ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કેવડીયા ખાતે નિર્માણ સંપન્ન થયું છે.પીએમ મોદી કેવડિયા કોલોની ખાતે આકાર પામેલા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું અનાવરણ કરવા માટે ગુજરાત આવી રહ્યા છે. પી.એમ. નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે.
આ છે વડાપ્રધાનનો કાર્યક્રમ
– તા.30મી ઓક્ટોબર 2018ને મંગળવારે રાત્રે 9.30 કલાકે વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચશે.
– ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9 વાગ્યે કેવડિયા કોલોની પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 9.30 કલાકે બાય રોડ વેલી ઓફ ફ્લાવર્સ પહોંચશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે સવારે 10થી બપોરના 12 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો સમારોહ
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 12.50 કલાકે કેવડિયાથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ આવશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે 12.55 કલાકે વડોદરા એરપોર્ટ પરથી દિલ્હી જશે
– તા.31મી ઓક્ટોબર 2018ને બુધવારે બપોરે 2.25 કલાકે દિલ્હી પહોંચશે



















