ગુજરાત Archives - Page 85 of 158 - CIA Live

April 29, 2020
cbse_logo.jpeg
2min10940

બાકી રહેલી પરીક્ષા જ્યારે પણ લેવાશે તેના 10 દિવસ અગાઉ લાગતાવળગતા તમામને જાણ કરાશે

CBSE દ્વારા આજરોજ તા.29મી માર્ચે ફરીથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સીબીએસઇ બોર્ડ દ્વારા કોઇપણ પ્રકારની પરીક્ષા રદ કરવામાં આવી નથી. હાલના સંજોગોને કારણે પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. દેશભરમાં જ્યારે કોવીડ-19ની સ્થિતિ સુધરશે એ પછીના 10 દિવસમાં સીબીએસઇ દ્વારા પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઇને પરીક્ષા સાથે સંકળાયેલા તમામ લોકો, ઓથોરિટી સમેત લાગતા વળગતા સૌને સીબીએસઇની પરીક્ષા લેવાના 10 દિવસ અગાઉથી જાણકારી આપવામાં આવશે.

સીબીએસઇ દ્વારા સત્તાવાર રીતે એવું કહેવામાં આવ્યું કે ગઇ તા.1લી એપ્રિલ 2020ના રોજ જે માર્ગદર્શનક સૂચનાઓ જારી કરવામાં આવી છે એ સૂચનાઓ અનુસાર હાલનું પણ સ્ટેટસ માનવું. કોઇપણ પ્રકારની ગેરસમજ કે અફવાઓથી દોરાવું નહીં.

CBSE એ ટ્વીટ કરીને માહિતી આપી

તા.1લી એપ્રિલ 2020ના રોજ જાહેર કરેલી માર્ગદર્શક સૂચનાઓ ડાઉનલોડ કરવા નીચેની લિંક ક્લીક કરો

http://cbse.nic.in/newsite/attach/PRESS%20RELEASE%2001.04.20.pdf

April 29, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5440

કોરોના સુપર સ્પ્રેડરથી બચો, સુપર સ્પ્રેડરમાં દૂધ-શાક-કરીયાણા વિક્રેતાઓ

હાલ કોરોનાનો વ્યાપ વિસ્તાર ગુજરાતના ચાર મહાનગરોમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તેમાં કોરોનાના ફેલાવા માટે કેટલાક સુપર સ્પ્રેડર આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. જોકે, સુપર સ્પ્રેડરની કોઇ નિર્ધારિત વ્યાખ્યા નથી પરંતુ, જે હાલ લૉકડાઉનના સમયમાં પણ સૌથી વધુ લોકોના સંપર્કમાં આવે છે અને તેઓ કોરોના પોઝીટીવ મળે તો તેમને સુપર સ્પ્રેડર ગણવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અઠવાડિયામાં કોરોના સુપર સ્પ્રેડર્સનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 7 દિવસમાં 115 જેટલા સુપર સ્પ્રેડર્સને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડીયા દરમિયાન અમદાવાદમાંથી જ 115 જેટલા સુપર સ્પ્રેડર એટલેકે દૂધ, શાકભાજી વેચતા ફેરીયાઓ તેમજ કરીયાણાની દુકાનોમાં કામ કરતા લોકો કોરોના પોઝીટીવ હોવાનું નિદાન થતાં તેમના સંપર્કમાં આવેલા હજારો લોકો ભયભીત બની ગયા છે.

શાકભાજી વિક્રેતા, દૂધ વિક્રેતા, કરિયાણા વિક્રેતા અને એવા લોકો જે વારંવાર અન્ય લોકોના સંપર્કમાં આવતા હોય તે તમામનો સુપર સ્પ્રેડર્સમાં સમાવેશ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા 2000 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમાંથી 115 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ દર્દીઓમાંથી અન્ય લોકોમાં કોરોનાનું ટ્રાન્સમિશન વધી રહ્યું હોય તેવી પ્રબળ શક્યતા છે. અમુક વિસ્તારોમાં લોકો શાકભાજી ખરીદવાનું ટાળી રહ્યાં છે. આ ઉપરાંત ઘરે-ઘરે જઈને દૂધનુ વેચાણ કરતા વ્યક્તિને પણ સોસાયટી દ્વારા પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

સૂરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં લૉકડાઉન સમયે પણ છાશવારે નાની મોટી વસ્તુઓ લેવા કરીયાણાની દુકાનો, શાકભાજી વિક્રેતાઓ કે દૂધની ડેરીઓ પર ભીડ જમાવતા લોકો માટે આ બાબત સૌથી ખતરનાક બની શકે તેમ છે. લોકોને સુપર સ્પ્રેડરથી દૂર રહેવા તેમજ શક્ય એટલી ઓછી વખત ઘરની બહાર નીકળવા માટે ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે.

April 29, 2020
coronaguj-1280x875.jpg
1min4890

ગુજરાતમાં તા.28મી એપ્રિલે રાત્રે 8 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ હોય એવા નવા 226 કેસ મળી આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા આ સાથે જ 3774એ પહોંચી ગઇ છે. તા.28મી એપ્રિલના રોજ ગુજરાતમાં કોરોનાથી પીડીત હોય તેવા વધુ 19 દર્દીઓના કરુણ મોત નિપજ્યા હતા. ગુજરાતનો મૃત્યુઆંક 181  થયો છે.

નવા આવેલા કુલ 226 કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 164 કેસ નોંધાયા છે તો આણંદમાં 9, ભરુચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6 કેસ, ગાંધીનગર જે પહેલા કોરોનામુક્ત થઈ ચૂક્યું હતું તેમાં નવા 6 કેસ, રાજકોટમાં 9 કેસ, સુરતમાં 14 કેસ અને વડોદરામાં 15 કેસનો સમાવેશ થાય છે. કુલ 3774 પોઝિટિવ દર્દીમાંથી 3125ની હાલત સ્ટેબલ છે જ્યારે 34 લોકો વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત 434 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને ઘરે પરત ફર્યા છે.

April 28, 2020
gseb-1280x720.jpg
2min11110

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.

  • Maths-050 Provisional Key (GHE – all Medium)
  • Chemistry-052 Provisional Key (GHE – all Medium)
  • Physics-054 Provisional Key (GHE – all Medium)
  • Biology-056 Provisional Key (Gujarati Medium)

How to check GSEB HSC Science Answer Key 2020

Candidates can follow the steps given below to check and download the answer key.
1. Go to the official website of GSEB —gsebeservice.com
2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key”
3. It will direct to a new page of the GSEB website
4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen
5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference

વધુ સૂચનાઓ માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.gsebeservice.com/assets/news/science%20key.pdf

April 28, 2020
corona-1.jpg
1min6550

ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તા.27મી એપ્રિલ 2020ના રોજ કોવીડ-19ના માઇલ્ડ ઇન્ફેકશન ધરાવતા દર્દીઓ માટે હોમ આઇસોલેશનમાં રહેવા સંદર્ભે એક સ્પેશિફિક ગાઇડલાઇન જાહેર કરી છે.

નીચેની લિંક પર ક્લીક કરવાથી કેન્દ્રના મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની વેબસાઇટ પર પ્રસારિત હોમઆઇસોલેશન અંગેની ગાઇડલાઇન્સ ડાઉનલોડ કરી શકાશે.

https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf

April 24, 2020
curfew.jpeg
1min5620

ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટના કેટલાક વિસ્તારોમાં લાગૂ કરવામાં આવેલો કર્ફયુ ઉઠાવી લેવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોના વાયરસના જે રીતે કેસ વધી રહ્યા હતા તે ધ્યાનમાં રાખતા અમદાવાદ શહેરના કોટ વિસ્તાર (જૂના અમદાવાદ)માં તારીખ 15 એપ્રિલના રોજ એક અઠવાડિયાનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો જેની મુદત વધારીને તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીમાં કરવામાં આવી હતી.

બાદમાં સુરત અને રાજકોટ શહેરના અમુક વિસ્તારોમાં તારીખ 24 એપ્રિલે સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો. હવે, આવતીકાલે સવારે 6 વાગ્યે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરના જે વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્ચો હતો તે ઉઠાવી લેવામાં આવ્યો છે અને હવે આ વિસ્તારો દેશના અન્ય વિસ્તારોની જેમ લૉકડાઉન હેઠળ રહેશે.

April 23, 2020
amarnath-yatra-.jpg
1min5430

કેન્દ્ર સરકારે સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. ચાલુ વર્ષે 2020માં હવે અમરનાથ યાત્રા પૂર્વવત રીતે યોજાશે, પવિત્ર અમરનાથ યાત્રા 23 જૂનથી શરુ થશે.  

આ પહેલા કોરોના મહામારીના પ્રકોપને લીધે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના ચેરમન અને ઉપરાજ્યપાલ ગિરીશ ચંદ્ર મુર્મુએ 38મી બોર્ડ મિટીંગનુ નેતૃત્વ કરતા જમ્મુના ભવનમાં પવિત્ર યાત્રા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. 

આ બેઠક પછી જાહેરાત કરવામાં આવી હતી કે કાશ્મીરમાં 77 રેડ ઝોન છે આ કારણસર પવિત્ર અમરનાથ યાત્રા રદ કરી દેવી જોઇએ. પવિત્ર અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ આજ રુટ્ પરથી યાત્રાના અંતિમ પડાવ સુધી દોરી જવાય છે. મહામારીને કારણે શ્રદ્ધાળુઓ માટે કેમ્પ લગાવવા, મેડિકલ ફેસિલિટીઝ, લંગર અને બરફ હટાવવા જેવા જરુરી કામ અશક્ય છે.  

ઉપરાજ્યપાલે કહ્યુ હતું કે ભારત સરકારે લોકડાઉનને 3 મે સુધી લંબાવ્યુ છે અને આગામી સમય માટે સ્થિતિ સ્પષ્ટ નથી. એવામાં પવિત્ર અમરનાથ યાત્રાની મંજૂરી આપવી યોગ્ય નથી, અમારા માટે તમામ શ્રદ્ધાળુઓની સુરક્ષા પ્રથમ સ્થાને છે. 

April 23, 2020
1min5900

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પરશુરામ જયંતી અને આવતીકાલથી શરુ થઇ રહેલા પવિત્ર રમઝાન માસ દરમિયાન ઘરેથી જ પૂજા અને બંદગી કરી કોરોના વાયરસની આ મહામારીમાં સહયોગ આપવા અમે તમામ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અનુરોધ કર્યો છે. DGPએ કહ્યું કે ધર્મગુરૂઓ લોકોને ભેગા ન થવા દે અને લોકડાઉનમાં ઘરની બહાર ન નીકળવાની અપીલ કરે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જે લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરશે અને ઘરની બહાર ભેગા થશે તો એવા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

DGPએ કહ્યું કે લોકોના ભેગા થવાથી કોરોના સંક્રમણ વધી શકે છે. જો લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા અને જ્યાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી, ત્યાં ગુના પણ દાખલ કર્યા હતા.

April 23, 2020
coronaguj-1280x875.jpg
2min9150

પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ છે. રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તે પૈકી ૮૯ ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે, એવું આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું.

ડૉ. રવિએ વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં જે પોઝિટિવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના ૬૫ ટકા, સુરતના ૧૬ ટકા અને વડોદરાના ૮ ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત ૨૭ જિલ્લામાં ૧૧ ટકા પોઝિટિવ કેસો છે અને અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. સંક્રમણ થતું અટકાવવા અને અન્ય રોગોના દર્દીઓને માર્ગદર્શન માટે રાજ્ય સરકારે ટેલિ મેડીસીન થકી સારવાર આપવા નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં એમ.ડી ફિઝિશિયન, એમ.ડી પ્રિડ્રિયાટ્રિશિયન, ડર્મેટોલોજિસ્ટ અને ગાયનેકોલોજિસ્ટ જેવા તજજ્ઞો દ્વારા સવારે ૧૦ થી સાંજના ૫ સુધી માર્ગદર્શન આપવામાં આવે છે, જેનો મહત્તમ લાભ લેવા માટે અનુરોધ છે. 

Reported on 23 April 2020

ગુજરાતમાં તા.23 એપ્રિલે નવા 217 પોઝિટિવ 11ના મોત

24 કલાકમાં જ રાજ્યમાં 217 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે 11 લોકોના મોત થયા છે. આ 271માંથી 151 તો માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં આજે કુલ 3,000 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 217 કેસ પોઝિટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આજથી દિવસમાં એક જ વખત કોરોનાના આંકડા જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ હવેથી દરરોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરવામાં આવશે. આ પહેલા દિવસમાં બે વખત આંકડા જાહેર કરવામાં આવતા હતા.

નવા કેસમાં અમદાવાદમાં 151 ઉપરાંત સુરતમાં 41, વડોદરામાં 7, ભરૂચમાં 5, આણંદમાં 3, બોટાદમાં 2, ખેડામાં 2 કેસ નોંધાયા છે, જ્યારે ભાવનગર, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, વલસાડ અને ડાંગમાં 1-1 કેસ સામે આવ્યા છે.

રાજસ્થાન (કોટા) થી ૪૦૦ વિદ્યાર્થીઓને ૧૫ બસ સાથે ગુજરાતમાં લવાયાં

સમગ્ર દેશમાં રાજસ્થાનનું કોટા શહેર કેરિયર સિટી તરીકે ખુબ જ જાણીતું છે. કોટામાં મોટી સંખ્યામાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આવેલા વિદ્યાર્થીઓ લોકડાઉનના પગલે કપરી સ્થિતિમાં મુકાયા હતા. કોટા શહેરમાં ફસાયેલા હજારો વિદ્યાર્થીઓમાંથી ધીમે ધીમે હવે વિદ્યાર્થીઓને પોતપોતાના રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યાં છે.

ગુજરાત સરકારે કોટામાં ફસાયેલા રાજ્યના વિવિધ વિસ્તારોના ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓને પરત લાવવા ૧૫ બસ મોકલી આપતા ગુરૂવારે ૧૫ બસમાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ શામળાજીથી ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે વિદ્યાર્થીઓના ચહેરાઓ તણાવમુક્ત બન્યા હતા. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં શારીરિક ચકાસણી બાદ તેમના વતનમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવશે. કોટાની એક ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. કોરોના વૈશ્વિક મહામારીને અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ લોકડાઉન લંબાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. રાજસ્થાન સરકાર, કોટા જિલ્લા વહીવટી તંત્ર અને એલન ઇન્સ્ટિટ્યૂટે અન્ય રાજ્ય સાથે મળીને તમામ વિદ્યાર્થીઓને તેમના વતન મોકલવા માટે કાર્યવાહી તજવીજ હાથ ધરી હતી.

ગુરૂવારે વહેલી સવારે રતનપુર ચેકપોસ્ટથી શામળાજી થઈ ૧૫ બસ અમદાવાદ સોલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તમામ વિદ્યાર્થીઓને સોલા સિવિલ હોસ્પિટલમાં થર્મલ સ્ક્રીનિંગ અને પ્રાથમિક શારીરિક તપાસ કર્યા બાદ તેમના વતન મોકલી આપવામાં આવશે.

અમદાવાદમાં ૧૦ હજારથી વધુ લોકોને ક્વોરન્ટાઇન મુક્ત કરાશે

અમદાવાદ શહેરના મધ્ય ઝોનના ૯ માંથી ૭ સ્થળને કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાંથી દૂર કરવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેરાત કરાઈ છે. ૨૦૦૦થી વધુ ઘર, ૧૦૦૦૦થી વધુ લોકો ક્વોરન્ટાઈનમાંથી મુક્ત થશે. ક્વોરન્ટાઈનનો નિયત સમય પૂર્ણ કરતા આ નિર્ણય લેવાયો છે. બીજી બાજુ અમદાવાદમાં વધુ ૯૫ પોઝિટિવ કેસ નોંધાયાં હતા. શહેરમાં કોરોના કહેર હજી પણ યથાવત છે.

કરિયાણાના અને શાકભાજીના વેપારી પણ હવે વાઈરસના ઝપેટમાં આવી ગયા છે. મણિનગર, આંબલી, નરોડા અને ભાઇપુરાના વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આંબલી અને ભાઇપુરાના શાકભાજી વેપારીનો કોરોના પોઝિટિવ નીકળ્યો છે. મણિનગર, પાલડી અને નરોડાના કરિયાણા વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. એએમસી માટે કોરોના વાઈરસની ચેન તોડવા મથામણ કરાઈ રહી છે. સામાન્ય નાગરિક બાદ હવે વેપારીઓ કોરોનાનો શિકાર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો કરિયાણાના વેપારીઓના સંપર્કમાં આવ્યા હતા. એએમસી માટે સંપર્કમાં આવેલા લોકોને શોધવા હાલ અશક્ય બન્યું છે.

Reported on 23 April 2020

કોરોના : ગુજરાત હવે નંબર 2

કોરોનાથી થતાં મોતના આંકડાઓમાં ગુજરાત હવે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે પહોંચ્યું છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હોટસ્પોટ વિસ્તારમાં જેમ જેમ ટેસ્ટ વધતાં જાય છે તેમ તેમ આંકડો વધતો જાય છે. કોરોનાના વધતા કેસની સાથે જ હવે ગુજરાતમાં કુલ કેસનો આંકડો 2407 એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દીઓ સ્વસ્થ થઈને પરત ફર્યા છે.

રાજ્યમાં બુધવારની સવાર સુધીમાં નવા ૯૪ કેસ નોંધાયા હતા જ્યારે વધુ પાંચ દર્દીઓના મોત થયા હતા. કુલ ૨૨૭૨ કોરોના પોઝિટિવ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૯૫ પર પહોંચ્યો હતો. આમ મંગળવારે સવારે નવ વાગ્યાથી બુધવારની સવાર સુધીમાં રાજ્યમાં કુલ ૨૦૬ નવાં પોઝિટિવ કેસ અને વધુ ૧૮ દર્દીઓના મોત થયા હતા.

બુધવારે નોંધાયેલા કેસમાં અમદાવાદના ૬૧ કેસ, બોટાદના ૨૧, રાજકોટ જિલ્લાનો એક, સુરત ૧૭ કેસ, વડોદરા ૮ કેસ અને અરવલ્લીના પાંચ કેસનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં નવા ૬૧ કેસ સાથે કોરોના પીડિતોની સંખ્યા ૧૪૩૪ પર પહોંચી છે. અને વધુ ચાર દર્દીઓના મોત સાથે મોતનો આંકડો પણ વધીને ૫૭ પર પહોંચી ગયો હતો. જ્યારે સુરતમાં કુલ કેસોની સંખ્યા ૩૬૪ પર પહોંચી હતી અને મોતનો આંકડો પણ વધીને ૧૨ પર પહોંચ્યો છે એવી જ રીતે વડોદરામાં ૨૦૭ અને મોતનો આંકડો ૧૦ પર પહોંચ્યો હતો. રાજકોટમાં ૪૧ પર પહોંચ્યો છે. તો પાંચ લોકોને સારવાર બાદ રજા પણ આપવામાં આવી છે.

દરિમયાન અમદાવાદમાં બુધવારે નોંધાયેલા ૬૧ કેસની વાત કરીએ તો, તમામ કેસ હોટસ્પોટ એરિયાના છે. જેમાં દાણીલીમડા, રાયપુર, જમાલપુર, મેઘાણીનગર, ગોમતીપુર, શાહીબાગ, બહેરામપુરા, આસ્ટોડિયા અને થલતેજ વિસ્તારના છે.

રાજ્યમાં જિલ્લાદીઠ કેસના આંકડા જોઇએ તો, અમદાવાદ-૧૪૩૪, વડોદરા-૨૦૭, સુરત-૩૬૪, રાજકોટ-૪૧, ભાવનગર-૩૨, આણંદ-૨૮, ગાંધીનગર-૧૭, પાટણ-૧૫, ભરૂચ-૨૪, નર્મદા-૧૨, બનાસકાંઠા-૧૫, પંચમહાલ-૧૧, છોટાઉદેપુર-૭, અરવલ્લી-૧૭, મહેસાણા-૭, કચ્છ-૬, બોટાદ-૯, પોરબંદર-૩ , ગીર-સોમનાથ-૩, દાહોદ-૪, ખેડા-૩, મહીસાગર-૩, સાબરકાંઠા-૩, વલસાડ-૩, જામનગર, મોરબી, તાપી, નવસારીમાં ૧-૧ કેસ નોંધાયો છે.

April 21, 2020
Rashtrapati_Bhavan.jpg
1min6620

નવી દિલ્હી ખાતે સૌથી પ્રોટેક્ટેડ ગણાતા ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા એક પરિવારની મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા ભારે અફરાતફરી મચી છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરતા સ્વચ્છતાકર્મીની વહુને કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મહિલા પોતાના પરિવાર સાથે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં જ રહે છે. ઘટનાને પગલે રાષ્ટ્રપતિભવન કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ થોડા દિવસ અગાઉ સ્વચ્છતાકર્મીની માતાનું કોરોનાને પગલે નિધન થયું હતું. વતનમાં તેમના અંતિમ સંસ્કાર વખતે સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારને આઈસોલેશનમાં મોકલી દેવાયો હતો અને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સ્વચ્છતાકર્મીની વહુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.