CIA ALERT

ઇન્ડીયા Archives - Page 199 of 216 - CIA Live

January 22, 2019
Indian_currency.jpeg
1min8920

નેપાળની સેન્ટ્રલ બૅંકે રૂ. 100થી ઊપરની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ભારતીય ચલણી નૉટ પર પ્રતિબંધ લાદ્યો હતો અને નેપાળમાં ભારતીય ચલણનો છૂટથી ઊપયોગ થતો હોવાથી ત્યાં પ્રવાસે જનાર ભારતીય સહેલાણીઓ પર એની વ્યાપક અસર થવાની શક્યતા છે.

નેપાળ રાષ્ટ્ર બૅંકે રવિવાર, તા.20મી જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરેલા શ્વેતપત્રમાં કરેલી જાહેરાત પ્રમાણે નેપાળી પ્રવાસીઓ, બૅંકો અને નાણાકીય સંસ્થાઓને રૂ. 100થી વધુ કિંમતની ભારતીય ચલણી નૉટ રાખવા, વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આદેશમાં જણાવાયું છે કે ભારતની રૂ. 200, રૂ. 500 અને રૂ. 2000ની કિંમતની ચલણી નૉટ વાપરી કે એનો વેપારમાં ઊપયોગ થઇ નહીં શકે. 

નવા નિયમ પ્રમાણે નેપાળી નાગરિકો ભારત સિવાય આ કિમતની ચલણી નૉટો અન્ય કોઇ દેશમાં લઇ જઇ નહીં શકે. એ જ રીતે, નેપાળીઓને અન્ય દેશોમાંથી આ કિંમતની નૉટો લાવવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જોકે, રૂ. 100 કે એથી ઓછી કિંમતની નૉટો વાપરવા કે એનો વેપારમાં ઊપયોગ કરવાની છૂટ આપવામાં આવી છે.

કેબિનેટે 13મી ડિસેમ્બર 2019ના રોજ આ શ્ર્વેતપત્ર નેપાળ ગેઝેટમાં જાહેર કરવાનું નક્કી કર્યું હતું, પણ વેપારીઓ અને પર્યટન ક્ષેત્ર તરફથી આની ખૂબ ટીકા કરવામાં આવી હતી અને સરકારને એવું જણાવાયું હતું કે એક તરફ એમણે નેપાળ આવો અભિયાન શરૂ કરીને 2020 સુધીમાં 20 લાખ સહેલાણીઓને નેપાળ આકર્ષવાની યોજના જાહેર કરી છે ત્યારે આ પ્રતિબંધની ઘણી માઠી અસર થશે કારણ કે નેપાળ આવનાર મોટાભાગના ભારતના લોકો સડક માર્ગે આવતા હોય છે અને એમને માટે પોતાના ચલણને ડૉલર કે યુરોમાં કનવર્ટ કરવું ઘણું મુશ્કેલ થઇ પડશે.

એક સર્વેક્ષણ પ્રમાણે 12 લાખ સડક માર્ગે અને હવાઇ માર્ગે 1,60,132 ભારતીય પ્રવાસીઓ નેપાળમાં આવ્યાં હતાં. સડકમાર્ગે આવનાર ભારતીય સહેલાણીઓ સરેરાશ 5.8 દિવસ રોકાયા હતા અને એમણે રૂ. 11,310નો ખર્ચ કર્યો હતો.

January 19, 2019
PHOTO-WITH-MODI.jpg
1min12860

ગાંધીનગરમાં ચાલી રહેલી ગ્લોબલ સમિટમાં ટેક્નોલોજીની મદદથી વડા પ્રધાન મોદી સાથે પોતાનો ફોટો જોડવા માટે લાંબી કતારો લાગી રહી છે

  • મોદી સાથેનો ફોટો પડાવતા લોકોએ આપેલા કારણો હેરત પમાડે તેવા છે
  • મોદી સાથેનો ફોટો એટલે વટ પડે, સોશ્યલ મિડીયામાં મૂકીશ
  • રેસ્ટોરેન્ટમાં મફતીયા સરકારી મહેમાનોને બંધ કરવા ફોટો મૂકી દઇશ
  • મોદી સાથે ફોટો હોવાને ગર્વ માનું છું
  • મોદીથી મોટી કોઇ બ્રાન્ડ છે, તો તેની સાથે ફોટો પડાવીશ
વાઈબ્રન્ટ સમિટઃમોદી સાથે પર્સનલી ફોટો પડાવવો છે, તો પહોંચી જાઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં
ટેક્નોલોજી દ્વારા પોતાનો ફોટો પીએમ મોદી સાથે જોડીને પ્રિન્ટ મેળવવા માટે મોટી કતારો લાગી રહી છે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો કેટલી મોટી સંખ્યામાં છે અને તેમની સાથેના ફોટો માત્રથી સરકારી અધિકારીઓ કે કર્મચારીઓ કેટલા માપમાં રહે છે તેની પ્રતીતિ કરવી હોય તો પહોંચી જાવ ગાંધીનગર ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં. અહીં ત્રણ એવા સ્ટોલ-બૂથ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ટેકનોલોજીની મદદથી નરેન્દ્ર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો જોડીને પ્રિન્ટ આપવામાં આવે છે. આ પ્રકારે ફોટો મેળવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત 2019 શરૂ થયું ત્યારથી એમ.આઇ.ટી.ના સ્ટોલ પર કતારો લાગી રહી છે. ઉપરોક્ત તસ્વીરમાં એ જોઇ શકાય છે.

આમ સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો પડાવવો એ કંઇ ખાવાના ખેલ નથી. અને મોદી સાહેબનો મૂડ હોય તો આ શક્ય બને અન્યથા દિલ્હીના 50 ફેરા લાગી જાય પણ નરેન્દ્ર મોદી સાથે પર્સનલી ફોટો ન પણ પડે. પરંતુ, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં એમ.આઇ.ટી.નામના એક સ્ટોલ પર મોદી સાથે જે તે વ્યક્તિનો ફોટો મૂકીને પ્રિન્ટ આપવામાં આવે છે. મોદી સાથે ફોટોની આ પ્રોડક્ટ ગરમાગરમ ભજીયાની જેમ વેચાઇ રહી છે. દેશી અને વિદેશી બન્ને લોકો એમઆઇટીના સ્ટોલ પર મોદી સાથે પોતાનો ફોટો જોડી દેવા માટે લાઇનો લગાડી રહ્યા છે.

ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર સંકુલમાં ત્રણ બૂથ ઊભાં કરવામાં આવ્યાં છે જ્યાં નરેન્દ્ર મોદી ન હોવા છતાં ટેક્નૉલૉજીની મદદથી જાણે કે તમે નરેન્દ્ર મોદી સાથે ઑફિસમાં ઊભા રહીને ફોટો પડાવતા હોય એમ ફોટો બનાવી આપવામાં આવે છે. આ બૂથો પર નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનો લાગી હતી. મહિલાઓ અને વિદેશી મહેમાનો પણ નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા લાઇનમાં ઊભાં હતાં.

નરેન્દ્ર મોદીના ચાહકોએ જે મંતવ્યો આપ્યા એ પણ હેરત પમાડે તેવી છે, એક ચાહકે કહ્યું કે ‘તેઓ અમારા માનીતા નેતા છે. તેમની સાથે ફોટો પડાવવો એ અમારા માટે ગર્વની વાત છે. તેમના માટે અમને માન છે.’ એક ચાહકે કહ્યું કે તે રેસ્ટોરેન્ટના બિઝનેસમાં છે, પોલીસથી લઇને સરકારી ખાતાઓના એટલા બધા અધિકારી કર્મચારીઓ આવીને દમ મારીને મફતમાં નાસ્તો પાણી કરી જાય છે, કેટલાક પાર્સલ મંગાવે છે, મારા એક મિત્રએ કહ્યું કે મોદીનો ફોટો રાખ એટલે મોટા ભાગના મફતિયા બંધ થઇ જશે. હું મોદીનો ફોટો મૂકવાનું વિચારતો હતો ત્યાં વાઇબ્રન્ટમાં ફરતા ફરતા આ સ્ટોલ મળી આવ્યો હવે આ ફોટો જ કાઉન્ટર પર મૂકી દઇશ.

એક ચાહકે કહ્યું કે મોદી સાથેનો ફોટો એટલે વટ પડી જાય. હું સોશ્યલ મિડીયામાં મૂકીશ.

January 17, 2019
dancebar1-1.jpg
1min15610
(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

દરેક વ્યક્તિને પોતાની રીતે આજીવિકા કમાવવાનો અધિકાર છે, જેથી ડાંસ બાર પર રોક ન લગાવી શકાય, પણ કેટલીક મર્યાદાઓ રાખીને સુપ્રીમ કોર્ટે ડાંસ બારને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પગલે મુંબઇના બાર સંચાલકો ખુશીથી ઉછળી ઉઠ્યા હતા.

સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે મળેલી માહિતી મુજબ કેટલીક ચોક્કસ શરતોને આધિન રહીને મુંબઇ મહારાષ્ટ્રમાં ડાંસ બાર પુનઃ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોર્ટે સાફ કહ્યું કે ડાંસરને અલગથી ટિપ નહીં આપી શકાય અને ન તો તેમના પર પૈસા ઉછાળી શકાશે. આ પહેલા 30 ઑગસ્ટ 2018ના દિવસે કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સર્વોચ્ચ ન્યાયાલયે એવું પણ કહ્યું કે સ્કૂલ અને ધાર્મિક સ્થાનથી ઉચિત અંતર રાખવામાં આવી. જો કે કોર્ટે બાર ડાંસિંગ એરિયા અલગ રાખવાની શરત ફગાવી દીધી. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારે 2016ના કાયદા પ્રમાણે ડાંસ બારમાં સીસીટીવી પણ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. જેને પણ કોર્ટે રદ કરી દીધું છે.

(પ્રતિકાત્મક તસ્વીર ડાન્સ બાર)

કઇ કઇ શરતો પર ડાન્સ બાર શરૂ કરી શકાશે

  • – ડાંસ એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઇ અવરોધ નહીં હોય, કાચ, દિવાલ કે અન્ય કોઇ.
  • – સીસીટીવી લગાવવાની શરત સુપ્રીમ કોર્ટે હટાવી દીધી
  • – ડાંસ બારમાં શરાબ પીરસી શકાશે.
  • – સાંજે 6 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ડાન્સબાર ખુલ્લા રાખી શકાશે
  • – બાર ડાંસરને કોઇપણ પ્રકારે ટિપ આપી શકાશે, પૈસા ઉડાવી શકાશે નહીં.
  • – ડાંસ બારમાં લાઇવ ઑર્કેસ્ટ્રા વગાડી શકાશે.
January 12, 2019
sp.jpg
1min14210

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે. સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરીને 38-38 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ માટે તેમની પરંપરાગત રાયબરેલી અને અમેઠીની બેઠક છોડી દેવામાં આવી છે.

માયાવતીએ કહ્યું કે જનહિત અને દેશભક્તિ માટે અમે 1995નો ગેસ્ટાહાઉસ કાંડ ભૂલાવી દીધો છે. લોકસભા અને વિધાનસભામાં ભાજપે બેઈમાની કરીને સરકાર બનાવી છે. બાદમાં અમે પેટાચૂંટણીથી જ ભાજપને રોકવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીમાં તો કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. ત્યારથી જ ભાજપને રોકવા સપા-બસપા સાથે આવે તેવી ચર્ચા શરૂ થઈ હતી. દલિતો, પછાત, ગરીબો, અલ્પસંખ્યકોના હિતની ઉપેક્ષા થતા અમે ગેસ્ટહાઉસ કાંડ ભૂલીને ગઠબંધન કરવાનો નિર્ણય લીધો છે.

તો અખિલેશ યાદવે આ ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો. અખિલેશે કહ્યું કે જ્યારે ભાજપના નેતાઓએ માયાવતી માટે અશોભનીય કમેન્ટ કરી હતી ત્યારથી જ ગઠબંધન કરવાની ઈચ્છા હતી. ભાજપે આવું બોલનાર સામે પગલાં લેવાને બદલે મંત્રી બનાવીને ઈનામ આપ્યું. ત્યારથી જ ગઠબંધન નક્કી થઈ ગયું હતું. સાથે જ અખિલેશ યાદવે આ ગઠબંધન કાયમી રહેશે અને લાંબું ચાલવાનો પણ દાવો કર્યો છે.

January 11, 2019
sansad.jpeg
1min13720

સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થયું છે. અનેક કારણસર લોકસભા અને રાજ્યસભા અવારનવાર મુલતવી રહી હતી. લોકસભામાં ૪૭ ટકા કામકાજ થયું હતું, જયારે રાજયસભામાં કુલ ૨૭ ટકા કામકાજનું પ્રમાણ હતું, એમ સંસદીય બાબતોના પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું. સવર્ણો માટે અનામત બિલ બંને ગૃહમાં પસાર થયાને તેમણે વિશેષ સિદ્ધિ ગણાવી હતી.

થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટીવ રિસર્ચના આંકડા પ્રમાણે સંસદના શિયાળુ સત્રમાં ૧૬મી લોકસભામાં ત્રીજું સૌથી ઓછું કામકાજ થયું છે. ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બંને ગૃહમાં પસાર થયો તે પણ એક વિશેષ સિદ્ધિ છે જે આર્થિક નબળા વર્ગને ૧૦ ટકા અનામત પુરી પાડે છે. કરોડો ભારતીયોને આવરી લેતો ખરડો પસાર થયો તે ઐતિહાસિક ક્ષણ હતી એમ તેમણે કહ્યું હતું.

આ બિલને સમર્થન આપનાર તમામ પક્ષ અને સભ્યોનો આભાર માન્યો હતો. રાજ્યસભામાં પેન્ડિંગ બિલ ટ્રિપલ તલાક ખરડો તથા નાગરિકત્વ સુધારા ખરડાના સંદર્ભમાં સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન વિજય ગોયલે જણાવ્યું હતું કે, આ બંને ખરડા પસાર કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે જે લોકસભામાં પસાર થઈ ગયા છે.

લોકસભામાં ૨૯ દિવસમાં ૧૭ બેઠક થઈ હતી, જયારે રાજ્યસભામાં ૩૦ દિવસમાં ફકત ૧૮ બેઠક થઈ હતી. સત્ર દરમિયાન લોકસભામાં ૧૨ બિલ અને રાજ્યસભામાં પાંચ બિલ રજૂ થયા હતા. તે પૈકી પાંચ ખરડા બંને ગૃહમાં પસાર થયા છે. ચાર પેન્ડિંગ બિલ રાજ્યસભામાં પાછા ખેંચાયા હતા, જેમાં નાલંદા યુનિવર્સિટી સુધારિત બિલ, ઈન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલ, હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ સુધારિત બિલનો સમાવેશ છે.

January 11, 2019
gst.jpg
1min14950

દોઢ કરોડના ટર્નઑવરવાળા માટેની કમ્પૉઝિશન સ્કીમ પહેલી એપ્રિલ

જીએસટી કાઉન્સિલે વસ્તુ અને સેવા કર (જીએસટી)ની ચુકવણીમાંથી મુક્તિની ટોચમર્યાદા બમણી એટલે કે રૂપિયા ૪૦ લાખની કરી છે. આમ હવે નાના વેપારીઓને મોટી રાહત થઇ છે અને રૂ.૪૦ લાખ સુધીના ટર્નઑવર પર જીએસટી નહીં. તેણે કમ્પૉઝિશન સ્કીમમાં એક ટકો કર ચૂકવવા માટેની રૂપિયા દોઢ કરોડના ટર્નઑવરની ટોચમર્યાદાનો અમલ પહેલી એપ્રિલથી કરવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત, કેરળને ગયા વર્ષે પૂરને કારણે સર્જાયેલા વિનાશ વખતે નિરાશ્રિત બનેલા લોકોના પુનર્વસન માટે નાણાં ભેગા કરવા રાજ્યને આંતર-રાજ્ય વસ્તુ અને સેવા પર એક ટકો કુદરતી આફત વેરો નાખવાની પરવાનગી આપી હતી.

કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કુલ ટર્નઑવર રૂપિયા ૪૦ લાખ સુધીનું હોય એવા કરદાતાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા રૂપિયા ૨૦ લાખ કરાઇ છે. હાલમાં રૂપિયા ૨૦ લાખ સુધીનું ટર્નઑવર ધરાવતા વ્યાપારીઓને જીએસટીની નોંધણીમાંથી મુક્તિ અપાઇ હતી. ઇશાનના રાજ્યો માટેની આ મર્યાદા અત્યાર સુધી રૂપિયા ૧૦ લાખ હતી.

દેશના બધા રાજ્ય જીએસટીમાંથી મુક્તિની રૂપિયા ૪૦ લાખની ટોચમર્યાદાનો અમલ કરે તો સરકારની અંદાજે રૂપિયા ૫,૨૦૦ કરોડની આવક ઘટશે. જેટલીએ જણાવ્યું હતું કે નાના વ્યાપારીઓનું ટર્નઑવર રૂપિયા ૧.૫ કરોડ સુધી હોય તો જીએસટી કમ્પૉઝિશન સ્કીમ હેઠળ એક ટકો કર ભરવો પડશે અને તેનો અમલ પહેલી એપ્રિલથી થશે. અગાઉ, ટર્નઑવરની આ ટોચમર્યાદા રૂપિયા એક કરોડ હતી.

વસ્તુ અને સેવાના સર્વિસ પ્રૉવાઇડર્સ અને સપ્લાયર્સનું ટર્નઑવર રૂપિયા પચાસ લાખ સુધીનું હોય તો તેઓ જીએસટી કમ્પૉઝિશન સ્કીમ માટે યોગ્ય ઠરશે અને છ ટકા કર ભરી શકે છે. જીએસટી કાઉન્સિલના કમ્પૉઝિશન સ્કીમ હેઠળના આ બે નિર્ણયને લીધે સરકારની વાર્ષિક આવકમાં રૂપિયા ૩,૦૦૦ કરોડનો ઘટાડો થવાની આશા છે. જેટલીએ ટ્વીટ કર્યું હતું કે જીએસટી કાઉન્સિલે ગુરુવારે મળેલી પોતાની ૩૨મી બેઠકમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત આપી છે.

જીએસટી કાઉન્સિલની બેઠકમાં રિયલ ઍસ્ટૅટ માટેના જીએસટીને મુદ્દે વિરોધાભાસી અભિપ્રાય રજૂ થતાં કાઉન્સિલે પ્રધાનોની સાત સભ્યની સમિતિ રચી છે અને તે સંબંધિત ભલામણ કરશે. લૉટરી અંગે પણ વિરોધાભાસી અભિપ્રાય રજૂ કરાતા તે અંગે જરૂરી સૂચન હવે પ્રધાનોની એક સમિતિ કરશે. કમ્પૉઝિશન સ્કીમમાં કરવેરાનું રિટર્ન માત્ર એક જ વખત ફાઇલ કરવાનું રહેશે, પરંતુ દર ત્રિમાસિક ગાળામાં કર ભરવો પડશે.

દરમિયાન, રૂપિયા દોઢ કરોડથી ઓછું ટર્નઑવર ધરાવનારાઓ માટે નિ:શુલ્ક ઍકાઉન્ટિંગ અને બિલિંગ સૉફ્ટવેર ઉપલબ્ધ કરાવાશે. જેટલીએ જણાવ્યું હતું કે જીએસટીને લગતી મોટા ભાગની આવક મોટી કંપનીઓ પાસેથી જ મળે છે. કાઉન્સિલે નાના વ્યાપારીઓને મદદ કરવા નિર્ણય લીધા છે. વ્યાપારીઓને વિવિધ વિકલ્પ અપાયા છે. જો વ્યાપારીઓ સર્વિસીસ સૅક્ટરમાં હોય તો છ ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ લઇ શકશે, જ્યારે રૂપિયા દોઢ કરોડ સુધીનું ટ્રૅડિંગ હોય તો એક ટકા કમ્પાઉન્ડિંગનો વિકલ્પ મેળવી શકશે. તેઓની જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા રૂપિયા ૪૦ લાખ કરાઇ છે.

મહેસૂલ સચિવ અજય ભૂષણ પાણ્ડેયે જણાવ્યું હતું કે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા હાલમાં રૂપિયા ૨૦ લાખ હોવા છતાં રૂપિયા ૨૦ લાખથી ઓછું ટર્નઑવર ધરાવતા અંદાજે ૧૦.૯૩ લાખ કરદાતા કરવેરો ભરે છે. પાણ્ડેયે જણાવ્યું હતું કે ચીજવસ્તુનો વ્યાપાર કરનારા અને આંતર-રાજ્ય ટ્રૅડ (વ્યાપાર) કરનારાઓ માટે જીએસટીમાંથી મુક્તિની ટોચમર્યાદા વધારીને રૂપિયા ૪૦ લાખ કરાઇ છે, પરંતુ આંતર-રાજ્ય ટ્રાન્ઝૅક્શન (લેવડદેવડ) કરનારાઓ માટે તે લાગુ નહિ પડે. કમ્પૉઝિશન સ્કીમમાં વ્યાપારીઓ અને ઉત્પાદકો એક ટકાના દરે કરવેરો ભરી શકે છે, જ્યારે રેસ્ટૉરાં પાંચ ટકા જીએસટી ભરે છે.

January 10, 2019
world_bank.png
1min5260

સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકાર માટે સારા સમાચારમાં વિશ્વબેન્કે 2021 સુધીમાં ભારત સમગ્ર વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી અર્થવ્યવસ્થા બની રહેશે તેવો વર્તારો આપ્યો છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘટાડો આવશે તેવું પણ પૂર્વાનુમાન કરાયું છે. જો કે, 2021 સુધીમાં ભારતનો વિકાસદર વધીને 7.5 ટકા પર પહોંચી જશે તેવો વર્તારો પણ વર્લ્ડ બેન્કે આપ્યો છે.

વિશ્વબેન્કનો ‘ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પકેટસ’ અહેવાલ નોંધે છે કે ભારતનો સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) દર 2017ના 6.7 ટકામાંથી વધીને 2018માં 7.3 બાદ 2019, 2020 અને 2021માં 7.5 ટકા રહી શકે છે. આ રીતે ભારત સમગ્ર દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરનાર અર્થવ્યવસ્થા બની રહેશે તેવી આગાહી વિશ્વબેન્કે કરી છે. વાસ્તવમાં અન્ય કોઈપણ અર્થવ્યવસ્થાનો વિકાસદર સાત ટકાને પણ પાર નહીં કરી શકે તેવું પૂર્વાનુમાન અહેવાલમાં કરાયું છે.

વિશ્વબેન્કના આ અહેવાલમાં મોદી સરકાર દ્વારા કરાયેલા ઢાંચાગત સુધારાઓની પ્રશંસા કરતાં નોંધાયું છે કે, આવા સુધારાઓનાં પરિણામ હવે સામે આવવા લાગ્યાં છે. તાજા નીતિગત સુધારાઓના લાભ દેખાવા લાગ્યા છે અને ઋણ લેવાનું પ્રમાણ વધ્યું છે. જેનાથી વ્યક્તિગત ઉપયોગ મજબૂત રહેવા સાથે રોકાણમાં તેજી જારી રહેવાની આશા છે તેવું વિશ્વબેન્ક નોંધે છે.

January 9, 2019
budget.jpg
1min6590

1 ફેબ્રુઆરીના રોજ સરકાર વચગાળાનું બજેટ જાહેર કરશે. આ વખતે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે.

ફાઇલ ફોટો

તાજા સમાચારો મુજબ નરેન્દ્ર મોદી સરકાર આગામી તા. 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાનું બજેટ સંસદભવનમાં રજૂ કરશે. આ માટે કેબિનેટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરીની વચ્ચે કરાવવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે લોકસભા ચૂંટણીઓ યોજાવાની હોઇ ઇન્ટરિમ બજેટ રજૂ કરવામાં આવશે.

જ્યારે લોકસભા ચૂંટણી થાય છે, તે વર્ષે નાણામંત્રી વચગાળાનું એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરિમ બજેટ રજૂ કરે છે. આ બજેટ કેટલાક મહિનાઓના સરકારી કામકાજ ચલાવવા માટે હોય છે. નવી સરકાર બન્યા પછી જુલાઈમાં સપ્લીમેન્ટરી બજેટ રજૂ કરવામાં આવે છે, જે બાકીના નાણાકીય વર્ષ માટે હોય છે. અન્ય વર્ષોમાં નાણામંત્રી પૂર્ણ બજેટ રજૂ કરે છે.

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા થનારા આ બજેટ સત્રમાં સરકાર કંઇક મોટી જાહેરાતો કરી શકે છે. હાલના શિયાળુ સત્રમાં પણ સરકાર સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા અનામત સાથે જોડાયેલું 124મું બંધારણીય સુધારા બિલ લઈને આવી છે, જેને લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભાની મંજૂરી મળવાની રાહ છે.

કેબિનેટની સંસદીય મામલાઓ સાથે જોડાયેલી સમિતિ (કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ)એ બુધવાર તા.9મી જાન્યુઆરીએ આ નિર્ણય લીધો છે. ન્યુઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. અધિકૃત એલાન પછીથી કરવામાં આવશે.

 

January 9, 2019
dhoni.jpg
1min6300
  • ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ
  • ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી
  • પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી
  • ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે

ભારત ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન એમ એસ ધોનીએ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કરીને નવી ઇનિંગ શરૂ કરી છે. કેપ્ટન કૂલ તરીકે ઓળખાતા ધોનીએ ધોની એન્ટરટેઇનમેન્ટ સ્થાપી છે અને પ્રોડક્શન હાઉસ બાનીજય એશિયા સાથે લાંબા ગાળાની ભાગીદારી કરી છે.

ધોની અને બાનીજય તમામ જોનર્સ અને એકથી વધુ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ રચશે. બાનીજય એશિયા એ વિશ્વની સૌથી મોટી ઇન્ડિપેન્ડન્ટ કન્ટેન્ટ ક્રિયેશન કંપની પૈકીની એક બાનીજય અને એન્ડોમોલ શાઇન ઇન્ડિયાના એમડી દીપક ધાર વચ્ચેનું ૫૦:૫૦નું સંયુક્ત સાહસ છે.

લાંબા ગાળાની ભાગીદારીમાં ધોની અને બાનીજય એશિયા બંને રોકાણ કરીને કન્ટેન્ટ રચશે. ધોનીએ જણાવ્યું હતું કે, “મારી બાયોપિક પછી હું મનોરંજન ક્ષેત્રે કંઈક કરવા માંગતો હતો. મને તેમાં હંમેશા રસ પડ્યો છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં તાજું કન્ટેન્ટ રચવાની શક્યતા છે.”

ધાર અને બાનીજય સાથે ભાગીદારી કરવા વિશે ધોનીએ જણાવ્યું કે ધારના કામને જોયું છે અને અત્યાર સુધીમાં તેમણે રચેલા કન્ટેન્ટના આધારે મેં બાનીજય એશિયા સાથે ભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો.

આ પાર્ટનરશિપની યોજના પ્રીમિયમ કન્ટેન્ટ રચવાની છે જે ભારત અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોમાં વિવિધ પ્લેટફોર્મ પર વિતરીત કરવામાં આવશે. બાનીજય એશિયાના સ્થાપક અને સીઇઓ દીપક ધારે કહ્યું કે, “સમગ્ર ડિજિટલ ઇકોસિસ્ટમ વિકસી રહી છે તેથી અમને કન્ટેન્ટમાં પુષ્કળ ડિમાન્ડ જોવા મળી છે. જાણીતી હસ્તીઓ પણ તેના પ્રત્યે આકર્ષાઈ રહી છે. પ્રોફેશનલી જોવામાં આવે તો કોઈની સાથે ભાગીદારી કરવી હોય ત્યારે ધોની કરતાં વધારે જાણીતું નામ બીજું કોઈ નથી. આ દિશામાં આ ડ્રીમ સહયોગ છે. અમે તમામ પ્લેટફોર્મ પર ઓડિયન્સ માટે વિશિષ્ટ શો લાવવા માંગીએ છીએ.

ધોની સત્તાવાર રીતે મનોરંજન સેક્ટરમાં પ્રથમ વખત પ્રવેશ કરે છે. પરંતુ તેના માટે આ ઉદ્યોગ નવો નથી. તેના મેનેજર અરુણ પાંડેએ નીરજ પાંડેના દિગ્દર્શન હેઠળ ધોનીની બાયોપિક ‘એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ બનાવી હતી. નવી પાર્ટનરશિપ કેવા કન્ટેન્ટ પર ધ્યાન આપશે તે પૂછવામાં આવતાં ધોનીએ જણાવ્યું કે, “અમે તમામ પ્રકારના વિષયો પર કામ કરવા તૈયાર છીએ.

અમે માત્ર સ્પોર્ટ્સ પૂરતું કામકાજ મર્યાદિત રાખવા માંગતા નથી. અમે હાલમાં વિવિધ કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ અને કેટલાક પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.” બાનીજય એશિયા સલમાન ખાનની એસ કે ટીવી સાથે આવી જ ભાગીદારી ધરાવે છે જેણે તાજેતરમાં સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ‘કપિલ શર્મા શો’ શરૂ કર્યો છે.

January 9, 2019
modi.jpg
1min7420

૩૨૩ સામે માત્ર ૩ વોટ ખરડા વિરુદ્ધ, વિપક્ષી વિરોધ અને ટીકાઓ વચ્ચે આર્થિક પછાત સવર્ણોને ૧૦ ટકા આરક્ષણનો ખરડો લોકસભામાં મંજૂર

સમાજવાદી પક્ષ સહિત કેટલાક વિપક્ષી સંસદસભ્યોના વિરોધ અને ટીકાઓ વચ્ચે જનરલ કૅટેગરીમાં આર્થિક પછાતવર્ગોને આરક્ષણની જોગવાઈ ધરાવતો ખરડો ગઈ કાલે લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો. લોકસભામાં ૩૨૩ સભ્યોએ ખરડાની તરફેણમાં અને ૩ સભ્યોએ ખરડાના વિરોધમાં મતદાન કર્યું હતું. ખરડાને સત્તાધારી પક્ષ ઉપરાંત અન્ય પક્ષોનું પણ સમર્થન પ્રાપ્ત થયું હતું. સોમવારે કેન્દ્રના પ્રધાનમંડળે બંધારણમાં ૧૨૪મા સુધારા માટેના ખરડાને બહાલી આપ્યા પછી ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે સામાજિક ન્યાય વિભાગના પ્રધાન ડૉ. થાવરચંદ ગેહલોતે એ ખરડો લોકસભામાં રજૂ કર્યો હતો. બંધારણીય સુધારાનો ખરડો પસાર કરવા માટે ગૃહમાં ઓછામાં ઓછા પચાસ ટકા સભ્યોની હાજરી અને એમાંથી બે-તૃતીયાંશ સભ્યોનું સમર્થન અનિવાર્ય છે. AIADMK , BSP અને TMCએ ખામીઓ દર્શાવવા સાથે ખરડાને સમર્થન આપ્યું હતું. DMK સવર્ણોને આરક્ષણનો સૈદ્ધાંતિક વિરોધ કર્યો હતો. સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો અને કૉંગ્રેસે આર્થિક પછાતવર્ગોને ૧૦ ટકા આરક્ષણના ખરડાનો વિરોધ કર્યો હતો.

ખરડાની જોગવાઈઓ શું છે?

હાલમાં આર્થિક પછાતવર્ગના નાગરિકો નાણાકીય ક્ષમતાના અભાવને કારણે આર્થિક રીતે સક્ષમ નાગરિકોની સાથે સ્પર્ધા કરી શકતા ન હોવાથી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં સ્થાન મેળવી શકતા નથી. ખરડા દ્વારા બંધારણની ૧૫મી કલમમાં સુધારારૂપે ‘નાગરિકોના આર્થિક પછાતવર્ગના ઉત્કર્ષ માટે વિશેષ જોગવાઈઓ’ની રાજ્યોને છૂટ આપતી પેટાકલમ જોડવામાં આવશે. એ વિશેષ જોગવાઈઓ આર્થિક પછાતવર્ગના સ્ટુડન્ટ્સને લઘુમતી શિક્ષણસંસ્થાઓ સિવાયની સરકારી સહાય મેળવતી કે નહીં મેળવતી ખાનગી શિક્ષણસંસ્થાઓ સહિત શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશને સંબંધિત છે. અત્યાર સુધીના નર્ધિારિત આરક્ષણ ઉપરાંત જનરલ કૅટેગરીના આર્થિક પછાતવર્ગને આરક્ષણ આપવામાં આવશે. એનું પ્રમાણ દરેક કૅટેગરીની કુલ બેઠકોમાં ૧૦ ટકા રહેશે. બંધારણની ૪૬મી કલમમાં જે નીતિવિષયક માર્ગદર્શક સિદ્ધાંતો વર્ણવવામાં આવ્યા છે એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે જનતાના પછાતવર્ગો, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિના પછાતવર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ કાળજી રાખવાની છે. સરકારે એ વર્ગોનું સામાજિક અન્યાય અને શોષણથી પણ રક્ષણ કરવાનું છે. આર્થિક પછાતવર્ગોને આરક્ષણના ખરડા વિશે કોણે શું કહ્યું?

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં આર્થિક પછાતવર્ગોના નાગરિકોને ૧૦ ટકા આરક્ષણનો કેન્દ્રના પ્રધાનમંડળનો નર્ણિય ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વેનો સ્ટન્ટ અને રાજકીય ચતુરાઈ છે. જોકે અમે સરકારના આ પરિપક્વતાનો અભાવ દર્શાવતા અધકચરા પગલાનું સ્વાગત કરીએ છીએ. ગ્થ્ભ્ની સરકારે આ નિર્ણય વહેલો લેવો જોઈતો હતો.

ભાજપની સરકાર અત્યંત બેદરકાર છે. આ સરકાર સાડાચાર વર્ષથી ઊંઘતી હતી અને હવે અચાનક જાગી છે. સંસદમાં ખરડો પસાર ન કરાય તો ખરેખર આર્થિક પછાતવર્ગોને આરક્ષણ આપવાનો આ સરકારનો કોઈ નિષ્ઠાપૂર્વકનો ઇરાદો નથી. લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આ ખરડો રજૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ધબડકો થયા પછી ગ્થ્ભ્ને આ ખરડો લાવવાનું સૂઝ્યું છે.

આર્થિક પછાતવર્ગોના નાગરિકોને 10 ટકા આરક્ષણનો નર્ણિય ઐતિહાસિક છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ની દિશામાં મહત્વનું પગલું છે. ગરીબ પેરન્ટ્સના સંતાન નરેન્દ્ર મોદી સમાજના ગરીબ વર્ગોનાં હિતો માટે આરક્ષણની જોગવાઈ કરીને એકવીસમી સદીના આંબેડકર બન્યા છે.

અફઘાનિસ્તાન, બંગલા દેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં વસતા હિન્દુ, જૈન, બૌદ્ધ, સિખ, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકો માટે ભારતની નાગરિકતાનો માર્ગ મોકળો કરતા સિટિઝનશિપ બિલને ગઈ કાલે લોકસભામાં મંજૂરી આપવામાં આવી હતી. ગઈ કાલે સંસદના શિયાળુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ તેમ જ વ્યક્તિઓ, ગુનેગારો કે ગુનાનો ભોગ બનેલાઓ કે ગુમ થયેલી વ્યક્તિઓને ઓળખવા માટે Dફ્ખ્ ટેક્નૉલૉજીના વપરાશની છૂટ આપતો ખરડો અને ટ્રેડ યુનિયન્સને કાનૂની માન્યતા સંબંધી ટ્રેડ યુનિયન્સ (અમેન્ડમેન્ટ) બિલ-૨૦૧૯ રજૂ કરવામાં આવ્યાં હતાં.