ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.
ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.
Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.
The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”
Selection Procedure
The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.
Application Fee
All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.
Helpdesk
Candidates can contact on the helpdesk number provided below if required.
રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ મળેલી જાણકારી
અનુસાર,
ચાલુ નાણાંકીય વર્ષ પહેલાના 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર-2019) દરમિયાન 18
સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના કુલ 8,926 કેસો સામે આવ્યા છે. ઈન્દોરના નિમચના રહેવાસી RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકે તેમને RTI હેઠળ આ જાણકારી આપી
છે.
આરટીઆઈ હેઠળ પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેન્કિંગ છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ દ્વારા રૂ.30,300.01 કરોડ રૂપિયાની બેંકિંગ ફ્રોડના 4,769 કેસ નોંધાયા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન સરકારી બેંકમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા કેસોના કુલ રકમ રૂ.1,17,463.73 કરોડની લગભગ 26 ટકા જેટલી રકમ છે.
એસબીઆઈ – રૂ.30,300.01 કરોડ – 4,769 કેસ
પંજાબ નેશનલ બેંક – રૂ.14,928.62 કરોડ – 294 કેસો
બેંક ઓફ બરોડા – રૂ.11,166.19 કરોડ – 250 કેસો
અલ્હાબાદ બેંક – રૂ.6,781.57 કરોડ – 860 કેસ
બેંક ઓફ ઇન્ડિયા – રૂ.6,626.12 કરોડ – 161 કેસ
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – રૂ.5,604.55 કરોડ – 292 કેસ
ઇન્ડિયન ઓવરસીઝ બેંક – રૂ.5,556.64 કરોડ – 151 કેસ
ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ – રૂ.4,899.27 કરોડ – 282 કેસ
કેનેરા બેંક,
યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ
ઇન્ડિયા,
આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન બેંક અને
પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ રૂ.31,600.76 કરોડની બેન્કિંગ
છેતરપિંડીનો સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં
બેન્કિંગ ફ્રોડનો શિકાર બનેલી બેંકો અથવા તેના ગ્રાહકોને થયેલા નુકસાન અંગે કોઈ
ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.
આ વાળ તડકામાં સફેદ થયા નથી પણ ડહાપણથી શ્ર્વેત બન્યા છે, તેવું વૃદ્ધો અવારનવાર કહેતા હોય છે. વૈજ્ઞાનિકો કહે છે કે વાળ તણાવથી સફેદ થતાં હોય છે. આ અંગેનો એક સંશોધનથી જાણી શકાયું છે કે લાંબા સમયથી તણાવનો સામનો કરનારાઓના શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બની જતી હોય છે. જેની આડઅસરથી વાળ ધોળા થઈ જતા હોય છે. જો નર્વસ સિસ્ટમને સક્રિય ન થવા દઈએ તો વાળ ધોળા થવાની સંભાવના ઘટી જાય છે, તેવું ઉંદરો પર થયેલું સંશોધન દર્શાવે છે.
‘નેચર’ સામયિકમાં આ અંગેનો અભ્યાસ પ્રકાશિત થયો છે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના થિઆગો મટ્ટર કુન્હાએ કહ્યું કે ‘લાંબા સમયથી માનવામાં આવતું હતું કે તણાવથી વાળ સફેદ થતા હોય છે, પણ આ માન્યતા માટે કોઈ આધાર મળતો ન હતો. અમારા અભ્યાસથી શોધી શકાયું છે કે શરીરમાં શું થવાથી વાળ સફેદ થતા હોય છે અને આ પ્રક્રિયા અટકાવવાનો માર્ગ અમે શોધી શક્યા છે.’ મોરોક્કોમાં થતા કેકટ્સ પ્રકારના પ્લાન્ટમાંથી મેળવેલું રેસિનિફેરાટોક્સીન ઉંદરમાં ઈન્જેક્ટ (દાખલ) કરવામાં આવ્યું હતું. આ ટોક્સીન (ઝેરી પદાર્થ) ઘણાં સપ્તાહ સુધી કાળા ઉંદરમાં દાખલ કરવામાં આવ્યું હતું. તેને ખૂબ જ પીડા સહન કરવી પડી હતી અને તે પછી તેના વાળ સફેદ થયા હતા. સીડીકે (સાઈક્લીનડિપેન્ડેન્ટ કિનાસે) નામના પ્રોટીનથી વાળ સફેદ થતાં હોવાની સંંશોધનકારોને જાણ થઈ હતી. તે પછી સીડીકે ઈનહિબિટર (સીડીકેને અટકાવનાર) ઉંદરમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યું હતું તો ખબર પડી કે વાળ સફેદ થવાનું અટકી ગયું હતું. હાર્વર્ડના કુન્હાએ કહ્યું કે ‘ઉંદરોમાં રેસિનિફેરાટોક્સીન ઈન્જેક્ટ કરવામાં આવ્યું તે પછી અમે તેમને ગુઆનેથિડિન આપ્યું હતું જે એન્ટી-હાઈપરટેન્સિવ (તાણ ઘટાડે) છે અને અમે અવલોકન કર્યું કે વાળનો રંગ સફેદ થતો અટકાવી શકાયો હતો.
ઉંદરને થતી પીડાથી શરીરની નર્વસ સિસ્ટમ સક્રિય બનતી હોય છે અને એડ્રેનલિન અને કોર્ટિસોલ હોર્મોન ઉત્તેજિત થઈ જતા હોય છે. હૃદય ઝડપભેર ધબકવા લાગે છે. બ્લડપ્રેશર વધી જતું હોય છે. શ્ર્વાસોશ્ર્વાસ ઝડપી બને છે. ડોળા પહોળા થાય છે
મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારીઓને
અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું રહેશે, અને શનિ-રવિ રજા રહેશે. આ નિર્ણયનો અમલ 29 ફેબ્રુઆરીથી શરુ થઈ જશે. સી.એમ. ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી
કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધ-સરકારી તેમજ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજની
સંસ્થાઓના કુલ થઈને 20 લાખ જેટલા કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. કેન્દ્ર સરકારના
કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું હોય છે, જ્યારે શનિ-રવિ કેન્દ્ર સરકારની ઓફિસો બંધ હોય છે.
ગુજરાત જેવા રાજ્યમાં બીજા અને ચોથા
શનિવારે કર્મચારીઓને રજા હોય છે. મહારાષ્ટ્રએ કરેલી પહેલ બાદ હવે અન્ય રાજ્ય
સરકારોના કર્મચારીઓમાં પણ શનિ-રવિ રજા આપવાનો ગણગણાટ શરુ થાય તો નવાઈ નહીં.
ઘરેલુ વપરાશના રાંધણગૅસ (એલપીજી)ના ભાવમાં બુધવારે સિલિન્ડરદીઠ રૂપિયા ૧૪૪.૫નો વધારો કરાયો હતો. આમ છતાં, સરકારે એલપીજીના ઘરેલુ વપરાશકારોના લાભાર્થે સબસિડી (આર્થિક રાહત)માં પણ ભારે વધારો કર્યો હોવાથી ખાસ આર્થિક બોજ નહિ આવે.ઈંધણના વૈશ્ર્વિક ભાવમાંના વધારાને લીધે ઘરેલુ વપરાશના એલપીજીના ભાવમાં વધારો કરાયો હતો, પરંતુ સબસિડી પણ લગભગ બમણી કરવામાં આવતા ગ્રાહકને કોઇ મોટી આર્થિક અસર નહિ થાય.
સરકારી માલિકીની તેલ (ઑઇલ) કંપનીઓએ જણાવ્યું હતું કે રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર (કોઠી)નો ભાવ અગાઉ રૂપિયા ૭૧૪ હતો, પરંતુ તે હવે વધારીને રૂપિયા ૮૫૮.૫૦ કરાયો છે.
અગાઉ, રાંધણગૅસના ભાવમાં ૨૦૧૪ના જાન્યુઆરીમાં સિલિન્ડરદીઠ રૂપિયા ૨૨૦નો વધારો કરીને તે રૂપિયા ૧,૨૪૧ કરાયો હતો અને તે પછીનો આ સૌથી મોટો ભાવવધારો છે.
દરેક પરિવારને દર વર્ષે ઘરેલુ વપરાશના રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટે સરકાર આર્થિક રાહત આપે છે.
નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)એ ત્રીજીવાર સત્તા મેળવી છે. ૭૦ બેઠકમાંથી ૬૨ બેઠક આપે જીતી હતી. આપના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બુધવારે પક્ષના નેતા પદે અરવિંદ કેજરીવાલને ચૂંટી કાઢ્યા હતા.
કેજરીવાલ બુધવારે દિલ્હીના લેફ. ગવર્નર અનિલ બૈજલને રાજનિવાસમાં મળ્યા હતા. શપથવિધિના કાર્યક્રમ વિશે તેમની સાથે ચર્ચા થઈ હતી.
નવી સરકારની પ્રક્રિયા માટે કેજરીવાલે રાજીનામું આપીને ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિનો માર્ગ મોકળો કરવો પડે છે.
આપના સિનિયર નેતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ૧૬ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે, જે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કેબિનેટના પ્રધાનોની સોંગધવિધિ પણ એજ દિવસે થશે.
આપના વિધાનસભ્ય નરેશ ગોયલના કાફલા પર ગોળીબાર થયાના બનાવ બાબતે મનિષ સિસોદિયાએ ચિંતા દર્શાવી હતી. દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જવાબદાર વ્યક્તિઓએ પગલાં લેવા જોઈએ, એમ કહ્યું હતું.
ડિગ્રી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને કોઇપણ ગ્રેજ્યુએટ IAS, IPS પરીક્ષા આપી શકશે
Jayesh Brahmbhatt 98253 44944
એક સમય હતો જ્યારે યુવક યુવતિઓને અમિતાભ બચ્ચાન જેવા ફિલ્મસ્ટાર બનવાનો ભારે ક્રેઝ હતો અને એ માટે તેઓ ઘરબાર છોડીને મુંબઇ ભાગી જતા, એ પછી એવો સમય આવ્યો કે માબાપ અને બાળકો ઇચ્છતા કે તેઓ સચીન તેંડૂલકરની જેમ ક્રિકેટર બની જાય. હવે જમાનો એવો આવ્યો છે કે મોટા ભાગના મહત્વાકાંક્ષી યંગસ્ટર્સ અને તેમના પેરેન્ટસ એવું ઇચ્છતા હોય છે કે તેમના દિકરા દિકરી ઓ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપીને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. જેવા સનદી અધિકારી બને. આજકાલ સૌથી સ્ટેટસવાળી જોબ ગણાય છે સિવિલ સર્વિસીઝ.
જે યુવક યુવતિઓ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ કાયદેસરની ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
કોઇપણ ગ્રેજ્યુએટ (નિર્ધારીત ઉંમર) તેમજ હાલમાં ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓ સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષા (ફર્સ્ટ સ્ટેજ) આપી શકશે. પ્રીલીમનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ યુપીએસસી મેઇન્સ અને એ પછી પર્સનલ ઇન્ટરવ્યુ આપવાના રહે છે. સફળતાપૂર્વક આ ત્રણ સ્ટેજ પાર કરનાર ઉમેદવારોને ટ્રેનિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવે છે.
UPSC Civil Services Notification 2020: Important Dates
Event
Date
UPSC notification released on
12.02.2020
Application process commenced on
12.02.2020
Last date to submit application form
03.03.2020
UPSC Civil Service Preliminary exam
31.05.2020
આટલી પોસ્ટ પર નોકરી મળી શકે
(i) Indian Administrative Service.
(ii) Indian Foreign Service.
(iii) Indian Police Service.
(iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
(v) Indian Audit and Accounts Service, Group ‘A’.
(vi) Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’.
(vii) Indian Defence Accounts Service, Group ‘A’. (viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
(ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
(x) Indian Postal Service, Group ‘A’.
(xi) Indian Civil Accounts Service, Group ‘A’.
(xii) Indian Railway Traffic Service, Group ‘A’.
(xiii) Indian Railway Accounts Service, Group ‘A’.
(xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
(xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
(xvi) Indian Defence Estates Service, Group ‘A’.
(xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
The Union Public Service Commission (UPSC) has released the notification for the Civil Service examination 2020 on its official website today i.e. February 12, 2020.
The interested candidates can apply online for UPSC Civil Service Examination 2020 through the official portal of UPSC — upsc.gov.in. The last date to submit the online application for UPSC Civil Service Exam 2020 is March 3, 2020, till 6.00 pm.
UPSC will conduct the preliminary examination of the Civil Services Examination for recruitment to the various services and posts on May 31, 2020.
Eligibility Conditions
Nationality
Applicants should be a citizen of India to apply for the Indian Administrative Service, the Indian Foreign Service and the Indian Police Service.
For other services, applicants should be citizens of any of the following countries — A citizen of India, a subject of Nepal, a subject of Bhutan, a Tibetan refugee who moved to India before January 1, 1962.
A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam intending to permanently settle in India.
Age Limit
A candidate should have attained the age of 21 years and should not have attained the age of 32 years on August 1, 2020. Candidate should have been born not earlier than August 2, 1988, and not later than August 1, 1999.
Minimum Educational Qualifications
The candidate should possess a degree of any of Universities incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University Under Section-3 of the University Grants Commission Act, 1956, or possess an equivalent qualification.
Application Fee
Applicants need to pay an application fee of Rs 100. Female/SC/ST/Persons with Benchmark Disability Candidates are exempted from payment of the fee.
Candidates should note the following things while submitting UPSC Civil Services application form 2020:
One photo ID card (Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving Licence/Any other Photo ID Card issued by the State/Central Government)
Candidates need to provide the details of the photo ID card while filling up the application form.
The candidates need to upload a scanned copy of the photo ID whose details have been given in the online application by him/her.
The same photo ID Card will be used for all future references
Candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test.
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.
GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.
GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.
તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે.
ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિના જીવન પર એક ફિલ્મ બની રહી છે જેમાં તેમની જીવનસફર દર્શાવવામાં આવશે. મૂર્તિએ 40 વર્ષ અગાઉ આઇટી કંપની ઇન્ફોસિસ સ્થાપી હતી જેણે ભારતીય મધ્યમ વર્ગની એક આખી પેઢીને બદલી નાખી અને ભારતને પ્રતિષ્ઠા અપાવી હતી. ફિલ્મના લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર અશ્વિની ઐયર-તિવારી અને નિતેશ તિવારીએ ફિલ્મ માટે સ્ક્રીન પ્લે ફાઇનલ કરી છે. આ ફિલ્મ મૂર્તિની માતૃભાષા કન્નડ, તમિલ અને હિંદીમાં બનાવવામાં આવશે.
ઐયર-તિવારી એડ્વર્ટાઇઝિંગ ઉદ્યોગમાંથી ફિલ્મ નિર્માણ તરફ વળ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમે મૂર્તિને મળ્યા ત્યારે તેમણે ફિલ્મની નિશ્ચિત ડેડલાઇનનો આગ્રહ કર્યો હતો. વિશ્વને આ ગાથાની જેટલી ઝડપથી ખબર પડે તેટલું સારું છે.”
ઇન્ફોસિસ ફાઉન્ડેશનના વડા મૂર્તિએ જણાવ્યું કે, “હું બીજાના જીવન અને સિદ્ધિઓ પરની ફિલ્મો જોવાનું પસંદ કરું છું. મને એમ એસ ધોની પણ પસંદ પડી હતી. પરંતુ હું અમારા વિશે બની રહેલી ફિલ્મની વાત નહીં કરું. પરંતુ અમે નહીં છટકી શકીએ. તે જીવનની હકીકત છે.”
ફિલ્મ નિર્માતા હાલમાં મિત્રો અને પરિવાર પાસેથી મૂર્તિ વિશે વધારે વિગત એકત્ર કરી રહ્યા છે જેમાં તેમના પુત્ર રોહનનો પણ સમાવેશ થાય છે. ઐયર-તિવારીએ 2016માં કોમેડી ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’ બનાવી હતી. તેમણે કંગના રણૌતને લઈને ‘પંગા’ ફિલ્મ પણ બનાવી હતી જેમાં એક કબડ્ડી ચેમ્પિયનની વાત છે.
ફિલ્મનું કામચલાઉ નામ ‘મૂર્તિ’ રાખવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ટાઇટલ ફાઇનલ કરવામાં આવ્યું નથી. ઐયર તિવારીએ જણાવ્યું કે તેઓ સુધા મૂર્તિના ફેન છે. હાલમાં તેઓ સ્ક્રીપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે ફાઇનલ થઈ જાય ત્યાર પછી ફિલ્મના અભિનેતાઓ નક્કી કરવામાં આવશે. સુધા મૂર્તિ માટે પણ આ નવો અનુભવ નથી. તેમણે કન્નડ ફિલ્મો પ્રાર્થને, પ્રીથી ઇલાડા મેલે, ઉપ્પુમાં કામ કર્યું છે. જોકે, આ વખતે તેમની સ્ટોરી પર ફોકસ કરવામાં આવશે.
ઐયર-તિવારીએ કહ્યું કે, “આ ડોક્યુમેન્ટરી નહીં હોય, પરંતુ લાઇફ સ્ટોરી હશે. નારાયણ મૂર્તિને જે સન્માન મળ્યું છે તે સ્ટીવ જોબ્સને પણ નથી મળ્યું.” આ ફિલ્મમાં ઇન્ફોસિસની શરૂઆતથી અત્યાર સુધીની વાત આવરી લેવાશે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના ચાલી રહેલી પ્રક્રિયામાં આજે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટી 56 બેઠકો પર આગળ, ભાજપના ઉમેદવારો 13થી વધીને 14 બેઠકો પર આગળ ચાલી રહ્યા હતા.
દિલ્હી વિધાનસભાની મતગણતરી આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારે 8.00 કલાકે શરૂ થઇ હતી.
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી શરું થતાંની સાથે જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી 28 હજાર 434 મત આપવામાં આવ્યા, પહેલા તેની ગણતરી શરું કરવામાં આવી હતી. શરૂઆતના રુઝાન અનુસાર 10 બેઠકોના ટ્રેન્ડ આવ્યો સામે 7 પર આમ આદમી પાર્ટી આગળ, 3 પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.
એ પૂર્વે મતગણતરીની શરુઆત થતા જ પહેલા અડધો કલાકમાં આમ આદમી પાર્ટી બહુમતને પાર, 40 બેઠકો પણ આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 13 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. હજુ પોસ્ટલ બેલેટના આંકડા બાકી છે. તો કોંગ્રેસનું હજુ સુધી ખાતું જ ખૂલ્યું નથી.
પ્રાથમિક ટ્રેન્ડમાં 32 બેઠકો પર આપ આગળ જ્યારે ભાજપ 12 બેઠકો પર આગળ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પાછળ 42 બેઠકનો ટ્રેન્ડ સામે આવ્યો, 32 પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જ્યારે 10 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. આપ કાર્યાલયમાં ઉજવણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ. ફુગ્ગાથી લઈને બેનર થઈ રહ્યા છે તૈયાર.
દિલ્હી ચૂંટણીના પરિણામો પહેલા જ આમ આદમી પાર્ટી પૂર જોશમાં, નવી દિલ્હીમાં પાર્ટી ઓફિસ બહાર કાર્યકર્તાઓએ તો 2024 સુધીની ભવિષ્યવાણી પણ કરી દીધી મનીષ સિસોદિયાએ કહ્યું આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું છે. થોડી નર્વસનેસ તો છે પણ પરિણામ આવતા પહેલા આવું બધા સાથે થાય છે. ઈશ્વરને પ્રાર્થના છે જેટલી 5 વર્ષમાં મહેનત કરી છે તો આપ જીતી જાય અને બીજા 5 વર્ષ પણ અમે આવી જ મહેનત કરતા રહીએ. શિક્ષણ, આરોગ્ય અંગે કામ કરવું જ એક સાચો રાષ્ટ્રવાદ છે.
हिन्दी में भी पढीए खबरें
दोपहर 12 बजे प्राप्त हुए रुझानो के अनुसार दिल्ली विधानसभा चुनाव के लिए मतगणना में आम आदमी पार्टी को बहुमत मिला है। 58 सीटों पर सत्तारूढ़ पार्टी के प्रत्याशी आगे चल रहे हैं। उधर, भाजपा उम्मीदवार 12 सीटों पर पर ही बढ़त बनाए हुए हैं। पिछले चुनाव में भाजपा महज तीन सीटें जीत सकी थी। चुनाव में कांग्रेस अभी तक अपना खाता नहीं खोल सकी है।
बता दें कि दिल्ली के मुख्यमंत्री और आप प्रमुख अरविंद केजरीवाल नई दिल्ली सीट से चुनावी मैदान में हैं। मीडिया रिपोर्ट के मुताबिक केजरीवाल करीब 4000 वोटों से आगे चल रहे हैं। हरिनगर से भाजपा के तेजिंदर सिंह बग्गा पीछे चल रहे हैं। चांदनी चौंक से कांग्रेस की अलका लांबा पीछे हैं। बाबरपुर से आप के गोपाल राय आगे चल रहे हैं। इसी तरह करावलनगर से भाजपा के मोहन सिंह बिष्ट आगे हैं। मुस्तफाबाद से कुछ देर पहले पीछे चल रहे भाजपा के जगदीश प्रधान ने एक बार फिर बढ़त बना ली है। वो करीब 30 हजार वोटों से आगे चल रहे हैं।
दिल्ही वॉर
दिल्ली विधानसभा की 70 सीटों पर शुरूआती रुझानों में केजरीवाल की आम आदमी पार्टी को बहुमत मिल गया है. दिल्ली में इस बार कुल 672 उम्मीदवार मैदान में हैं, जिसमें 593 पुरुष और 79 महिला उम्मीदवार हैं. मुख्य मुकाबला सत्तारुढ़ आम आदमी पार्टी (आप), बीजेपी और कांग्रेस के बीच है.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.