AIR India : સપ્ટેમ્બરમાં દિલ્હીથી ટોરન્ટો ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે
ઍર ઇન્ડિયા વિશ્ર્વ પર્યટન દિવસની ઉજવણીરૂપે 27મી સપ્ટેમ્બરથી દિલ્હીથી ટોરન્ટો સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરશે.
ઍર ઇન્ડિયાના ચેરમેન અને સીએમડી અશ્ર્વિની લોહાનીએ વધુમાં જણાવ્યું હતું કે આફ્રિકામાં પ્રચૂર શક્યતાઓને ધ્યાનમાં લઇને તેઓ ઑક્ટોબરથી નૈરોબી, કેન્યા સુધીની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવાની યોજના પણ ઘડી રહ્યા છે.
ઍર ઇન્ડિયાને માથે અંદાજે રૂ. 60,000 કરોડનું દેવું છે અને એના ખાનગીકરણની ચર્ચા ચાલી રહી હોવા છતાં લોહાનીનો જુસ્સો પ્રબળ છે અને તેઓ ઑપરેટિંગ કોસ્ટ શક્ય એટલી ઘટાડીને કંપનીનો નફો વધારવા પ્રયત્ન કરી રહ્યા છે.
લોકોની માગણીને ધ્યાનમાં રાખીને ઑક્ટોબરમાં ભોપાલ-બૅંગલોર ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.
આ સાથે દેશના સૌથી સ્વચ્છ શહેર ઇંદોરથી દુબઇની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે. અહીંથી ઍર ઇન્ડિયા 162 બેઠકવાળુ એ320 વિમાન સપ્તાહમાં ત્રણ દિવસ સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે તથા દુબઇથી મંગળવાર, શુક્રવાર અને રવિવારે ઇંદોર આવશે.
આ સિવાય, 10મી ઑક્ટોબરથી કોલકતા, હૈદરાબાદ, કુન્નુર અને કોચીથી નવી ફ્લાઇટો શરૂ કરવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now