CIA ALERT

ગુજરાત Archives - Page 142 of 158 - CIA Live

December 22, 2018
d8.jpg
2min16920
  • ગંભીર ઇજા પામેલા 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હોવાના બિનસત્તાવાર અહેવાલો
  • 200 ફૂટથી વધુ ઉંડી ખીણમાં બસ ખાબકી
  • 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ
  • અમરોલીના ખાનગી ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસની હતી બસ

સુરતના અમરોલી-છાપરાભાઠા ખાતે પ્રાઇમરી સ્કુલના બાળકોના ટ્યુશન આપતા ખાનગી ક્લાસીસના બાળકોની બસ આજે સાંજે ડાંગના બરડીપાડા રોડ ખાતે 200ફૂટથી વધુ ઉંડી ખાઇમાં ખાબકી હોવાના સમાચારોએ સુરતના શિક્ષણ જગતને હચમચાવી મૂક્યું છે. બસમાં ધો.1થી 8 સુધીના જ વિદ્યાર્થીઓ હતા. સુરત પરત ફરી રહેલી ટ્યુશન ક્લાસીસના બાળકોની બસ નંબર જી.જે.5 ઝેડ 9993 ને મહાલ-બરડી પાડા રોડ પર અકસ્માત નડ્યો હતો. ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગૂમાવતા રોડ સાઇડમાં આવેલી ખીણમાં બસ ખાબકી હતી.

બસમાં અંદાજે 75-80 જેટલા વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા જે પૈકી આ ગમખ્વાર અકસ્માતમાં 32 જેટલા ભૂલકાઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાવાય રહી છે. 2 ગંભીર વિદ્યાર્થીઓને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હોવાની વિગતો મોડી સાંજે જાણવા મળી છે. બિનસત્તાવાર રીતે મળતી પ્રાથમિક માહિતી મુજબ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલા 3 બાળકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

બસ ખીણમાં ખાબકતા જ આસપાસના વિસ્તાર બાળકોની ચીચીયારીથી ધ્રુજી ઉઠ્યો હતો. આસપાસના ગામવાસીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સત્વરે બાળકોને બસની બહાર કાઢીને તેમને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

પ્રાથમિક તસ્વીરો

 

December 22, 2018
shangani_solanki.jpg
1min5870

રાજ્યમાં છેલ્લા 19 વર્ષોથી ચાલી રહેલા ભાજપાના શાસનમાં દાયકાઓ અગાઉ થઇ ચૂકેલા કૌભાંડોના હાડપિંજર હવે બહાર આવી રહ્યા છે. એક પછી એક કૌભાંડો બહાર નીકળશે. તાજેતરમાં મત્સ્ય વિભાગમાં થયેલા રૂ.400 કરોડના જંગી કૌભાંડની વિગતો સપાટી પર આવી છે અને ગુજરાત હાઇકોર્ટે એક પૂર્વમંત્રી દિલિપ સંઘાણી અને એક વર્તમાન મંત્રી પુરુષોત્તમ સોલંકી બન્નેને હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. વાંચો ફુલ સ્ટોરી અહીંયા.

400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે હાઇકોર્ટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ દિલિપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને ઝટકો આપ્યો છે. રાજ્યસરકારના પ્રધાન પુરુસોત્તમ સોલંકી અને પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને હાઇકોર્ટે 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. કરોડોના તળાવ ફિશરીઝ કોન્ટ્રાક્ટ ટેન્ડર વગર આપતા બન્ને કોન્ટ્રક્ટરો પર કેસ ચાલી રહ્યો છે જેને લઇને ગાંધીનગર કોર્ટમાં કરેલી કાર્યવાહી રદ કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેને તાત્કાલિક ફગાવીને હાઇકોર્ટે બન્ને નેતાઓને 2 અઠવાડિયામાં હાજર થવા આદેશ કર્યો છે. પરિણામે આ બન્ને નેતાઓ સામે હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલશે.

  • રૂ.400 કરોડની જંગી રકમના મત્સ્ય કૌભાંડની સિલસિલાબદ્ધ વિગતો

  • ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી
  • ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો
  • વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા
  • મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો
  • ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા
  • મહત્વનું છે કે, 400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીએ તેમની સામે થયેલા આક્ષેપો અંતર્ગત થઇ રહેલી કાર્યવાહીને રદ્દ કરવાની માંગ હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ફગાવી હતી. આ બન્ને સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે સમન્સ પાઠવ્યા છે, જેને રદ્દ કરાવવા માટે હાઇકોર્ટમાં માંગણી કરી હતી. આ કેસ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે 400 કરોડના ફિશરીઝ  કૌભાંડમાં કાર્યવાહી શરૂ કરી હતી. એસીબી દ્વારા તપાસ કરવામાં આવેલા આ રીપોર્ટના આધારે દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાંચ અન્ય અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. જો કે હાઇકોર્ટે પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને રાહત આપવાની ના કહી દીધી છે.
  • મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી
  • દિલીપ સંઘાણીએ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચર્ચા જગાડનાર આ ફિશરીઝ કૌભાંડમાં માછીમારોને પાંચ વર્ષ માટે આપવામાં આવતો કોન્ટ્રાક્ટ વર્ષ 2008માં પૂરો થતો હતો. જેમાં વર્ષ 2009માં હરાજી કરી આ કોન્ટ્રાક્ટ નવેસરથી આપવાના હતા પરંતુ મત્સ્યોદ્યોગ પ્રધાન પુરુષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઇઝથી પહેલા 12 વ્યક્તિઓને કોન્ટ્રક્ટ આપી દીધો હતો. ત્યારબાદ ફરી 38 લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા. વાસ્તવમાં આ કોન્ટ્રાક્ટ આપવા માટે રાજ્યની કેબીનેટની મંજૂરી લેવાની હોય છે પરંતુ પ્રધાન પરસોત્તમ સોલંકીએ કેબીનેટની કોઇ મંજુરી લીધા વિનાજ આ કોન્ટ્રાક્ટ આપી દીધા હતા.

આ સમયે કૃષિ અને મત્સોદ્યોગ વિભાગના કેબીનેટ પ્રધાન દિલીપ સંઘાણી હતા. તેમણે રાજ્યકક્ષાના પ્રધાને નિયમ વિરુદ્ધ આપેલા કોન્ટ્રાક્ટમાં સુપરવિઝન કરવાની જવાબદારી નિભાવવાના બદલે કોઇ જ ધ્યાન આપ્યું નહોતું એટલું જ નહીં પ્રધાન દિલીપ સંઘાણીએ હરાજી વગર અપાયેલા કોન્ટ્રાક્ટ માટે કેબિનેટમાં પણ કોઇ મંજૂરી મેળવી નહોતી. પરિણામે તેમણે આ કૌભાંડમાં મદદગારી કરી હોવાના આરોપ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કૌભાંડમાં હવે ગાંધીનગર કોર્ટમાં ટ્રાયલ ચાલવાનો માર્ગ મોકળો થતા બન્ને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

December 21, 2018
rajnish.jpg
1min5020
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સરકાર સામે પડ્યા હતા
  • મુંબઈ CBI કોર્ટ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ચુકાદો આપે તે પહેલા જ રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજનીશ રાયે આ કેસમાં સરકાર સામે બાંયો ચડાવી હતી

રજનીશ રાયે લાંબા સમયથી સેવાનિવૃતિની માંગ કરી હતી. પરંતુ તે દરખાસ્ત મંજૂર ન કરવામાં આવી અને અચાનક તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ CBI કોર્ટે સોહરાબુદ્દીન કેસમાં આવતીકાલે ચુકાદો આપવાની છે તે પહેલા જ સરકારે નિર્ણય આપ્યો છે. ગુજરાત કેડરના IPS રજનીશ રાય CID ક્રાઈમમાં હતા અને સોહરાબુદ્દીન કેસની તપાસ કરતા હતા.

તા.19મી ડિસેમ્બર 2018ના રોજ રજનીશ રાયે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઈ લીધી હતી. જો કે સરકારે તેમની સેવાનિવૃતિ મંજૂર નહોતી કરી. ગૃહ મંત્રાલયે તેમની અરજી મંજૂર ન કરતા તેમણે કેંદ્રીય પ્રશાસનિક અધિકરણમાં અપીલ કરી હતી, જે બાદ કેંદ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. જેના પર એક જાન્યુઆરી 2019ના તેના પર સુનાવણી થવાની હતી. તે પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની તપાસ કરતા રજનીશ રાયે ગુજરાત કેડરના વરિષ્ઠ IPS ડી જી વણઝારા, IPS અભય ચુડાસમા અને રાજસ્થાન કેડરના IPS દિનેશ MNની ધરપકડ કરી હતી. જે બાદ તેની દેશભરમાં ચર્ચા થઈ હતી.

December 21, 2018
startups.jpg
1min4730

સરકારે જાન્યુઆરીમાં ભારતના ઊભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. જેનો હેતુ ટેક્સ હોલિડે સહિતનાં પ્રોત્સાહન, ઇન્સ્પેક્ટર રાજ મુક્ત સિસ્ટમ અને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, DIPP દ્વારા વિવિધ કેટેગરીમાં રાજ્યોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી પ્રગતિ અને વિકાસનાં જુદાંજુદાં પાસાંમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કરી શકાય. વધુમાં આ સિસ્ટમને કારણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની પ્રગતિ પર પણ સતત નજર રાખી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવાની બાબતમાં ગુજરાત નંબર-1 રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાતે આ સિદ્ધિ મેળવી છે. આ કેટેગરીમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાને અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

DIPP સેક્રેટરી રમેશ અભિષેકે તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે, “તમામ રાજ્યો આ કવાયતથી સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે લેવાયેલાં પગલાંને આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે.

સમગ્ર પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો. રેન્કિંગના માળખામાં ઇન્ટરવેન્શનની સાત કેટેગરી અને 38 એક્શન પોઇન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં પોલિસી સપોર્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સીડ ફન્ડિંગ, એન્જલ અને વેન્ચર ફન્ડિંગ તેમજ સરળ નિયમોનો સમાવેશ થાય છે.

ગુજરાત આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમના નિર્માણની દિશામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સરકારના સહયોગ, ઉદ્યોગ સાહસિકોના જુસ્સા, બેસ્ટ કો-વર્કિંગ સ્પેસ, માર્કેટ વગેરે જેવી બાબતોમાં રાજ્ય હંમેશા ટોચના ક્રમે રહ્યું છે. એક વાર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રારંભ કરશે તો આપણે આગામી દિવસોમાં વધુ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વિકૃત સ્ટાર્ટ-અપ સોલ્યુશન્સ જોઇ શકીશું.

December 20, 2018
Jasdan.jpg
1min6250

ભાજપ અને કૉંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન જસદણની પેટાચૂંટણીમાં 71.27 ટકા મતદાન થયું હતું. બાવળિયા અને નાકિયાનું ભાવિ EVMમાં કેદ થયું છે. 23 ડિસેમ્બરે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે બાવળિયાએ ગઢ સાચવ્યો કે પછી કૉંગ્રેસ બેઠક જાળી રાખી.

હાઈ વોલ્ટેજ એવી આ ચૂંટણી માટે ગુરૂવારે સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થયું. જસદણ શહેર અને તેના 104 ગામડામાં 262 બુથ પર મતદાન થયું. ચૂંટણી માટે કુલ 8 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી કોણ જીતશે તે નક્કી કરવા માટે મતદાન થયું. મહિલાઓમાં મતદાનની ટકાવારી 68.42 રહી જ્યારે પુરૂષોમાં 73.82 ટકા

જસદમા વિંછિયામાં 68.07 ટકા, જસદણ તાલુકામાં 63.83, કમળાપુરમાં સરેરાશ 65, જસદણ શહેરમાં 64, ગોખલાણામાં 60, પાંચવડામાં 50 ટકા, ખાંડાધારમાં 70, ચિતલિયામાં 46, વાંગધ્રામાં 60, પાંચવડામાં 50, આંબરડીમાં 55, મોઢુકામાં 58, કોઢીમાં 55 ટકા મતદાન નોંધાયું. મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સમગ્ર ગુજરાતનું ધ્યાન આજરોજ તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જેના પર કેન્દ્રીત છે એ સૌરાષ્ટ્રના જસદણની વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અન્વયે યોજાઇ રહેલા મતદાનમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 54 ટકા જેટલું જંગી કહી શકાય તેટલું મતદાન થયું હતું. સવારથી જ મતદારોએ મતદાન માટે ભીડ લગાવી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં મળેલા મતદાનના આંકડા મુજબ એકંદરે 54 ટકા મતદાનમાં જસદણ પૂર્વમાં 52 ટકા , પશ્ચિમમાં 54 ટકા, ઉત્તરમાં 56 ટકા અને તાલુકામાં 58 ટકા મતદાન થયું હોવાની માહિતી ચૂંટણી કન્ટ્રોલ રૂમ પરથી સાંપડી હતી.

જસદણ બેઠક માટે જસદણ તાલુકાના ૧૬૫ મતદાન મથકો જેમાં, વિંછીયા તાલુકાના ૯૦ મથકો અને ગોંડલ તાલુકાના ૭ મતદાન મથકો મળી કુલ ૨૬૨ મતદાન મથકોએ મતદાન યોજાઇ રહ્યું છે. જે તમામ મથકો માટે કુલ ૨૬૨ ઈ.વી.એમના સેટ બુધવાર, તા.19મી ડિસેમ્બર 2018ના રોજ સવારથી રવાના કરવામાં આવ્યા હતા. એક ઇ.વી.એમ. સેટમાં કુલ ૩ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં એક બેલેટ યુનિટ,એક કંટ્રોલ યુનિટ તથા એક વી.વી.પેટ મશીન છે.

પાંચ રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ જનતાનો મેન્ડેટ આવ્યો હોવાથી ભાજપમાં ફફડાટ ફેલાયો છે અને લોકસભા ચૂંટણીની અગાઉ જસદણ પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે મરણીયા પ્રયાસો કર્યા હતા અને પ્રદેશના ટોચના નેતાઓનો કાફલો પ્રચાર માટે ખડકી દીધો હતો. બાવળિયા અહીં લોકપ્રિય ચહેરો છે અને સારો લોકસંપર્ક ધરાવે છે પરંતુ પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતા હવે પ્રજા તેમને આવકારે છે કે જાકારો આપે છે તે જોવું રહેશે. જસદણ પેટા ચૂંટણીના પરિણામ 23 ડિસેમ્બરના આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ-ચેલો આ ચૂંટણી સામ સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે તે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયાના ચેલા રહી ચૂક્યા છે

લોકસભાની ચૂંટણી પહેલા જો ભાજપ જસદણની બેઠક હારી જાય તો ગુજરાતમાં ભાજપની લોકપ્રિયતા પર ઘટી હોવાનું તારણ નીકળશે. સામે કોંગ્રેસનો ઉત્સાહ બેવડાશે.

જનતા નાકિયાને અવસર આપે છે કે પછી બાવળિયાને કમબેક કરાવે છે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે. હાલ તો અવસર નાકિયા અને કુંવરજી બાવળિયા બંનેનો જંગ રસપ્રદ બન્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે ગુરુ-ચેલો આ ચૂંટણી સામ સામે લડી રહ્યા છે. કોંગ્રેસે જેને ઉમેદવાર બનાવ્યા છે તે અવસર નાકિયા એક સમયે કુંવરજી બાવળિયાના ચેલા રહી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. જનતા દળથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર બાવળિયા 1990માં પહેલી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. પરંતુ પહેલા જ પ્રયાસમાં હાર મળ્યા બાદ બાવળિયાએ કોંગ્રેસના હાથનો સાથ લીધો. કોંગ્રેસની ટિકિટ પરથી કુંવરજી સતત ચાર વખત જીત્યા. આ દરમિયાન 2009માં લોકસભાની ચૂંટણી પણ લડ્યા અને જીત્યા.

જો કે આ જીત બાદ બોટાદ વિધાનસભા બેઠક પરથી કુંવરજીએ હારનો સામનો કરવો પડ્યો. પરંતુ જસદણ બેઠક પર કુંવરજીના નામના સિક્કા પડતા રહ્યા છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિનાઓ બાદ અચાનક જ કુંવરજીએ કોંગ્રેસને ટાટા કરીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો. પક્ષપલટાની સાથે જ ભાજપે કુંવરજીને કેબિનેટ મંત્રીનું પદ આપી દીધું. હવે કુંવરજીને જીતાડવા એ ભાજપ માટે શાખનો સવાલ છે.

December 20, 2018
nilanshi.jpg
1min12520

મોડાસાના સાયરા ગામમાં રહેતી નીલાંશી પટેલ દસમા ધોરણમાં ભણે છે અને હાલમાં તેના નામે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ બન્યો છે. તે છ વર્ષની હતી ત્યારે છેલ્લે વાળ કપાવ્યા હતા. એ પછીથી તેણે કદી વાળ કપાવ્યા નથી. દસ વર્ષમાં તેના વાળ ૧.૭૫ મીટર જેટલા લાંબા થઈ ચૂક્યા છે. તે અઠવાડિયે એક વાર વાળ ધુએ છે.

અડધો કલાક વાળને સૂકવતાં થાય છે. રોજેરોજ વાળની ગૂંચ કાઢીને ઓળતાં પૂરો એક કલાક થાય છે. લાંબા વાળ હોવા છતાં તે સ્પોર્ટ્સમાં પણ રસ ધરાવે છે. ટેબલ ટેનિસ, સ્વિમિંગ અને ડાન્સિંગનો તેને જબરો શોખ છે. જ્યારે પણ સ્પોર્ટ્સ રમવાની હોય ત્યારે તે લાંબો ચોટલો વાળીને એનો અંબોડો વાળી લે છે. થોડાક સમય પહેલાં તેને લિમ્કા બુક ઑફ રેકૉર્ડમાં સ્થાન મળ્યું છે. અને હાલમાં ગિનેસ વર્લ્ડ  રેકૉર્ડ્સમાં સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ખિતાબ મળ્યો છે.

December 19, 2018
CIA_Live_Logo_New2.jpg
1min5660

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે તેઓ ડીજી કોન્સફરન્સમાં હાજરી આપવા માટે 21 ડિસેમ્બરે ગુજરાત જશે. ગુજરાતમાં બીજી વાર ડીજી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે. કેવડિયા કોલોનીમાં આ કોન્ફરન્સનું આયોજન છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 20, 21, 22 ડિસેમ્બરને દિવસે ડીજી કોન્સફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાધુબેટમાં આવેલા ટેન્ટસિટીમાં યોજાશે. હાલ ત્યાં મીડિયાને જવાથી મનાઈ કરવામાં આવી છે.

ઑલ ઈંડિયા ડીજી કોન્ફરન્સમાં દેશની વિવિધ સુરક્ષા પાંખના 185 ડીજી હાજર રહેશે. રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સમાં વડાપ્રધાનની સાથે કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

31 ઓક્ટોબરે જ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. જેને દોઢ મહિના જેટલો જ સમય થયો ત્યાં ફરીથી મોદી એકતાની આ પ્રતિમાની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાનના રોકાણ માટે ખાસ રાજ દરબારી ટેન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

December 18, 2018
Shiva-Rudraksha.jpg
1min10900

હિન્દુ ધર્મના પુરાણોમાં  પારદ શિવલિંગનો ઉલ્લેખ છે કે વૈજ્ઞાનિક રીતે મરક્યુરી એટલે કે પારાને હિલિંગ (ઉપચાર માટેનું શ્રેષ્ઠ માધ્યમ) માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે.

અધ્યાત્મિક વિશ્વમાં પારદ્ શિવલીંગનું વિશેષ મહાત્ત્મય છે. પારદ્ શિવલીંગના સાનિધ્યમાં મેડીટેશન એટલે કે ધ્યાન ધરવાથી અનેક ગણા વધારે ફાયદાઓ મેળવી શકાયાના દાખલાઓ, પરચાઓ હાજરાહજૂર છે. રામાયણમાં ઉલ્લેખ છે કે રાવણે પણ પારદ શિવલીંગની ઉપાસના થકી અખુટ સમ્પદા અને લંકાની સોના પ્રાપ્ત કરી હતી. પારદને ભગવાન શિવના રજ અંશ તરીકે ઓળખવામાં આવે છે. પારદ્ શિવલિંગના આધ્યાત્મને નવી ઉંચાઈ તરફ લઈ જશે.

આગામી દિવસોમાં ભારત જ નહીં બલ્કે વિદેશોથી પણ લોકો શાંતિ મેળવવા વલસાડના રોલા ખાતે પધારશે કેમકે વલસાડ ખાતે વિશ્વનું સૌથી મોટું પારદ્ શિવલિંગની રચના કરવાનું મહાકાર્ય શરૂ થઇ ચૂક્યું છે.

યજ્ઞમૂર્તિ દાદાશ્રી અને ધ્યાન મૂર્તિ પૂજ્ય ગુરુશ્રી દ્વારા સૌથી મોટા પારદ્ શિવલિંગની રચના કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. ત્રણ મહિનાના ભગીરથ પુરુષાર્થ બાદ આ પારદ્ મહાલિંગમની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે આ પારદ્ મહાલિંગમના નિર્માણમાં 3,333 કિલો પારો (મરક્યુરી)નો ઉપયોગ કરવામાં આવશે. આ આખાય કાર્યને દાદાશ્રી ફાઉન્ડેશનનો સહકાર સાંપડી રહ્યો છે.

ધ્યાનમૂર્તિ ગુરુશ્રીના કહેવા પ્રમાણે હાલ વિશ્વમાં સમસ્યાઓ વધી રહી છે. લોકો સ્ટ્રેસ ફીલ કરી રહ્યા છે, સાથે જ કેન્સર જેવા અસાધ્ય રોગો પણ વધી રહ્યા છે. આવા સમયમાં જો પારદના શિવલિંગ સામે ધ્યાન કરવામાં આવે તો માનસિક અને શારીરીક રીતે અનેકગણો ફાયદો થાય છે. એટલે જ અમે શિવલિંગનું મંદિર નહીં પરંતુ ધ્યાન કેન્દ્ર બનાવી રહ્યા છીએ.

તો દાદાશ્રીનું કહેવું છે કે પારદના શિવલીંગની સામે ધ્યાન કરવાથી અનેકગણા ફાયદો મળે છે. એટલે જ યોગીઓ ધ્યાન કરવા માટે પારદના શિવલીંગને પસંદ કરે છે

December 15, 2018
darshan1.jpg
1min6040
આજ રોજ શનિવાર, તા.15મી ડિસેમ્બર 2018ના રોજ સુરત સિંચાઇ વર્તુળ ખાતે ખેડૂત સમાજ ગુજરાત ના પ્રમુખ જયેશભાઈ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ એન.પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય દર્શનભાઈ નાયક, ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના માજી પ્રમુખ જયચંદભાઈ વસાવા, માંગરોળ તાલુકાના ખેડૂત આગેવાન સુરેશભાઈ વસાવા, પીપોદરાગામના ડેપ્યુરિટી સરપંચ નશરૂમભાઈ શેખ, પીપોદરા સહકારી મંડળીના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા સિંચાઇ વિભાગના અધિકારીઓ સાથે સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવેલા ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે સિંચાઇના પાણી રોટેશનથી વિતરીત કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવવા બાબતે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતનો સુરત સિંચાઇ વર્તુળમાં આવતા વિસ્તારમાં ખેતી કરી રહેલા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં ત્યારે જ મળી રહેશે જ્યારે રોટેશન પ્રમાણે પાણી વિતરણ કરવામાં આવે અન્યથા ધરતીપુત્રોને મોટી નુકસાની થવાની દહેશત છે. આ વર્ષે આમેય વરસાદ ઓછો પડ્યો છે અને સમગ્ર રાજ્યમાં જળસંકટ સર્જાય તેવી ભીંતી પ્રવર્તી રહી છે ત્યારે સુરત જિલ્લાના સામાજિક-રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકે રજૂઆત કરી છે કે સુરતના ખેડૂતોને આયોજનબદ્ધ રીતે જો ખેતી સિંચાઇનું પાણી વિતરણ કરવામાં આવશે તો સમસ્યાને નિવારી શકાશે. ખેડૂતોની ફરીયાદો ઉપસ્થિત થાય એ પહેલા જ સિંચાઇ વિભાગે રોટેશનથી પાણી કેવી રીતે વિતરીત કરી શકાય એ માટેનું હોમવર્ક કરવું રહ્યું એમ દર્શન નાયકએ ઉમેર્યું હતું.
December 10, 2018
CIA_Live_Logo_New2.jpg
1min15320

લોકરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવી પડી હતી, હજુ આ ઘટનાના મૂળ સુધી પોલીસ પહોંચી શકી નથી ત્યાં આજે તા.10મીએ મોડી સાંજે રાજ્ય સરકારના વહીવટ અને આઇ.ટી. વિભાગના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે રવિવારે તા.23મી ડિસેમ્બર 2018ના રોજ રાજ્યવ્યાપી ધોરણે યોજાનારી વન રક્ષક વર્ગ-3ની કુલ 334 જગ્યા માટેની ભરતી પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ અને સમયપત્રક હવે પછી જાહેર કરવામાં આવશે.

વન રક્ષક વર્ગ-3ની આ પરીક્ષા માટે પણ રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ ઉપરાંત ઉમેદવારોએ તૈયારી કરી હતી અને પરીક્ષાના કોલ લેટરની રાહ જોઇ રહ્યા હતા. આજે મોડી સાંજે પરીક્ષા રદ કરવાની જાહેરાતને પગલે લાખો ઉમેદવારો નિરાશ થયા હતા. આ સાથે જ ગુજરાત સરકારની આબરૂનું પણ લિલામ થવા પામ્યું છે. ભરતી પ્રક્રિયાઓ કે જેમાં એક સાથે લાખો ઉમેદવારો તૈયારી કરતા હોય છે એ છેલ્લી ઘડીએ રદ કરી દેવાથી ઉમેદવારોને માનસિક, શારીરીક, આર્થિક અને ભવિષ્યનું કેટલું મોટું નુકસાન વેઠવું પડે છે તેનો અંદાજો પણ સરકાર જાણતી ન હશે.