CIA ALERT

ઇન્ડીયા Archives - Page 207 of 216 - CIA Live

October 24, 2018
ram_mandir.jpg
1min12150

ઇલેક્શનનો મુદ્દો બનશે અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણનો ઘટનાક્રમ રાતોરાત તેજ થઇ ગયો

  • VHPએ પથ્થરોથી ભરેલા 70થી વધુ ટ્રક મંગાવ્યા અને મંદિર નિર્માણ માટે કારિગરો સાથે પણ વાતચીત ચાલી રહી છે
  • આરએસએસના સ્થાપના દિવસના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા
  • આંગતુક અને પર્યટક કારસેવકપુરમ તરફ જઇ રહ્યા છે જ્યાં તેમનું સ્વાગત સ્થાનિક પૂજારીઓ અને ભક્તો દ્વારા સ્વાગત
  •  29 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ બનાવવા પર સુનાવણી થશે

આર.એસ.એસ.ના સ્થાપના દિને મોહન ભાગવતે અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણ થવું જ જોઇએ એવું સ્ટેટમેન્ટ શું કર્યું, અયોધ્યા સાઇટ પર રામ મંદિર નિર્માણની ગતિવિધિ રાતોરાત તેજ થઇ જવા પામી છે. ભાજપ વિરોધીઓ કહે છે કે સ્ટેટ ઇલેકશન ચાલી રહ્યા છે અને લોકસભાનું ઇલેકશન માથે આવીને ઉભું છે એટલે માઇલેજ લેવા માટે અયોધ્યા રામ મંદિરના મુદ્દાને છંછેડીને પોલિટીકલ માઇલેજ લેવાની આખી ગેમ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, ભાજપના સહયોગી ગણાતા વિશ્વ હિન્દુ પરિષદએ તો મંદિર નિર્માણ માટે જરૂરી પત્થરોના ઓર્ડર આપી દીધા છે અને તેની ડિલિવરી માટે ટ્રકો નીકળી ચૂકી હોવાના ફોટોગ્રાફ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.

વીએચપીના ઇન્ટરનેશનલ ઉપાધ્યક્ષ ચંપત રાયે જણાવ્યું હતું કે, ઝડપથી કામ શરૂ કરવા માટે મોટા પ્રમાણમાં પથ્થર અને કારિગરોની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, હવે હમે પીછેહઠ કરીશું નહી, આ સત્યની વિજય માટેની લડાઇ છે. અમે સુપ્રીમના આદેશની રાહ જોઇ રહ્યા છે.

દરમિયાન એવી પણ માહિતી જાણવા મળી છે કે રામ મંદિરના મુદ્દે આગામી તા.29મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટમાં યોજાનારું હિયરિંગ અત્યંત મહત્વનું થઇ પડશે.

બાબરી મસ્જિદના મુખ્ય પક્ષકાર ઇકબાલ અન્સારી આ વાતથી નાખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, કેસ હજુ સુપ્રીમમાં ચાલી રહ્યો છે જેથી સરકારે વીએચપીને આગળ આવતા રોકવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે, ત્યારે વીએચપી આ પ્રકારે ઉથલપાથલ મચાવે છે.

October 24, 2018
Alok_vs_ashtna.jpg
1min7520

ગુજરાત ફેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાના સામે સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માએ લાંચની ફરિયાદ એક જ દિવસમાં નોંધીને તપાસનો દોર શરૂ કરતા ગુજરાતના આઈપીએસમાં ખળભળાટ મચી ગયો છે.

સરકાર વિરુદ્ધના આઈપીએસ અધિકારીઓ રાકેશ અસ્થાના ગુજરાતમાં જે જગ્યાએ ફરજ બજાવી હતી ત્યાં તેમની સામે થયેલી અરજીઓની માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. વડોદરા અમદાવાદ સેક્ટર-2 અને સુરતમાં રાકેશ અસ્થાના ફરજ બજાવી હતી. દિલ્હી સીબીઆઈની ટીમ વડોદરામાં અને સુરતમાં રાકેશ અસ્થાના સાથે સંબંધ ધરાવનાર ઉદ્યોગપતિઓની તપાસ કરી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા સામે ખુદ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ સીવીસીમાં પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યાર પછી વડોદરાના આદેસરા ગ્રૂપના ત્યાંથી ઇન્કમટેક્ષ વિભાગને મળેલી ડાયરીમાં રાકેશ અસ્થાનાનું નામ સામે આવતા આલોક વર્માએ ઈડી અને ઇન્કમટેક્ષ વિભાગ પાસેથી સ્ટ્રલીંગ ગ્રૂપના દરોડાની માહિતી મગાવી હતી. એટલું જ નહીં સીબીઆઈના સાદેસરા ગ્રૂપમાં ચાલતી તપાસ ઉપર સીબીઆઈના વડા ખાનગીમાં વોચ પણ રાખી હતી. બંને અધિકારીઓ વચ્ચે છેલ્લા આઠેક માસથી પત્રયુદ્ધ ચાલતું હતું. તેમ જ સીબીઆઈના બંને જણાની ફાઈલોની તપાસ પણ કરી રહ્યા હતા. સીબીઆઈના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની આગામી દિવસોમાં બદલી કરીને તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે.

October 23, 2018
firecrackers.jpg
2min14460

Jayesh Brahmbhatt 98253 44944

દિવાળીના તહેવારોના ઉપલક્ષમાં આજે સુપ્રીમ કોર્ટે ગ્રીન ક્રેકર્સ એટલે કે લૉ કાર્બન અને ઓછું પ્રદૂષણ ફેલાવતા ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ફોડવાની બાબત પર કોઇપણ પ્રકારની રોક લગાડવાનો ઇન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ આજે ભારતમાં દિવાળીના તહેવારો કે અન્ય પ્રસંગોએ ફટાકડાનું ઉત્પાદન કરવા, વેચાણ કરવા કે ફોડવા પર પ્રતિબંધ (બ્લેંકેટ બેન) મૂકવાની દરખાસ્ત ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણસરના ફટાકડાનું ઉત્પાદન કરી શકાશે, નિર્ધારિત સમયે તેને ફોડી પણ શકાશે. ફટાકડાનું વેચાણ ચોક્કસ માર્કેટમાંથી જ કરી શકાશે, લારીઓ કે ફૂટપાથ પર બિલકુલ પણ ફટાકડા વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે એ પણ નિશ્ચિત કર્યું છે કે જો કોઇ પોલીસ મથક વિસ્તારમાં નિર્ધારિત ધારાધોરણોનો ભંગ કરતા ફટાકડાનું વેચાણ થતું ઝડપાશે, અગર તો નિર્ધારિત સમય ઉપરાંત ફટાકડા ફૂટતાં જોવા મળશે તો જે તે પોલીસ મથકની જવાબદારી નિશ્ચિત કરીને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

  • ફટાકડા અંગે આજરોજ તા.23મી ઓક્ટોબર 2018ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા મહત્વના આદેશો આ મુજબ છે.
  • દિવાળીના તહેવારોમાં રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન ફટકડા ફોડી શકાશે.
  • નવા વર્ષ ક્રિસમસ સેલિબ્રેશનના દિવસોમાં રાત્રે 11.45 કલાકથી 00.30 કલાક સુધી ફટાકડા ફોડી શકાશે.
  • ઓનલાઇન શોપિંગ સાઇટ્સ કે જેઓ આડેધડ રીતે ફટાકડાઓનું વેચાણ કરી રહી છે તેમણે પદ્ધતિસર કેવી રીતે ફટાકડા વેચી શકાશે, નીતિ નિયમોની જાળવણી કેવી રીતે થશે એ અંગે સુપ્રીમ કોર્ટને જણાવવું પડશે એ પછી તેમને મંજૂરી મળશે એ સંદર્ભનો આદેશ પણ અપાયો છે.
  • લારીઓ કે ફૂટપાથ પર કોઇપણ સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
  • નિર્ધારિત ડેસીબલની મર્યાદામાં અવાજ કરતા હોય તેવા ફટાકડા વેચવાની જ ફટાકડા બજારમાં મંજૂરી આપી શકાશે.

Ahead of Diwali, the SC permitted the sale and manufacture of “green” crackers which have low emission across the country.

  • The apex court fixed 8 pm to 10 pm time period for bursting of firecrackers on Diwali.
  • For New Year and Christmas celebrations, bursting of firecrackers will be allowed between 11:45 pm to 12:30 am.
  • However, it restrained e-commerce websites like Flipkart and Amazon from selling firecrackers.
  • It said e-commerce websites will be hauled up for contempt of court if they don’t adhere to the direction.
  • The SC also said that selling of ‘larries’ or series firecrackers will not be allowed in the country.
  • Only the firecrackers with permissible decibel sound limits will be allowed to be sold in the market.
  • The top court asked the Centre to encourage community cracker bursting during Diwali and other festivals in Delhi-NCR.
  • It also directed all the states to explore the feasibility of community cracker bursting during festivals.
  • Station house officers of police station concerned will be held liable if banned firecrackers are sold in their areas.
October 22, 2018
CBI.png
1min6950

CBIમાં બે ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ, ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ટુ ગણાતા રાકેશ અસ્થાના વચ્ચે જામેલા યુદ્ધને ઠારવાના પ્રયાસ રૂપે પીએમઓ એ બન્ને અધિકારીઓને મળવા આવવા માટે તેડું મોકલ્યું છે.

ભારતની સર્વોચ્ચ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં પહેલા અને બીજા નંબરના અધિકારી વચ્ચે હાલ ચાલી રહેલા ઓપન વૉરને કારણે સીબીઆઇ સમેત ભારતની સમગ્ર વિશ્વમાં બદનામી થઇ રહી છે. બન્ને ઉચ્ચ દરજ્જાના અધિકારીઓ વચ્ચે આ યુદ્ધ કેવી રીતે શમી શકે એ માટે પીએમ નરેન્દ્ર મોદીએ સીબીઆઈમાં નંબર એક સીબીઆઈ પ્રમુખ અને નંબર બે વિશેષ નિર્દેશક વચ્ચેનો ઝઘડો ઉકેલવા માટે બંને અધિકારીઓને તેડાવ્યા છે. સાથે જ સીબીઆઈએ માંસના વેપારી મોઈન ખાનને ક્લીન ચિટ આપવાના મામલે SIT CBIના ડેપ્યુટી એસપી દેવેન્દ્ર કુમારની ધરપકડ પણ કરી છે.

CBIના પ્રવક્તા અભિષેક દયાળના કહેવા મુજબ વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના, એજન્સીના અધિકારી દેવેન્દ્ર કુમાર, લાંચ આપવામાં મદદ કરનાર મનોજ પ્રસાદ અને તેમના ભાઈ સોમેશ વિરુદ્ધ 15 ઓક્ટોબરે કેસ નોંધાયો છે.

October 18, 2018
RSS.jpg
1min19870
  • રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
  • સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
  • નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

RSS

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.

છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’

તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.

October 12, 2018
gd_agarwal.jpeg
1min6370

ગંગા નદીને સાફ કરાવવાની માગણી સાથે બાવીસમી જૂનથી આમરણ ઉપવાસ પર ઉતરેલા પ્રખ્યાત ૮૭ વર્ષના પર્યાવરણવાદી અને સમાજસેવક જી.ડી. અગરવાલનું ઋષિકેશમાં આવેલી એઇમ્સની હૉસ્પિટલમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું. બાવીસમી જૂનથી ઉપવાસ પર ઉતરેલા અગરવાલને બુધવારે દસમી ઑક્ટોબરે ૧૧ ઉપવાસ પછી બળજબરીથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ ગંગાની સુરક્ષા માટે અને ગંગોત્રીથી ઉત્તરકાશી સુધી ગંગાના વહેણમાં કોઇ અડચણ ન આવે એ માટે કાયદો ઘડવાની માગણી કરી રહ્યા હતા. તેઓ સ્વામી જ્ઞાન સ્વરૂપ સાણંદ તરીકે પણ એમને ઓળખવામાં આવતા હતા. ૧૧૧ દિવસના ઉપવાસ બાદ બુધવારે પોલીસે એમને હરિદ્વારથી ઋષિકેશના એઇમ્સમાં ખસેડયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગંગાને સાફ કરવાની માગણી કરતા આ મહાનુભાવ ઉપવાસ દરમિયાન ફક્ત મધ મેળવેલું પાણી જ પીતા હતાં. એમની માગણી માટેની વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કથિત રીતે બે દિવસ અગાઉ એમણે પાણી પીવાનું પણ બંધ કર્યું હતું. તેઓ આઇઆઇટી, કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને એમણે કેન્દ્રીય પ્રદૂષણ ક્ધટ્રોલ બૉર્ડમાં સભ્ય, સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

આ અગાઉ પણ એમણે નદીઓને બચાવવા ઉપવાસ આંદોલન કર્યા હતા. ૨૦૦૯માં ભાગીરથી નદી પર બંધાતા બાંધને રોકવા માટે એમણે કરેલા ઉપવાસ સફળ થયા હતા.

October 11, 2018
Railways.png
1min5340

દેશના 11.91 લાખ કર્મચારીને આનંદો : રેલવે પર પડશે બે હજાર કરોડનો બોજ

નવરાત્રી આરંભ થતાં જ સરકારી, અર્ધસરકારી કચેરીઓ હોય કે પ્રાઇવેટ બિઝનેસ, ફર્મ્સ હોય, એમાં કામ કરતા તમામ કર્મચારીઓ એક સમાચાર સત્વરે મળે તેવી અપેક્ષા રાખતા હોય છે અને એ સમાચાર હોય છે બોનસના. આ વખતે દિવાળી પહેલા બોનસના સમાચાર ભારતીય રેલ દ્વારા આપવામાં આવ્યા છે. ઇન્ડિયન રેલવેએ તેના કર્મચારીઓને 78 દિવસનો પગાર અંદાજે  (અઢી મહિનાનો પગાર) બોનસ તરીકે આપવાનો અને એ પણ દશેરા પહેલા એ ચૂકવાય જશે એવો નિર્ણય કરીને રેલવેને અંદાજે 12 લાખ કર્મચારીઓના દિલ જીતી લીધા છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના લાખો કર્મચારીઓ બોનસના સમાચાર મળે તેની રાહ જોઇને બેઠા છે.

રેલવે કર્મીઓ માટે આનંદના સમાચારમાં આ વરસે રેલવે તંત્ર તેના કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલી રકમ બોનસના રૂપમાં આપવા જઇ રહ્યું છે.

કેન્દ્રીય પ્રધાન મંડળે રેલવેના આ અંગેના પ્રસ્તાવને તા.10મી ઓક્ટોબર 2018ના રોજ મંજૂરી આપી દીધી હતી. દુર્ગાપૂજાથી પહેલાં જ બોનસ તમામ કર્મચારીને ચૂકવી દેવાશે, તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. આ બોનસ રેલવે બિનરાજ પત્રિત કર્મચારીઓને આપે છે. દેશમાં આવા 11.91 લાખ કર્મચારી છે. આ બોનસ આપવાથી રેલવે પર ચાલુ વર્ષ દરમ્યાન લગભગ બે હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

દર વરસે દશેરાથી પહેલાં બોનસ ચૂકવી દેવાની પરંપરા છે. જોકે, તેમાં રેલવે સુરક્ષાદળ અને રેલવે સુરક્ષા વિશેષ દળના કર્મચારીઓનો સમાવેશ કરાતો નથી. રેલવે સૂત્રોના જણાવ્યાનુસાર આ બોનસ હેઠળ એક કર્મચારીનાં ખાતામાં 18 હજાર રૂપિયા સુધીની રકમ આવી શકે છે. નોંધનીય છે કે લગાતાર સાતમાં વરસે આ વખતે રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ ચૂકવવામાં આવી રહ્યું છે.

October 7, 2018
runwayrepairs.jpg
1min8240
  • દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે
  • દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27, 15 નવેમ્બરથી 13 દિવસ બંધ
  • મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે
  • મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે
  • 900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા
  • દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ માટે નવેમ્બર 2018થી 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં  બંધ રહેવાના હોઇ નવેમ્બરથી ફેબ્રુઆરી 2019 સુધીમાં ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ફ્લાઇટ્સમાં વિલંબ અને મોંઘી ટિકીટ્સના પ્રશ્નોનો સામનો મુસાફરોએ કરવો પડશે. ખાસ કરીને ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં આ પ્રશ્નો મોટા પાયે સર્જાશે.

ભારતના બે સૌથી બિઝી એરપોર્ટસ, મુંબઇ અને દિલ્હી રન-વે મેન્ટેનન્સ કામ હાથ ધરાવાના કારણે  900 ફ્લાઇટ્સ રદ થવાની અને ઘણી ફ્લાઇટ્સના સમયમાં ફેરફાર થવાની શક્યતા છે.

દિલ્હી એરપોર્ટનો રનવે નવેમ્બરમાં 13 દિવસ બંધ રહેશે. મુંબઈનું એરપોર્ટ પણ 7 ફેબ્રુઆરી 2019થી માર્ચના અંત સુધી સપ્તાહમાં ત્રણ દિવસ છ કલાક બંધ રહેશે. દિલ્હી એરપોર્ટ બંધ રહેવાથી 200 ફ્લાઇટ્સ અને મુંબઈ એરપોર્ટના કારણે 700 ફ્લાઇટ્સને અસર થશે.

બંને એરપોર્ટના ક્લોઝર વખતે ડોમેસ્ટિક ફ્લાઇટ્સને સૌથી વધુ અસર થશે. ઉપરાંત, એરલાઇન્સ ફ્લાઇટ રદ કરશે અને તેને લીધે હવાઈભાડાંમાં વધારો નોંધાશે. એરપોર્ટ ઓપરેટર્સના જણાવ્યા અનુસાર રનવેને રિપેરિંગની જરૂર છે અને એરપોર્ટ ઓપરેટર્સે એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે યોગ્ય સંકલન પછી આ નિર્ણય લીધો છે.

દિલ્હી એરપોર્ટ સૌથી જૂનો રનવે-27 નવેમ્બરની 15 તારીખથી 13 દિવસ સુધી બંધ રાખશે. રનવેનો ઉપયોગ મુખ્યત્વે ટર્મિનલ 1ડીનો ઉપયોગ કરતી ફ્લાઇટ્સ કરે છે. આ રનવે બંધ થવાથી ૨૦૦ ફ્લાઇટ્સને અસર થશે અને અન્ય ફ્લાઇટ્સના સમય ખોરવાશે. રિપેરિંગની જરૂરિયાત હોવાથી રનવે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવશે. રનવે બંધ કરવાનો નિર્ણય એરલાઇન્સ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કરીને લેવાયો છે.

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવેને મજબૂત બનાવવા ક્લોજર જરૂરી છે. ક્લોઝરને પગલે મુંબઈ એરપોર્ટના રનવેનું ઇન્ટરસેક્શન મજબૂત બનશે. ઇન્ટરસેક્શન ખાતે રિપેરિંગ કામ થવાનું હોવાથી અમારે રનવે સંપૂર્ણ બંધ કરવો પડશે. એરપોર્ટને દિવસ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તેને લીધે વહેલી સવાર, મોડી રાત અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને સૌથી ઓછી અસર થશે.

મુંબઈ એરપોર્ટનો રનવે 7 ફેબ્રુઆરી 2019થી બાવન દિવસ માટે દિવસમાં છ કલાક (સવારના 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી) બંધ રહેશે. તેને લીધે લગભગ 700 ફ્લાઇટ્સને અસર થશે. ઉપરાંત, મુંબઈ એરપોર્ટ 23 ઓક્ટોબર 2018ના રોજ થોડા કલાકો માટે બંધ રહેશે, જેની અસર 32 ફ્લાઇટ્સને થશે.

October 4, 2018
icic.jpg
1min9080

બેંક કૌભાંડોમાં જેમના પતિ તેમજ તેમની પોતાની સંડોવણીના થયેલા આક્ષેપો, ફરીયાદો, તપાસ વગેરેને પગલે ભારતની પ્રાઇવેટ સેક્ટર બેંક, આઇસીઆઇસીઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ચંદા કોચરએ બેંકની કાર્યવાહીમાંથી તેમને મુક્ત કરવા અંગે, તેમજ નિયત સમયમર્યાદા કરતા વહેલા નિવૃત કરવાની કરેલી અરજીને ત્વરિત પ્રત્યાઘાત આપતા આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની બોર્ડ મિટિંગમાં ચંદા કોચરના તાત્કાલિક અસરથી કામગીરી મુક્ત કરી દેવાયા છે. ચંદા કોચરની જગ્યાએ હવે આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના નવા સી.ઇ.ઓ. તરીકે સંદીપ બક્ષીની નિમણૂંક કરવામાં આવી છે. સંદીપ બક્ષીની પાંચ વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવી છે.

ચંદા કોચર અને તેમની સાથે નવા વરાયેલા સી.ઇ.ઓ. સંદીપ બક્ષી

ચંદા કોચર અને તેમના પતિ સામે અનેક ઇન્કવાયરીઓ ચાલી રહી છે. ચંદા કોચર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની અન્ય શાખાઓ અને કન્સર્ન પેઢીઓમાંથી પણ કાર્યમુક્ત થઇ જશે.

 

October 4, 2018
prithvi.jpg
1min4280

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખંડેરી સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ સાથે ટેસ્ટ સીરિઝનો પ્રારંભ થયો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. 18 વર્ષીય પૂથ્વી શો પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. ટેસ્ટમાં ડેબ્યૂમાં સદી ફટકારનાર પૃથ્વી શો 15મો ભારતીય બેટ્સમેન બન્યો હતો. શોએ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરીને ડેબ્યૂમાં જ સદી ફટકારી છે. આ સાથે જ ડેબ્યૂમાં સદી ફટકારનાર યુવા બેટ્સમેન બનવા ઉપરાંત પૃથ્વીએ રેકોર્ડ રચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પૃથ્વી શોએ રાજકોટમાં જ રણજી કારકિર્દી આરંભી હતી. પોતાની પ્રથમ જ રણજી મેચમાં પૃથ્વી શોએ સદી ફટકારી હતી. મુંબઈમાં સ્કૂલ ક્રિકેટથી તે રનના ઢગલા કરતો આવ્યો છે. આ ઉપરાંત આ વર્ષે તેની આગેવાની હેઠળ ભારતીય અંડર-19 ટીમે જુનિયર વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.