CIA ALERT

ગુજરાત Archives - Page 153 of 158 - CIA Live

July 17, 2018
rai1.jpg
1min5790

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં રહી રહીને પડેલા ભારે વરસાદને પગલે જનજીવન તેમજ જાનમાલને ભારે નુકસાની થઇ છે. કમસે કમ 29 વ્યક્તિઓના મોત વરસાદી હોનારતોને કારણે થયા હોવાનું જાણવા મળે છે. 110 પશુઓના પણ મોત વરસાદી ઘટનાઓને પગલે થયા હોવાની વિગતો સરકારી યાદીમાં જણાવવામાં આવી છે.

Godhara: Residents wade through flood water after heavy rains in Godhara, Gujarat on Monday. PTI Photo (PTI7_4_2016_000213B)

રાજ્યમાં દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 10 દિવસમાં પડેલા અતિભારે વરસાદને પગલે કુલ 5 સ્ટેટ હાઇવે સમેત 126 મુખ્ય માર્ગો બંધ થઇ જવા પામ્યા છે. ક્યાં તો પાણી ભરાવાના કારણે અગર તો બિસ્માર બની જવાના કારણે રસ્તાઓની હાલત બિસ્માર બની છે. લાખો લોકોનું સામાન્ય જનજીવન ત્રણથી પાંચ દિવસ માટે ખોરવાય જવા પામ્યું હતું.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં વરસાદને કારણે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયા છે. તો અત્યાર સુધી વરસાદને કારણે કુલ 110 પશુઓનાં પણ મોત થયા છે. વરસાદને કારણે પાંચ સ્ટેટ હાઇવે સહિત 124 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજ્યમાં પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમને તહેનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. ઓપરેશન સેન્ટર ગાંધીનગરના જણાવ્યા મુજબ સોમવારે સવારે 8 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 31 જિલ્લાના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગરના જેસરમાં 9 ઇંચ નોંધાયો છે. જ્યારે કામરેજ, ગણદેવી, ઓલપાડ, કપરાડામાં સાત-સાત ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરગામ, ચીખલી અને સુરત શહેરમાં છ-છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે પારડી, ભાવનગર, વાંસદા, બારડોલીમાં પાંચ-પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 48 તાલુકાઓમાં બે થી નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

July 14, 2018
rajkot1.jpg
1min8880

દક્ષિણ ગુજરાતમાં નદી-નાળા છલકાવ્યા બાદ મેઘરાજાએ શુક્રવારે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ તથા અમરેલી સહિત જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવતા જૂનાગઢના વિલિંગ્ડન સહિતના મોટા ભાગના ડેમ છલકાયા હતા. તેમ જ અમરેલીનો ધારવાડી ડેમ પણ છલકાયો હતો. બીજી બાજુ રાજકોટમાં આજી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૫૭ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ ડાંગના વઘઇમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકામાં ૪થી ૮ ઇંચ સુધીનો વરસાદ તેમ જ ૩૩ તાલુકામાં ૨થી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ૯૫ તાલુકામાં ૧થી ૨ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા વરસાદ વરસ્યો છે. જોકે હજુ પણ રાજ્યના ૫ાંચ તાલુકા વરસાદવિહોણાં રહ્યા હતા.

ગુરુવાર બાદ શુક્રવારે સવારથી જ સૌરાષ્ટ્રને મેઘરાજાએ ધમરોળ્યું હતું. વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢમાં ફરી વધુ ૩ ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. તેમ જ વિલિંગ્ડન ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જૂનાગઢમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત્ રહી છે. જૂનાગઢમાં રાતે ધોધમાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢમાં બીજા દિવસે ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. ગિરનાર જંગલમાં વરસાદ પડતાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા વિલિંગ્ડન ડેમમાં ૪ ફૂટ પાણી આવ્યું હતું, પરંતુ રાતે પડેલા ભારે વરસાદના કારણે સવાર સુધીમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત માળિયામાં સવારે ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડી ગયો હતો. વિસાવદર, ભેંસાણમાં ૨ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમ જ કોડીનાર ૮ ઇંચ, ગણદેવી ૭.૧૩ ઇંચ, ચિખલી ૭.૮ ઇંચ, વડિયા ૭.૪ ઇંચ, વાંસદા ૬.૧૪ ઇંચ, બગસરા ૬.૯ ઇંચ, જલાલપોર અને ખેરગામ ૬.૯ ઇંચ ખાબક્યો છે.

ગુરુવારે મોડી રાત્રે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્તા રાજકોટમાં આવેલી આજી નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે રાજકોટમાં રામનાથ મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. રાજકોટ ઉપરાંત તેની આસપાસ ગોંડલ, જેતપુરમાં પણ ભારે વરસાદ છે. મોતીસર ડેમમાં નવા પાણીની આવક સાથે ડેમ ઓવરફલો થયો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં બે ડેમમાં પાણીની આવક થતા ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. ભાડવા, ભાડુઇ, દેવળીયા ગામમાં વરસાદથી ગોંડલી ડેમમાં નવા નીર આવ્યા છે. રાજપરા, નારણકા, નવાગામમાં વરસાદથી વાછપરી ડેમ પણ છલકાયો છે.

રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જેને પગલે રાજ્યનાં ૧૦૦ ગામો સંપર્કવિહોણા થઈ ગયાં છે. અત્યાર સુધી વરસાદથી કુલ ૨૨ના મોત થયાં છે. અત્યાર સુધીમાં ૧૧૮૩ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮૮થી વધુ પશુઓનાં મોત થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં ૧ નેશનલ અને નવસારી-ડાંગમાં ત્રણ સ્ટેટ હાઈ-વે સહિત રાજ્યના ૧૫૪ માર્ગ વાહનવ્યવહાર માટે બંધ છે. સૌરાષ્ટ્રના ૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બચાવ કામગીરીમાં કુલ ૧૫ ટીમ કાર્યરત છે. જ્યારે વડોદરા ખાતે ૪ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય છે.

July 12, 2018
bullet-1280x720.jpg
1min6000

મુંબઇ-અમદાવાદ વચ્ચેનો હાઇસ્પીડ રેલ પ્રોજેકટ- બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગુજરાતમાં આવતાં મોટા ભાગના 175 ગામો કે તે વિસ્તારોએ જમીન સંપાદન અંગે મંજુરી આપી છે. જયારે 21 ગામોની જમીનના ભાવ અંગેનો મુદ્દો વાટાઘાટથી કે કોઇની નારાજગી વિના ઉકેલવામાં આવશે તેમ રાજયના મહેસુલ પ્રધાન કૌશીક પટેલે જણાવ્યું હતું.

રાજય સરકારના જણાવ્યા અનુસાર અમદાવાદ–મુંબઇ બુલેટ ટ્રેનના 508 કિમીના રૂટ માટે 676 હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. આ રૂટ 8 જિલ્લાના 196 ગામોમાંથી પસાર થાય છે જે પૈકીના 170 ગામોનું જમીન સંપાદન જાહેરનામું સેકશન 11 અંતર્ગત સ્થાનિક સ્તરે પ્રસિદ્ધ થઇ ચુકયુ છે, જે મોટી બાબત છે. અને હવે તેમાં 21 ગામોની રજુઆત સરકારને મળી છે, તે ભાવ બાબતે છે. જેમાં કયાંક વધુ ઉંચા ભાવની માંગ જમીન ધરાવનાર કરી રહ્યાં છે.

રાજયના બુલેટ ટ્રેનના રુટમાં આવતાં 170 ગામોમાં જમીન સંપાદન કામગીરી માટેના જાહેરનામા બહાર પડયા છે. 21 ગામોના જમીનધારકોની માંગ અંગે અમારો હકારાત્મક અભિગમ છે. અમે આ લોકોને બજાર ભાવ મુજબ વળતર આપીશું. આ ઉપરાંત જે પણ વાંધાઓ હોય તેને ચર્ચા કરીને ઉકેલાવાની દિશામાં પણ અમે આગળ વધ્યા છે અને રાજયના મુખ્યપ્રધાને ખાતરી આપી છે કે કોઇ પણ ખેડુત કે ને નારાજ નહીં કરીએ તમામને સાંભળવામાં આવશે.

હાલના ગુજરાતનો સુધારેલો જમીન સંપાદન કાયદો- 2016 કે જેમાં શહેરી વિસ્તારમાં જંત્રી કરતાં બે ગણી અને ગ્રામ્યમાં 4 ગણું વળતર અથવા બજારભાવ બે માંથી જે વધુ હોય તે આપવાની જોગવાઇ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જે અગાઉ સુધારો કર્યો હતો ત્યાર બાદ રાજય સરકારે વળતર આપવા નવો કાયદો લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેઓ જમીન સંપાદનની પ્રપોઝલ સ્વેચ્છાએ આપે તેને 0.25 ટકા વધુ રકમ આપવાની એટલે 4.25 ગણું વળતર આપવાની પણ જોગવાઇ છે.

રાજયમાં કોઇનો વિરોધ બુલેટ ટ્રેન પ્રોજેકટ સામે નથી. મુદ્દો ભાવ અને વળતર બાબતે છે, જેને સ્થાનિક સ્તેરે વાટાઘાટ કરીને ઉકેલ લાવીશું. રાજયમાં જે આઠ જિલ્લાઓમાંથી બુલેટ ટ્રેન પસાર થાય છે, તેમાં અમદાવાદ, ખેડા આણંદ વડોદરા, સુરત, નવસારી, ભરુચ, વલસાડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં આ પ્રોજેકટ મોટા ભાગે જમીન પર સાકાર થશે જયારે મહારાષ્ટ્રમાં દરિયા કિનારો આવતો હોઇ કયાંક એલીવીટેડ રુટનો સમાવેશ થાય છે.

July 4, 2018
kuvar1.jpg
1min16120

ગુજરાત વિધાનસભામાં ૧૮૨નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. વિધાનસભામાં ૧૮૨ ધારાસભ્યો ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી વિધાનસભામાં ૧૮૨નો આંકડો યથાવત રહેતો નથી. ગુજરાતમાં ૧૪મી વિધાનસભા ફરીવાર ખંડિત થઈ છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ રાજીનામું આપતા વિધાનસભ્યનો આંક ૧૮૧ થઈ ગયો છે. કુંવરજીના કારણે બીજી વાર વિધાનસભા ખંડિત થઈ છે.

આ પહેલા ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ કુંવરજીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા વિધાનસભા ખંડિત થઈ હતી.

ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો છે, પરંતુ ભૂતકાળમાં એવા ઘણા બનાવો બન્યા છે, જેમાં કોઈ ધારાસભ્યએ રાજીનામું આપવાથી અથવા તો કોઇ ધારાસભ્યના નિધનને કારણે ૧૮૨નો આંકડો ખંડિત થઈ ચૂક્યો છે.૨૦૦૪થી વિધાનસભા ખંડિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.

July 3, 2018
kuvar3.jpg
1min14250

ગુજરાત કોંગ્રેસના  િદગ્ગજ નેતા,  સૌરાષ્ટ્રના આગેવાન ગણાતા કુંવરજી બાવળિયાએ આજે લાંબા સમયની અટકળોને સાચી પાડતા કોંગ્રેસને ત્યાગપત્ર આપી દીધું છે. આજે ને આજે જ તેઓ ભાજપમાં જોડાઇ જશે. કુંવરજી બાવળિયાને રાજ્ય સરકારમાં તરત જ મંત્રી પદું આપી દેવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવાય રહી છે.

લાંબા સમયથી કોંગ્રેસની ટોચની નેતાગીરીથી નારાજ ચાલી રહેલા ધારાસભ્ય અને પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બાવળિયાએ મંગળવારે સવારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ ગાંધીનગર ખાતે સીએમ નિવાસ સ્થાને વિજય રૂપાણીને મળવા માટે પહોંચ્યા હતા.

કોંગ્રેસમાંથી નારાજ બાવળિયા ભાજપના હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત વાઘાણી સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાને કેબિનેટ કક્ષાનો પોર્ટફોલિયો સોંપાઈ શકે છે. પાણી પુરવઠા અને શિક્ષણમાંથી કોઈ એક ખાતાની જવાબદારી તેમને સોંપવામાં આવી શકે છે.

June 29, 2018
1min9770

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં દસ-દસ વર્ષથી સંતાન સુખ માટે મથતાં દંપતીને કુદરતે એકસાથે ચાર-ચાર બાળક અવતર્યા છે.
ગાંધીધામમાં રહેતાં ક્રિષ્નાબેન દિપકભાઈ ભાનુશાલીની કૂખે એકસાથે ચાર સંતાનો જન્મ્યાં છે. ક્રિષ્નાબેન અને દિપકભાઈના ઘેર લગ્ન થયા બાદ દસ વર્ષથી પારણું બંધાયું નહોતું. પરંતુ આખરે તેમણે ભુજ અને ગાંધીધામમાં પ્રેક્ટિસ કરતાં ડોક્ટર પાસે સારવાર લેવાનું શરૂ કર્યું હતું.એક બાળકની ઝંખના હતી તેમના પર કુદરતની મહેરબાનીએ ચાર બાળકની ભેટ આપી દીધી.

 

ગાંધીધામના નર્સિંગ હોમમાં ગાયનેકોલોજીસ્ટ્સ, પેડીયાટ્રીશ્યન્સ અને એનેસ્થેટીસ્ટ સહિતના આઠ તબીબોની ટુકડીએ ક્રિષ્નાબેનની ડિલિવરી કરાવી હતી. જન્મેલાં ચાર બાળકોમાં બે દીકરા છે અને બે દીકરી છે. ચારેય બાળકો તંદુરસ્ત છે પણ તબીબી કારણોસર તેમને ઈન્ક્યુબેટર (કાચની પેટી)માં રખાયાં છે. માતાની તબિયત પણ એકદમ બરાબર હોવાનું જાણવા મળ્યું છે. ક્રિષ્નાબેનની સારવાર અને ડિલિવરી કરાવનારા ડૉ. નરેશ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સ્ત્રીબીજ અને પુરુષબીજના ફલિનીકરણ વખતે જો તેમાં વિભાજન થઈ જતું હોય તો જોડિયાં બાળકો જન્મતાં હોય છે. અલબત્ત, એકસાથે ચાર બાળકો જન્મવાનો કિસ્સો વીસ લાખ ડિલિવરીએ માંડ એકાદવાર નોંધાતો હોય છે.

June 29, 2018
minority.jpg
1min12760
170ની વસતિ ધરાવતા યહુદી સમાજને ધાર્મિક લઘુમતી દરજ્જો

વસતિની દ્રષ્ટીએ જેનું સંખ્યાબળ ગુજરાતમાં ફક્ત 170 લોકો જેટલું મર્યાદિત છે એ યહુદી કોમને માઇનોરિટીનો દરજ્જો આપવા અંગેનો સૈદ્ધાંતિક નિર્ણય હાલમાં ઇઝરાયલના પ્રવાસ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો છે અને તેની જાહેરાત કરી છે.

ગુજરાતમાં વર્ષોથી રહેતા યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો તેમણે સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથેની મુલાકાત દરમિયાન તેમણે આ નિર્દેશ આપ્યા હતા. ગુજરાત સરકાર યહુદીઓને લઘુમતીનો દરજ્જો આપવા વહેલી તકે જાહેરનામુ બહાર પાડશે. તે પછી યહુદી સમાજને લઘુમતી સમાજને મળતા વિવિધ લાભ મળશે.

યહુદી સમાજના લોકોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણયને પગલે ખુશાલી પ્રવર્તી છે. આગેવાનોએ જણાવ્યું હતું કે રાજયમાં યહુદી સમાજના ૧૭૦ લોકો વસે છે, તેમાંથી ૧૪૦ અમદાવાદના ખમાસા-મણિનગર વિસ્તારમાં રહે છે. બાકીના પરિવાર વડોદરા, સુરત ખાતે રહે છે. યહુદી સમાજ જે રીતે કાયમ તેની પર ખતરો હોવાનું અનુભવે છે તે જોતા સરકારનો ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપતો આ નિર્ણય યહુદી સમાજ માટે વધુ સુરક્ષાનો અહેસાસ કરાવનારો બની રહેશે.

ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ આ વર્ષના જાન્યુઆરીમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી. તે સાથે ઇઝરાયલના ગુજરાત અને ભારત સાથેના સંબંધ વધુ ગાઢ થવા પામ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમના પહેલા વિદેશ પ્રવાસ માટે ઇઝરાયલની પસંદગી કરી છે.

June 26, 2018
narmada.jpg
1min12370

ગુજરાતની નદીઓ અને ડેમોમાં પણ પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે સરદાર સરોવરની ડેમ સપાટી પણ વધી ગઈ છે. મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદ તેમજ ડેમના ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 48 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી 107.25 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ 21,333 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની મુખ્ય કેનાલમાં ગુજરાત માટે 2432 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે મધ્યપ્રદેશના ડેમોમાં પાવરહાઉસ ચાલુ કરાયા છે. તો ઉપરવાસમાંથી 9826 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી પાણીની આવક થતા સપાટીમાં વધારો થયો છે. દર કલાકે નર્મદા ડેમની સપાટી 1 સેન્ટિમીટર જેટલી વધી રહી છે.

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર પ્રાંતોમાં વરસાદ નોંધાયો છે. જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સોમવારે ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે લોકોનો મૂડ અને મિજાજ પણ બદલાયેલો જોવાયો હતો. લોકોના ચહેરા પર તો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

 

June 24, 2018
bapufeature.jpg
1min19050

જયેશ બ્રહ્મભટ્ટ

સ્વચ્છતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ જેનું વૈશ્વિક સ્તરે ઐતિહાસિક મૂલ્ય છે, એવા ગુજરાતના પોરબંદરમાં સ્વચ્છતાની પરિસ્થિત દયાજનક છે. સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાના તા.22 જૂનના રોજ જાહેર થયેલા પરીણામોમાં ગાંધીબાપૂના જન્મસ્થળ પોરબંદરનો નંબર 225મો છે. કમનસીબી તો એ છે કે 2017ના સ્વચ્છ સર્વેક્ષણમાં પોરબંદરનો નંબર 184મો હતો જેમાં વધુ 41 નંબર પછડાઇને 2018માં પોરબંદર દેશના સ્વચ્છ શહેરોમાં 225માં નંબરે સરકી ગયું છે.

સમગ્ર વિશ્વના લોકો ગાંધીબાપૂમાંથી સ્વચ્છતાની પ્રેરણા લઇ રહ્યા છે. ભારતમાં સ્વચ્છ ભારત મિશનના સિમ્બોલ તરીકે મહાત્મા ગાંધી બાપૂના ચશ્માને સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ સ્થાનિક રાજકારણીઓએ રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને સ્વચ્છ રાખવામાં જરૂર ચૂક કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છેલ્લા 11 મહિના દરમિયાન જે તે શહેરમાં થયેલી કામગીરીના આધારે નિર્ણય લેવાય છે જેમાં પોરબંદર ખાતે શૌચાલયોના નિર્માણ, કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા, સ્વચ્છતા જાગૃતિ વગેરે બાબતોમાં પોરબંદર નગરપાલિકાની કામગીરી કંગાળ રહેવા પામી છે. 2016માં તો પોરબંદરએ સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ જ લીધો ન હતો. 2017માં એ 184 નંબર પર આવ્યું હતું.

June 23, 2018
whether23.jpg
1min33110

તા.23 જુન, 2018

ભારતના હવામાન ખાતા દ્વારા તા.23મી જુનને શનિવારે જારી કરાયેલી સેટેલાઇટ વેધર ઇમેજ અનુસાર સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સેટેલાઇટ ઇમેજ પરથી સ્પષ્ટ નજરે પડે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારો પર મોન્સુન લઇને આવનારા વાદળો વ્યાપક પ્રમાણમાં છે અને તે સમય જતા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેને પરીણામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

આમેય દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરત શહેરમાં સવારે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. બપોરે એક વાગ્યાથી મૂળશધાર વરસાદ જોવા મળી રહ્યો છે.