CIA ALERT

ઇન્ડીયા Archives - Page 139 of 216 - CIA Live

January 27, 2020
jeemain.jpg
1min7790

JEE Main કોચિંગવાળાઓની ભ્રામક જાહેરાતોથી વાલી વિદ્યાર્થીઓ ચેતે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જ્યારથી દેશમાં એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ કર્યું છે ત્યારથી તેમણે પરીણામ માર્ક (સ્કોર)ની જગ્યાએ પર્સન્ટાઇલ રેન્કથી આપવાનો નિયમ બનાવ્યો છે. તાજેતરમાં જ એન.ટી.એ. દ્વારા જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર કરવામાં આવ્યું. પરીણામ જાહેર થયા બાદ જેઇઇ મેઇન્સનું કોચિંગ આપતા પ્રાઇવેટ ટ્યુશનિયા સંચાલકો અને કેટલીક સ્કુલો દ્વારા 80થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓના ફોટા સાથે એવી તે જાહેરાતો કરવામાં આવી કે જાણે મોટો મીર માર્યો હોય.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ

વાલીઓ અને વિદ્યાર્થીઓએ સમજી લેવું જોઇએ કે જેઇઇ મેઇન્સમાં કેટલા પર્સન્ટાઇલે નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકે છે. હકીકત જોવા જઇએ તો ઓપન કેટેગરીમાં 92થી ઓછા પર્સન્ટાઇલ રેન્ક પર સારી ગણાતી નેશનલ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મળી શકતો નથી. સૌથી વધુ સ્પર્ધા ઓપન કેટેગરી, ઓપન ઇડબલ્યુએસ કેટેગી, ઓબીસી વગેરેમાંથી એન.આઇ.ટી.માં પ્રવેશ મેળવવા માટે હાયર મેરીટની આવશ્યકતા છે.

હાલમાં જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020ના પરીણામાં 80થી વધુ પી.આર. ધરાવતા વિદ્યાર્થીઓએ જાણે મોટી સિદ્ધી હાંસલ કરી લીધી હોય તે રીતે જાહેરાતો કરવામાં આવી રહી છે એ સાવ ભ્રામક છે. હાલમાં ધો.10માં અભ્યાસ કરતા અને ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવાનું આયોજન ધરાવતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષવા માટે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો કરવામાં આવી રહી છે.

જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ જેટલો હાયર સ્કોર પણ કેમ બિનઉપયોગી થઇ પડે છે એ ગણતરી અહીં નિમ્નદર્શિત ચાર્ટ પરથી સમજીએ.

Percentile ScoreTotal Students/Rank
99 to 1001 to 11500
95 to 9911500 to 57000
90 to 9557000 to 115000

IIT, NIT, IIIT ની બધુ મળીને 42000 બેઠકો છે, તેની સામે 95 પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જ 1.15 લાખ છે

ઉપરોક્ત ડેટા ચકાસીએ તો ખ્યાલ આવશે કે 99થી 100 પર્સન્ટાઇલ વચ્ચે 11,500 સ્ટુડન્ટ છે. જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 પરીક્ષા કુલ 14 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 11,500 વિદ્યાર્થીઓએ 99થી 100 પર્સન્ટાઇળ મેળવ્યા છે. 99થી 95 પર્સન્ટાઇલ વચ્ચે કુલ 57000 વિદ્યાર્થીઓ (રેન્કસ) સમાવિષ્ટ થઇ જાય છે. આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. અને ત્રિપલ આઇ.ટી. કોલેજોની આખા દેશમાં કુલ બેઠકો ફક્ત 42000 જેટલી છે. આ 42000 સીટમાં ઓપન કેટેગરી સમેત તમામ અનામત વર્ગની બેઠકો સામેલ છે. હવે તેની સરખામણીમાં ઉપરના ચાર્ટ અનુસાર પર્સન્ટાઇલ અને તેની સામે વિદ્યાર્થીની સંખ્યાને સરખાવી જુઓ 95 પર્સન્ટાઇલ સુધીના વિદ્યાર્થીઓની સંખ્યામાં જ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. ની બધી સંસ્થાઓની બેઠકો ભરાઇ જશે.

આમ દેશી હિસાબ લગાડીએ તો પણ જેઇઇ મેઇન્સમાં ઓપન કેટેગરીમાં 92 પર્સન્ટાઇલ અને તેના પ્રપોર્સનેટમાં અન્ય અનામત વર્ગના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે આટલા પર્સન્ટાઇલ પર્યાપ્ત નથી.

JEE MAIN ફક્ત 30 હજાર અને એડવાન્સ્ડ ફક્ત 12 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શકે

હાલમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા કે ભવિષ્યમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એ વાતને યોગ્ય રીતે સમજવાની જરૂર છે કે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ આખા દેશના ફક્ત 42 હજાર જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાવી શકે. જેની સામે ગુજરાતમાંથી જ જેઇઇ મેઇન્સ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 20 હજારથી વધુની છે. આવી સ્થિતિમાં જેઇઇ મેઇન્સનો સૌથી મજબૂત વિકલ્પ ગુજકેટની પરીક્ષા છે. ગુજકેટ પર પણ ધ્યાન આપવું જોઇએ જેથી કરીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં સરળતાથી પ્રવેશ મળી શકે છે.

January 27, 2020
coronaupdate.jpg
1min17580

ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપના કારણે મરનારની સંખ્યા 80 થઈ છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 2 હજાર કરતાં પણ વધારે થઈ છે. ચીનમાં ભારતીય દૂતાવાસ પણ સક્રિય છે અને લોકોના સ્વાસ્થ્ય અને સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીયોની મદદ કરવા માટે દૂતાવાસે બે હેલ્પલાઈન ચાલુ કરી હતી જોકે, મોટી સંખ્યામાં કોલની ફ્રિકવન્સી જોતા દૂતાવાસને ત્રીજી હેલ્પલાઈન નંબર પર જાહેર કરવી પડી હતી.

ચીનમાં ભારતીય દૂતાવાસે પહેલા +8618612083629 અને +8618612083617 નંબર શરુ કર્યા હતાં. હવે નવી હેલ્પલાઈન નંબર +8618610952903 પર પણ કોલ કરીને મદદ માગી શકાય છે. @EOIBeijingએ જણાવ્યું કે આ હેલ્પલાઈન 24 કલાક ચાલુ છે. ચીનના વુહાન શહેરમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ રહે છે.

India in China

✔@EOIBeijing

We have opened a third hotline-+8618610952903,
+8618612083629,
+8618612083617
to respond to concerns. Please continue to follow us for further updates.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ગત બે દિવસોમાં તેમની પાસે લગભગ 600 કોલ આવી ચૂક્યા છે. ભારત સરકારની સાથે મળીને દૂતાવાસ ભારતીયોની સુરક્ષાની દરેક શક્ય કોશિશ કરી રહ્યું છે. ચીની વહીવટી તંત્ર સાથે પણ સંપર્કમાં છે. ખતરનાક કોરોના વાઈરસ પર નિયંત્રણ માટે રવિવારે દક્ષિણ શહેર શાંતાઉને આંશિક રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. આવું પહેલીવાર થયું છે જ્યારે વિષાણુંના કેન્દ્ર રહેલા વુહાનની બહાર કોઈ શહેરને બંધ કરવાની ઘોષણા કરવામાં આવી હોય.

વિદેશમંત્રી જયશંકરે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે,’બેઈજિંગ સ્થિત અમારુ દૂતાવાસ પણ ભારતીયોના સ્વાસ્થ્ય અને તેમની તબીયત પર નજર રાખી રહ્યું છે. મહેરબાની કરીને વધારે જાણકારી માટે (ટ્વિટર પર) @EOIBeijing ફોલો કરો.’

આ વાઈરસને લઈને હજુ પણ અનેક અનિશ્ચિતતાઓ છે. અંતિમ નિષ્કર્ષની ઘોષણા બાકી છે. જોકે, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે આ વાઈરસ વુહાનના મીટ બજારમાં ગેરકાનૂની રીતે વેચાયેલા માંસથી આવ્યો છે. જ્યાં ઉંદરથી લઈને શિયાળ અને દરેક પ્રકારના જાનવરોનું માંસ મળે છે.

January 26, 2020
republic-day-1280x853.jpg
1min8420

આપણે સૌ ભારતીયો આજે તા.26મી જાન્યુઆરી 2020ના રોજ આપણા દેશનો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. દરેક નાગરીકના મનમાં આજે દેશ પ્રેમની કોઇકને કોઇક લાગણી વ્યક્ત થઇ રહી છે.

ભારતના 71મા પ્રજાસત્તાક સમારોહની મુખ્ય સરકારી ઉજવણી નવી દિલ્હીમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ વરસે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. રાજપથ પર આજે સવારે 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલા એન્ટી સેટેલાઈટ વેપન્ટ (એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડાં સામેલ કરાયા હતા, લોકમાં એમણે પણ ભારે આકર્ષણ જણાવ્યું હતું.

પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રથમ વખત એવું બન્યું કે વડાપ્રધાન અમર જવાન જ્યોતિ ઉપર નહીં ગયા અને ઈન્ડિયા ગેટ પાસે આવેલા નેશનલ વોર મેમોરિયલ ગયા હતા. પરંપરા મુજબ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ધ્વજારોહણ કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી.


January 26, 2020
India-vs-New-Zealand.jpg
1min5280

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી મેચ આવતીકાલે રમાનાર છે. પ્રથમ મેચ જીતી લીધા બાદ ભારતીય ટીમ યજમાન ટીમ પર 1-0ની લીડ ધરાવે છે. આવતીકાલની મેચમાં કેન વિલિયમસનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પણ શાનદાર દેખાવ કરીને વાપસી કરવા માટે ઇચ્છુક છે. જેથી મેચ રોમાંચક બની શકે છે.

પ્રથમ મેચમાં બંને ટીમોના બેટ્સમેનોએ સારો દેખાવ કર્યો હતો. ટ્વેન્ટી મેચમાં 400 કરતા પણ વધારે રન થયા હતા.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે હજુ સુધી ચાર દ્વિપક્ષીય શ્રેણી રમાઇ ચૂકી છે. જૈ પૈકી ન્યુઝીલેન્ડે ત્રણ શ્રેણી જીતી છે. ભારતે એક શ્રેણીમાં જીત મેળવી છે. ભારતને ન્યુઝીલેન્ડ સામે દેખાવ સુધારવાની તક રહેલી છે.

ન્યુઝીલેન્ડે ટ્વેન્ટી ક્રિકેટમાં પ્રભુત્વ રાખ્યુ છે. વર્ષ 2008-09માં તેમની વચ્ચે પ્રથમ ટ્વેન્ટી શ્રેણી રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે 2-0થી જીત મેળવી હતી. આવી જ રીતે વર્ષ 2012માં તેમની વચ્ચે બીજી શ્રેણી રમાઇ હતી. આ શ્રેણી પણ ન્યુઝીલેન્ડે 1-0થી જીતી લીધી હતી. તેમની વચ્ચે ત્રીજી શ્રેણી 2017-18માં રમાઇ હતી. જેમાં ભારતે 2-1થી જીત મેળવી લીધી હતી. તેમની વચ્ચે છેલ્લી શ્રેણી 2018-19માં રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે પોતાના ઘર આંગણે ભારત પર 2-1થી જીત મેળવી હતી.

આમને સામને ઓવરઓલ વાત કરવામાં આવે તો તેમની વચ્ચે આજની મેચ સાથે 12 મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડે આઠ અને ભારતે ચાર મેચો જીતી છે. ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણી પોતાના નામ પર કરી લીધા બાદ ટીમ ઇન્ડિયાએ જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જીત મેળવી હતી.ન્યુઝીલેન્ડ સામે હવે ટ્વેન્ટી શ્રેણી રમાનાર છે.પહેલા પાંચ ટ્વેન્ટી મેચોની શ્રેણી રમાશે. ત્યારબાદ વનડે શ્રેણી રમાનાર છે. વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણી પણ રમાનાર છે. ટેસ્ટ શ્રેણી 21મી ફેબ્રુઆરીથી શરૂ થનાર છે.

બીજી ટેસ્ટ મેચ 29મી ફેબ્રુઆરીના દિવસથી રમાનાર છે. આવી જ રીતે બીજી ટ્વેન્ટી મેચ 26મી જાન્યુઆરીના દિવસે રમાનાર છે. પાંચમી અને અંતિમ ટ્વેન્ટી મેચ’ બીજી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે. વનડે શ્રેણીની પ્રથમ મેચ પાંચમી ફેબ્રુઆરીના દિવસે રમાનાર છે.પ્રથમ મેચમાં ભારતે’ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની ઝંઝાવાતી બાટિંગની મદદથી’ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ ઉપર છ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે આની સાથે જ પાંચ મેચોની શ્રેણીમાં 1-0ની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ઇડન પાર્ક મેદાન પર ભારતે ટોસ જીતીને બાલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ ન્યુઝીલેન્ડની ટીમે પાંચ વિકેટે 203 રનનો જુમલો ખડક્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 204 રન બનાવીને મેચ જીતી ગઈ હતી.

January 26, 2020
gseb-1280x720.jpg
1min5260

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.

વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

January 26, 2020
rajasthandvidhansabha.jpg
1min4980

રાજસ્થાન વિધાનસભાએ શનિવારે નાગરિકત્વ સુધારિત કાયદો (સીએએ)ને પાછો ખેંચવાની દરખાસ્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો જેનો ભાજપે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સત્તાધારી કોંગ્રેસ રાજકીય રમત રમી રહી છે.

પંજાબ બાજ રાજસ્થાન બીજું કોંગ્રેસની સત્તા હેઠળનું રાજ્ય છે જ્યાં આવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળ વિધાનસભામાં પણ સીએએ સામે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. રાજસ્થાન વિધાનસભામાં વોઇસ વોટ દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સિવાય નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર), ૨૦૨૦ના અપડેશનની પ્રક્રિયા પણ રદ કરવાનું કેન્દ્ર સરકારને કહ્યું હતું.

‘સીએએ દ્વારા બંધારણની જોગવાઇઓનો ભંગ થઇ રહ્યો હોવાના પુરાવા છે. તેથી દેશમાં એકતા બનાવી રાખવા તથા ધર્મના આધારે નાગરિકત્વ આપીને ભેદભાવ કરવાનું ટાળવા ભારત સરકારને દરખાસ્ત કરવામાં આવે છે’, એમ સંસદીય બાબતના પ્રધાન શાંતિ ધરિવાલે જણાવ્યું હતું.

વિપક્ષ નેતા ગુલાબ કટારિયાએ રાજ્ય વિધાનસભામાં કાયદાને પડકારવાના અધિકાર પર સવાલ ઉઠાવ્યો હતો.

‘નાગરિકત્વ પૂરું પાડવું એ કેન્દ્ર સરકારના અધિકાર હેઠળ આવે છે અને આવી પરિસ્થિતિમાં સીએએને પડકારવાનો અધિકાર આપણને છે? કોંગ્રેસે વોટ બેંક માટે અને ગંદું રાજકારણ બંધ કરવું જોઇએ’, એમ ભાજપી નેતાએ જણાવ્યું હતું.

January 26, 2020
padma-1280x717.jpg
1min11610

દેશના ત્રણ નેતા – અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને જ્યોર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ જાહેરાત કરાઇ હતી.

શાહબુદ્દીન રાઠોડ અને સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા હતા.

બૉક્સર મેરી કોમ અને મૉરિશસના ભૂતપૂર્વ વડા પ્રધાન અનિરુદ્ધ જગન્નાથને પદ્મવિભૂષણથી સન્માનિત કરાશે.

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, ઉદ્યોગપતિઓ આનંદ મહિન્દ્રા અને વેણુ શ્રીનિવાસન, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ, નાગાલેન્ડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ. સી. જામીર તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજકારણી મુઝફ્ફર હુસૈન બૈગને પદ્મભૂષણ અપાશે.

ક્રિકેટર ઝહીર ખાન, હોકી ખેલાડી રાણી રામપાલ અને શૂટર જિતુ રાયને પદ્મશ્રી એનાયત કરાશે. ફિલ્મજગતના કરણ જોહર, એકતા કપૂર, કંગના રણૌતનું પણ

પદ્મશ્રીથી સન્માન થશે.

શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાને પદ્મવિભૂષણ અને ગાયક સુરેશ વાડકરને પદ્મશ્રી એનાયત કરાશે.

પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.

ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.

સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.

નોકરી ડૉટ કૉમના સ્થાપક સંજીવ બિખાચંદાની, ઉદ્યોગપતિ ભરત ગોયંકા અને ટેક્નૉલૉજી ક્ષેત્રના અગ્રણી નેમનાથ જૈનને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

પદ્મવિભૂષણ ૭, પદ્મભૂષણ ૧૬, પદ્મશ્રી માટે ૧૧૮ જણને પસંદ કરાયા છે.

January 25, 2020
yuvika-1280x979.png
7min16780

ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.

ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.

ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા

Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.   

The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.

The programme will be of two weeks duration during summer holidays (May 11-22,  2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.

3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.

The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.

S.NoDescriptionWeightage
1Performance in the 8th Std Examination60%
2Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level  (The higher level will be considered for weightage)2/4/6/10%
3Winners of  District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)2/4/6/10%
4Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)5%
5Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)15%
Total100%

Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.

રજિસ્ટ્રેશન ડિટેલ્સ

The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.

It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.

For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.

January 25, 2020
coronavirus1-1-1280x720.jpg
1min7940

મુંબઈમાં ‘કોરોના’ વાઈરસના ત્રણ શંકાસ્પદ દર્દી મળી આવ્યા છે. જ્યારે પુણેમાં બે શંકાસ્પદ દર્દીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ કલ્યાણ અને નાલાસોપારાના રહેવાસીઓ છે. મુંબઈના ત્રણ દર્દીઓ ચીનથી આવ્યા હતા અને હાલ તેમને પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું

હતું. ચીનમાં ‘કોરોના’ વાઈરસે માથું ઊંચક્યું છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ ચિંચપોકલીમાં આવેલી કસ્તુરબા હૉસ્પિટલમાં સ્વતંત્ર વોર્ડ ચાલુ કર્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દીઓની તપાસ કરવામાં આવી રહી હોઈ ત્યાં જ તેમના પર સારવાર કરવામાં આવવાની હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર પદમજા કેસકરે જણાવ્યું હતું. ‘કોરોના’ વાઈરસના આતંકને કારણે ૧૯ જાન્યુઆરીથી અત્યાર સુધી છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર અત્યાર સુધી ૧,૭૮૯ જેટલા પ્રવાસીનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી જેઓ ચીનથી આવ્યા હતા તેમનામાં આ વાઈરસના લક્ષણો જણાયા હતા.

ડૉ. કેસકરે જણાવ્યા મુજબ ચીનથી મુંબઈ આવેલા ત્રણ શંકાસ્પદ દર્દીને ઉધરસ અને શરદીનો ત્રાસ થઈ રહ્યો હતો, તેથી તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ચીનથી મુંબઈ ઍરપોર્ટ પર ઊતરનારા પ્રવાસીઓમાં ‘કોરોના’ વાઈરસનાં અમુક લક્ષણો જણાઈ આવે તો તેમને તાત્કાલિક પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં મોકલવાની સૂચના પાલિકા તરફથી ઍરપોર્ટ પ્રશાસનને આાપવામાં આવી હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર તરફથી કસ્તુરબા હૉસ્પિટલમાં ‘કોરોના’ વાયરસ સંબંધિત દર્દીઓની વિશેષ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન ‘કોરોના’ વાઈરસના ઈન્ફેક્શનના શંકાસ્પદ કોઈ દર્દી જણાયા હતા, પણ સ્ક્રિનિંગ દરમિયાન જ ત્રણ મુંબઈના અને ત્રણ પુણેના એમ છ દર્દીઓને મેડિકલ ઍક્ઝામિનેશનલ કરવા માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જેમાં ચાર લોકોમાં કોઈ ઈન્ફેકશન જણાયું નહોતું, તો બેને મામૂલી શરદી અને ઉધરસ હોવાથી તકેદારીના પગલારૂપે કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આરોગ્ય ખાતાના કહેવા મુજબ છેલ્લા ૧૪ દિવસમાં ચીનના વુહાન શહેરથી આવેલા કોઈ પ્રવાસી થર્મલ સ્ક્રિનિંગ દરમિયાન પોઝિટિવ (‘કોરોના’ વાઈરસ) જણાયો નથી.

ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ ‘કોરોના’ વાઈરસનો દર્દી નોંધાયો હતો. ‘કોરોના’ વાઈરસનની ચપેટમાં આવી જવાને કારણે અત્યાર સુધી ૨૫નાં મોત થયા છે. આ વાઈરસનો ચેપ લાગ્યા બાદ ઉધરસ થવી, શ્ર્વાસ લેવામાં ત્રાસ થવા જેવાં લક્ષણો જણાતા હોવાનું વર્લ્ડ હૅલ્થ ઑર્ગનાઈઝેશને જણાવ્યું હતું.

‘કોરોના’ વાઈરસને પગલે પાલિકાની કસ્તુરબા હૉસ્પિટલમાં અલાયદો સ્વતંત્ર વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં ‘કોરોના’ વાઈરસનું ઈન્ફેકશન થયું હોવાની શંકા હોય તેવા દર્દીની તપાસ કરીને તેની સારવાર કરવામાં આવશે એવું ડૉ. કેસકરે જણાવ્યું હતું. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપોર્ટના ડૉકટરોને ચીનથી આવનારા પ્રવાસીઓમાં જો ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક કસ્તુરબા હૉસ્પિટલ મોકલી દેવાની સૂચના પણ આપવામાં આવી છે.

પાલિકાએ તો ‘કોરોના’ વાઈરસના શંકાસ્પદ દર્દી માટે કસ્તુરબા હૉસ્પિટલમાં વ્યવસ્થા કરી છે, પણ ચીનથી જો કોઈ પ્રવાસી મુંબઈ આવ્યો હોય અને તેનામાં ‘કોરોના’ વાઈરસનાં લક્ષણો જણાય તો તે માટે શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરનારા ડૉકટરો તથા ખાનગી હૉસ્પિટલોનેે પણ ઍલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું હોવાનું ડૉ. કેસકરે જણાવ્યું હતું.

January 24, 2020
shreyas.jpg
1min6780

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર વિજય મેળવી લીધો છે. ઓપનર કે એલ રાહુલની ઝડપી અડધી સદીની મદદથી ભારતને મજબૂત સ્ટાર્ટ મળ્યું હતું. રોહિત શર્મા સાત રન બનાવીને ભારતને આઉટ થઈ જતા ભારતીય ટીમને પ્રથમ ઝટકો વહેલો લાગ્યો હતો અને ન્યૂઝીલેન્ડના તોતિંગ સ્કોરને ચેઝ કરવો મુશ્કેલ જણાતો હતો. કેપ્ટન વિરાટ કોહલીની 32 બોલમાં 45 રનની ઉપયોગી ઈનિંગ્સ અને શ્રેયસ ઐયરના 58 રનની મદદથી ભારતે એક ઓવર બાકી હતી ત્યારે જ આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ ઐયરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદાર અડધી સદીની મદદથી કિવિઝ ટીમે એડન પાર્કમાં રમાયેલી પ્રથમ ટી20માં નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 203 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી બોલિંગમાં જસપ્રિત બુમરાહે સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ અને શિવમ દુબેએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.

204 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત શર્માના રૂપે પ્રથમ ઝટકો લાગ્યો હતો. ટીમના 16 રન હતા ત્યારે રોહિત સેંટનરની ઓવરમાં ટેલરના હાથે કેચ આઉટ થઈ ગયો હતો. જો કે વનડાઉન બેટિંગમાં ઉતરેલા કેપ્ટન વિરાટ કોહલી અને ઓપનર કે એલ રાહુલની જોડીએ 101 રનની ઉપયોગી પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ ઐયર અને મનિષ પાંડે (14) અણનમ રહીને ભારતને 19મી ઓવરમાં જીત અપાવી હતી. ઐયરની ટી20 ઈન્ટરનેશનલમાં પ્રથમ અડધી સદી રહી છે. ભારતને જીત માટે અંતિમ બે ઓવરમાં 18 રનની જરૂત હતી અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટીમ સાઉધીએ 19મી ઓવર લીધી હતી. શ્રેયસ ઐયરે સાઉધીની ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે