ઇન્ડીયા Archives - Page 206 of 216 - CIA Live

November 8, 2018
diya-stamps-by-uno-on-diwali.png
1min10260

પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNITED NATIONS ORGANISATIONS અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.

યુનોએ ભારતના સૌથી મોટા અને મહિમાસભર પર્વે સંવેદનશીલ રીતે વર્તતા ભારતની લાગણીઓ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને જીતી લીધી હતી. બરાબર ભારતમાં દિવાળીનો દિવસ હતો ત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના સત્તાધીશોએ ભારતના પ્રકાશ પર્વના દિવડાઓ સ્વરૂપની ટપાલ ટિકીટ જારી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી

અમેરિકન પ્રેસિડેન્ટના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.

(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.

 

November 4, 2018
crpatil-1280x720.jpg
1min89420

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પ્રતિભા કહો કે કર્મ, ક્યારેએ સંતાયને રહેતું નથી અને કોઇ લાખ પ્રયત્નો કરે પણ કોઇ, કોઇનું કર્મ દબાવી શક્તું નથી. નવસારીના સાંસદ સી.આર. પાટીલ પોતાના કાર્યક્ષેત્ર નવસારીના અંતરયાળ ગ્રામીણ વિસ્તારમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના કરી રહેલા અમલીકરણ અને એ પછી લાભકર્તાઓએ વ્યક્ત કરેલા પ્રતિભાવોની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહર્ષ નોંધ લઇને દેશના અન્ય સાંસદોને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલની જેમ કામગીરી કરવા માટે સૂચન કર્યું છે.

(સાંસદ સી.આર. પાટીલ એ ઉજ્જવલા યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જો કોઇ ટ્વીટ કરે તો એ હજારો લોકો માટે માર્મિક બની જતી હોય છે. પણ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નવસારીના સાંસદ અને ગુજરાત બીજેપીના કદાવર નેતા શ્રી સી.આર. પાટીલની કામગીરીને રેફરન્સ આપતી બે ટ્વીટ કરી છે. સાંસદ શ્રી સી.આર. પાટીલએ પોતાના મત વિસ્તારમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચાડ્યો અને પહોંચાડ્યા પછી લાભકર્તા પરિવારોના પ્રતિભાવોનો વિડીયો મૂક્યો હતો. આ વિડીયો પરથી જણાય આવે છે કે કેન્દ્રસરકારની સુખાકારી યોજનાઓ લાભકર્તા પરિવારો માટે કેટલી હદે ઉપયોગી નિવડે છે. પી.એમ. મોદીની આ ટ્વીટની ગણતરીની મિનિટોમાં જ બીજી ટ્વીટ કરી અને એ પણ સી.આર. પાટીલની કામગીરીને બિરદાવતી ટ્વીટ હતી.

(સાંસદ સી.આર. પાટીલ એ આયુષ્યમાન યોજનાના લાભાર્થી પરિવારનો પ્રતિસાદનો વિડીયો પોસ્ટ કર્યો હતો જેને વડાપ્રધાન શ્રી મોદીએ ટ્વીટ કરીને આ પ્રકારની કામગીરી કરવા અન્ય સાંસદોને સૂચવ્યું છે)

સી.આર. પાટીલએ કેન્દ્ર સરકારની યોજના આયુષ્યમાન ભારતનો બહોળો ફેલાવો પોતાના મતવિસ્તારમાં કર્યો છે અને તેનો લાભ લેનારા છેવાડાના પરિવારો એ આ યોજના બદલ કેન્દ્ર સરકાર, મોદી સરકારને અનેકાનેક આશીર્વાદ આપ્યા છે.

પી.એમ. મોદીએ ભાજપાના સાંસદો, નેતાઓ જોગ જણાવ્યું છે કે આ પ્રકારે કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને તેમનો પ્રતિસાદ લઇને અન્ય લોકો સુધી પહોંચાડવો જોઇએ. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થીઓને મળવાનો પણ અનુરોધ કર્યો છે.  કેન્દ્ર સરકારની કામગીરીનું ખરેખર આ જ તો મૂલ્યાંકન છે.

November 1, 2018
No_smoking-1280x1280.png
1min14650
  • જાહેર સ્થળો પર ધુમ્રપાન નહીં થાય તેવો કોપ્ટા ધારો લાગૂ છે પણ તેનો કોઇ ભય ધુમ્રપાન કરનારાઓમાં નથી
  • કેન્દ્ર સરકાર જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓને દંડવાની સત્તા પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓને આપી રહી છે
  • કોપ્ટા હેઠળ વસુલ કરવામાં આવતા દંડની રકમનું ફંડિંગ કરવા એન્ફોર્સમેન્ટ અધિકારી નોટીફાય કરાશે

દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.

દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.

કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.

November 1, 2018
gold_mannn.jpg
1min11580

મધ્યપ્રદેશના દેવાસમાં એક ગોલ્ડ મેનને બે કિલોથી વધારે સોનું પહેરીને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. લુઈસ પોલ નામનો શખસ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં સોનાના બે મોટા ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા પહેર્યા હતા. જેની કિંમત 70 લાખ જેવી થતી હતી.’ આ દરમિયાન ફ્લાઈંગ સ્કોડે આચારસંહિતા ભંગનો દાષિત ગણીને કાર્યવાહી કરી હતી અને તેની અટકાયત કરીને આવકવેરા વિભાગને સોંપવામાં આવ્યો હતો. હકીકતમાં આચાર સંહિતા દરમિયાન મહિલાઓ 500 ગ્રામ અને પુરુષો 250 ગ્રામ સોનાના આભૂષણ પહેરી શકે છે. પરંતુ અટકાયત થયેલો લુઈલ બે કિલોથી પણ વધારે ઘરેણા પહેરીને ફરી રહ્યો હતો.

October 31, 2018
statue-of-unity.jpg
1min6030

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે

આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે, ત્યારે આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી. આ પ્રતિમા 182 મીટર ઉંચી. નિશ્ચિતપણે આ સ્થળ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સર્કિટમાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે.

-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 153 મીટરે ગેલેરી તૈયાર કરવામાં આવી છે જ્યાંથી 200 પ્રવાસીઓ એકસાથે નર્મદા ડેમનો નજારો જોઇ શકે છે. જેના માટે 4 હાઇસ્પિડ લિફ્ટ પણ મુકવામાં આવી છે. જે માત્ર 30 સેકન્ડમાં સરદાર પટેલના હાર્ટ સુધી પહોંચાડી દેશે.

  • -લક્ઝુરીયસ સુવિધાઓ સજ્જ ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવી છે. જેમાં 250 જેટલા ટેન્ટ તૈયાર કરાયા છે.
  • -6.5ની તિવ્રતાનો ભૂકંપ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કંઇ નુકશાન પહોંચાડી નહીં શકે, તેટલી મજબૂત આ પ્રતિમાને બનાવવામાં આવી છે.
  • -220 પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ પ્રતિમાને મળશે રક્ષણ
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામમાં ૯૦,૦૦૦ મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે
  • -25 હજાર મેટ્રિક ટન લોખંડ ઉપયોગમાં લેવાયું છે
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટીની સામે ભાગે જ 23.33 લાખ ફૂલથી ‘વેલી ઓફ ફ્લાવર’ તૈયાર કરાયું છે
  • -સરદાર સરોવર ડેમની સામે ભાગે જ તૈયાર થયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી
  • સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતુ વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે
  • -સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવેલા પ્રવાસીઓ માટે બોટ રાઇડિંગની સુવિધા પણ કરવામાં આવી છે.
  • -4800 કર્મચારીઓ અને 250 જેટલા એન્જીનિયરે રાત-દિવસ કામગીરી કરીને પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે.
  • -પ્રવાસીઓ માટે ખાસ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે.
October 30, 2018
statue-of-unity.jpg
1min4400

ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે.પીએમ મોદી કેવડિયા કોલોની ખાતે આકાર પામેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું અનાવરણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પી.એમ. નરેન્દ્ર મોદી  31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.

આ છે વડાપ્રધાનનો કાર્યક્રમ

– તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે રાત્રે 9.30 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે.
– ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9 વાગ્યે કેવડિયા કોલોની પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 10થી બપોરના 12 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો સમારોહ

– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે 12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે

October 29, 2018
gst.jpg
1min6260

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલાતમાં વધારો કરવા માટે ભારતની સરકાર બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની વ્યવહારમાં સુધારની વ્યવસ્થાની પ્રણાલીને અનુસરશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય પરોક્ષ વેરા અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)એ કરદાતાઓના વ્યવહાર અને નીતિરીતિનાં અધ્યયનની રણનીતિ બનાવવા માટે એક ટીમની રચના કરી છે.
બોર્ડ અલગ-અલગ પ્રકારના કરદાતાઓ સાથે તેમનાં વર્તન-વલણને અનુરૂપ જીએસટી વસૂલાત માટે અલગ-અલગ ઉપાયો અજમાવશે.

 

October 27, 2018
rafale-fighter-1.jpg
1min4730

આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી 

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કેન્દ્ર સરકાર પાસેથી ડીલના નિર્ણયની પ્રક્રિયા કેવી રીતે થઈ તે અંગે વિસ્તૃત માહિતી માગી હતી, જેના અનુસંધાને આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં રાફેલ ડિલ સિક્રેટની સઘળી વિગતો સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી છે. સમગ્ર અહેવાલ રાફેલ ડીલની નિર્ણય પ્રક્રિયા કેવી રીતે થઈ તેના પર આધારિત છે. આ મામલે 29 ઓક્ટોબરે વધુ સુનાવણી થશે.

 

October 27, 2018
tarik.jpg
1min5310

લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે છેડો ફાડ્યા બાદ આજરોજ તા.27મી ઓક્ટોબર 2018ને શનિવારે સવારે  રાજકીય નેતા તારિક અનવર સત્તાવાર રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મળીને કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. અનવર તેમના સમર્થકો સાથે તુઘલક લેન ખાને રાહુલ ગાંધીને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા અને રાહુલ ગાંધીએ તેમને કોંગ્રેસમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

શરદ પવારના રાફેલ મુદ્દે મોદી તરફી નિવેદન બાદ 28 સપ્ટેમ્બર અનવરે એનસીપીમાંથી છેડો ફાડ્યો હતો

 

 

October 26, 2018
rahul.jpg
1min5040

સીબીઆઈના મુદ્દે કોંગ્રેસે અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો છે. જેમાં દિલ્હીમાં સીબીઆઈ કચેરીને ઘેરવા આવેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ દિલ્હી સીબીઆઈ હેડક્વાર્ટર સહિત દેશભરની સીબીઆઈ કચેરીઓનો ઘેરાવ કરીને મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને રાતોરાત રજા પર ઉતારી દેવાની ફરજ પાડવામાં આવતા કોંગ્રેસે દેશની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો.

દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સમેત અન્ય નેતાઓને અટકાયતમાં લીધા હતા અને અંદાજે 50 મિનિટ જેટલા સમય માટે અટકાયતમાં રાખીને તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.

New Delhi: Congress President Rahul Gandhi holds a cutout of a fighter aircraft during a protest demanding the reinstatement of CBI Director Alok Verma outside the CBI headquarters, in New Delhi, Friday, Oct 26, 2018. (PTI Photo/Arun Sharma) (PTI10_26_2018_000032B)