સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું કે ૧૮ રાજ્યોએ પ્લાસ્ટિક કેરી બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. અન્ય પાંચ રાજ્યોએ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળે આંશિક પ્રતિબંધ લાગુ કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ માટેનો એકશન પ્લાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપરત કર્યો છે, એમ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું.
પાંચ રાજ્યો આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરલ અને પશ્ર્ચિમ બંગાળમાં પ્લાસ્ટિક કેરી બેગ પર આંશિક પ્રતિબંધ છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે આસામ, બિહાર, ગોવા, મણીપુર, મેઘાલય, પુડુચેરી અને તેલંગણાએ પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂક્યો નથી. ઓડિશાએ કોઈ વિગત મોકલી નથી.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ – ૨૦૧૬ના અમલીકરણ વિશેનો અહેવાલ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સુપરત કરવા ટ્રીબ્યૂનલે બોર્ડને કહ્યું છે. ૧૬ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશે પ્રતિબંધનો ભંગ કરનાર સામે પગલાં લીધાં છે. દસ રાજ્યોમાં કોઈ ભંગ થયો નથી. સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે કડક નિગરાની રાખવા ટ્રીબ્યૂનલે જણાવ્યું છે.
માયાનગરી મુંબઇમાં ફરીથી દેમાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. મધરાતથી શરૂ થયેલો વરસાદ આજે બુધવારે સવારે પણ ચાલુ રહેતા નોકરી, ધંધાર્થે જનારા લોકો અટવાય પડ્યા હતા. મુંબઇની લોકલ ટ્રેન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. ચોમેર ટ્રાફિક જામથી મુંબઇગરાઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ રહી શકે છે. મુંબઈના દાદર, હિંદમાતા, ગાંધી માર્કેટ, સાયનમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. જ્યારે સાયન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે રાયગઢ અને રત્નાગીરીમાં પણ સારો વરસાદ થયો છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
ગયા વર્ષે પણ સોનાએ નિફ્ટી કરતાં ઊંચું રિટર્ન આપ્યું હતું. એવી જ રીતે ચાલુ કેલેન્ડરમાં સોનું (Gold) નિફ્ટી ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિટર્ન આપવામાં આગળ નીકળી ગયું છે. સોનામાં તેજી જળવાય રહેવાની શક્યતા ઊંચી છે.
એ વાત નોંધપાત્ર છે કે ચાલુ કેલન્ડરમાં રૂપિયો સાધારણ મજબૂતી દર્શાવી રહ્યો છે અને તેમ છતાં શેરબજાર કરતાં સોનામાં રિટર્ન ઊંચું જોવા મળી રહ્યું છે. કેમ કે વૈશ્વિક બજારમાં સોનામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.
કેલેન્ડર 2019માં અત્યાર સુધીમાં એમ.સી.એક્સ ખાતે સોનામાં 12 ટકાનું રિટર્ન નોંધાયું છે. જ્યારે તેની સામે સોમવારના બંધ ભાવે નિફ્ટી 4.37 ટકાનો સુધારો સૂચવે છે.
બજેટ બાદ એક તબક્કે 12000ને પાર કરી ગયેલો બેન્ચમાર્ક સોમવારે એક ટકાથી સહેજ ઓછા ઘટાડે 11346ના સ્તરે બંધ રહ્યો હતો.
“સોનાના ફંડામેન્ટલ્સ પોઝીટીવ બન્યાં છે. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. જીઓપોલિટીકલ રિસ્ક વધ્યાં છે અને ફેડ રેટ કટની અપેક્ષાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.
નિષ્ણાંતો જણાવે છે કે સોનામાં હજુ પણ ભાવ વધારો જોવા મળી શકે છે. રોકાણકારો હવે ડોલર અને ઈક્વિટીઝમાંથી સોના તરફ વળે તેવી શક્યતા છે.
વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેંક્સ પણ સોનામાં તેમની ખરીદી વધારી રહી છે.
તેમના મતે વૈશ્વિક બજારમાં સોનું વર્તમાન સપાટીએથી વધુ 100 ડોલરનો ઉછાળો દર્શાવી શકે છે. જે તેને 1520 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના સ્તર સુધી લઇ જઇ શકે છે. હાલમાં વૈશ્વિક બજારમાં સોનુ 1426 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
સોનું 2012માં 1900 ડોલરની તેની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યા બાદ લાંબા સમયથી 1100-1300 ડોલરની રેંજમાં ટ્રેડ થતું રહ્યું હતું અને પીળી ધાતુમાં રોકાણ કરનારાઓ વળતરથી વંચિત રહ્યાં હતાં. ભારતીય રોકાણકારોને જોકે ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે સોનામાં નેગેટિવ રિટર્નનો સામનો કરવાનું બન્યું નહોતું.
છેલ્લા આઠ કેલેન્ડરમાંથી ત્રણ દરમિયાન તેઓને નિફ્ટીની સરખામણીમાં ઊંચું વળતર મળ્યું હતું. જેમાં કેલેન્ડર 2016માં(9.98 ટકા), 2018(7.71 ટકા) અને ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 11.81 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટીએ આઠમાંથી પાંચ કેલેન્ડર દરમિયાન પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. જેમાં 2012(27.70 ટકા), 2014(31.39 ટકા) અને 2017(28.65 ટકા) જેટલું ઊંચું વળતર દર્શાવ્યું હતું.
દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન
વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી
રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી
પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.
આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે
રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં
આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા
છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.
આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના
થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ
ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત
એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે.
દિલ્હીથી કટરા વચ્ચેનું
અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા
વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે.
કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે.
અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ
કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.
આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર પ્રતિબંધ લગાવી દીધો છે, આંતર રાષ્ટ્રીય કોર્ટમાં આ સાથે જ ભારતની બહુ મોટી જીત દર્જ થવા પામી છે.
કુલભુષણ જાધવના મામલે આજે તા.17મી જુલાઇ 2019ના રોજ આંતર રાષ્ટ્રીય કોર્ટે પોતાનો નિર્ણય આપ્યો હતો. ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાને ભારતીય કુલભુષણ જાધવને મૃત્યુદંડની સજા આપી હતી.
જાધવ ભારતીય નેવીના રિટાયર્ડ અધિકારી છે. તેમને પાકિસ્તાનની સેના કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. સાઉથ એશિયા તરફથી આઇસીજેમાં લીગલ એડવાઇઝર તરીકે કામ કરતા રીમા ઓમરે ટ્વીટ કરીને ચૂકાદા વિશે માહિતી આપી હતી.
આજે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જાધવનો ફેંસલો
પાકિસ્તાનમાં જાસૂસીનાં આરોપસર કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સંબંધિત કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલત (આઈસીજે) આજે તા.17મી જુલાઇ 2019ના રોજ પોતાનો ફેંસલો આપશે. દબાણથી મેળવવામાં આવેલા એક કબૂલાતનામાનાં આધારે પાકિસ્તાનની સૈન્ય અદાલતે તેને મોતની સજા ફટકારી દીધી છે. જેની સામે ભારતે આઈસીજેમાં પડકાર ફેંક્યો હતો. પાક. સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં બંધ બારણે કરેલી સુનાવણી પછી જાસૂસી અને આતંકવાદનાં આરોપમાં ભારતીય નૌસેનાનાં પૂર્વ અધિકારી જાધવને મૃત્યુદંડ જાહેર કરી દીધો હતો. જેની સામે ભારતે આક્રમક વલણ અખત્યાર કર્યુ હતું. આઈસીજેનાં એક નિવેદન અનુસાર ધ હેગનાં પીસ પેલેસમાં 17મી જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે સાડા છ કલાકે સાર્વજનિક સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રમુખ ન્યાયાધિશ અબ્દુલકાવી અહમદ યૂસુફ ચુકાદો સંભળાવશે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગત સપ્તાહે જ કહ્યું હતું કે, તેનો દેશ જાધવ અંગે આઈસીજેનાં ચુકાદાનું કોઈ પૂર્વાનુમાન લગાવી શકે નહીં. જો કે પાકિસ્તાને અદાલતમાં પોતાનો પક્ષ મજબૂત રીતે રજૂ કર્યો હોવાનું પણ તેમણે કહ્યું હતું. ભારતીય જાધવ સુધી રાજદ્વારી પહોંચનો પાકિસ્તાને વારંવાર ઈનકાર કર્યા બાદ વિયેના સંધિનાં છડેચોક ઉલ્લંઘન મુદ્દે ભારત આઈસીજેનાં દ્વારે પહોંચ્યું હતું. જેમાં આઈસીજેએ જાધવનાં મૃત્યુદંડની અમલવારી સામે રોક પણ લગાવી દીધી હતી.
એક તરફ અડધું ગુજરાત વરસાદની કાગડોળે વાટ જોઈ રહ્યું તો બીજીબાજુ દેશનાં અનેક રાજ્યોમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને બિહાર, પૂર્વોત્તરનાં રાજ્યોમાં પૂરની સ્થિતિએ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં 70 લાખ જેટલા લોકો પાણીની રેલમછેલની ચપેટમાં આવી ગયા છે. ધસમસતા પ્રવાહમાં તણાવાથી લઈને વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 40 લોકોનાં પ્રાણ પંખેરુ ઉડી ગયા છે. આ કુદરતી કોપમાં બચાવ અને રાહત માટે એનડીઆરએફ અને એસડીઆરએફનાં દળકટકોને 24 કલાક ખડેપગે રાખવામાં આવેલા છે. દર વર્ષની માફક આ વખતે પણ ભારે વરસાદ પછી પૂરનાં કારણે બિહારની હાલત કફોડી થઈ છે. પૂરનું તાંડવ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2પ લોકોનો ભોગ લઈ ચૂક્યું હતું. રાજ્યનાં બાર જિલ્લામાં કુલ મળીને 2પ લાખથી વધુ લોકો પૂરગ્રસ્ત હાલતમાં છે અને મોતિહારી જિલ્લામાં સૌથી વધુ 10 અને અરરિયામાં 9 લોકોનાં મોત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો અને માલઢોરનું પણ પારાવાર નુકસાન થયું છે. આસામનાં કુલ મળીને 41પ7 ગામોનાં 42.87 લાખ લોકો પૂરથી પ્રભાવિત છે. રાજ્યમાં બ્રહ્મપુત્ર નદીનું જળસ્તર ખતરાની સપાટી પણ વળોટી ગયું છે. તો મિઝોરમમાં ખતલંગતુઈપુરી નદીમાં ભારે ઉફાણથી 32 ગામો કેડબૂડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અહીં એકાદ હજાર લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો વરસાદી દુર્ઘટનાઓમાં પાંચનાં મોત પણ થયા છે. મેઘાલયમાં છેલ્લા સાત દિવસોથી ધીંગા વરસાદે બે નદીઓને કાંઠા વળોટીને વહેતી કરી દીધી છે. જેના પાણી પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાનાં મેદાની વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેનાં હિસાબે દોઢેક લાખ લોકોને તેની માઠી અસરોનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્રિપુરામાં પૂરની સ્થિતિમાંથી થોડી રાહત દેખાઈ રહી છે. બે નદીઓનાં પાણીની સપાટી ઘટવા લાગી છે.
બાંગ્લાદેશથી થતી વસ્ત્રોની આયાતમાં પાછલા વર્ષ સામે 82 ટકાનો ઉછાળો નોંધાયો છે અને તે 36.50 કરોડ ડોલરના સ્તરે પહોંચી છે.
જો આ રીતે આયાત ચાલુ રહેશે તો 2024-25 સુધીમાં તે 3.6 અબજ ડોલર સુધી પહોંચી જશે એવી આશંકા ક્લોધીંગ મેન્યુફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ દેશના સૌથી મોટા બિઝનેસ ટુ બિઝનેસ નેશનલ ગાર્મેન્ટ ફેર અંગે માહિતી આપતી વખતે વ્યક્ત કરી હતી,
દેશભરના 50,000 રિટેલર્સ અને મુલાકાતી એકત્ર થવાની અને ચાર દિવસમાં અંદાજે રૂ. 800 કરોડના બિઝનેસની અપેક્ષા છે. પ્રવકતા અનુસાર બાંગ્લાદેશ સાથે કરાર હોવાથી ત્યાંથી જકાતમુક્ત આયાત થાય છે જ્યારે ભારતને ત્યાં નિકાસ માટે 125 ટકા જેટલી જકાત ચૂકવવી પડે છે. દેશના વસ્ત્રોદ્યોગ માટે આ મોટી સમસ્યા છે.
ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકામાં પ્રચૂર શક્યતાઓને ધ્યાનમાં લઇને તેઓ ઑક્ટોબરથી નૈરોબી, કેન્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે.
ઍર ઇન્ડિયાને માથે અંદાજે રૂ. 60,000 કરોડનું દેવું છે અને એના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી હોવા છતાં લોહાનીનો જુસ્સો પ્રબળ છે અને તેઓ ઑપરેટિંગ કોસ્ટ શક્ય એટલી ઘટાડીને કંપનીનો નફો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.
લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ઑક્ટોબરમાં ભોપાલ-બૅંગલોર ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.
આ સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇંદોરથી દુબઇની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી ઍર ઇન્ડિયા 162 બેઠકવાળુ એ320 વિમાન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે તથા દુબઇથી મંગળવાર, શુક્રવાર અને રવિવારે ઇંદોર આવશે.
આ સિવાય, 10મી ઑક્ટોબરથી કોલકતા, હૈદરાબાદ, કુન્નુર અને કોચીથી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.
ટપાલીઓની ભરતી માટે 14 જુલાઈએ યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા હવે પછી રાખવામાં આવશે તેવું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે “તમિળ સહિતની સ્થાનિક ભાષાઓમાં પરીક્ષા રાખવામાં આવશે. અન્નાડીએમકેની આગેવાનીમાં તમિળ પક્ષોએ કરેલી માગનો સરકારે સ્વીકાર કર્યો હતો.
રવિવારે યોજાયેલી પરીક્ષાના પ્રશ્ર્નપત્ર ફક્ત અંગ્રેજી અથવા હિંદીમાં હોવાથી તમિળ પક્ષોએ મંગળવારે રાજ્યસભામાં ધાંધલધમાલ કરી હતી. લન્ચ અગાઉના સમયગાળામાં ત્રણ વાર અને બપોરના બે વાગે પછી ગૃહ જ્યારે ફરી શરૂ થયું હતું ત્યારે ફરી અડધો કલાક માટે એમ ચાર વાર કાર્યવાહી ખોરવાઈ હતી. કાર્યવાહી જ્યારે શરૂ થઈ ત્યારે લૉ જસ્ટિસ, કમ્યુનિકેશન્સ, ઈલેક્ટ્રોનિક્સ, આઈટીના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે “તમિળનાડુના મારા મિત્રો સહિત સભ્યોએ ગૃહમાં કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. મેં આ બાબતની આજે જ ચકાસણી કરી છે અને 14-07-2019 તારીખે યોજાયેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.