CIA ALERT

ગુજરાત Archives - Page 151 of 158 - CIA Live

September 4, 2018
kerosene.jpg
1min6710

ફક્ત બીપીએલ કાર્ડ ધારકોને મળશે, એપીએલ કાર્ડ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરાતા અનેક પરિવારો મુશ્કેલીમાં

ગરીબ પરિવારોને વર્ષોથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અપાતા પ્રાથમિક ઇંધણ કેરોસીન પર શનિવાર, તા.2 સપ્ટેમ્બર 2018થી રાજ્ય સરકારે પ્રતિબંધ મુકયો છે. કેરોસીન બંધ થઇ જતા લાખો ગરીબ પરિવારોને ભારે મુશ્કેલી સર્જાશે. ચોમાસાની સિઝનમાં કેરોસીન પર આશરો રાખી પ્રાયમસ પર રસોઇ બનાવી રાંધેલું અનાજ ખાતા ગરીબ પરિવારો મુશ્કેલીગ્રસ્ત બની ચૂક્યા છે.

ગુજરાત સરકારે પુરવઠા ખાતેની ચેનલ મારફતે કેરોસીન વિતરણ પર પાછલા ઘણાં વર્ષોથી સતત કાપ મુકવાનું શરૂ કર્યું હતું અને આખરે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતમાં જ્યારે પુરવઠા ચેનલ મારફતે રેશનિંગથી કેરોસીન વિતરણ શરૂ કરાયું હતું ત્યારે પ્રતિ લિટરના રૂ. 0.15 પૈસા દરથી શરૂ થયેલું કેરોસીન છેલ્લે 27 રૂપિયાને 10 પૈસા ભાવે મળતું હતુ. જે પણ હવે બંધ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે એપીએલ કાર્ડ ધારકોનું કેરોસીન બંધ કરાયું છે. બીપીએલ અને અંત્યોદર ધારકોને કેરોસીન મળશે જે પણ થોડા સમય પછી બંધ કરી દેવામાં આવે એમ જણાય છે.

શરૂઆતમાં કાર્ડ વિના અમર્યાદીત પ્રમાણમાં લોકોને કેરોસીન આપવામાં આવતું હતુ. બાદમાં કાર્ડની શરૂઆત થતા કાર્ડ દીઠ 18 લિટર કેરોસીન આપવામાં આવતું હતું સમયાંતરે બીપીએલ અને અંત્યોદર કાર્ડ આવતા કેરોસીનમાં કાપ મુકવાની શરૂઆત કરી દેવાઇ હતી.

જેમાં છેલ્લે બીપીએલ અને અંત્યોદર ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દિઠ 8 લિટર કેરોસીન અપાતુ હતું. જયારે એપીએલ કાર્ડ ધારકોને વ્યકિત દીઠ 2 લિટર અને કાર્ડ દીઠ 4 લિટર કેરોસીન મળતું હતું. જોકે 1લી સપ્ટેમ્બરથી એપીએલ ધારકોને કેરોસીન આપવાનુ બંધ કરવામાં આવ્યું છે. એકલા અમદાવાદમા જ 2 લાખથી વધુ એપીએલ કાર્ડધારકો છે. ત્યારે આખા રાજ્યમાં લાખો કુંટુબોને મળવાપાત્ર કેરોસીન હવેથી બંધ થઇ જશે.

September 3, 2018
mundan.jpg
1min7170

પાટીદાર ભાઈઓ અને મહિલાઓ પણ હાર્દિકના સમર્થનમાં બહાર આવ્યા છે. અરવલ્લી જિલ્લાના છાપરિયા ગામના 50થી વધુ યુવાનોએ માથે મુંડન કરાવ્યું હતું. પોતાના વાળ હાર્દિક માટે ત્યાગ કરી તેને સમર્થન આપ્યું હતું. જ્યારે આ ગામની 200થી વધુ મહિલાઓ પણ એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠી હતી અને રામધૂન બોલાવી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસને 10 દિવસ થઈ ગયા છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પાટીદારો હાર્દિકના સમર્થનમાં ઉતર્યા છે. પાટીદારો અને ખેડૂતો  આ‌વેદનપત્ર આપવા ઉપરાંત ઉપવાસ સહિત વિવિધ કાર્યક્રમોથી હાર્દિકને સમર્થન કરી રહ્યા છે.

 

August 28, 2018
narmada.jpg
1min4490

ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ

 

રાજયના કુલ 203 જળાશયોમાં હાલ 275018 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 49.41 ટકા જેટલો થાય છે.

 

સરદાર સરોવર ડેમમાં 171409 એમ.સી.એફ.ટી જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 51.31 ટકા જેટલો થાય છે. સરદાર સરોવરની જળ સપાટી આજે 119.55 મીટર પર નોંધાઈ હતી.

રાજ્યના અન્ય જળાશયોમાં પાણીનો સંગ્રહ પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમા 33.11 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 78.24 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમા 48.06 ટકા, કચ્છના 20 જળાશયોમા 12.59 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમા 44.52 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 70.29 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રિજિયનમાં 25.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 38.62 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.99 ટકા, સૌરાષ્ટ્રમાં 69.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 90.85 ટકા જેટલો સરેરાશ વરસ્યો છે ખેતીવાડી વિભાગનાં આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 85.67 લાખ હેક્ટર સરેરાશ વાવેતર વિસ્તારમાં 20 ઑગસ્ટનાં સ્થિતિએ 85.95 ટકા વાવેતર થઈ ગયું છે. રાજ્યમાં ખેડૂતોએ મુખ્યત્વે ડાંગર, બાજરા, મકાઇ, તુવેર, અડદ, મગફળી, સોયાબીન, કપાસ અને શાકભાજીનું વાવેતર કર્યુ છે. કપાસનાં કુલ વાવેતર વિસ્તારની સરખામણીએ આ વર્ષે 103 ટકા વાવેતર થયું છે, જ્યારે મગફળીના કુલ વાવેતર વિસ્તારની સરખામણીમાં 97 ટકા જેટલુ વાવેતર થયુ છે.

August 27, 2018
insurance-fraud.jpg
1min7360

ખાનગી વીમા કંપનીમાં પૉલિસી ધારક હયાત ન હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને રૂ.૧૯.૫૦ લાખનો વીમો પકવવાનો પ્રયાસ કરવા બદલ સીઆઈડી ક્રાઈમે બે મહિલા સહિત ત્રણ જણાની ધરપકડ કર છે.

પ્રાઈવેટ ઇન્સ્યુરન્સ કંપનીઓમાં મૃતકના નામે બોગસ વીમા મેળવવા કૌભાંડ છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં ચાલી રહ્યુ હતું. અનેક મૃતકોના ખોટા દસ્તાવેજો રજૂ કરીને વીમાની રકમ મેળવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીમાં રાહુલ કાળુભાઈ પગીના નામે રૂ.૧૯.૫૦ લાખનો વીમો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ૩૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ ઉતાર્યો હતો. જેમાં નોમીની તરીકે રાહુલની માતા ડામોરને દર્શાવી હતી. પછી તા. ૫મી ઓકટોબર ૨૦૧૫ના રોજ રાહુલ પગીનું મૃત્યુ થયુ હોવાનું જણાવીને વીમો મેળવવા માટે ચૂંટણીકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ,બેકનો કોરો ચેક, તથા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની ગ્રામ પંચાયતમાંથી મરણ સર્ટિફિકેટ મેળવીને રજૂ કર્યું હતું. પાંચ માસમાં રાહુલના મૃત્યુ નીપજવા અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીને શંકા જતા તેમને તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે, વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર સાથે મેળાપીપણામાં બોગસ વીમો ઉતારીને ૧૯.૫૦ લાખ વીમો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીએ સીઆઈડી ક્રાઈમને જાણ કરી હતી.

સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર,વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમાર અને રાહુલની માતા મનીષાબેન ડામોર સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

August 25, 2018
hardik-patel-770x433.jpg
1min14190

આજે તા.25મી ઓગસ્ટ 2018થી પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અનશન શરૂ કરે તે પહેલા જ પોલીસે સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાંથી હજારો પાટીદારોને અટકાયતીના પગલા રૂપે નજરકેદ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. બીજી તરફ હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાને ઉપવાસ કરવા માટે મક્કમ છે અને જો ભવિષ્યમાં તેની કોઇકને કોઇક કેસમાં ધરપકડ થાય તો જેલમાંથી ભૂખ હડતાળ જારી રાખવાની જાહેરાત કરી ચૂક્યો છે.

બીજી તરફ હાર્દિકના ઘર તરફના માર્ગો પર બેસુમાર પોલીસ ખડકી દેવામાં આવી હોવાના ફોટો પણ સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યા છે. શનિવારે સવારે હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે તે કોઇપણ સંજોગોમાં પોતાના ઉપવાસ ચાલુ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓ પણ હાર્દિક પટેલના ઘરે પહોંચ્યા છે. આ નેતામાં લલિત કથગરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો સમાવેશ છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના અનશનને લઇને સમગ્ર ગુજરાતમાં ઉતેજનાપૂર્ણ માહોલ સર્જાયો છે. આજે હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવા માટે નીકળેલા પાટીદાર યુવકોને પોલીસે માર્ગમાં જ શોધી-શોધીને અટકાયતમાં લીધા હોવાના બિનસત્તાવાર સમાચારો સાંપડ્યા છે. ચોટીલા, ઉત્તર ગુજરાત, પંચમહાલ વગેરે વિસ્તારોમાંથી હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ શોધી શોધીને અટકાયતમાં લઇ રહી છે. ટૂંકમાં હાર્દિક પટેલના અનશન પર સમગ્ર ગુજરાતની શાંતિનો આધાર જણાય રહ્યો છે.

પોલીસ તંત્ર દ્વારા પાસ સમર્થકોને હાર્દિકના સમર્થનમાં જતાં રોકવા માટે સૌરાષ્ટ્રભરમાં પાસના કન્વીનરો, સહકન્વીનરો વગેરેને નજર કેદ કરવાનો દોર શુક્રવાર તા.24 ઓગસ્ટ 2018થી જ શરૂ થઇ ગયો હતો. પાસના કાર્યકરો દ્વારા હાર્દિક સુધી પહોંચવા ગેરિલા પધ્ધતિ અપનાવવામાં આવે તેવા નિર્દશો મળે છે. અંદાજે એકાદ હજાર સૌરાષ્ટ્રીયન પાટીદાર તો અમદાવાદ પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે. રક્ષાબંધનને દિવસે હાર્દિકને રાખડી બાંધવા ર૦૦ જેટલી પાટીદાર બહેનો સૌરાષ્ટ્રમાંથી હાર્દિકને રાખડી બાંધવા પહોંચશે.

પાસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં ગુજરાતભરમાથી પાસના કાર્યકરો સમર્થનમાં ઉમટી પડવા હાકલ થતાં જ સૌરાષ્ટ્રના ગામે ગામથી પાસના કાર્યકરોની ફોજે કેસરિયા કર્યા છે. સેંકડો કાર્યકરોએ  અમદાવાદ પહોંચવા તેમના નામ નોંધાવી દીધા છે. પોલીસ છૈલ્લી ઘડીએ અટકાયતી પગલા લેશે એવી દહેશત સાથે જ પાસના વ્યુહ મુજબ સૌરાષ્ટ્રના અંદાજે એક હજાર  જેટલા કાર્યકરો તો અમદાવાદ અને અમદાવાદની આસપાસ પોહંચી પણ ગયા હોવાનું જાણવા મળે છે.

August 22, 2018
narmada.jpg
1min5860

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ગયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી ૧૧૫.૫ મીટર પર પહોંચી ગઈ છે. અને નર્મદા ડેમમાં ૩૦ હજાર ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે.

ગુજરાતને સિંચાઈ અને પીવા માટે એક વર્ષ સુધી ચાલે તેટલા પાણીનો સંગ્રહ નર્મદા ડેમમાં થઈ ગયો છે. નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ નર્મદા ડેમમાં ૫૦૦.૫૬ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

August 21, 2018
mbbs_1.jpg
1min14620

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.

MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.

ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.

 

August 19, 2018
hardik-patel-770x433.jpg
1min6490

હાર્દિક પટેલના આજના એક દિવસના ઉપવાસને રોકવા માટે પોલીસે અંદાજે 140 જેટલા લોકોને અટકાયતમા ંલીધા છે, જેમાં  નિકોલ વસ્ત્રામાંથી 58, રાજકોટથી આવતા 26 કાર્યકરોને ચોટીલા ખાતે તેમજ બોપલ ખાતે હાર્દિકના નિવાસસ્થાને 59 લોકોને અટકાયતમાં લીધા છે. 

પાસના નેતા હાર્દિક પટેલ ફરીથી ગુજરાતમાં હીરો બનવા તરફ છે. રાજ્ય સરકાર પાસ આંદોલનને ટાઢું પાડવામાં નિષ્ફળ નિવડી છે અને ફરી વખત હાર્દિક પટેલ આજે સમગ્ર ગુજરાતના પાટીદારોમાં હીરો બની રહ્યો છે. સોશ્યલ મિડીયામાં સૌથી વધુ ટ્રોલ થઇ રહ્યો છે. ગુજરાત સરકાર સામે લડી લેવાની વાતોએ ફરથી હાર્દિકને કેન્દ્ર સ્થાન અપાવ્યો છે. આજે રવિવારે સવારે નિકોલ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરવા જઇ રહેલા હાર્દિકને તેના ઘર પાસેથી જ અટકાયતમાં લઇને પોલીસે સમગ્ર ગુજરાતમાં ફરીથી પાટીદારોની ઉશ્કેરણી કરી હોય તેવો ઘાટ સર્જાયો છે.

સમગ્ર ઘટના ક્રમ અંગે મળતી માહિતી મુજબ હાર્દિક પટેલે  25મી ઓગસ્ટના આમરણાંત ઉપવાસ પૂર્વે જ સરકાર સામે બાંયો ચઢાવતા આજે તા.19મી ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં પોતાની કારમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તે ઘરેથી નિકળે તે અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિકને ગાડીમાંથી ઉતારીને તેની તેમજ સંખ્યાબંધ સમર્થકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. આ મુદ્દે પાસના કન્વીનર નિખિલ વસાણીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપની સરકાર લુખ્ખાગીરી કરી રહી છે અને બંધારણિય હકોના લીરે લીરા ઉડાડી રહી છે. હવે સરકાર શાનમાં નહીં સમજે તો આના પરિણામો અત્યંત ગંભીર આવી શકે છે તેવી ચિમકી પણ તેણે ઉચ્ચારી હતી.

August 19, 2018
narmada.jpg
1min10160

ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ 113.50 મીટરે પહોંચી છે. છેલ્લા 12 કલાકમાં જળ સપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,02,414 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ત્રણ મીટરનો વધારો થતા અગામી 9 મહિના રાજ્યને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે 111.30 મીટરે પહોંચી છે. સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે 3થી 4 સેન્ટિમીટર વધી રહી હતી. માત્ર 12 કલાકમાં જ જળ સપાટી 32 સેન્ટિમીટર વધી હતી. અગાઉ આ આવક 4થી 5 હજાર ક્યુસેક હતી જે વધીને 6747.0 હજાર ક્યુસેક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદ ન આવવાના એેંધાણને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટશે તેવી શકયતા હતી, પરંતુ મધ્ય પ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાના પગલે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે.

August 16, 2018
bar-council-of-gujarat.jpg
1min7290

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનના ચેરમેન સહિત હોદ્દેદારોની ચૂંટણી આગામી તા 25મી ઑગસ્ટના રોજ યોજાશે.આ ચૂંટણીમાં વિજ્યી બનવા માટે તાજેતરમાં ભાજપ પ્રેરિત સમરસ પેનલની ગુપ્ત મિટિંગ મળી હતી.જેમાં 25મી ઑગસ્ટના રોજ યોજાનારા ચેરમેન,વાઇસ ચેરમેન સહિતના હોદ્દા માટેની તમામ સત્તાઓ પૂર્વે ચેરમેન અને ભાજપના ક્ધવીનર જે.જે.પટેલને સોંપવામાં આવી હતી.

 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન સહિત હોદ્દેદારોની તા.25મી ઑગસ્ટના રોજ યોજાનારી ચૂંટણી ભારે રસાકસી ભરી બને એવી શક્યતા છે. ભાજપ પ્રેરિત સમરથ પેનલના સભ્યો તા.23મી ઑગસ્ટથી ગુજરાત બહાર જઈને વ્યૂહરચના ઘડનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સભ્યને 9મી સપ્ટેમ્બરના રોજ ચૂંટવા ચેરમેન સહતિની ચૂંટણી બાદ નક્કી કરવામાં આવશે.

છેલ્લા 20 વર્ષથી ભાજપ પ્રેરિત સમરસ પેનેલ ચૂંટાતી હોવાથી આ વખતે પણ ચૂંટાયેલા સભ્યોની ખાનગીમાં મિટિંગ રાખવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા 25 પૈકીના 20 સભ્યો હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સિનિયર સભ્ય અનિલ સી. કેલ્લા અથવા વિજય પટેલને મોકલી આપવા માટે તખતો ગોઠવવામાં આવી રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ગત તા.28મી માર્ચના રોજ યોજાઈ હતી. જે બાદ તેની મતગણતરી 13મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. જો કે, આ પરિણામોને 10 જેટલા ઉમેદવારોએ ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યું હતું. જેમાં એવી રજૂઆત કરી હતી કે, આ ચૂંટણીમાં ભારે ગેરરીતિ થઈ હોવાથી પરિણામ રદ કરવા જોઈએ.