CIA ALERT
12. May 2024
November 15, 20181min4340

Related Articles



નવા વિકાસ નિયમો મુંબઇનો વર્ટિકલ વિકાસ સાધશે

Share On :
Print Friendly, PDF & Email

તા.14મી નવેમ્બર 2018ના રોજ જાહેર થયેલા મહારાષ્ટ્ર સ્ટેટના ડેવલપમેન્ટ ક્ન્ટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) અનુસાર મુંબઈ હવે વર્ટિકલી વિકાસ થવાની દિશામાં આગળ વધશે.

નવા વિકાસ નિયમો અન્વયે રોડ-રસ્તા પહોળા કરવા અને જાહેર સુવિધાઓ વિકસાવવા માટે જમીન સંપાદિત કરવામાં પણ સરળતા રહેશે. પહેલીવાર ડીસીપીઆરમાં નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નવા બંધાતા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટની હોવી જોઈએ. આ નવો ડીસીપીઆર શહેરના તમામ નવા બંધાતા પ્રોજેક્ટને લાગુ પડશે. ડીપી શહેરની જમીનના ઉપયોગની રૂપરેખા દર્શાવે છે જ્યારે ડીસીપીઆર બાંધકામ અંગેની રૂપરેખા દર્શાવે છે. બે છ મીટરના રોડ વચ્ચે અગાઉ 32 મીટર ઊંચી ઈમારતની પરવાનગી હતી, જે હવે વધારીને 70 મીટર કરવામાં આવી છે. ઓછી ઊંચાઈના નિયમને લીધે બિલ્ડર લૉબી નારાજ હોવાનું સામે આવ્યું હતું. આમ થવાથી શહેરની ઈમારતો હજુ ઊંચી જશે. આ સાથે ડીસીપીઆરમાં જાહેર સુવિધા માટે પાંચ વર્ષમાં જે જમીન આપશે તેવા જમીનમાલિકોને એફએસઆઈમાં વધારો આપવામાં આવ્યો છે. જેથી જમીનમાલિકો પણ ઉત્સાહમાં આવશે, તેવી ધારણા સરકારની છે. કમર્શિયલ બિલ્ડિંગને ઈમારતોને પાંચ સુધીની એફએસઆઈ મળશે, જેમાં તેમણે રેડીરેકનરના ભાવના 50 ટકા રકમ પ્રીમિયમ તરીકે આપવાની રહેશે, જે અગાઉ 80 ટકા હતી.

સરકારના આ નિર્ણયને એક તરફ બિલ્ડરો અને આર્કિટેક્ચરો વખાણ્યો છે. તેમના જણાવ્યા અનુસાર મંદ પડી ગયેલા રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ મળશે, નવી રોજગારી ઊભી થશે અને નવી રહેવાસી તેમ જ વ્યાવસાયિક ઈમારતો ઊભી થશે. તો બીજી બાજુ આ નિર્ણયને લીધે મુંબઈ શહેરના માળખા પર ભારે સર પડશે. શહેર આટલો વિકાસ કે બોજો જીલી શકે તેમ નથી. ઊંચી ઈમારતોને લીધે લોકોના જીવના જોખમની શક્યતાઓ પણ વધી જશે. જોકે સસ્તા ઘરની સાઈઝ ઓછામાં ઓછી 300 સ્કવેર ફૂટ રાખવાની જોગવાઈને તમામે આવકારી છે. અગાઉ સરકાર દ્વારા પરવડે તેવા ઘર માટે કોઈ સાઈઝ નક્કી ન હતી. આથી 180થી 270 સ્કવેર ફૂટના ઘર બનતા હતા. એક નાના પરિવાર માટે પણ આ જગ્યા પૂરતી ન હતી અને લોકો નાનકડી ઓરડીમાં હવા-ઉજાસ વિના જીવન પસાર કરી દેતા હતા. 300 સ્કવેર ફૂટના નિર્ણયથી એસઆરએ, મ્હાડા જેવી સ્કીમનો લાભ લેનારા મધ્યમ અને નીમ્ન મધ્યમવર્ગને સારું ઘર મળી રહેશે.

ડીપીમાં 3,700 હેક્ટર જમીન, જે અગાઉ નૉ ડેવલપમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી, તેને પણ ડેવલપમેન્ટ માટે ખુલ્લી મૂકવાની માગ કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે જો એફએસઆઈ યોગ્ય પ્રિમિયમે આપવામાં આવશે, તો મકાનના ભાવમાં 10થી 15 ટકાનો ઘટાડો આવનારા સમયમાં નોંધાશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :