CIA ALERT

ઇન્ડીયા Archives - Page 140 of 216 - CIA Live

January 24, 2020
coronavirus.jpg
8min9210

કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ

જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.

આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.

ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.

વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.

આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.

દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.

ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ

ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.

અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.

ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.

આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા  ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.

2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.

સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.

Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.

What is this virus?

It’s a new type of coronavirus that scientists have not seen before.

Coronaviruses circulate in a variety of animals, including humans. Some types can cause common colds. Others have evolved into severe illnesses like severe acute respiratory syndrome (SARS) and Middle East respiratory syndrome (MERS).

The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.

“This is a serious situation,” Messonnier said.

SCIENCE

Q&A: What is coronavirus? What you should know about the virus behind the outbreak in ChinaJan. 21, 2020

Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.

Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.

China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.

Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.

Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.

“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”

January 24, 2020
India-vs-New-Zealand.jpg
1min5350

આજે ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ ન્યૂ ઝીલૅન્ડ સામેની અલગ-અલગ સ્તરની ત્રણ ક્રિકેટ મૅચના પરિણામોની રાહ જોશે. એક જ દિવસમાં કોઈ એક દેશની બીજા એક જ દેશની ત્રણ ભિન્ન સ્તરની ટીમ સામે ક્રિકેટ મૅચ રમાવાનો કદાચ આ પહેલો જ કિસ્સો છે.

મુખ્ય મૅચ આજે ભારતીય સમય મુજબ બપોરે ૧૨.૨૦ વાગ્યાથી ઑકલૅન્ડમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમનો કેન વિલિયમસનની ન્યૂ ઝીલૅન્ડ સાથે મુકાબલો થશે. આ ટી-ટ્વેન્ટી મૅચ છે અને એ લગભગ ૪.૦૦ વાગ્યે પૂરી થશે. પાંચ મૅચવાળી સિરીઝની એ પહેલી જ મૅચ છે.

સાઉથ આફ્રિકાના બ્લોમફોન્ટેનમાં વન-ડેનો અન્ડર-૧૯ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને બ્લોમફોન્ટેન શહેરમાં આજે પ્રિયમ ગર્ગના સુકાનમાં ભારતની યુવા ટીમનો મુકાબલો જેસી ડાશ્કૉફની કૅપ્ટન્સીના ન્યૂ ઝીલૅન્ડની યુવા ટીમ સામે થશે. ભારતીય ટીમ બન્ને લીગ મૅચ જીતીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે.

ન્યૂ ઝીલૅન્ડમાં ભારતથી ઇન્ડિયા ‘એ’ ટીમ બિનસત્તાવાર વન-ડે રમવા ગઈ છે અને આજે ક્રાઇસ્ટચર્ચમાં ઇન્ડિયા ‘એ’નો મુકાબલો ન્યૂ ઝીલૅન્ડ સાથે થશે. ઇન્ડિયા ‘એ’ના સુકાનીપદે શુબમન ગિલ અને ન્યૂ ઝીલૅન્ડ ‘એ’ ટીમના નેતૃત્વપદે ટૉમ બ્રુસ છે.

January 23, 2020
mumbai_shopping.jpg
1min5300

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા મંજૂરી

મહારાષ્ટ્ર કેબિનેટે આખી રાત રેસ્ટોરાં, મલ્ટિપ્લેકસ અને મૉલ્સ ખુલ્લા રાખવાના નિર્ણયને બુધવારે લીલી ઝંડી આપતા ૨૭ જાન્યુઆરી ને સોમવારથી આ નિર્ણય અમલમાં આવશે. જોકે બાર અને પબ એક્સાઈઝના નિયમો પ્રમાણે જ ચાલશે, આથી તે રાત્રે ૧.૩૦ વાગ્યે બંધ થઈ જશે. આ નિર્ણય અગાઉ વિધાનસભામાં થઈ ગયો હોવાથી સત્તાવાર રીતે કેબિનેટમાં પ્રસ્તાવિત થયો હતો, માત્ર આ મુદ્દે પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ કેબિનેટને જાણકારી આપી હતી.

જે બિનરહેવાસી વિસ્તારોમાં એકમો છે અને તેમને પોતાનું કમ્પાઉન્ડ અને ગૅટ છે, તે તમામ એકમો આ નિર્ણયનો લાભ લઈ શકે છે. રેસ્ટોરાં, મોલ્સ, શૉપિંગ સેન્ટર કે પછી થિયેટર કે મલ્ટિપ્લેકસ આ નિર્ણયનો લાભ લઈ શકે. આ નિર્ણયને લીધે જનતાને રાત્રે પણ ખાવા-પીવા કે પિક્ચર જોવાની સવલત મળશે અને પર્યટકો માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય સાબિત થશે, સાથે રાજ્યની મહેસૂલી આવક પણ વધશે.

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધીની જ ખુલ્લા રાખવા મંજૂરી

ઠાકરેના જણાવ્યા અનુસાર આ અંગે તેમણે છેલ્લા બે વર્ષથી અભ્યાસ કર્યો છે અને સતત દોડતા મુંબઈને આ સવલતની જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણયથી મુંબઈ પોલીસ માટે કામ આસાન થશે. તેમણે અગાઉ દોઢ વાગ્યા બાદ એકમો બંધ છે કે નહીં, તે જોવાનું રહેતું હતું, પરંતુ હવે તેઓ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે.

પર્યટકો અને શહેરના લોકોને ભૂખ લાગે તો દસ વાગ્યા પછી ક્યાં જવું તે સવાલ થતો હતો. લંડન જેવા શહેરોમાં આ વ્યવસ્થા છે અને મહેસૂલી આવક પણ છે. મુંબઈ સુરક્ષિત શહેર છે અને દરેક મોલ્સ કે રેસ્ટોરાંમાં સીસીટીવી કેમેરા હોય છે. જો કોઈને વધારે સુરક્ષા જોઈતી હોય તો તેમણે નાણાં ચૂકવવા પડશે.

January 23, 2020
supreme.jpg
1min4970

સર્વોચ્ચ અદાલતે નાગરિકત્વ સુધારા ધારા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ની પ્રક્રિયાનો અમલ હાલમાં અટકાવવાનો બુધવારે ઇનકાર કર્યો હતો અને કેન્દ્રને સંબંધિત અરજીઓનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે આ ધારાની બંધારણીય યોગ્યતાને પડકારતી અરજીઓ બંધારણીય બૅન્ચને સુનાવણી માટે મોકલવાનો નિર્ણય લીધો હતો.

દેશના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેએ જણાવ્યું હતું કે અમે કાયદાના અમલને એકપક્ષી રીતે હાલમાં અટકાવી ન શકીએ. અમે બધી અરજીઓનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લઇશું. તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં આ ધારાને મુદ્દે મોટા પાયે ચર્ચા થઇ રહી છે અને અમે કેન્દ્રની દલીલ સાંભળ્યા વિના કોઇ નિર્ણય નહિ લઇએ.

સર્વોચ્ચ અદાલતમાં આ ધારાની વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ૧૪૩ અરજી કરાઇ છે. આ અરજીઓની સુનાવણી કરનારી બૅન્ચમાં મુખ્ય ન્યાયાધીશ બોબડે ઉપરાંત ન્યાયાધીશ એસ. અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાનો સમાવેશ થાય છે.

વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં નાગરિકત્વ (સુધારા) ધારા હેઠળ નાગરિકત્વ આપવાની કામગીરી શરૂ પણ કરી દેવાઇ છે. જેઓને નાગરિકત્વ અપાઇ જશે, તેઓ પાસેથી પાછું લેવાશે નહિ અને તેથી આ કાયદાના અમલ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જરૂરી છે.

વકીલ વિકાસ સિંહે આસામમાં નાગરિકત્વ (સુધારા) ધારાના અમલના સંબંધમાં એકપક્ષી ચુકાદાની માગણી કરી હતી અને દલીલ કરી હતી કે આ કિસ્સામાં આસામની હાલત અલગ છે. આ કેસને લગતી છેલ્લી સુનાવણીથી અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ લોકો રાજ્યમાં ઘૂસી ગયા છે.

દેશના મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે આસામ અને ત્રિપુરાના કિસ્સાને અન્ય રાજ્યોથી અલગ રીતે હાથ ધરાશે.

વકીલ કપિલ સિબલે નાગરિકત્વ સુધારા કાયદાનો બે મહિના અમલ નહિ કરવા, આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરનો એપ્રિલથી થનારો અમલ રોકવાની વિનંતિ કરી હતી.

ઍટર્ની જનરલ વેણુગોપાલે જણાવ્યું હતું કે અમને અત્યાર સુધીમાં માત્ર ૬૦ અરજીની નકલ મળી છે. કેન્દ્ર સરકારને બધી અરજીની નકલ આપવા અરજ કરીએ છીએ. અમને જવાબ આપવા માટે છ અઠવાડિયાંનો સમય લાગશે.

તેમણે જણાવ્યું હતું કે દેશની બધી વડી અદાલતોને નાગરિકત્વ સુધારા ધારાને લગતી અરજીઓની હાલમાં સુનાવણી નહિ કરવાની સૂચના આપવી જોઇએ.

સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપ્યો હતો અને વડી અદાલતોને સંબંધિત સુનાવણી હાલમાં નહિ કરવાનો આદેશ આપવા સહમત થઇ હતી.

નાગરિકત્વ સુધારા ધારાના વિરોધમાં સર્વોચ્ચ અદાલતમાં અગાઉ ૬૦ અરજી કરાઇ હતી, પરંતુ છેલ્લા થોડા દિવસ દરમિયાન નવી ૮૩ અરજી કરાઇ હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે આસામ, ત્રિપુરા અને ઉત્તર પ્રદેશમાંના આ કાયદાના અમલને પડકારતી અરજીઓની સુનાવણી બે અઠવાડિયાં પછી અલગથી જ કરાશે. જે અરજીઓ કેન્દ્રને નથી મળી તેઓનો જવાબ આપવા ચાર અઠવાડિયાંનો સમય આપીએ છીએ. અમે અમુક અરજીની સુનાવણી ચૅમ્બરમાં કરીશું.

January 22, 2020
cars.jpeg
1min5170

મોટર વીમા ઉદ્યોગમાં ટૂંક સમયમાં વપરાશ આધારિત પ્રીમિયમ લાગુ થવાની શક્યતા છે. વીમા કંપનીઓ એકથી વધારે કાર ધરાવતા સિંગલ માલિકને પ્રત્યેક કારના અપેક્ષિત વપરાશ આધારિત કવર આપવાના પ્લાન લોન્ચ કરી રહી છે. આમ, પહેલીવાર ગ્રાહકને મલ્ટિપલ વ્હિકલ્સ માટે સિંગલ પોલિસી ખરીદવાનો વિકલ્પ મળશે, જેમાં પ્રત્યેક કારની સબ-લિમિટ અલગ-અલગ હશે.

ICICI લોમ્બાર્ડ દ્વારા ‘ફ્લોટર’ પોલિસી વિકલ્પ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકો જ્યાં સુધી એકસાથે બે વાહનો નહીં ચલાવે ત્યાં સુધી તેમની સમ ઇન્સ્યોર્ડનો ઉપયોગ કરી શકશે. ICICI લોમ્બાર્ડની ‘સિંગલ ઓનર, મલ્ટિપલ વ્હિકલ’ ફ્લોટર પોલિસી એપ્લિકેશન આધારિત ઇન્ટરફેસ છે, જેનાથી મલ્ટિપલ વાહનોને એકસાથે લિન્ક કરવામાં મદદ મળશે. આ ‘ફ્લોટર’ વિકલ્પ અત્યારે ફેમિલી હેલ્થ પોલિસીમાં ઉપલબ્ધ છે, જેમાં પરિવારનો એક સભ્ય સિંગલ સમ ઇન્શ્યોર્ડ દ્વારા પરિવારના અન્ય સભ્યોને પણ આવરી લે છે.

“એક ફ્લોટર પોલિસી હેઠળ જ ત્રણથી ચાર કારનો વીમો લઈ શકાશે, જેનો અર્થ એ થયો કે, એક જ પોલિસી દ્વારા ત્રણ કારનું કવર મળશે. આ પ્રોટોટાઇપ છ મહિના માટે માન્ય રહેશે અને આ સમયગાળામાં તે કારગત નીવડશે તો કંપનીઓ તેને લોન્ચ કરી શકશે. કંપનીઓ વપરાશ-આધારિત મોટર ઇન્શ્યોરન્સ લોન્ચ કરશે, જેથી ગ્રાહકને તેની ડ્રાઇવિંગ પસંદગીના આધારે તેમના પ્રીમિયમની ચુકવણી કરવાનો વિકલ્પ મળશે.

મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓ અત્યારે ગ્રાહકો પાસેથી ‘ઓન ડેમેજ પ્રીમિયમ’ ચાર્જ કરે છે, જેનો આધાર વાહનોના મોડલ, બનાવટના વર્ષ, સ્થળ પર રહેલો છે અને આ પોલિસી પર નો-ક્લેમ બોનસ લાગુ પડે છે. નવી પોલિસીમાં વાહન માલિકની ડ્રાઇવિંગ આદતને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ગ્રાહક કેટલી ઝડપથી વાહન ચલાવે છે, કેટલું ટ્રાવેલ કરે છે અને કેટલીવાર સખત બ્રેક મારે છે જેવી બાબતોને ધ્યાનમાં લઈને પ્રીમિયમ નક્કી કરવામાં આવશે. ડ્રાઇવિંગની આદતનું મોનિટરિંગ કરવા માટે એપ્લિકેશનનો ઉપયોગ થશે અને જો ગ્રાહક સલામત સવારી કરતો હશે તો તેને રિવોર્ડ પણ મળશે. રિન્યુઅલ વખતે ગ્રાહકના ‘ઓન ડેમેજ પ્રીમિયમ’માં ગ્રાહકો તેમનો સ્કોર જોઈ શકશે. ગ્રાહકો એક વર્ષ કરતાં ઓછા સમયગાળા માટે આ વિકલ્પ પસંદ કરી શકશે.

January 22, 2020
kejriwalinqueue.jpg
1min5130

સાત-સાત કલાક સુધી વાટ જોયા પછી આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા હતાં. તેઓ નામાંકન દાખલ કરવા માટે બપોરે 12 વાગ્યા આસપાસ પહોંચી ગયા હતાં પણ ત્યાં ઉપસ્થિત અપક્ષ ઉમેદવારોએ તેમને વચ્ચેથી ઉમેદવારી નોંધાવવા દીધી નહોતી. જેને પગલે કેજરીવાલને સાત કલાકની લાંબી અકળાવનારી રાહ જોવી પડી હતી.

દિલ્હીનાં જામનગર હાઉસ સ્થિત કલેક્ટર કચેરીએ કેજરીવાલ બપોરે પહોંચી ગયા હતાં. તેમની પાસે ટોકન નંબર 4પ હતો. જેને પગલે ત્યાં અગાઉથી પોતાનાં વારાની વાટ જોઈ રહેલા અપક્ષ ઉમેદવારોએ તેમને વહેલા અંદર જવા દીધા નહોતા.’ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આ વિશે ભાજપ ઉપર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ ગમે તેટલી સાજીશ કરે તો પણ કેજરીવાલને ઉમેદવારી નોંધાવતા રોકી નહીં શકે. એક દિવસ પહેલા સોમવારે પણ પોતાના રોડ શો માં ભારે ભીડના કારને બપોરે 3 વાગ્યનાં નિયત સમય સુધીમાં તેઓ જામનગર હાઉસ ખાતે ઉમેદવારી પત્ર દાખલ કરી શકયા ન હતા.

કેજરીવાલે પણ ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ નામાંકન માટે વાટ જોઈ રહ્યા છે. ઉમેદવારી નોંધાવવામાં મોટી કતાર છે. લોકતંત્રનાં પર્વમાં આટલા લોકો ભાગ લઈ રહ્યા છે એ ખુબ જ ખુશીની વાત છે.

જે લોકો કેજરીવાલ પહેલા ઉમેદવારી નોંધાવવા પહોંચી ગયા હતાં એ ડીટીસીનાં કર્મચારીઓ હતાં. જેમને 2018નાં ધરણા દરમિયાન નોકરી ઉપરથી હાંકી કાઢવામાં આવેલા. એ વખતે કુલ 250 જેટલા કર્મચારીઓને કાઢી મૂકાયા હતાં અને તેમાંથી 30 દ્વારા આજે ઉમેદવારી નોંધાવાઈ હતી. તે કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. તેમને ચાતરીને કેજરીવાલ જ્યારે આજે ઉમેદવારી નોંધાવવા અંદર પ્રવેશી ગયા ત્યારે ભારે હોબાળો મચ્યો હતો અને પછી નાછૂટકે કેજરીવાલને રાહ જોવાનો વારો આવ્યો હતો.

January 22, 2020
wangchuk-1280x720.jpg
1min9630

થ્રીઇડિયટ્સ ફિલ્મ જેમની પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી એ વૈજ્ઞાનિક,એન્જિનિયર અને શિક્ષણવિદ્ સોનમ વાંગચૂકે તાજેતરમાં જ મુંબઇની એક શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને જે સંબોધન કર્યું હતું એ માત્ર શાળાકીય જ નહીં પૂર્ણ જીવન દરમ્યાન ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહે એટલું ઉત્કૃષ્ટ હતું.

મેગ્સેસાય એવૉર્ડ વિજેતા વાંગચૂકે કહ્યું હતું કે કોઇ પણ રાજ્યમાં ભણતા બાળકનું શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ. પોતાનો જ અનુભવ વર્ણવતા વાંગચૂકે કહ્યું હતું કે મેં પોતે જ બાળપણમાં માતૃભાષામાં શિક્ષણ લીધું હતું અને પછી બીજી નવ ભાષા શીખ્યો હતો. જો તમે બીજા રાજ્યમાંથી વધુ અભ્યાસ માટે ધારો કે મહારાષ્ટ્ર આવ્યા હોવ તો મરાઠી પણ શીખવું જોઇએ.

છોકરાઓને ખુલ્લામાં શિક્ષણ આપવાના પણ તેઓ હિમાયતી છે. મુંબઇ જેવા શહેરના શિક્ષણની વાત કરતા તેઓ કહે છે કે દરેક શાળાના પોતાના કિચન ગાર્ડન હોવા જોઇએ તેમાં તેમને શાકભાજી ઉગાડતા શીખવી શકાય. સિલાઇ મશીન પર પોતાના કપડાં સીવતા પણ કેમ ન શીખવાડી શકાય. આ બધી મૂળભૂત વિદ્યાઓ છે જે જીવન ટકાવવા માટે જરૂરી છે. શહેરમાં આસપાસ ઘણી ફેક્ટરી કે કારખાના હોય તેનો મતલબ એ નથી કે આ વિદ્યાઓ ન શીખી શકાય.

વાંગચૂક સિમ્પલ લિવિંગ એન્ડ હાઇ થિંકિંગમાં માને છે, તેમણે શહેરના વિદ્યાર્થીઓને પણ સાદાઇના પાઠ ભણાવ્યા હતાં. તેમણે હાલમાં જ ‘ આઇ લીવ સિમ્પલી’ નામની ચળવળ પણ શરૂ કરી છે. વાતાવરણ પ્રદૂષિત થતું જાય છે, કલાઇમેટ ચેન્જ થતું જાય છે ત્યારે ભોગવાદમાં સંયમ જાળવી જેટલી સાદાઇથી જીવી શકાય એટલું જીવવું જોઇએ. વધુ પડતા ઉપભોગથી જ પર્યાવરણની સમતુલા બગડતી જાય છે. તેઓ લોકોને ભેગા કરીને આ રીતનું માર્ગદર્શન આપે છે ત્યારે પૈસા ભેગા નથી કરતા પણ લોકોને પોતાનું આચરણ બદલવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. તેઓ કહે છે કે શહેરવાસીઓ ઉપભોક્તાવાદથી દૂર રહે તો દૂર ગામડાઓ અને પર્વતીય પ્રદેશોમાં રહેતા લોકો પણ સાદાઇથી જીવી શકે.

લદાખમાં રહેતા આ પ્રેરણા પુરુષ વાંગચૂકના જીવન પર આધારિત આમીરખાન અભિનીત ૩ ઇડિયટ્સ ફિલ્મ બની હતી, જે ખૂબ જ લોકપ્રિય નીવડી હતી.

January 22, 2020
indiavsnz.jpg
1min4770

વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ગઈ કાલે છ અઠવાડિયાના પ્રવાસ માટે ન્યૂ ઝીલૅન્ડ પહોંચી ગયા હતા. તેઓ શુક્રવાર (૨૪ જાન્યુઆરી)થી કિવીઓ સામે પાંચ ટી-ટ્વેન્ટીની શ્રેણી રમશે. ત્યાર પછી બન્ને દેશો વચ્ચે ત્રણ વન-ડે અને છેલ્લે બે ટેસ્ટ-મૅચ રમાશે. ટેસ્ટ-સિરીઝ બે વર્ષની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના ભાગરૂપ રમાવાની છે.

વિરાટે કિવીલૅન્ડ પર પગ મૂકતાંની સાથે જ શાર્દુલ ઠાકુર તથા શ્રેયસ ઐયર સાથે ફોટો પડાવીને એ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો અને એ સાથે લખ્યું હતું, ‘ઑકલૅન્ડમાં થોડી જ વાર પહેલાં અમે પગ મૂક્યો. લેટ્સ ગો.’

ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝને, શ્રીલંકાના અને છેલ્લે ઑસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ બુલંદ જોશ અને જુસ્સા સાથે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા છે. કિવી ખેલાડીઓને પહેલા બૉલથી જ પ્રેશરમાં લાવવાની વિરાટે સાથી-ખેલાડીઓને સૂચના આપી દીધી છે.

ભારતીયો ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ આવ્યા હતા જ્યાં તેમણે કિવી ટીમને વન-ડે શ્રેણીમાં ૪-૧થી હરાવી હતી. જોકે, ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભારતનો ૧-૨થી પરાજય થયો હતો.

January 20, 2020
jpnadda.jpg
1min5770

આજે કેન્દ્રમાં જેની પાસે સત્તા છે એ ભાજપાને અમિત શાહની જગ્યાએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે.પી. નડ્ડા મળ્યા છે. પાર્ટીની હેડ ઓફિસમાં નવા અધ્યક્ષ પદ માટે નોમિનેશન પ્રક્રિયા દરમિયાન ભાજપના હાલના અધ્યક્ષ અમિત શાહ સંગઠનના પ્રભારી રાધામોહનસિંહને નવા અધ્યક્ષ માટે નોમિનેશન રજૂ કર્યું છે. કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાને નવા અધ્યક્ષ બનાવવા સંદર્ભે રાજનાથસિંહે દરખાસ્ત રજૂ કરી હતી. જેની સામે અન્ય કોઇ નેતા તરફથી ઉમેદવારીનો દાવો કરવામાં આવ્યો ન હતો. છેવટે જે.પી. નડ્ડાને ભાજપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા છે. તેઓ ત્રણ વર્ષ માટે ભાજપાના સુકાની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે પાર્ટીના નવા અધ્યક્ષનું સન્માન પણ કરવાના છે.

વિદ્યાર્થી સંઘથી નડ્ડાએ રાજકારણની શરુઆત કરી છે. સંગઠનમાં તેમનો દાયકાઓ જૂનો અનુભવ છે, આરએસએસથી તેમની નીકટતા અને સ્વચ્છ છબી તેમની તાકાત છે. ભાજપના વરિષ્ઠ નેતા રાધામોહનસિંહે પાર્ટીના સંગઠનમાં ચૂંટણી પ્રક્રિયાના પ્રભારી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નોમિનેશન 20 જાન્યુઆરીએ નાખવામાં આવશે અને જરુર પડ્યે બીજા દિવસે ચૂંટણી થશે.

ભાજપમાં અધ્યક્ષ સામાન્ય સહમતિ સાથે ચૂંટવાની પરંપરા છે અને તેની ઓછી સંભાવના છે કે તેના સિવાય અન્ય કોઈ નિર્ણય લેવાય. નવા અધ્યક્ષની પસંદગી સાથે અમિત શાહના સાડા પાંચ વર્ષ કરતા વધુના કાર્યકાળનો પણ અંત આવશે, આ દરમિયાન ભાજપે દેશમાં પોતાના આધારનો વિસ્તાર કર્યો છે. શાહનો કાર્યકાળ ભાજપ માટે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સર્વશ્રેષ્ઠ હતો, જોકે, પાર્ટીને કેટલીક વિધાનસભા ચૂંટણીમાં ઝાટકા વાગ્યા છે.

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min5860

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.