CIA ALERT

ગુજરાત Archives - Page 152 of 158 - CIA Live

August 22, 2018
narmada.jpg
1min5980

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે.

ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

August 21, 2018
mbbs_1.jpg
1min14710

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.

MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.

ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

 

August 19, 2018
hardik-patel-770x433.jpg
1min6560

હાર્દિક પટેલના આજના એક દિવસના ઉપવાસને રોકવા માટે પોલીસે અંદાજે 140 જેટલા લોકોને અટકાયતમા ંલીધા છે, જેમાં  નિકોલ વસ્ત્રામાંથી 58, રાજકોટથી આવતા 26 કાર્યકરોને ચોટીલા ખાતે તેમજ બોપલ ખાતે હાર્દિકના નિવાસસ્થાને 59 લોકોને અટકાયતમાં લીધા છે. 

પાસના નેતા હાર્દિક પટેલ ફરીથી ગુજરાતમાં હીરો બનવા તરફ છે. રાજ્ય સરકાર પાસ આંદોલનને ટાઢું પાડવામાં નિષ્ફળ નિવડી છે અને ફરી વખત હાર્દિક પટેલ આજે સમગ્ર ગુજરાતના પાટીદારોમાં હીરો બની રહ્યો છે. સોશ્યલ મિડીયામાં સૌથી વધુ ટ્રોલ થઇ રહ્યો છે. ગુજરાત સરકાર સામે લડી લેવાની વાતોએ ફરથી હાર્દિકને કેન્દ્ર સ્થાન અપાવ્યો છે. આજે રવિવારે સવારે નિકોલ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરવા જઇ રહેલા હાર્દિકને તેના ઘર પાસેથી જ અટકાયતમાં લઇને પોલીસે સમગ્ર ગુજરાતમાં ફરીથી પાટીદારોની ઉશ્કેરણી કરી હોય તેવો ઘાટ સર્જાયો છે.

સમગ્ર ઘટના ક્રમ અંગે મળતી માહિતી મુજબ હાર્દિક પટેલે  25મી ઓગસ્ટના આમરણાંત ઉપવાસ પૂર્વે જ સરકાર સામે બાંયો ચઢાવતા આજે તા.19મી ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં પોતાની કારમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તે ઘરેથી નિકળે તે અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિકને ગાડીમાંથી ઉતારીને તેની તેમજ સંખ્યાબંધ સમર્થકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. આ મુદ્દે પાસના કન્વીનર નિખિલ વસાણીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપની સરકાર લુખ્ખાગીરી કરી રહી છે અને બંધારણિય હકોના લીરે લીરા ઉડાડી રહી છે. હવે સરકાર શાનમાં નહીં સમજે તો આના પરિણામો અત્યંત ગંભીર આવી શકે છે તેવી ચિમકી પણ તેણે ઉચ્ચારી હતી.

August 19, 2018
narmada.jpg
1min10230

ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ 113.50 મીટરે પહોંચી છે. છેલ્લા 12 કલાકમાં જળ સપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,02,414 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ત્રણ મીટરનો વધારો થતા અગામી 9 મહિના રાજ્યને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે 111.30 મીટરે પહોંચી છે. સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે 3થી 4 સેન્ટિમીટર વધી રહી હતી. માત્ર 12 કલાકમાં જ જળ સપાટી 32 સેન્ટિમીટર વધી હતી. અગાઉ આ આવક 4થી 5 હજાર ક્યુસેક હતી જે વધીને 6747.0 હજાર ક્યુસેક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદ ન આવવાના એેંધાણને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટશે તેવી શકયતા હતી, પરંતુ મધ્ય પ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાના પગલે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે.

August 16, 2018
bar-council-of-gujarat.jpg
1min7420

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનના ચેરમેન સહિત હોદ્દેદારોની ચૂંટણી આગામી તા 25મી ઑગસ્ટના રોજ યોજાશે.આ ચૂંટણીમાં વિજ્યી બનવા માટે તાજેતરમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલની ગુપ્ત મિટિંગ મળી હતી.જેમાં 25મી ઑગસ્ટના રોજ યોજાનારા ચેરમેન,વાઇસ ચેરમેન સહિતના હોદ્દા માટેની તમામ સત્તાઓ પૂર્વે ચેરમેન અને ભાજપના ક્ધવીનર જે.જે.પટેલને સોંપવામાં આવી હતી.

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.25મી ઑગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવી શક્યતા છે. ભાજપ પ્રેરિત સમરથ પેનલના સભ્યો તા.23મી ઑગસ્ટથી ગુજરાત બહાર જઈને વ્યૂહરચના ઘડનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સભ્યને 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટવા ચેરમેન સહતિની ચૂંટણી બાદ નક્કી કરવામાં આવશે.

છેલ્લા 20 વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનેલ ચૂંટાતી હોવાથી આ વખતે પણ ચૂંટાયેલા સભ્યોની ખાનગીમાં મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા 25 પૈકીના 20 સભ્યો હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લા અથવા વિજય પટેલને મોકલી આપવા માટે તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ગત તા.28મી માર્ચના રોજ યોજાઈ હતી. જે બાદ તેની મતગણતરી 13મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. જો કે, આ પરિણામોને 10 જેટલા ઉમેદવારોએ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યું હતું. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આ ચૂંટણીમાં ભારે ગેરરીતિ થઈ હોવાથી પરિણામ રદ કરવા જોઈએ.

August 14, 2018
drugs.jpg
1min5870

રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ મામલે એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ના માર્ગદર્શન હેઠળ એસઓજી (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) કાર્યવાહી કરશે. તાજેતરમાં ગુજરાતમાં નશાના પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કૉલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

ગુજરાતને નશામુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમ જ નશાબંધીના ભંગ માટેની પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સ્કૂલ અને કૉલેજ કેમ્પસમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવશે. સ્કૂલ-કૉલેજ કેમ્પસને નશામુક્ત કરવાની સાથે સાથે ચેઇન સ્નેચર્સ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સત્તાવાર આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૩થી સતત ગુજરાતમાં ડ્રગ્સની રેડમાં વધારો થઇ રહ્યો છે. જેમાં વર્ષ ૨૦૧૩માં ૬, વર્ષ ૨૦૧૪માં ૭, વર્ષ ૨૦૧૫માં ૬, વર્ષ ૨૦૧૬માં ૯, વર્ષ ૨૦૧૭માં ૧૦ અને ચાલુ વર્ષના છ મહિનામાં જ ૬ રેડ થઇ ચૂકી છે. આ સમગ્ર આંકડા પરથી માલૂમ પડે છે કે, ડ્રગ્સ ગુજરાતના યુવાધનને કઇ રીતે બરબાદ કરી રહ્યું છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ચાલુ કરવામાં આવેલી

ટ્રાફિક ડ્રાઇવ મામલે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યભરમાં આ ટ્રાફિક ઝુંબેશ ચાલુ જ રહેશે. આ માટે અમદાવાદ અને સુરત શહેરમાં એસઆરપીની વધારે કંપનીઓ ફાળવવામાં આવશે. ટ્રાફિક ડ્રાઇવ માટે પોલીસ કમિશનરો અને એસપીને સૂચનાઓ આપવામં આવી છે. સાથે જ તેમણે લોકોને પણ આ ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી.

August 12, 2018
tank.jpg
1min6150

ગુજરાતમાં ચોમાસું હોવા છતાં ઓછા વરસાદને કારણે ઘણી જગ્યાએ પીવાના પાણીની અછત વર્તાઇ રહી છે. હજીયે ઓછા વરસાદ વાળા કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કરો દોડી રહ્યા છે. રાજ્યના 7 જિલ્લાના 20 તાલુકાના 56 ગામો તથા 36 પરાં મળીને 92 ગામ-પરામાં 64 ટેન્કરોના કુલ 234 ફેરા કરીને પીવાનું પાણી પહોચતું થઇ રહ્યું છે. રાજ્યમાં 24મી જૂને ઉનાળાની સિઝનના સૌથી વઘુ 478 ટોન્કરોના 1,978 ફેરા દ્વારા 72 તાલુકાના 1,037 ગામ-પરામાં પીવાનું પાણી અપાયું હતું, તેની તુલનામાં અત્યારે ઘણી હળવી સ્થિતિ છે.

કચ્છ જિલ્લાના 6 તાલુકાના 48 ગામ-પરામાં, સુરેન્દ્રરનગરના 3 તાલુકાના 8 ગાલ-પરામાં, મોરબીના 5 તાલુકાના 13 ગામ-પરામાં, દ્વારકાના 2 તાલુકાના 12 ગામ-પરામાં, બનાસકાંઠાના 2 તાલુકાના 8 ગામ-પરામાં તેમજ જામનગર-ભાવનગરના એક-એક તાલુકામાં અનુક્રમે 2 અને 1 ગામોમાં પીવાનું પાણી ટેન્કરથી અપાઇ રહ્યું છે. આ બઘા ગામોમાં ઘણો ઓછો વરસાદ થયો છે. જો કે હવે પખવાડિયાના અંતરાલ બાદ ગઇકાલ બુધવારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, જેને કારણે ટૂંક સમયમાં જ ટેન્કરોથી પીવાનું પાણી આપવાની કામગીરી મોટાભાગે બંધ થશે, તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ચોમાસાની સિઝનની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટમાં વરસાદ જોવા મળ્યો હતો પણ હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાં મેઘાની મહેર થઇ નથી. આમ વરસાદ નહીં વરસે તો પીવાની સમસ્યા વધુ વકરે તેવા એધાણ છે. કેમ કે, વરસાદ ઓછો પડશે તો અમદાવાદ સહિત મોટા શહેરોમાં પાણીની તંગી સર્જાશે.

August 11, 2018
lalit.jpg
1min6780

ધોરાજીના ભાદર ડેમ માં કેમિકલયુક્ત ગંદુ અને ઝેરી પાણી હોવાના મુદ્દે મામલો ગરમાયો છે. સ્થાનિક ધારાસભ્ય લલિત વસોયાએ અહીં જળ સમાધિ લેવાની ચિમકી ઉચ્ચારતા ભૂખી ગામે આજે સવારથી જ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાદર નદીમાં ઠલવાતા જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમીકલવાળા પ્રદૂષિત પાણી મામલે ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ લોકલડત શરૂ કરી છે. દરમિયાન હાર્દિક પટેલે પણ લલીત વસોયાને સમર્થન આપીને જળસમાધિ લેવાની જાહેરાત કરતા પોલીસ વધુ હરકતમાં આવી હતી અને આજે બન્નેની અટકાયત પણ કરી લેવામાં આવી હતી. લલીત વસોયા ડેમમાં ભૂસકો મારે તે પહેલા જ પોલીસે તેમને જબરદસ્તી કરીને પકડી રાખ્યાના અહેવાલો સ્થળ પરથી મળ્યા હતા.

જળસમાધી પૂર્વે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભા બાદ વસોયા જળ સમાધી લેશે. પરંતુ સભા બાદ લલિત વસોયા સહિતના કોંગ્રેસના કાર્યકરો ડેમ પર જાય તે પહેલા પોલીસે હાર્દિક અને લલિત વસોયાની અટકાયત કરી લીધી છે. જેમાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

લિત વસોયાએ જણાવ્યું હતું કે, ભાદર ડેમ-2માં જેતપુર ડાઈંગ ઉદ્યોગના કલર કેમિકલના પ્રદૂષણ મામલે ભાદરને બચાવવા અભિયાન હાથ ધરાયુ છે. તંત્રએ ભાદર ડેમ-2માં પ્રદૂષણ રોકવા પગલા નહીં ભરતાં હું આજે જળ સમાધી લેવાનો છું. ભાદર ડેમ-2માં હું ઠેકડો મારીને રહીશ. આદોલનને હાર્દિક પટેલ ઉપરાંત અન્ય ધારાસભ્યોનું સમર્થન મળી રહ્યું છે. તેઓએ ટેકો જાહેર કર્યો છે.

આ કાર્યક્રમ લોકલડતમાં ટેકો આપવા માટે કોંગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, પરસોતમભાઇ સાબરીયા, હર્ષદ રીબડીયા, બ્રિજેશ મેરજા, ચિરાગભાઈ કાલરીયા, પ્રવીણભાઈ મૂછડિયા, જે.વી.કાકડિયા, પ્રતાપ દુધાત, ભીખાભાઈ જોષી, બાબુભાઈ સહિતના ધારાસભ્યો અને અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે.

August 11, 2018
guj.jpg
1min15810

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનથી વ્યાપક નુકસાન વેઠનારી ભાજપની સરકારે ગત વિધાનસભાની ચૂંટણી પહેલા બિનઅનામત વર્ગ કે સવર્ણો માટે અલગ આયોગની રચના સહિતની સમાધાનકારી યોજનાઓ અમલમાં મૂક્યા બાદ હવે જ્યારે પાસના નેતા હાર્દિક પટેલે આગામી 26મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસનું એલાન આપ્યું છે ત્યારે ભાજપ સરકારે આજે શુક્રવારે બિનઅનામત વર્ગની 50થી વધુ જ્ઞાતિઓ માટે જુદી જુદી પાંચ યોજનાઓની જાહેરાત કરી છે.

 

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરતા કહ્યું હતું કે, બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ અને સમાજના એવા વર્ગને થશે જેઓને અનામતનો લાભ નથી મળતો. આ યોજનાથી અનામત મેળવતા વર્ગને કોઇ નુકસાન થશે નહીં. રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવાસિયક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુવેર્દિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપીસ વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી તે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીએ ધોરણ 10માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ, વ્યાજનો દર વાર્ષિક 4 ટકા લેખે સાદું વ્યાજ, તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ. અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઇએ. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ 12 પછી એમબીબીએસ માટે , ડિપ્લોમા પછી ડીગ્રી માટે, સ્નાતક પછી અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેક્નિકલ પેસમેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે. અરજદારે ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. આ લોન વાર્ષિક 4 ટકાના લેખે સાદું વ્યાજ આપવામાં આવશે. કુટુંબની વાર્ષિક આવકમર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવા જોઇએ.

August 8, 2018
spa_rajkot.jpg
1min8210
રાજકોટમાં ગત રવિવાર તા.5મી ઓગસ્ટના રોજ રાજકોટ પોલીસે થાઇ મસાજ, સ્પા સેન્ટર્સ પર રેઇડ કરીને અંદાજે 45 જેટલી વિદેશી વર્કર્સ મોટે ભાગે થાઇલેન્ડની યુવતિઓને ઝડપી પાડી હતી. તેમની સામે ઇમિગ્રેશન કાયદાના ભંગ બદલની કાર્યવાહી કરવામાં આવી હતી. તેઓ ટુરીસ્ટસ તરીકે ભારત, રાજકોટ આવીને અહીં કમાણી કરી રહી હતી. આ યુવતિઓના જ્યારે પાસપોર્ટ ચેક કરાવવામાં આવ્યા ત્યારે એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી કે એવા રાજકોટવાસીઓને આંચકો લાગશે કે જેમણે આ યુવતિઓને યુવતિ સમજીને તેમના હાથે બોડી મસાજની મજા માણી હશે. ખરેખર 45 યુવતિઓ પૈકી 6 તો ભાયડા એટલે કે પુરુષ નીકળ્યા હતા. તેમના પાસપોર્ટના વેરિફિકેશન દરમિયાન આ વિગત બહાર આવી હતી. સ્વરૂપવાન યુવતિ તરીકેની પર્સનાલિટી ધરાવતા 6 યુવકો હતા અને તેમણે થાઇલેન્ડમાં સેક્સ ચેન્જ કરાવીને યુવક બન્યા હતા.
સારું છે કે એ છ પાત્રના ચહેરા કે નામ કે એમના ‘કામ’નું સ્થળ પોલીસ જાહેર નથી કરતી, નહિતર કદાચ રાજકોટના અનેક શોખીનોને એ જોઈ-જાણીને આઘાત લાગ્યો હોત કે પોતે જેની પાસે ‘હોંલે હોંલે’ હળવે હાથે બોડી મસાજ કરાવી આવ્યા એ યુવતીઓ ખરેખર તો ભડભાદર જુવાનિયા છે!
રાજકોટ પોલીસે રાજકોટમાં બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટરોમાં એવી તપાસ હાથ ધરી હતી કે સ્પા સંચાલકો પાસે લાયસન્સ છે કે કેમ, જે યુવતીઓ કામ કરે છે તેની સાથે કરાર થયા છે કે કેમ, પોલીસ વેરિફીકેશન કરાવ્યું છે કે નહીં એ તમામ મુદ્દે તપાસ કરતાં 12 સ્પા સેન્ટરમાંથી 41 યુવતીઓ એવી મળી આવી જે અહીં ટૂરિસ્ટ વિઝાની આડમાં આવી હતી અને પછી રોકાઈ ગઈ હતી.
આમાંથી 41 યુવતી થાઈલેન્ડની, 3 રશિયન અને એક કઝાકિસ્તાનની છે. આ પ્રકારે ટુરીસ્ટ તરીકે આવીને અર્થોપાર્જન કરી રહેલી યુવતિઓને ડિપોર્ટ કરવા નિર્ણય લેવાયો અને તે માટેની ઘણીખરી કામગીરી પૂરી થઈ ગઈ છે. દરમિયાન યુવતિઓના પાસપોર્ટ વેરિફીકેશનની ઔપચારિકતા આદરી ત્યારે પોલીસને માલૂમ પડ્યું કે 41માંથી 6 ગર્લ્સ ખરેખર બોયઝ છે અને લીંગ પરિવર્તન કરાવીને છોકરી બન્યા છે !