સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે ભારતના વિમાનમાર્ગે પ્રવાસ કરતા પ્રવાસીઓની વાર્ષિક સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને આવનાર વર્ષોમાં એ એક અબજની સપાટી વટાવશે.
એમણે લોકસભાને ગુરુવારે વધુમાં જણાવ્યું હતું કે લખનઊ અને અમદાવાદ સહિત સરકારે દેશના છ હવાઇમથકના ખાનગીકરણનો નિર્ણય લીધો છે.
છમાંથી ત્રણ હવાઇમથક અદાણી જૂથને આપવામાં આવ્યાં છે, અન્ય બે વિશે પણ નિર્ણય લેવાઇ ગયો છે. અદાણીએ ત્રણે હવાઇમથક બીડ કરીને મેળવ્યા હતા.
સરકારે ૨૦૧૮માં અમદાવાદ, જયપુર, લખનઊ, ગુવાહાટી, મેંગલુરુ અને થિરુવનથપુરમના ખાનગીકરણનો નિર્ણય લીધો હતો.
હાલ વાર્ષિક દરે હવાઇ યાત્રા કરનાર યાત્રીઓની સંખ્યા ૩૪૫ મિલિયન જેટલી છે અને જે દરે વિકાસ થઇ રહ્યો છે, એ પરથી ટૂંક સમયમાં એક અબજનો આંકડો પસાર કરશે.
૨૦૧૧ની સાલમાં ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની માનદ્ પદવી મેળવનાર ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની આ મહિનાના અંતમાં જમ્મુ અને કાશ્મીરની બટાલિયનમાં જોડાશે અને સંરક્ષક દળો સાથે
મળીને ફરજ બજાવશે, એમ સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું. ધોની ૩૧
જુલાઈથી ૧૫ ઑગસ્ટ સુધી ૧૦૬-ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૅરા) સાથે રહેશે અને આ અર્ધલશ્કરી દળો ભેગા રહેવાની સાથે પેટ્રોલિંગ (દેખરેખ)ની તેમ જ રક્ષણની અને ચોકીપહેરાની ફરજ સંભાળશે.
ધોનીએ ટેસ્ટ-ક્રિકેટમાં રમવાનું છોડી દીધું છે, પરંતુ વન-ડે અને ટી-ટ્વેન્ટી કરિયરને હજી ગુડબાય નથી કરી. તે બે મહિનાનો બ્રેક લઈને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે નથી જવાનો. તેણે આ નિર્ણય લઈને ભારતીય લશ્કરને જણાવી દીધું છે કે તે પોતાને મળનારી બટાલિયન સાથે કામ કરવા ઉત્સુક છે. તેના આ સંદેશાને ધ્યાનમાં રાખીને તેનું પોસ્ટિંગ કાશ્મીર ખીણમાં કરવામાં આવ્યું છે. તેનું યુનિટ કાશ્મીર ખીણપ્રદેશમાં વિક્ટર ફોર્સના ભાગરૂપે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ધોનીએ ફરજ બજાવવા કરેલી વિનંતીને લશ્કરના વડામથકે મંજૂર કરી છે અને તે દળો સાથે મળીને વિવિધ પ્રકારની ફરજ પર રહેશે.’
હાઇ ડ્રામા અને ધાંધલ-ધમાલ બાદ ગુરુવારે આખરે આરટીઆઇ (સુધારા) ખરડો રાજ્યસભામાં પસાર કરાયો હતો.
આરટીઆઇ (સુધારો) ખરડાને સંસદની ખાસ કમિટી પાસે વધુ વિશ્ર્લેષણ માટે મોકલવાની વાતે સરકાર અને કૉંગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ વચ્ચે હાઇ ડ્રામા ખેલાયો હતો અને વિરોધ પક્ષે ચાર વખત સભા ઍડજોર્ન કરવાની ફરજ પાડી હતી.
જોકે, કમિટી પાસે ખરડાને મોકલવાના મોશનની તરફેણમાં ૭૫ અને વિરોધમાં ૧૧૭ મત પડયા બાદ એ રદ કરાયો હતો.
બપોરે સત્રની શરૂઆત બાદ નાયબ ચેરમેન હરીવંશે રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહને રાઇટ ટુ ઇન્ફર્મેશન (સુધારા) ખરડો રજૂ કરવા જણાવ્યું હતું.
ઓછામાં ઓછા પાંચ સભ્યોએ આ ખરડાને ખાસ કમિટી પાસે મોકલવાની માગણી કરતી નોટિસ આપી હતી અને સિંહે ખરડો રજૂ કર્યા બાદ ચેરને આ મામલે ચર્ચા યોજીને ત્યાર બાદ ખરડાને કમિટી પાસે મોકલવો કે નહીં એ વિશે નક્કી કરવાની વિનંતી કરી હતી.
ખરડાને કમિટી પાસે મોકલવાનો મુદ્દો ચર્ચા થયા બાદ જ લેવાની માગણી સરકારે કરી હતી, પણ કૉંગ્રેસ, ડીએમકે, સીપીઆઇ, સીપીએમ, ટીએમસી અને આપના સભ્યો વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને એને કારણે ચાર વખત સભા બરખાસ્ત કરવી પડી હતી.
વિરોધ પક્ષના સભ્યો ચર્ચા અગાઉ જ ખરડાને કમિટી પાસે મોકલવાની જીદે ચઢ્યા હતા.
દિવસમાં ચાર વખત ૧૦થી ૧૫ મિનિટ સુધી સભા બરખાસ્ત કર્યા બાદ ફરી જ્યારે સત્ર શરૂ કરાયું ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ કાગળના ડૂચા ફેંકવા માંડયા હતા. આ વખતે નાયબ ચેરમેને જણાવ્યું હતું કે આ તમારું અશિસ્ત ગણાય અને અહીં શાળાના વિદ્યાર્થીઓ હાજર છે, તો એમના મન પર તમારી કેવી છબિ પડશે એ વિચારો.
આ દરમિયાન નાયબ ચેરમેને ઘોંઘાટ કરી રહેલા સભ્યોને વારંવાર પોતાના સ્થાને જઇને બેસવાની વિનંતી કરી હતી.
દરમિયાન, એઆઇએડીએમકેના નવનીતક્રિશ્ર્નન, શિવસેનાના અનિલ દેસાઇ અને વાયએસઆરસીપીના વિ. વિજયાસાઇ રેડ્ડીએ એમનો પક્ષ આ ખરડાને ટેકો આપે છે.
ટીડીપીમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા સાંસદ સી. એમ. રમેશ સભ્યો પાસેથી મતની સ્લીપ ભેગી કરતા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ એનો સખત વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષના એક બે સભ્યોએ રમેશના હાથમાંથી સ્લીપ છીનવવાનો પ્રયત્ન કર્યો ત્યારે નાયબ ચેરમેને રમેશને પોતાના સ્થાને બેસી જવા જણાવ્યું હતું.
કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે ૩૦૩ બેઠક કઇ રીતે જીત્યા એ આ પરથી સાબિત થાય છે. ટ્રેઝરી બેન્ચે એનો વળતો જવાબ આપ્યા બાદ આઝાદની આગેવાનીમાં વિરોધ પક્ષના નેતાઓ વૉકઆઉટ કરી ગયા હતા. વૉકઆઉટ બાદ મૌખિક મતદાન દ્વારા બહુમતિથી ખરડો પસાર કરાયો હતો.
The United Kingdom’s new Prime Minister Boris Johnson on Wednesday appointed Brexit supporter Priti Patel home secretary, Reuters reported.
ભારતીય નારીઓના ડંકા સમગ્ર વિશ્વભરમાં વાગી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે અંગ્રેજોના હાથમાં ભારતની બાગડોર હતી, આજે 2019માં એવો દિવસ ઉગ્યો છે કે એક ભારતીય મૂળની નારીના હાથમાં અંગ્રેજોના દેશની કાનૂન વ્યવસ્થાની બાગડોર સોંપવામાં આવી છે.
ભારતીય મૂળની નારી ગણાતા પ્રીતિ પટેલને યુનાઇટેડ કિંગ્ડમમાં બોરીસની નવી સરકારમાં હોમ સેક્રેટરી એટલે કે ત્યાંના ગૃહ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ રણનીતિના મુખ્ય આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે પ્રીતિ બ્રિટનમા ભારતીય મૂળની પહેલી ગૃહમંત્રી બનવવામાં સફળ થઇ છે.
47 વર્ષીય પ્રીતિ સૌપ્રથમ વર્ષ 2010માં વિટહૈમથી સાંસદ બન્યા હતા. અને 2015 અને 2017મા પણ તેમણે આજ સીટ પરથી જીત મેળવી હતી. તે ડેવિડ કેમરૂનની સરકારમાં રોજગાર મંત્રીના પદ પર રહી ચુક્યા છે. તેના માતા-પિતા મૂળ ગુજરાતના હતા, જે યુગાંડામાં રહેતા હતા. અને તેઓ 60ના દશકમાં ઇંગલેન્ડ આવ્યા હતા.
ડાયાબિટીઝની Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાની પેટન્ટની આડમાં ફક્ત ભારતમાંથી જ અબજો રૂપિયા ઉસેટનાર નોવાર્ટીસ કંપનીની મોનોપોલી (પેટન્ટ) આગામી ડિસેમ્બર 2019માં પૂરી થઇ રહી છે, આ ડેવલપમેન્ટની રાહ જોઇને બેઠેલી ભારત અને વિદેશની કેટલીક ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ Vildagliptin નામની એન્ટિ ડાયાબીટિક દવાનું જનરિક વર્ઝન લોંચ કરવા તત્પર છે અને તેનો સીધો જ લાભ ભારતના સવાસાત કરોડ જેટલા ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓને મળે તેમ છે.
diabetic medicines
ડિસેમ્બર 2019 પછી ભારતમાં ડાયાબિટીઝની દવાઓના ભાવમાં તોતિંગ ઘટાડો થશે.
ભારતના ફાર્મા માર્કેટમાં ડિસેમ્બર
2019થી જ ઓછી કિંમતવાળી દવા ડાયાબિટીઝની દવાઓ લોંચ થઇ જશે.
સમજો કેવી રીતે ઓછી થશે ડાયાબિટીઝની દવાની કિંમત?
Gliptins ડાયાબીટીસની દુનિયામાં નવી ઓરલ દવા છે. આ
દવા અસરકારક્તા અને ગુણવત્તામાં બેજોડ હોઇ ખૂબ જ ટૂંકા સમયગાળામાં આ દવા
વિશ્વભરમાં લોકપ્રિય બની ગઇ છે અને એક્સપર્ટસ માની રહ્યા છે કે Gliptins ડાયાબીટીસનું ફ્યુચર છે. હાલમાં ફાર્મા
બજારમાં Gliptins ત્રણ વર્જનમાં મળી રહી છે. જેમાં 1. Sitagliptin, 2. Vildagliptin 3. saxagliptin. આ પૈકી ભારતમાં નોવાર્ટીસ કંપની Vildagliptin
નામની દવાનો એક પ્રકારનો ઇજારો (પેટન્ટ) ધરાવે છે અને તેની મુદત આગામી ડિસેમ્બર
2019માં પૂરી થવા જઇ રહી છે. હાલમાં ફક્ત નોવાર્ટીસ કંપની જ આ દવા બનાવી રહી
હોવાથી કંપનીઓ ડાયાબિટીઝના દર્દીઓને ઉંચા ભાવે દવા વેચીને અબજો રૂપિયા કમાઇ રહી
છે. પરંતુ, ડિસેમ્બર 2019માં તેની પેટન્ટ પૂરી થતાં જ 15-20 ફાર્માસ્યુટીકલ્સ
કંપનીઓ Vildagliptin ની જનરિક દવાઓ લોંચ કરવા માટે પૂર્વતૈયારીઓ કરી ચૂકી છે અને એ
ભારતના બજારમાં મળતી થતાં જ ડાયાબિટીઝથી પીડાતા લોકોને દવાઓ સસ્તી મળવાની શરૂ થઇ
જશે.
Vildagliptin દવા નો માર્કેટ શેર 25 ટકા
ડાયાબીટીસના દર્દીઓને અપાતી Gliptins દવાનું 3500 કરોડનું માર્કેટ છે. તેમાં Vildagliptin
નો શેર 25 ટકા છે. ડોક્ટર્સ દર્દીઓને પ્રિસ્ક્રિપ્શનમાં ઓછી કિંમત ધરાવતી Teneligliptin દવા લખે છે. હવે Vildagliptinની પેટન્ટ પૂરી થયા બાદ આ દવા સાથે પણ
એવું જ થશે કે બીજી 20-25 કંપની આ દવા બનાવશે અને તેની કિંમત ઘટી
જશે.
હાલમાં ડાયાબિટીઝના દર્દીઓને એક દિવસની દવા પાછળ રૂ. 45 ખર્ચ થાય છે. એ હિસાબે ગણતરી કરીએ તો
વર્ષે 17 હજાર જેટલો ખર્ચ થાય છે. જ્યારે નોવાર્ટીસની પેટન્ટ રાઇટ ખતમ થઇ જશે
ત્યારે દૈનિક ખર્ચો રૂ.45થી ઘટીને રૂ.10-12 સુધી આવી જશે.
દવાનું જનરિક વર્ઝન લોન્ચ કર્યા બાદ
ડાયાબીટીસ થેરેપીનો ખર્ચ 50 ટકા સુધી ઘટી જશે. ત્યાર પછી લાખો લોકો સસ્તા ભાવે આ દવા ખરીદી
શકશે.
ઝાયડસ કેડિલા, ગ્લેનમાર્ક, મેનકાઈન્ડ ફાર્મા, યુએસ વિટામિન્સ, સિપ્લા અને એબોટ જેવી કંપનીઓ ડાયાબીટીસની નવી જનરિક દવા લોન્ચ કરવાની
તૈયારીમાં હોવાનું માર્કેટની હિલચાલ પરથી જણાય આવે છે.
સંસદમાં જો આતંકવાદી વિરોધી કાયદામાંના વિવાદાસ્પદ ફેરફારોને મંજૂરી મળી જશે તો સરકાર આતંકવાદ સાથે કડી ધરાવતા શકમંદ લોકોને ‘આતંકવાદી’ તરીકે ઓળખાવી શકશે. લોકસભામાં આજે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન (એમેન્ડમેન્ટ) બિલના સુધારાઓને 288 વિરુદ્ધ આઠ મતથી લોકસભામાં પસાર કરવામાં આવ્યા હતા. જોકે, તેને આપખુદી ગણાવીને કૉંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષોએ તેના વિરુદ્ધમાં વોકઆઉટ કર્યો હતો. આ સુધારાઓનો બચાવ કરતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ‘આતંકવાદ સંસ્થાઓમાં નથી પરંતુ લોકોનાં વલણમાં છે. વ્યક્તિને આતંકવાદી જાહેર કરવા માટે જોગવાઈની જરૂર છે યુનોમાં આ માટેની પ્રક્રિયા છે, અમેરિકામાં છે, પાકિસ્તાનમાં પણ છે, ચીન, ઇઝરાયલ, યુરોપીય સંઘ એમ બધાએ આમ કર્યું છે’ એમ અમિત શાહે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે જો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવે તો આતંકવાદી અન્ય એવું સંગઠન ઊભું કરી લેતો હોય છે. સરકાર સામે સવાલ કરનાર કોઈને પણ આતંકવાદી ગણી લેવામાં આવે છે એવા વિપક્ષના આરોપનો જવાબ આપતાં અમિત શાહે જણાવ્યું હતું કે પ્રામાણિક કે સાચા સામાજિક કાર્યકરને કોઈ સતાવશે નહિ. ઘણા સામાજિક કાર્યકરો છે જે સારું કામ કરી રહ્યા છે પરંતુ આપણે શહેરી માઓવાદીઓને પાઠ ભણાવવો જોઈએ. ગૃહપ્રધાને યુએપીએ પર બેવડાં ધોરણ અપનાવવાનો કૉંગ્રેસ પર આરોપ મૂક્યો હતો. ‘જ્યારે વિપક્ષો અમારી સામે સવાલ કરે છે ત્યારે તમે જોતા નથી કે કાયદો અને સુધારા કોણ લાવ્યું હતું, તેને કડક કોણે બનાવ્યા હતા. આ કાયદો તમે જ્યારે સત્તા પર હતા ત્યારે લાવવામાં આવ્યો હતો તમે ત્યારે જે કર્યું હતું તે સાચું હતું અને હવે હું કરું છું તે પણ સાચું જ છે’ એમ ગૃહપ્રધાને જણાવ્યું હતું. ‘સરકાર જ્યારે આતંકવાદ સામે લડતી હોય છે ત્યારે કયો પક્ષ સત્તામાં છે તે મહત્ત્વનું નથી. તૃણમૂલ કૉંગ્રેસનાં મહુઆ મોઇત્રા સહિત વિપક્ષના ઘણા સાંસદોએ આ સુધારાઓનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે લોકોને નિશાન બનાવવા આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.
સેન્ટ્રલ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું કે ૧૮ રાજ્યોએ પ્લાસ્ટિક કેરી બેગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. અન્ય પાંચ રાજ્યોએ ધાર્મિક અને ઐતિહાસિક સ્થળે આંશિક પ્રતિબંધ લાગુ કર્યો છે. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ માટેનો એકશન પ્લાન ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સુપરત કર્યો છે, એમ બોર્ડે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલને જણાવ્યું હતું.
પાંચ રાજ્યો આન્ધ્ર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, કેરલ અને પશ્ર્ચિમ બંગાળમાં પ્લાસ્ટિક કેરી બેગ પર આંશિક પ્રતિબંધ છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ જેવા કે આસામ, બિહાર, ગોવા, મણીપુર, મેઘાલય, પુડુચેરી અને તેલંગણાએ પ્લાસ્ટિક થેલી પર પ્રતિબંધ મૂક્યો નથી. ઓડિશાએ કોઈ વિગત મોકલી નથી.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ – ૨૦૧૬ના અમલીકરણ વિશેનો અહેવાલ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સુપરત કરવા ટ્રીબ્યૂનલે બોર્ડને કહ્યું છે. ૧૬ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશે પ્રતિબંધનો ભંગ કરનાર સામે પગલાં લીધાં છે. દસ રાજ્યોમાં કોઈ ભંગ થયો નથી. સ્ટેટ પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડે કડક નિગરાની રાખવા ટ્રીબ્યૂનલે જણાવ્યું છે.
માયાનગરી મુંબઇમાં ફરીથી દેમાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું છે. મધરાતથી શરૂ થયેલો વરસાદ આજે બુધવારે સવારે પણ ચાલુ રહેતા નોકરી, ધંધાર્થે જનારા લોકો અટવાય પડ્યા હતા. મુંબઇની લોકલ ટ્રેન વ્યવહાર પણ અસરગ્રસ્ત બન્યો હતો. ચોમેર ટ્રાફિક જામથી મુંબઇગરાઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
મુંબઈમાં ફરી એકવાર વરસાદ શરુ થયો છે અને આગામી સમયમાં પણ વરસાદ રહી શકે છે. મુંબઈના દાદર, હિંદમાતા, ગાંધી માર્કેટ, સાયનમાં ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યાના અહેવાલ સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. જ્યારે સાયન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. આ સાથે રાયગઢ અને રત્નાગીરીમાં પણ સારો વરસાદ થયો છે. આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
ગયા વર્ષે પણ સોનાએ નિફ્ટી કરતાં ઊંચું રિટર્ન આપ્યું હતું. એવી જ રીતે ચાલુ કેલેન્ડરમાં સોનું (Gold) નિફ્ટી ઇન્વેસ્ટમેન્ટ કરતાં રિટર્ન આપવામાં આગળ નીકળી ગયું છે. સોનામાં તેજી જળવાય રહેવાની શક્યતા ઊંચી છે.
એ વાત નોંધપાત્ર છે કે ચાલુ કેલન્ડરમાં રૂપિયો સાધારણ મજબૂતી દર્શાવી રહ્યો છે અને તેમ છતાં શેરબજાર કરતાં સોનામાં રિટર્ન ઊંચું જોવા મળી રહ્યું છે. કેમ કે વૈશ્વિક બજારમાં સોનામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.
કેલેન્ડર 2019માં અત્યાર સુધીમાં એમ.સી.એક્સ ખાતે સોનામાં 12 ટકાનું રિટર્ન નોંધાયું છે. જ્યારે તેની સામે સોમવારના બંધ ભાવે નિફ્ટી 4.37 ટકાનો સુધારો સૂચવે છે.
બજેટ બાદ એક તબક્કે 12000ને પાર કરી ગયેલો બેન્ચમાર્ક સોમવારે એક ટકાથી સહેજ ઓછા ઘટાડે 11346ના સ્તરે બંધ રહ્યો હતો.
“સોનાના ફંડામેન્ટલ્સ પોઝીટીવ બન્યાં છે. વૈશ્વિક સ્તરે આર્થિક વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. જીઓપોલિટીકલ રિસ્ક વધ્યાં છે અને ફેડ રેટ કટની અપેક્ષાએ સોનામાં ખરીદી જોવા મળી રહી છે.
નિષ્ણાંતો જણાવે છે કે સોનામાં હજુ પણ ભાવ વધારો જોવા મળી શકે છે. રોકાણકારો હવે ડોલર અને ઈક્વિટીઝમાંથી સોના તરફ વળે તેવી શક્યતા છે.
વિશ્વની અગ્રણી મધ્યસ્થ બેંક્સ પણ સોનામાં તેમની ખરીદી વધારી રહી છે.
તેમના મતે વૈશ્વિક બજારમાં સોનું વર્તમાન સપાટીએથી વધુ 100 ડોલરનો ઉછાળો દર્શાવી શકે છે. જે તેને 1520 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસના સ્તર સુધી લઇ જઇ શકે છે. હાલમાં વૈશ્વિક બજારમાં સોનુ 1426 ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
સોનું 2012માં 1900 ડોલરની તેની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યા બાદ લાંબા સમયથી 1100-1300 ડોલરની રેંજમાં ટ્રેડ થતું રહ્યું હતું અને પીળી ધાતુમાં રોકાણ કરનારાઓ વળતરથી વંચિત રહ્યાં હતાં. ભારતીય રોકાણકારોને જોકે ડોલર સામે રૂપિયામાં ઘટાડાને કારણે સોનામાં નેગેટિવ રિટર્નનો સામનો કરવાનું બન્યું નહોતું.
છેલ્લા આઠ કેલેન્ડરમાંથી ત્રણ દરમિયાન તેઓને નિફ્ટીની સરખામણીમાં ઊંચું વળતર મળ્યું હતું. જેમાં કેલેન્ડર 2016માં(9.98 ટકા), 2018(7.71 ટકા) અને ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધીમાં 11.81 ટકાનો સમાવેશ થાય છે. નિફ્ટીએ આઠમાંથી પાંચ કેલેન્ડર દરમિયાન પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું. જેમાં 2012(27.70 ટકા), 2014(31.39 ટકા) અને 2017(28.65 ટકા) જેટલું ઊંચું વળતર દર્શાવ્યું હતું.
દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન
વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી
રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી
પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.
આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે
રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં
આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા
છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.
આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના
થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ
ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત
એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે.
દિલ્હીથી કટરા વચ્ચેનું
અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા
વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે.
કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે.
અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ
કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.