આજે 2019-’20 નું આર્થિક સર્વેક્ષણ, કાલે શનિવારે બજેટ
સરકાર બજેટના એક દિવસ પહેલાં શુક્રવારે 2019-’20 માટેનો આર્થિક સરવે જારી કરશે. બજાર અને નિષ્ણાતો ચાલુ નાણાકીય વર્ષના આર્થિક પ્રદર્શનનો અંદાજ મેળવવા આર્થિક સરવે પર ચાંપતી નજર રાખશે. સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ની આગેવાનીમાં આર્થિક સરવેનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને નાણાપ્રધાનની મંજૂરી પછી તે જારી કરાય છે. ક્રિષ્નમૂર્તિ વી સુબ્રમણિયન્ અત્યારના CEA છે.
આર્થિક સરવે 31 જાન્યુઆરીના રોજ સંસદનાં બંને ગૃહોમાં રજૂ કરવામાં આવશે. ત્યાર પછી સુબ્રમણિયન્ પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં CEA અને તેમની ટીમ આગામી નાણાકીય વર્ષ માટેની યોજના બાબતે ચર્ચા કરશે. આર્થિક સરવે નાણામંત્રાલયનો વાર્ષિક દસ્તાવેજ છે. તેમાં દેશની આર્થિક પ્રગતિ અને છેલ્લા 12 મહિનાના પડકારોની સમીક્ષા કરાય છે.
ઉપરાંત, સરકારની મહત્ત્વની નીતિઓના પ્રદર્શન અને તેની અસર અંગે પણ માહિતી
આપવામાં આવે છે. આર્થિક સરવેમાં મહત્ત્વની રાજકોષીય બાબતો, ફુગાવો,
મેક્રોઇકોનોમિક
પરિબળો અને અન્ય આર્થિક પરિબળોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે. તમામ બાબતો
અર્થતંત્રની કામગીરીનો નક્કર સંકેત આપે છે. આર્થિક સરવે
હવામાનમાં ફેરફાર, કૃષિ અને રોજગારીની અસર અંગેની વિગતો પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન સીતારામન બજેટ રજૂ કરવાના છે તેના એક દિવસ પહેલાં આર્થિક સરવે રજૂ થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now