CIA ALERT

ઇન્ડીયા Archives - Page 191 of 217 - CIA Live

April 5, 2019
congress.jpg
1min5360

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટેલિવિઝન છે, પણ વિઝન ન હોવાનો ટોણો કૉંગ્રેસે ભાજપ સરકારને માર્યો હતો. કૉંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ સરકારનું નબળું પ્રદર્શન એ દર્શાવે છે કે મોદી પાસે ટેલિવિઝન છે, વિઝન નથી.

સશસ્ત્ર સેનાને આપવામાં આવેલા ખાસ પાવર્સ માટેના અફસ્પા કાયદામાં ફેરફાર મામલે ભાજપે કૉંગ્રેસની કરેલી ટીકાને વખોડતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે પોતાનો પક્ષ આ મામલે ફક્ત સમીક્ષા કરવા માગે છે અને એ માટે ચર્ચા કરવા માગે છે. આ સાથે પ્રિયંકાએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં અમીરો વધુ અમીર અને ગરીબો વધુ ગરીબ બન્યા છે, પણ કૉંગ્રેસના જાહેરનામામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો ને અન્ય વર્ગને ન્યાય અપાવવાની વાત કહેવામાં આવી છે.

April 4, 2019
RBI.jpg
1min15730

આરબીઆઈ દ્વારા આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ભારતના અર્થતંત્રને વેગ આપતી મોનેટરી પોલિસી જાહેર કરી હતી. જેના ભાગરૂપે રેપોરેટ, વ્યાજના દરમાં 0.25 ટકાનો સતત બીજી વાર ઘટાડો કરાયો છે. આ સાથે જ એશિયામાં ભારત એક માત્ર એવો દેશ છે કે જેણે ત્રણ મહિનામાં વ્યાજના દરમાં બે વાર ઘટાડો કર્યો છે.

નાણાકીય વર્ષ 2019-20ની સૌ પહેલી મોનેટરી પોલિસીમાં રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં ઘટાડો કરાતા હવે તે 6 ટકા પર આવી ગયો છે. રેપો રેટ એવો દર છે કે જેના પર રિઝર્વ બેંક અન્ય બેંકોને નાંણા ધીરે છે.

વ્યાજ દરમાં ઘટાડો કરવાના કારણમાં મધ્યસ્થ બેંકે જણાવ્યું હતું કે હાલના નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં જીડીપી ગ્રોથ રેટ 6.8 થી 7.1 ટકા વચ્ચે રહી શકે છે, અને પછીના છ મહિનામાં તે વધીને 7.3 થી 7.4 ટકા થઈ શકે છે.

આ સિવાય ફુગાવાનો દર આ નાણાકીય વર્ષમાં 2.9 થી 3 ટકા આસપાસ રહેશે. ફુગાવો ઘણો નીચો રહેવાની શક્યતા પર આરબીઆઈએ વ્યાજના દર ઘટાડ્યા છે. જ્યારે 2019-20ના છેલ્લા છ મહિનામાં ફુગાવાનો દર 3.5 થી 3.8 ટકા સુધી રહેવાનો અંદાજ રિઝર્વ બેંકે વ્યક્ત કર્યો છે.

આરબીઆઈ આ વખતે પણ વ્યાજના દરમાં ઘટાડો કરશે તેવું નક્કી મનાતું હતું. જો વ્યાજ દરમાં ઘટાડો ન થાય તો પણ તે સ્થિર રહે તેવી પૂરી શક્યતા હતી, કારણકે હાલની સ્થિતિને જોતા રિઝર્વ બેંક કોઈ સંજોગોમાં વ્યાજ દર નહીં વધારે એમ માનવામાં આવી રહ્યું છે.

 

April 4, 2019
mayawati.jpg
1min10650

વડા પ્રધાન બનવાની પોતાની મનસા જાહેર કરતા બહુજન સમાજ પાર્ટી (બીએસપી)ના સુપ્રીમો માયાવતીએ બુધવારે જણાવ્યું હતું કે તેમને જો તક મળશે તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનવાના તેમના અનુભવને તેઓ કામે લગાડીને કેન્દ્રમાં તેઓ ‘ઉત્તમ સરકાર’ આપશે.

તેઓ ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે.

‘મારી પાસે ઘણો અનુભવ છે. મારા આ અનુભવને કામે લગાડીને હું લોકોના કલ્યાણ માટે કામ કરીશ,’ એમ અત્રેની એક કોન્ફરન્સમાં બોલતા માયાવતીએ જણાવ્યું હતું.

તમને વડા પ્રધાન બનવાનું ગમશે કે? એવા એક સવાલના જવાબમાં જોકે માયાવતીએ જણાવ્યું હતું કે 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ જ પરિસ્થિતિ સાફ થશે. આંધ્ર પ્રદેશમાં બીએસપી જનસેના, સીપીઆઇ અને સીપીઆઇ (એમ) સાથે ગઠબંધન કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની છે અને આ ગઠબંધનના ભાગરૂપે રાજ્યની વિધાનસભાની કુલ 175માંથી 21 બેઠક માટે અને લોકસભાની કુલ 25માંથી ત્રણ બેઠક માટે પોતાના ઉમેદવાર ઊભા રાખશે.

‘લોકોને બદલાવ જોઇએ છે. તેઓને કેન્દ્રમાં એવી સરકાર જોઇએ છે જે લોકોના કલ્યાણ માટે કામ કરે, એમ જણાવતા માયાવતીએ કહ્યું હતું કે 2014ની ચૂંટણીમાં કુલ મત મેળવવામાં તેમનો પક્ષ ત્રીજા ક્રમાંકે હતો.

દેશમાં ત્રીજા મોરચાની જરૂર છે? એવા સવાલના જવાબમાં માયાવતીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ જ આ વિશે સ્પષ્ટતા થઇ શકે છે. ‘2014ની ચૂંટણીમાં ભાજપે મોટા મોટા વચનોની લહાણી કરી હતી, પરંતુ જેને નિભાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા અને તેથી લોકોનું ધ્યાન બીજા મુદ્દાઓ પર દોરવાનો તેમણે પ્રયાસ કર્યો હતો,’ એમ માયાવતીએ જણાવ્યું હતું.

કૉંગ્રેસ માટે બોલતા તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ લાંબો સમય સુધી સત્તામાં રહી હતી, પરંતુ લોકોને આપેલા વચનોની પૂર્તિ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને ભાજપે બાજી મારી લીધી હતી.

April 4, 2019
Election-Duty.png
1min7200

‘ઇલેકશન ડ્યૂટી’ ખાનગી શાળાના શિક્ષકોને લાગુ થતી ન હોવાની કબૂલાત કેન્દ્રીય ચૂંટણી પંચે બુધવારે તા.3 એપ્રિલ 2019ના રોજ મહારાષ્ટ્ર-મુંબઇ હાઈ કોર્ટેમાં કરી હતી, પરિણામે ખાનગી શાળાના શિક્ષકોને મોટી રાહત મળી છે.

લોકસભાની ચૂંટણી દરમિયાન ખાનગી સ્કુલોના શિક્ષકોને તેમજ બિન અનુદાનિત શાળાઓના શિક્ષકોને આડેધડ રીતે ચૂંટણી લક્ષી કામગીરી સોંપવામાં આવી હતી, જેની સામે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષક મહાસંઘે દાખલ કરેલી અરજી પર ન્યાયાધીશ અભય ઓક અને ન્યાયાધીશ મનોજ સંકલેની ખંડપીઠ સામે સુનાવણી શરૂ હતી.

ચૂંટણીઓ નજીક આવતા જ રાજ્યભરના સરકારી કર્મચારીઓ સાથે શિક્ષકોને પણ ચૂંટણી પંચ કામે લગાડે છે. આ વખતે પણ ચૂંટણી પંચે બિન અનુદાનિત શાળાના પહેલાથી ચોથા ધોરણના શિક્ષકોની યાદી માગી હતી. તેના વિરોધમાં બિન અનુદાનિત શાળા મહાસંઘે મુંબઈ
હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. નિયમ અનુસાર માત્ર અનુદાનિત શાળાના શિક્ષકોને જ ચૂંટણીના કામ માટે બોલાવી શકાય છે, કારણ કે આ શાળાને સરકાર પાસેથી અનુદાન મળે છે. જોકે, દર વર્ષે ખાનગી શાળાના શિક્ષકોને પણ ચૂંટણીના કામમાં ઘસેડવામાં આવે છે, તે ખોટું હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો હતો.

April 4, 2019
kirit_somaiya.jpeg
1min10710

ઈશાન મુંબઈના હાલના ભાજપ સાંસદ કિરીટ સોમૈયાનું પત્તું કાપી પક્ષના નગરસેવક મનોજ કોટકને ઉમેદવારી જાહેર કરી છે. જો કે કિરીટ સોમૈયા અને ઘરવાપસી કરેલા પ્રવીણ છેડાના સમર્થકો પક્ષની આ જાહેરાતથી નારાજ થયા છે, જેનું પરિણામ ચૂંટણીના રિઝલ્ટ પર પડી શકે તેમ એક સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. બીજી બાજુ પક્ષમાં ગણગણાટ થઈ રહ્યો છે કે ભાજપએ તેની ઈશાન મુંબઈની બેઠક એનસીપીને તાસકમાં ભેટ ધરી દીધી છે. મનોજ કોટકનો સામનો અહીં એનસીપીના ઉમેદવાર સંજય દીના પાટીલ સામે છે, જેનું સારું વર્ચસ્વ ઈશાન મુંબઈમાં છે.

હાલના સાંસદ કિરીટ સોમૈયાને ફરીથી ટિકિટ આપવા સામે શિવસેનાનો વિરોધ હતો તો શું ભાજપની ઉમેદવારી શિવસેના નક્કી કરશે. તેવો પ્રશ્ર્ન પણ ચર્ચાઈ રહ્યો છે. મોવડીમંડળના ઈશારે સોમૈયાએ માતોશ્રી સામે મોરચો ખોલ્યો હતો. આમ છતાં તેમનું પત્તું કાપી ફક્ત મુલુંડ પૂરતું વર્ચસ્વ ધરાવનારા નગરસેવક મનોજ કોટકને ઉમેદવારી આપવાથી પક્ષના જ કેટલાક નેતાઓ તેને હરાવવાની કોશિશ કરશે તેમ ચર્ચાઈ રહ્યું છે.

10મું ભણેલા મનોજ કોટક વિધાનસભાની ચૂંટણીમાં ભાંડુપ વેસ્ટમાં શિવસેનાના ઉમેદવાર સામે 2014માં હારી ગયા હતા. જો કે મુખ્ય પ્રધાનના વિશ્ર્વાસુ ગણાતા મનોજ કોટકને વિધાનપરિષદમાં બે વખત મોકલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હોવાનું વેબસાઈટના અહેવાલમાં જણાવાયું છે. જોકે હવે મનોજ કોટકનો સામનો એનસીપીના તગડા ઉમેદવાર સંજય દીના પાટીલ સામે છે ત્યારે ચૂંટણીના પરિણામ પર સહુની નજર રહેશે. તેમાં શંકા નથી. નારાજ કિરીટ સોમૈયાને રાજ્યસભામાં લઈ જવાની વેતરણ કરાતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

April 3, 2019
amarnath_yatra.jpg
7min16470
  • 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે.
  • જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે
  • રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે

જમ્મુ અને કાશ્મીરના બાલતાલ અને ચંદનવાડી રૂટથી વાર્ષિક અમરનાથયાત્રાનું રજિસ્ટ્રેશન મંગળવારથી ચાલુ થઇ ગયું છે, એવી સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી હતી. કોઇ પણ વ્યક્તિને પરમિટ વિના યાત્રા કરવા દેવામાં નહીં આવે. આ પરમિટ કેટલાક દિવસ અને રૂટ માટે આપવામાં આવે છે.

અમરનાથયાત્રાના યાત્રાળુઓનું રજિસ્ટ્રેશન દેશના 32 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી પંજાબ નેશનલ બૅંક, યસ બૅંક અને જમ્મુ કાશ્મીર બૅંકની કુલ નક્કી કરવામાં આવેલી 440 બ્રાન્ચમાં કરવામાં આવશે.

46 દિવસ સુધી ચાલનારી આ યાત્રાની શરૂઆત પહેલી જુલાઇના માસિક શિવરાત્રીના દિવસથી થશે અને તેની પૂર્ણાહુતિ 15 ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ થશે.

હાલની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપરાંત બૉર્ડે દરરોજ ચોક્કસ સંખ્યામાં યાત્રાળુઓનું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું પણ નક્કી કર્યું છે, એવી અધિકારીએ માહિતી આપી હતી. રજિસ્ટ્રેશન માટે યાત્રાળુએ ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ રજૂ કરવું આવશ્યક છે. દરેક રાજ્યના યાત્રાળુઓ માટે ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ લેવા માટે અધિકૃત ડૉક્ટર્સ અને મેડિકલ સંસ્થાની યાદી શ્રાઇન બૉર્ડની વૅબસાઇટ પર મૂકવામાં આવી છે.

13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, 75 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો અને છથી વધુ અઠવાડિયાની ગર્ભવતી સ્ત્રીઓ આ યાત્રામાં ભાગ નહીં લઇ શકે. જે વ્યક્તિઓ હૅલિકોપ્ટરના માધ્યમથી યાત્રા કરવા માગતા હોય તેમને રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. તેમની હૅલિકોપ્ટરની ટિકિટ આ માટે પૂરતી છે. જોકે તેમણે યાત્રા પહેલાં ફરજિયાત સ્વાસ્થ્ય સર્ટિફિકેટ આપવું પડશે.

અમરનાથ યાત્રા માટેનું ફોર્મ અહીં પ્રસ્તુત છે

સી.એચ.સી.નું ફોર્મ ભરવું પણ અનિવાર્ય

હેલીકોપ્ટર સેવા માટે હેલ્પ લાઇન નંબર

અમરનાથ યાત્રા રૂટ તેમજ અન્ય વિગતો માટે નીચે મુજબની લિંક પર ક્લીક કરો

http://www.shriamarnathjishrine.com/Yatra2019/Booklet%20Yatra%20Nirdeshika.pdf  

 

યાત્રા રૂટ

Traditional Route

From Jammu: How to Reach Amarnath Holy Cave:

A. JAMMU – PAHALGAM – HOLY CAVE

Jammu to Pahalgam (315 km) – The distance between Jammu to Pahalgam can be covered by taxi / buses which are available at Tourist Reception Centre, J & K Govt., Raghunath Bazaar only early in the morning. Another option is going to Srinagar by air and then proceeding to Pahalgam by road.

PAHALGAM – HOLY CAVE

PAHALGAM

Situated 96 Kms from Srinagar, Pahalgam is known all over the world for its beauty. Lidder and Aru Rivers and high mountains kiss the valley. Good Hotels are available for accommodation. Arrangements for free Langars (food kiosks) are also made by Non Government Organisations at Nunwan Yatri Camp, 6 kms. short of Pahalgam. Pilgrims camp at Pahalgam for the first night.

CHANDANWARI

The distance from Pahalgam to Chandanwari is 16 kms. Mini buses run from Pahalgam to reach Chandanwari. The trail runs along the Lidder River with a fabulous scenic view. There are many Langars that offer food to the Yatris.

PISSU TOP

As the Yatra proceeds further from Chandanwari one climbs a height to reach Pissu Top. It is said that to be the first to reach for darshan of Bhole Nath Shivshankar, there was a war between Devtas and Rakshas. With the power of Shiv, devtas could kill the rakshas in such large number that the heap of their dead bodies resulted in this high mountain.

SHESHNAG

Sheshnag – is actually a mountain which derives its name from its Seven Peaks, resembling the heads of the mythical snake. The second night’s camp at Sheshnag overlooks the deep blue waters of Sheshnag lake, and glaciers beyond. There are legends of love and revenge too associated with Sheshnag, and at the camp these are narrated by campfires. The stillness of the Himalayan night increases your inner joy. Once you take bath and enjoy the scenic view, life takes a whole new meaning altogether.

PANCHTARNI

From Sheshnag one has to climb a steep height across Mahagunas Pass at 4276 mtrs.(14000 ft) for 4.6 Km and then descend to the meadow lands of Panjtarni at a height of 3657 mtrs (12000 ft). Due to cold harsh winds it is strongly recommended that Yatris should carry their quota of Woolens and Vaseline! Some Yatris are also affected by deficiency of oxygen. Some may get the feeling of nausea. Dry fruits, sour and sweet eatables like Lemon appear to control these symptoms but it is best to contact the nearest medical post immediately. The route to Mahagunas is full of rivulets, water falls and springs. At Panjtarni, at the feet of BHAIRAV MOUNT, Five Rivers flow which apparently originated from Lord Shiva’s Hair (Jataon). Pilgrims camp at Panjtarni on the 3rd night.

THE HOLY CAVE SHRI AMARNATH

On the way to The Holy Cave, one comes across the Sangam of Amravati and Panjtarni rivers. Some pilgrims take bath at Amravati near the Holy Cave before going for Darshan. There are two smaller Shivlings one of Maa Parvati and other of Shri Ganesh. It may be noted that after having early Darshan of the Shiv Linga at Holy Cave, one can return to Panjtarni well in time the same day.

JAMMU-BALTAL-HOLY CAVE

Sonamarg-Baltal

From Jammu, one has to go by road to Srinagar and then to reach Baltal via Sonamarg.

Baltal- Holy Cave

This is a 14 km. steep trek – one way. Only the very fit can go and come back the same day after trekking for 28 kms. It is possible to hire ponies or palkies. Baltal is, more popular because of its shorter distance.

 

 

April 3, 2019
fraud.jpg
1min8150

એચ-1 બી વિઝા મેળવવા બોગસ અરજીઓ કરનારા ત્રણ ભારતીય ક્ધસલટન્ટ સામે વિઝા ફ્રોડના ગુના માટે કેસ કરવામાં આવ્યો છે. ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સાંતા ક્લેરાના કિશોર દત્તાપુુરમ, ઓસ્ટીનના કુમાર અશ્ર્વપથી અને સાન જોઝના સંતોષ ગિરી સામે વિઝા છેતરપિંડી કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ત્રણેની ગત સપ્તાહમાં પોતપોતાના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણે આરોપીએ ‘નોટ ગિલ્ટી’નુંં નિવેદન રજૂ કર્યું હતું અને બોન્ડ જમા કરાયા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. 13 મેએ તેમની સામેની સુનાવણી આગળ ચાલશે. ગુનો સાબિત થશે તો આરોપીઓને દસ વર્ષ સુધીની સજા અને 250000 ડૉલર સુધીનો દંડ થઈ શકે છે. કાયદાના દરેક ઉલ્લંઘન માટે તેમની પાસેથી યોગ્ય વળતર પણ માગી શકાય છે.

ભારતીય ટૅક્નોલૉજી પ્રોફેશનલ્સમાં એચ 1બી વિઝા ખૂબ જ જાણીતો છે. અમેરિકાની કંપનીઓમાં નોકરી કરવા અને ત્યાં રહી શકાય તે માટેની હંગામી મંજૂરી એચ 1બી વિઝા દ્વારા મળી શકે છે. વિદેશના કર્મચારી માટે નોકરીનું અસ્તિત્વ અને નોકરીની મુદતની જાણકારી અને પગાર વગેરે દસ્તાવેજો રજૂ કરીને એચ 1બી વિઝા મેળવી શકાય છે. આ ત્રણે ક્ધસલ્ટન્ટ વિદેશી કર્મચારીઓની બોગસ અરજી રજૂ કરી એચ 1બી વિઝા માટે અરજી કરતા હતા. કોઈ કંપનીમાં નોકરી ઉપલબ્ધ છે તેવા ખોટા દસ્તાવેજો દર્શાવી વિઝા મેળવવામાં આવતા હતા અને પછી કર્મચારીઓને અન્ય કંપનીમાં જગ્યા પડે ત્યારે ગોઠવી દેવામાં આવતા હતા. સરકારના સંબંધિત અધિકારીના સંભવિત પ્રશ્ર્નોના જવાબ પણ આરોપીઓ તેમના ગ્રાહક વિદેશી કર્મચારીને મોંઢે કરાવી દેતા હતા જેથી છેતરપિંડી ધ્યાનમાં ન આવે.

April 2, 2019
hardik1-1280x720.jpg
1min8470

હાર્દિક પટેલનો કેસ ઇમરજન્સી હિયરીંગને લાયક ન ગણ્યો સુપ્રીમ કોર્ટે, ઇમરન્સી હિયરીંગ નહીં થાય, ગુજરાતમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત તા.4 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીની જ

લોકસભા લડવા હાર્દિક સુપ્રીમ કોર્ટ રજૂઆત કરી હતી કે ચૂકાદામાં ગુજરાત હાઇકોર્ટએ ઉતાવળ કરી હતી

પાટીદાર નેતામાંથી  કોંગ્રેસ નેતા બનેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા ચૂકાદાને પડકારતી એક પીટીશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસની તાત્કાલિક સુનાવણી માટે માગણી કરવામાં આવી હતી. પરંતુ, મળેલી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની સાફ ના પાડી દીધી હતી. એવું મનાય છે કે હવે ચૂંટણી લડવાની હાર્દિકની મનની મનમાં રહી જશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની પ્રક્રિયાની અંતિમ મુદત તા.4 એપ્રિલ 2019ના રોજ બપોરે ત્રણ કલાક સુધીની જ છે.

હાર્દિક પટેલ પર વિસનગર હિંસા કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ સજા પર સ્ટે મૂકવાની માગણી અગાઉ કરવામાં આવી હતી. પરંતુ, ગુજરાત હાઇકોર્ટે હાર્દિકની માગણી ફગાવી દીધી હતી. પરીણામે હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો, ચૂંટણી લડવા માટેની તેની આ છેલ્લી આશા હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સાફ ના પાડી દીધી છે.

વિસનગર કેસની સજા પર સ્ટે ન મૂકાય તો લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ પ્રમાણે હાર્દિક લોકસભા ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.

ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

 

April 2, 2019
badhel.jpg
1min11880

વારંવાર અરીસામાં જોઈને તમારો અસલી ચહેરો ઓળખવા પ્રયાસ કરો: બધેલ
છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરીસો મોકલાવીને પોતાનો અસલી ચહેરો ઓળખવા કહ્યું છે. તેમણે વડાપ્રધાનને અરીસો મોકલ્યા બાદ રાજ્યમાં અરીસા યુદ્ધ છેડાઈ ગયું છે અને રાજ્યનાં અન્ય કોંગ્રેસ નેતાઓ ભાજપનાં નેતાઓને અરીસા મોકલવા લાગ્યા છે.
બધેલે મોદીને અરીસો મોકલ્યા બાદ ટ્વિટ કર્યુ હતું કે, તમને અરીસો ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યો છે. જેને લોક કલ્યાણ માર્ગનાં તમારા આવાસમાં કોઈ એવા સ્થાને લગાવજો, જ્યાંથી તમે વધુ વખત નીકળતા હોય અને વારંવાર પોતાની સિકલ જોઈને અસલી ચહેરો ઓળખવાનો પ્રયાસ કરી શકો. તમે ભલે આ અરીસાનો ઉપયોગ ન કરો પણ દેશની 12પ કરોડ જનતા આ વખતે તમને અરીસો દેખાડવાની છે.
April 1, 2019
tapti-1.jpg
1min10740

તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :

બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.

બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.