેરિંગ રૂમ, જેવા રૂમ તેવો ચાર્જ, જેવી હોસ્પિટલ્સ તેવા તબીબોની ફી ના ચાર્જીસ. ધનવાન પરિવારો મેડિક્લેમ ધરાવતા હોય ત્યારે આવા ખર્ચની ફિકર કરતા નથી હોતા કેમકે તેમની મેડિક્લેમ પોલિસી તમામ સુવિધા સંપન્ન કેશલેશ હોય છે જ્યારે સિમીત મેડિક્લેમ પોલિસી ધરાવતા ધારકો માટે મોટી હોસ્પિટલો ખર્ચાના ખાડા સમાન બની રહેતી હતી.

For English Readers

Courtesy : https://www.moneylife.in/article/irda-removes-hospitalsrsquo-lsquominimum-bedrsquo-condition-for-mediclaim/33531.html

 

IRDA removes hospitals’ ‘minimum bed’ condition for mediclaim

A wrong decision by the insurance regulator bites the dust. The requirement of a hospital to have minimum 15 beds for it to be covered under mediclaim has been scrapped. The benefit to include smaller nursing homes far exceeds the risks of any mediclaim fraud

Insurance Regulatory and Development Authority’s (IRDA) guidelines on standardization in health insurance defined hospital with at least 10 in-patient beds, in those towns having a population of less than 10 lakh and with 15 in-patient beds at other places. It was becoming a big issue for small nursing homes as mediclaim policyholders would not been covered there. Nursing home owners had termed the move as ‘unreasonable’.
In Mumbai, 684 out of 1,200 nursing homes have less than 15 beds. The Association of Medical Consultants (AMC), a body of over 7,500 doctors in the city, had also filed a petition challenging IRDA’s circular on bed restriction for mediclaim cover.
On 5th July, IRDA told the Bombay High Court that it has withdrawn the bed restriction clause. The hospitals will need to be registered with the local authorities under the Clinical Establishments (Registration and Regulation) Act, 2010, or under the enactments specified under the Schedule of Section 56(1) of the said Act.
IRDA’s diktat on bed restriction in the guidelines was seen as not just against smaller healthcare providers but also against the public. Policyholders would have been pushed to undergo treatment at bigger hospitals which in most cases charge more than smaller nursing homes. As such, policyholders feel harassed with partial claims settlement and it will only increase with higher bill amounts from bigger hospitals.
In India, the category of room (private a/c, private non a/c, twin sharing, etc) also determines all the other incremental charges associated with it. The better the room, higher the associated charges even including doctor’s fees. Mediclaim policyholders having high coverage may not negotiate with the hospital on the amount being charged and will avail better facilities even for ordinary hospitalization just to reap the benefit of paying premium to the insurance company over the years.
When a mediclaim policy offers ‘cashless’ at high-end hospitals like Hinduja and Lilavati in Mumbai, it is tempting for the insured to indulge in the best of medical treatment even for non-life-threatening procedures. There can be a huge variation in costs among different hospitals for the same procedure. The insured may not worry, as making a claim is looked at as “payback time” for getting the benefit of premium payment over a period of time. The insurer pays the claim but, ultimately, the insured pays with possible increase in the premium.
Even in the case of Moneylife’s group insurance claim for kidney stone removal, we had excellent small nursing home option nearby which would have provided good, clean and cost-effective treatment. However, the employee had to go for expensive alternative due to lack of cashless facility with these small nursing homes. Imagine, what happens if the nursing home is not even covered under mediclaim. Those who are willing to go even for reimbursement claim would have been ineligible. IRDA has taken right step in backing out of the bed restriction clause.
One of the main reasons that would have prompted IRDA to include the bed restriction in the new health insurance guidelines is the possibility of mediclaim fraud from smaller nursing homes with or without TPA support. But, inflated bills can come from any size hospital. The bigger the hospital, the higher are the charges that are levied. Unnecessary tests can be done by any hospital once you declare that you have mediclaim cover.
Last year, a leading Mumbai-based surgeon (who prefers to remain anonymous) gave insights into working of high-end hospitals. He said, “Insurance companies find it difficult to determine the opaque cost of the implant charged by big hospitals. These hospitals can buy implants as bulk purchases and are also sourced from different places to save on taxes; Maharashtra has 10.5% sales tax plus octroi, Hyderabad has 4.5% while Chennai does not have any tax. Bigger hospitals also sell implants to smaller hospitals at different rates. The MRP (maximum retail price) on the box has no relevance to the actual cost to the hospital. Medicines are purchased by bigger hospitals at an unfathomable discount. Hospitals makes money only from pharma items (implants, medicines), nothing else; otherwise it is a white elephant.”
August 18, 2018
k1.jpg
1min10400

કેરળમાં વિનાશક મોન્સુન વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી પ્રાદેશિક હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. આઉપરાંત કર્ણાટક અને તમિળનાડુમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પહેલાં ગુરુવારે પડેલા ભારે વરસાદમાં હજ્જારો હૅક્ટર જમીનમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો. માળખાકીય સગવડને પ્રચંડ નુકસાન પહોંચ્યું હતું.

નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ ઉપરાંત લશ્કરી દળના કર્મીઓે ઈમારતોના છાપરા, ભેખડ ધસી પડતાં રસ્તા પરના કાળમાળમાં સપડાઈ ગયેલા લોકોને ઉગારીને બચાવવાની કામગીરી આદરી રહ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં અટવાઈ ગયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિત સેંકડોને બોટ અને હેલિકૉપ્ટર સેવા દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ટીવી ચૅનલો પર મહિલાઓ અને શ્રમિકોને દોરડાની મદદથી નૌકા દળના હેલિકૉપ્ટરમાંથી સલામત સ્થળે ઉતારતાં હૃદય દ્રાવક દૃશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા.

એક ગર્ભવતી મહિલાને પીડા ઊપડતાં તેને નૌકાદળની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાતની તબિયત સારી છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેના બિનનિવાસી ભારતીયો છેલ્લા બે દિવસથી અલ્વુઆમાં સપડાયેલા તેમના સંબંધીઓને બચાવી લેવા ટીવી ચૅનલો પર વારંવાર મદદ માગી રહેલા જણાયા હતા.

વૉટ્સ ઍપ વીડિયો ક્લિપમાં છ વર્ષના બાળક સાથે પૂરમાં સપડાયેલી માતા ખોરાક અને પાણીની મદદ માગી રહેલી જણાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે કેરળ પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે.

હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડ્યો

અર્નાકુલમ જિલ્લાની ઘણી ખાનગી હોસ્પિટલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑક્સિજનના પુરવઠાની તંગી પડતાં દર્દીઓને નજીકની સગવડ ધરાવતી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પૂર રાહત છાવણીઓમાં રાખવામાં આવેલા લોકોએ ખોરાક અને પીવાના પાણીની અછત હોવાની ફરિયાદ કરી હતી. શુક્રવારે આફત વધી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ઘઠી રહ્યો છે, તો પેટ્રોલ પંપોમાં સ્ટોક નથી. કેરળમાં 100 વર્ષનું આ સૌથી મોટુ સંકટ છે, અને અત્યાર સુધીમાં કુલ 324 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો વડાપ્રધાન મોદીએ પણ કેરળ પહોંચીને હવાઈ નીરિક્ષણ કર્યું. પરિસ્થિતિની સમીક્ષા કરી.

કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે પીએમ મોદી શુક્રવારે મોડી સાંજે જ અહીં પહોંચ્યા હતા. તેઓએ સવારે સીએમ વિજયન સાથે બેઠક કરી, આ બેઠકમાં પૂરથી થયેલા નુક્સાન અને રાહત બચાવ કાર્યને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત કેરળ માટે 100 કરોડની મદદ જાહેર કરી ચૂકી છે.

ઑગસ્ટ માસની શરૂઆતથી જ વરસાદે કેરળમાં ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને પરિણામે આવેલા પૂરે 147 જિંદગીનો ભોગ લીધો છે. કેરળમાં આંકી ન શકાય તેટલી માત્રામાં લોકોની માલમિલકતને નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાછલાં 90 વર્ષના ઈતિહાસમાં કેરળે ચોમાસાનું આટલું રૌદ્ર રૂપ પહેલી વાર જોયું છે.

પાછલા એક સપ્તાહમાં 439 રાહત છાવણીઓમાં 53000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જયારે ચોમાસા દરમિયાન 1790 રાહત છાવણીમાં 1,43,220 લોકોએ આશ્રય મેળવ્યો છે. કેરળે ચાલુ વર્ષે સૌથી ભયાનક ચોમાસાનો સામનો કર્યો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ 29 મેથી 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી 130 લોકોના મોત થયા છે, જયારે તેમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ થયેલા મોત ઉમેરવાથી આંકડો 217ને પાર કરી જાય છે.

સરકારના જણાવ્યા મુજબ કેરળમાં રૂ. 8316 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 14માંથી 10 જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભારે વરસાદને પરિણામે કેરળના 27 બંધના દરવાજા ખોલી નાખવા પડયા છે. માત્ર ચાર દિવસમાં 37 લોકોના મૃત્યુ થયા છે. 211 જેટલી ભૂસ્ખલનની ઘટના નોંધવામાં આવી છે.

ગાડગિલ કમિટી (જેને વેસ્ટર્ન ઘાટ્સ ઈકોલોજિકલ એક્સપર્ટ પેનલ પણ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ માધવ ગાડગિલના જણાવ્યા પ્રમાણે કમિટી દ્વારા વેસ્ટર્ન ઘાટ વિસ્તારોને ભારે વરસાદથી બચાવવા અંગે ભલામણ કરવામાં આવી હતી. પેનલ દ્વારા ભલામણ અંતર્ગત ખાસ સૂચનો કરવામાં આવ્યા હતાં. જે મુજબ વેસ્ટર્ન ઘાટના 140000 કિ.મી. વિસ્તારને પર્યાવરણની દૃષ્ટિએ સંરક્ષણ વ્યૂહરચના માટે ત્રણ ભાગમાં વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં કમિટીએ માઇનીંગ તથા કવૉરિંગ પર પ્રતિબંધ મૂકવા પણ ભલામણ કરી હતી, હાઈરાઈઝ ક્ધસ્ટ્રકશન પર પણ પ્રતિબંધ મૂકવા કમિટીએ સરકારને જણાવ્યું હતું.

NDRFની બચાવ કામગીરી બની ઝડપી

તો NDRFની સાથે સાથે સૈન્ય પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યુ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી દેવાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ રહ્યા છે. તો સેંકડો ગામ ટાપૂમાં ફેરવાઈ ચૂક્.ા છે.

રાહત અને બચાવ માટે સૈન્યના હેલિકોપ્ટર

મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સૈન્યના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. અલૂવા, કાલાડી, પેરુંબુર, મુવાડ્ડુપુઝા અને ચાલાકુડીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક માછીમારો પણ પોતાની બોટ સાથે સામેલ થઈ રહ્યા છે.

લગભગ સવા બે લાખ લોકો થયા બેઘર

રાજ્યમાં લગભગ સવા બે લાખ લોકો બેઘર થઈ ચૂક્યા છે. તમામ લોકોને રાહત છાવણીમાં શરણ અપાઈ છે. NDRFની 51 ટીમ કેરળ મોકલાઈ છે

ટ્રેનથી મોકલાયું પીવાનું પાણી

રનવે પર પાણી ભરાઈ જતા કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થઈ ચૂક્યુ છે. 25થી વધુ ટ્રેન રદ કરાઈ છે, અને કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. દક્ષિણ રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યુ છે.

100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાયા છે. વીમા નિયામક ઈરડાડુએ તમામ વીમા કંપનીના દાવાની ચૂકવણી કરવા માટે ખાસ શિબિર લગાવવા નિર્દેશ કર્યા છે.

પૂર પ્રભાવિત કેરળ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 5 કરોડ રૂપિયા અને ભોજન સહિત જરૂરી સામાન માટે અન્ય  5 કરોડની    જાહેરાત કરી છે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેરળના સીએમ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી, 10 કરોડની સહાય જાહેર કરી છે. તેલંગાણાએ પણ કેરળને મદદ માટે 25 કરોડ આપવાનું કહ્યું છે.

August 14, 2018
rupee-full.jpg
1min7610

રૂપિયો સૌપ્રથમ વાર અમેરિકન ડોલર સામે 70ની નીચે સરક્યો છે. રૂપિયો ડોલર સામે સળંગ બીજા દિવસે તૂટ્યો છે. તા.13 ઓગસ્ટના રોજ ડોલર સામે રૂપિયો 69.93ની ઓલટાઈમ લો સપાટીને સ્પર્શ્યો હતો અને આજે મંગળવારે પ્રતિ ડોલર સામે રુપિયો 69.84 પૈસા પર ખૂલ્યા બાદ રૂ.70.085 પૈસાની અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પર ગગડી ગયો હતો. ભારત માટે આ નુકસાનકારક હોવા સાથે શરમજનક અને અપમાનજનક સ્થિતિ જોવાય રહી છે. ભારત એવા દેશોની યાદીમાં આવી ગયો છે કે જેનું ચલણ સતત અવમૂલ્યન સહન કરી રહ્યું છે.

ટ્રેડ વોરની ઘટના શરૂ થઈ ત્યારથી ભારતનો રૂપિયો છેલ્લા ત્રણ મહિનામાં 3.2 ટકા ઘટ્યો છે. તેની સામે ચીનના યુઆનમાં 8.6 ટકાનો ઘટાડો જોવાયો છે. જ્યારે ડોલર ઇન્ડેક્સ આ ગાળામાં ચાર ટકા વધ્યો છે. ચીનનો યુઆન ડોલર સામે ઐતિહાસિક 6.95 તળિયાની નજીક સરકીને દોઢ વર્ષના નીચલા 6.89ના સ્તરે રહ્યો હતો.

ફોરેક્સ કામકાજમાં રૂપિયામાં તીવ્ર વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું જેને પગલે ઓપન માર્કેટમાં રિઝર્વ બેન્કે પણ રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા પ્રયાસ કર્યો નહીં. સોમવારે મોડી સાંજે ડેરિવેટિવ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 70ના લોએસ્ટ લેવેલે ગગડ્યો હતો. જેથી ખ્યાલ આવ્યો હતો કે હજુ સુધી ભારતીય ચલણમાં વેચવાલી અટકી નથી.

August 13, 2018
major1.jpg
1min6770

મીરા રોડના શહીદ મેજર કૌસ્તુભ રાણેની પત્નીના નામે એક ઑડિયો-ક્લિપ વાઇરલ : શહીદના પરિવારને મદદ કરવાનું કહીને અમુક લોકો પૈસા જમા કરી રહ્યા હોવાથી પરિવાર દુખી 

હજુ ગઇ તા.6 ઓગસ્ટ 2018ના રોજ શહીદ થયેલા મહારાષ્ટ્રના મેજર કૌસ્તુભ રાણેના નામે ઉઘરાણા શરૂ થઇ ગયા હતા. પ્રસ્તુત તસ્વીર તેમના પત્નીની છે, તેમનું કલ્પાંત હજુ શમ્યું નથી.

મેજર કૌસ્તુભના પરિવારજનો સ્મશાનભૂમિમાં અંતિમ વિદાય આપી રહ્યા છે, શહીદ મેજર કૌસ્તુભના નામે કેટલાક લોકોએ ઉઘરાણા શરૂ કરતા પરિવારજનો અત્યંત દુખી છે

ભારતમાં કોઇ કુદરતી આપત્તી આવે એટલે તરત જ તેની સહાયના નામે ફંડફાળાના ઉઘરાણા શરૂ કરી દેવાય છે પરંતુ, હવે તો ભારતમાતાની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર શહીદોના નામે પણ ઉઘરાણા શરૂ થયા છે. એક ગંભીર કિસ્સો એ પણ પ્રકાશમાં આવ્યો છે કે હજુ અઠવાડીયા પહેલા જ તા. 6 ઓગસ્ટના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગુરેજ સેક્ટરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી વખતે શહીદ થયેલા મૂળ મુંબઇના મીરા રોડના ૩૦ વર્ષીય મેજર કૌસ્તુભ પ્રકાશ રાણેના પત્નીના નામે ઓડીયો ક્લીપ વાઇરલ કરીને કેટલાક ઠગભગતોએ ઉઘરાણા શરૂ કરી દીધા છે.

શહીદ મેજર કૌસ્તુભ રાણેના પરિવારજનો માટે આ બાબત અત્યંત આઘાતજનક છે. શહીદ મેજરનાં પત્નીના નામે એક ઑડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ છે જેમાં તેઓ ભાવુક થઈને અનેક વાતો કરતાં હોવાનું સંભળાય છે, પરંતુ આ ઑડિયો મેજરનાં પત્નીનો ન હોવાનો તેમના પરિવારે સોશ્યલ મીડિયા પર સ્પષ્ટતા કરતો મેસેજ વાઇરલ કર્યો છે. શહીદ મેજરના પરિવારને મદદ કરવાના નામે પરિસ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને અમુક લોકો પૈસા જમા કરતા હોવાની પણ વાત મેસેજમાં કરવામાં આવી છે. એથી પરિવારે લોકોને આહ્વાન પણ કર્યું છે કે આવું વર્તન કરીને પરિવારને દુખના સમયે ત્રાસ થાય એવું વર્તન ન કરો.

મેજરના સબંધીઓએ વાઇરલ થયેલા ઑડિયો વિશે મીરા રોડ પોલીસને પણ જાણ કરી છે. મીરા રોડ પોલીસે ગંભીરતાપૂર્વક તાત્કાલિક આ મેસેજ ફોરવર્ડ કરવો નહીં અને મેસેજ બનાવનાર સામે ઍક્શન લેવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે. ઉપરાંત મીરા રોડ પોલીસના સૂત્ર દ્વારા એવું પણ જાણવા મળ્યુ છે કે શહીદ મેજરના પરિવારના સંબંધી મિહિર હેદવકરે આ સંદર્ભે સમતાનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતો પત્ર પણ આપ્યો છે, જેની કૉપી મીરા રોડ પોલીસને પણ આપવામાં આવી છે.

 

 

મેજર કૌસ્તુભ ગઇ તા.૬ ઑગસ્ટે શહીદ થયા હતા. આઠ આતંકવાદીઓ સાથે થયેલી મૂઠભેડમાં 2 આતંકવાદીઓને ઠાર કરીને ભારતીય સેનાના ૪ જવાનો શહીદ થયા હતા. મીરા રોડના રહેવાસી શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રામાં અસંખ્ય લોકો જોડાયા હતા અને હજારો ભારતીયોએ ભાવુક થઇને સોશ્યલ મીડિયા પર શહીદ કૌસ્તુભ રાણેની અંતિમયાત્રાના વિવિધ ફોટો શૅર કરીને તેમને અદ્વિતીય અંજલી આપી હતી.

August 13, 2018
siachen-glacier.jpg
2min6700

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે 

હાલ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે

ભારતીય લશ્કર સિયાચીન હિમપ્રદેશ ખાતે નિયુક્ત કરેલી ભારતીય જવાનો માટે ખાસ પ્રકારનાં કપડાં, સ્લિપીંગ કિટ્સ તથા અન્ય ખાસ ઉપકરણો તૈયાર કરાવવા અંગેની યોજનાને આખરી ઓપ આપી રહી છે. સિયાચીન ખાતે અતિશય ઠંડી પડે છે. તે લડાઈનું સૌથી ખતરનાક ક્ષેત્ર માનવામાં આવે છે.

૧૬૦૦૦ ફૂટથી ૨૦૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા ક્ષેત્રના ભારતીય લશ્કરના જવાનોને અતિશય ઠંડી સામે રક્ષણ આપતા ખાસ ટેક્નિક ધરાવતા કપડાં (એક્સટ્રીમ કોલ્ડ વેધર ક્લોધિંગ સિસ્ટમ)ની આયાત તથા માઉન્ટેનિયરિંગ કિટની આયાત પાછળ ભારત સરકાર પ્રતિ વર્ષ ૮૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવે છે.

હાલ આ તમામ સામગ્રી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા તથા સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કરવામાં આવે છે, પરંતુ તેનું દેશમાં જ ઉત્પાદન કરવામાં આવે તો પ્રતિવર્ષ ૩૦૦ કરોડ રૂપિયાની બચત થઈ શકશે. ખાનગી ક્ષેત્રના સંયુક્ત ઉપક્રમ હેઠળ સિયાચીન ગ્લેસિયર ખાતે ફરજ બજાવનાર લશ્કરી જવાનની જરૂરિયાતની સામગ્રીના ઉત્પાદન અંગેની યોજના લગભગ ફાઇનલ થઈ ગઈ હોવાનું લશ્કરી સૂત્રોએ જણાવ્યું છે. સામગ્રીમાં થર્મલ ઇનસોલ્સ, સ્નો ગોગલ્સ, આઇસ એક્સ, બૂટ, એવેલેન્ચ વિક્ટીમ ડિટેક્ટર, રોક પાઇટોન્સ, સ્લિપીંગ બેગ્સ ઉપરાંત પર્વતારોહણને આવશ્યક સામગ્રીનો સમાવેશ થશે. સિયાચીન ગ્લેશિયર ઉપરાંત ડોકલામ તથા અન્ય ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોમાં ફરજ બજાવતી લશ્કરી ટુકડીઓને પણ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે. કારાકોરમ રેન્જમાં આવેલી સિયાચીન ગ્લેશિયરને હાઈએસ્ટ મિલિટરાઈઝ્ડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશ્ર્વનો આ સૌથી ખતરનાક વિસ્તાર છે. જ્યાં સૈનિકોએ અતિશય ઠંડી અને તેજ પવનની વચ્ચે થીજી જવાય એવા વાતાવરણમાં લડવું પડે છે. શિયાળા દરમિયાન સિયાચીન ગ્લેશિયરનું તાપમાન માઇનસ ૬૦ ડિગ્રી જેટલું નીચું જાય છે.

As legend goes, Colonel Narendra Kumar, the legendary
mountaineer after whom the mid way point of Siachen is
named, lost an ice axe presented to him by Indira Gandhi
while trekking up the glacier. The firm belief is that till
the army finds the missing piece of equipment, soldiers are
doomed to stay on the glacier.
AT 22,000ft, WITH TEMPERATURES FALLING BELOW MINUS 65 DEGREE CELSIUS, SIACHEN IS THE WORLD’S HIGHEST AND COLDEST BATTLEFRONT. ON AN EIGHT-DAY AND 84 Kms TREK UP THE GLACIER, MEMBERS OF SIACHEN GLACIER TRACKERS CLIMBING ON THE GLACIER TOWARDS CAMP THREE (NEAR KUMAR POST). IT WAS 84 Kms TRACK FROM BASE CAMP TO CAMP-3 AND BACK. IT WAS A CIVILIAN EXPENDITION UP THE SIACHEN GLACIER ORGANIZED BY THE INDIAN ARMY.
PHOTO BY — PRAVEEN KHANNA (17-10-2008)
SIACHEN-GLACIER.

પાછલા ૧૦ વર્ષમાં ભારતે સિયાચીન ગ્લેસિયર ખાતે તેના ૧૬૩ જવાન ગુમાવ્યા છે. ભારત તથા પાકિસ્તાન તરફથી ૧૯૮૪થી સિયાચીન ખાતે લશ્કરી ટુકડીઓ લાદવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટ બે કેટેગરીમાં ડીવાઈડ કરવામાં આવશે જે અંતર્ગત એક કેટેગરીમાં ૯૦૦૦ ફટથી ૧૨૦૦૦ ફૂટ તથા બીજી કેટેગરીમાં ૧૨૦૦૦ ફૂટ ઉપરનો સમાવેશ કરવામાં આવશે.

એનડીએ સરકાર તરફથી મેક ઇન ઇન્ડિયા હેઠળ સંરક્ષણને લગતી સાધાનસામગ્રીનું ઉત્પાદન દેશમાં કરવા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ઘણી બધી વિદેશી કંપનીઓએ પણ ભારતીય ફર્મ સાથે જોડાઈને હાઈ અલ્ટિટ્યૂડ ઇક્વિપમેન્ટના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. આર્મી દ્વારા ૧૦ વર્ષ પહેલાં જ હાઈ અલ્ટિટ્યૂટ કપડાં તથા સામગ્રીના સ્વદેશી ઉત્પાદનનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.