સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’