CIA ALERT

ઇન્ડીયા Archives - Page 183 of 216 - CIA Live

May 23, 2019
firmodi.jpg
1min12020

ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ભાજપ તરફી લહેર જોવા મળી છે અને એનડીએ આગળ ચાલી રહી છે. બપોરે 2 વાગ્યે ભાજપાની આગેવાની હેઠળ એન.ડી.એ. ને 320 બેઠકો પર સરસાઇ મળી રહી છે જ્યારે કોંગ્રેસ આગેવાની હેઠળના યુપીએને 90 બેઠકો પર સરસાઇ મળી રહ્યાના અહેવાલો છે. અન્ય 105 બેઠકો પર આગળ હોવાનું ચિત્ર જણાય આવે છે.

એ પૂર્વે પોસ્ટલ બેલેટની અને ઈવીએમની મતગણતરી એકસાથે શરૂ થઈ છે. અગાઉ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરાતી હતી અને ત્યારબાદ ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવતી હતી. લોકસભાની 542 બેઠકો માટે મતગણતરી બપોરે બે વાગ્યે મધ્ય ભાગે પહોંચી અને હજુ પણ પાંચેક કલાક બાદ એટલે કે મોડી સાંજ સુધીમાં કોની સરકાર રચાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

દિલ્હીમાં ભાજપ કાર્યલયમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્રિત થઇ રહ્યા છે અને અહીં પૂજા પણ શરૂ થઇ ચૂકી છે. પરિણામો ભાજપના પક્ષમાં આવશે તો સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભાજપ કાર્યાલય પર આવી પહોંચશે. આ ઉપરાંત ભાજપ કાર્યાલયમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓના પહોંચવાની આશા છે.

દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને વિજય મેળવ્યા બાદ ભાજપ કાર્યાલય પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું છે કે 20થી 22 હજારથી વધુ કાર્યકર્તાઓ આજે ભાજપ કાર્યાલય પહોંચશે. સાંજની ઉજવણીમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે.

 

May 22, 2019
voting.jpg
1min12740

સોશિયલ મીડિયા પર ઈવીએમને ખસેડવા અંગેના અને છેડછાડના વીડિયો વાઈરલ થતા ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ટોળાઓ રસ્તા પર નીકળી આવ્યા હતા અને દેખાવો કર્યા હતા.

ઈવીએમ સાથે ગડબડ થઈ રહી હોવાના અહેવાલોને ચૂંટણી પંચે ‘પાયાવિહોણા’ અને ‘ક્ષુલ્લક’ ગણાવ્યા હતા. ચંદોલીમાં ઈવીએમને વાહનમાંથી ઉતારી કાઉન્ટિંગ સેન્ટરના કોમ્પલેક્સમાં આવેલા એક રૂમમાં મૂકવામાં આવ્યું હોવાની વીડિયો ક્લીપ વાયરલ થઈ હતી. એક અન્ય વીડિયો દર્શાવે છે કે ગાઝીપુરના સપા-બસપા જોડાણના ઉમેદવાર અફઝલ અંસારી આક્ષેપ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર ઈવીએમ બદલવા પ્રયત્ન કરી રહ્યું છે.

આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંસારી અને તેમના ટેકેદારો પોલીસ અધિકારી સાથે દલીલ કરી રહ્યા છે. ઈવીએમ ભરેલું એક વાહન લઈ જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેવો દાવો કરતા અંસારી અને તેના ટેકેદારોને રસ્તો ખાલી કરવા વિનંતી કરી રહ્યા છે. તેવું વીડિયોમાં દેખાય છે. અંસારીએ માગ કરી હતી કે બીએસપીના ઓછામાં ઓછા બે કાર્યકરોને ઈવીએમ ભરેલા પાંચ સ્ટ્રોન્ગ રૂમમાં નજર રાખવા બેસવા દેવા જોઈએ. વીડિયો વાઈરલ થયા હતા તે પછી ગાઝીપુર, ચંદોલી અને ડુમારિયાગંજમાં રાજકીય પક્ષોના કાર્યકરો ભેગા થયા હતા અને દેખાવો કર્યા હતા.

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્ર્વરલુએ રાજકીય પક્ષોના ભયને દૂર કર્યો હતો. ગાઝીપુર ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ઉમેદવાર (અંસારી) ઈવીએમ પર નજર રાખવા વધુ લોકોને તહેનાત કરવા માગતો હતો અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે તેમને સમજાવ્યા હતા જેના પછી આંદોલનકારીઓ પાછા હટ્યા હતા. ચંદોલી બાબતમાં તેમણે સમજાવ્યું કે વણવપરાયેલા ઈવીએમ પાછા લાવવામાં આવ્યા હતા અને વાતચીત પછી ઈવીએમના આ જથ્થાને વપરાયેલા ઈવીએમથી જુદા રાખવામાં આવ્યા હતા.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે સ્ટ્રોન્ગ રૂમમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે અને ઉમેદવારોના પ્રતિનિધિઓ ઈવીએમ પર નજર રાખવા બેસી શકે છે.

વીડિયો વાયરલ થયા તેના પગલે રાજકીય પક્ષોએ તેમના નેતાઓને, ઉમેદવારોને અને કાર્યકરોને ઈવીએમ પર નજર રાખવા નિર્દેશ આપ્યા હતા. મતગણતરી વખતે હાજર રહેવા વિપક્ષોએ તેમના જિલ્લા એકમોના અને શહેરી એકમોના વડાને સૂચના આપી હતી. સ્ટ્રોન્ગ રૂમની સુરક્ષા જાળવવા તમામ વિપક્ષોએ પોતાના કાર્યકરોને સંદેશ આપ્યો હતો.

May 22, 2019
Keval-Kakka.jpg
1min5650

28 વર્ષના કેવલ કક્કા નામના યુવા ભારતીય પર્વતારોહકે ચાલી રહેલી સિઝનમાં માત્ર છ જ દિવસમાં માઉન્ટ ઍવરેસ્ટ સહિત 8000 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા બે પર્વત સર કરી લીધા હોવાનું નેપાળના પ્રસારમાધ્યમના અહેવાલમાં મંગળવારે જણાવવામાં આવ્યું હતું.

કેવલ હીરેન કક્કાએ મંગળવારે તા.21મી મે 2019ના રોજ વિશ્વમાં ચોથા ક્રમાંકનો સૌથી ઊંચો માઉન્ટ લ્હાત્સે પર્વત સર કરી લીધો હતો.

નવ સભ્યની ટીમનું નેતૃત્વ કરી રહેલા મુંબઈસ્થિત પર્વતારોહક હીરેને મંગળવારે તા.22મી મે 2019ની સવારે 6:30 વાગ્યે પર્વતના શિખર પર પગ મૂક્યો હતો, એમ આ પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર સતોરી ઍડવેન્ચર્સ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રિશી ભંડારીએ કહ્યું હતું. 16મી મેએ કક્કાએ માઉન્ટ ઍવરેસ્ટનું શિખર સર કર્યું હોવાનું સમાચારપત્રના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

કૅનેડિયન પર્વતારોહક મૅથ્યુસ વનૉર્નના નેતૃત્વ હેઠળ માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર 13 સભ્યની ટીમનો પણ તે હિસ્સો હતો, એમ ભંડારીએ કહ્યું હતું

કક્કાએ માઉન્ટ ટિબ્બા (6001 મીટર), માઉન્ટ હનુમાન ટિબ્બા (5932 મીટર), માઉન્ટ ફ્રૅન્ડશિપ (5289 મીટર), માઉન્ટ લૉબુચે ઈસ્ટ (6019 મીટર), માઉન્ટ સ્ટૉક કાન્ગરી (6049 મીટર), માઉન્ટ માનાસ્લુ (8163 મીટર)ના પર્વતારોહણ અભિયાનથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નેપાળની પર્વતારોહણ માર્ગદર્શકોની આઠ સભ્યની ટુકડીએ સફળતાપૂર્વક માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યા બાદ આ વરસે 14 મેએ પર્વતારોહણની સિઝન શરૂ થઈ હતી.

માઉન્ટ ઍવરેસ્ટની ઊંચાઈ 8848 મીટર અને માઉન્ટ લ્હાત્સેની ઊંચાઈ 8526 મીટર છે.

May 22, 2019
amit.jpg
1min12000

ભાજપના પ્રમુખ અમિત શાહ દ્વારા આયોજિત ડિનરમાં એનડીએના તમામ પક્ષોના નેતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આરંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપી અમિત શાહે સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ સાથી પક્ષોના નેતાઓએ ફૂલોનો હાર પહેરાવ્યો હતો અને શૉલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. ડિનર પાર્ટીમાં હાજર રહેલા ડઝન જેટલા સાથી પક્ષોના નેતાઓમાં મહારાષ્ટ્ર શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર, લોકજનશક્તિના રામવિલાસ પાસવાન અને અકાલી દળના વડા પ્રકાશસિંહ બાદલનો સમાવેશ થતો હતો.

એનડીએના ટોચના નેતાઓ મોદી સાથે મંચ પર બેઠા હતા. મોદીની એક બાજુએ અમિત શાહ તો બીજી બાજુએ પ્રકાશસિંહ બાદલ બેઠા હતા. મોદી સાથે મંચ પર બિરાજમાન અન્ય નેતાઓમાં નીતિશકુમાર, ઉદ્ધવ ઠાકરે, રાજનાથસિંહ, અરુણ જેટલી, જે. પી. નડ્ડા, પ્રકાશ જાવડેકર વગેરેનો સમાવેશ થતો હતો.

આ અગાઉ કેદ્રિય પ્રધાનમંડળની બેઠક ભાજપના મુખ્યાલયમાં મળી હતી. આ બેઠક બાદ વધુ એક બેઠક મળી હતી જેમાં અમિત શાહે ઉપસ્તિત તમામ પ્રધાનોનો રાષ્ટ્ર માટે આપેલી સેવા બદલ આભાર માન્યો હતો. મોટાભાગના ઍક્ઝિટ પૉલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી હોવા વચ્ચે 23મી મેએ જાહેર થનારાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો અગાઉ યોજવામાં આવેલી આ બેઠકને મહત્ત્વની માનવામાં આવે છે.

મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચારને એમ કહીને યાત્રા સાથે જોડી હતી કે આ ચૂંટણી અન્ય ચૂંટણીઓ કરતા અલગ હતી કેમ કે માત્ર પક્ષ નહીં દેશની જનતા આ ચૂંટણી લડી હતી.  તેમણે કહ્યું હતું કે મેં અનેક ચૂંટણીઓ જોઈ છે, પરંતુ આ ચૂંટણી રાજકારણ કરતા વિશેષ હતી.

આ ચૂંટણી માટે હું જ્યારે પ્રચાર કરી રહ્યો હતો ત્યારે મને એમ લાગી રહ્યું હતું કે જાણે હું યાત્રા કરી રહ્યો છું, એમ મોદીએ કહ્યું હતું.

May 22, 2019
aruna.jpg
1min6490

arunachal killing માટે છબી પરિણામ

નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અરુણાચલ પ્રદેશના તિરાપ જિલ્લામાં હાલના વિધાનસભ્ય અને વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાંના નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના ઉમેદવાર તિરોંગ અબો, તેમના દીકરા, એક સુરક્ષા અધિકારી સહિત કુલ 11 જણને ઠાર માર્યા હતા. ખોંસા પશ્ર્ચિમ વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય 44 વર્ષીય તિરોંગ અબો આ બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહ્યા હતા.

પ્રારંભિક અહેવાલમાં આ હુમલામાં સાત જણ માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો, પરંતુ પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે 11 જણ માર્યા ગયા હોવાની જાહેરાત કરી હતી. તિરોંગ અબો આસામમાંથી પોતાના મતવિસ્તારમાં જતાં હતાં ત્યારે તેમના પર આ હુમલો કરાયો હતો. તેમની સાથે પરિવારના સભ્યો, ત્રણ પોલીસ અને એક ચૂંટણી અધિકારી હતા.

તિરાપ જિલ્લામાં નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલેન્ડ (એનએસસીએન)ના કહેવાતા ઉગ્રતાવાદીઓએ મંગળવારે અંદાજે સવારે 11.30 વાગ્યે તેઓના વાહનો પર ગોળીબાર કર્યો હતો. પોલીસ ડિરેક્ટર જનરલ એસ. બી. કે. સિંહે જણાવ્યું હતું કે આ વિધાનસભ્ય અને અન્ય દસ જણ મળીને કુલ 11 જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

હુમલામાં ઘાયલ એક સુરક્ષા અધિકારીને આસામના દિબ્રુગઢની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ આ હિંસા અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હુમલાખોરોને શોધીને તેઓની સામે કાર્યવાહી કરાશે. હું આ હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યો અને સગાંના દુ:ખમાં સહભાગી છું.

મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતા કોનરાડ સંગમાએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને વડા પ્રધાનની કચેરી તેમ જ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહને આ પ્રકરણમાં જલદી પગલાં લેવા વિનંતિ કરી હતી. સંગમાએ ટ્વીટ કર્યું હતું કે નેશનલ પીપલ્સ પાર્ટી (અરુણાચલ પ્રદેશના) પોતાના વિધાનસભ્ય તિરોંગ અબો અને તેમના પરિવારના સભ્યોના મૃત્યુના સમાચારથી ઘણી દુ:ખી છે.

તેમણે જણાવ્યું હતું કે અમે આ ક્રૂર હુમલાને વખોડી કાઢીએ છીએ અને વડા પ્રધાનની કચેરી તેમ જ રાજનાથ સિંહને આ હુમલા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા વિનંતિ કરીએ છીએ. દરમિયાન, અરુણાચલ પ્રદેશની કૉંગ્રેસ સમિતિએ રાજ્યમાંની કાયદો અને વ્યવસ્થામાંની ખામી માટે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને દોષ દીધો હતો.

કૉંગ્રેસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અસલામત છે અને સામાન્ય જનતા પણ અસલામતી અનુભવે છે.

વિપક્ષે આ હુમલાની ઉચ્ચ સ્તરની અદાલતી તપાસની માગણી કરી હતી અને મુખ્ય પ્રધાન પેમા ખાંડૂ તેમ જ તેમની ભાજપ સરકાર પર બધું દોષારોપણ કર્યું હતું. અગાઉ, તિરોંગ અબો ખોંસા પશ્ર્ચિમની બેઠક પરથી 2014માં પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.

 

May 19, 2019
eci_officers.jpg
1min6760
મોદીને કલીનચીટથી નારાજ ચૂંટણી કમિશનર લવાસાએ પંચમાં ભિન્ન અભિપ્રાય રેકોર્ડમાં રાખવાની માગ કરી
સી.ઇ.સી. અરોડાએ કહ્યું, દરેક સભ્યનો સમાન સૂર જરૂરી નથી: આ હેવાલો ઘૃણાસ્પદ: કોંગ્રેસનું મોદી પર નિશાન
લોકસભા ચૂંટણી અંતિમ પડાવ ભણી છે ત્યારે જ ચૂંટણીપંચમાં પણ મતભેદો સપાટી પર આવી જતાં રાજકીય ગરમી પણ વધી’ ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર (સી.ઈ.સી.)સુનીલ અરોડાને પત્ર લખીને એવી માંગ કરી છે કે પંચના નિર્ણયોમાં કમિશનરો વચ્ચેના મતભેદોને પણ સત્તાવાર રેકોર્ડમાં સામેલ કરવામાં આવે. અને જ્યાં સુધી આ રીતની વ્યવસ્થા અમલી નહીં બને ત્યાં સુધી તેઓ ચૂંટણીપંચની બેઠકોમાં સામેલ થશે નહીં. લવાસાના પત્ર બાદ ચૂંટણી પંચમાં મતભેદને લઈને મંગળવારે એક બેઠક બોલાવવામાં આવી છે.
લવાસા આચારસંહિતા ઉલ્લંઘનના મામલાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને સીધી અને સતત ક્લીનચીટ તથા વિપક્ષી નેતાઓને નોટિસોની વિરુદ્ધ છે. દરમ્યાન સી.ઈ.સી.એ આજે એક નિવેદન જારી કરીને આ હેવાલોને ઘૃણાજનક અને ટાળી શકાય એવા ગણાવીને કહ્યું હતું કે એ જરૂરી નથી કે આયોગના’ દરેક સભ્યનો વિચાર સમાન હોય. તેમને જાહેર ચર્ચાનો ક્યારેય વાંધો નથી પણ દરેક બાબતનો એક સમય હોય છે.
આ પત્રને લઇને કોંગ્રેસે પણ મોદી સરકાર પર હુમલો કરવાની તક ઝડપી લીધી. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, ચૂંટણીપંચ નરેન્દ્ર મોદીના ‘પીઠૂ’ ની જેમ કામ કરે છે.
અરોડાએ જણાવ્યું હતું કે પંચની 14મી મેના મળેલી છેલ્લી બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો હતો કે લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાને લઈને ઉદ્ભવેલા મુદ્ઓની ચર્ચાવિચારણા માટે જૂથો રચવામાં આવશે. ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા અને મતગણતરી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે જ આચારસંહિતાને લગતી બાબતોમાં ભાગ નહીં લેવાના લવાસાના નિર્ણયના હેવાલો બહાર આવ્યા છે.
કેન્દ્રીય ચૂંટણીપંચના સભ્યો એક જ સૂર દર્શાવે એ જરૂરી નથી અને ભૂતકાળમાં પણ ચૂંટણી આયોગમાં મતભેદો કે વિચારોમાં વૈવિધ્ય જોવા મળ્યું છે અને એવું થવું પણ જોઈએ. પણ એ સભ્યના અલગ અભિપ્રાયનો મામલો’ તેની નિવૃત્તિ સુધી પંચની અંદર જ રહે છે.
લવાસાએ પત્રમાં લખ્યું છે કે કોઈ કમિશનર અલગ અભિપ્રાય આપે તો સુપ્રીમ કોર્ટની જેમ તેને પણ સત્તાવાર રેકોર્ડમાં રાખવામાં આવે. સૂત્રોને ટાંકીને મીડિયા હેવાલોમાં જણાવાયું છે કે ચૂંટણીપંચ દ્વારા વડાપ્રધાનને સીધેસીધી અને સતત ક્લીનચીટ આપવાને લઈને લવાસા નારાજ છે. મોદી અને અમિત શાહ પર પોતાના પ્રવચનોમાં સેનાની સર્જિકલ સ્ટ્રાઈક સહિતના મુદ્ઓ ઊઠાવીને આચારસંહિતા ભંગ કરવાના આરોપો છે.
May 19, 2019
voting111.jpg
1min6590

આજે તા.19મી મે 2019ની સવારે 7ના ટકોરે ભારતની લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન શરૂ થયું હતું. શાંતિ પૂર્ણ મતદાન માટે બધા વોટિંગ સેન્ટરની બહાર સુરક્ષા માટે કડક બંદોબશ્ત કરવામાં આવ્યો છે. ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળમાં છેલ્લા દિવસે થયેલી હિંસાને જોતા સુરક્ષા દળોને વધારે અલર્ટ રહેવાનો નિર્દેશ આપ્યો છે.

આજે બિહારની 8, ઝારખંડની 3, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, હિમાચલ પ્રદેશની 4, પંજાબની 13, ચંદીગઢની 1 સીટ પર મતદાન છે. આ તબક્કામાં મનોહર પર્રિકરના નિધન બાદ ખાલી થયેલી ગોવાની પણજી વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી થઈ રહી છે. આ ઉપરાંત તમિલનાડુની 4 વિધાનસભા સીટ પર પણ પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

સાતમાં ચરણમાં આઠ રાજ્યોની 59 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. એના માટે શનિવાર સાંજથી તૈયારી પૂરી કરી લીધી હતી.

મતદાન શરૂ થવા પહેલા પ્રત્યેક બૂથ પર પાર્ટીઓના પોલિંગ એજન્ટની ઉપસ્થિતિમાં મૉક પોલ નાખીને ઈવીએમ ચેક કરવામાં આવ્યા હતા. પ્રત્યેક બૂથ પર 50 મૉક નાખીને ઈવીએમ મશીન ચેક કરવામાં આવી. બાદ આ મૉક પોલને મશીનથી ડિલીટ કરી આધિકારીક મતદાન શરૂ થઈ ચૂક્યું છે. લોકસભા ચૂંટણીમાં સાતમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યોની 59 સીટ પર મતદાન થઈ રહ્યું છે. 918 ઉમેદવાર મેદાનમાં છે. 2 વાગ્યા સુધીમાં લગભગ 41 ટકા મતદાન થયું છે.

ઝારખંડમાં સૌથી વધુ 53%, મધ્યપ્રદેશમાં 46% મતદાન નોંધાયુ છે. પશ્ચિમ બંગાળમાં આ તબક્કામાં પણ હિંસા થઈ છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેનાં રોજ આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. શત્રુઘ્ન સિન્હા, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, અનુરાગ ઠાકુર, ભોજપુર અભિનેતા રવિકિશન, સની દેઓલ, સુખબીર બાદલ, હરસિમરત કૌર, શિબૂ સોરને, પવનકુમાર બંસલ જેવાં ઉમેદવાર મેદાનમાં છે.

 

May 18, 2019
Kanchenjunga-mountain.jpg
1min9890

એક લશ્કરી જવાન સહિત ભારતના વધુ બે પર્વતારોહકોનાં નેપાળમાં પર્વતારોહણ દરમિયાન મૃત્યુ થયા છે અને ત્રીજો પર્વતારોહક લાપતા છે. બુધવારે નેપાળના કાંચનજંગા પર્વત પર બે ભારતીય પર્વતારોહકોના મૃત્યુ થયાં હતાં એ જોતાં ભારતીયોનો મરણાંક શુક્રવારે ચાર ઉપર પહોંચ્યો હતો. બુધવારે ચિલીનો એક પર્વતારોહક કાંચનજંગા પર્વત પર ગુમ થઈ ગયો હતો.

શુક્રવારે મળેલા અહેવાલ મુજબ ૨૮ વર્ષીય લશ્કરી સૈનિક રવિ ઠાકર વિશ્ર્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા બાદ સવારે આ જ સર્વોચ્ચ શિખર પરના કૅમ્પ-૪ ખાતેના તેના તંબુમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે નારાયણ સિંહ વિશ્ર્વના પાંચમા ક્રમના સૌથી ઊંચા પર્વત માઉન્ટ મકાલુની ૮,૪૮૫ મીટરની ઊંચાઈએથી નીચે ઉતરતી વખતે ગુરુવારે રાત્રે કૅમ્પ-૪ ખાતે મૃત્યુ પામ્યો હતો. આ માહિતી પર્વતારોહણના આયોજકે આપી હતી.

સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ લશ્કરી જવાન રવિ ઠાકરનું મૃત્યુ

કોલકતાનો બાવન વર્ષીય દીપનકર ઘોષ માઉન્ટ મકાલુ પર્વત પરથી પાછા આવતી વખતે કૅમ્પ-૪ની ઉપરના ભાગમાં ગુમ થઈ ગયો હતો, એમ સેવન સમિટ ટ્રેક્સના ચૅરમૅન મિન્ગમા શેરપાએ જણાવ્યું હતું.

ઘોષને શોધવા એક સર્ચ-ટીમે ઘણા પ્રયાસો કર્યા હતા, પણ તે નહોતો મળ્યો. ઘોષ ૨૦૧૧ની સાલમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થયો હતો. એ ઉપરાંત તેણે માઉન્ટ કાંચનજંગા સહિત બીજા ચાર ઊંચા પર્વતો પણ સર કર્યા હતા.

લશ્કરી જવાન ઠાકર ઊંચાઈ પરના વાતાવરણમાં માંદો પડી ગયો હતો અને તેની માંદગી વધતી ગઈ હતી અને સંભાવના મુજબ તેણે શુક્રવારે સવારે છેલ્લા શ્ર્વાસ લીધા હતા. તે આઠ મેમ્બરોવાળી ટુકડીનો સભ્ય હતો. એ ટીમનું નેતૃત્વ આયર્લેન્ડના જાણીતા પર્વતારોહક નોએલ રિચર્ડ હૅન્નાએ સંભાળ્યું હતું. ઠાકર સહિત તમામ આઠ જણે ગુરુવારે સવારે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું.

દરમિયાન, આયર્લેન્ડનો સીમસ શૉન લૉલેસ નામનો પર્વતારોહક એવરેસ્ટ પરથી પાછા આવતી વખતે પર્વતની એક ધાર પરથી નીચે પડ્યો હતો અને ત્યાર બાદ સાથીઓને તેની ભાળ નહોતી મળી શકી.

બુધવારે કાંચનજંગા પર્વત પર માંદગીને લીધે મૃત્યુ પામેલા બે ભારતીયોમાં કોલકતાના ૪૮ વર્ષીય બિપ્લબ બૈદ્યનો અને ૪૬ વર્ષીય કુંતલ ક્ધરારનો સમાવેશ હતો.

દરમિયાન, પશ્ર્ચિમ બંગાળ સરકાર બિપ્લબ અને કુંતલના મૃતદેહ મેળવવા બે મેમ્બરોની એક ટુકડીને મોકલી રહી છે. જોકે, એક અહેવાલ મુજબ બન્નેના મૃતદેહ ૮૫૮૬ મીટર ઊંચે કંચનજંગા પર્વત અને કૅમ્પ-૪ વચ્ચે ક્યાંક પડ્યા છે. જો બે દિવસમાં તેમના મૃતદેહ નહીં મળે તો એ શોધવાનું અભિયાન સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં લેતાં લગભગ એક વર્ષ માટે મુલતવી રાખવું પડશે.

વિશ્ર્વના કેટલાક સૌથી ઊંચા પર્વતો નેપાળમાં છે અને એ સર કરવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં પર્વતારોહકો નેપાળ આવતા હોય છે. તેઓ ખાસ કરીને વસંત ઋતુ (માર્ચથી જૂન)માં પર્વતારોહણ કરતા હોય છે.

May 18, 2019
voting111.jpg
1min7600

છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે શમી ગયા હતા.

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારે સાતમા તબક્કામાં પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પ. બંગાળમાં નવ, બિહાર અને મધ્ય પ્રદેશ પ્રત્યેકમાં આઠ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઝારખંડમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક માટે મતદાન થશે. માર્ચ મહિનામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના થયેલા મૃત્યુ બાદ પણજીમાં પણ પેટાચૂંટણી યોજવાનું જરૂરી બન્યું હતું.

અમિત શાહના રૉડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચૂંટણી પંચના આદેશને પગલે પ. બંગાળમાં ચૂંટણીપ્રચાર નિર્ધારિત સમય કરતા ૨૦ કલાક વહેલો થંભી ગયો હતો.

મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પાર પડે તે માટે પૂરતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પ્રારંભિક ટિપ્પણી કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો.

અમતિ શાહે ભાજપ સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

May 17, 2019
modi_pragya.jpg
1min14420

મધ્યપ્રદેશમાં ભોપાલથી કોંગ્રેસના દિગ્વીજય સામે ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાના એલફેલ નિવેદનોને પગલે ભાજપા સમેત વડાપ્રધાન મોદીએ પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

વડાપ્રધાન મોદીએ શુક્રવાર તા.17મીએ બપોરે જાહેર નિવેદનમાં કહ્યું હતું કે તેઓ જીવનભર સાધ્વી પ્રજ્ઞાને તેમના ગોડસે અંગેના નિવેદન બદલ માફ નહીં કરી શકે. ભાજપાએ નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવેદનને ટ્વીટ કર્યું હતું.

એ પછી ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે નિવેદન જારી કરીને કહ્યું હતું કે ગોડસે અંગે નિવેદનો કરનાર ભાજપાના ત્રણેય નેતાઓના કેસને શિસ્ત સમિતિ સુધી મોકલી આપવામાં આવ્યા છે. કોઇપણ નેતા હોય જો ગુનેગાર જણાશે તો ભાજપા તેની સામે પગલાં ભરવામાં કચાશ નહીં રાખે.

ભોપાલથી ભાજપાના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે સંબંધિત આપેલા નિવેદન બાદ પાર્ટી પોતાને આ નિવેદનથી અલગ જણાવી રહી છે. ભાજપાના જીવીએલ નરસિંહા રાવે કહ્યું કે પાર્ટી સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન સાથે સહમત નથી. અમે આ નિવેદનની ટીકા કરીએ છીએ. રાવે કહ્યું કે પાર્ટી તેઓને (સાધ્વી પ્રજ્ઞા) આ નિવેદન મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેશે. જણાવી દઈએ કે સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે નાથૂરામ ગોડસે દેશભક્ત હતા. દેશભક્ત છે અને દેશભક્ત રહેશે.