ઇન્ડીયા Archives - Page 118 of 217 - CIA Live

May 16, 2020
farmers.jpg
1min5890
  • ખેડૂતો તેમનો પાક આકર્ષક ભાવે વેચી શકે, કોઈ મુશ્કેલી વિના આંતરાજ્ય વેપાર અને ખેતીના ઉત્પાદનોના ઈ-ટ્રેડિંગ માટે ફ્રેમવર્ક તૈયાર કરવા એક કાયદો બનાવાશે: નિર્મલા સીતારમણ
  • સરકાર આવશ્યક ચીજવસ્તુ ધારા, 1955 (એસેન્ટિયલ કોમોડિટિઝ એક્ટ, 1955)માં સુધારો કરશે. તેલીબિયાં, કઠોળ, બટેટાં જેવી પ્રોડક્ટ્સને તેમાં ડિ-રેગ્યુલેટ કરાશે: નિર્મલા સીતારમણ
  • ઓપરેશન ગ્રીનનો વિસ્તાર ટમેટાં, ડુંગળી અને બટેટાં ઉપરાંત અન્ય બધા ફળ અને શાકભાજી માટે પણ કરવામાં આવશે: નાણા મંત્રી
  • મધમાખી ઉછેર માટે 500 કરોડની સ્કીમ લાવવામાં આવશે. તેનાથી મધમાખી પાલન માટે આધારભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરશે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • ગંગા કિનારે 800 હેક્ટર જમીન પર હર્બલ પ્રોડક્ટ્સ માટે કોરિડોર બનાવાશે: નિર્મલા સીતારમણ
  • હર્બલ ખેતીના પ્રમોશન માટે 4,000 કરોડ રૂપિયાની જોગવાઈ. લગભગ 10 લાખ હેક્ટરમાં હર્બલ પ્રોડક્ટ્સની ખેતી થશે. તેનાથી ખેડૂતોને 5,000 કરોડની આવક થશે: નાણા મંત્રી
  • એનિમલ હસબન્ડ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • 53 કરોડ પશુઓના રસીકરણની યોજના અમે લઈને આવ્યા છીએ. તેમાં લગભગ 13,343 કરોડ રૂપિાય ખર્ચ થશે: નાણા મંત્રી
  • પીએમ મત્સ્ય સંપદા યોજનામાં 20,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં દરિયાઈ અને આંતરદેશીય મત્સ્ય પાલન માટે અને 9,000 કરોડ રૂપિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લગાવાશે: નાણા મંત્રી
  • માઈક્રો ફૂડ એન્ટરપ્રાઈઝ માટે 10,000 કરોડની સ્કીમ લાવવામાં આવી છે. બિહારમાં મખાનાના ક્લસ્ટર, કેરળમાં રાગી, કાશ્મીરમાં કેસર, આંધ્ર પ્રદેશમાં મરચું, યુપીમાં કેરી સાથે સંલગ્ન ક્લસ્ટર બનાવાઈ શકે છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
  • આ ફંડ એગ્રિકલ્ચરલ સ્ટાર્ટઅપ્સ માટે માળખાગત સમસ્યાને ઉકેલવામાં મદદ કરશે: નાણા મંત્રી
  • ખેતી આધારિત આધારભૂત માળખું બનાવવા માટે 1 લાખ કરોડની યોજના લાવવામાં આવી છે: નિર્મલા સીતારમણ
  • લોકડાઉન દરમિયાન 5000 કરોડની વધારાની લિક્વિડિટીનો લાભ ખેડૂતોને થયો છે: નાણા મંત્રી
  • લોકડાઉન દરમિયાન પીએમ કિસાન ફંડમાં 18,700 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે: નાણા મંત્રી નિર્મલા સીતારમણ
May 16, 2020
neet.jpg
4min13810

સૂરતથી સૌરાષ્ટ્ર પહોંચેલા કે કોટાથી ગુજરાત પરત ફરેલા વિદ્યાર્થીઓ માટે આવકારદાયક સગવડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19ના સંક્રમણને કારણે ભારતમાં ઉદભવેલી પરિસ્થિતિને પગલે દેશમાં શૈક્ષણિક શિડ્યુલ ખોરવાય ગયું છે. મેડીકલ અને એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષાઓ હવે જુલાઇમાં લેવામાં આવનાર છે. પરીક્ષા કેન્દ્રો પણ હોટસ્પોટ કે કન્ટેમેન્ટ ઝોનમાં આવે તેવી સ્થિતિ છે.

કોટા કે અન્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે

મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ધો.11-12 રાજસ્થાનના કોટા, મહારાષ્ટ્રના લોની કે અન્ય રેસિડેન્સીયલ સ્કુલોમાં અભ્યાસ કરવા પોતાના વતનથી દૂર, નિવાસસ્થાનથી બીજા શહેરોમાં અભ્યાસ કરે છે. અને આવા વિદ્યાર્થીઓએ નીટ રજિસ્ટ્રેશન વખતે એ જ વિસ્તારના પરીક્ષા કેન્દ્રને પસંદ કર્યા હતા. હવે કોવીડ-19 અને લૉકડાઉનની સ્થિતિ બાદ હજારો વિદ્યાર્થીઓ પોતાના વતન પહોંચી ગયા છે. અને જુલાઇ 26મી સુધીમાં દેશમાં આંતરીક પરીવહનને મંજૂરી મળે તેવી શક્યતા હાલ દેખાતી નથી. પરીણામે નીટ 2020ના પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી છે.

નીટ 2020 માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ તા.31મી મે 2020 સુધી પોતાના પરીક્ષા કેન્દ્ર એટલે કે શહેર, નગરને બદલી શકશે.

સૂરત અને સૌરાષ્ટ્રના પરીક્ષાર્થીઓ કેન્દ્રો બદલે તેવી શક્યતા

સૂરત શહેરમાંથી પણ હજારો પરીવારો વતન સૌરાષ્ટ્ર પહોંચ્યા છે. આ પરીવારો પણ દોઢ મહિના પહેલા સૂરત પરત ફરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં અગાઉ સૂરત રહીને નીટનો અભ્યાસ કરનારા હજારો વિદ્યાર્થીઓ હવે સૌરાષ્ટ્ર વતનમાં પહોંચી ગયા હોઇ, તેઓ પણ નીટના પરીક્ષા શહેરમાં ફેરફાર કરી શકે તેમ છે.

https://ntaneet.nic.in/ntaneet/ShowPdf.aspx?Type=50C9E8D5FC98727B4BBC93CF5D64A68DB647F04F&ID=761F22B2C1593D0BB87E0B606F990BA4974706DE

NEET 2020 application form correction & exam city change date extended again

The National Testing Agency (NTA) has yet again extended tha last date to make corrections in their particulars and centre cities in the NEET UG online application forms. As per the official notice released by NTA, the facility for correction in the particulars including choice of centre cities in the online application form will be available up to May 31, 2020.

Applicants can visit the official website of NTA NEET — ntaneet.nic.in — to make corrections in their particulars.

It should be noted that the correction in the particulars in the NEET online application forms will be accepted up to 05.00 pm and submission of fee up to 11.50 pm on May 31, 2020.

Candidates can pay the requisite (additional) fee (if applicable), through Credit/ Debit Card/ Net Banking/ UPI and PAYTM. It is to be noted that in case, additional fee payment is required depending on the changes made in the form, the final updates will be reflected after the payment.

The notification also reads “NTA will make efforts to allot the city of examination to the candidates in order of choices now opted by them in their Application Form, subject to the availability of capacity in the desired city. However, due to administrative reasons, a different city may be allotted and the decision of the NTA regarding allotment of the centre will be final.”

May 15, 2020
maharashtra_map.jpg
1min5910

મહારાષ્ટ્રમાં મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યો છે. આ વિસ્તારો કોરોનાને ધ્યાનમાં રાખીને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારે રાજધાની મુંબઇ સહિત બધાં હૉટસ્પૉટ વિસ્તારોમાં લૉકડાઉન (Lockdown 4.O in Maharashtra) લંબાવીને 31 મે સુધી કરવામાં આવ્યું છે. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના (Corona in Maharashtra)ને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા એક હજાર પાર થઈ ગઈ છે.

ગુરુવારે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતા હેઠળ થયેલી કેબિનેટ બેઠક દરમિયાન આ સ્થળો પર પ્રતિબંધ વધારવાની શક્યતા પર ચક્ચા કરવામાં આવી હતી. મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન 31 મે સુધી વિસ્તારવામાં આવ્યું છે.

મુંબઇ મેટ્રોપૉલિટન રીજન, પુણે, સોલાપુર, ઔરંગાબાદ અને માલેગાંવમાં લૉકડાઉન વધારી દેવામાં આવ્યો છે

May 13, 2020
stimulus.jpg
1min5080

તા.13મી મે એ બપોરે 4 કલાકે મિડીયા બ્રિફિંગમાં દેશના નાણામંત્રી નિર્મલા સિતારમણે કોરોના લૉકડાઉનની સ્થિતિ બાદ દેશમાં ધંધા-રોજગાર બેઠા થાય એ માટે વડાપ્રધાને જાહેર કરેલા સ્ટીમ્યુલસ પેકેજના પહેલા ચરણમાં નીચે મુજબની જાહેરાતો કરી હતી.

આ પેકેજમાં સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે ઘણી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
– MSME એમએસએમઈ  ને ક્રેડિટ ફ્રી લોન આપવામાં આવશે.
– MSME ને 3 લાખ કરોડ રૂપિયા સુધીની લોન ગેરંટી ફ્રી મળશે.
– 45 લાખ MSMEને તેનાથી ફાયદો થશે.
– જે લોન આફવામાં આવશે તેને ચાર વર્ષમાં ચૂકવવાની છે. આ 31 ઓક્ટોબર 2020 સુધી વેલિડ છે.

– સ્ટ્રેસ્ડ MSME માટે 20 હજાર કરોડ રૂપિયા સબ-ઓર્ડિનેટ ડેટ આપવામાં આવશે. તેમાંથી 2 લાખ એમએસએમઈને ફાયદો થશે.
– સરકારે એમએસએમઈની વ્યાખ્યા બદલવાનો નિર્ણય કર્યો છે.

– 18,000 કરોડ રૂપિયા ટેક્સ પેયર્સને આપીને તેમને પણ રાહત કરી આપી છે. 14 લાખ ટેક્સ પેયર્સને તેનો ફાયદો પણ મળ્યો છે.
– પ્રથમ વખત જ્યારે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી તેમાંથી 41 કરોડ એકાઉન્ટ્સમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી મદદ પહોંચાડવામાં આવી હતી.

– કોરોનાના કારણે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ સરકારે 1.7 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું.
– આત્મનિર્ભર ભારતના પાંચ પિલર છે. ઈકોનોમી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ

May 13, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6100

કલરફૂર 4.0 લૉકડાઉન અને 20 લાખ કરોડ રૂપિયાના જંગી સ્ટીમ્લ્યુલસ પેકેજની ઘોષણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તા.12મી મે એટલે કે ગઇકાલે રાત્રે 8 વાગ્યાથી સાડા આઠ વાગ્યા દરમિયાન કરી હતી. હવે આજે તા.13 મી મે ને બુધવારે બપોરે 4 વાગ્યે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વિગતવાર જાહેરાત કરશે કે રૂ.20 લાખ કરોડના સ્ટીમ્યુલસ પેકેજમાં શું શું હશે. એવું પણ કહેવાય છે કે પેકેજની જાહેરાતો આજે એક દિવસમાં પૂરી નહીં થાય તા.17મી મે સુધી તબક્કાવાર રીતે જુદા જુદા સેક્ટર માટે જાહેરાતો થાય એ સંભવ છે.

દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા આજે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારમણ આજે સાંજે 4 વાગ્યે મિડીયા બ્રિફિંગ કરીને પેકેજ અંગે વિગતવાર માહિતી આપશે.

May 13, 2020
sensex-up.jpg
1min5480

કોરોનાથી સંકટગ્રસ્ત દેશના અર્થતંત્રને ઉગારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા ₹20 લાખ કરોડના આર્થિક પેકેજને પગલે બુધવારે અપેક્ષાનુસાર ભારતીય ઈક્વિટી માર્કેટમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આજે સવારે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ ઉપરમાં ખૂલ્યા બાદ વધુ ઉછળ્યો હતો અને 996 પોઈન્ટ્સ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

આજે સવારે 9.20 વાગ્યે સાર્વત્રિક લેવાલીથી BSE સેન્સેક્સ 962.06 પોઈન્ટ્સ અથવા 3.07 ટકા ઉછળીને 32,333.18 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 267.10 પોઈન્ટ્સ અથવા 2.90 ટકાની વૃદ્ધિ સાથે 9,463.65 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.92 ટકા અને 2.04 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

ભારતીય ઈક્વિટી માર્કેટમાં આજે સવારથી જ બુલિશ ચાલ જોવા મળી હતી. આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, પાવર, મેટલ અને ઓટો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ICICI બેન્ક 7.27 ટકા, મારુતિ 6.38 ટકા, હિરો મોટોકોર્પ 6.33 ટકા, એક્સિસ બેન્ક 5.84 ટકા, HDFC બેન્ક 5.31 ટકા, બજાજ ફાઈનાન્સ 4.72 ટકા અને M&M 4.58 ટકાનો સમાવેશ થાય છે.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં TCS 0.97 ટકા, નેસ્લે ઈન્ડિયા 0.74 ટકા, HCL ટેકનો 0.37 ટકા અને ભારતી એરટેલ 0.36 ટકાનો સમાવેશ થાય છે.

May 13, 2020
sunnyleone.jpg
1min5600

ભારતમાં જેના કરોડો આશિક છે, એક સમયની પોર્ન સ્ટાર અને બાદમાં બોલીવુડની હીરોઇન સુધી સફળતાના શિખરો સર કરનાર સન્ની લિયોની લૉકડાઉન શરૂ થાય એ પહેલા જ અમેરીકા પહોંચી ગઇ છે.

સન્ની લિયોનીએ મધર્સ ડે પર ઇન્સ્ટાગ્રામ મારફતે પોસ્ટ મૂકી હતી કે સંતાનોના ઉછેરની પ્રાયોરિટીને કારણે બીજા કામો પડતા મૂક્યા છે. તેણે અદ્રશ્ય શત્રુ કોવીડથી પોતાના સંતાનોને બચાવવા માટે લોસ એન્જેલિસ સેફ હોવાનું જણાવ્યું છે.

વાંચો અહીં સન્ની લિયોનીએ શું પોસ્ટ કર્યું છે

સન્ની લિયોનીના પતિએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું હતું

View this post on Instagram

Getting better with the new vibes !!!

A post shared by Daniel "Dirrty" Weber (@dirrty99) on

May 12, 2020
pmmodi.jpg
1min4900

12મી મે ના રોજ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાવાઇરસ રોગચાળો અને લૉકડાઉનને લઇને છેલ્લા અઢી મહીનાથી જે સંજોગોમાં દેશ જીવી રહ્યો છે તેમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત પર ભાર મૂકતા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું.

વડાપ્રધાને કહ્યું કે, “આ સંજોગોમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા માટે ભારતના જીડીપીના લગભગ 10 ટકા એટલે કે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરાશે અને તે કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે. 

તા.12મી મેથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે.” તેમણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાની વાત પર સતત ભાર મુક્યો.

તેમણે કહ્યું કે, “ભારત અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધા, તંત્ર જે ટેક્નોલોજી ડ્રિવન છે તથા માંગ જે સપ્લાય સાથે તાલમેલ રાખે છે એમ કૂલ પાંચ સ્તંભ પર ખડો છે.” આફતની વાત કરતાં તેમણે કચ્છનાં ભૂકંપને યાદ કર્યો અને કહ્યું કે તે વિનાશ તેમણે નજરોનજર જોયો પણ છતાં પણ કચ્છ તેમાંથી બેઠું થયું. આપણે જે નક્કી કરીએ તે શક્ય બને જ છે.” તેમણે ઉમેર્યું કે, “આ સદી શરૂ થઇ ત્યારે લોકો Y2Kની આફતથી ડરતા હતા પણ ભારતે તેનો પણ સામનો કર્યો.

આપણે બહેતર ઉત્પાદન કરીશું, ગુણવત્તા પણ સારી બનાવીશું તથા સપ્લાય ચેઇનનું આધુનિકીકરણ કરીશું. ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે. જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95નું પણ નહિવત્ત ઉત્પાદન હતું.  આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.”

તેમણે કહ્યું કે, “સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે. 
 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયાં છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ અકલ્પનિય સંકટ છે. આ યુદ્ધ જેવી સ્થિતી છે અને વિશ્વ ચાર મહીનાથી તેની સામે ઝઝૂમી રહ્યું છે પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.”

May 12, 2020
ice_creame_cold_drinks.jpg
1min6370

કેન્દ્રના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કોલ્ડ ડ્રિક્સ, આઇસ્ક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી કોરોના વાયરસનું સંક્રમણ થતું નથી એવી ગાઇડલાઇન્સ દરેક રાજ્યોને મોકલી આપી છે.

આ ગાઇડલાઇન્સના પાલન માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડો. એચ.જી. કોશીયાએ દરેક કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોને સૂચના આપી છે અને જણાવ્યું છે કે, આવા ખાદ્યપદાર્થોના વેચાણને છુટ આપવામાં આવી હોવાથી એમને કનડગત કરવી નહીં.

May 12, 2020
coronaindia-1-1280x1044.jpg
4min9840

અંદાજે પંદર દિવસના સમયગાળા બાદ ગુજરાત હવે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં બીજા ક્રમેથી ત્રીજા ક્રમે પહોંચ્યું છે. ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા તા.15મી મે 2020ના રોજ બપોરે 12 કલાકે 9591 હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું જ્યારે આ જ સમયે તમિલનાડુમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 9674 થઇ છે. આમ, મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે હવે તમિલનાડુ આવ્યું છે. જોકે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ટેસ્ટીંગ ઘટાડી દેવામાં આવ્યા છે.

  • India update as on 15 May 2020 12 p.m..
  • Cases : 81,970
  • Deaths : 2,649
  • Recovered : 27,920
  • Active : 51,401

ભારતમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા તા.15મી મે બપોરે 12 કલાકે

StateCaseDeathRecover
MH2752410196059
TN9674662240
GJ95915863753
DL84701153045
RJ45341252580
MP44262372171
UP3902882072
WB2377215768
AP2205481192
PB193532223
TG141434950
BR9947411
KA98735460
JK98311485
HR81811439
OR6113158
KL5604491
JH197387
CH191337
TR156029
AS87239
UK78150
HP74239
CG60056
LEH43022
AN33033
GA1407
ML13111
PY1319
MN302
MZ101
DNH100
AR101

દેશમાં કોરોનાથી 14 મી મે એ 134નાં મોત

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે ૨૪ કલાકમાં વધુ ૧૩૪ જણ મૃત્યુ થયા હતા અને નવા ૩,૭૨૨ દરદી નોંધાયા હતા. દેશમાં કોરોના વાઇરસના કુલ દરદીઓની સંખ્યા વધીને ગુરુવારે ૭૮,૦૦૩ થઇ હતી અને કુલ મરણાંક વધીને ૨,૫૪૯ થયો હતો.

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સાજા થયેલા દરદીઓની ટકાવારી વધીને અંદાજે ૩૩.૬૩ ટકા થઇ છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં ૨૪ કલાકમાં જે ૧૩૪ જણ મૃત્યુ પામ્યા હતા, તેમાંના મહારાષ્ટ્રના ૫૪, ગુજરાતના ૨૯, દિલ્હીના ૨૦, પશ્ર્ચિમ બંગાળના ૯, રાજસ્થાનના ૪, મધ્ય પ્રદેશના ૭, તમિળનાડુના ૩, તેલંગણાના બે, કર્ણાટકના બે, આંધ્ર પ્રદેશના એક, બિહારના એક, ઉત્તર પ્રદેશ તેમ જ જમ્મુ અને કાશ્મીરના એક જણનો સમાવેશ થાય છે.

દેશમાં 13 May કોરોનાથી ૧૨૨ મોત

કોરોનાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ મોત થતા કોરોનાને કારણે અત્યાર સુધીમાં થયેલા મૃત્યુનો કુલ આંક ૨૪૧૫ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના નવા ૩૫૨૫ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક ૭૪,૨૮૧ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું.

અત્યાર સુધીમાં કોરોનાના ૨૪,૩૮૫ દરદી સાજા થઈ ગયા છે તો એક દરદી સ્થળાંતર કરી ગયો છે અને કોરાનાના ૪૭,૪૮૦ સક્રિય કેસ છે, એમ તેમણે કહ્યું હતું. મતલબ અત્યાર સુધીમાં કોરોનાના કુલ દરદીઓમાંથી ૩૨.૮૩ ટકા દરદી સાજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાના કુલ ક્ધફર્મ કેસમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું.

મંગળવાર સવારથી બુધવાર સુધીમાં કોરોનાને કારણે વધુ ૧૨૨ મોત થયાં હતાં જેમાં મહારાષ્ટ્રમાં ૫૩, ગુજરાતમાં ૨૪, દિલ્હીમાં ૧૩, તમિળનાડુ અને પ. બંગાળ પ્રત્યેકમાં આઠ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રત્યેકમાં ચાર, તેલંગણા અને ઉત્તર પ્રદેશ પ્રત્યેકમાં બે તેમ જ આંધ્ર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ અને પુડુચેરી પ્રત્યેકમાં એક મોતનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

Reported on 13 May

70,000ને પાર, છેલ્લા 24 કલાકમાં 3604 નવા કેસ

ભારતમાં કોરોના ના કેસોની સંખ્યાનો આંકડા 70 હજારથી વધી ગયો છે. 11મી મે ના છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 3604થી વધારે નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જેને પગલે ભારતમાં કુલ કોરોના વાયરસના કેસ વધીને 70,756 થયા છે. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવાર સવારે 9 વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના 3604 નવા કેસ નોંધાયા છે જોકે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી સ્વસ્થય થનારા લોકોની સંખ્યા 1500થી વધારે છે. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ 70756 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથઈ 22454 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. પરંતુ 2293 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 46008 એક્ટિવ કેસ છે.