CIA ALERT

ઇન્ડીયા Archives - Page 200 of 216 - CIA Live

January 7, 2019
main10.jpg
1min11610

લોકસભા 2019ની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બે મુખ્ય રાજકીય હરીફ ભાજપા અને કોંગ્રેસ જ્યાં જ્યાં પોતાની સરકારો છે ત્યાં ત્યાં સુધા જ સામાન્ય લોકોને લાભ મળે તેવી યોજનાઓની જાહેરાતો કરી રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કરી દેનાર કોંગ્રેસને લપડાક મળે તે માટે ભાજપાએ આજે કેન્દ્ર સરકારની કેબિનેટમાં એવો નિર્ણય લેવડાવ્યો કે જેનાથી આખા દેશના સવર્ણ (ઓપન કેટેગરી) (અનરિઝર્વ્ડ) કેટેગરીમાં આવતા તમામ લોકોને ઉચ્ચ અભ્યાસ (સ્કુલ પછીનો અભ્યાસ)માં તેમજ સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળશે. આ સાથે જ દેશમાં હવે અનામતનું પ્રમાણ 49 ટકાથી વધીને 59 ટકા થયું છે.

કેન્દ્ર સરકારની કેબિનેટમાં આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણ પરિવારોના ઉમેદવારોને નોકરી અને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ સમયે 10 ટકા અનામત આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ બિલ સંસદ અને રાજ્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે. લોકસભાની ચૂંટણીઓ 2019માં યોજાઇ રહી છે તે પહેલા કેન્દ્રની ભાજપા સરકાર આ બિલનો અમલ કરી દેવા સાથે આગળ વધી રહી છે.

આર્થિક રીતે નબળા વર્ગના સવર્ણનું પ્રમાણ નક્કી કરવા માટે જે તે પરિવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.8 લાખની રાખવામાં આવી છે.

News in English too

The Union Cabinet has approved 10 per cent reservation in jobs and educational institutions for the economically weak sections in the general category+. This reservation will be over and above the existing 50 per cent reservation, they said, adding that the government is likely to bring a constitutional amendment bill in Parliament on Tuesday, 8th January 2019.

“The reservation will be given to those economically backward poor people who are not availing the benefit of reservation as of now,” a source said.

The reservation benefit is likely to be availed by those whose annual income is below Rs 8 lakh and have up to five acres of land, he said.

Articles 15 and 16 of the Constitution will have to be amended for implementation of the decision, the sources added.

The move has come just ahead of the Lok Sabha elections this year.

January 7, 2019
immer-1280x720.jpg
1min7020
તા.5મી અને 6 જાન્યુઆરીના રોજ ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રમાં ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. એક તરફ ત્રણ ત્રણ વિમાનોને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. તો બીજી તરફ ખરાબ હવામાનના કારણે 100થી વધુ ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાય જતા હજારો મુલાકાતીઓએ હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. એકલા અમદાવાદ એરપોર્ટ પર 35થી વધુ ફ્લાઇટસના સમય ખોરવાય જવા પામ્યા હતા.

(Symbolic Photo)

શનિ-રવિ, તા.5 અને 6 જાન્યુઆરી 2019ના 24 કલાક દરમિયાન ભારતમાં નાગરીક ઉડ્ડયન ક્ષેત્રના ત્રણ ત્રણ વિમાનોનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના બનતા ભારતના નાગરીક ઉડ્ડયન ક્ષેત્રની વિશ્વસનીયતા સામે અનેક સવાલો ઉપસ્થિત થયા છે. સમગ્ર વિશ્વમાં નોંધ લેવામાં આવી છે કે ભારતમાં ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ ઉપરા છાપરી કયા કારણોસર આકાર પામી છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે પણ ત્રણે ઘટનાઓની ઝીણવટભરી તપાસના આદેશો જારી કર્યા છે. વિમાનના ઇમજન્સી લેન્ડિંગની એક ઘટનામાં તો વિમાન આકાશમાં 30 હજારથી વધુ ફીટની ઉંચાઇએ હતું ત્યારે જ તેનું એન્જિન એકાએક બંધ થઇ ગયું હતું. યાત્રીઓના જીવ જોખમમાં મૂકાયા ત્યારે વિમાનને સહીસલામત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.

ક્યાં ક્યાં બની ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ 
ઘટના-1
રવિવાર તા.6 જાન્યુઆરીએ દુબઇ જઇ રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં યાંત્રિક ખામી થતા મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.
ઘટના-2
ઇમરજન્સીની એક બીજી ઘટના રવિવારે વારાણસીમાં આકાર પામી હતી. ઇમરજન્સી લેન્ડિંગની આ ઘટનામાં હોંગકોંગથી દિલ્હી આવી રહેલા બોઇંગ 737નું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઇટના જમણા એન્જિનમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા વારાણસીમાં તાત્કાલિક લેન્ડિંગની ફરજ પડી હતી. ફ્લાઇટમાં 142 યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા. જેમને બીજી ફ્લાઇટના વ્યવસ્થા કરી તેમના યાત્રા સ્થળે પહોંચાડવામાં આવશે. માહિતી મુજબ વિમાનમાં બે એન્જિન હોય છે પરંતુ ઉડાન દરમિયાન ઇંધણ ન મળતા વિમાનનું જમણું એન્જિન બંધ થઇ ગયું હતું. આ ઘટના પટનાના એરસ્પેસમાં બની હોવાથી નજીકના વારાણસી એરપોર્ટ પર તેની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
ઘટના-3
ઇમરજન્સી લેન્ડિંગની ત્રીજી ઘટના શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ના રોજ રાત્રિએ કલકત્તામાં પણ એક વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી હતી. એર ઇન્ડિયાના વિમાન AI-355 બેંગકોકથી દિલ્હી આવી રહી હતી પરંતુ ઇંધણ લિકેજ થતા ઇમરજન્સી લેન્ડિંગની સ્થિતિ ઊભી થઇ હતી.

ખરાબ વાતાવરણે દાટ વાળ્યો, 100થી વધુ ફ્લાઇટ લેટ, એકલા અમદાવાદમાં 35થી વધુ ફ્લાઇટ્સ લેટ પડી

છેલ્લા બે દિવસમાં ૧૦૦થી વધુ ફ્લાઇટ લેટ થઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે.  કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતથી ઉપડતી તમામ ફ્લાઇટ્સના શિડ્યૂલ ખોરવાયા હતા. દક્ષિણ તરફથી આવતી ફ્લાઇટ્સના પણ ખરાબ હવામાનને લીધે શિડ્યૂલ ખોરવાઇ ગયા હતા અને હજારો મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ આવતી અને જતી ૩૫થી વધુ ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ પડતાં એરપોર્ટ પર મુસાફરો અટવાયા હતા.
ડોમેસ્ટિક ઉપરાંત લંડન અને શારજાહ તથા દુબઇ જતી ફ્લાઇટ્સ પણ કલાકો મોડી પડી હતી. બેંગલુરુથી અમદાવાદ આવતી અને અમદાવાદથી બેંગલુરુ જતી ફ્લાઇટ રદ કરવી પડી હતી. ફ્લાઇટ પાંચ કલાક સુધી લેટ થતાં બાળકો અને સિનિયર સિટીઝન સાથે મુસાફરી કરતાં મુસાફરોની સ્થિતિ દયનિય બની જતી હોય છે. કનેક્ટ ફ્લાઇટ પણ ચુકી જવાય તેવી સ્થિતિ સર્જાતી હોય છે.
January 6, 2019
gst.jpg
1min12300

અગાઉ જીએસટી રિટર્ન ફાઇલ કર્યા પછી બીજા મહિને રિટર્ન ફાઇલ નહીં કરનારાઓની સંખ્યા 10 ટકા પરથી 28 ટકા થઇ ગઇ

કોમ્પોઝીશન સ્કીમના કરદાતાઓ પણ ઘટયા : નાણાંખાતાના રાજ્યપ્રધાને’ વિગત આપી

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) હેઠળ કોમ્પોઝીશન સ્કીમના ડિલરો સહિત ટેકસ ભરનારાઓનો દર ઘટતો જોવા મળે છે. આથી સત્તાવાળાઓએ આ ટેકસ ન ભરનારાઓને શોધવાની કામગિરી હાથ ઉપર લીધી છે. જે કરદાતાઓએ જીએસટી હેઠળ રિટર્ન ફાઇલ નથી કર્યા તેની ટકાવારી નવેમ્બર-2017માં જે 10.58 ટકા હતી તે નવેમ્બર-2018માં વધીને 28 ટકા થઇ ગઇ છે એમ નાણાં ખાતાના રાજ્યપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

કોમ્પોઝીશન સ્કીમ હેઠળ પણ આમ જ બન્યુ છે અને રિટર્ન ફાઇલ ન કરનારાઓની ટકાવારી જુલાઇ-સપ્ટેમ્બર દરમિયાન 25.37 ઠકા થઇ હતી જે 2017ના ગાળામાં 15.03 ટકા હતી. કોમ્પોઝીશન સ્કીમ હેઠળ વેપારીઓ, ઉત્પાદકો અને રેસ્ટોરાં નીચા મામૂલી દરનો ટેકસ ભરે છે. નાણાં ખાતાએ દર્શાવેલા આ આંકડા’ કોમ્પોઝીશન સ્કીમ ડિલરો સહિત ટેકસ ભરનારાઓમાં ઘટાડાનો પ્રવાહ જોવા મળે છે.

જીએસટી હેઠળ કર ભરવાના પ્રમાણમાં ઘટાડો સરકાર માટે ચિંતાનો વિષય છે. જીએસટી હેઠળ રેવન્યુ કલેકશન આમેય ચિંતાનો વિષય છે અને આ વર્ષે બજેટના લક્ષ્યાંકો પૂરા થાય તેમ નથી લાગતું. આ રીતે કર ઓછો આવતા હવે કોમ્પોઝીશન સ્કીમને સર્વીસ પ્રોવાઇડરોમાં દાખલ કરવામાં અડચણો ઉભી થવાની સંભાવના છે. જો આ ગુમ થયેલા કરદાતાઓને શોધવા તેમના ઓફિસ અને ઉત્પાદન સ્થળો ઉપર કર સત્તાવાળાઓને રૂબરૂ તપાસ માટે પ્રવેશવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી એમ નાણાંખાતાના રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

January 5, 2019
CR-1280x1620.jpg
1min22620

સી.આર. પાટીલને દક્ષિણ ગુજરાતના લોકનેતા કહેવાય છે, કોઇપણ સામાન્ય વ્યક્તિ તેમની પાસે કામ લઇને પહોંચી જાય, ફોન કરે એટલે તેમના કામનું ફોલોઅપ શરૂ થઇ જાય. એવું જરૂરી નથી કે બધા કામ 100 ટકા જ થઇ જાય પણ સી.આર. પાટીલ પોતે અંગત રસ લઇને કામની પ્રાયોરિટી મુજબ તેનું ફોલોઅપ કરે અને નિવેડો લાવવા સુધી પ્રયાસો કરે. એક આવો જ પ્રયાસ સુરતના નેતા અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે કરીને સુરત સમેત દેશભરના કુલ 2160 જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ્સ એટલે કે તબીબ બની ચૂકેલા ઉમેદવારો માટે કર્યો છે. 2160 જેટલા તબીબો આવતીકાલ તા.6 જાન્યુઆરીએ યોજાનારી નીટ પીજી પરીક્ષા માટે બિલકુલ લાયક છે, પણ તેમની હોલટિકીટમાં કેટલીક ક્ષતિઓને કારણે તેઓ પરીક્ષામાં બેસી શકે તેમ ન હતા. નેશનલ એકઝામિનેશન બોર્ડ સાથે આ મુદ્દે વાતચીતો થઇ પણ હોલટિકીટનો મેળ પડતો ન હતો. મેડીકલ ગ્રેજ્યુએટ થયેલા તબીબો માટે નીટ પીજી સૌથી મહત્વની પરીક્ષા ગણાય, આમેય આપણા દેશમાં પી.જી. મેડીકલની સીટો ઓછી, પ્રવેશ કાર્યવાહી કડક અને એમાં આવી તક જતી રહે તો 2160 તબીબોને મોટી હાની થાય તેમ હતું. આવા સંજોગોમાં સી.આર. પાટીલ કે જેઓ દિલ્હી ખાતે સંસદ સત્રની કાર્યવાહીને પગલે ઉપસ્થિત હતા, ત્યાં તેમણે રજૂઆતો કરીને તાત્કાલિક નીટ પીજીના તબીબોને હોલ ટિકીટ ઇશ્યુ કરાવી હતી.

 

સમગ્ર મામલો ડિટેઇલ્ડમાં વાંચો

૬/૦૧/૧૯, રવિવારના રોજ નીટ-પીજી-મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે અને શનિવાર તા.5મી જાન્યુઆરી 2019ની સવાર સુધી MBBS પાસ થયેલા અંદાજે 2160 નીટ પીજીના પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ ખામી વાળી હોવાથી તેઓ પરીક્ષા આપી શકે તેમ ન હતા. ભારતમાં આમેય મેડીકલ પી.જી.માં પ્રવેશની તકો મર્યાદિત અને કઠિન હોય ત્યારે નીટ પીજીની આ તકથી 2160 જેટલા પરીક્ષાર્થીઓ વંચિત રહી જાય તેમ હતું.

મળતી માહિતી મુજબ ૧૧૩૮ જેટલા મેડીકલ ગ્રેજ્યુએટ ઉમેદવારોને એવી હોલ ટિકીટ મળી હતી કે જેમાં સહી ઝાંખી કે અલગ પડતી હતી. અને ૧૦૨૨ જેટલા વિદ્યાર્થીઓના ફોટા બાબતમાં વાંધા કાઢવામાં આવ્યા હતા. નવી હોલ ટિકીટ ઇશ્યુ કરવાના મુદ્દે NBE “નેશનલ બોર્ડ ઓફ એગ્ઝમિનેશન્સ” દ્વારા છેલ્લી ઘડી સુધી એટલે કે આજરોજ શનિવાર, તા.5મી જાન્યુઆરી 2019 સુધી મેડીકલ ગ્રેજ્યુએટ પરીક્ષાર્થીઓને અધ્ધર જીવે રાખવામાં આવ્યા હતા.

આ બાબતે સુરતની એક દીકરીના પિતાએ સાંસદશ્રી સી.આર. પાટીલને રજૂઆત કરીને એમની મદદ માંગી હતી. હાલ સંસદનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે સી.આર. પાટીલ દિલ્હીમાં ઉપસ્થિત હોઇ, એમણે તાત્કાલિક NBE ચેરમેનને સમગ્ર મુદ્દા અંગે વાતચીત કરી હતી અને તાત્કાલિક એટલે કે સાંજ સુધીમાં જ મેડીકલની અત્યંત મહત્વની પરીક્ષા નીટ પીજીના પરીક્ષાર્થીઓને હોલ ટિકિટ ઇસ્યુ કરાવી આપી હતી.

સાંસદ સી.આર. પાટીલના પ્રયાસોથી માત્ર સુરતની દીકરી જ નહિ પરંતુ દેશની અનેક દીકરી-દીકરાઓનો મેડીકલ નીટ અને એ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કે જેમાં પ્રવેશ મળવા માટેની તકો અત્યંત મર્યાદિત હોય છે તેમની તક વેડફાઇ જતા બચાવી શકાઇ છે.

January 4, 2019
sansad.jpeg
1min5980

લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજને બે દિવસ દરમિયાન તેલુગુ દેશમ પક્ષ, અખિલ ભારત અન્ના દ્રમુક અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૪૫ સભ્યને ગેરવર્તણૂક બદલ સસ્પૅન્ડ કર્યા હતા. દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદો ગૃહમાં સતત ધાંધલધમાલ કરીને ગૃહની કાર્યવાહી ખોરવી નાખતા હોવાથી તેઓને સસ્પૅન્ડ કરવાની ફરજ પડી હતી. અગાઉ, મહાજને અખિલ ભારત અન્ના દ્રમુકના ૨૪ સાંસદને બુધવારે સતત પાંચ બેઠક માટે સસ્પૅન્ડ કર્યા હતા અને તેના એક દિવસ પછી તેમણે અન્ના દ્રમુક, તેલુગુ દેશમ પક્ષ અને વાયએસઆર કૉંગ્રેસના મળીને કુલ ૨૧ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

સ્પીકરે લોકસભાના કાયદાની કલમ ૩૭૪એ હેઠળ કાર્યવાહી કરી હતી. કાયદાની જોગવાઇ મુજબ આ સાંસદો આઠમી જાન્યુઆરીએ પૂરા થતાં બાકીના સત્ર દરમિયાન ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ નહિ શકે.

સંસદના નીચલા ગૃહમાં અખિલ ભારત અન્ના દ્રમુકના ૩૭ અને તેલુગુ દેશમ પક્ષના ૧૫ સાંસદ છે.

સ્પીકરે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પૅન્ડ કરવાનું લીધેલું પગલું અભૂતપૂર્વ છે.

અગાઉ, ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં સ્પીકર મીરાં કુમારે આંધ્ર પ્રદેશના ૧૮ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા. આ સાંસદોમાંના અમુક તેલગંણની રચનાને ટેકો આપતા હતા, જ્યારે કેટલાક વિરોધ કરતા હતા.

લોકસભાનું શિયાળુ સત્ર ૧૧મી ડિસેમ્બરે શરૂ થયું હતું અને તેમાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો કાવેરીના પાણીની વહેંચણી અને આંધ્ર પ્રદેશને ખાસ દરજ્જો આપવાની માગણીને લઇને દેખાવ કરતા હતા.

સ્પીકરે લોકસભામાં ગુરુવારે બપોરના ૧૨ વાગ્યાની આસપાસ ૧૯ સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા, જ્યારે બાકીના બે સાંસદને આશરે બપોરે બે વાગ્યે ગૃહ છોડી જવાનો આદેશ અપાયો હતો.

અગાઉ, બપોરે ૧૨ વાગ્યાની આસપાસ લોકસભામાં અખિલ ભારત અન્ના દ્રમુક અને તેલુગુ દેશમ પક્ષના સાંસદો સૂત્રોચ્ચાર કરતા બૅનર લઇને સ્પીકર ભણી ધસી ગયા હતા.

અન્ના દ્રમુકના સાંસદોએ સ્પીકર ભણી કાગળ પણ ફેંક્યા હતા.

સંસદીય બાબતોને લગતા ખાતાના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે દેખાવ કરી રહેલા સાંસદોને તેઓની બેઠક પર બેસી જવા વિનંતિ કરી હતી.

આમ છતાં, દક્ષિણ ભારતના આ રાજકીય પક્ષોના સાંસદોએ શોરબકોર ચાલુ રાખ્યો હતો.

સ્પીકરે તેલુગુ દેશમ પક્ષના ૧૧, અન્ના દ્રમુકના ૭ અને વાયએસઆર કૉંગ્રેસના એક સાંસદને સસ્પૅન્ડ કર્યા હતા.

જે સાંસદોને સસ્પૅન્ડ કરાયા છે તેઓમાં મુલકી ઉડ્ડયન વિભાગના ભૂતપૂર્વ પ્રધાન અશોક ગજપતિ રાજુ (તેલુગુ દેશમ પક્ષ), તોતા નરસિંહ (તેલુગુ દેશમ પક્ષ) અને વાયએસઆર કૉંગ્રેસની ટિકિટ પર જીતેલા રેણુકા ભુત્તાનો સમાવેશ થાય છે.

January 3, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11680
  • 2019માં નેટ ડેટા વપરાશ ડબલથી 140 ટકા સુધી વધી જશે કેમ 
  • (1) વેલેન્ટાઇન
  • (2) લોકસભાની ચૂંટણી
  • (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને
  • (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019

2019માં (1) વેલેન્ટાઇન (2) લોકસભાની ચૂંટણી અને (3) આઇ.પી.એલ. ક્રિકેટ અને (4) વર્લ્ડ કપ ક્રિકેટ 2019 આ ચાર એવી મોટી ઇવેન્ટસ થવા જઇ રહી છે કે આ ઇવેન્ટસથી ભારતીયોના દૈનિક ઇન્ટરનેટ ડેટા વપરાશ બમણાથી વધીને જુદા જુદા સરવે તારણો પ્રમાણે પ્રમાણે 140 ટકા સુધી વધી જાય તેવી ગણતરીઓ મૂકાય રહી છે. સૌથી વધુ ડેટા યુઝ મોબાઇલ ધારકો લોકસભાની ચૂંટણી લક્ષી સાહિત્ય જોવામાં કરશે એમ મનાય છે. કેમકે લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય વોટર્સને પર રાજકીય પક્ષો, ઉમેદવારો, અપક્ષો, બિનસરકારી સંસ્થાઓ વગેરે જુદા જુદા સાહિત્યનું કાર્પેટ બોમ્બિંગ કરશે. ચૂંટણીના પ્રચાર માટે ફેસબૂક, વોટ્સએપ અને યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના ભરપૂર પોસ્ટીંગ્સ થશે, પોસ્ટ્સમાં વિડીયો સૌથી વધુ હશે અને તેના કારણે ડેટાના વપરાશમાં મોટા ઉછાળાની શક્યતા જોવાય રહી છે અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ પણ એ પ્રકારના ડેટા પેકની તૈયારી કરી રહ્યા છે.

(Symbolic Photo)

ભારતમાં 1લી ફેબ્રુઆરીથી જુલાઈ 2019 ના ગાળામાં ત્રણ મોટી ઇવેન્ટસ યોજાશે. પહેલી ઇવેન્ટસ 14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇનની છે. યંગસ્ટર્સથી લઇને મિડલ એજ ગ્રુપના કપલ્સમાં આ તહેવાર ફેવરિટ હોવાને કારણે નેટ ડેટાનો વપરાશ વધી જશે. એ પછી માર્ચથી મે મહિનામાં IPL રમાશે. જેમાં ક્રિકેટ ચાહકો મન ભરીને મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે. એ પુરું થાય ત્યાં લોકસભાની ચૂંટણીઓની ઘોષણા સાથે ભારતીય મોબાઇલ યુઝર્સનો ડેટા વપરાશ રોકેટ સ્પીડથી વધી જશે એવી ગણતરીઓ માંડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીના પરીણામો આવતા સુધીમાં મે મહિનામાં ક્રિકેટ વર્લ્ડકપ શરૂ થશે, જે જુલાઈના પ્રથમ પખવાડિયા સુધી ચાલશે. ટેલિકોમ કંપનીઓ અને એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર બે મોટી ક્રિકેટ ઇવેન્ટ્સને કારણે ડેટાના વપરાશને અસામાન્ય રીતે વધી જશે.

સ્માર્ટફોન હાથવગી સ્ક્રીન હોવાથી એરટેલના મોબાઇલ નેટવર્ક પર સપ્ટેમ્બર 2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો છે અને બે વર્ષમાં તેમાં 900 ટકા ઉછાળો નોંધાયો છે. બંડલ્ડ ડિજિટલ કન્ટેન્ટ અને વધુ ગ્રાહકો દ્વારા 4G સ્માર્ટફોન્સમાં અપગ્રેડને કારણે આગામી સમયમાં ડેટા વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે.

એક અન્ય રિસર્ચમાં એવા તારણો સપાટી પર આવ્યા છે કે 2019ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુઝર દીઠ મહિને 9 જીબી સુધી પહોંચવાનો અંદાજ છે. તે અત્યારના યુઝર દીઠ 4 જીબીની તુલનામાં 125 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. બીજા અર્ધવાર્ષિક ગાળામાં ડેટા વપરાશ 11 જીબીને પણ સ્પર્શી શકે.

2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો

2018માં ડેટાનો વપરાશ યુઝર દીઠ ગયા વર્ષની તુલનામાં 125 ટકા ઊછળી 9.2 જીબી થયો

ઉલ્લેખનીય છે કે, 2017માં વ્યક્તિ દીઠ ડેટા વપરાશ 1.8 જીબી હતો. જેનું મુખ્ય કારણ સપ્ટેમ્બર 2016માં રિલાયન્સ જિયોની એન્ટ્રીના કારણે ફ્રી કે સસ્તું ઇન્ટરનેટ કહી શકાય. બીજી અને ત્રીજી હરોળનાં શહેરોમાં ડેટાના વપરાશમાં મોટો ઉછાળો નોંધાશે. કારણ કે આ વિસ્તારોમાં ટેલિવિઝન કરતાં મોબાઇલની સંખ્યા વધુ છે અને સ્માર્ટફોનની સંખ્યામાં પણ તીવ્ર ઉછાળો નોંધાયો છે.

લોકસભાની ચૂંટણી એપ્રિલ કે મે મહિનામાં યોજાશે, પણ રાજકીય પક્ષો વચ્ચે યુદ્ધનો પ્રારંભ તો આગામી થોડાં સપ્તાહમાં થઈ જશે. આ વખતે માત્ર મેસેજ કે ફોટોગ્રાફને બદલ રાજકીય લડાઈ વિડિયો દ્વારા થવાની ધારણા છે.

સોશિયલ મીડિયા પર લગભગ 90 ટકા ફીડ વિડિયોની હોય છે. 2019ની ચૂંટણીમાં ડેટાનો વપરાશ 2014ની તુલનામાં 10 ગણો વધશે. રાજકીય પક્ષોની માર્કેટિંગ ઝુંબેશ સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર અપલોડ થતાંની સાથે ડેટાના વપરાશમાં મોટી છલાંગ જોવા મળશે.

January 1, 2019
AgustaWestland-helicopter12.jpg
1min7680

ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં મોટી સફળતા મેળવતાં સીબીઆઈ આ સોદામાં લાંચ લેનારા ભારતીયો સુધી પહોંચી ગઈ છે. ભારતીયોએ 432 કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાના પુરાવા મળ્યા છે. તેવો દાવો એજન્સીએ કર્યો હતો.

ઓગસ્ટાએ મિશેલ અને ગુડકો હાસ્કેને 432 કરોડની રકમ ભારતમાં ચૂકવવા માટે આપી હતી, તેવું તથ્ય પુરવાર કરી શકે તેવા દસ્તાવેજો મેળવી લીધા હોવાનું સીબીઆઈ જણાવે છે.

સૂત્રોના જણાવ્યાનુસાર મિશેલ અને હાસ્કેએ આઠ મે, 2011ના દુબઈમાં તૈયાર કરેલા એક કરારમાં આ રકમનો ઉલ્લેખ હતો.
દુબઈમાં આ બેઠક બન્ને પક્ષના વચેટિયાઓ વચ્ચે પૈસાની વહેંચણી અંગે સમજૂતી કરવા માટે યોજાઈ હતી. અગાઉ બન્ને વચેટિયાઓમાં વિવાદ હતો.

January 1, 2019
exports.jpg
1min6950

દેશમાંથી વિશ્વના જુદા જુદા દેશોમાં થતી કુલ નિકાસમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને અને ગુજરાત બીજા ક્રમે છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો છે, જ્યારે મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા છે.

  • 2017-’18માં ભારતની કુલ નિકાસ 303અબજ યુએસ ડોલર
  • પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્ન મુખ્ય નિકાસ માલ
  • ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો 22.02 ટકા હિસ્સો, 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો
  • મહારાષ્ટ્રનો નિકાસ હિસ્સો 22.98 ટકા

વર્ષ 2016-’17માં ગુજરાતનો નિકાસ હિસ્સો 19.06 ટકા હતો તે વધીને 2017-’19માં 22.02 ટકા થયો છે. આમ નિકાસમાં ગુજરાતનો હિસ્સો ગયા વર્ષ કરતાં ત્રણ ટકા વધ્યો છે. આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટ્રેડ અને એક્સ્પોર્ટ પર વધુ ભાર મૂકવાને પગલે નિકાસ હિસ્સામાં સારો એવો વધારો થશે તેમ રાજ્યના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં ઉદ્યોગ કમિશનર મમતા વર્માએ જણાવ્યું હતું કે, “ભારતે ગયા નાણાકીય વર્ષ 2016-’17માં 275 અબજ ડોલરની નિકાસ કરી હતી જે 2017-’18માં વધીને 303અબજ યુએસ ડોલર થઈ હતી, જે દસ ટકા વધારો દર્શાવે છે. ગુજરાતમાંથી નિકાસમાં જે ત્રણ ટકાનો વધારો નોંધાયો તેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેમિકલ્સ, સ્ટોન, કોપર, પ્લાસ્ટિક રોમટિરિયલ, એગ્રો કેમિકલ્સ તથા ટેક્સટાઇલ-યાર્નનો સમાવેશ થાય છે.”

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 18 જાન્યુઆરી 2019ના રોજ ‘મેક ઈન ઇન્ડિયા’ પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે ત્યારે આ સેમિનારનો મુખ્ય હેતુ ‘મેક ઈન ઇન્ડિયા’ કાર્યક્રમની મુખ્ય સિદ્ધિઓ અને તેની અસરો સમજવી, તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સ અને ઔદ્યોગિક નીતિ જેવા તેના મુખ્ય સ્તંભો વિશે ચર્ચા કરવાનો છે.

સેમિનાર અંગે મમતા વર્માએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની સાફલ્યગાથા રજૂ કરાશે તેમજ સરકાર દ્વારા લેવાયેલાં મહત્ત્વપૂર્ણ પગલાંથી માહિતગાર કરવામાં આવશે. સેમિનારમાં દેશમાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને નીતિ નિર્માતાઓ અને ઉદ્યોગજગતના ઉદ્યોગપતિઓ ભારતમાં ઉત્પાદન વધારવા અંગે પોતાનાં મંતવ્ય રજૂ કરશે.

સેમિનારના બીજા સત્રમાં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને ઇન્ડસ્ટ્રી 4.0 જેવા વિષય સાથે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર – ડીએમઆઇસી અંતર્ગત ઉત્પાદન અને રોકાણનાં શ્રેષ્ઠ સ્થળો બાબતે ઉચ્ચસ્તરીય ચર્ચા કરાશે.

ધોલેરા એસઆઇઆર અને ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર શિવહરેએ જણાવ્યું હતું કે, “કેન્દ્રની ‘મેક ઈન ઇન્ડિયા’ ફ્લેગશિપ યોજનામાં ગુજરાતનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ગુજરાત દેશના સૌથી વધુ ઝડપથી વિકસતાં રાજ્યો પૈકી એક છે તેમજ ભારતના ટોચના પાંચ વિદેશી મૂડીરોકાણ ધરાવતાં રાજ્યોમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.

એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધીમાં ગુજરાતને કુલ 18.7 અબજ અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ પ્રાપ્ત થયું છે, જે એપ્રિલ 2000થી માર્ચ 2018 સુધી ભારતમાં થયેલા કુલ એફડીઆઇના પાંચ ટકા જેટલું છે.” વર્ષ 2013-’14થી 2017-’18 સુધીમાં એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 10 અબજ અમેરિકન ડોલરની વિદેશી મૂડી પ્રાપ્ત થઈ છે. દેશ અને વિવિધ રાજ્યોમાં રોકાણને આકર્ષવા અને ઉત્પાદન ક્ષમતામાં ગતિ લાવવા માટે ‘મેક ઈન ઇન્ડિયા’ સેમિનારમાં ભાગ લેવા માટે 3,000થી વધુ લોકોએ રસ દાખવ્યો છે.

January 1, 2019
hny-1.jpg
1min6240

જગતમાં સૌથી પહેલાં નવું વર્ષ સમોઆ ટાપુ અને પછી ન્યૂ ઝીલેન્ડ અને એ પછી ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ટકોરા મારે છે. સિડનીમાં મધ્યરાત્રિએ શહેરના સીમાચિહ્નરૂપ એવા સિડની હાર્બર બ્રિજ ફરતે અદ્ભુત આતશબાજી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૮ આથમી ગયું અને ૨૦૧૯ના નવા વર્ષનો નવી આશા, નવા ઉમંગ અને નવતર ઉત્સાહ સાથે આગમન થઇ ગયું છે. ખાસ કરીને ભારત માટે નવું વર્ષ બહુ મહત્ત્વનું બની રહેશે. વર્ષના પૂર્વાર્ધમાં જ સંસદીય ચૂંટણી યોજાવાની છે જેનાં પરિણામો દેશના ભાવિના પ્રહરી બની રહેશે.

મુંબઈ અને ગુજરાત સહિત આખા ભારતમાં નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યરાત્રિ થવાની સાથે જ લોકોએ પૂરેપૂરા ઉમંગથી ૨૦૧૯ને વધાવ્યું હતું. ઠેર ઠેર ન્યૂ યર પાર્ટીઓનું આયોજન થયું હતું. ખાસ કરીને શહેરોમાં નવા વર્ષને આવકારવા માટે લોકો રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા અને બધે હકડેઠઠ ગરદી જોવા મળી હતી. આને લીધે ભારે ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો.

વિશ્ર્વભરમાં નવા વર્ષ ૨૦૧૯નું ભારે ધામધૂમથી સ્વાગત કરાયું

ન્યૂ ઝીલેન્ડના એઓટેઓરા, ઇસ્ટર આઇલેન્ડના રૂપા નૂઇ અને અગાઉ સેન્ડવિચ આઇલેન્ડ્સ તરીકે ઓળખાતા હવાઇ ટાપુના બનેલા પૉલિનેશિયન ટ્રાઇઍન્ગલ (ત્રણ ટાપુનો ત્રિકોણ) ખાતે સોમવારે ૩૧મી ડિસેમ્બરે સવારે ગ્રીનવિચ મીન ટાઇમ (જીએમટી) મુજબ ૧૦ વાગ્યે આતશબાજી કરીને નવા વર્ષને વધાવનારા વિશ્ર્વના સૌપ્રથમ હતા, જ્યારે બાકર ટાપુ અને હૉલેન્ડ ટાપુ જેવા અમેરિકાના નાના ટાપુઓ નવા વર્ષને આવકારવામાં સૌથી છેલ્લાં હતા.

ન્યૂ ઝીલેન્ડનો સમય ભારતથી અંદાજે ૭.૩૦ કલાક આગળ હોવાથી ત્યાં નવા વર્ષની ઉજવણી ભારત કરતાં ઘણી વહેલી શરૂ થઇ ગઇ હતી.

અમેરિકાના સમોઆનો સમય ભારતની સરખામણીમાં ૧૬.૩૦ કલાક પાછળ હોવાથી ત્યાં નવા વર્ષને ઘણું મોડું આવકારવામાં આવ્યું હતું.  રસપ્રદ વાત એ છે કે સમોઆનો સમય અમેરિકાના સમોઆથી પચીસ કલાક આગળ છે. ન્યૂ ઝીલેન્ડના ઑકલેન્ડમાં ૨૦૧૯ને આવકારવા ભવ્ય આતશબાજી કરાઇ હતી. અહીં વાર્ષિક વન્ડરગાર્ડન ફૅસ્ટિવલની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી.

ઑસ્ટ્રેલિયામાં સિડની સહિતના શહેરોમાં પણ નવા વર્ષની ઉજવણી ભારત કરતાં વહેલી શરૂ થઇ ગઇ હતી. અહીં આવેલા બંદરો પર મોટા પાયે આતશબાજી કરાઇ હતી. ઑસ્ટ્રેલિયાના સિડનીના હાર્બર બ્રિજની જેમ હોંગકોંગના વિક્ટોરિયા હાર્બર પર પણ આતશબાજી કરાઇ હતી.

સ્કોટલેન્ડના એડિનબર્ગમાં નવા વર્ષ નિમિત્તે હજારો લોકો જાહેરસ્થળે ભેગા થયા હતા. દુબઇમાં લોકો વિશ્ર્વભરની ઉજવણીને જોઇ શકે તે માટે અનેક સ્થળે મોટા ટીવી સ્ક્રિન લગાડાયા હતા. ન્યૂ યોર્કમાં ટાઇમ્સ સ્કવૅર બૉલ ડ્રૉપ ઇવેન્ટ સાથે નવા વર્ષની શરૂઆત કરાઇ હતી.

December 31, 2018
jan-dhan.jpg
1min9540

જનધન યોજના દ્વારા 6 કરોડ ગ્રામીણ અને 1.પ કરોડ શહેરી પરિવાર સુધી પહોંચ બનાવવાનાં પ્રારંભિક લક્ષ્યને પૂરો કર્યા બાદ આ યોજનામાં કુલ 33.પ કરોડ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા હતાં. જેમાંથી હવે 2પ.6 કરોડ ખાતા જ સક્રિય છે. આ ખાતાઓમાં જમા રકમ 8પ494 કરોડ રૂપિયા છે. જનધન યોજના હેઠળ સરકાર હવે પ્રત્યેક ઘરનાં બદલે માત્ર એવા વયસ્કો ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેમની પાસે બેન્ક ખાતું ન હોય.

  • સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે.
  • બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને
  • ત્રીજા ક્રમે બિહાર

સંસદમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર જનધન યોજના હેઠળ 6પ લાખ ખાતાધારકોને ઓવરડ્રાફ્ટની સુવિધા પણ મળેલી છે. જેમાંથી 30 લાખ લોકોએ તેનો લાભ લઈને 340 કરોડ રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા લીધેલી છે. અત્યાર સુધીમાં 26 કરોડ રૂપે કાર્ય જારી કરવામાં આવ્યા છે.

નિયમાનુસાર જે ખાતામાં બે વર્ષમાં એકપણ વ્યવહાર થયો હોય તો તેને સક્રિય ખાતુ માનવામાં આવે છે. અત્યારે લગભગ 76 ટકા ખાતાઓ સક્રિય છે. આમાંથી અનેક ખાતાઓ એવા છે જેનો ઉપયોગ પ્રત્યક્ષ લાભાંતરણ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે કરવામાં આવે છે. સૌથી વધુ જનધન ખાતા ઉત્તર પ્રદેશમાં છે અને તેનો આંકડો પ.2 કરોડ છે. જેમાં કુલ મળીને 14882 કરોડ રૂપિયા છે. આ યાદીમાં બીજા ક્રમે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમે બિહાર આવે છે.